________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ : અકલંક-નિકલંક
કેટલાક લોકો ભ્રમથી વસ્તુને નિત્ય માને છે, પરંતુ આપણો બૌદ્ધધર્મ એકાંત ક્ષણિકવાદી છે. બધું જ ક્ષણિક છે એમ સમજી તેનાથી વિરક્ત થવું એવો આપણા ધર્મનો ઉપદેશ છે. (અકલંક-નિકલંક બૌદ્ધશિષ્યોના વેષમાં આવે છે; આવીને
બૌદ્ધગુરુને નમસ્કાર કરે છે.) ગુરુ : આવો બાળકો! કયાંથી આવો છો? અકલંક : મહારાજ ! અમે સૌરાષ્ટ્ર દેશથી આવીએ છીએ. ગુરુ : બાળકો ! આટલે દૂરથી શા હેતુથી આવો છો? નિકલંક : સ્વામીજી! આપની આ નાલંદા વિદ્યાપીઠની અમે
ખૂબ પ્રશંસા સાંભળી છે, તેથી આ વિદ્યાલયમાં રહીને આપની પાસે બૌદ્ધધર્મનો અભ્યાસ કરવા આવ્યા છીએ. માટે અમને આપના વિદ્યાલયમાં દાખલ કરો ને
બૌદ્ધધર્મનો અભ્યાસ કરાવો. ગુરુ : બાળકો! તમે જૈનધર્મી તો નથી ને? –કેમકે જૈનોને અમે
આ વિદ્યાલયમાં ભણાવતા નથી. અકલંક : નહિ મહારાજ! અમે તો બૌદ્ધધર્મનો અભ્યાસ કરવા
આવ્યા છીએ. ગુરુ : ભલે, બહુ સારું. પરંતુ બૌદ્ધધર્મના સૂક્ષ્મ સિદ્ધાંતો તમે
સમજી શકશો? નિકલંક : જરૂર મહારાજ ! આ મારા મોટાભાઈ તો મહા
બુદ્ધિમાન અને એકપાઠી છે, –માત્ર એક વખત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com