Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 11
________________ ૨ માયાજાળમાં ન ફસાઈ જઈએ, આપણું કમાયેલું ધન વગેરે લુંટાઈ ન જાય તે માટે હેય એવા દુર્જનોને પણ બરાબર જાણવા જોઈએ તથા ઉપકારી તત્ત્વોને જેમ ઓળખીએ-જાણીએ, તેમ અપકારી (આત્મતત્ત્વને નુકસાન કરનારાં) એવાં પાપસ્થાનકોને પણ બરાબર હેયભાવે ઓળખી લેવાં જોઈએ. જાણી લેવાં જોઈએ. તે માટે પાપસ્થાનકોથી બચવા સારૂં આ સજ્ઝાયના અર્થો લખાય છે. જે ઘણું મનન-ચિંતન કરવા જેવા છે. તેનાથી આત્મતત્ત્વ નિર્મળ થાય છે. અશુદ્ધિ દૂર થાય છે અને આત્મહિત સાધી શકાય છે. હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સજ્ઝાય પાપસ્થાનક પહિલું કહ્યું રે, હિંસા નામે દુરંત । મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત રે ॥૧॥ શબ્દાર્થ - પહિલું - પ્રથમ, દુરંત - દુઃખે કાઢી શકાય તેવું, મારે - હણે, ઘાત કરે, જગજીવને જગતના જીવોને, તે લહે તે પામશે. II ૧ || ૧. પ્રાણાતિપાત-હિંસા કરવી ૨. મૃષાવાદ-જુઠું બોલવું ૩. અદત્તાદાન-ચોરી કરવી ૪. મૈથુન-સંસારસેવન કરવું ૫. પરિગ્રહ-મમતા-મૂર્છા ૬. ક્રોધ-આવેશ-ગુસ્સો - Jain Education International ગાથાર્થ - જીવનમાંથી દુઃખે દૂર કરાય એવું હિંસા નામનું પહેલું પાપસ્થાનક શાસ્ત્રોમાં કહ્યું છે. જગતના જીવોને જે મારશે (હણશે) તે પોતે અનંત મરણને પામશે. || ૧ || વિવેચન - સંક્ષેપમાં પાપનાં સ્થાનક ૧૮ છે તે આ પ્રમાણે ૧૦. રાગ-પ્રેમ કરવો ૧૧. દ્વેષ-ઇર્ષ્યા-અદેખાઈ-નાખુશીભાવ ૧૨. કલહ-કજીયો કરવો ૧૩. અભ્યાખ્યાન-ખોટું આળ દેવું ૧૪. પૈશુન્ય-ચાડી ખાવી ૧૫. રતિ-અરતિ-પ્રીતિ-અપ્રીતિના ભાવ અઢાર પાપસ્થાનકે - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 242