Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 65
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અકલંકનું આગમન : પ૯ અમારી બધી ચિંતા દૂર થઈ છે. અમને ખાતરી છે કે બૌદ્ધઆચાર્યને આપ વાદવિવાદમાં જરૂર જીતી લેશો, ને જૈનધર્મનો વિજયડંકો વગાડશો. અકલંક ( હોંશથી; છાતી ઠોકીને) : વાહ, વાહ! એતો મારું જ કામ! હું આવા જ પ્રસંગની રાહ જોતો હતો. બૌદ્ધના સંઘશ્રી આચાર્ય તો શું, -પરંતુ એના સાક્ષાત્ બુદ્ધભગવાન આવે તોપણ ધર્મના વાદવિવાદમાં મારી સામે કોઈ ટકી શકે એમ નથી. (બધા હર્ષપૂર્વક એક સાથે બોલી ઊઠે છે) : વાહ! વાહ! બોલિયે.... જૈનધર્મકી જય. સંઘપતિ : ઠીક ત્યારે, હવે આપણા તરફથી આ અકલંકકુમાર વાદવિવાદ કરશે, એ સમાચાર આપણે બૌદ્ધગુરુને મોકલી આપીએ. અકલંક : ઘણી ખુશીથી. મારા નાનાભાઈના બલિદાનનો યોગ્ય બદલો લેવાનો અને જૈનધર્મની મહાન પ્રભાવના કરવાનો આ પ્રસંગ આવ્યો છે. લાવો હું જ તેને સંદેશો લખી આપું. (ચિઠ્ઠી લખીને આપે છે.) સંઘપતિ : ધન્યકુમાર! જાઓ, આ પત્ર બૌદ્ધઆચાર્યને આપી આવો. (તે જઈને થોડીવારે પાછો આવે છે.) સંઘપતિ : કેમ, ધન્યકુમાર! પત્ર આપી આવ્યા? ધન્યકુમાર : જી હા; આવો મહાન વિદ્વત્તાભરેલો પત્ર વાંચતાં જ એ બૌદ્ધગુરુ તો ચકચૂર થઈ ગયા ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87