Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વધારે, તુલ્ય અગર વિશેષાધિક અર્થાત્ કંઈક અધિક છે?
શ્રીભગવાન ઉત્તર આપે છે. –હે ગૌતમ ! બધાથી ઓછા બાદર પૃથ્વી કાયિક પર્યાપ્ત છે, તેમની અપેક્ષાએ બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે, સૂમ પૃથ્વીકાયિક અપર્યાપ્ત તેમનાથી પણ અસંખ્યાતગણી છે અને સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્ત તેમનાથી સંખ્યાતગણ અધિક છે. આ વિષયમાં યુક્તિ આગળ કહેલી છે.
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! આ સૂમ જળકાયિક અને બાદર જળકાચિકેના પર્યાય અને અપર્યાપ્તકમાં કેણ કોનાથી ડા, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ? - શ્રીભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! બધાથી ઓછા બાદર અપકાયિક પર્યાપ્તક છે, તેમની અપેક્ષાએ બાઢર અષ્કાયના અપર્યાપ્ત અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ સૂક્ષ્મ અષ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણ અધિક છે અને તેમની અપેક્ષાએ સૂક્ષ્મ જળકાયિક પર્યાપ્ત સંખ્યાલગણા છે.
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ આ સૂમ તેજસકાયિક અને બાદર તેજકાચિકેના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં કોણ કોનાથી ઓછા અધિક તુલ્ય અગર વિશેષાધિક છે ?
આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન શ્રી મહાવીરસ્વામી કહે છે કે-હે ગૌતમ ! બધાથી ઓછા બાદર તેજસ્કાયિક પર્યાપ્ત છે. તેના કરતાં બાદર તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે, તેના કરતાં સૂમ તેજસ્કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણું છે, અને તેના કરતાં સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તક સંખ્યાતગણી છે, તેનું કારણ પહેલાં કહેવામાં આવી ગયેલ છે.
ગૌતમસ્વામી પૂછે છે કે હે ભગવન! આ સૂકમ વાયુકાયિક અને બાદર વાયુકાયિકના પર્યાપ્તક અને અપર્યાપ્તકમાં કેણ કોનાથી અ૮૫, ઓછા, વધારે, સરખા અને વિશેષાધિક છે ? ઉત્તર આપતાં ભગવાન શ્રી કહે છે કે-હે ગૌતમ ! સૌથી ઓછા બાદર વાયુકાયના પર્યાપ્ત છે, તેના કરતાં બાદર વાયુકાયના અપર્યાપ્તક અસંખ્યાતગણુ છે. તેના કરતાં સૂમ વાયુકાયના અપર્યાપ્તકે અસંખ્યાતગણી છે, અને તેના કરતાં સૂક્ષ્મ વાયુકાયના પર્યાપ્તક સંખ્યાતગણુ છે.
ગૌતમસ્વામી પ્રશ્ન કરતાં કહે છે કે-હે ભગવન ! આ સૂમ વનસ્પતિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨