Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બે દર્શન હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યની ત્રણ પપમની આયુ હોય છે, તેથીજ તેઓમાં નિયમથી બે જ્ઞાન બે અજ્ઞાન જ મળી આવે છે. જેઓ જ્ઞાનવાળા હોય છે તેઓ વૈમાનિકની આયુને બન્ધ કરે છે. તેથી તેઓમાં બે જ્ઞાન મળે છે. અસંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યમાં અવધિજ્ઞાન અથવા વિભંગ જ્ઞાનનો અભાવ હોય છે, એ કારણે બે જ્ઞાનેનો ઉલ્લેખ કર્યો છે. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનને નથી કર્યો.
અજઘન્ય–અનુત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યની પ્રરૂપણ પણ આજ રીતે કરવી જોઈએ. અર્થાત એક મધ્યમ સ્થિતિવાળા મનુષ્ય બીજા મધ્યમ સ્થિતિ વાળાથી દ્રવ્યની દષ્ટિએ અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત બને છે, અવગાહનાની દષ્ટિએ પણ ચતુસ્થાન પતિત થાય છે, શરૂઆતના ચાર જ્ઞાનથી જસ્થાન પતિત થાય છે, કેવલ જ્ઞાનના પર્યાયેથી તુલ્ય, ત્રણ અજ્ઞાનેથી સ્થાન પતિત, ત્રણ દર્શનેથી સ્થાન પતિત અને કેવળ દર્શનના પર્યાયેથી તુલ્ય થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! જઘન્ય ગુણ કાળા મનુષ્યના કેટલા પર્યાય કહેલા છે?
શ્રી ભગવાન - હે ગૌતમ ! અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એમ કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! એક જઘન્ય ગુણ કાળે મનુષ્ય બીજા જઘન્ય ગુણ કાળા મનુષ્યથી દ્રવ્યની દષ્ટિએ તથા પ્રદેશની દષ્ટિએ તુલ્ય થાય છે, અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. કૃષ્ણ વર્ણના પર્યાયથી તુલ્ય છે, શેષ વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયેથી, ચાર જ્ઞાનથી
સ્થાન પતિત, કેવલ જ્ઞાનના પર્યાયેથી તુલ્ય ત્રણ અજ્ઞાને અને ત્રણ દર્શ. નથી ષસ્થાન પતિત તથા કેવળદેશનના પર્યાયથી તુલ્ય થાય છે
ઉત્કૃષ્ટ ગુણ કાળા પણ આજ પ્રકારે સમજી લેવા જોઈએ અર્થાત્ ઉત્કૃષ્ટ ગુણ કાળા બીજા ઉત્કૃષ્ટ ગુણ કાળા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્ય અને પ્રદેશોની દષ્ટિએ તુલ્ય થાય છે, અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃ સ્થાન પતિત, કૃષ્ણવર્ણના પર્યાયેથી તુલ્ય, શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાથી ષસ્થાન પતિત ચાર જ્ઞાનેથી ષસ્થાન પતિત કેવળ જ્ઞાનના પર્યાયેથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૬૫.