SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮ : અકલંક-નિકલંક પણ પુણ્ય-પાપ સહિત નવ તત્ત્વ કેમ ન કહ્યાં ? નિકલંક : પુણ્ય-પાપનો સમાવેશ આસ્રવ અને બંધ તત્ત્વમાં થઈ જાય છે, તેથી તેને જુદાં ન કહ્યાં. અકલંક : આ તત્ત્વોમાં ઉપાદેય તત્ત્વો કયા કયા છે? પારસ : શુદ્ધ જીવતત્ત્વ ઉપાદેય છે; તથા સંવર-નિર્જરા એક અંશે ઉપાદેય છે, ને મોક્ષતત્ત્વ ઉપાદેય છે. નિકલંક : બાકી કયા-કયા તત્ત્વો રહ્યાં ? ચંદ્ર : બાકી અજીવ, પુણ્ય-પાપસહિત આસવ ને બંધ, એ તત્ત્વો રહ્યાં; તે હ્રય છે. ભરત : વાહ! આજે સમ્યગ્દર્શનની અને હૈય-ઉપાદેય તત્ત્વની ઘણી સરસ ચર્ચા થઈ; આના ઉપર ઊંડો વિચાર કરીને આપણે સૌએ સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરવા જેવું છે. અકલંક ઃ હા, ભાઈઓ! સૌએ એ જ કરવા જેવું છે, ઘરે જઈને સૌ એ જ પ્રયત્ન કરજો; એનાથી જ જીવનની સફળતા છે. [એક બાજુ પડદો ઊંચો થતાં મુનિરાજ દેખાય છે. ] છોકરાઓ : અહા ! જુઓ, જુઓ! ત્યાં કોઈ મુનિરાજ બેઠા હોય તેવું દેખાય છે. અકુ-નિકુ : વાહ! ધન્ય ઘડી... ધન્ય ભાગ્ય! ચાલો, આપણે ત્યાં જઈને તેમનાં દર્શન કરીએ. Please inform us of any errors on [email protected]
SR No.008205
Book TitleAkalanknikalank
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherZZZ Unknown
Publication Year1971
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy