________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧] જૈન-રથયાત્રામાં રૂકાવટ
| [ ઉજ્જૈનનગરીની રાજસભા ભરાણી છે, ચાર દરબારી બેઠા છે.] છડીદાર : સોને કી છડી. ચાંદી કી છડી. મોતીયનકી માલા....
નેકનામદાર ઉજ્જૈન-અધિપતિ મહારાજા પધારે છે....
[ રાજા પ્રવેશ કરે છે, દરબારીઓ ઊભા થઈને માન આપે છે,
રાજા સિંહાસન પર બેસે છે.] રાજા : કમ મંત્રીજી! શા સમાચાર છે? મંત્રી : મહારાજ! હમણાં તો જૈનધર્મની અષ્ટાલિકાના દિવસો
ચાલે છે, તેથી રાજ્યભરમાં ધર્મનો ધમધોકાર ચાલી
રહ્યો છે. રાજા : હા, જિનકુમાર દરરોજ જિનેન્દ્રભગવાનના અભિષેકનું
ગંધોદક લાવે છે ને હું તેને માથે ચડાવું છું. હવે આજે તો છેલ્લો દિવસ છે; રાજકુમાર ગંધોદક લઈ ને હુમણાં
આવવા જોઈએ... છડીદાર : જૈનધર્મના પરમ ભક્ત જિનમતી મહારાણીના પુત્ર
જિનકુમાર પધારી રહ્યા છે.
[ રાજકુમાર આવે છે. હાથમાં ગંધોદકનો કટોરો છે.]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com