Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુહૂર્તમાં પાંસઠ હજાર છત્રીસ ક્ષુલ્લક ભવ થાય છે. આ કથન સૂક્ષમ નિગઢની અપેક્ષાએ સમજવું જોઈએ.
પૃથ્વીકાયિક આદિની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ સંખ્યાત વર્ષની જ હોય છે, તેથી જ અસંખ્યાત ગુણહાનિ અગર વૃદ્ધિ અર્થાત્ જૂનાધિકતા થઈ શકતી નથી, રહિગ સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ અને સંખ્યાતગુણુ વૃદ્ધિ હાનિ તે આ પ્રકારે છે. એક પૃથ્વીકાયિકની સ્થિતિ પરિપૂર્ણ બાવીસ હજાર વર્ષની છે અને બીજાની એક સમય એછી બાવીસ હજાર વર્ષની. તેમનામાંથી પરિપૂર્ણ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળાની અપેક્ષાએ એક સમય ઓછા બાવીસ વર્ષની સ્થિતિવાળા અસંખ્યાત ભાગ હીન કહેવાશે અને બીજે તેનાથી અસં
ખ્યાત ભાગ અધિક કહેવાશે. એ પ્રકારે એકની પરિપૂર્ણ બાવીસ હજારની સ્થિતિ છે અને બીજાની અંતર્મુહૂર્ત આદિ ઓછા બાવીસ હજાર વર્ષના અહીં અન્તર્મુહૂર્ત આદિ બાવીસ હજાર વર્ષને સંખ્યાત ભાગ છે, તેથી જ પૂર્ણ બાવીસ હજાર વર્ષની રિથતિવાળાઓની અપેક્ષાએ અમુહૂર્ત ઓછા બાવીસ હજાર વર્ષવાળા સંખ્યાત ભાગ હીન છે અને તેની અપેક્ષાઓ પૂર્ણ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા સંખ્યાત ભાગ અધિક છે. એ રીતે એક પૃથ્વીકાયિકની બાવીસ હજાર વર્ષની સ્થિતિ છે અને બીજાની અમુહૂર્ત, એક માસની, એક વર્ષની અથવા એક હજાર વર્ષની સ્થિતિ છે. અન્તર્મુહૂર્ત આદિ કેઈ નિયત સંખ્યાથી ગુણાકાર કરવાથી બાવીસ હજાર વર્ષની સંખ્યા થાય છે, તેથી જ અન્તર્મુહૂર્ત આદિની આયુષ્યવાળા પૃથ્વીકાયિક પૂર્ણ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળાની અપેક્ષાએ સંખ્યાત ગુણહીન છે અને એની અપેક્ષાએ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા સંખ્યાતગુણ અધિક છે.
એજ રીતે અષ્કાયિક આદિ ચતુરિન્દ્રિય પર્યન્ત જેની પિતાપિતાની સ્થિતિના અનુસાર ત્રિસ્થાન પતિત સમજી લેવા જોઈએ.
પરન્તુ પૃથ્વીકાયિક જીવ બીજા કોઈ પૃથ્વીકાયિકની અપેક્ષાએ વર્ણ ગંધ રસ અને સ્પર્શ પર્યાની અપેક્ષાએ તથા મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અચક્ષુ દર્શન પર્યાની અપેક્ષાએ સ્થાન પતિત સમજવા જોઈએ. તેથીજ કઈ પૃથ્વીકાયિકની અપેક્ષાએ અનન્ત ભાગ હીન અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન સંખ્યાત ગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અને અનન્તગુણ અધિક છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવાન અખાચિકેના પર્યાય કેટલા છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે હે ગૌતમ ! અકાચિકેના અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમ! કારણ પૂછતાં પ્રશ્ન કરે છે–ભગવાન! કયા કારણસર એમ કહેવાય છે કે અકાયુિકેના અનન્ત પર્યાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૦૬