________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનશાસનની સેવા ખાતર : ૧૭ પિતાજી : ખુશીથી ! જાઓ પુત્રો જાઓ. આત્માનું કલ્યાણ
સાધો અને જૈનધર્મની મહાન પ્રભાવના કરીને શાસનને શોભાવો.
(નમસ્કાર કરીને બન્ને પુત્રો જાય છે. દશ્ય બદલાય છે.) (અકલંક શાસ્ત્રસ્વાધ્યાય કરી રહ્યા છે, ત્યાં નિકલંક આવીને નમસ્કાર કરે છે.) નિકલંક : નમસ્તે મોટાભાઈ ! આપ શેની સ્વાધ્યાય કરો છો?
અકલંક : બંધુ! હું પરમાત્મપ્રકાશની સ્વાધ્યાય કરું છું. નિકલંક : વાહ! પરમાત્માનું સ્વરૂપ સમજવા માટે અને
ભેદજ્ઞાનની ભાવના માટે આ બહુ જ સુંદર શાસ્ત્ર છે.
ભાઈ ! મને પણ એમાંથી કાંઈક સંભળાવો. અકલંક : સાંભળ! આ શાસ્ત્રમાં છેલ્લે આખા શાસ્ત્રના સારરૂપ
આવી ભાવના કરવાનું કહ્યું છે" सहज शुद्ध ज्ञानानंदैकस्वभावोऽहं, निर्विकल्पोऽहं, उदासीनोऽहं , निजनिरजन शुद्धात्मसम्यश्रद्धान-ज्ञानअनुष्ठानरुप निश्चयरत्नत्रयात्मक निर्विकल्पसमाधिस जात वीतरागसहजानंदरुप सुखानुभुतिमात्रलक्षणेन स्वसंवेदन ज्ञानेन स्वसंवेद्यो गम्य। प्राप्यो ભવિતાવસ્યોગ૬....સર્વવિભાવપરિણામરહિત શૂન્યો૬, जगत्त्रये कालत्रयेऽपि मनोवचन कायै : कृतकारितानुमतैश्वशुद्धनिश्चयनयेन। तथा सर्वेऽपि जीवा : , તિ નિરંતર માવના કર્તવ્યતિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com