Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 24
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ : અકલંક-નિકલંક હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદ એક સ્વભાવ છું, હું નિર્વિકલ્પ છું, હું ઉદાસીન છું; નિજનિરંજનશુદ્ધાત્માના સભ્યશ્રદ્ધાન્જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક એવી જ નિર્વિકલ્પ સમાધિ, તેનાથી ઉત્પન્ન વીતરાગ સહજઆનંદરૂપ જે સુખ, તેની અનુભૂતિમાત્ર જેનું લક્ષણ છે એવા સ્વસંવેદનજ્ઞાનથી સ્વસંવેધ-ગમ્ય-પ્રાપ્યભરિતાવસ્થ હું છું. હું સર્વ વિભાવપરિણામથી રહિતશૂન્ય છું ત્રણ લોકમાં તેમ જ ત્રણે કાળમાં, મનથીવચનથી-કાયાથી, કૃત-કારિત-અનુમોદનાથી શુદ્ધનિશ્ચયનયે હું આવો જ છું, તથા સર્વે જીવો પણ એવા જ છે. - એમનિરંતર ભાવના કર્તવ્ય છે. નિકલંક : અહો, આવી પરમાત્મભાવનામાં લીન સંતોને કેટલો આનંદ આવતો હશે ! અકલંક : અહા ! એની શી વાત! જ્યાં સમ્યગ્દર્શનનો આનંદ પણ સિદ્ધભગવાન જેવો અપૂર્વ છે, જેને આત્મા સિવાય બીજા કોઈની ઉપમા લાગુ પડી શકતી નથી, તો મુનિદશાના આનંદની શી વાત ! નિકલંક : ભાઈ! બલિહારી છે આપણા જૈનધર્મની-કે જેના સેવનથી આવા અપૂર્વ આનંદની પ્રાપ્તિ થાય છે. અકલંક : બંધુ! વાત તો એમ જ છે. ખરેખર જૈનશાસન એક જ આ જગતના જીવોને શરણભૂત છે, પ... ણ.. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87