Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
[૩૬ રસદ્રવ્ય-પ્રવાહી પદાર્થ-ભરવા માટેનાં સાધનોનાં નામ આ પ્રમાણે છે: વાવ - નાનો ઘડો કેનાનો કળશ. ઘટ ઘડો. સર કરવો. Tw - ગાગર. તિવા કુષ્પો, કુપ્પી વગેરે ચામડાની વસ્તુ. મોડિ ખૂબ જ વિશાલ મુખવાળી કુંડી. યુડિશા - કુંડી, કુંડું, કમંડલ વગેરે. જુઓ અનુયોગદ્વાર સૂ૦૩૨૧ મું (પૃ૦ ૧૩૩). વાર આદિ શબ્દોનો પરિચય અનુયોગદ્વારસૂત્રની મલધારીયા વૃત્તિમાંથી નોંધ્યો છે. આ અને આ પ્રકારનાં અન્ય પાત્રોમાં ભરવામાં આવતાં રસદ્રવ્યોનું પ્રમાણ નક્કી કરવા માટેનાં માન-માપનાં નામ આ પ્રમાણે છે. ચાર પળીની એક ચતુઃષણિી. આઠ પળીની એક ત્રિશિ. સોળ પળીની એક ષોડશT. બત્રીસ પળીની એક અણમાના ચોસઠપળીની એક વતુર્માનિ. એકસો અઠ્ઠાવીસપળીની એક અર્થમાળી. બસો છપ્પન પછીની એક મળી. જુઓ અનુયોગદ્વાર સૂ૦૩૨૦ મું (પૃ૦૧૩૩).
ઉન્માન પ્રમાણ પત્ર, અગર, તગર, ફળ, કંકુ, ખાંડ, ગોળ, સાકર વગેરે વસ્તુઓનું પ્રમાણ નિશ્ચિત કરવા માટેના માનવિશેષને ઉન્માન પ્રમાણ કહેવામાં આવે છે. ઉન્માન પ્રમાણમાં માન-માપનાં સાતનામ આ પ્રમાણે મળે છે. ૧. પલનો આઠમો ભાગ ગર્ઘર્ષ. ૨. પલનો ચોથો ભાગ ર્ષ. ૩. પલનો અર્ધભાગ અપન. ૪. પત્ત. ૫. એકસો પાંચ પલની એક તુતી. ૬. ૧૦ તુલાનો એક ઈમર. ૭. અને ૨૦ તુલાનો એક માર. જુઓ અનુયોગદ્વાર સૂ૦૩૨૨-૨૩ (પૃ૦૧૩૪).
અહીં જણાવેલાં ઉન્માનપ્રમાણોમાં એકસો પાંચ પલની તુલા જણાવેલી હોવા છતાં ઘણા પ્રાચીન સમયથી લોકવ્યવહારમાં એક સો પલની તુલા ઠીક ઠીક રીતે પ્રચલિત હતી. આ વસ્તુ નીચેનાં અવતરણોથી સમજાશે -
“પત્તશતિ ત્રિય પત્તરશત, માર: ચાદિ તિસ્તુતા: | અમરકોશ-વૈશ્યવર્ગ શ્લો. ૮૭.
તુ પત્તરશત, તાસ વિંશત્યા મતિઃ | આ.શ્રી હેમચન્દ્રસૂરિકૃત અભિધાનચિંતામણિ કાંડ ૩ બ્લો૦ ૫૪૯.
એકસો પાંચ પલની એક તુલા આ માન પણ અનુયોગદ્વારસૂત્રકારના સમયમાં કોઇને કોઇ પ્રદેશમાં પ્રચલિત હતું એમ જાણી શકાય છે.
અવમાન પ્રમાણ કૂપ, પ્રાસાદપીઠ, કાષ્ટાદિ, ટ, પટ ભીંત અને ભીંત વગેરેના પરિધિનું પ્રમાણ નિશ્ચિત કરવા માટેના માનવિશેષને અવમાન પ્રમાણ કહેવામાં આવે છે. અવમાન પ્રમાણમાં માન-માપનાં આઠ નામ આ પ્રમાણે મળે છે.
૧. હૃપ્ત - ૨૪ અંગુલ પ્રમાણ. ૨. દંડ, ૩. ધનુષ ૪. યુગ, ૫. નાતિ, ૬. અક્ષ, ૭. મુસત્ત. આ દંડ આદિ છે કે માનવિશેષ ચાર હાથ પ્રમાણમાં હોય છે. ફક્ત કૂવાનું માપ લેવાના ઉપયોગમાં આવતી ચાર હાથ પ્રમાણ લાંબી લાકડી નાસિ કહેવાતી, તથા માર્ગ વગેરે માપવા માટે ચાર હાથ પ્રમાણના માપને ધનુષ કહેવાતું વગેરે વગેરે. ૮. g - દશ નાલિકા પ્રમાણ એટલે કે ૪૦ હાથ પ્રમાણ. જુઓ અનુયોગદ્વાર સૂત્ર૦૩૨૪-૨૫ (પૃ૦ ૧૩૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org