________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
વાદવિવાદ... : ૬૧
(
,,
અક્લંક ઃ અમારા જૈનધર્મનો મૂળ સિદ્ધાંત “ અનેકાન્ત ” છે.
:
સંઘશ્રી : અનેકાન્ત એટલે શું?
અકલંક : દરેક વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે તે અનેકાન્ત છે. પરસ્પર સાપેક્ષ એવા અનેકધર્મો વડે જ વસ્તુની સિદ્ધિ થઈ શકે છે. સર્વથા એકાન્ત વડે વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી.
સંઘશ્રી : એક જ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ બે ધર્મો કેમ હોઈ શકે?
અકલંક : એકબીજાથી સર્વથા વિરુદ્ધ બે ધર્મો એક વસ્તુમાં ન રહી શકે, પરંતુ સ્થંચિત વિરૂદ્ધ બે ધર્મો એક વસ્તુમાં રહેલા છે.
,
સંઘશ્રી : ‘સર્વથા વિરુદ્ધ ’ અને ‘ કથંચિત વિરુદ્ધ’ એટલે શું? અકલંક : જેમકે ચેતનપણું અને અચેતનપણું, અથવા મૂર્તપણું અને અમૂર્તપણું-એ એકબીજાથી સર્વથા વિરુદ્ધ છે; તે બન્ને ધર્મો એક વસ્તુમાં ન રહી શકે. જે ચેતન હોય તે અચેતન ન હોય, જે મૂર્ત હોય તે અમૂર્ત ન હોય, પરંતુ નિત્યપણું અને અનિત્ય-પણું એ બન્નેને કચિત્ વિરુદ્ધપણું હોવા છતાં તે બન્ને ધર્મો એક જ વસ્તુમાં એક સાથે રહી શકે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com