________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની પ્રભાવના : ૭૫
(સંઘશ્રી જિનેન્દ્ર ભગવાન પ્રત્યે હાથ જોડે છે. ને અકલંક જે રીતે બોલાવે છે તે રીતે નીચે મુજબ બોલે છે; દરેક લાઇન એકવાર અકલંક બોલે છે, પછી સંઘશ્રી બોલે છે... )
અરિહંતે સરણે પધ્વજ્જામિ | સિદ્ધ સરણે પધ્વજ્જામિ || સાહૂ સરણે પધ્વજ્જામિ ||
કેવલિપષ્ણત ધમ્મ મરણ પધ્વજ્જામિ | સંઘશ્રી : અહો ભગવાન જિનેન્દ્રદેવ! આપના પવિત્ર શાસનને
અંગીકાર કરીને હું આપના શરણે આવું છું. મારું મહાન ભાગ્ય છે કે મને આવા ઉત્તમ જૈનધર્મની પ્રાપ્તિ થઈ. અહા, જૈનધર્મના તત્ત્વો મહાન ઉત્તમ છે... ને તેની ક્ષમા
પણ મહાન ઉત્તમ છે. અકલંક : ધન્ય છે બંધુ! તમારો આવો ઉત્તમ હૃદયપલટો
દેખીને મને મહાન હર્ષ થાય છેઅને મારો નિકલંકબંધું જ જાણે તમારા રૂપે જૈનધર્મની ભક્તિ કરવા આવ્યો હોય એમ મને વાત્સલ્ય ઊભરાય છે. તમે જૈનધર્મનો સ્વીકાર કર્યો તેથી મને ઘણો હર્ષ થાય છે. ભક્તિપૂર્વક તેની આરાધના કરીને આત્મકલ્યાણ સાધો... જગતમાં આ જિનેન્દ્ર ભગવાનનો ધર્મ જ પરમ
શરણરૂપ છે. સંઘશ્રી : ભાઈ, તમારા પ્રતાપે મને આજે ભગવાન
જિનેન્દ્રદેવનો ધર્મ મળ્યો તેથી મારા હૃદયમાં અપાર હર્ષ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com