SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ : અકલંક-નિકલંક અકલંક : પિતાજી! જ્યારે જૈનશાસન અમને સાદ પાડીને પોકારી રહ્યું છે ત્યારે લગ્ન કરીને અમે સંસારના બંધનમાં બંધાઈ જઈએ-એ શું યોગ્ય છે? –નહિ, નહિ. નિકલંક : અમને વિશ્વાસ છે કે જૈનધર્મના એક પરમ ભક્ત તરીકે આપ અમારી વાત સાંભળીને ખુશી થશો, અને જૈનધર્મની સેવામાં અમારું જીવન વીતે એ માટે આપ અમને હર્ષપૂર્વક આજ્ઞા આપશો. એટલું જ નહિ, જૈનધર્મને ખાતર અમારા પ્રાણનું બલિદાન દેવાનો પ્રસંગ આવે તોપણ હસતાં હસતાં અમારા પ્રાણનું બલિદાન લઇને પણ જૈનધર્મનો વિજયઝંડો જગતમાં ફરકાવશું. (સભામાં તાલીના ગડગડાટ) પિતાજી : શાબાશ બેટા, શાબાશ! જૈનધર્મ પ્રત્યે તમારી આવી મહાન ભક્તિ દેખીને હવે તમને મારાથી કેમ રોકાય? તમારી આ ઉત્તમ ભાવનામાં અમારું પણ અનુમોદન છે. અકલંક : પિતાજી! આશીર્વાદ આપો કે અમારું આ જીવન આત્માના હિત માટે વીતે; અમે અમારું આત્મહિત સાધીએ અને જૈનધર્મની સેવા માટે અમારું જીવન અર્પીએ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy