Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રદેશોની અપેક્ષાએ તે ષસ્થાન પતિત થાય છે. કેમકે અનન્ત પ્રદેશાવગાઢ પુદ્ગલ અનન્ત પ્રદેશ પણ થઈ શકે છે અવગાહનાની દૃષ્ટિએ ચત સ્થાન પતિત થાય છે. કેમકે અનન્ત પ્રદેશમાં કોઈ પુગલની અવગાહનાને સંભવ જ નથી, કેમકે કાકાશના અસંખ્યાત જ પ્રદેશ છે, જેમાં પુગલેને અવગાહ છે. સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણ, ગંધ, રસ અને આઠે સ્પશની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે.
એક સમયની સ્થિતિવાળા પુદ્ગલેની પૃચ્છા, અર્થાત ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.–હે ભગવદ્ ! એક સમયની સ્થિતિવાળા પુદ્ગલેના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે કે હે ગૌતમ! અનન્ત પર્યાય છે,
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શા કારણે એવું કહેવાય છે કે એક સમયની સ્થિતિવાળા પુદ્ગલના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! એક સમયની સ્થિતિવાળું એક પુદ્ગલ બીજા એક સમયની સ્થિતિવાળા પુદ્ગલથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય હોય છે, પ્રદેશોની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. અવગાહનાથી ચતુઃસ્થાન પતિત અને સ્થિતિની અપેક્ષાએ તુલ્ય હોય છે. વર્ણ આદિથી તથા આઠે સ્પર્શેની અપેક્ષાએ ષટસ્થાન પતિત હોય છે.
એજ પ્રકારે બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશા સ્થિતિવાળા પુદ્ગલેના વિષયમાં પણ સમજવું જોઈએ. સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલેની વક્તવ્યતા પણ આવી જ જાતની કહેવી જોઈએ. વિશેષતા એ છે કે સ્થિતિની અપેક્ષાએ તેઓ દ્રિસ્થાન પતિત થાય છે, અર્થાત્ સંખ્યાત ભાગહીન અથવા સંખ્યાત ગુણહીન થાય છે અને જે અધિક હોય તે સંખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ગુણ અધિક થાય છે.
સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલેનું કથન પણ એજ પ્રકારે છે. પરન્ત સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે, કેમકે અસંખ્યાત થશયની સ્થિતિવાળા પુદ્ગલેની સ્થિતિમાં અધિકથી અધિક સંખ્યાત ભાગ વા અસંખ્યાત ગુણહાનિ-વૃદ્ધિ જ થઈ શકે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક ગુણકાળા પુદ્ગલેને કેટલા પર્યાય છે? શ્રી ભગવાન હે ગૌતમ ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન શા કારણે એમ કહ્યું છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! એક ગુણ કાળું એક પુદ્ગલ બીજા એક ગુણુ કાળા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૮૫.