________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : અકલંક-નિકલંક અકલંક : પિતાજી! જ્યારે જૈનશાસન અમને સાદ પાડીને
પોકારી રહ્યું છે ત્યારે લગ્ન કરીને અમે સંસારના બંધનમાં
બંધાઈ જઈએ-એ શું યોગ્ય છે? –નહિ, નહિ. નિકલંક : અમને વિશ્વાસ છે કે જૈનધર્મના એક પરમ ભક્ત
તરીકે આપ અમારી વાત સાંભળીને ખુશી થશો, અને જૈનધર્મની સેવામાં અમારું જીવન વીતે એ માટે આપ અમને હર્ષપૂર્વક આજ્ઞા આપશો. એટલું જ નહિ, જૈનધર્મને ખાતર અમારા પ્રાણનું બલિદાન દેવાનો પ્રસંગ આવે તોપણ હસતાં હસતાં અમારા પ્રાણનું બલિદાન લઇને પણ જૈનધર્મનો વિજયઝંડો જગતમાં ફરકાવશું.
(સભામાં તાલીના ગડગડાટ) પિતાજી : શાબાશ બેટા, શાબાશ! જૈનધર્મ પ્રત્યે તમારી આવી
મહાન ભક્તિ દેખીને હવે તમને મારાથી કેમ રોકાય?
તમારી આ ઉત્તમ ભાવનામાં અમારું પણ અનુમોદન છે. અકલંક : પિતાજી! આશીર્વાદ આપો કે અમારું આ જીવન
આત્માના હિત માટે વીતે; અમે અમારું આત્મહિત સાધીએ અને જૈનધર્મની સેવા માટે અમારું જીવન અર્પીએ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com