________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનશાસનની સેવા ખાતર : ૧૫ પિતાજી : બેટા ! એ તો તમારી બાળપણની રમત હતી. અકલંક : નહિ પિતાજી! અમે એ પ્રતિજ્ઞા રમત તરીકે નહિ પણ
સાચા ભાવથી લીધી હતી. પિતાજી : પુત્રો! ભલે તમે સાચા ભાવથી પ્રતિજ્ઞા લીધી હોય
તોપણ તે ફક્ત તે વખતના દસલક્ષણીપર્વ પૂરતી જ હતી; તે પ્રતિજ્ઞા તો હવે પૂરી થઈ, માટે ધે લગ્ન કરવામાં
વાંધો ન હોઈ શકે. નિકલંક : પિતાજી! આપ કદાચ તે વખતે દદિવસ પૂરતી જ
અમારી પ્રતિજ્ઞા સમજ્યા હશો, પરંતુ અમે તો અમારા મનથી આખી જિંદગીની પ્રતિજ્ઞા લીધી હતી; અને અમારી એ પ્રતિજ્ઞામાં અમે દઢ છીએ. માટે કૃપા કરીને
અમારા લગ્નની વાત કરશો નહિ. પિતાજી : પુત્રો! જો તમે લગ્ન નહિ કરો તો આખી જિંદગી તમે
શું કરવા માંગો છો? અકલંક : પિતાજી! આપણા જૈનધર્મની સેવા ખાતર અમારું
આખું જીવન વિતાવવાનો અમે નિશ્ચય કર્યો છે. નિકલંક : વર્તમાનમાં આપણો જૈનધર્મ અન્ય ધર્મોના પ્રભાવથી
ખૂબ જ દબાઈ ગયો છે, અને તેના ઉદ્ધારની અત્યારે ખાસ જરૂર છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com