Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 39
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આફત... અને... બલિદાન : ૩૩ (બને હાથ જોડીને થોડી વાર સ્તુતિ કરે છે. પછી સૂઈ જાય છે. અંધારું થાય છે. નસકોરાં બોલે છે... કાળા વેશે એક ગુપ્તચર આવીને ગૂપચૂપ તેમની પથારી પાસે બેસી જાય છે. થોડી વારમાં અચાનક ધડાકા-ભડાકા ને જોરદાર કોલાહલ થાય છે. પડદામાંથી વિદ્યાર્થીઓનો દેકારો સંભળાય છે. અકલંક-નિકલંક પણ ઝબકીને જાગે છે. ને “અરિહંત. અરિહંત' એમ બોલવા લાગે છે.) નિકલંક : શું થયું, ભાઈ ! એકાએક આ શું થયું? ગુપ્તચર : દુષ્ટો ! તમે અરિહંતનું નામ બોલ્યા તેથી હું સમજી ગયો છું કે તમે જૈન જ છો. ચાલો. બૌદ્ધ ગુરુ પાસે... એટલે એ તમારી ખબર લેશે. (બન્નેને પકડીને લઈ જાય છે.) (બૌદ્ધગુરુ બેઠા છે, ત્યાં ગુપ્તચર અકલંક-નિકલંકને લઈને આવે છે) ગુપ્તચર : મહારાજ! જ્યારે કોલાહલ થયો ત્યારે આ બન્ને વિદ્યાર્થીઓ અરિહંતનું નામ લેતા હતા; તેથી હું તેમને આપની પાસે લાવ્યો છું. ગુરુ (હસીને) : વાહ, અકલંક-નિકલંક! તમે ભણવામાં તો બહુ ચાલાક હતા; સાચું બોલી જાઓ-તમે કોણ છો? તમે જૈન છો ? અકલંક : મહારાજ ! આપની વાત સાચી છે; ક્વે જ્યારે ભેદ ખૂલી ગયો છે ત્યારે અમારે પણ કાંઈ છુપાવવાનું નથી; અમે જૈન જ છીએ, અને અરિહંત દેવના પરમ ભક્ત છીએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87