________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ : અકલંક-નિકલંક
આ સંસારસાગરથી પાર ઉતારશે. બંધુ! તું તારા પ્રાણનું બલિદાન આપીને પણ મને બચાવ્યો... તો હવે જૈનધર્મના ઉદ્ધારનું આપણું કાર્ય હું જરૂર પાર પાડીશ.. આ તારા બલિદાન પાસે હું પ્રતિજ્ઞા કરું છું કે : જેણે તારા પ્રાણનું બલિદાન લીધું એવા બૌદ્ધધર્મને હરાવીને આખા ભારતભરમાં જૈનધર્મનો વિજયધ્વજ ફરકાવીશ... જ્યારે આખા ભારતમાં, ગામે ગામ અને ઘરેઘર જૈનધર્મનો ધ્વજ ફરકતો હું જોઈશ ત્યારે જ મારા આત્માને શાંતિ થશે.” [ અકલંકના આ ઉદ્દગારોને પ્રેક્ષકસભાએ તાલીઓના ગડગડાટથી વધાવ્યા. સાથે સાથે “બલિદાન” ના દશ્યની અનેક શ્રોતાઓની આંખમાં કરુણરસનાં ઝળઝળિયાં પણ આવી ગયાં... પડદો ધીમે ધીમે બંધ થવા લાગ્યો.... ને આ રીતે, “ અકલંક-નિકલંક” નાટકમાં “બલિદાન' નામનો પહેલો અંક પૂરો થયો.]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com