________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનશાસનની સેવા ખાતર : ૧૯ નિકલંક : કહોને ભાઈ, તમે બોલતાં બોલતાં કેમ અટકી ગયા?
– ને શાની ચિંતામાં પડી ગયા? અકલંક : બંધુ! શું કહ્યું? ચિંતા તો આપણને બીજી શી હોય?
જીવનમાં માત્ર એક જ ચિંતા છે કે જૈનશાસનનો ઉદ્ધાર કેવી રીતે થાય? જગકલ્યાણકારી જૈનશાસનની વર્તમાન હાલત મારાથી જોઈ શકાતી નથી. અત્યારે ભારતમાં ઠેર ઠેર અન્ય ધર્મનું જોર ચાલી રહ્યું છે, જૈનધર્મ તો ભાગ્યે જ કયાંક દેખાય છે, તેથી અત્યારે તો જૈનધર્મના ઉદ્ધારની
જ ખાસ ચિંતા છે. નિકલંક : હું ભાઈ ! મને પણ જૈનધર્મના ઉધ્ધારની બહુ જ
ભાવના થાય છે; તો આપ કોઈ એવો ઉપાય વિચારો કે જેથી ભારતભરમાં જૈનધર્મનો મહાન પ્રભાવ
ફેલાય. અકલંક : બંધુ! મને એક યુક્તિ સૂઝી છે, અને વળી પિતાજીએ
જૈનશાસનને ખાતર જીવનનું બલિદાન કરવાની રજા
આપી છે. તેથી આપણો માર્ગ ઘણો સુગમ થશે. નિકલંક : કહો, કહો, ભાઈ ! કઈ યુક્તિ છે? અકલંક : સાંભળ ભાઈ ! અત્યારે ભારતભરમાં બૌદ્ધધર્મનું ઘણું
જોર છે, એટલે આપણે પ્રથમ તો બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો ખૂબ જ અભ્યાસ કરવો પડશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com