Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬ : અકલંક-નિકલંક ભરત : ચાલો આપણે અકુ-નિકુને પ્રશ્ન પૂછીએ, અને તેઓ આપણને સમજાવશે. અકલંક : બહુ સારું, ખુશીથી પૂછો ! તત્ત્વચર્ચાથી અમને પણ આનંદ થશે. જ્યોતિ : ભાઈ, અનંતકાળે આપણને આ મનુષ્ય અવતાર મળ્યો; તો હવે આ જીવનમાં શું કરવા જેવું છે? અકલંક : મનુષ્યજીવનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરવા જેવી છે. આશિષ : સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના કેવી રીતે થાય ? નિકલંક : એ રત્નત્રયના મુખ્ય આરાધક તો મુનિવરો છે; તેઓ ચૈતન્યસ્વરૂપમાં લીનતા વડે રત્નત્રયને આરાધે છે. હસમુખ : રત્નત્રયના “મુખ્ય આરાધક મુનિવરો છે, તો શું ગૃહસ્થોને પણ રત્નત્રયની આરાધના હોઈ શકે? અકલંક : હા; એક અંશરૂપે રત્નત્રયની આરાધના ગૃહસ્થોને પણ હોઈ શકે છે. પારસ : આપણા જેવા નાના બાળક પણ શું રત્નત્રયની આરાધના કરી શકે? નિકલંક : હા, જરૂર કરી શકે, પણ તે રત્નત્રયનું મૂળ બીજ સમ્યગ્દર્શન છે; પહેલાં તેની આરાધના કરવી જોઈએ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87