Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 14
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮ : અકલંક-નિકલંક પણ પુણ્ય-પાપ સહિત નવ તત્ત્વ કેમ ન કહ્યાં ? નિકલંક : પુણ્ય-પાપનો સમાવેશ આસ્રવ અને બંધ તત્ત્વમાં થઈ જાય છે, તેથી તેને જુદાં ન કહ્યાં. અકલંક : આ તત્ત્વોમાં ઉપાદેય તત્ત્વો કયા કયા છે? પારસ : શુદ્ધ જીવતત્ત્વ ઉપાદેય છે; તથા સંવર-નિર્જરા એક અંશે ઉપાદેય છે, ને મોક્ષતત્ત્વ ઉપાદેય છે. નિકલંક : બાકી કયા-કયા તત્ત્વો રહ્યાં ? ચંદ્ર : બાકી અજીવ, પુણ્ય-પાપસહિત આસવ ને બંધ, એ તત્ત્વો રહ્યાં; તે હ્રય છે. ભરત : વાહ! આજે સમ્યગ્દર્શનની અને હૈય-ઉપાદેય તત્ત્વની ઘણી સરસ ચર્ચા થઈ; આના ઉપર ઊંડો વિચાર કરીને આપણે સૌએ સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરવા જેવું છે. અકલંક ઃ હા, ભાઈઓ! સૌએ એ જ કરવા જેવું છે, ઘરે જઈને સૌ એ જ પ્રયત્ન કરજો; એનાથી જ જીવનની સફળતા છે. [એક બાજુ પડદો ઊંચો થતાં મુનિરાજ દેખાય છે. ] છોકરાઓ : અહા ! જુઓ, જુઓ! ત્યાં કોઈ મુનિરાજ બેઠા હોય તેવું દેખાય છે. અકુ-નિકુ : વાહ! ધન્ય ઘડી... ધન્ય ભાગ્ય! ચાલો, આપણે ત્યાં જઈને તેમનાં દર્શન કરીએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87