________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નાલંદાની બૌદ્ધ-વિદ્યાપીઠમાં : ર૩ સાંભળવાથી તેને બધું યાદ રહી જાય છે. અકલંક : અને આ મારા નાનાભાઈ પણ બહુ બુદ્ધિમાન છે,
માત્ર બે વખત સાંભળવાથી તેને બધું યાદ રહી જાય છે. ગુરુ : ભલે, ખુશીથી અહીં રહીને ભણો, પરંતુ યાદ રાખજો કે
કદી પણ જૈનધર્મનો પક્ષ કરશો તો કડક શિક્ષા કરવામાં
આવશે–એવો આ વિદ્યાલયનો નિયમ છે. અકલંક : ભલે ગુરુજી! અમે આપના નિયમનું પાલન કરશું. ગુરુ : જાઓ, વર્ગમાં બેસો.
(વર્ગમાં જઈને બેસે છે ને બધાની સાથે બોલે છે.)
बुद्धं शरणं गच्छामि। धम्मं शरणं गच्छामि। संघं शरणं गच्छामि। ગુરુ : સાંભળો, વિદ્યાર્થીઓ! આજે હું તમને જૈનધર્મનું પ્રકરણ
સમજાવું, અને તેમાં શું ભૂલ છે તે બતાવું. આપણા બૌદ્ધધર્મના હિસાબે આ જગતમાં બધું સર્વથા ક્ષણભંગુર અનિત્ય જ છે; પરંતુ જૈનો તો વસ્તુને નિત્ય માને છે અને તેને જ વળી અનિત્ય માને છે. જુઓ, તેમના આ શાસ્ત્રમાં લખે છે કે નીવ: મસ્તિ, નીવ: નાસ્તિ, એટલે
કે જીવ છે, જીવ નથી. (૧) વિદ્યાર્થી : આમ કહેવાનું શું કારણ? ગુરુ : કારણ બીજાં શું હોય? –અજ્ઞાન!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com