Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્કાયના છે, તેમનાથી પર્યાપ્ત બાદર ત્રસકાયિક અસંખ્યાતગણ અધિક છે, તેમનાથી પ્રત્યેક શરીર બાહર વનસ્પતિકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણું અધિક છે, તેમની અપેક્ષાએ બાદર નિગદ પર્યાપ્ત અસંખ્યાતગણ અધિક છે, તેમનાથી બાહર પૃથ્વીકાયિક અસંખ્યાતગણી છે, તેમનાથી બાઢર અષ્કાયિક અસંખ્યાતગણી છે, તેમનાથી બાર વાયુકાયિક પર્યાપ્તક અસંખ્યાતગણી છે, બાદર વાયુકાયિક પર્યાસકેની અપેક્ષાએ સૂમ તેજસ્કાયિક પર્યાપ્ત અસંખ્યાત ગણું અધિક છે, કેમકે બાદર વાયુકાયિક પર્યાપ્ત અસંખ્યાત પ્રતરપ્રદેશની રાશિના બરાબર છે અને તેમની અપેક્ષાએ સૂમ તેજસ્કાયિક પર્યાપ્ત અસંખ્યાત
કાકાશ પ્રદેશની રાશિના બરાબર છે, તેથી જ તેઓ અસંખ્યાતગણુ છે. સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તકેની અપેક્ષાએ સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂક્ષ્મ અય્યાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂમ વાયુકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ નિગદના પર્યાપ્તક અસંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાએ બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અનન્તગણ અધિક છે, કેમકે તેઓ પ્રત્યેક બાદર નિગોદમાં અનન્તઅનન્ત થાય છે, બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તાની અપેક્ષાએ સમુચ્ચય બાદર પર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેઓમાં બાદર તેજસ્કાયિક આદિને પણ સમાવેશ છે. બાદર પર્યાપ્તોની અપેક્ષાએ સૂમ વનસ્પતિકાયિક પર્યાપ્ત અસંખ્યાત ગણું છે, કેમકે બાદર નિગદના પર્યાપ્તકની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદના પર્યાપ્તક અસંખ્યાતગણ અધિક છે. તેમની અપેક્ષાએ સૂફમ પર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેઓમાં પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક આઢિ પણ સંમિલિત છે.
- હવે સૂમ બાદર આદિના પર્યાપ્તકે તેમજ અપર્યાપ્તકના પૃથક પૃથક અલ્પ બહુત્વનું પ્રતિપાદન કરે છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! આ સૂમ અને બાદર છવાના પર્યાપ્તક અને અપર્યાપ્તકમાં કોણ કોનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ ! બધાથી ઓછા બાદર પર્યાપ્તક જીવ છે, કેમકે તેઓ પરિમિત ક્ષેત્રમાં જ થાય છે, તેમની અપેક્ષાએ બાદર અપર્યાપ્તક અસંખ્યાતગણુ છે, કેમકે એક એક બાદર પર્યાપ્તકના આશયથી અસંખ્યાત બાદર અપર્યાપ્તકેની ઉત્પત્તિ થાય છે. બાદર અપર્યાપ્તકની અપેક્ષાએ સૂમ અપર્યાપક અસંખ્યાતગણું છે, કેમકે તેઓ સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત છે, તેથી જ તેમનું ક્ષેત્ર અસંખ્યાતગણું છે. સુહમ અપર્યાપ્તોની અપેક્ષાએ સૂક્ષ્મ પર્યાપ્ત અસંખ્યાતગણું છે, કેમકે તેઓ અધિક કાળ સુધી રહે છે, તેથી સદૈવ સંખ્યાતગણું મળી આવે છે. જે ૭ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૫૭.