Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તુલ્ય હોય છે. ત્રણ અજ્ઞાન અને ત્રણ દશને અર્થાત્ ચક્ષુ દર્શન, અચક્ષુદર્શન અને અવધિ દર્શનના પર્યાયથી ષટસ્થાન પતિત થાય છે અને કેવલ દર્શનના પર્યાયેથી તુલ્ય હોય છે. તાત્પર્ય એ છે કે પાંચ જ્ઞાનેમાંથી ચાર જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનેમાંથી ત્રણ દર્શન ક્ષાયોપશામિક છે. તેઓ જ્ઞાનાવરણ અને દશનાવરણ ક્ષપશમથી ઉત્પન્ન થાય છે, પણ બધા મનુષ્યોને ક્ષેપશમ સમાન નથી હોતે. પશમમાં તરતમતાનેલઈને અનન્ત ભેદ થાય છે. તેથી જ તેમના પર્યાય ષટસ્થાન પતિત કહેલા છે. પણ કેવલજ્ઞાન અને કેવલ દર્શન ક્ષાયિક છે. તેઓ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ની સાથે સર્વથા ક્ષીણ થવાથી જ ઉત્પન્ન થાય છે, તેથી જ તેમનામાં કોઈ પણ પ્રકારનું હીનાધિક પણું નથી થતું.
જેમ એક મનુષ્યનું કેવલજ્ઞાન તેવું જ બીજા બધાનું જેવું એકનું કેવલ દશન તેવું જ બધાનું એ કારણે અહીં કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાય તુલ્ય કહ્યા છે.
- વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિની અપેક્ષાએ જ્યારે એક મનુષ્ય એક મનુષ્યથી હીન વિવક્ષિત કરાય છે તે અનન્તભાગ હીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન, અથવા અનન્ત ગુણહીન થાય છે. જે અધિક વિવક્ષિત કરાય છે તે અનન્ત ભાગ અધિક અસંખ્યાત ભાગ અધિક સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાતગુણ અધિક અને અનન્તગુણ અધિક હોય છે.
વનવ્યન્તર દેવ અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે. તેથી જ જ્યારે એક વાનવન્તર બીજા વાનવ્યતરથી હીન વિવક્ષિત કરાય તે તે અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે. જ્યારે અધિક વિવક્ષિત કરાય છે તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક થાય છે. એક વાનવ્યન્તર બીજા વાનવ્યન્તરથી વર્ણ આદિની દષ્ટિએ ષટસ્થાન પતિત હીનાધિક થાય છે. અર્થાત્ એક બીજાથી જે હીન વિવક્ષિત કરાય તે અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણ હીન, અસંખ્યાત ગુણહીન, અથવા અનન્ત ગુણહીન હોય છે અને જે અધિક હોયતો અનન્તભાગ અધિક, અસંખ્યાતભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અથવા અનન્તગુણ અધિક બને છે. એ જ પ્રકારે નવ ઉપયોગમાં પણ ષટસ્થાન પતિત કહી દેવા જોઈએ.
તિષ્ક દેના વિષયમાં પણ આજ રીતે કહેવું જોઈએ. વૈમાનિક દેના સમ્બન્ધમાં પણ આમ જ સમજવું જોઈએ. તેઓ પણ અવગાહનાની દષ્ટિએ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૧૩