Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અજીવને રૂપી અજીવ કહે છે. રૂપી અજીવ પુદ્ગલ જ હોય છે, તેથી જ રૂપી અજીવન પર્યાય અર્થાત્ પુદ્ગલના પર્યાય. અરૂપી અર્થાત્ અમૂર્ત અજીવના પર્યાય અરૂપી–અજીવ પર્યાય કહેવાય છે. - શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવદ્ અરૂપી અજીવ પર્યાયના કેટલા પ્રકાર છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અરૂપી અજીવના પર્યાય દશ પ્રકારના કહ્યા છે, તેઓ આ પ્રકારે છે-ધર્માસિ કાય, ધર્માસ્તિકાયના દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશ, અધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશ આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયના દેશ અને આકાશાસ્તિકાયના પ્રદેશ અધ્વાસમય, સંપૂર્ણ અસંખ્યાત પ્રદેશી ધર્માસ્તિકાયને પિંડ ધર્માસ્તિકાય કહેવાય છે. ધર્માસ્તિકાયના અર્ધ આદિ ભાગને ધર્માસ્તિકાય દેશ કહે છે અને ધર્માસ્તિકાયના બધાથી સૂક્ષ્મ અંશને ધર્માસ્તિકાયપ્રદેશ કહે છે. એ જ રીતે અધમતિ કાય અને આકાશાસ્તિકાય આદિના ત્રિકોને સમજી લેવાં જોઈએ. દશમો અદ્ધા કાળ છે જે અપ્રદેશ છે. જો કે ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય છે, અહીં પર્યાની પ્રરૂપણ કરાઈ રહી છે, તેથી જ પર્યાનું કથન કરવું ઉચિત હતું. દ્રવ્યનું કથન કરવું તે ઉચિત ન હતું તથાપિ પર્યાય અને પર્યાયી અર્થાત્ દ્રવ્ય કર્થચિત્ અભિન્ન છે, એ પ્રગટ કરવાને માટે દ્રવ્યનું કથન કરાયું છે, તેથી કે અનૌચિત્ય નથી. વાસ્તવમાં ધર્માસ્તિકાયના પર્યાય, ધર્માસ્તિકાયના દેશના પર્યાય, ધર્માસ્તિકાયને પ્રદેશે આદિના પર્યાય જ અહીં વિવક્ષિત છે.
યદ્યપિ પહેલા રૂપી અજીવને ઉલ્લેખ કરે છે. એ માટે પહેલા તેનાજ પર્યાની પ્રરૂપણ થવી જોઈએ. પણ તે ક્રમને ત્યાગ કરીને પ્રથમ અરૂપી અવની પ્રરૂપણ કરાઈ છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન ! રૂપી અજીવના કેટલા પર્યાય કહ્યા છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ ! રૂપી અજીવના પર્યાય ચાર પ્રકારના કહ્યા છે-છે-કલ્પ, સ્કન્ધદેશ, સ્કન્ધ પ્રદેશ, અને પરમાણુ પુદ્ગલ.
શ્રી ગૌતમ–હે ભગવન્! સ્કન્ધ આદિ શું સંખ્યાત છે અગર અસંખ્યાત છે અથવા અનન્ત છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! ન સંખ્યાત છે, ન અસંખ્યાત છે, પણ અનત હોય છે.
શ્રી ગૌતમ–હે ભગવન્! શા કારણે એમ કહેવાય છે કે સ્કન્ધ આદિ સંખ્યાત નહીં અસંખ્યાત પણ નહીં પરંતુ અનન્ત છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૭૧