SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ માયાજાળમાં ન ફસાઈ જઈએ, આપણું કમાયેલું ધન વગેરે લુંટાઈ ન જાય તે માટે હેય એવા દુર્જનોને પણ બરાબર જાણવા જોઈએ તથા ઉપકારી તત્ત્વોને જેમ ઓળખીએ-જાણીએ, તેમ અપકારી (આત્મતત્ત્વને નુકસાન કરનારાં) એવાં પાપસ્થાનકોને પણ બરાબર હેયભાવે ઓળખી લેવાં જોઈએ. જાણી લેવાં જોઈએ. તે માટે પાપસ્થાનકોથી બચવા સારૂં આ સજ્ઝાયના અર્થો લખાય છે. જે ઘણું મનન-ચિંતન કરવા જેવા છે. તેનાથી આત્મતત્ત્વ નિર્મળ થાય છે. અશુદ્ધિ દૂર થાય છે અને આત્મહિત સાધી શકાય છે. હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સજ્ઝાય પાપસ્થાનક પહિલું કહ્યું રે, હિંસા નામે દુરંત । મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત રે ॥૧॥ શબ્દાર્થ - પહિલું - પ્રથમ, દુરંત - દુઃખે કાઢી શકાય તેવું, મારે - હણે, ઘાત કરે, જગજીવને જગતના જીવોને, તે લહે તે પામશે. II ૧ || ૧. પ્રાણાતિપાત-હિંસા કરવી ૨. મૃષાવાદ-જુઠું બોલવું ૩. અદત્તાદાન-ચોરી કરવી ૪. મૈથુન-સંસારસેવન કરવું ૫. પરિગ્રહ-મમતા-મૂર્છા ૬. ક્રોધ-આવેશ-ગુસ્સો - Jain Education International ગાથાર્થ - જીવનમાંથી દુઃખે દૂર કરાય એવું હિંસા નામનું પહેલું પાપસ્થાનક શાસ્ત્રોમાં કહ્યું છે. જગતના જીવોને જે મારશે (હણશે) તે પોતે અનંત મરણને પામશે. || ૧ || વિવેચન - સંક્ષેપમાં પાપનાં સ્થાનક ૧૮ છે તે આ પ્રમાણે ૧૦. રાગ-પ્રેમ કરવો ૧૧. દ્વેષ-ઇર્ષ્યા-અદેખાઈ-નાખુશીભાવ ૧૨. કલહ-કજીયો કરવો ૧૩. અભ્યાખ્યાન-ખોટું આળ દેવું ૧૪. પૈશુન્ય-ચાડી ખાવી ૧૫. રતિ-અરતિ-પ્રીતિ-અપ્રીતિના ભાવ અઢાર પાપસ્થાનકે - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy