Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાયિક પર્યાપ્ત અને અપર્યાપ્તનું અપ બહુ––ભગવન! આ સકાયિક પર્યાય અને અપર્યાપ્ત છમાંથી કેણ તેનાથી અપ, વધુ, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
ભગવાન ઉત્તર આપે છે કે હે ગૌતમ ! સૌથી ઓછા સકાયિક અપર્યાપ્તક છે, તેના કરતાં સકાયિક પર્યાપ્તક સંખ્યાત ગણા છે.
હે ભગવન! પૃથ્વીકાયિક પર્યાપ્ત અને અપર્યાપ્ત જેમાંથી કેણ કોનાથી અ૫, ઘણા તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ! બધાથી ઓછા પૃથ્વીકાયિક અપર્યાપ્ત છે. તેમની અપેક્ષાએ પૃથ્વીકાયિક પર્યાપ્ત સંખ્યાત ગણા છે.
હે ભગવન અષ્કાયિક પર્યાપ્ત અને અપર્યાયોમાંથી કેણ કેનાથી અલ્પ ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ! અકાયિક અપર્યાપ્ત બધાથી થડા છે, કેમકે તેઓ પર્યાપ્તોના આશયથી ઉત્પન્ન થાય છે. અષ્કાયિક પર્યાપ્ત તેમનાથી સંખ્યાત ગણ અધિક છે, કેમકે તેઓ અપર્યાપ્તોના આધાર છે
હે ભગવન! તેજસ્કાયિક પર્યાપ્ત અને અપર્યાપ્ત જેમાંથી કેણ કેનાથી અપ, અધિક; તુ અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવન ઉત્તર આપે છે હે ગૌતમ ! તેજસ્કાયિક અપર્યાપક બધાથી ઓછા છે; કેમકે પર્યાયોના આશયથી જ અપર્યાપ્તોની ઉત્પત્તિ થાય છે. તેમની અપેક્ષાએ તેજસ્કાયિક પર્યાપ્ત સંખ્યાત ગણુ છે કેમકે આગળ કહ્યા પ્રમાણે તેઓ અપર્યાયોના આશ્રય ભૂત છે.
હે ભગવન ! આ વાયુકાયિકે પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોમાંથી કોણ કોનાથી અ૫, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! અપર્યાપ્ત વાયુકાયિક બધાથી ઓછા છે. પર્યાપ્ત વાયુકાવિક તેમનાથી સંખ્યાત ગણ અધિક છે.
હે ભગવદ્ આ વનસ્પતિકાયિક પર્યાપક અને અપર્યાપ્તક જીવમાંથી કે, કોનાથી અ૫, ઘણા, તુય અગર વિશેષાયિક છે?
શ્રી ભગવાન ! ઉત્તર આપે છે –ગૌતમ ! અપર્યાપક વનસ્પતિકાયિક બધાથી ઓછા છે, પર્યાપ્તક વનસ્પતિકાયિક તેમનાથી અસંખ્યાત ગુણ અધિક છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૦