Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 69
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વાદવિવાદ : ૬૩ વસ્તુ નિત્ય તેમજ અનિત્ય એવા બે સ્વરૂપે દેખાય છે. સંઘશ્રી : વાહ! એક જ વસ્તુ અને બે સ્વરૂપ!! અકલંક : જી હા. એક જ વસ્તુ અનેક ધર્મોવાળી છે. જે વસ્તુ દ્રવ્યપણે નિત્ય છે તે જ વસ્તુ પર્યાયપણે અનિત્ય છે. સાંભળોઆત્મા દ્રવ્ય નિત્ય છે. પર્યાય પલટાય... બાળાદિ વય ત્રણનું... જ્ઞાન એકને થાય.. ક્રોધાદિ તરતમ્યતા... સર્પાદિકની માંય. પૂર્વજન્મ સંસ્કાર તે.... જીવ નિત્યના ત્યાંય. અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વદનાર.. વદનારો તે ક્ષણિક નહિ.. કર અનુભવ નિર્ધાર... સંઘશ્રી : નહિ, નહિ; એમ હોઈ શકે નહીં. અકલંક : તો આપના બૌદ્ધધર્મનો શો મત છે? તે કહો. સંઘશ્રી : અમારા બૌદ્ધધર્મનો સિદ્ધાંત એમ છે કે જગતમાં નિત્ય કાંઈ છે જ નહીં, જે કાંઈ દેખાય છે તે બધુંય સર્વથા ક્ષણિક છે, અનિત્ય છે, નાશવાન છે, અધ્રુવ છે, ક્ષણભંગુર છે. અકલંક : વાહ રે વાહ.. તમારો ક્ષણિકવાદ! તો હું પૂછું છું કે આપ પોતે નિત્ય છે કે ક્ષણિક છો? સંઘશ્રી : બધું જ ક્ષણિક છે, મારો આત્મા પણ ક્ષણિક છે. તે ક્ષણે ક્ષણે નવો નવો થાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87