Book Title: Akalanknikalank
Author(s): Harilal Jain
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 16
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨] બ્રહ્મચર્ય-પ્રતિજ્ઞા [ શાસ્મસભા ચાલે છે, તેમાં અકલંક-નિકલંકના પિતાજી પુરુષોત્તમ શેઠ નિયમસાર ગાથા ૯૦ વાંચે છે; આઠદસ શ્રોતાજનો સાંભળે છે.] પુરુષોત્તમ શેઠ : મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યકત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. અહા ! આચાર્ય ભગવાન કહે કે આત્મસ્વરૂપની સન્મુખ થઈને શુદ્ધ રત્નત્રયની ભાવના જીવે પૂર્વે કદી ભાવી નથી; અનંતકાળથી મિથ્યાત્વાદિ ભાવોને જ જીવે ભાવ્યા છે, તેથી જ તે સંસાર-પરિભ્રમજ્ઞ કરી રહ્યો છે. આ જગતમાં તે મુનિવરો જ પરમસુખી છે કે જેઓ ચૈતન્યસ્વરૂપમાં મગ્ન થઈને રત્નત્રયને ભાવી રહ્યા છે. અહા ! એવા મુનિવરોનાં દર્શન થાય તે જીવન પણ ધન્ય છે... (અકુ-નિકુ હર્ષપૂર્વક આવીને કહે છે.) અકુ-નિકુ : પિતાજી, પિતાજી! આપણી નગરીના ઉદ્યાનમાં ચિત્રગુપ્ત મુનિરાજ પધાર્યા છે, તેમનાં દર્શનથી અમને ઘણો આનંદ થયો છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87