________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની પ્રભાવના : ૬૭ જૈનકુમાર : મહારાજ! અમારા અકલંકકુમારનો સીધો પ્રતાપ
તેઓ ઝીલી નહિ શક્તા હોય તેથી પડદો રાખ્યો હશે ! અકલંક : ભલે મહારાજ! તેઓ પડદામાં રહીને જવાબ આપે.
જુઓ, હમણાં જ હું આ પડદાનું રહસ્ય ખુલ્લું કરું છું.
બોલો, સંઘશ્રી ! આત્મા નિત્ય છે કે અનિત્ય? પડદામાંથી અવાજ : આત્મા નિત્ય નથી પણ સર્વથા ક્ષણિક છે,
બીજી ક્ષણે તે નાશ પામી જાય છે ને તેના સંસ્કાર મુક્તો જાય છે, તેથી તે નિત્ય જેવો પ્રતિભાસે છે, –એ ભ્રમ છે.
વાસ્તવમાં જગતમાં બધું ક્ષણિક છે. અકલંક : સંઘશ્રી ! આપે જે કહ્યું તે આ સભાજનો બરાબર સાંભળી શક્યા નથી, માટે એ જ વાત ફરીને કહો.
(કોઈ બોલતું નથી.) અકલંક : બોલો સંઘશ્રી ! કેમ નથી બોલતા?? .... બોલો... જવાબ આપો !
(થોડીવાર શાંતિ). રાજા : બોલો, સંઘશ્રી ! નહિતર આપ નિરુત્તર થઈ ગયા ગણાશો.
(થોડીવાર શાંતિ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com