Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 77
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની પ્રભાવના : ૭૧ [ પડદામાં રથયાત્રાની તૈયારીસૂચક બેન્ડ વાગે છે.] મંત્રી (આવીને) : મહારાજ ! રથયાત્રાની બધી તૈયારી થઈ ગઈ છે; ભગવાનનો ગજરથ પણ તૈયાર છે... આપ સૌ પધારો... (બધા પડદામાં જાય છે.... બેન્ડનો અવાજ ચાલુ છે. સંઘશ્રી એકલા નીચે મોઢે બેઠા છે. પડદો પડે છે....). ભોં... ભોં... ભૂ... ભૂ... એમ વાજાં વાગે છે. જય હો.. વિજય હો. એમ જયનાદ થાય છે. ભવ્ય રથયાત્રા આવે છે. શ્રીઅકલંક મહારાજના હાથમાં ઝંડો છે. રાજા, રાજકુમાર, સંઘપતિ વગેરે સાથે છે. મંગલ વાજાં વાગે છે ને રત્નજડિત ગજરથમાં જિનેન્દ્ર ભગવાન બિરાજે છે. પાછળ હજારો-લાખો નગરજનો છે. રથયાત્રા સ્ટેજ ઉપર આવતાં ભગવાનને સિંહાસન પર બિરાજમાન કરીને અભિષેક-પૂજન કરે છે : અકલંક : મંગલ ભગવાન્ વીરો મંગલ ગૌતમોગણી, મંગલ કુન્દકુન્દા જૈન ધર્મોસ્તુ મંગલમ્. મોક્ષમાર્ગસ્યતેનારું, “તારે કર્મભુભ્રતામ, જ્ઞાતાર વિશ્વતત્ત્વનાં, વન્દ તગુણલબ્ધયે. 3ૐ હ્રીં ભગવાન શ્રી સર્વજ્ઞ વીતરાગ જિનેન્દ્રદેવને ચરણકમલપૂજનાર્થે અર્ધ નિર્વપામીતિ સ્વાહા. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87