Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 58
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર : અકલંક-નિકલંક નગરશેઠ વગેરે (આશ્ચર્યથી) : હું! શું આવી માગણી કરી છે? જૈનકુમાર (ગળગળો થઈને) : પિતાજી, પિતાજી! એમાં તો જૈનધર્મનું અપમાન થાય! આપ એવી આજ્ઞા ન આપશો... મારી માતા જૈનધર્મનું અપમાન સહન નહિ કરી શકે. બુદ્ધકુમાર (કટાક્ષથી) : હું! અને મારી માતા પણ બૌદ્ધધર્મનું અપમાન સહન નહિ કરી શકે. રાજા (લમણે હાથ મૂકીને) : આ તો ભારે થઈ ! એક રાણી જૈનધર્મનો પક્ષ ખેંચે છે ને બીજી રાણી બૌદ્ધધર્મનો પક્ષ ખેંચે છે. મારે તો બન્ને રાણીઓ સરખી. હવે આનો નીવડો કઈ રીતે લાવવો? મંત્રીજી ! આમાંથી કાંઈક રસ્તો કાઢો. મંત્રી (થોડી વાર વિચારીને) : મહારાજ ! આનો એક ઉપાય મને સૂઝે છે. રાજા : શું ઉપાય છે-કહો, કહો ! મંત્રી : જુઓ, જૈનધર્મ અને બૌદ્ધધર્મ-એ બન્નેના વિદ્વાનો આ રાજસભામાં પધારે, અને વાદવિવાદ કરે.. વાદવિવાદમાં જે જીતે તેનો રથ પહેલો નીકળે. રાજા : વાહ, ઘણું જ ઉત્તમ! બોલો, રાજકુમારો! તમારે આ કબૂલ છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87