Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવા–હે ગૌતમ! અનન્ત પર્યાય છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! એમ કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન-ગીતમ! જઘન્ય સ્થિતિક પંચેન્દ્રિય તિર્યંચ બીજા જઘન્ય સ્થિતિક પંચેન્દ્રિય તિર્યંચથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, પ્રદેશની દષ્ટિએ પણ તત્ય છે, પણ અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિની ડિટએ તુલ્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયથી, બે અજ્ઞાનથી તથા બે દર્શનની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. ધ્યાન રાખવું જોઈએ કે જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિયચમાં બે અજ્ઞાન કહેલા છે, તેમાં બે જ્ઞાન નથી હોતાં કેમકે જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિયતિર્યંચ લધ્યપર્યાપ્તક હોય છે અને લધ્યપર્યાપ્તકમાં સાસાદન સમ્યગ્દષ્ટિની ઉત્પત્તિ થતી નથી. જે જીવ અપર્યાપ્ત અવસ્થામાં જ મરી જાય છે. અને પિતાના
ગ્ય પર્યાપ્તિને પૂર્ણ નથી કરતા તે લધ્યપર્યાપ્તક કહેવાય છે. જેઓની પિતાને ગ્ય પર્યાસિઓ પુરી નથી થઈ પણ અન્તર્મુહૂર્તમાંજ પુરી થનારી હોય તેમને કરણપર્યાપ્ત કહે છે. સાસાદન સમ્યકત્વ કરણપર્યાપ્તક માં હોઈ શકે છે, લધ્યપર્યાપ્તકે માં નહીં.
ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચેનું કથન જઘન્ય સ્થિતિવાળાના સમાનજ સમજવું જોઈએ. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પચેન્દ્રિય તિર્યંચ ત્રણ પ. પમની સ્થિતિવાળા થાય છે, તેથી તેઓમાં નિયમથી બે જ્ઞાન બે અજ્ઞાન જ હોય છે જે જ્ઞાનવાળા હોય છે, તેઓ વૈમાનિકની જ આયુ બાંધે છે. તેથી તેમનામાં બે જ્ઞાન હોય છે. એ અભિપ્રાયથી તેમાં બે જ્ઞાન અને બે અજ્ઞાન કહ્યાં છે.
મધ્યમ સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા પણ એજ પ્રકારે સમજવી જોઈએ પણ વિશેષ એ છે કે સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત બને છે મધ્યમ સ્થિતિવાળા તિય"ચ પંચેન્દ્રિય સંખ્યાત વર્ષની આયુષ્યવાળા પણ થઈ શકે છે અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા પણ થઈ શકે છે, કેમકે એક સમય ઓછા ત્રણ પલ્યોપમની આયુવાળા પણ મધ્યમ સ્થિતિક જ કહેવાય છે એ કારણે તે ચતુઃસ્થાન પતિત કહેલા છે. તેમાં ત્રણ જ્ઞાન ત્રણ અજ્ઞાન અને ત્રણ દશન કહેવાં જોઈએ,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૫૩