Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દષ્ટિએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય, કદાચિત અધિક થાય છે. જે હીન વિવક્ષિત કરાય તે એક પ્રદેશથી હીન, બે પ્રદેશથી હીન, ત્રણ પ્રદેશથી હીન ચાર પ્રદેશથી હીન, પાંચ પ્રદેશોથી હીન, છ પ્રદેશથી હીન, અથવા સાત પ્રદેશથી હીન થાય છે, જે અધિક વિવક્ષિત કરાય તે એક પ્રદેશથી અધિક બે પ્રદેશથી અધિક, ત્રણ પ્રદેશોથી અધિક, ચાર પ્રદેશથી અધિક, પાંચ પ્રદે. શથી અધિક, છ પ્રદેશોથી અધિક અથવા સાત પ્રદેશોથી અધિક થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાહે ગૌતમ ! અનન્ત પર્યાય કહેલા છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ શા કારણે એવું કહેવાય છે કે જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય છે?
શ્રીભગવાન-હે ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ય બીજા જઘન્ય અવાગાહનાવાળી સંખ્યાત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે. પ્રદેશોની દષ્ટિએ ક્રિસ્થાન પતિત થાય છે. અર્થાત્ જઘન્ય અવગાહના વાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધ બીજ જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કલ્પથી સંખ્યાત ભાગ પ્રદેશ હીન અથવા સંખ્યાતગુણ પ્રદેશ હીન થાય છે, જે અધિક વિવક્ષિત હોય તે સંખ્યાત ભાગ પ્રદેશાધિક અગર સંખ્યાત ગુણ પ્રદેશાધિક થાય છે, અવગાહનાએ તુલ્ય બને છે. કેમકે બને જઘન્ય અવગાહનાવાળા છે, સ્થિતિની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. અર્થાત્ અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અથવા અસંખ્યાત ગુણ હીન થાય છે. અધિક વિવક્ષિત હોય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, વા અસંખ્યાત ગુણ અધિક થાય છે, વર્ણ આદિ તથા ચાર સ્પર્શીના પર્યાયથી અર્થાત્ શીત, ઉષ્ણ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શીથી ષસ્થાન પતિત થાય છે.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી કલ્પના પર્યાની પ્રરૂપણા જઘન્ય અવગાહના વાળ સંખ્યાત પ્રદેશી સ્કન્ધના પર્યાચોના સમાન સમ. જવી જોઈએ. મધ્યમ અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધને પણ એ પ્રકારે કહેવું જોઈએ, પરંતુ તે સ્થાનમાં ક્રિસ્થાન પતિત થાય છે, અર્થાત્ મધ્યમ અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી કન્યથી અવગાહનાની દષ્ટિએ સંખ્યાત ભાગ હીન અથવા સંખ્યાત ગુણહીન થાય છે અગર સંખ્યાત ભાગ અધિક અને સંખ્યાત ગુણ અધિક થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળા અર્થાત્ આકાશના એક જ પ્રદેશમાં સ્થિત અસંખ્યાત પ્રદેશ યુગલ સ્કન્ધોના અનન્ત પર્યાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૯૭