Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર્યાયવાળા પણ છે, કેમકે પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાય વાળા જ થાય છે, તે પ્રદેશેાની દૃષ્ટિએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય, અને કદાચિત્ અધિક થઇ શકે છે. જો હીન હાય તા સ`ખ્યાત ભાગહીન અથવા સંખ્યાત ગુણહીન થાય છે. અગર અધિક હેાય તે પણ એજ પ્રકારે અર્થાત્ સંખ્યાત ભાગ અધિક અથવા સ`ખ્યાત ગુણ અધિક થાય છે. આ ક્રિસ્થાન પતિત છે. અવગાહનાની દૃષ્ટિએ પણ તે દ્વિસ્થાન પતિત થાય છે અર્થાત્ સંખ્યાત ભાગ હીન અથવા સખ્યાત ગુણહીન થાય છે. તથા સખ્યાત ભાગ અધિક અને સખ્યાત ગુણુ અધિક થાય છે. સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે, તેથી જ એક સંખ્યાત પ્રદેશી સ્કન્ધ ખીજા સંખ્યાત પ્રદેશી સ્કન્ધથી સ્થિતિમાં અસંખ્યાત ભાગહીન, સખ્યાત ભાગહીન સંખ્યાત ગુણહીન અથવા અસ`ખ્યાત ગુણહીન થાય છે. અધિક હાય તેા અસ`ખ્યાત ભાગ અધિક સખ્યાત ભાગ અધિક, સંખ્યાતગુણ અધિક અથવા અસંખ્યાત ગુણુ અધિક થાય છે, વર્ણાદિની અપેક્ષાએ તથા ઉપર્યુક્ત ચાર અર્થાત્ શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે. તેમનુ કથન પૂ વત્ સમજી લેવુ' જોઇએ.
શ્રી ગૌતમસ્વામી અસ`ખ્યાત પ્રદેશી સ્કન્ધની પૃચ્છા, અર્થાત્ હે ભગવન્! અસખ્યાત પ્રદેશી કન્યાના કેટલા પર્યાય કહ્યા છે?
શ્રી ભગવા—હે ગૌતમ ! અસંખ્યાત પ્રદેશી કન્યાના અનન્ત પર્યાય કહ્યા છે,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શા કારણે એવું કહ્યું છે કે અસખ્યાત પ્રદેશી સ્કન્ધાના અનન્ત પ્રદેશ છે?
શ્રી ભગવાન્−હે ગૌતમ ! એક અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ બીજા અસખ્યાત પ્રદેશી સ્કન્ધી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશેાની અપેક્ષાએ એક અસ‘ખ્યાત પ્રદેશી સ્કન્ધ બીજા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધથી ચતુઃસ્થાન પતિત થાય છે, અવગાહનાની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે અર્થાત્ અસ ખ્યાત ભાગહીન, સ`ખ્યાત ભાગહીન, સખ્યાત ગુણહીન અને અસખ્યાત ગુણઠ્ઠીન છે. સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃસ્થાન પતિત છે. વ` આદિથી તથા ઉપર્યુ ક્ત શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ એ ચાર સ્પથી સ્થાન પતિત થાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૮૨