SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નાલંદાની બૌદ્ધ-વિદ્યાપીઠમાં : ર૩ સાંભળવાથી તેને બધું યાદ રહી જાય છે. અકલંક : અને આ મારા નાનાભાઈ પણ બહુ બુદ્ધિમાન છે, માત્ર બે વખત સાંભળવાથી તેને બધું યાદ રહી જાય છે. ગુરુ : ભલે, ખુશીથી અહીં રહીને ભણો, પરંતુ યાદ રાખજો કે કદી પણ જૈનધર્મનો પક્ષ કરશો તો કડક શિક્ષા કરવામાં આવશે–એવો આ વિદ્યાલયનો નિયમ છે. અકલંક : ભલે ગુરુજી! અમે આપના નિયમનું પાલન કરશું. ગુરુ : જાઓ, વર્ગમાં બેસો. (વર્ગમાં જઈને બેસે છે ને બધાની સાથે બોલે છે.) बुद्धं शरणं गच्छामि। धम्मं शरणं गच्छामि। संघं शरणं गच्छामि। ગુરુ : સાંભળો, વિદ્યાર્થીઓ! આજે હું તમને જૈનધર્મનું પ્રકરણ સમજાવું, અને તેમાં શું ભૂલ છે તે બતાવું. આપણા બૌદ્ધધર્મના હિસાબે આ જગતમાં બધું સર્વથા ક્ષણભંગુર અનિત્ય જ છે; પરંતુ જૈનો તો વસ્તુને નિત્ય માને છે અને તેને જ વળી અનિત્ય માને છે. જુઓ, તેમના આ શાસ્ત્રમાં લખે છે કે નીવ: મસ્તિ, નીવ: નાસ્તિ, એટલે કે જીવ છે, જીવ નથી. (૧) વિદ્યાર્થી : આમ કહેવાનું શું કારણ? ગુરુ : કારણ બીજાં શું હોય? –અજ્ઞાન! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy