Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના અર્થનું છે ; એટલે કે જ્યારે બંને ભેગા થાય ત્યારે મહત્ત્વ છે. કારણ કે તેમ થવાથી સૂત્રનું હાર્દ પ્રકટ થાય છે અને તેથી તેના ફળ રૂપે ચારિત્રની પ્રસૂતિ થાય છે, જેથી મોક્ષ મળે છે. ગાય સાથે વાછડું જોડવામાં આવે ત્યારે દૂધ મળે છે તેના જેવું આ છે. અથવા તો રાજાએ લખી આપેલ કાગળનું મૂલ્ય જો તેમાં તેની મુદ્રા હોય તો જ છે અન્યથા નથી. તેમ સૂત્રનું મૂલ્ય અર્થનું જોડાણ તેમાં હોય તો જ છે, અન્યથા નથી. - બુ. ગા. ૧૯૫. આચાર્ય શ્રી જિનભદ્ર પણ નિયોગની વ્યાખ્યા કરી છે. તે આ પ્રમાણે છે -
णियतो व णिच्छितो वाऽधिओ व जोगो मतो णिओगो त्ति । गा० १४१७ આમાં 'નિ' ના બે અર્થ કરવામાં આવ્યા છે. નિશ્ચિત અને અધિક. ભાષાનું વિવરણ બૃહત્કલ્પમાં કરવામાં આવ્યું છે કે - पडिसद्दगस्स सरिसं जो भासइ अत्थमेगु सुत्तस्स - गा० १९६
અર્થાત્ જેમ પર્વતની ગુફામાં શબ્દ બોલીએ અને તેનો તેના જેવો જ સામે પડઘો પડે છે, તેમ સૂત્રનો શબ્દને અનુસરીને એક જ અર્થ કરવો તે ભાષા કહેવાય.
આચાર્ય શ્રી મલયગિરિએ ભાષાનાં ઉદાહરણો આ પ્રમાણે ટાંક્યા છે - “समभाव: सामायिकम् । द्वाभ्यां बुभुक्षया तृषा चाऽऽगलितो बाल: । पापात् डीन: - पलायित: पण्डितः, अथवा पण्डा-बुद्धिः सा सञ्जाताऽस्येति पण्डितः । साधयति मोक्षमार्गमिति साधुः। यतते सर्वात्मना संयमानुष्ठानेष्विति यति: - બું. ગા. ૧૯૬
ઉપરના અર્થમાં બાલ શબ્દ પ્રાકૃત છે - વિ + આ = વાત અને બાકીના શબ્દોમાં સંસ્કૃતપ્રાકૃતમાં કશો ફેર પડતો નથી.
પણ આચાર્ય શ્રી જિનભદ્ર ભાષાની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે - મારા વત્તા વાયા સુચવત્તામાવમિત્તયં સ ય - વિશેષા ૦ ૧૪૧૮
અર્થાત્ વ્યક્તવાણીને ભાષા કહેવાય છે. એટલે સૂત્રને વિવરણ વિના માત્ર અર્થ બતાવી વ્યક્ત કરવું તે ભાષા છે. ભાષામાં સૂત્રનો સંપૂર્ણ રીતે વિવરણ કરીને અર્થ કરવામાં આવતો નથી. તે કાર્ય તો વિભાષા અને વાર્તિકનું છે.
વિભાષાનું વિવરણ બૃહત્ક૫માં આ પ્રમાણે છે – “एगपए उ दुगाई जो अत्थे भणइ सा विभासा उ"
અર્થાત્ એકપદના અનેક સંભવિત અર્થો જે વ્યાખ્યામાં કરવામાં આવે તે વિભાષા છે, જેમકે પ્રાકૃત આસ = અશ્વ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે વિભાષામાં થાય છે -
“મસ ય માસુ ચ ધાવ ના સમ તે મારો ”- મૃ. ગા. ૧૯૮ ટીકાકારે જણાવ્યું છે - “મન્નતીતિ શ્વ: યતિ વા માશુ ધાવતિ ન ર શ્રીમતીતિ : ” આચાર્ય શ્રી જિનભદ્ર પણ વિભાષાની વ્યાખ્યા એ પ્રમાણે જ કરી છે - विविधा विसेसतो वा होति विभासा दुगातिपज्जाया। sધ સામä સમો સામાય વા સમીયો વ || - વિશેષા. ૧૪૧૯ આમાં સામાયિક શબ્દના વિવિધ અર્થોની ચર્ચા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org