Page #1
--------------------------------------------------------------------------
________________
BAYRA
FEEVERITIFITE
સંસાસેતુ
TRIPOT
OFFICE OUT OF
જયભિખ્ખુ
કચ્છ
Page #2
--------------------------------------------------------------------------
________________
સંસારસેતુ
સંસારસેતુ (બેક ટાઈટલ) જયભિખ્ખની નવલકથાઓમાં સંસારસેતુ આગવું સ્થાન ધરાવે છે. જયભિખુની અન્ય નવલ કથાઓ પૌરાણિક કે ઇતિહાસ પ્રસિદ્ધ કથાવસ્તુ પર આધારિત છે જ્યારે આ નવલકથાના કથાવસ્તુને એટલો ઐતિહાસિક આધાર નથી. માત્ર સજઝાયોમાં કે અન્યત્ર થોડીઘણી માહિતી મળે છે, પરંતુ લેખકના ચિત્તમાં મહર્ષિ મેતારજનું એવું આકર્ષણ જાગ્યું કે તેઓ આ નવલકથા સર્યા વિના રહી શક્યા નહીં. બીજી મહત્ત્વની બાબત એ છે કે અંત્યજ મુનિના તેજસ્વી જીવનને આમાં પ્રગટ કર્યું છે કે જે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થોને પોતાના જીવનમાં સંયમથી આચરનાર સંસારત્યાગની વૃત્તિ વારંવાર અનુભવે છે અને કમળ કેદમાં છુપાયેલા ભ્રમરની કેદ ખુલી જાય એ રીતે એમના હૃદયમાં જાગેલી વૈરાગ્યભાવનાને પરિણામે સંસારત્યાગ કરે છે અને તેઓ મહર્ષિ મેતાજ બનીને ચાલી નીકળે છે.
આ નવલકથામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની જન્મજાત મોટાઈને દૂર કરીને પંથ, પક્ષ અને જાતિ વગરની માણસની યોગ્યતાનું આલેખન કર્યું છે અને તેથી જ માનવીમાં રહેલા તમસ અને રજસ જેવા ગુણોને પાર કરીને સાત્ત્વિક માણસાઈનો સંદેશ આ નવલકથા આપે છે.
જયભિખ્ખ
શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ O૦૭
Page #3
--------------------------------------------------------------------------
________________
Jaybhikhkhu Janmashatabdi Granthavali Sansarsetu
A Gujarati Historical Novel by Jaybhikhkhu Published by Shri Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380007
© સર્વ હક્ક પ્રકાશકના
ISBN
પાંચમી આવૃત્તિ : જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ ડિસેમ્બર, ૨૦૧૪ • પૃ. ૧૪ + ૨૨૬
કિંમત: રૂ. ૦
પ્રકાશક
કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી,
અમદાવાદ-૩૮૦૦૭
ગૂર્જર એજન્સીઝ રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧
ફોન : ૨૨૧૪ ૯૬૬૦
મુખ્ય વિક્રેતા
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
૫૧ ૨, રમેશપાર્ક સોસાયટી વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા,
અમદાવાદ-૩૮૦૦૧૩
ફોન : ૨૭૫૫ ૧૭૦૩
આવરણચિત્ર :
મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩
અર્પણ
ધર્મ, સાહિત્ય કે કેળવણીની
ઉદાર સખાવતને ઉદ્યોગની સિદ્ધિના
સદૈવ ગુરુચરણે સમર્પિત કરનારા પરમ આત્મીય સ્વજન અને
સત્કાર્યોના સદૈવ સહાયક
શ્રી સી. કે. મહેતાને
સાદર
Page #4
--------------------------------------------------------------------------
________________
જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ
નવલકથા ૧. વિક્ષ્માદિત્ય હેમુ
૨. ભાગ્યનિર્માણ ૩. દિલ્હીશ્વર
૪. કામવિજેતા ૫. પ્રેમભક્ત કવિ જયદેવ ૬. ભગવાન ઋષભદેવ ૭. ચક્રવર્તી ભરતદેવ
૮. ભરત-બાહુબલી ૯. લોખંડી ખાખનાં ફૂલ ૧-૨ ૧૦. પ્રેમનું મંદિર ૧૧. શત્રુ કે અજાતશત્રુ ૧-૨ ૧૨. સંસારસેતુ ૧૩. પ્રેમાવતાર- ૧-૨ ૧૪, બૂરો દેવળ
નવલિકાસંગ્રહ. ૧. ફૂલની ખુશબો
૨. ફૂલ નવરંગ ૩. વીર ધર્મની વાતો ભાગ - ૧ ૪. વીર ધર્મની વાતો ભાગ - ૨ ૫. માદરે વતન
ચરિત્ર ૧. ભગવાન મહાવીર
૨. જયસિંહ સિદ્ધરાજ ૩, મહામંત્રી ઉદયન
૪. મંત્રીશ્વર વિલ
કિશોર સાહિત્ય ૧. હિંમતે મર્દા
૨. યજ્ઞ અને ઇંધણ ૩. માઈનો લાલ
૪. જયભિખુ વાર્તાસૌરભ
બાળકિશોર સાહિત્ય ૧. બાર હાથનું ચીભડું ૨, તેર હાથનું બી ૩. પ્રાણી મારો પરમ મિત્ર-૧-૨ ૪. નીતિકથાઓ - ૧-૨
પ્રકાશકીય ઝિંદાદિલીને જીવન માણનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર શ્રી જયભિખ્ખના જન્મશતાબ્દી વર્ષે ‘શ્રી જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ'ના ઉપક્રમે આ ગ્રંથ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. એમના જીવનકાળમાં મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં એમની પષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માનના કાર્યક્રમો યોજાયા હતા. એમણે સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીનો અસ્વીકાર કર્યો. આયોજ કોને એ રકમ સવિનય પરત કરી. આથી સહુ મિત્રોએ મળીને પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને ‘શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી..
આમ એમના સમયમાં સ્થપાયેલ જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ સતત સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજ માં માનવતાના ઉચ્ચ સંસ્કાર પ્રેરે તેવાં એ કસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જયભિખ્ખના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ પ્રારંભાયેલી જયભિનું સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા અમદાવાદ ઉપરાંત મુંબઈ અને ભાવનગરમાં ચાલી રહી છે. આ શહેરોમાં સાહિત્યકારો અને ચિંતકોએ જયભિખ્ખના સર્જનનું સ્મરણ કરવાની સાથોસાથ કોઈ સાહિત્યિક વિષય પર વક્તવ્યો આપ્યાં છે. માનવતાનાં મૂલ્યોને જગાડતી સાહિત્યિક કૃતિને કે માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખું એવૉર્ડ એનાયત કરવામાં આવે છે. ચંદ્રવદન મહેતા જેવા સાહિત્યકાર કે શ્રી અરવિંદ મફતલાલ જેવા સેવાપરાયણ વ્યક્તિને આ એવૉર્ડ અર્પણ કરવામાં આવ્યા
બાળસાહિત્ય
૧. દીવા શ્રેણી (૫ પુસ્તિકનો સેટ). ૨. ફૂલપરી શ્રેણી (૫ પુસ્તિકનો સેટ)
જૈન બાળગ્રંથાવલિ ૧. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૧ (૧૦ પુસ્તિકાનો સેટ) ૨. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૨ (૧૦ પુસ્તિકાનો સેટ)
પૂર્વનાતક કક્ષો, એનુરનાતક કક્ષા અને સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષ યોજાતી નિબંધસ્પર્ધામાં સરેરાશ ત્રણેક હજાર નિબંધો આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને જયભિખુ સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુરનાતક કક્ષાએ ‘ભારતીય સાહિત્ય' વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખું ચંદ્રક એનાયત કરવામાં આવે છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખ્યું જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને ‘જયભિખું નગર' નામ આપવામાં
Page #5
--------------------------------------------------------------------------
________________
આવ્યું તેમજ જયભિખુના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના યગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટયગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખું જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખના પ૭ ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખ્ખું લિખિત 'બંધન અને મુક્તિ ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું.
| ‘જયભિખનુની જન્મશતાબ્દી’ નિમિત્તે ‘જયભિખુ વ્યક્તિત્વ અને વાડ્મય' અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખું ' એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. એ પછી સાહિત્ય અકાદેમી અને વડોદરાની સાહિત્ય સંસ્થા ‘અક્ષરા'ના સંયુક્ત ઉપક્રમે ૨૦૦૯ની ૨૭મી જૂને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ આર્ટ્સના સેમિનાર ખંડમાં જયભિખુની જન્મશતાબ્દી નિમિતે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને એમાં પ્રસ્તુત થયેલા વક્તવ્યોનું શ્રી વર્ષા અડાલજાએ ‘ શીલભદ્ર સારસ્વત જયભિખુ’ નામે કરેલું સંપાદન સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૧૨માં પ્રગટ થયું હતું.
જન્મશતાબ્દીના સંદર્ભમાં ૨૦૧૪માં પુનઃ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું, જે માં જયભિખ્ખની નવલકથાઓ ‘લોખંડી ખાખના ફૂલ' (ભાગ-૧-૨), 'પ્રેમાવતાર' (ભા. ૧-૨), ‘બૂરો દેવળ’, ‘શત્રુ કે અજાતશત્રુ' (ભા. ૧-૨), ‘પ્રેમનું મંદિર ' અને સંસારસેતુ’ એમ કુલ છ નવલ કથાઓ પુનઃ પ્રગટ થઈ રહી છે. જયભિખુની પ્રસિદ્ધ નવલ કથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ' પરથી શ્રી ધનવંત શાહે “કૃષ્ણભક્ત કવિ જયદેવ’ નામનું શ્રી ધનવંત શાહે કરેલું નાટ્યરૂપાંતર પ્રગટ કર્યું અને અમદાવાદમાં એનાં કેટલાંક નાટ્યાંશો પ્રસ્તુત કર્યા. આ સંદર્ભમાં ૨૩મી ડિસેમ્બરે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં શ્રી કુમારપાળ દેસાઈએ લખેલાં જયભિખ્ખના જીવનચરિત્રનું વિમોચન કરવામાં આવશે.
જયભિખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખુની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ડિસેમ્બર, ૨૦૧૪
ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ
લેખકનું નિવેદન
(પહેલી આવૃત્તિ) ધર્મનું એક માત્ર ધ્યેય-સ્વભાવે પશુતાના પાડોશી બનતા માણસને માણસાઈ શીખવવાનું છે. એ જે દ્વારા થાય તે ધર્મ છે, અને તે ખરેખર આદરણીય છે. ઉદાર જૈન ધર્મે અનેક અર્થોમાં એ હાંસલ કરી બતાવ્યું છે, અથવા એમ કહી શકીએ કે સંસારની અનુદારતા મિટાવવા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની જન્મજાત દંભી મોટાઈ મિટાવવા ને ‘હરિકો ભજે સો હરિ કા હોય’ એ પંથ-પથ-જાતિ વગરની યોગ્યતા દર્શાવવા એનો જન્મ થયો છે.
સારનો સાર એ છે કે જૈન ધર્મ વિશાળ ધર્મ છે, ને એ વિશાળતાને દર્શાવવાનો મારી નવલકથાઓનો દાવો છે. ખુશી થવા જેવી બીના છે, કે એ દાવાને અનેક જૈન તેમજ જૈનેતર વાચકોએ પ્રથમ પુસ્તક “કામવિજેતા 'ને સાથોપાન્ત વાંચીને પોતાનો ટેકો આપ્યો છે. અને એ જ બળે આ નવલકથા સર્જાઈ છે.
આ નવલકથાના નાયક મહર્ષિ મેતારજ શ્રી સ્થૂલિભદ્રની જેમ સુપ્રસિદ્ધ પુરુષ નથી. ઇતિહાસનો એમને બહુ ઓછો-નગણ્ય ટેકો છે. ને જૈન સમાજમાંય ‘સમતાગુણના દૃષ્ટાંત સિવાય એમને વિશેષ સ્થાન મળ્યું નથી. ઘણા ગ્રંથોના અવલોકન બાદ એમના વિશે થોડીઘણી લીટીઓ અને એકાદ-બે અધૂરી સઝાયો માત્ર મેળવી શકાઈ છે. મને લાગે છે, કે છેલ્લા વખતની ધર્મજ ડતાએ અને જન્મજાત – જાતિમહત્તાએ એ જીવનને બની શક્યું તેટલું ગોપવ્યું હશે, અથવા અનેકાનેક સ્વહઠાગ્રહપોષક વાદવિવાદો ઉપજાવી ગૌણ કરી મૂક્યું હશે.
મારો અને મહર્ષિ મેતારજનો સંયોગ અણધાર્યો થયેલો છે. રોજિંદી ધમાલમાં ‘સ્વાધ્યાય'ને સદા ઓછો અવકાશ મળ્યા કરે છે; છતાંય એક વાર આડાંઅવળાં પાનાંઓ ફેરવતાં આ અંત્યજ મુનિ હાથ પર આવી ગયા. આવતાંની સાથે જ એમણે આકર્ષણ કરી લીધું. નાનું-શું જીવન છતાં કેવું રંગબેરંગી ! કેવું તેજસ્વી ! ધર્મ, અર્થ, કામ ને મોક્ષ – ચારે પુરુષાર્થને કેવા ચરિતાર્થ કરી જાણ્યાં ? જાણે માનવીની રોજની પ્રાર્થનાઓની સાકારતા ! જેટલી ઝડપથી એમણે આકર્ષણ કર્યું એટલી ઝડપથી એમણે એક સાપ્તાહિક પત્ર માટે દશેક અઠવાડિયાં ચાલે તેટલું વાર્તાસ્વરૂપ લઈ લીધું.
આની વચ્ચે ‘કામવિજેતા સ્થૂલિભદ્ર ' જખ્યું, પણ એથી પેલા અંત્યજ મુનિની વાર્તા આછી બનવાને બદલે વધુ જીવંતતા પામતી ગઈ. કથાનાયકનું જીવન તો સાવ અલ્પ હતું, પણ એમાંથી નવક્રાન્તિનાં અનેક બળોનું દર્શન લાધતું ચાલ્યું. એ શૂદ્રમુનિની આસપાસ જીવતી વ્યક્તિઓના વ્યક્તિત્વનું જાદુ થયું. સ્યાદ્વાદના પરમ
Page #6
--------------------------------------------------------------------------
________________
અનેકાન્ત દૃષ્ટિ જૈનોની આગવી દષ્ટિ છે : અને એ દૃષ્ટિવાળો કોઈ પણ સર્જક સંપ્રદાયના ખાબોચિયામાં રાચી ન શકે. એ વિશ્વધર્મનો નહિ, તો સર્વધર્મનો સમન્વયકારી હોવો જોઈએ.
મારી આ નવલકથા દ્વારા જૈનોને પોતાની પૂર્વ મહત્તાનું ભાન થાય ને એ માર્ગે કંઈ રચનાત્મક પ્રયત્ન સેવે; તેમજ જૈનેતર વાચકો આમાંથી ભારતની ભવ્ય ત્યાગપ્રધાન સંસ્કૃતિનું એક તંદુરસ્ત ચિત્ર મેળવી શકે તો મારો શ્રમને સફળ થયો લેખીશ. પટેલનો માઢ, માદલપુર, એલિસબ્રિજ, અમદાવાદ-૬
જયભિખ્ખું તા. ૧૧-૭-૪૧
પ્રચારક જ્ઞાતપુત્ર મહાવીરની ઉપદેશધારા ક્યાં ક્યાં ને કેવી રીતે વહી હતી, તેનું એક સળંગ દર્શન પ્રાપ્ત થયું.
અને એ બધામાંથી આજના યુગને માટે ગુરુમંત્ર સમાન એક બોધપાઠ મળ્યો. જે યુગમાં માનવીમાત્રને મન સમર્પણભાવના - કંઈ કરી છૂટવાની તમન્ના - હોય છે, એ યુગ જ મહાન હોઈ શકે છે. દ્રવ્ય, સત્તા કે કીર્તિ મેળવવા કરતાં માનવી માનવી માટે કરવામાં મહત્તા સમજતો હોય, ત્યાગ એ જ ધર્મ હોય ત્યારે જગત નવક્રાન્તિનાં દર્શન પામી શકે છે.
મને લાગે છે કે ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધનો એવો સમર્પણભાવ પ્રધાન યુગ હતો, અને એનું જ કારણ છે, કે એ યુગે જે આપ્યું છે, એ આજે બન્ને અઢી અઢી હજાર વર્ષ વીત્યે હજી કોઈ આપી શક્યું નથી.
આ નવલકથાનો કાળ અહિંસાના પરમ ઉપદેશક મહાન તપસ્વી સાતપુત્ર મહાવીરની યુવાનીનો છે. આમાં નાયક મેતારજ છે, છતાં એનું જીવન એટલું સ્વલ્પ મેળવી શકાયું છે કે ઘણી વાર એનું નાયકપદ ઝાંખું પડતું જાય છે. કેટલીક વાર એ અન્ય પાત્રોની પીઠ પાછળ પડી જાય છે. છતાંય બધે એના જીવનસૂરનો એક તંતુ ચાલ્યો આવે છે, જે વાતાવરણને વિકસાવે છે.
નાયકની આ દશા છે, જ્યારે નાયિકાનું તો ઠેકાણું જ નથી. વિરૂપા, શેઠાણી, દેવદત્તા, ચેલ્લણા, સુલસા ! સહુ સહુના વખતે સહુ પ્રમુખપદ મેળવે છે ને પછી લુપ્ત થઈ જાય છે. છતાંય સમર્પણની ધારા વહાવતાં એ સ્વલ્પ તોય રસભર્યા જીવનોમાંથી મારા જેવો એક આખી નવલકથી રચી શક્યો, એ ઓછું નથી.
મને લાગે છે, એમાં મારી કલમની મહત્તાને બદલે એ જીવન સાથે જડાયેલા રાખવાની પાત્રોની જીવંત અદ્ભુતતા કારણભૂત છે. કર્મચૂર ને ધર્મશ્ર રોહિણેય, અલબેલી મેતરાણી વિરૂપા, છેલછબીલો માતંગ, નૃત્યકુશળ દેવદત્તા, પ્રબલ પરાક્રમી મગધેશ્વર ને બુદ્ધિનિધાન મહામંત્રી અભય : આ પાત્રો તો કોઈ કુશળ શિલ્પીને હાથે કંડારાવાને યોગ્ય છે, અને સાચો કાન્તદીપ પેટાવનાર જ્ઞાતપુત્ર મહાવીરના જ્ઞાનબલ ને તપોબલપૂર્ણ જીવનને તો કોઈ સંજીવની કલમનો સ્પર્શ કરાવવાની વાર છે.
પણ શોકની વાત એ છે કે સંપ્રદાયજડતાએ આ વાત કોઈને સૂઝવા દીધી નથી, કોઈને સૂઝી છે તો સર્જવાની અને તમાં નથી. અને એનું જ આજે પરિણામ આવ્યું છે કે વિવેચકો સારા કે નરસા પણ સંપ્રદાયને લગતા એવા પુસ્તકને જોઈને - એમાંય કમનસીબે ખાસ કરીને જૈન પુસ્તકો જોઈને – ‘રાતું કપડું જોઈ ભેંસ ભડકે' એમ ભડકી ઊઠે છે. તેઓ સંપ્રદાયને નામે સારાં પુસ્તકને પણ તુચ્છકારીને અવમાનનાની ટોપલીને હવાલે કરે છે.
પાંચમી આવૃત્તિ સમયે જયભિખ્ખું જન્મશતાબ્દી નિમિત્તે સર્જકની પ્રિય નવલકથા સંસારસેતુનું પુનઃ પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ નવલકથાની ત્રણ આવૃત્તિ મહર્ષિ “તારજ શીર્ષક હેઠળ પ્રગટ થઈ હતી. એ પછી ચોથી આવૃત્તિ સંસારસેતુ તરીકે પ્રગટ થઈ અને અત્યારે એની પાંચમી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. અત્યંત આકર્ષક પાત્રસૃષ્ટિ ધરાવતી આ નવલકથા વાચકોને એક જુદી જ સૃષ્ટિ અને સંસ્કૃતિમાં લઈ જશે અને એના પ્રવાહી અને રંગદર્શી આલેખનને કારણે ભાવકચિત્તને રંગીન અને આલાદક સૃષ્ટિની અનુભૂતિ થશે.
ટ્રસ્ટીમંડળ જયભિખ્ય સાહિત્ય ટ્રસ્ટ
Page #7
--------------------------------------------------------------------------
________________
સવાઈ સાહિત્યકાર જયભિખુ કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. ‘જયભિખુ” પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથૂથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલ કથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાવિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવધાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે.
| ‘જયભિખ્ખ” જૈન ધર્મના લેખક છે અને નથી, છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ‘ભગવાન ઋષભદેવ’માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને ‘કામવિજેતા સ્થૂલિભદ્રમાં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિક્રમાદિત્ય હેમુ માં ઇસ્લામ અને ‘પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં 'જયભિખુ 'એ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે.
‘જયભિખુ 'ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મ-ઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે.
તેમણે લખેલી ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર' વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન હ્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે.
તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી ‘જવાંમર્દ' શ્રેણીની સાહસ કથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે.
તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં “માદરે વતન', ‘ કંચન અને કામિની', યાદવાસ્થળી’, ‘પારકા ઘરની લમી’, ‘પ્રેમપંથ પાવકની જવાલા', ‘શૂલી પર સેજ હમારી’ વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ
રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે. - વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં ‘જયભિખ્ખનું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે.
તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર' નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેરક્તાને કારણે એ કૃતિ ઉચ્ચ કોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખુના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે.
ધર્મ વનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. ‘જયભિખ્ખું” એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે.
| ‘જયભિખુ’નું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં
જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખ્ખું સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. ૨00૮
- ધીરુભાઈ ઠાકર
Page #8
--------------------------------------------------------------------------
________________
૧. પૂર્વ અને પશ્ચિમ
2.
ભવનાં દુઃખિયારાં
૩.
કર્મની ગત પરભૃતિકા
રોહિણેય
૪.
૫.
અજબ પુરુષ
રાજવાર્તા
હજારમાં એક
te
કીર્તિ ને કાંચન
૧૦. જગતનું ઘેલું પ્રાણી
૧૧.
મગધનાં મહારત્નો
.
૭.
...
૧૨. અભૂતપૂર્વ
૧૩.
ધરતી અને મેઘ
હાથતાળી
જ્ઞાતપુત્રને ચરણે
મોહપાશ
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫. બંધનમુક્તિ
૨૬.
૨૭.
૨૮.
૨૯.
રંગમાં ભંગ
પ્રેમની વેદી પર
કાળો આકાર
કોણ સાચું ?
સ્વર્ગલોકમાં
જીવનની નવી જાતરા
પતિતપાવન
પાણી પહેલાં પાળ
અનુક્રમણિકા
કાળચક્ર
સોનીનો શો દોષ ?
અર્પણ
સંસારસેતુ
१२
૬૪ ૪ કે તે
૨૧
८०
૪
૧૦૮
૧૧૩
૧૩૩
૧૪૪
૧૫૪
૧૬૨
૧૬૮
૧૭૬
૧૮૩
૧૯૩
૨૦૦
૨૦૫
૨૧૦
૨૧૩
૨૧૮
૨૨૩
સંસારસેતુ
Page #9
--------------------------------------------------------------------------
________________
પૂર્વ અને પશ્ચિમ
“થનગન વનમાં નીચે વસંતડી
હૈયાની કુંજ મારી હૂલે-ઝૂલે.” – ન્હાનાલાલ રોજ પ્રાતઃકાળે રાજગૃહીની ઐશ્વર્યભરી શેરીઓમાં એક મીઠો સ્વર સંભળાતો. પ્રભાતની મંદ મંદ પવન-લહેરો પર સવાર થઈને, જનશૂન્ય વીથિકાઓમાં થઈને વહેતો આ મધુર ગીતરવર સૂતેલાં નરનારીઓની કાગાનીંદરમાં ઔર મીઠાશ પૂરતો.
ધીરે ધીરે સ્વચ્છ થતા જતા આકાશના આંગણા પર અદ્ભુત ચિતાર અરુણ, કુમકુમનાં છાંટણાં છાંટીને વિદાય લેવાની તૈયારી કરતો કે તરત આ ગીતસ્વરા સંભાળતો દૂર દૂર આંબાવાડિયામાંથી વહ્યો આવતો. કોકિલનો ઉન્મત્ત ટહુકાર, થોડે દૂર આવેલાં વ્રજ -ગોકુળોમાં ઘમ્મરવલોણાં ફેરવતી ગોપકન્યાઓના મીઠા કંઠસ્વરો, અને તે બધા સાથે ભળીને વહ્યો આવતો આ સૂર અપૂર્વ સ્વરમાધુરી ધારણ કરતો.
અને આ સૂર પણ કંઈ એકલો જ નહોતો વહેતો. તાલબદ્ધ ઘરઘરાટનો ધ્વનિ પણ સાથે સાથે આવતો. પરોઢિયાની તંદ્રામાં પડેલાં રસિક જનોને વાદળોના ધીમા ગડગડાટ પર સવાર થઈને કાંઈ ઇંદ્રપરી ટહુકતી ચાલી જતી હોય, એવી કલ્પના ઊગી આવતી. પણ કલ્પનાનો ઉપભોગ પૂરો થાય તે પહેલાં વૈતાલિકોનાં ગાન આરંભાતાં, દેવાલયનો ગંભીર ઘંટારવ નિદ્રાની સાંકળને છિન્નભિન્ન કરી નાખતો, અને જરા મોડાં જાગેલાં પુરજનો ઉતાવળે નિત્યકર્મમાં પરોવાતાં.
સૂની વીથિકાઓમાં અવરજવર વધતો અને અચાનક એક મીઠો અવાજ સંભળાતો :
છેટાં રહેજો માબાપ !” પેલું ગીત બંધ થઈ જતું. ઘરઘર અવાજ વેગવાન બનતો.
Page #10
--------------------------------------------------------------------------
________________
“હત્તારીની ! અરે આ તો ચાંડાલણી વિરૂપા !” કેટલા રસિકજનોની ભાંગીને ભુક્કો થઈ ગયેલી મનોરમ કલ્પનાનો આમાં પડઘો પડતો હતો.
“એનો ધણી રાજાજીના બગીચાનો રક્ષક અને આ ગાંડી આમ શેરીઓ વાળી જીવન કાં ભરે ?' પાસેથી પસાર થતા પુરજનો વિરૂપાને જોઈ, મધપૂડો જોઈને માખીઓ ગણગણવા લાગે એમ કંઈ ને કંઈ ગણગણાતા ચાલ્યા જતા.
પેલો માતંગ જ એનો ધણી ને ! અલ્યા, એ તો પૂરો મંત્રવેત્તા છે મંત્રવેત્તા ! આ રૂપાળીના ખાવાના કોડ પૂરવા ઘેર બેઠાં રાજાજીના બગીચાની કેરીઓ મંગાવતો, એવો જબરો છે ! અરે, કહેવાય છે કે એની પાસેથી એ વિદ્યા મેળવવા ખુદ મગધરાજ નીચા આસને બેઠેલા, ને એ ઊંચા આસને બેઠેલો !''
“મૂકને એ વાત ! પ્રભાતના પહોરમાં ચાંડાલની વાત ક્યાંથી કાઢી ! ન જાણે આજનો દહાડો કેવો જશે !”
ચાંડાલ થયા એટલે શું ? શું એ કંઈ માણસ નથી ?”
“અલ્યા એ માણસવાળો છે કોણ ? કોઈ શ્રમણનો ચેલો લાગે છે !” અચાનક પાછળથી ક્રોધભર્યો ગર્જારવ સંભળાયો.
વાતો કરનારા પાછળ જોવા જાય છે, તો કોઈ ભૂદેવતા ચાલ્યા આવતા દેખાયો. માથા પર હવામાં ફરફરતી ખાસ્સી એડેધા ગજ ની શિખો, ખભા ઉપર લાંબી યજ્ઞોપવીત, કપાળમાં મોટું ત્રિપુંડ ને હાથમાં પૂજાપાત્ર ! એમના પગની ચાખડીઓનો ખડખડાટ ભલભલાની તંદ્રા ઉડાડી દે તેવો હતો. વાતો કરનારા તો ભયથી ઉતાવળા આગળ વધી ગયા, પણ પેલા ભૂદેવતાનો ક્રોધ ઓછો ન થયો. ક્રોધ ઠાલવવા માટે એમણે વિરૂપાને જ યોગ્ય પાત્ર સમજી.
અરે ઓ ચાંડાલણી ! મહાપાતકી, હીનવણ, ધર્મહીના ! જરા કોઈ જતુંઆવતું હોય એ જો તો ખરી ! આમ ધૂળ ઉડાડ્યું જાય છે, પણ એ ધૂળ અમારા તરફ ઊડીને આવી રહી છે, તે તો જો ! ધર્માધર્મનો વિચાર તો કર ! અરે, બધું એક આરે કાં કરો ! આ ભવ તો બગડ્યો, પણ પર ભવનો તો વિચાર કરો.”
“ખમા મારા દેવતા ! પાયે પડું !" વાળતી વાળતી વિરૂપા થંભી ગઈ ને જરા કટાક્ષમાં બોલી ; “તમારો ધર્મ અમર રહો ! પણ તમને ધર્મભ્રષ્ટ કર્યા, એ ગુનો મારો નથી, મહારાજ !”
“ત્યારે કોનો છે ?”
“આ અધર્મી પવનનો. આમતેમ વહેતો એ સ્વછંદી અમને અને તમને સરખાં કરે છે. એને જરા શિક્ષા કરો ને, ભૂદેવતા !" વિરૂપા જરા ટોળથી બોલી.
“જોયાંને નીચ ! અધમ ! રે દુષ્ટ ! મારી મશ્કરી ?” ભૂદેવતાનું ત્રીજું લોચન
ખૂલી ગયું.એમણે ક્રોધાગ્નિ વરસાવતાં કહ્યું : “આખરે કજાત તે કજાત! સાબુથી ગમે તેટલો ધુઓ, પણ કોલસો કાળો મટે ? આ કોલસાને ધોળા કરવા પેલા પાખંડીઓ હાલી નીકળ્યા છે. એણે જ આ બધાને ફટવ્યાં છે. હોમ-હવન, યજ્ઞ-યાગ, પૂજા-પાઠ બધા વૈદિક ક્રિયાકાંડો પર પાણી ફેરવ્યું. હળાહળ કળિ આવ્યો !”
પેલો પાખંડી ને ?" બટકબોલી લાગતી વિરૂપા એકદમ ભક્તિના આવેગમાં આવી ગઈ : “તમારે મન પાખંડી, પણ અમારો તો તારણહાર ! અમ દુઃખિયાંનો બેલી ! અમ ગરીબોનો નાથ ! જનમ જનમની અમારી હીનતા એણે ધોઈ નાંખી ! દેવતા, એ અમારો મંગલમય પ્રભુ તમારી હીનતા નિવારો !”
“મહત્યાપ, શાંતમ્ પાપમ્ ! નીચને મોઢે લગાડવાં ખોટાં ! એમની સાથે તે વાત હોય ! એ તો તાડનનાં અધિકારી !'” અને અનેક શાપ આ ચાંડાલ જાત તરફ વરસાવતા ભૂદેવ શાસ્ત્રનાં ફરમાનો રટતા, કાષ્ઠની ચાખડીઓ ખખડાવતા આગળ વધ્યા.
વિરૂપા પણ એક મંદ સ્મિત વેરી કામે લાગી. રોજ રોજ આવા આવા અનેકવિધ અનુભવોને પાત્ર થનાર વિરૂપા શું ખરેખર લક્ષ આપવા લાયક વ્યક્તિ હતી ? માનવીનાં ચર્મચક્ષુ સ્વાભાવિક રીતે આ કષય એવી એ રૂપસુંદર હતી ?
વિરૂપા હતી તો જાતની ચાંડાલ, વાને કંઈક ઘનશ્યામ, પણ કુદરતે એના ઘાટમાં સૂતું સૌંદર્ય મૂક્યું હતું. શામળી છતાં વિરૂપા સુંદર હતી. સુંદરતા કંઈ સફેદ ચામડીમાં જ નથી હોતી. કામદેવની કામઠી શી એની દેહલતામાં અંગે અંગે અદ્ભુત મરડ ભર્યો હતો. એ ચાલતી અને જાણે નૃત્યનો કોઈ ભંગ રચાતો. એનું સુરેખ નાક, મોટી ને કાળી આંખો, છટાદાર શરીરરેખાઓ જોનારાની આંખોને ખેંચી રાખતાં. ગોળ લાડવા શા મુખ પર ઊંચો ઉતાવળે બાંધેલો અંબોડો એની મુખશ્રીમાં અનેકગુણો વધારો કરતો,
છતાંય એ ચાંડાલ કુળની હતી; જે કુળને બ્રહ્માજીએ પોતાના પગ દ્વારા સરક્યું, અને જેમના અનુયાયીઓએ પોતાને પગ તળે કચર્યું, એ હીણા શૂદ્ર કુળનું સંતાન હતી. શાસ્ત્રજ્ઞાન એમના માટે શિરચ્છેદ સમાન હતું ને હીનતા એ એમનો જન્મસંસ્કાર હતો. એવા કુળની આ સ્ત્રી હતી. વિરૂપાનો પતિ માતંગ રાજગૃહીના રાજ-ઉદ્યાનનો રખેવાળ હતો. ને વિરૂપા પોતે રાજગૃહીની શેરીઓ વાળતી. સ્વમાન ને માનવહક જેવા કોઈયે સિદ્ધાંત આ દેપતીએ જાણ્યા નહોતા, છતાં એમનું જીવન એ સિદ્ધાંતો પર જ રચાયેલું હતું.
વિરૂપા ?” ઊંચેથી અવાજ આવ્યો.
“કોણ બા ?” શેરીઓ વાળતી વાળતી વિરૂપા શેરીને એક છેડે આવેલી હવેલી નીચે આવી પહોંચી હતી. ઊંચી ઊંચી હવેલીના સુંદર નકશીદાર ગવાયમાં
પૂર્વ અને પશ્ચિમ 3
2 D સંસારસેતુ
Page #11
--------------------------------------------------------------------------
________________
એક સુંદર સ્ત્રી ઊભી હતી. વયમાં તો વિરૂપાથી મોટી હશે, પણ લાવણ્ય હજી ઊભરાઈ રહ્યું હતું. વિરૂપા કંઈક ગવાક્ષ નીચે ઊભી રહીને પોતે સાવરણાથી રાજમાર્ગ પર પાડેલી ભાત તરફ જોતાં બોલી : - “ બા, ઊગતે પહોર અશુભ દર્શન કાં ?'
“અશુભ દર્શન ?” એમ બોલતી ગવાક્ષમાં ઊભેલી સુંદરી એકદમ નીચે ઊતરી આવી. નિસરણી ઊતરતાં નૂપુરોએ જાણે એક નવો રમઝમાટ જ ખડો કરી દીધો. હવેલીના બગીચાની દીવાલે આવીને આ સુંદરી ઊભી રહી ગઈ.
રાત્રિ અને દિવસ ! પૂર્વ અને પશ્ચિમ ! શશી અને સૂર્ય ! બધાને પોતપોતાનું અનોખું રૂપ છે, અને એકબીજાની મૌલિક ભિન્નતાને લીધે એકથી બીજું ભિન્ન રૂપ અરૂપ નથી કરતું ! બરાબર આ બે સુંદરીઓ માટે તેમજ કહી શકાય. એકના રૂપમાં પૂર્વ દિશાની મીઠાશ હતી; બીજીમાં પશ્ચિમની મધુરપ હતી, એકના રૂપમાં રાત્રિની ભવ્યતા હતી. બીજીના રૂપમાં દિવસનો ઝગમગાટ હતો.
ગવાક્ષથી ઊતરી આવનાર સુંદરીએ તાજું સ્નાન કર્યું હતું. કદલીદલ જેવા કોમળ અવયવો પર એની સ્નિગ્ધતા ચમકતી હતી, એણે એક બહુમૂલ્ય પટકૂળ પહેર્યું હતું ને આછું. ઓસમાની ઉત્તરીય ઓઢચું હતું. કેડે મોટી રત્નજડિત મેખલા ઝૂલતી હતી. કંઠમાં અનેક જાતની રત્નાવલિઓ પુષ્ટ થયેલા વક્ષસ્થળ ઉપર હિલોળા ખાતી હતી. હાથ અને પગે શણગારનો કોઈ અન્ન નહોતો. તાજી ગૂંથેલી વેણીમાં ચંપાનાં ફૂલ ગૂંચ્યાં હતાં, ને સેંથો સિંદૂરથી ભરેલો અને હીરાજડિત દામણીથી સુશોભિત હતો.
આટઆટલાં રૂપ અને સુશ્રી સામે ઊભેલી અલંકારહીના, અજ્ઞાતા વિરૂપા પણ કોઈ રીતે હીણી નહોતી લાગતી. બંને પોતાના સ્વતંત્ર રૂપલાવણ્યથી અનોખી રીતે શોભતાં હતાં.
“સખી સુરૂપા !” હર્યવાસિનીની સુંદરી બોલી. નહીં, નહીં, બા ! હું તો ચાંડાલણી વિરૂપા !'”
અલ્યાં, તમે તો ઘેલાં લાગો છો ! રોજ શ્રમણ ભગવાનના ઉપદેશની વાતો કરો છો, અને હજી ચાંડાલ ફૂટ્યા કરો છો ! તમારાં લોકોનાં દર્શન અશુભ : તમે લોકો અપશુકનિયાળ : આવી આવી ભાવનાઓ તમારા મનમાંથી ક્યારે દૂર કરશો ?” ગવાયથી ઊતરી આવેલી સ્ત્રીએ નિરાશામાં હાથ પછાડવા. એ હાથનાં કંકણ પણ એક નવું કાવ્ય સરજી બેઠાં.
શેઠાણી બા, ડાહ્યાં થઈને કેમ ભૂલો છો ? શ્રમણ ભગવાનનો ઉપદેશ એ નથી કે અમે અમારી જાતને ચાંડાલ ન કહીએ અને બ્રાહ્મણ કહીએ. એમનું તો કહેવું
છે કે ચાંડાલ કુળની હીનતા ભૂલી જાઓ ! હીનતા ગઈ એટલે ન કોઈ ઊંચું કે નીચું ! સહુ સરખાં !” વિરૂપાએ ગંભીર રીતે જવાબ આપ્યો.
સવાલાખની વાત છે તારી સરૂપા ! હું તો તને જોઉં છું ને કર્મની ગતિને યાદ કરું છું. અલી સખી.”
“જુઓ, પાછાં સખી અને સુરૂ પા કહેવા માંડ્યાં ?" વિરૂપાએ લાડમાં ટોળ કરતાં કહ્યું.
હું તો એ જ કહેવાની ! તારા દેદાર સામું તો જો ! અલી, હવે તો તું મોગરાની વેલની જેમ ફૂલીફાલી રહી છે.” શેઠાણીએ વિરૂપાના પુષ્ટ થયેલા અવયવો ઉપર એક ઊડતી નજર નાખતાં કહ્યું.
બા, ગરીબની મશ્કરી કરશો મા ! મને તો સાત પૂરા થયા. તમને ?”
એ જ, આઠમો અધવાર્યો. પણ મારું તો શું...” શેઠાણી બોલતાં બોલતાં થંભી ગયાં. લજામણીના છોડને સ્પર્શ થતાં જેમ પાંખડીઓ સંકોચાઈ જાય, એમ એમનું મુખ લેવાઈ ગયું. સ્વર કંઈક ભારે થઈ ગયો. વેદનાભર્યા અવાજે આગળ ચલાવ્યું : “સુરૂ પા, ભયંકર લાવારસ જેવી ગરમી મારા કોઠામાં સડસડે છે. એ ગરમી બાળકનાં હાડચામને ચૂસી લે છે, ને જન્મતાંની સાથે બાળકના પ્રાણ હરી લે છે. પાંચ પાંચ વાર પ્રસૂતિની પીડા ભોગવી, પણ મુજ અભાગણીને એકે જર્યું ન જીવ્યું...” શેઠાણીના ગળામાં ડૂમો ભરાયો.
વિરૂપાની લીંબુની ફાડ જેવી આંખોમાં આંસુ હતાં.
શેઠાણીએ જીવ જરા શાન્ત થતાં કહ્યું : “અને સુરૂપા ! આ મારું છેલ્લું ને છઠું સંતાન છે ! છેલ્લું એટલા માટે કે એ જો ન જીવ્યું તો આ અખૂટ ધનદોલતનો વારસદાર તો ખોળવો જોઈશે ને ! અને એ વારસદાર માટે શોક્યનાં પગલાંનો અવાજ આજથી મને સંભળાઈ રહ્યો છે. એણે મારી ઊંઘ હરી લીધી છે, સુધાતૃષા ઓછાં કરી નાખ્યાં છે.” શેઠાણીનાં ફૂસકાંએ બાકીની વાત પૂરી કરી.
સોના-રૂપાના અલંકારો પાછળ, મણિ-મુક્તાથી મઢયા દેહ પાછળ દુભાઈ રહેલા હૃદયનો આર્તનાદ વિરૂપાના દિલને ધ્રુજાવી રહ્યો.
પરિગ્રહની ઇચ્છા, એની અમાપ પ્રાપ્તિ અને એને પોતાની પાછળ પોતાના જ કોઈકને આપી જવાની માયા-મમતા ન જાણે કેટકેટલાનાં જીવનને ધૂળ કરતી હશે ! કેટકેટલા શાપ ને અભિશાપના ઢગ રચતી હશે ! કેટકેટલાં પાખંડનાં પારાયણ ઊભાં કરતી હશે ! એ વાત શેઠાણીના દિલ સિવાય અત્યારે કોઈ વર્ણવી શકે તેમ નહોતું. દર્દીની ગત તો દર્દી જ જાણે !
“બા, જરા બહાર આવશો કે ?”
4 સંસારસેતુ
પૂર્વ અને પશ્ચિમ D 5
Page #12
--------------------------------------------------------------------------
________________
“તું અંદર આવ ને !"
વિરૂપા દરવાજો ઓળંગી અંદર ઉદ્યાનમાં ગઈ. વિરૂપાએ ચારે તરફ એક વાર નજર નાખી લીધી. પછી એ ધીમેથી બોલી :
“બા, તમે અનુભવી છો. કહો જોઉં, મને કેવું સંતાન થશે ? રૂપાળું કે કદરૂપું ?” માતા બનતી નારીના દિલમાં સ્વાભાવિક ઊઠે એવો આ પ્રશ્ન હતો. “રૂપાળું ! સુરૂપા, જોતી નથી કે તારું લાવણ્ય કેવું છે ? તારું સંતાન રૂપસુંદર હશે, સાથે ગુણસુંદર પણ હશે.” શેઠાણી પોતાની સખીના ગર્ભસ્થ સંતાનને આશીર્વાદ દેતી હોય એમ બોલ્યાં.
“બા, કેવું રૂપાળું ? તમારા સંતાન જેવું ?”
“અરે, અમારાં સંતાન કરતાંય સારું સુરૂપા ! અમારા સંતાનનાં રૂપ-ગુણ તો અમારી કામવાસનાઓ ચૂસી લે છે, આ ભોગોપભોગ જ એમનાં દૈવત અર્ધા કરે છે.” શેઠાણીના શબ્દોમાં શ્રીમંત જીવનના એક અજાણ્યા અનિષ્ટ પર ધનુષ્યટંકાર હતો.
“બા, ચિડાશો નહિ. કોઈ ભૂલથી તમારા બાળકને મારી ગોદમાં મૂકી દે, ને મારા બાળકને તમારી ગોદમાં મૂકે, તો મારું સંતાન તમારા સંતાન જેવું લાગે ખરું ?” વિરૂપાની આ ઘેલી ઘેલી વાતનો દોર શેઠાણી ન પકડી શક્યાં.
“અરે, પાગલ થઈ ગઈ લાગે છે ? અત્યારથી સંતાન પાછળ આવી ઘેલી થઈ જઈશ તો પછી તારું શું થશે ?”
“બા, ઘેલી થઈ છું, કહો તો પાગલ થઈ છું. પણ જુઓ એક વાત કહું.” વિરૂપા વધુ નજીક ગઈ, ને ચારે તરફ કોઈ જોતું નથી, એની ખાતરી કરી ધીરેથી બોલી : “બા, તમારું બાળક મારું ને મારું એ તમારું ! જેવું હોય તેવું મોકલી આપજો ! બા, અવિનય લાગે તો માફ કરશો.”
“શું કહે છે વિરૂપા ?” શેઠાણી ક્ષણભર આ શબ્દો સાચા માની શક્યાં નહિ. વર્ષોની અભિલાષાઓ અને દિવસો સુધી હાડ-માંસનો ખોરાક ખવરાવી ગર્ભને ઉછેરનાર કઈ માતા દંપતીજીવનની અમૂલખ દોલત સમા પ્રથમ સંતાનને છોડી શકી છે ! સંતાનને માટે પ્રસૂતિની નરકપીડાને સ્વર્ગનું સુખ માનનારી કઈ માતા આટલી સહેલાઈથી આવો એકતરફી સોદો કરી શકે !
“બા, હું બકતી નથી. તમે મને સખીપદ આપ્યું છે. એ સખીપદ ઊજળું કરી બતાવવાની આ તક છે. જો હું જૂઠું બોલતી હોઉં તો તેત્રીસ કરોડ દેવતાની મને આશ છે !”
“મારો સંસાર ઊજળો કરવા તારા સંસારને શા માટે ખારોપાટ બનાવે છે ?” 6 D સંસારસેતુ
“બીજી વાત હું નથી જાણતી. સખીધર્મ અદા કરવાની અમૂલખ પળ જીવનમાં બીજી વાર નથી આવતી ! માતા થવાની પળ તો ઘણી વાર આવશે. હું ઘરડી નથી થઈ.”
“પણ પેલો માતંગ જાણશે તો તને કાઢી નહીં મુકે ?"
“ભગવાનનું નામ લો, બા ! આપણી વાર્તામાં પુરુષ શું સમજે ? એ વહાણવટું ખેડે કે રાજસેવા કરી જાણે. સંસારના વ્યવહાર તો સદા સ્ત્રીએ શોભાવ્યા છે.” વિરૂપાની જીભ પર ત્યાગની વાણી હતી : “અને બા, માતંગ મને કાઢી મૂકે એ વાત ભૂલેચૂકે માનશો મા ! કોઈ બીજી આવે તો ખરી ! તમારી માફક રોઈને રાતો કાઢનારી હું નહીં ! આવનારીના માથે છાણાં થાપું છાણાં !”
“ના, ના, વિરૂપા ! એ મારાથી નહીં બને !”
“ના કે હા. શેઠાણી બા, કશુંય બોલવાનું નથી. હા, એટલું કહું છું કે એને ખૂબ ભણાવજો, ગણાવજો ને બહાદુર બનાવજો ! મારે ત્યાં બિચારો ક્યાં તમારાં જેવાં લાડપાન પામવાનો છે ?"
અને આ પછી બન્ને સુંદરીઓ કેટલીએક વાર સુધી તારામૈત્રક રચીને ઊભી રહી. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં તારામૈત્રક સંસારે જાણ્યાં છે; પણ સ્ત્રી-સ્ત્રી વચ્ચેનાં તારામૈત્રકની મીઠાશ હજી કુશળ કવિજનથી પણ અવર્ણવી છે. દિલનું ઔદાર્ય, હૈયાનું અમી, મનની મીઠાશ : આ બધાંનું એમાં ઘમ્મરવલોણું હતું. સાગરોના સાગરનું એમાં મંથન હતું.
સૂર્યદેવતા પૃથ્વીના પાટલે પધારી ચૂક્યા હતા, બગીચામાં ફૂલ ખીલી ઊઠ્યાં હતાં, ને ભ્રમરવૃંદ પણ ગુંજારવ કરવા આવી પહોંચ્યું હતું. રાજગૃહીના ઊંચા કોટકાંગરા પણ સોનેથી રચાઈ રહ્યા હતા.
રાજમાર્ગ પર કોલાહલ સંભળાયો. થોડી વારમાં રાજસેવકો જોરથી છડી પોકારતા સંભળાયા. રાજહાથી ઉપર મણિમુક્તા-જડેલી અંબાડીમાં બેસીને મહારાજા બિંબિસાર ભગવાન બુદ્ધદેવનાં દર્શને જતા હતા. હાથીઓના ઘંટારવ અને ઘોડાઓના દાબલાએ આ બંને સખીઓને જાગ્રત કરી.
વિરૂપા શેઠાણીની રજા લઈ ઉતાવળે પગલે પડખેની ગલીકૂંચીઓમાં અદૃશ્ય થઈ ગઈ.
પૂર્વ અને પશ્ચિમ D 7
Page #13
--------------------------------------------------------------------------
________________
ભવનાં દુ:ખિયારાં
ગગા અને સોન નદીનાં નીર જ્યાંથી વળાંક લેતાં હતાં, એ નગરને એક નિર્જન છેડે, તીર પરના આંબાવાડિયા પાસે, રાજ ગૃહીના ગગનચુંબી કોટની મર્યાદા જ્યાં પૂરી થતી હતી ત્યાં બસોએક કૂબાની વસતી આવેલી હતી.
આ કૂબાઓમાં રાજગૃહી ચાંડાલો વસતા હતા.
આ ચાંડાલોનો ઇતિહાસ આર્યાવર્તથીય જૂનો હતો. જે વેળા સંસ્કૃતિ અને સામ્રાજ્ય સ્થાપવા માટે આર્યોનાં ટોળાં હિમાચલ ઓળંગી આ તરફ આવ્યાં ત્યારે દસ્યઓનાં રાજ હતાં. આ દસ્યુઓને આર્યોએ અનાર્ય કહ્યા અને એમને પરાજિત કરી આર્ય સામ્રાજ્ય જમાવ્યું.
આ મહામના આર્ય સામ્રાજ્ય ઘણા વિક્રમો સર્યા. ઘણાને પોતાની ગોદમાં સમાવ્યા. કેટલાયને પોતાના કુળમાં મેળવ્યા. પણ વિજયીનો ગર્વ ભંડો છે. કાળક્રમે મોટું મન નાનું થયું. એ નાના થયેલા મને ઊંચનીચની પછી પોતાને મનગમતી રચના કરી. એકનો સ્થાપિત હક્ક બીજા છીનવી ન શકે, એ કની જન્મજાત મોટાઈ બીજો હણી ન શકે એ માટે પ્રજાના ભાગ પાડ્યા. આ ભાગલામાં બળિયા બે ભાગ પડાવી ગયા, અને સારાંશે જેના ભાગ્યમાં મોટું મીંડું આવ્યું અથવા જેઓને ભાગ અસ્પૃશ્યતા, હીનતા આવી તે શુદ્ર કહેવાયા !
ચાંડાલ એ શૂદ્રની એક જાત, આ જાત માથે ગામનગરની ગંદકી દૂર કરવાની ફરજ અને એ ગંદકી ગામમાં પાછી ન આવે એ માટે એની પાસે જ પડયા રહીને ગંદકીની ચોકી કરવાની ફરજ ! રાજમાર્ગ પર જ્યાં બીજા ઉચ્ચ વર્ગના લોકો ચાલતા હોય, ત્યાં આ લોકોને ચાલવાની તો શું, ખોંખારો કરવાની કે ઘૂંકવાની પણ મનાઈ ! ભલા ! સૂરજ પાસે અંધકારનું શું કામ ? ગામમાં મહામારી, મરકી ને બીજા રોગો
ફાટી નીકળે, તો તો આ લોકોનું આવી બને ! એક તો એમની આસપાસ થરા જમાવીને પડેલી ગંદકી એમનું સત્યાનાશ વાળતી; જ્યારે બીજી તરફ ઉચ્ચ-વર્ણોની જોહુકમી સર્વનાશનું બાકીનું કામ પૂરું કરતી.
છતાંય કુદરતની કોઈ પ્રેરણા હશે કે આ વસ્તી ઉજજડ ન બનતી. એમને ત્યાં વારસદારની તાણ ન પડતી. જે બાળકો માટે દુનિયા તલસતી, તે બાળકો એમને ત્યાં અભરે ભર્યા હતાં, જાણે દુનિયાના જીવો આ ભાગમાં જ જન્મવાનું વિશેષ પસંદ કરતા હતા. પણ અહીં જન્મનારના ભાગ્યમાં જન્મતાંની સાથે અંધારામાં ઘોર પડે વીંટળાઈ વળતાં. અહીંના બાળકની તાકાત, તમન્ના ને તેજ આ ગંદકીમાં ગારદ થતાં અને જે ગારદ થવા ન ઇચ્છતા તેઓ ઊજળી જાતિઓ સામે વેરે ચડતા.
આ જ કુબાઓનો જૂનો ને જાણીતો વાસી રોહિણીઓનો દાદો ! પૂરો પડછંદ ને જબરો પરાક્રમી નર ! ગંગાનાં કોતરો તો એને મન રમવાનાં ઘર ને ઘોડાપૂર પાણી તરવાં તો એને મન બાળકની રમત ! એની મૂછોના વળાંક ને આંખોની લાલાશ પાસે ભલભલા યોદ્ધાઓ ઝાંખા પડે. આ બળિયાને એક દહાડો પોતાનું કુલ કર્મ આ કરું, લાગ્યું ને એણે યોદ્ધાનું જીવન જીવવું પસંદ કર્યું.
યોદ્ધા તરીકેની એકેએક લાયકાત એનામાં હતી. ઘોડેસવારી, તીરંદાજી, પટાબાજી - કોઈ વાતે ખામી નહોતી, પણ એનું કુળ એની આકાંક્ષાઓની આડે આવ્યું. ઘોડેસવારીને બદલે ઘોડાસરની રખવાળી ને છાણ-વાસીદાનું કામ એને મળ્યું.
વનના વાઘની સામે ઘુઘવાટા લેનારને આ હીણું કામ ગમે ? એણે નગરયોદ્ધા ન બનાય તો વનયોદ્ધા બનવાનું પસંદ કર્યું. સરખેસરખા જુવાનિયાઓને લઈને એણે ગંગાને પેલે તીર પોતાની પલ્લી બાંધી. ચોરી ને લૂંટફાટ કરી એણે પોતાનું નાનું શું રાજ્ય જમાવ્યું. એ એનો રાજા બન્યો. ભલભલાના નાકમાં રોહિણીઓના દાદાએ દમ લાવી દીધો. મોટા રાજ્યો એનાથી ધ્રુજવા લાગ્યાં.
આ પછી એક દહાડો અચાનક શુદ્રોમાં નવો પ્રકાશ આવ્યો. શૂદ્ર એ પણ માનવ ! માનવતાનો એ પૂરો અધિકારી ! શાસ્ત્ર એ ભણી શકે ! પવિત્ર એ થઈ શકે ! ક્રિયાકાંડ એ કરી શકે ! મોક્ષમાર્ગ એ મેળવી શકે ! ઊંચનીચની નવી વ્યાખ્યા આવી. ઊંચાં કૃત્ય કરે તે ઉચ્ચ ! નીચ કૃત્ય કરે તે નીચ !
ઓહ ! કેવો પ્રકાશ ! કેવી મોટી વાતો ! રંકના પાત્રમાં ખીર પડે ને રે કે એને છાશ માનીને ચાલે એમ બન્યું. વર્ષોથી અંધકારમાં રહેલ શૂદ્રો સર્વ પ્રથમ આ પ્રકાશ ન ઝીલી શક્યા. એમણે પોતે જ પ્રકાશને આવતો ખાળવા પોતાનાં કમાડ ભીડ્યાં.
એ કમાડ ભીડનારાઓમાં મુખ્ય આગેવાન આ રોહિણીઓનો દાદો હતો ! એણે છડેચોક કહ્યું કે, શૂદ્રોનો સમૂલ નાશ કરવા આ કાવતરું યોજાયું છે. મેં ધર્માચાર્ય ને ધર્મગુરુઓને ત્યાં જઈને, કેટલેય દૂર રહીને, એમની લાંબી દાઢીઓને સાષ્ટાંગ
ભવનાં દુઃખિયારાં E 9
Page #14
--------------------------------------------------------------------------
________________
દંડવત્ પ્રણામ કરીને પૂછવું છે કે ‘બાપજી, કયા ભવના પાપે અમે અસ્પૃશ્ય ! કયા ઘોર કૃત્યના કારણે અમે કર્મધર્મના અનધિકારી !' અને તેઓએ પોતાની રૂપેરી દાઢી પંપાળતાં પંપાળતાં નિરાંતવે મને કહ્યું છે કે, ‘શૂદ્રકુલમાં જન્મ એ જ તમારું પાપ !” મેં પૂછયું : “એ પાપ ધોવાનો કોઈ માર્ગે ?' તેમણે કહ્યું : “ કોઈ માર્ગ નથી ! ઊંચવર્ણની સેવા કરતાં આ ભવ પૂરો કરો ! આવતો ભવ સારો આવે એની વાંછના કરો !” “એટલે હવે તમે કોઈ રખે આ વાતમાં ફસાતા, એમની મહેરબાની ખોટી. આપણે અને એ જુદા ! બે વચ્ચે જન્મનાં વેર ! એ ભેદને, એ કોમને જમીનદોસ્ત કરવા એમને લૂંટો, મારો ! એક દહાડો આપણે આપણું રાજ્ય જમાવી, કોટકાંગરા ખડા કરી આવું જ કરી બતાવીશું.'
રોહિણીઓના દાદાની આ વાત કેટલાકને વધુ પડતી લાગતી, નાને મોંએ મોટી વાત જેવી ભાસતી; છતાં એનું બાહુબળ, એની પટાબાજીથી જે પરિચિત હતા, તેઓ જાણતા હતા ને વિશ્વાસ રાખતા હતા કે જો સહુ કોઈ એને પ્રેમથી ને વફાદારીથી સાથ આપે તો કોઈ ગામનો રાજા સહેલાઈથી બની શકે તેમ હતો. અને પછી તો ‘સમરથ કો નહીં દોષ ગુંસાઈ !' એની જ મહત્તાનાં કાવ્ય, સાહિત્ય ને શાસ્ત્ર રચી શકાય, બળિયો બે ભાગ ઉપાડી લે !
પણ રોહિણીઓના દાદાની આ વાતથી વિરૂપાનો પતિ માતંગને તેના પાડોશી થોડા કૂબાઓ જુદા પડતા. માતંગના કુળમાં બાપદાદાના વખતથી અમુક બાપદાદા ઉચ્ચ વર્ણનો વેશ સજી હિમાલયના કોઈ પારંગત પાસે શાસ્ત્ર ભણી આવેલા : અને એમણે પોતાના કુળમાં એ શસ્ત્ર ઉતારેલું.
આ શાસ્ત્રનાં સૂક્તોથી એ રોતાં પીડાતાં બાળકોને સાજો કરી શકતાં, પ્રસૂતિની ભયંકર પીડામાં પડેલી સ્ત્રીનું આડું છોડાવતા, કોઈને લાગેલી નજર, કોઈને કરડેલો સાપ કે કોઈને વળગેલાં પ્રેત-પિશાચ પણ એ કંઈક બોલીને, કંઈક પાણી કે વનસ્પતિ પાઈને દૂર કરી શકતા.
માતંગ એની આ લાયકાતના બળે રાજ બગીચાનો રખેવાળ બન્યો. ભાગ્યયોગે માતંગ વિરૂપા જેવી શીલવતી ને ગુણવતી સ્ત્રીને પરણી લાવ્યો. વિરૂપા અને માતંગનાં દ્વાર પર સર્વપ્રથમ નવો પ્રકાશ ઝિલાયો. વનવગડાનાં વાસીઓ વચ્ચે રહીને દાદો જ્યારે વાઘ જેવો ક્રૂર બનતો ગયો, ત્યારે વિરૂપા ને માતંગ રાજગૃહીની વસતિ વચ્ચે આઠે પહોર વસીને સેવાની ફૂલછાબ ધરીને નમ્ર ને ઉદાર બન્યાં. ઠોકરાયેલું એમનું શુદ્ધત્વ વધુ ને વધુ ઘસાતા ચંદનની જેમ અનેરી સુવાસ પ્રસારતું ગયું.
આ નવા પ્રકાશના આદિસર્જકને તો કોઈએ જોયા નહોતા, પણ એમના અનુયાયીઓ રાજગૃહીમાં આવતા, ત્યારે વહેલો-મોડો પણ આ લોકને લાભ મળતો. એમાં સહુથી વિશેષ લાભ વિરૂપાને સાંપડ્યો હતો. એના ચિતનશીલ સ્વભાવને
10 B સંસારસેતુ
લીધે એ તત્ત્વ જલદી ગ્રહણ કરી શકતી તે વારે ઘડીએ કહેતી :
સાચા પ્રેમ માટે સાચી દયા જોઈએ. સાચી દયા માટે સાચો ત્યાગ જોઈએ. વનનો વાઘ ને રાફડાનો ભોરિંગ પણ એ રીતે વશ કરી શકાય."
અને એનો પ્રત્યક્ષ પ્રયોગ એણે માતંગ પર અજમાવ્યો હતો. મંત્રવેત્તા માતંગને પોતાનો વારસો કોઈ ઉત્તરાધિકારીને આપી જવાની ખૂબ ચિંતા રહેતી. વારસ ન હોય તો વિદ્યા નષ્ટ પામે.
વિરૂપા સાથે સંસાર માંડ્યાને વર્ષો વીત્યાં, પણ સંતાનપ્રાપ્તિ થઈ નહોતી. અને વળી માતંગનું ઘર કંઈ દરિદ્રીનું ઘર નહોતું. મહારાજા બિમ્બ્રિસાર અને રાજ કુટુંબના એના પર ચાર હાથ હતા. દ્રવ્ય તો મોં-માંગ્યું મળતું. માતંગ કલાવંત મયૂર હતો. એને એકલાને જોઈને જ ઊંચ-નીચની કલ્પનાઓ મનમાંથી સરી જતી. આવો માતંગ પણ વિરૂપાને વશવર્તી હતો. એણે કદી નિઃસંતાન વિરૂપાને પોતાના મનની ઇચ્છા જાહેર કરી દૂભવી નહોતી; પણ ત્યાં તો એ ઇચ્છા કુદરતે પાર પાડી.
માતંગ હમણાં ખૂબ રાજી રહેતો. આજે પણ રાજ બાગમાંથી ઊતરેલાં અનેક ફળફૂલ લઈને એ વહેલો વહેલો ઘેર આવ્યો હતો. વિરૂપાને ઘરમાં ન જોઈ ઓશરીમાં જ બેઠો બેઠો એ ફૂલ ગૂંથવા લાગ્યો.
રાજ ગૃહીની ટૂંકી ટૂંકી શેરીઓ વટાવતી વિરૂપા જરા મોડી ઘેર પહોંચી ને બહાર ઓશરીમાં જ સુંડલો-સાવરણો મૂકી સીધી ઘરમાં ચાલી ગઈ. થોડીવારે ઘરમાંથી ધુમાડો આવવા લાગ્યો. વિરૂપા ચૂલામાં ઈંધણ નાખતી હતી.
હાશ, હવે તો રાહ જોઈને થાક્યો ! મારા આંબે રૂપાળી પીળી ધમરખ જેવી કેરીઓ લટકી રહી છે ને આ જો તો ખરી ! લીંબડી પર મારી વાલી કેવી પાકી ગલ જેવી લીંબોળીઓ ઝમી રહી છે ! પેલી ફૂલવેલ તો જો ! એની બહાર તો નીરખે !” ઓશરીમાં બેઠો બેઠો ફૂલમાળા ગૂંથતો માતંગ કટાક્ષમાં બોલ્યો.
વિરૂપા કામ કરવાના બહાને આડું મોં રાખી બધું સાંભળી રહી હતી. એ ધીરેથી બોલી :
અલ્યા, ગાંડો ન થઈ જતો.”
વિરુડી ! ખરેખર, હવે તો વાર લાગશે તો ગાંડો જ થઈ જઈશ અને વળી આજે એક વાત સાંભળી એથી તો મન ઘણું ઊંચું થઈ ગયું.” માતંગે અડધી ગૂંથેલી ફૂલમાળા નીચે મૂકતાં લાંબો નિઃશ્વાસ નાખ્યો. પતિને ઉદાસ જોઈ વિરૂપા એકદમ દોડી આવી ને પૂછવા લાગી :
શાથી મન ઊંચું થયું છે ?" માએ દીકરાને વેચ્યો.*
ભવનાં દુઃખિયારાં li
Page #15
--------------------------------------------------------------------------
________________
તલમાં - હત્યામાં તો ધરમ ક્યાં ભાળ્યો ?”
બેસ, બેસ, ડાહ્યા ! વળી બે વર્ષ પહેલાં તું જ વાત નહોતો લાવ્યો કે મા - - શક્તિને સાત છગાલ ચઢાવીએ તો સાત દીકરા થાય ? અને મેં જ તને ઊધડો નહોતો લીધો ! અલ્યા, બધી સ્ત્રીઓને તમે સરખી શી રીતે માની લીધી ? પાંચે આંગળીઓ સરખી હોય ખરી ?”
સરખી નહિ તો બીજું શું ? કાગડા જ્યાં જુઓ ત્યાં કાળા ને કાળા. જેવી એ તેવી તું ! જેવી તું તેવી તારી મા !'' માતંગ વિરૂપાને લક્ષ કરી પેલા બાળકની માતા પર ઊપજેલો ગુસ્સો ઠાલવતો હતો.
જોજે અલ્યા, મારી માનું નામ લીધું છે તો સળગતું છાણું જ મારીશ.”
બે ઘડી પહેલાં પ્રેમથી વાતો કરતાં ધણીધણિયાણી લડી પડ્યાં. બન્નેએ એકબીજાની સાતસાત પેઢીઓ યાદ કરી એમને કંઈ કંઈ ભલીબૂરી સંભળાવી દીધી. આ વાતનો અંત ક્યારે આવત એની કોઈ સીમા દેખાતી નહોતી.
આખરે વિરૂપા રડી પડી અને વિરૂપાના સુંદર કપોલ પ્રદેશ પરથી સરતાં આંસુઓએ આ કલહને ઠારી દીધો.
હૈં, આ તું શું કહે છે ?” વિરૂપાના દિલમાં ફાળ પડી. એને લાગ્યું કે સવારમાં ધનદત્ત શેઠનાં પત્ની સાથે થયેલી વાતચીત માતંગ જાણી ગયો લાગે છે. એના મોં પર રતાશ તરી આવી, એનું પારેવા જેવું ભોળું દિલ ઉતાવળે ધડકવા લાગ્યું. પણ એક ક્ષણમાં એ સાવધ થઈ ગઈ. માતંગ નવી ખબર આપવાના હર્ષાવેશમાં આગળ બોલતો હતો.
વીરુ, તને જાણીને આશ્ચર્ય થશે કે એક માતાએ પોતાના પુત્રને બલિ આપવા વેચ્યો, અને તે પણ થોડીઘણી સોનામહોરો માટે !”
“સોનામહોરો લીધી ?” વિરૂપાને ખાતરી થઈ ગઈ કે વાતનું લક્ષ બીજું જ હતું.
હા હા, સોનામહોરો લીધી !" પછી શું થયું ?”
“શું થાય ? એનો ભોગ દેવાવાનો હતો. હતો તો બ્રાહ્મણનો દીકરો, નામ અમર, પણ ભલા બાળકને કોઈએ નવકારમંત્ર શીખવેલો.”
નવકારમંત્ર કે ? અલ્યા, એની પાસે તો બીજા બધા મંત્ર પાણી ભરે, હોં કે !”
બહુ પંડિતા ખરી ને, એટલે તું બધું જાણે ! એ બધીય આપણી તો રિદ્ધિ ! એમ કુડું ન બોલીએ, એના ભલા પ્રતાપ કે પાંચ જણ આપણું ઘર પૂછતા આવે.”
હાં હાં, અલ્યા પછી થયું શું ?” વિરૂપા માતંગના ડોલતી શ્રદ્ધાવાળા દિલને પિછાનતી હતી. એણે વાત બદલી નાખી.
થાય શું ? રાજાજી ચિત્રશાળા ચણાવતા હતા. દરવાજો કોઈ રીતે ઊભો ન થાય, વારે વારે ઊભો કરે અને વારે વારે પડી જાય. બધા મૂંઝવણમાં પડી ગયો. આખરે કોઈએ કહ્યું કે એમાં બત્રીસલક્ષણો બાળ હોમો ! રાજાના સેવકોએ તો ઢંઢેરો પિટાવ્યો, અને મોં માગી સોનામહોરો આપી છોકરાને શોધી લાવ્યા. શું છોકરાનું રૂપ ! શી એની કાન્તિ ! પહેલાં તો એણે છૂટવા ઘણાં ફાંફાં માર્યો, પણ જમદૂતના હાથમાંથી છુટાય તો એ લોકોના હાથમાંથી છુટાય ! બાળકને કોઈએ નવકારમંત્ર શીખવેલો. આખરે એ મંત્રનો એણે જાપ કર્યો. એ જાપથી એક ચમત્કાર થયો. બધા થંભી ગયા. છેવટે બાળકને મુક્ત કર્યો, ત્યારે જ બીજાનો છૂટકો થયો. બાળક તો સંસારની વિચિત્રતા અને સ્વાર્થપરાયણતા વિચારી મુનિવેશ ગ્રહી ચાલી નીકળ્યો.”
“ધન્ય, ધન્ય ! અનેક નમસ્કાર હજો એ મંત્રને !”
“અને અનેક વાર નમસ્કાર હજો આ બૈરીઓની જાતને, જેને પેટની ઓલાદ કતલ કરવા આપતાં જરાય દયા કે શરમ ન આવી ! અને વળી એ તો કહેતી હતી કે આમાં તો ધરમ સમાયો છે : યજ્ઞમાં હોમાવાથી બાળકને સ્વર્ગ મળશે ? અરે,
12 D સંસારસેતુ
ભવનાં દુઃખિયારાં 13
Page #16
--------------------------------------------------------------------------
________________
કર્મની ગત
ગ્રીષ્મ ઋતુની એક સાંજ પડતી હતી. આખા દિવસનો ઊનો વાયુ અત્યારે કંઈક ઠંડો પડ્યો હતો. દિવસભર તપેલાં પુષ્પો હવે ધીરે ધીરે સુગંધ પ્રસારવા માંડ્યાં હતાં. શેકી નાખે એવા તાપથી બચવા માળામાં લપાઈ ગયેલાં પંખીઓ સંધ્યાગાન ગાતાં આકાશમાં આમતેમ ઊડી રહ્યાં હતાં. અંતઃપુરના ઊંડા આવાસોમાં આખો મધ્યાહ્ન પુરાઈ રહેલી રાજ રમણીઓ આસાયેશ લેવા રાજપ્રાસાદોના ઝરૂખામાં આવી હતી, ને પાળેલાં પંખી પણ આંગણામાં લટાર મારી રહ્યાં હતાં.
રાજરમણીઓ નાહવા ને જલક્રીડા કરવા રાજ ઉધાનના હોજમાં ઊતરી પડી હતી. નિર્ભય એકાન્ત, ઠંડું હિમ જેવું પાણી ને સંધ્યાનો મનોરમ સમય ! રમણીર્વાદ લાજ-શરમ છોડીને જળક્રીડા કરવા લાગ્યું. સ્ફટિકશા જળમાં છબછબિયાં કરતાં એમના રૂપભર્યા અંગપ્રત્યંગ, વારે વારે રણઝણાટ મચાવતાં હાથનાં કંકણો અને પાણીના પટ પર બિછાઈ ગયેલા એમના લાંબા કેશકલાપ, અદ્ભુત ચિતારાની કલ્પનાને પણ નિસ્તેજ બનાવી નાખે તેવું રમણીય દશ્ય ખડું કરતાં હતાં.
રાજભોજન માટે ફળફૂલ વીણવા આવેલો માતંગ આજે અહીં કેદી બન્યો હતો : આ રાજરમણીઓ સ્નાન કરી પાછી ન ફરે ત્યાં સુધી રાજ ઉધાનના મુખ્ય દ્વાર પર એને ચોકી કરવાની હતી. ગ્રીષ્મની સંધ્યા ખીલી ને કરમાઈ, રાજગૃહીનાં દેવમંદિરોમાં આરતી ઉતારવાની તૈયારીઓ થઈ; તોય રમણીઓની જલક્રીડાનો અંત ન આવ્યો, એ તો હજીય એમાં જ મશગૂલ હતી.
આખરે રાજમહેલની નોબતો ગગડી. નગારે ઘાવ પડ્યો ને રાજરમણી-ઓને ભાન આવ્યું કે અરે, રાજાજીને પધારવાનો વખત થયો. વેળા વીતી ગઈ. ઉતાવળે ઉતાવળે જેમ આવ્યાં તેમ પટકુળ વીંટીને તે વિદાય થઈ. દેવોને પણ એક નજર નાખી લેવા દિલ થાય એવા ઊછળતા યૌવનના આ રૂપરાશિને જતો નિહાળવા
દરવાજે ચોકી પર ઊભેલો માતંગ જરાય ન લોભાયો. એ કોઈ જોગીજતિની બેપરવાઈથી જ ત્યાં ખડો હતો.
- રમણીવૃંદ અદૃશ્ય થયું કે માતંગ ઘરભણી વળી નીકળ્યો. આજ રાતે એને, અગત્યના કામે, ગંગાને પેલે પાર, રોહિણીઓના દાદાને મળવા જવાનું નિમંત્રણ હતું. ભલા, એ ગામ-દાદાના નિમંત્રણને કોણ ઠેલી શકે ? તેમાંય જ્યારે શૂદ્રકુળોની ભિન્ન ભિન્ન નાતોના આગેવાનોને તેડ્યા હોય, ત્યારે તો ગયા વગર ચાલે જ કેમ ?
વિરૂપાએ ભોજન તૈયાર રાખ્યું હતું, પણ આજ માતંગને એ કલા જમવા બેસવાનું હતું. એક તો ગ્રીમનો દિવસ અને એમાં એ ગર્ભવતી; એટલે આજ હંમેશ કરતાં એ વિશેષ બેચેન હતી; છતાં બેચેની બતાવી માતંગને જતો રોકવાની તેની ઇચ્છા નહોતી.
મીઠી મશ્કરી કરતાં કરતાં માતંગે જમી લીધું, અને ઝટ લાઠી ખભે મૂકી : વીરુ, કદાચ રાત્રે આવું પણ ખરો, અને ન પણ આવું, પંચના આગેવાનો મળવાના છે, એટલે રાત નીકળી પણ જાય.'
સારું, વહેલા આવજો !”
માતંગ લોઢાની ઢાળ જડેલા મોટા જોડા પહેરી બહાર નીકળ્યો. થોડે દૂર પહોંચ્યો નહિ હોય, ને વિરૂપાએ ધીમી બૂમ પાડી એને બોલાવ્યો. માતંગ પાછો ફર્યો. વિરૂપાએ શિખામણ આપતાં કહ્યું :
“રોહિણીઓના દાદા સાથે કંઈ ચડભડ કરીશ મા ! એ ભલે ગમે તે કહે, આપણને રુચે તો માનવું, નહિ તો ચૂપચાપ બેસી રહેવું. એવા સાથે બાકરી બાંધવી સારી નહિ, મને તો લાગે છે કે, એ એમ કહેવાનો હશે કે આ શ્રમણોનો ઉપદેશ કોઈએ સાંભળવો નહિ. એ હમણાં શ્રાવસ્તી અને એ ત૨ફ જઈ આવ્યો છે, ને તારણહાર પ્રભુ જ્ઞાતપુત્રનાં દર્શન કરી આવ્યો છે. એ કહે છે કે, જ્ઞાતપુત્ર મોટા જાદુગર છે : પાસે જતાંની સાથે મોરલીની સામે સર્પ ડોલે તેવી સ્થિતિ થઈ જાય છે.”
એમની અમી વરસાવતી આંખો સાથે આંખ મિલાવી, એમનાં દર્શન કર્યા અને બે વેણ કાને પડ્યા પછી મનમાં ન રહે અભિમાન કે ન રહે કોઈ જાતની બળતરા ! એ તો બિચારો એમને જોઈ છક્ક થઈ ગયો છે. એટલે એ કહે છે કે જો આપણે એ જાદુગરનું કહ્યું સાંભળીએ તો પછી આવાં કર્મ કરવાં ગમે જ નહિ ! અને વળી એ ત્યાંના કેટલાક પંડિતોને પણ મળ્યો. એ બધાએ એને સમજાવ્યું છે કે જો મહાવીર મોટો પતિતોદ્ધારક હોય તો એના પોતાના જ પંથમાંથી છૂટાં પડેલાં પોતાનાં દીકરી-જમાઈને સમજાવે. પોતાના પ્રથમ શિષ્ય ગોશાળાને સમજાવે !”
હવે બસ, લાંબી વાત ટૂંકી કર ને ! એમાં જ્ઞાતપુત્ર શું કરે ? સૂરજ ઊગે ને ચામાચીડિયાં ફફડાટ કરે તેમાં સૂરજનો શો દોષ ? એવી વાતો હવે નહિ ચાલે. હવે
કર્મની ગત 1 15
Page #17
--------------------------------------------------------------------------
________________
તો આપણા જેવા લાખો માનવીઓની આંખો ઊઘડી ગઈ છે; આપણને આપણાપણાનું ભાન જાગી ગયું છે. આપણેય માનવી જેવા માનવી જ છીએ. જો હું તને સાફસાફ કહું છું કે, હું કંઈ રોહિણીઓના દાદાથી ડરતો નથી. મારાં બાવડાંનું બળ તું ક્યાં જાણે ? એકલે હાથે એના જેવા ચારને ઠેકાણે પાડી દઉં !” માતંગના અવાજ માં સ્ત્રીની શિખામણીથી ઘવાયેલા પુરુષત્વનો વિજયટંકાર હતો.
બહુ મોટો લડવૈયો ન જોયો હોય તો !” વિરૂપાએ એક એવી ભાવભેગી કરી કે માતંગ ઠરી ગયો. એ હસીને ચાલી નીકળ્યો. એ વિચારતો હતો કે મારી લાઠીમાં માણસને હરાવવાની વિશેષ શક્તિ હશે, કે વિરૂપાની આંખોમાં ?”
- આંબાવાડિયું વટાવી, ગઢની રાંગે રાંગે થઈ માતંગ નગરના સ્મશાન પાસે આવ્યો ત્યારે રાત્રિ પૂરી જામી ગઈ હતી. ગ્રીષ્મ ઋતુનું સ્વચ્છ આકાશ તારલિયાઓથી દીપી રહ્યું હતું. તમરાંઓનો અવાજ અને શિયાળિયાંની લારી સિવાય બીજો કોઈ અવાજ સંભળાતો નહિ. સ્મશાનમાં તાજી બુઝાયેલી ચિતાઓમાંથી કદી કદી ભડકા નીકળતા હતા.
થોડે દૂર ગંગાનાં નીર ચૂપચાપ વધ્યે જતાં હતાં. આકાશના તારાઓ પોતાનાં નાનાં તેજસ્વી મુખ ગંગાના જળ-અરીસામાં નિહાળી રહ્યા હતા. માતંગ રાજમાર્ગ કાપતો હોય તેટલી નિર્ભયતા ને ચોક્કસાઈપૂર્વક પંથ કાપી રહ્યો હતો. અલબત્ત, એને એ વાતની પૂરી જાણ હતી કે આ પ્રદેશમાં મોટા ફણધર ઉપરાંત વાઘ-વરુ પણ ફરે છે, પણ એને લાઠી ઉપર અને કમર પર રહેલા ઝેર પાયેલા છરા પર પૂરો વિશ્વાસ હતો.
ગંગાને તીરે આવતા માતંગ ક્ષણભર રાત્રિનું ભરપૂર સૌંદર્ય જોવા થંભ્યો. એને હજી થોડું આગળ વધવાનું હતું, કારણ કે પલ્લીમાં પહોંચવા માટેની હોડીઓ થોડે દૂર બાંધેલી હતી. આકાશના તારાઓ બધે ઝાંખો પ્રકાશ વેરી રહ્યા હતા. આ પ્રકાશમાં માતંગની આંખોએ સ્મશાનની થોડે દૂર ઊભેલી એક વ્યક્તિ નીરખી. એ વ્યક્તિ શાન્ત ઊભી હતી. માતંગના મનમાં કંઈ કંઈ કલ્પનાઓ ઊભરાઈ આવી. એણે જોરથી એક ખોંખારો ખાધો, જમીન પર લાઠી ઠોકી, પણ પેલી વ્યક્તિ તો પાષાણની પ્રતિમાની માફક નિસ્તબ્ધ જ ખડી હતી.
પીછો પકડવા પ્રેત-પિશાચ તો આ રૂપ ધરીને નહીં આવ્યું હોય ? માતંગને શંકા ગઈ; હવે એ વાતનો નિર્ણય કર્યા વગર ચેન પડે તેમ નહોતું. એ રસ્તા પરથી જ એને પસાર થવાનું હતું. એણે કમર પરના છરાનો બંધ ઢીલો કર્યો, હાથમાં લાઠી મજબૂત પકડી ને મનમાં મંત્ર જપતો જપતો એ આગળ વધ્યો.
છતાંય પેલી વ્યક્તિ તો પૂતળાની જેમ અડગ જ ખડી હતી : ન હલન કે ચલન ! માતંગ લગભગ નજીક પહોંચી ગયો હતો. ચાલવાની ધીમી ગતિ છોડી હવે
16 [ સંસારસેતુ
એ ઝડપથી એકએક કદમ ઉઠાવીને ચાલતો હતો. પણ આ શું ? પેલી વ્યક્તિ તો હજીય જેવી ને તેવી સ્થિર જ પડી હતી ! નિર્જીવ, નિબંધ, નિચ્ચેતન, સંસારના કોઈ પણ વાતાવરણથી પર !
માતંગ એક હાથે છરા પર ને બીજો હાથ લાઠી પર મક્કમ રાખી આગળ વધ્યો – રખેને નજીક જતાં ઊછળીને એક પ્રેસ કોટે બાઝે ! બે-એક કદમનું છેટું રહ્યું, અને તારાના પ્રકાશમાં જોવા ટેવાયેલી એની આંખોએ તરત નિર્ણય કરી લીધો કે આ વ્યક્તિ કોઈ પ્રેત-પિશાચ નહીં પણ તપસાધના માટે કાયોત્સર્ગમાં ઊભેલા કોઈ મુનિરાજ છે.
વળી, એને શંકા થઈ આવી : ભલા, મુનિરાજને વેશે આ કોઈ ધૂર્ત કાં ન હોય ? પોતાના ભોગની રાહ જોતું કોઈ મેલું તત્ત્વ કેમ ન હોય ? પણ એની શંકા ક્ષણવારમાં દૂર થઈ ગઈ. ચતુર માતંગને પરખી લેતાં વાર ન લાગી કે આ મુનિરાજ તે જ પેલો બાળકુમાર અમર. ચિત્રશાળાના પાયામાં બલિ આવા જેને એની માએ, મુઠ્ઠીભર સોનામહોરો સાટે, વેચેલો તે પોતે જ !
કુમાર, ધન્ય તારા વ્રતને ! ધન્ય તારી અહિંસાને ! માતંગે સાષ્ટાંગ દંડવતું પ્રણામ કર્યા.
રાત વધતી જતી હતી. મધરાતના શીળા વંટોળ હવે ઊઠવા લાગ્યા હતા. આજ તો બધેથી માતંગને મોડું થવાનું લખ્યું હતું. રાજ-ઉદ્યાનમાં સ્નાન કરવા આવનાર રમણીવૃંદે પ્રારંભમાં મોડું કર્યું. ઘેરથી નીકળતાં વળી ડાહ્યલી વિરૂપાએ શિખામણ આપવા રોક્યો ને છેલ્લે છેલ્લે આ બનાવ બન્યો. પણ મોડું થયું તો ભલે થયું, મુનિજનનાં દર્શન તો પામ્યો : આ સંતોષ સાથે માતંગ ઉતાવળે આગળ વધ્યો.
પણ આજની રાત એને માટે જાણે અનેક નવાજૂનીઓ લઈને આવી હતી. એ હજી થોડે દૂર ગયો હશે કે ગંગાના નીરમાં એક નાવડી પૂરઝડપે માર્ગ કાપતી આવતી દેખાઈ. કોઈ પોતાને લેવા તો આવતું નથી, એ જોવા માતંગ થોડી વાર ઊભો રહ્યો.
હોડી ઉતાવળે કાંઠે આવીને લાંગરી. એમાંથી શ્યામ-વસ્ત્રાચ્છાદિત એક વ્યક્તિ ધીરેથી નીચે ઊતરી આવી. માતંગ સાવધ થઈ ગયો. કિનારા પરના વૃક્ષની પાછળ ઝડપથી લપાઈ ગયો. હોડીમાંથી ઊતરેલી વ્યક્તિએ એક વાર ચારેતરફ જોયું. હોડીમાં બેઠેલ માણસ સાથે કંઈ વાત કરી. એ માણસ હોડી પર ઊભો થઈ સ્મશાન તરફ આંગળી ચીંધવા લાગ્યો. મધરાતનો એક મોટો વંટોળ આંબાવાડિયામાંથી આવી ચકરડી-ભરમડી ખાવા લાગ્યો. એ વંટોળે શ્યામ-વસ્ત્રાચ્છાદિત વ્યક્તિના શિરોવેષ્ટનને કાઢી નાખ્યું. માથેથી વસ્ત્ર ખસી જતાં કાળોભમ્મર કેશકલાપ ને રમણીમુખ તારાઓની
કર્મની ગત 1 17
Page #18
--------------------------------------------------------------------------
________________
તેજમાં માતંગે જોઈ લીધાં : આ તો કોઈ સ્ત્રી !
કોઈ અભિસારિકા તો ન હોય ? ભલે વેશ છોડ્યો, પણ વાસના કંઈ છોડાય છે ? માથું મુંડાવાથી કંઈ મન મુંડાય છે ? બહાર અને ભીતર વચ્ચે ભારે ભેદ આ દુનિયામાં ચાલે છે ? બતાવવાના જુદા ને ચાવવાના જુદા જેવો ઘાટ છે. માતંગને પેલા મુનિરાજ કોઈ છદ્મવેશી લાગ્યા. રાત તો આગળ વધતી જતી હતી. વનેચરોય હવે બોર્ડ તરફ પાછાં ફરતાં હતાં. અત્યાર સુધી ત્યાં પલ્લીમાં ન જાણે શું થયું હશે ! છતાં અભુતતા પ્રત્યેની માનવસહજ જિજ્ઞાસા માતંગને પકડી રહી. એણે વૃક્ષની ઓથે લપાઈ બધું નીરખવાનો નિર્ણય કર્યો ને સવારે જ્ઞાતપુત્રના ધર્મ પર કલંક સમાન આ સ્વાર્થસાધુઓને છડેચોક ઉઘાડા પાડવાની ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા કરી.
પેલી સ્ત્રી ધીરે ધીરે આગળ વધતી હતી, પણ મુનિરાજની શાન્તિમાં લેશમાત્ર ખલેલ નહોતી પહોંચી. એ તો હતા તેવા ને તેવા ધ્યાનસ્થ ખડી હતા !
મારા બેટાં ઠગ ! પેલા પુરાણી ખરું કહેતા હતા કે પુરુષનું ભાગ્ય અને સ્ત્રીનું ચરિત્ર દેવો પણ નથી જાણી શક્તા, તો બિચારા માનવીનું શું ગજું "|
આવનાર શ્યામ-વસ્ત્રધારી સ્ત્રી વનપ્રદેશમાં ચાલવાને અજાણી લાગતી હતી. એ વારે વારે ઠોકર ખાતી હતી, છતાં અવાજ ન થઈ જાય તે રીતે સાવધાનીથી આગળ વધતી હતી. થોડીવારમાં એ ઠેઠ મુનિરાજની પાસે પહોંચી ગઈ. ક્ષણવાર એ ધારી ધારીને મુનિરાજને જોઈ રહી. મુનિરાજ તો હજીય પ્રતિમાશા નિષ્કપ ખડા હતા !
“પૂરો પાખંડી !” માતંગ મનમાં બબડ્યો. એના દિલમાં જબરો પુણ્યપ્રકોપ જાગી ઊઠ્યો હતો. પેલી સ્ત્રી વૃક્ષને વેલી વીંટાય, વાંદરીને બચ્ચે વળગી પડે તેમ જોરથી મુનિને વળગી પડી.
પણ આ શું ?
તેનો એક હાથ સાહસા ઊંચો થયો. એ હાથમાં તારાઓના ઝાંખા પ્રકાશમાં પણ તેજ કણ વેરી રહેલી ધારદાર છરી તોળાઈ રહેલી દેખાઈ. એ છરી બે વાર ઊંચી થઈ ને બે વાર નીચી નમી. કોઈ કુમળું વૃક્ષ મૂળથી ઉખડી પડે એમ મુનિરાજ ધરણી પર ઢળી પડ્યા. ઓરત એક હાથમાં છરી પકડી પાછે પગલે નાઠી !
- “ખૂન ! કતલ !” માતંગે અચાનક બૂમ પાડી. આ બૂમ ગંગાના નીરવ જળ પર થઈને સામાં કોતરમાં પડઘા પાડવા લાગી. પોતાના કુકૃત્યને કોઈ અજાણી આંખો નીરખી રહી છે. એનું ભાન આવતાં પેલી સ્ત્રી મૂઠીઓ વાળી હોડી તરફ નાસી.
માતંગ એનો પીછો પકડવા જેવો આગળ ધસ્યો કે ગિરિ કંદરાઓને ધ્રુજાવતો ઘુઘવાટો સંભળાયો. અંધારી રાત નદીકિનારો અને નિર્જન જંગલ ! આખાય પ્રદેશ પર હક જમાવતો એ ઘુઘવાટો જાણે ધરતીના છેડા સુધી સામ્રાજ્ય જમાવી ગયો.
નાટકનો પડદો ખેંચાય ને ભયંકર દૃશ્ય રજૂ થાય એમ એક બનાવ બની ગયો : જોતજોતામાં નાની એવી ટેકરી પરથી મોટી પુંછડી પછાડતો એક વાઘ ઊતરી આવ્યો. વનના આ બેતાજ બાદશાહની હાક પાસે ભલભલા વીરનો મદ ગળી જાય !
માતંગ ભયથી પાછો હટી ગયો.
ભેદી રમણી પણ ડગલુંય આગળ વધી શકી નહીં. પોતાના પાપકર્મનો આખરી ફેંસલો અહીં આવેલો જોઈ, એની સૂધબૂધ ખસી ગઈ.
યમરાજનો અવતાર બનીને આવેલો વનનો રાજા ફરીથી ગર્યો. જેમ માનવી શોકના પ્રસંગે હસે છે, ને મસ્તીના પ્રસંગે કંઈક ધીમો ગુંજારવ કરે છે, એમ પશુઓ પણ જુદા જુદા સૂર કાઢે છે. માતંગ સમજી ગયો કે આ ગર્જના હર્ષની હતી, ક્ષુધાતુર હિંસક પશુને શિકાર હાથવગે થયાની હતી.
વનના રાજાએ એક જ છલાંગ ભરી અને સ્ત્રીના દેહને પંજા વચ્ચે પકડી લીધો, એક જ પંજો, છેલ્લી હૃદયભેદક કરુણ ચીસ અને બધો ખેલ ખતમ ! લોહીના ફુવારાઓ ગંગાના તીરને રંગી રહ્યા. ઓરતના નિર્જીવ દેહને થોડે દૂર ઘટાદાર વૃક્ષ નીચે ઘસડી જઈ આ વનરાજ પોતાનું ભોજન પૂરું કરી લેવા વ્યગ્ર બન્યો.
માતંગે વનરાજના પાછા ફરી જવા સુધી શાન્ત રહેવામાં જ ડહાપણ માન્યું. જીભના લપકારા અને વાઘના મોંની દુર્ગધ આખા વાતાવરણને ભરી રહી હતી. એક તરફ નિર્જીવ લોહીતરબોળ મુનિરાજનું શબ; બીજી તરફ ખૂની ઓરતનો ભક્ષ કરતો વનનું વિકરાળ પશુ, અને માથેથી સમસમોટ કરતી વહે જતી ઘનઘોર રાત્રિ ! માતંગના દિલને આશ્વાસન આવા એકાદ જળચર પાણીયે બોલતું નહોતું, જાણે બબ્બે માનવજીવનના કરુણ અંતનો બધે સોંપો પડી ગયો !
વીજળી અને વરસાદથી તોફાની બનેલી અંધારી રાત્રે પણ જોજનના જોજનનો પંથ કાપનાર માતંગ આજે કમજોર દિલ બની ગયો. એને જમીન ભારે લાગવા માંડી, આસમાન ઉપરથી પડું પડું થતું લાગ્યું. પગને જાણે કોઈએ સીસાના રસથી ભરી દીધા : કેમે કરી ઊપડે જ નહિ ! માતંગ મંત્ર ઉપર મંત્ર બોલવા લાગ્યો. ચારે. દિશાના દેવોને મદદ માટે આહ્વાન આપવા લાગ્યો.
થોડી વારે એના દિલને શાતા વળી: પગ હળવા થતાં લાગ્યાં. વાઘ પણ આજ પૂરતું ભોજન જમી ઓરતની લાશને એક ખાડામાં સંતાડી ધીરે ધીરે ટેકરી પાછળ અદૃશ્ય થઈ ગયો. માતંગને પોતાના શિર પરથી આકાશનો બોજ હળવો થતો લાગ્યો. એ આગળ વધવાને બદલે ઘર તરફ વળ્યો. સોએક ડગલાં ચાલ્યો હશે ને વળી વિચાર આવ્યો : લાવ ને, જોઉં તો ખરો, પેલી સ્ત્રી કોણ હતી ? સદાને માટે અજાણ્યો રહેનાર આ કોયડો ઉકેલતો'તો જાઉં.
કર્મની ગત 1 19.
18 D સંસારસેતુ
Page #19
--------------------------------------------------------------------------
________________
ધાવતાં હતાં. અજાણ્યાને જોઈ કૂતરી ભસી ઊઠી.
માતંગના દિલને ભસવાના અવાજથી કંઈક શાન્તિ વળી. એના મનમાં વ્યાપેલી નિર્જનતા એકદમ ઓછી થઈ ગઈ. એ મોટી ડાફો ભરતો પોતાના વાસમાં પહોંચ્યો. પણ અહીં પણ એને કંઈક નવું જ જોવા મળ્યું. જેવો એ પોતાના ઘરભણી આગળ વધ્યો કે સામે ધનદત્ત શેઠની દાસી આવતી મળી.
કોણ, નંદા ? અત્યારના પહોરમાં કેમ આવી હતી ?”
નંદાના હાથમાં કંઈક વસ્ત્રમાં વીંટાળેલું હતું, પણ માતંગની આંખો અત્યારે નવું જોવા ને જાણવા માટે અશક્ય બની ગઈ હતી.
નંદા ધીરેથી બોલી : “શેઠાણીબાએ વિરૂપાની ખબર લેવા મોકલી હતી. વિરૂપાએ તો લક્ષ્મીને અવતાર આપ્યો છે.”
લક્ષ્મી એટલે ?" માતંગની સમજ શક્તિ અત્યારે બહેર મારી ગઈ હતી.
“મારે ત્યાં દીકરી આવતરી ?” માતંગ નિરુત્સાહ બની આગળ વધી , ઘરની ઓશરીમાં બેસી ગયો. એને અત્યારે કંઈ સૂઝ નહોતી પડતી.
આકાશમાં પરોઢની ઝાંખી પ્રભા ઊગતી આવતી હતી. વહેલી ઊઠેલી સ્ત્રીઓના નૂપુરઝંકાર ઠંડી પડેલી રાતમાં ખૂબ મીઠા લાગતા હતા.
વળી બીજો વિચાર આવ્યો : આજની રાત ભારે છે, ઝટ ઘરભેગો થઈ જાઉં એમાં જ સાર છે. એ આગળ વધ્યો. વળી એના દિલમાં સૂતેલું પુરુષત્વ સળવળ્યું. એણે આમ કાપુરુષ થઈને ઘેર નાસી જતા માતંગને જાણે ચૂંટી ખણી : ધિક્ તારા મંત્રોને !ધિક તારી જાતને ! આ લાઠી અને આ વિષધર છરો તારાથી શરમાય છે !
અને એકદમ માતંગ પાછો ફર્યો. એને એટલી તો માહિતી હતી કે પેટપૂરતું જમીને વિદાય થયેલો વનરાજ આજે ફરી પાછો આવવાનો નહિ; એ તો અત્યારે પોતાની બોડમાં નિરાંતની નિદ્રા લેતો હશે. છતાં એણે કમર પરનો છરો ઢીલો ર્યો, એકાદ મંત્ર જપ્યો ને પૂરી સાવધાનીથી એ આગળ વધ્યો. બાજુ માં મુનિરાજનું શબ એ જ શાન્તિ ધારીને પડ્યું હતું. શોણિતની નાની એવી નદી વહીને થોડે દૂર થંભી ગઈ હતી. માતંગે નીચા વળીને જોયું તો મુખ પર એ જ શાન્તિ, એ જ સૌમ્યતા, એ જ કાન્તિ ! સુખની કોઈ ચિરનિદ્રા જાણે મુનિરાજ માણી રહ્યા હતા !
વહેમે ભરાયેલા ને શંકાશીલ બનેલા માતંગથી સહેજે નમસ્કાર થઈ ગયા. એ આંસુભીની આંખે આગળ વધ્યો. ઓરતના શબવાળો ખાડો શોધી લેતાં માતંગને વાર ન લાગી. ધૂળ, કચરો ને ઉઝરડાથી એનું મુખ ન કલ્પી શકાય તેવું ભયંકર થઈ ગયું હતું. કેટલાક અવયવો તૂટી ગયા હતા. કેટલાક વનવ્યાધ્રના ઉદરમાં પ્રવેશ પામી ગયા હતા. માતંગે એ મને ઓળખવા ધૂળ ને કચરો હળવે હાથે દૂર કર્યા.
ગુનાને પણ કદાચ નામ દેવાનું મન થયું હશે; જગતની અનોખી સ્વાર્થોધતા આ રીતે જાહેર થવાની હશે; વનના વાઘને પણ પોતાને માથે બિનગુનેગારને હણ્યાનું આળ લેવું નહિ હોય, એ કલંકિત મોં તરત પરખાઈ ગયું : આ એ જ સ્ત્રી, જેણે ચિત્રશાળાના દરવાજામાં બલિ આપવા પોતાનો દીકરો વેચેલો, પેલા મુનિરાજની સગી માતા ! અરે માતા શાની ? સાક્ષાત્ કૃત્યા ! એવી માતાને ઘેર આવાં સંતાન જન્મ લે એ જ કર્મની વિચિત્રતા !
કર્મ ! માતંગને વિચાર થઈ આવ્યો. આ શબ્દ તો પેલા શ્રવણ મુનિઓનો ! એ મુનિઓ કર્મની ગતિ ગહન બતાવી એનાથી દૂર થવાનો રોજ ઉપદેશ આપે છે. અહા, એ જ કર્મની ગતિનો આ કેવો સાક્ષાત્કાર ! કોણ મા ને કોણ બાપ ! કોણ પિતા ને કોણ પુત્ર !
અને મડદું સળવળતું લાગ્યું. પાસેના વૃક્ષ પરથી કોઈ ખડખડ હસતું લાગ્યું. માતંગ એકદમ ઊભો થઈ ગયો. એ પાછા પગે થોડું ચાલ્યો, ને પછી મૂઠીઓ વાળીને નાઠો. મડદા નીચેથી એક ઘોરખોદિયું નીકળીને નાસતું હતું.
આંબાવાડિયા નીચેથી ચાલ્યા જતા માતંગને જોઈ જાણે આમ્રપણે હસી રહ્યાં હતાં. પણ એ તો આડુંઅવળું કંઈ પણ નીરખ્યા વગર પોતાના કૂબાઓની પાસેના ટીંબે આવી ઊભો. ટીંબાની નીચે એક કુતરીને તાજાં વિયાયેલાં બચ્ચાં ચસચસ
20 D સંસારસેતુ
કર્મની ગત 1 21
Page #20
--------------------------------------------------------------------------
________________
પરભૃતિકા.
કેટલાક દિવસો પછીની એક સવાર ઊઘડતી હતી. કામદેવનો મિત્ર વૃક્ષ વૃક્ષે નવપલ્લવતા આપી ક્યારનો વિદાય થયો હતો. ગ્રીષ્મ ઋતુ પૂર્ણ તાપ સાથે આગળ વધતી હતી. વસંતની વાડીએ વાડીએ ગાનારી પરભૂતિકાઓએ (કોયલોને)
ઓધનના મહિનાઓ પૂરા થતા હતા. નર અને માદાએ નવા સંસારની રાહમાં ડાળીએ ડાળીએ બેસી કૂંજવા માંડ્યું હતું..
કેટકેટલી પરભૂતિકાઓએ સંતાનને જન્મ આપ્યો હતો. પણ નગરી પરભૂતિકાઓ ગાવા ને નાચવામાંથી નવરી પડે તો સંતાનને ઉછેરે ને ! એ તો જઈને પારકી માતાઓના માળામાં એનાં સંતાન ભેગાં પોતાનાં સંતાન મૂકી આવી હતી, અને એ રીતે તરત નિવૃત્ત થઈ રંગીલી રસીલી પરભૂતિકા પાછી નર સાથે ગાવા લાગી ગઈ હતી.
પણ એ નિષ્ફર પરભૂતિકાઓને ધીરે ધીરે એક વાતની પીડા જાગતી જતી હતી. પારકી માતાના માળામાં પોતાના સંતાનને તો મૂકી આવી, પણ નારીના દિલમાં વસતિ માતૃત્વની વહાલસોયી લાગણી થોડી મૂકતી આવી હતી ! એ લાગણી હવે એને ખૂબ પજવવા લાગી હતી. આમઘટાઓ અને દ્રાક્ષના લતામંડપોમાં આખો દિવસ ટહુકાર કરતી આ નારીને હવે પારકી માતાના પેલા માળાથી દૂર જવું નહોતું ગમતું. બહારથી એ ડોળઘાલુ કહેતી કે મારે સંતાન જ ક્યાં છે ! કેવી ફક્કડ છું ! અને એ રીતે દેશદેશના પરભૂતોને પોતાના રૂપથી જતી, છતાં અંદર વસેલું મન ઘણીવાર બંડ કરતું, એના કાળજાને ચૂંથતું, જાણે કહેતું :
ઓ નિષ્ફર માતા ! તારા સંતાનના દેહ પર એક વાર પાંખો પસારીને ઘડીભર એને ભેટી લેવાનું ય દિલ નથી થતું ?''
માતા બધુંય સમજતી, પણ શું કરે ? એ નિરુપાય હતી. એને સમાજ વચ્ચે જીવવું હતું. અને એ માટે એને એ જ બનાવટી ડોળથી સુમધુર ગીત ગાવાં પડતાં; છતાંય કેટલીક અનુભવી પરભૂતિકાઓ જરૂર કહી દેતી :
અલી તારું ગાન કેટલું મીઠું, કેટલું લાગણીભીનું બન્યું છે ! નક્કી કોઈ અંતરની માયાની મીઠી વેદના તારા સ્વરને તપાવી રહી છે, ઝણઝણાવી રહી છે; એ વિના આટલી મીઠાશ ન સંભવે !”
બિચારી પરભૂતિકા શું કહે ?
અને એવી જ કરુણસ્થિતિ ભોગવી રહેલી રાજ ગૃહીનાં હીણા કુળોની શ્રેષ્ઠ પરભૂતિકા વિરૂપા પણ કોને શું કહે ? લમીનો જન્મ થયો સાંભળી માતંગે તો મોટો નિસાસો નાંખેલો. દીકરી એ બાપના બાકી રહેલા મનોરથ કેવી રીતે પૂરે ? ઘા સામે ઘા એ કાંઈ ઝીલી શકે ? ગમે તેમ તોય એ પારકા ઘરનું ધન. મોટી કરીને છેવટે એને પારકાને જ સોંપી દેવી પડે ! એનાથી વંશનો વેલો આગળ ન વધે, માતંગને તો રોહિણેયના જેવો ભડું દીકરો જોઈતો હતો.
ભોળા દિલના માતંગે સુવાવડી વિરૂપાને પોતાના મનની આ વાત કરી, ત્યારે વિરૂપાએ પથારીમાં પડ્યા પડ્યા કહ્યું : “તને ભલે દીકરી ન ગમે. બાકી મારાં સુંડલો ને સાવરણી તો દીકરી જ મુકાવશે.”
પણ માતંગના આ કૂડા વેણથી જાણે લક્ષ્મીજી રિસાઈ ગયાં હોય તેમ, દીકરી છ-એક દિવસે પરલોકગમન કરી ગઈ. દશેક દિવસે વિરૂપા ખાટલેથી ઊઠી ઘરમાં કામકાજ કરવા લાગી. માતંગ થોડા દિવસ ઉદાસ રહ્યો, પણ વિરૂપાની મોહજાળમાં ધીરે ધીરે બધું ભૂલી ગયો.
પણ વિરૂપાની સ્થિતિ તો અરણ્યની વાટમાં ભૂલા પડેલાં પ્રવાસી જેવી હતી. હસવું કે ૨ડવું, આનંદ કરવો કે અશ્રુ સારવાં, શું કરવું એની એને સમજણ જ નહોતી પડતી. એનું વક્ષસ્થળ પુષ્ટ બન્યું હતું, એનો કંચુકીબંધ ફાટફાટ થતો હતો, અને અંદરથી જાણે કોઈ ધોધ બહાર ધસી આવવા ઘુઘવાટા કરી રહ્યો હતો. અંગપ્રત્યંગ વધુ ને વધુ પુષ્ટ બનતાં ચાલ્યાં હતાં. એના કદલીદળ જેવા હસ્ત વધુ સ્નિગ્ધ બન્યા હતા. એના કામદેવની કામઠી સરખા લાલ હોઠ વધુ ૨ક્ત બન્યા હતા. પણ શા
કામના !
મનની પરવશતામાં એ હાથ ઘણી વાર કંઈક ગ્રહણ કરવા લાંબા થતા; એના હોઠ કોઈની પ્રતીક્ષામાં વારેવારે નિષ્ફળ રીતે ઊઘડી જતા; વાતવાતમાં વક્ષસ્થળ ઊછળવા લાગતું. એ બધું જોઈ પેલો ભલી-ભોળો માતંગ વિરૂપાને જોઈ કહેતો : કેવી પાકી ગલ જેવી થઈ છે !' અને બીજા બધાનો પણ એવો મત હતો. છતાં વિરૂપાને એનો કશો આનંદ
પરભૂતિકા n 23
Page #21
--------------------------------------------------------------------------
________________
ન હતો. એ બિચારીની સ્થિતિ તો પેલી પરભૂતિકાના જેવી થઈ હતી : પોતાના સંતાનને એ પારકી માતાના માળામાં હોંશે હોંશે મુકી આવી હતી. એ માનતી હતી કે વખત જતાં વાત ભુલાઈ જશે ને કાળનાં વહેણે વહેતાં રહેશે, પણ દીકરીનું મૃત્યુ થતાં એ વાત બમણા વેગથી સાંભરવા લાગી, મનને સતાવવા લાગી.
આજ સવારથી એ બેચેન હતી. પાછું મનદુઃખ જાગ્યું હતું. પારકા માળામાં મૂકેલું પોતાનું સંતાન કેવું હશે ? એ માતંગનું મોં લઈને આવ્યું હશે કે પોતાની આકૃતિ લઈને ? એનાં નેત્રો માતંગ જેવાં સહેજ ભૂરાં હશે, કે પોતાનાં જેવાં આસમાની ? અને એની નાસિકા કેવી હશે ભલા ?
વિરૂપા કલ્પનાની સૃષ્ટિમાં સરવા લાગી. ભલે માતંગ દેખાવડો રહ્યો, પણ મદમાં સદા ફાટી રહેતી એની નાસિકા મારા બાળકને નહિ શોભે. એને તો નાની એવી સુરેખ નાસિકા જ હશે. પહેલાં એક વાર બંનેને એકાંતમાં ચડસાચડસી થયેલી : “માતંગ કહે કે, બાળક મારા જેવું થશે, વિરૂપા કહે, મારા જેવું.”
અને સ્મૃતિવિહારે ચઢેલી વિરૂપાની કલ્પના-નજર સમક્ષ નાના નાજુક હાથપગ ઉછાળતું, કોમળ કિસલય જેવું બાળક ખિલખિલાટ કરતું દેખાયું.
પછી તો એ જાણે મનોમન બોલી ઊઠી : બરાબર મારા જેવું જ ! ચાલ, માતંગને બતાવું ! ને વિરૂપા એકદમ આવેગમાં ઊભી થઈ ગઈ. પણ આ શું ? પોતાને ઘેલછા તો નથી ઊપડી ને ? બીજી જ પળે એ સાવધ થઈ ગઈ. લાંબા હાથ એણે વક્ષસ્થળ પર સખત રીતે દાબી દીધા અને ચિત્તની શક્તિ માટે એક ભજન ગાતી ગાતી એ કામે લાગી : ભૂલ્યો મનભમરા, તું ક્યાં ભમ્યો ?
ભમિયો દિવસ ને રાત; માયાનો બાંધ્યો પ્રાણિયો, ભમે પરિમલ જાત. કોનાં છોરું, કોનાં વાછરું કોનાં માય ને બાપ; અંતે જાવું છે એકલું, સાથે પુન્ય ને પાપ.
સવારની મીઠી પવનલહેરો પર સવાર થઈને આ કંઠસ્વર વહેતો ચાલ્યો. મૂળથી જ મીઠો સ્વર, એમાં વેદનાના-વૈરાગ્યના ઝંકાર ઉમેરાયા; પછી તો કોઈ અપૂર્વ રસની ખરલમાં ઘૂંટાઈ ઘંટાઈને આવતા હોય એવા દર્દભર્યા, રસભર્યા એ સ્વરો બની ગયા. લોકપરિચય સાધી રહેલા શ્રમણોએ દીનહીન લોકોને શાસ્ત્રોનાં
24 [ સંસારસેતુ
ગૂઢાર્થવાળાં સૂક્તો ને ઋચાઓને બદલે પ્રાકૃત ભાષા (તે કાળની લોકભાષા)નાં પદો શિખવાડ્યાં હતાં. એમાંના એક પદનો સાર આજે વિરૂપાને મદદ કરતો લાગ્યો. એની બહાવરી દશા ઓછી થતી ચાલી.
ધમણ ધખંતી રે રહે ગઈ, બુઝ ગઈ લાલ અંગાર; એરણ કો ઠબકો મચ્યો, ઊઠ ચાલ્યો રે લુહાર !”
‘ભૂલ્યો રે મનભમરા.” આ શબ્દોએ વિરૂપાને ઠીક શાન્તિ આપી. એ પંક્તિ એ પુનઃ પુનઃ બેવડાવવા લાગી. આમ ને આમ કેટલીય પળો વીતી ગઈ હશે. અચાનક કોઈએ એને બોલાવી :
વિરૂપા !” ધનદત્ત શેઠની દાસી ઊભી ઊભી બોલાવી રહી હતી. કોણ, નંદા ?**
હા, હા, હું નંદા ! વિરૂપા, હવે તો તું કોયલ થઈને ઊડી જવાની લાગે છે. ગાવામાં એવી તો મગ્ન થઈ ગઈ હતી કે મેં ચાર વાર બોલાવી તોય તે ન સાંભળ્યું. જોજે પેલા માતંગને ન રખડાવતી !”
નંદા, મશ્કરી શું કામ કરે છે ? કેમ આવી હતી, બેન ?” વિરૂપાએ મીઠાશથી કહ્યું.
બા બોલાવે છે. ત્યાં તો તારા નામની માળા જપાય છે અને અહીં તો તને કશી સુઘ જ નથી ! બાળકના પ્રથમ દિવસના જાતકર્મ-સંસ્કાર વિશે તો તું જાણે જ છે; તને ત્યારે બોલાવાય એમ હતું જ નહિ. બીજે દિવસે જાગરણ-ઉત્સવ અને ત્રીજે દિવસે સૂર્યચંદ્રદર્શન પણ બરાબર પતી ગયાં. બાળકની શી ક્રાન્તિ ! ધનદત્ત શેઠ તો પુત્રની ક્રાંતિ જોઈ ઘેલા ઘેલા બની ગયા છે. તેઓ રાજ કુમારોના જેવા બધા સંસ્કારો ઊજવવાના છે.”
એમ કે ? વાહ રે નસીબ !”
“પાછી ગાંડી ગાંડી વાત કરવા માંડી છે ? વિરૂપા, ત્રીજા દિવસથી એક સપ્તાહ સુધી તો સંગીત, નૃત્ય, વાજિંત્ર, ખેલ, નાટક વગેરે ચાલ્યાં. આખું અઠવાડિયું જાણે સ્વર્ગીય આનંદનું વીત્યું. શેઠે રાજાજીને પોતાને આંગણે તેડ્યા; પોતાની તમામ દુકાને તોલમાપ વધારી દીધાં; મોતી, મણિ, કનક, હિરણ્ય ને પશુ દાનમાં દીધાં ! શેઠે તો બાળક માટે દેશદેશની ધાત્રીઓ બોલાવી છે : કોઈ બર્બર દેશની છે, કોઈ દ્વિમિલની છે, કોઈ સિંહલ, અરબ ને પુલિંદની છે; શબર ને પારસ દેશની પણ આવી છે. કાળજાની કોર જેવા બાળકના જતન માટે ચાર ધાત્રીઓ રાખવાના છે !”
પરભૂતિકા D 25
Page #22
--------------------------------------------------------------------------
________________
ત્યારે તો ફૂલની જેમ બાળકની સંભાળ થશે !” વિરૂપાના મુખ પર અવર્ણનીય આનંદની સુરખી ઊભરાઈ રહી હતી.
“સાત ખોટના દીકરા માટે તો એવી જ સંભાળ શોભે ને ! વિરૂપા, અમાપ સંપત્તિના એકમાત્ર અધિકારીને માટે આ કંઈ વધુ નથી. પણ, હા ! આ બીજી બીજી બાબતોમાં ખરી વાત કહેવી તો ભૂલી જ ગઈ. અલી, બારમે દિવસે તો મોટી ધમાલ મચી, નામસંસ્કરણનો દિવસ એટલે સવારથી જ્ઞાતિજનો, સ્વજનો, મિત્રો અને આત્મીયોથી ઘર ઊભરાઈ રહ્યું હતું. મોટા મોટા જોશી પણ આવ્યા હતા. જોશીઓએ જોશ જોયા અને નક્ષત્ર, રાશિ ને કારણનો મેળ મેળવ્યો. તેઓ તો નાચી ઊઠ્યો ને બોલ્યા :
“શ્રેષ્ઠીવર્ય, આ બાળક મહાન પદવીને પામશે. ધર્મ, અર્થ અને કામને પ્રાપ્ત કરી, સંપૂર્ણ રીતે એ ત્રણે પદને ભોગવીને અંતે માનવજીવનના અંતિમ પુરુષાર્થ મોક્ષને પણ સાધશે. એની નામના દિગદિગન્તમાં વ્યાપશે. એનું નામ...” પણ તેઓ કંઈ પણ નામવિધિ કરે તે પહેલાં જ પાસે બાળકને લઈને ઊભેલી એક ધાત્રી બોલી ઊઠી :
જોશીજી મહારાજ ! એનું નામ રખે પાડતા ! એની રાશિ પણ જોશો મા ! શેઠાણીબાએ કહેવરાવ્યું છે કે હમણાં નામ નથી પડવાનું. થોડા વખત પછી કોઈ શૂદ્ર કે મેત પાસે પડાવવા વિચાર છે. આટઆટલાં સંતાન પછીય અછતની અછત રહી; એમાં ખોળાનો ખુંદનાર માંડ આ એક આવ્યો, તો આત્યારે નામ પાડવાની ઉતાવળ શી ?”
“બિચારા જોશી મહારાજને નકામા ઝાંખા પાડ્યા !” વિરૂ પાએ વચ્ચે ટીકા કરી.
ના પાડે તો શું કરે ? એ તો તારા નામની માળા લઈ બેઠા છે. કહે છે, નામકરણ તો વિરૂપા પાસે જ કરાવવું છે. આજ સવારમાં ઊઠતાં વેંત જ તને બોલાવવા મને મોકલી છે.”
નામ નહોતું પાડવાનાં ને ?”
એ તો બહાનું. પણ હવે જલદી ચાલ. વાતમાં ને વાતમાં બહુ મોડું થઈ ગયું. શેઠાણીબા તારી રાહ જોઈને બેઠાં છે. અને મેં અહીં મારું પારાયણ ચલાવ્યું ! આજ નક્કી ઠપકો મળશે.”
બાળકને જોવાની અદમ્ય લાલસા દિલમાં ઘોળાતી જ હતી. એમાં અચાનક આવો અણધાર્યો પ્રસંગ પ્રાપ્ત થયેલો જોઈ વિરૂપા એકદમ લાગણીવશ બની ગઈ. ધીરે હાથે કેશ સમારી, ઉત્તરીય બદલી એ નંદાની પાછળ ચાલી નીકળી. એના હૃદયમાં આજે લાગણીનું એક અજબ તોફાન જાગ્યું હતું. બંને ધનદત્ત શેઠની હવેલી નજીક આવ્યાં ત્યારે અંદરથી મંગળગીતોના સ્વરો
26 1 સંસારસેતુ
આવી રહ્યા હતા. સોને રસેલી દીવાલોને પુષ્પમાળા, ગજરા વગેરેથી શણગારી હતી. સુગંધી ધૂપદાનીઓમાંથી પ્રસરતો સુગંધી ધૂમ આખા વાતાવરણને મઘમઘાવી રહ્યો હતો. પરિચારકો, ગાયકો ને વાદકો આડા-અવળા ફરતા જોવાતા હતા. ગૃહાંગણમાં સુંદર રંગોળીઓ પૂરી હતી. ઘરનાં પશુઓને પણ શણગાર્યા હતાં.
બધે આનંદની લહેરો વાઈ રહી હતી, પણ સહુનાં દિલને એક વાત અણછાજતી ભાસતી હતી : ‘વિપુલ સંપત્તિના ધણી ધનદત્ત શેઠના પુત્રનું નામ પાડનાર એક મેત !"
બટકબોલી નંદા સાથેની વાતમાં વિરૂપાને આવતાં સહેજ વિલંબ થયો. બધા સ્નેહીઓ જાતજાતનો ગણગણાટ કરી ઊડ્યાં, પણ શેઠાણી મક્કમ હતાં. અને શેઠ હવે કોઈ પણ રીતે શેઠાણીને દુભાવવાની મનોભાવનાવાળા નહોતા.
આખરે વિરૂપા દેખાણી. નંદાની પાછળ એ ધીરે ધીરે ચાલી આવતી હતી. દૂરથી જોનારનાં નેત્રોનેય નાથી લે એવો કેશકલાપ, લીંબુની ફાડ જેવાં કાળાભમ્મર નયન, મજબૂત ને સ્નાયુબદ્ધ અંગ-પ્રત્યંગ, સુરેખ નાસિકા વિરૂપાના દેહદર્શને એકવાર બધાંનાં દિલમાંથી નીચ-ઊંચની ભાવના ભુલાવી દીધી. એણે સાદું એવું ઉત્તરીય પહેર્યું હતું, પણ જાણે એ એના અંગો સાથે એકમેળ થઈ ગયું હતું. એનાં ભરાવદાર સ્તનોને સંતાડતું વસ્ત્ર કીમતી નહોતું; પણ જોનારને જાણે કાવ્યની કોઈ શૃંગારપંક્તિઓ ત્યાં શોભતી હોય તેમ લાગતું હતું.
જોઈને વિરૂપાને ! લાગે છે ને મારા-તમારા જેવી ?” શેઠાણીથી ન રહેવાયું.
“નીચને નખરાં ઝાઝાં !” એક વૃદ્ધ સ્ત્રીએ ઈર્ષાભરી મનોભાવનાનો પડઘો પાડ્યો.
કોણ નીચ, કોણ ઊંચ ! જે હલકાં કરમ કરે તે નીચ ને સારાં કરે તે ઊંચ. સહુ પોતપોતાનાં કરમાકરમનો સરવાળો કરે તો સહુ આપમેળે સમજી શકે કે કોણ ઊંચ છે ને કોણ નીચ છે !!” શેઠાણી પણ આજે ચૂપ રહેવા માંગતાં ન હતાં.
આ વાત કદાચ ચર્ચાનું ચોગાન બની જાત, કારણ કે આવા વાયરા આજ કાલ ઘેર ઘેર વાતા હતા; કેટલીકવાર તો એ રણમેદાનનું રૂપ ધરી લેતા, પણ વિરૂપા નજીક આવી પહોંચી હતી. એ થોડે દૂર ઊભી રહીને કુશળ પૂછવા લાગી.
સુરૂપા, નજીક આવ !” શેઠાણીએ પ્રેમથી કહ્યું. એ અવાજમાં કોઈક અનેરી મમતા ભરી હતી. સ્વજનોને આ મમતા ન રુચી.
“ના, બા, હું નજીક નહિ આવું, નજર લાગે.”
તારી નજર લાગે માટે જ તને બોલાવી છે. તારી નજર બરાબર લગાડજે !” વિરૂપા સંકોચાતી, સંકોચાતી નજીક આવી. આટલાં સ્ત્રીપુરુષો વચ્ચે એ આવી
પરભૂતિકા 27
Page #23
--------------------------------------------------------------------------
________________
છૂટ લેતાં શરમાતી હતી. પણ શેઠાણીએ તો શરમ, સંકોચ કે મર્યાદાનાં બંધનો આજે વેગળાં મૂક્યાં હતાં.
શેઠાણીએ બાળકને ઉપાડી વિરૂપાના હાથમાં મૂકી દીધો. બધાં સ્વજનો ચમકી ઊઠ્યાં.
પણ વિરૂપાની મીટ બાળકના દેહ પર બરાબર મંડાઈ ગઈ હતી. પોતાની જ સુંદર નાસિકા, ખીલતી કળી જેવા એ જ પોતાના હોઠ, પણ ભાલપ્રદેશ માતંગના જેવો સહેજ ઊપસતો ! માતંગ ઘણી વાર વિરૂપાને કહેતો કે તારી કીકીમાં ખંજન પક્ષી નાચે છે, એવી જ કામણ કરનારી કીકીઓ આ બાળકની હતી.
મોહની આ બે ત્રણ વીતી ન વીતી ત્યાં વિરૂપા સ્વસ્થ થઈ ગઈ; પોતાની જાતને સંભાળી લેતાં બોલી :
જુગ જુગ જીવો મારા લાલ ! બા, કેવી નમણી કાયા ! મોં-નાક તો બરાબર તમારા જેવાં જ છે, અને આ ભાલપ્રદેશ બરાબર શેઠ જેવો ! જરા એની કાંતિ તો
વિરૂપાના હૃદયમાં એકદમ આંધી ઊઠી. એને લાગ્યું કે છાતી પરના આ બે પહાડો હમણાં જ ચિરાઈ જશે, ને અંદરની દુગ્ધધારા વછૂટી ઊઠશે. એણે મહામહેનતે સંયમ જાળવ્યો, ભારે પ્રયત્ન લાગણીઓને કબજે કરી અને બાળકને એકદમ પાછું આપી દીધું.
અને વિદાયના બે શબ્દો બોલ્યા વગર જ એ ઘર તરફ પાછી ફરી. એના હૈયાને કોઈ મજબૂત હાથે પીસી રહ્યું હતું.
દૂર દૂર આંબાવાડિયામાં પરભૂતિકાઓ ગાઈ રહી હતી. મનુકુળની આ પરભૃતિકાએ પણ મનને શાન્ત કરવા ટહુકવા માંડ્યું :
“ભૂલ્યો મનભમરા, તું ક્યાં ભમ્યો ?"
જુઓ !”
હવે એ વાત મૂક ને ! તને નામ પાડવા બોલાવી છે કે વખાણ કરવા ? બહુ બોલકી નહીં તો ! નામ પાડી દે એટલે કામ પૂરું થાય !''
- “શું નામ પાડું, બા ? અમે રહ્યા મેત અને તમે કહેવાઓ આર્ય ! કદી મેતે આર્યનું નામ પાડ્યું સાંભળ્યું છે ? મારો લાલ મોટો થાય, ને અમારો આર્ય થાય - - અમારો પૂજ્ય થાય - એટલું જ માગું છું. અને એની યાદ માટે હું તો એને ‘મેતાર્ય' જ કહીશ. તમે તમારે કોઈ સુંદર નામ પાડજો.”
“મેતાર્ય ! કેવું સુંદર નામ ! અરે, એ જ મારા લાલનું નામ, બીજા નામની મને જરૂર નથી. મેતાર્ય ! મિત્રાય !”
“ખોટનાં જથ્થાંનાં નામ તો એવાં જ હોય !'' એકે વિરોધીઓને શાન્ત કરવા
ઉમેર્યું.
બધે મંગળધ્વનિ પથરાઈ રહ્યો. નામવિધિ સંપૂર્ણ થઈ.
વિરૂપા બાળકને ઊંચું ઊંચું લઈને ઉછાળી રહી હતી. ત્યાં તો બાળકે એના સ્તનપ્રદેશ પર નાજુક હાથથી પ્રહાર કર્યો. જાણે નાજુ ક મૃદંગ પર કોઈ સંગીતનિપુણ કન્નરીએ થાપી મારી. એ મસ્ત મૃદંગમાંથી છૂટેલો પ્રચંડ નિનાદ અશ્રાવ્ય હતો, પણ એણે વિરૂપાના દિલમાં તો પ્રચંડ ઘોષ મચાવી મૂક્યો. એનું મનમંદિર ફરી એક વાર લાગણીઓના રમઝમાટથી ગાજી ઊઠયું. બાળક પણ એટલેથી ન અટક્યું. અંદર લહેરાઈ રહેલ, દૂધે ભર્યો પ્રચંડ નદનું પાન કરવા જાણે એણે એનું નાનું શું કમળપાંખડી જેવું મુખ ખોલ્યું.
28 D સંસારસેતુ
પરભૂતિકા 29.
Page #24
--------------------------------------------------------------------------
________________
રોહિણેય
ગગાને પેલે પાર આવેલી પલ્લીમાં ખૂબ ભીડાભીડ જામી હતી. રોહિણીઆનો દાદો મૃત્યુને ખાટલે પડયો હતો. એની વયોવૃદ્ધ સાવજ સમી પડછંદ કાયા પડી પડી હું કાર કરી રહી હતી, ઢાલ જેવી એની છાતી, વૃદ્ધાવસ્થાથી થાકી ગયેલી તોય, ધમણની જે મ ઊછળી રહી હતી. યમરાજના ઓળા સામે પથરાતા હતા, છતાંય એની આંખોના ખૂણા એવા ને એવા જ લાલ હતા. મૂછ-દાઢીના મોટા મોટા થોભિયા એના ચહેરાને અત્યારેય કરડો બનાવી રહ્યા હતા.
પલ્લીનાં બધાં રહેનારાઓ અને આજુબાજુનાં ગામનાં જુદાં જુદો શૂદ્રકુળોનાં સ્ત્રી-પુરુષો એકઠાં મળ્યાં હતાં. સહુનાં મોં ઉપર ગમગીની અવશ્ય હતી – પણ કોઈ વહાલું સ્વજન યાત્રાએ જાય એને વિદાય આપવાની વેળાએ હોય તેવી, મોત સાથે તો એ બધાં મૈત્રી સાધનારાં હતાં. કોઈનું મોત એમને મન ભયંકર ઘટના નહોતી; સાવ સામાન્ય બીના હતી. અને એટલે જ કોઈનું માથું ઉતારી લેવું કે ઉતારી આપવું, એનું એમને મન કંઈ મહત્ત્વ નહોતું.
હવે હું તમારા બધાની વિદાય લઉં છું. મેં મારા જીવનમાં તમારા માટે મારાથી બનતું બધું કર્યું છે, એનો મને સંતોષ છે; છતાંય મારી ઘણી મુરાદો બાકી છે.” વૃદ્ધ લૂંટારો સહેજ શ્વાસ ખાવા થોભ્યો. પછી એણે પુનઃ બોલવું શરૂ કર્યું :
- “કોઈ એમ ન માનશો કે મારી મુરાદ ધન-લક્ષ્મીની કે કોઈ દુમનને હરાવવાની છે. તમારી વફાદારીપૂર્વકની સેવાથી તો મેં મહારાજ બિમ્બિસાર જેવાની રાજધાનીનેય તોબા તોબા પોકરાવી છે. એના મોટા સેનાપતિઓ, ગુપ્તચરો, સંનિધાતાઓ, દુર્ગપાલો આજેય મારું નામ સાંભળી થરથર ધ્રુજે છે. મારી પલ્લીનો ખજાનો કોઈ રાજા કરતાં ઓછો નથી. મારા એક દુશ્મનનું માથું મેં સલામત રહેવા દીધું નથી. પણ
મને મારા પછીની ચિંતા છે.” વૃદ્ધ લાંબો નિશ્વાસ નાખ્યો ને થોડી વાર ફાટેલે ડોળે જોઈ રહ્યો.
મનમાં જે હોય તે ચોખ્ખચોખ્ખું કહોને દાદા !” એક વયોવૃદ્ધ સાથીદારે જરા નજીક જઈ એમના ધગધગતા કપાળે હાથ ફેરવતાં સ્નેહથી કહ્યું. રોહિણીઆના દાદાને બધા દાદાના નામથી જ સંબોધતા. - “ચોખેચોખું જ કહું છું. મરતી વેળાએ માણસને છુપાવવાનું શું હોય ? મને એટલી તો ખાતરી છે કે, મારી પાછળ તમે રોહિણેયની આજ્ઞામાં રહીને મારું કામ ચાલુ રાખશો; અને એક દહાડો આપણું રાજ સ્થાપીને જ જંપશો, પણ મારા મનની મુરાદ તો બીજી હતી. અને તે પંચ પાસે પ્રતિજ્ઞા કરાવવાની હતી કે, પેલા જ્ઞાતપુત્રનો ઉપદેશ કોઈ ન સાંભળે ! ભૂલેચૂકે પણ કોઈ એમ ન માનશો કે બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય સાથે તમારે કંઈ ભેદભાવ નથી. તેઓ તમને એકસરખા ગણે છે. પણ યાદ રહે કે એ અને આપણે સદાના જુદા ! મેં એ વાતની ખૂબ ખૂબ ખાતરી કરી છે. હવે તમે ભરમાશો નહીં. એ લોકોને લૂંટવા, હેરાન કરવા, મારવા, એમની ખાનાખરાબી કરવી, એમાં જ આપણી શોભા. કોઈની પાસે ભીખ માગ્યે મોટાઈ કે હક ન મળે; એ તો આપ-પરાક્રમથી જ મેળવાય.”
વૃદ્ધ પુરુષ થોભ્યો. આવેશમાં ને આવેશમાં એ ખૂબ બોલી ગયો હતો, એટલે એનો શ્વાસ વધી ગયો હતો.
“દાદા, શાન્તિ રાખો, વિશ્વાસ રાખો, ઇષ્ટદેવનું સ્મરણ કરો ! તમે ખાતરી રાખો કે અમે એ જ્ઞાતપુત્રની માયાજાળમાં નહીં ફસાઈએ, એનો ઉપદેશ નહીં સાંભળીએ, એના સ્થવિરસંતોનું માન નહીં કરીએ !”
એ વાત બરાબર છે, પણ તમારામાંના કેટલાક ભોળા છે. અને આ તો શૂદ્રોને નામશેષ કરવાની ચાલાકી છે. દરેક જણ ઊભો થઈને પ્રતિજ્ઞા કરે કે અમે એનું એક પણ વાક્ય કાને નહીં ધરીએ ! તો જ મને શાન્તિ થાય.”
દાદાનાં આ વચનોએ ચારે તરફ જરા ઘોંઘાટ ઊભો કર્યો. એક બાજુથી સ્વરો આવવા લાગ્યા : “શું દાદાને અમારા પર વિશ્વાસ નથી ?''
“દાદા અમને મુખ ધારે છે ?” પણ આ બધા સ્વરો કરતાં એક મોટો સ્વર ચારે તરફ ગાજી રહ્યો :
દાદાને મરતાં મરતાં ય સાચી મતિ નથી સૂઝતી ! જ્ઞાતપુત્રના ઉપદેશને જરા તો શાન્તિથી વિચારો ! એને તમારી પાસે શો સ્વાર્થ છે ? એણે કેટકેટલાને પાપના માર્ગેથી વાળ્યા છે એ તો જુઓ ! આ તો ધર્મકર્મની બાબત દાદાની કહેવાની ફરજ, આપણી સાંભળવાની અને યોગ્ય લાગે તો, આચરવાની ફરજ ! શા માટે બધાએ બંધાઈ જવું ! મને તો દાદાનો પ્રતિજ્ઞાનો આગ્રહ ફોગટ લાગે છે.”
રોહિણેય 30
Page #25
--------------------------------------------------------------------------
________________
આ પ્રચંડ સ્વર માતંગનો હતો. આ સ્વર સાંભળી મરતો મરતો રોહિણેયનો દાદો એક વાર બિછાનામાં બેઠો થઈ ગયો. દાઢીમૂછના કાતરા ઠીકઠાક કરતો એ મોટા ડોળા ફેરવવા લાગ્યો. શ્વાસની ધમણ વધતી હતી. બધાં માણસો પણ બે ભાગમાં વહેંચાઈ ગયાં.
વાતાવરણ ઉગ્ર બન્યું. સામસામાં હથિયારો નીકળી પડે તેવી ક્ષણ હતી ! અને પછી ઉશ્કેરાયેલું આ ટોળું રક્તપાત વિના શાંત નહીં થવાનું.
જુવાન રોહિણેય દાદાના મૃત્યુના શોકમાં નીચું માથું કરીને અત્યાર સુધી ખાટલા પાસે શાન્ત ઊભો હતો. એણે સમય જોયો. હાથીના ગંડસ્થળ જેવા પોતાના મસ્તકને એણે ઊંચું કર્યું; આંખના ખૂણા પરનાં બે આંસુને લૂછી નાખ્યાં, ને એ વચ્ચે આવી ઊભો.
ભાઈઓ, શાન્ત થાઓ ! અત્યારે પૂજ્ય દાદાની આ ક્ષણે આપણને આમ વર્તવું ન શોભે !''
ટોળું એકદમ શાન્ત બની ગયું.
રોહિણેય વૃદ્ધ દાદાની પાસે ગયો. એમના શરીરને એણે બે બાહુ વચ્ચે લઈને ધીરેથી પથારીમાં સુવાડવું, અને દાદાના ચરણ પાસે ઊભો રહી બોલ્યો :
દાદા, ઓ આખો સમૂહ તમે મને સોંપતા જાઓ છો ને ? દાદાજી, શાન્ત થાઓ ! જીવનની આ અંતિમ પળે શા માટે અકારણ ક્રોધ કરો છો ? આ પલ્લી, આ આખું જૂથ, આ ધનમાલનો માલિક તો તમે મને જ ઠરાવ્યો છે ને ?”
હા બેટા !''
તો મને જ પ્રતિજ્ઞા આપો ને ! અને એ રીતે આપ મને પલ્લીપતિ તરીકેનો અભિષેક કર ! આ બધાની વતી હું જ આપની પાસે પ્રતિજ્ઞા સ્વીકારું, એ જ ઉચિત છે. દાદાજી, મારા ડહાપણમાં ને બાહુબળમાં તો આપને વિશ્વાસ છે ને ?” - “મારો રોહિણેય તો લાખોમાં એક છે !"
તો દાદા, આપો મને પ્રતિજ્ઞા ! આપના ચરણને સ્પર્શ કરીને અંજલિ જોડું હું : જીવ અને જાતને સાટે !”
બેટા, ભૂલેચૂકે પણ એ જ્ઞાતપુત્રનાં દર્શન કરીશ નહિ. કદાચ દર્શન થઈ જાય તો એનો એક પણ શબ્દ શ્રવણ કરીશ નહિ. એનું દર્શન-શ્રવણ આપણને અધોગતિએ લઈ જનારું, ધંધોધાપો ભુલાવનારું અને માયાજાળ પ્રસારનારું છે.”
“દાદાજી, ઇષ્ટદેવની સાખે, આટલા મારા શુરવીર સાથીદારો અને પલ્લીજનોની સાખે હું પ્રતિજ્ઞા કરું છું કે, એ જ્ઞાતપુત્રનાં દર્શન કે એની વાણીનું શ્રવણ નહીં કરું ! બીજા કરતા હશે તો એમને એમ કરતા અટકાવવા યત્ન કરીશ. અને એ રીતે આપે
32 D સંસારસેતુ
સોંપેલ આ પલ્લી, આ પલ્લીની શોભા અને આપની કીર્તિને ચોગુણી વધારીશ !”
શાબાશ બેટા રોહિણેય ! મારી શિક્ષા આજે ફળી. તારો પિતા તો તારા જન્મ પછી તને જોવા લાંબો વખત ન જીવ્યો. તારી મા પણ ન જીવી, પણ બેટા, આજ મારા જીવને શાન્તિ થઈ. હવે મારો વિદાયનો વખત નજીક આવતો જાય છે. સહુને છેલ્લા જુહાર છે !”
અને એ વૃદ્ધ તદ્દન શાન્ત થઈ લાંબી સોડ તાણી પડખું ફેરવીને સુઈ ગયો. બધાં ચારે તરફ વીંટળાઈ વળ્યાં. વૃદ્ધની એક એક નસ તૂટી રહી હતી. શરીરનું દૈવત ધીરે ધીરે ઓછું થઈ રહ્યું હતું.
મોતની પળ તો મીઠાશની હોય, માતંગને લાગ્યું કે પોતે જરા ઉતાવળ કરી. અને જો આ જુવાન રોહિણેયે વિવેકબુદ્ધિ ને સમયસૂચકતા ન વાપરી હોત તો આજે જ અહીં રણમેદાન જામી ગયું હોત ! માતંગને રોહિણેય તરફ માનબુદ્ધિ જાગતી ચાલી. એ ધીરેથી વૃદ્ધના ખાટલા નજીક ગયો, મરતા જીવને શાતા આપવાનો કોઈ માનવધર્મ એને હાકલ કરી રહ્યો હતો. એ લાગણીભર્યા સ્વરે બોલ્યો :
“દાદા, શાન્તિ રાખજો. હવે આ લોકની મમતા છોડી ઇષ્ટદેવમાં ધ્યાન જોડી દેજો ! રોહિણેય જેવો તમારો એવો અમારો ! એની ચિંતા ન કરશો.”
માતંગના આ શબ્દોએ દાદાના મોં પર એક આછું હાસ્ય જગાવ્યું. પણ એ હાસ્ય છેલ્લું હતું. જીવનભરનો જોદ્ધો છેલ્લી ઊંઘમાં પોઢી ગયો. રોહિણેયના આક્રંદથી આખી પલ્લી ગાજી ઊઠી. તસતસતી યુવાનીવાળા રોહિણેયને વૃદ્ધ દાદાનો વિયોગ ક્ષણભરને માટે બેબાકળો બનાવી રહ્યો.
સહુએ એકઠા મળીને દાદાનો ઉત્તરસંસ્કાર કર્યો.
દુ:ખનું ઓસડ દહાડા ! ધીરે ધીરે વખત જતો ચાલ્યો તેમ તેમ ગમગીની ઓછી થતી ચાલી.
રોહિણેય હવે પોતાના ધંધાના પ્રસ્થાન માટે તૈયારી કરી રહ્યો હતો. એને કોઈ અજબ પરાક્રમ કરવાની તાલાવેલી લાગી હતી. પણ ઘણા દિવસથી એને દેશની કોઈ માહિતી મળી નહોતી. વૈભાર પર્વતની ગિરિમાળાઓ અભેદ્ય હતી, અને એથીય અભેધ હતી એની કિલ્લેબંધી ! એ તરફના માર્ગ ઉજજ ડે હતા. સાર્થવાહો ત્યાંથી કદી નીકળતા નહિ, અને નીકળતા તો સહીસલામત ભાગ્યે જ પહોંચતા. એમને પણ આ વનના બેતાજ બાદશાહોને નજરાણું ધરવું પડતું. રાજા બિમ્બિસારના અનેક યોદ્ધાઓ પણ અહીં આવી જીવ જોખમમાં મૂકી નાસી છૂટેલા.
આટઆટલી કિલ્લેબંધી છતાં રોહિણેયને ઓછી ચિંતા નહોતી. એક પણ લૂંટ કે એક પણ ધાડ પાડતાં પહેલાં એને રાજ્યના બધા સમાચારોથી વાકેફ બનવું પડતું. નવા સમાચારો માટે આજે એ એકલો જ બહાર નીકળવાનો હતો. એની આખી
રોહિણેય 33
Page #26
--------------------------------------------------------------------------
________________
પાનીને માત્ર સ્પર્શ કરવા માટે પણ હજાર હજાર સુવર્ણમુદ્રાઓ કુરબાન કરનારા પડયા છે !'
નાવિક, ચાલ, તારી નૌકાને તૈયાર કર ! દેવદત્તાને ત્યાં જ આજની રાત ગાળીશું.”
ભલે, ભલે !”
થોડી વારમાં ગંગાના પ્રવાહમાં નૌકા સડસડાટ આગળ વધતી ચાલી. રાજગૃહીના ભવ્ય પ્રાસાદોના આકાશદીપકો હવે દેખાતા હતા. નૌકાનો પ્રવાસી એ દીપકો તરફ ધારીધારીને મીટ માંડી રહ્યો હતો.
ઊગતી તરુણાવસ્થાની સુંદરતા એના દેહ પર વિલસી રહી હતી. ભરાવદાર ગૂંછળાવાળા વાળ ઉપર એણે કીમતી ઉષ્ણીષ (પાઘડી) પહેરી હતી. કાને કુંડળ હતાં ને હાથે બાજુબંધ પહેર્યા હતા. ગળામાં એક મોટો રત્નહાર લટકી રહ્યો હતો. બે હાથ પર બહુમૂલ્ય સુવર્ણમુદ્રિકાઓ શોભતી હતી.
મૂછનો દોરો હજી ફૂટતો હતો, ને વસંતઋતુનાં કેસૂડાંની સુરખી એના તનબદન પર વિલસી રહી હતી. શી એની કાન્તિ ! કેટલા લાંબા બાહુ ! કેટલું કસાયેલું બદન ! રાત હતી, એટલે એની આંખોના ચમકારા અણદીઠ રહેતા હતા, નહિ તો એની ઉઘાડ- મીંચ પણ અજ ભૂ તેજ વેરતી હતી.
પલ્લી તો જુદા જુદા વનવિહારો ને વનનૃત્યોમાં મશગૂલ હતી.
સૂરજ મહારાજે પોતાની તમામ કળા સંકેલી લઈ, વૈભારગિરિની શિખરમાળોને કસુંબલ રંગે રંગી લીધી કે રોહિણેય પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો. એ એકલો હતો. ક્ષણવારમાં તો એ પલ્લી વટાવી ઊંડી ખીણોમાં સરી ગયો. ગંગાના કિનારેથી પલ્લી સુધીનો કોઈ ચોખ્ખો કે નિયત માર્ગ નહોતો. ત્યાં એકાદ પગદંડી કે માણસના અવરજવર જેવાં ચિહ્ન પણ કદી શોધ્યાં ન મળતાં.
આખું જંગલ, એની કંદરાઓ, એની ખીણો, એનાં નાનાં નાનાં ઝરણાં, વાઘવરુની બોડો, એ બધાં વચ્ચેથી એમનો છૂપો માર્ગ વહ્યો જતો હતો. માથોડું માથોડું ઊંચા ઘાસમાં થઈને એમનો માર્ગ ચાલ્યો જતો. આવા માર્ગોએ રોહિણેય ઝડપથી આગળ વધતો હતો. ઘડીકમાં કોઈ ખાડો કૂદતાં નાનો બની જતો, તો કેટલીક વાર એક ઝાડ પરથી બીજે ઝાડ જતાં તાડ જેવો પડછંડ લાગતો એ ચાલતો હતો, દોડતો, કૂદતો હતો કે છલંગો ભરતો હતો, એનો નિર્ણય થઈ શકતો નહિ.
આખરે ગંગાને તીરે આવીને એ થોભ્યો. એણે મોંએથી ઝીણી સિસોટી વગાડી, અને પાછળથી જંગલી જાનવર જેવો અવાજ કાઢઢ્યો. પડતી રાતની શાન્તિમાં આ અવાજ દૂર દૂર સુધી સંભળાયો.
એકાએક કોઈ જંગલી જેવો માણસ પાસેની વનરાજિમાંથી હાથમાં નાનું પોટકું લઈને બહાર નીકળી આવ્યો. રોહિણયે પોટકું છોડીને એમાંથી જોઈતો પોશાક વગેરે લઈ લીધું.
બેએક ક્ષણ વીતી અને ગંગાના એક ઘાટ પર કોઈ દેશદેશની યાત્રા કરવા આવેલો રંગીલો સાર્થવાહ નૌકાવાળાને રાજ ગૃહીની સુંદર ગણિ કાના ધામ માટે પૂછી રહ્યો હતો. એના હાથમાં સુવર્ણમુદ્રાઓ ખખડી રહી હતી. નાવડીઓના નાના દીપકોના ઝાંખા પ્રકાશમાં ચમકતી સુવર્ણમુદ્રાઓ ગરીબ નાવિકો પર અજબ કામણ કરી રહી હતી.
“રસિકજનો માટે તો પ્રિયદર્શના ખરેખર, સ્વર્ગની સુંદરી જેવી છે.” એક નાવિકે કહ્યું.
અરે, મારા શેઠ ! એવી હજાર પ્રિયદર્શનાઓ જેના રૂપ પાસે ઝાંખી પડે, એવી દેવદત્તાને આપ જુઓ તો સ્વર્ગની અપ્સરાનેય ભૂલી જાઓ !” બીજા નાવિકે વચ્ચે ઉમેર્યું. નાવિકોને સુવર્ણમુદ્રાઓ વધુ ને વધુ વાચાળ બનાવી રહી હતી. એટલેથી પણ એ ન થોભ્યો; એણે આગળ વધાર્યું :
મારા મહેમાન, હજી ફક્ત ચારેક દિવસ પહેલાંની જ વાત છે કે દેવદત્તા મારી જ નૌકામાં બેસીને ઠેઠ વૈશાલીના રાજદરબારમાં જઈ આવી ! અનેક રાજકુમારો, રાજદૂતો, શ્રેષ્ઠીપુત્રો મારી હોડીમાં જ બેસીને ત્યાં ગયા છે. અરે, એના પગની
34 D સંસારસેતુ
રોહિણેય 1 35
Page #27
--------------------------------------------------------------------------
________________
6
અજબ પુરુષ
સાર્થવાહને દેવદત્તા ગણિકાના આવાસનો દ્વારદીપક બતાવીને નાવિક પાછો ફર્યો, ત્યારે રાતનો પ્રથમ પ્રહર સમાપ્ત થઈ ગયો હતો. થોડે દૂર આવેલા પાનગારમાં હજી હોહા સંભાળતી હતી; અને મિંદરાના ઘેનમાં ડોલતાં કેટલાંય સ્ત્રીપુરુષો ત્યાં અવરજવર કરતાં હતાં. એમના વેશ વિચિત્ર હતા ને વૈશીય વિચિત્ર એમનાં ચેષ્ટા અને હાવભાવ હતાં. કોઈ મૂછાળો મર્દ પોતાની સાથેની માનુનીનું ઉત્તરીય ઓઢીને સ્ત્રી જેવી ચેષ્ટા કરતો જતો દેખાતો, તો કોઈ સ્ત્રી માથે મોટી ઉષ્ણીષ પહેરી મોંમાંથી દુર્ગંધની વર્ષા કરતી જતી જોવાતી.
એ બધાંના મોંમાંથી છૂટતી દુર્ગંધ તો એમની ભાષા, ભૂષા ને ચેષ્ટા કરતાંય અસહ્ય હતી. આ યુવાન સાર્થવાહને એક વાર તો આવે સ્થળે આવવા માટે કંટાળો આવી ગયો. આ લોકો પ્રત્યે ઘૃણા કરવી કે દયા દાખવવી એની એને કંઈ સૂઝ ન પડી. એ વેગથી આગળ વધ્યો.
દેવદત્તાના આવાસ નજીક આવતાં જાણે કોઈ નવીન અનુભવ થતો હોય તેમ હવા મીઠી ને સુગંધભરી વહેતી લાગી. ચારે તરફનું વાતાવરણ પ્રશાન્ત અને ઉલ્લાસભર્યું થતું ભાસ્યું. આવાસના ઊંડા ઊંડા ખંડોમાંથી ધીરો ધીરો નૃત્યઝંકાર, વાઘોનો સુરીલો સ્વર ને ગાનારીઓની કંઠમાધુરી મૃદુ મૃદુ રીતે શ્રવણપટને સ્પર્શવા લાગ્યાં.
“શ્રીમાન્ સાર્થપતિ, આ વિનમ્ર દાસી આપનું સ્વાગત કરે છે. પધારો ને આ આવાસને શોભાવો !” દ્વાર પર ઊભેલી એક સુંદર દાસીએ યુવાન સાર્થવાહનું સ્વાગત કર્યું.
સાર્થવાહે સહેજ ઊંચે જોઈ, મસ્તક નમાવી, દાસીનું સ્વાગત સ્વીકાર્યું અને
પોતાના કમરબંધમાંથી કેટલીક મુદ્રાઓ કાઢી દાસીના હાથમાં મૂકી. સાથે સાથે પોતાનો એક બાજુબંધ છોડીને તેને ભેટ આપ્યો.
દાસી વિમાસણમાં પડી ગઈ. એની લાંબી પલકો અને નાના કોમળ હોઠ ચંચળ થઈ ગયાં. એ મુખ મલકાવતી યુવાન તરફ નીરખી રહી. પણ આ યુવાનની દૃષ્ટિ દાસીના સુંદર દેહ પર નહોતી; એ તો સ્વરોની દિશા તરફ જોઈ રહ્યો હતો. આ દીપકદ્વાર નીચેથી નાનામોટા કેટલાય માનવીઓ આવ્યા-ગયા હતા. એમાંના અનેક ઉદાર હતા, અનેક શ્રીમંત હતા, અનેક રૂપસુંદર હતા, પણ પહેલી જ પળે સૌન્દર્ય તરફની આટલી બેપરવાઈ, ધન આપવાની આટલી ઉદારતા દાસીએ બહુ ઓછામાં જોઈ હતી.
પાંગરતી તરુણાવસ્થા હતી, તોય આ સાર્થવાહનું આખું શરીર અત્યંત સુગઠિત હતું. રક્તવર્ણા એના દેહ પર પૌરુષની આકર્ષક આભા વિરાજતી હતી. એનું મસ્તક વિશાળ હતું, કેશ કાળાભમ્મર હતા અને આંખો તો વીજળીના ઝબકારા જેવી તેજ-વેરતી હતી. લાંબા હાથ આજાનબાહુ લાગતા હતા. મોહરાજ્યમાં વસી વીને નિર્મોહી બનેલી દાસીને પણ ક્ષણમાત્રમાં આ યુવાનની યુવાની પ્રત્યે માયા જાગી.
સાર્થવાહને દોરતી દોરતી દાસી આવાસના એક ખંડમાં આવી પહોંચી. આ ખંડનું એક દ્વાર નૃત્યવાળા ખંડમાં પડતું હતું. આ ખંડ નૃત્ય કરનારી સ્ત્રીઓને વેશભૂષા સજવા માટે રાખવામાં આવ્યો હતો. નૃત્યખંડમાં દેવદત્તા પોતાની ચાર નર્તકીઓ સાથે નાગનૃત્ય કરી રહી હતી.
દાસીએ અર્ધખુલ્લા દ્વારમાંથી સંકેત કરતાં કહ્યું : “મહાશય, પેલી વંસવીણા વગાડતી ચાર સ્ત્રીઓની વચ્ચે, દેહના ટુકડા કરી નાખ્યા હોય એમ, અર્ધી જમીન પર ને અર્ધી ઊંચી ઝૂમતી રહી નૃત્ય કરી રહેલી મારી સ્વામિની દેવદત્તા ! પૃથ્વી પરની પદ્મિની, સ્વર્ગમાં વસતી કોઈ પરી અને પાતાળની કોઈ પણ માયાવિની કરતાં એ વધુ સુંદર લાગે છે ને !”
“આ જ તારી સ્વામિની દેવદત્તા ?” સાર્થવાહે શબ્દ ઉપર જરાક ભાર આપતાં પૂછ્યું.
“હા, એ જ દેવદત્તા ! મગધની એકમાત્ર સુંદરી ! મહાશય, એનો સ્પર્શ પારિજાતક પુષ્પથીય કોમળ છે,” જાણે દાસી યુવાનને કામદેવના પ્રાસાદનાં પગથિયાં બતાવતી હતી.
“પુષ્પથીય કોમળ !” યુવાન હસ્યો. જાણે આ ઉપમા એને હસવા જેવી લાગી.
ચંચળ રીતે ફરી રહેલાં એનાં નેત્રો દેવદત્તાનાં અંગભંગ પર સ્તબ્ધ ન થઈ શક્યાં. એ તો રંગસભાના પુરુષો તરફ જ નીરખી રહ્યો હતો. અજબ પુરુષ – 37
Page #28
--------------------------------------------------------------------------
________________
દાસી, પ્રથમ તો હું આ રંગસભામાં પધારેલા અગ્રગણ્ય પુરુષોની ઓળખાણ માટે ઇંતેજાર છું !”
“નૃત્યભવનમાં જ પધારો ને ? ત્યાં પ્રત્યક્ષ પરિચય સધાશે.”
“ના, ના, આ દેશથી હું સર્વથા અજાણ્યો છું. આટલાં બધાંની વચ્ચે જઈને બેસતાં મને સભાક્ષોભ થઈ રહ્યો છે. અહીં જ ઓળખાણ આપ !”
એમાં લજ્જા કરવા જેવું કંઈ નથી, સાર્થવાહ ! દેવદત્તાનાં નૃત્ય જોવાં, એનો અંગભંગ નીરખવો ને એની સુશ્રી વિશે ચર્ચા કરવી એ તો સંસ્કારિતાનું ચિહ્ન છે. ઘણા કવિઓ એના એક એક અંગ પર લાંબી લાંબી કવિતાઓ કરે છે. અને છતાંય નાગરિકો કહે છે કે ઉપમા અને અલંકારો ઓછાં પડે છે ! દેવદત્તાના સૌંદર્ય ને સ્વરો વિશે છડેચોક ચર્ચા કરવામાં આબાલવૃદ્ધ સુન્નતા સમજે છે.”
સુન્નતા, સંસ્કારિતા !” કોઈ અજ્જડ માણસ બોલે તેમ આ શબ્દોનું સાર્થવાહે પુનરુચ્ચારણ કર્યું. દાસીની આ વાતથી એ આશ્ચર્ય પામતો હોય એમ ભાસ્યું. સ્ત્રીનાં અંગોપાંગની આવી ચર્ચા સુન્નતા ને સંસ્કારિતા કેમ લેખાય, એની જાણે એને સમજ ન પડી !
- “દાસી, હમણાં આ રંગસભા વીખરાઈ જશે ને ઓળખાણ વગરનો રહી જઈશ. પરદેશી છું, પારકી ભોમનો વાસી છે, માટે ત્યાં જતાં શરમ આવે છે.”
ભલે ત્યારે, જુઓ, પેલા રંગસંભાની પ્રથમ પંક્તિમાં સહુથી આગળ ઉચ્ચાસને બેઠેલા છે, તે રાજગૃહીના સમાહર્તા. ખાણ, સેતુ, વન અને વ્રજ-બધાંના એ અધિકારી !”
“યોગ્ય છે, અનુભવી પણ લાગે છે.” દેવદત્તાના રૂપને બદલે સમાહર્તા આકૃતિને નેત્રો દ્વારા પી રહ્યો હોય તેમ સાર્થવાહ બોલ્યો.
“અને તે પછીના અનુક્રમે સૂત્રાધ્યા, સીતાધ્યક્ષ, સૂરાધ્યક્ષ ને ગણિકાધ્યક્ષ !” “ધન્ય છે ! ધન્ય છે ! વાહ ! તે પછીના કોણ છે ?”
મગધના તલવરો (પટ્ટાવાળા ક્ષત્રિયો), માંડલિકો ને ઇભ્યો છે. પેલા શ્રીદેવતાની મૂર્તિવાળા સુવર્ણપટ્ટ જેમણે માથા પર બાંધેલા છે, તે રાજગૃહીના શ્રેષ્ઠીઓ છે.”
શ્રેષ્ઠીઓ !” યુવાને કંઈક કરડાકીમાં કહ્યું. “ કેમ ચમક્યા ?”
ના, ના. ચમકવાનું કંઈ કારણ નથી. શ્રેષ્ઠીઓ સાથે અમારે તો સદાનો સંબંધ રહ્યો, તેથી વિષય ઓળખાણની ઇચ્છા રાખું છું. એમની સંપત્તિ, સામર્થ્ય વિશે કંઈ
વસે છે, જેની લક્ષ્મીનું માપ ખુદ કુબેર પણ ન કાઢી શકે. અહીં આવેલા શ્રેષ્ઠીઓમાં પણ કેટલાક દશ દશ ને વીસ વીસ હિરણ્યકોટી નિધાનના માલિક છે. દશ હજારના એક એવા ગાયોના અનેક વ્રજ તેઓની પાસે છે. ક્ષેત્રવાસ્તુનો તો પાર નથી. કોઈ પાંચસો હાટના સ્વામી છે, કોઈ હજાર હાટના.”
“ધન્ય છે રાજગૃહીને ! દાસી, બહુ વાચાળ લાગું તો માફ કરજે ! તારી ભાષા વજન જેવી ને તારો વર્તાવ નેહી જેવો લાગે છે, એટલે જ આ પ્રશ્ન કરી રહ્યો છું. મુજ પરદેશીની એક વધુ ભેટ સ્વીકાર ને મને રંગસભાનો પૂરો પરિચય આપી આભારી કર ! સાર્થવાહે કાનનાં કિંમતી કુંડળો દાસીને ભેટ આપ્યાં.
દેવદત્તા નાગનૃત્યમાં તલ્લીન બની હતી. આખી સભા ચિત્રવત્ સ્તબ્ધ બની હતી. માનવહૃદયને સહેજે મૂર્છા આવે એવું વાતાવરણ હતું. પણ જાણે આ યુવાન તેનાથી પર હતો. કાં તો જેણે સ્ત્રી-સ્વરૂપની મનોરમતા ને તેનું સ્પર્શ સુખ પિછાણ્યું નહીં હોય, અથવા તો એ બધાં પર એને વૈરાગ્ય આવી ગયો હશે, નહિ તો અત્યારનું વાતાવરણ જ એવું હતું કે માનવીની વાચા જ થંભી જાય.
વસવીણાના મીઠા સ્વરો અજબ ઝણઝણાટી કરી રહ્યા હતા, ને સ્વરોમાં મુગ્ધ થઈને સર્પ ડોલે તેમ દેવદત્તા ડોલી રહી હતી. આખું અંગ એક પણ અસ્થિ વગરનું હોય એમ નાગફણની જેમ એનું કાળાભમ્મર કેશકલાપથી ઓપતું મસ્તક સ્વરલહરીઓ સાથે ડોલન કરી રહ્યું હતું.
દેવદત્તાના દેહ પર એક પણ આભૂષણ નહોતું. એના ગૌર, માંસલ અને સ્નિગ્ધ દેહ પર માત્ર એક ઘનશ્યામ વત્ર વીંટાળેલું હતું. માથા પર હીરાજડિત દામણી હતી, અને લાંબો મધુર કેશકલાપ સર્પફેણની જેમ ઉન્નત રીતે ગૂંથેલો હતો. કાળા વસ્ત્રથી આચ્છાદિત એનાં ગૌર અંગો અજબ આકર્ષણ ઉત્પન્ન કરી રહ્યાં હતાં.
સાર્થવાહની દૃષ્ટિ બેએક ક્ષણ દેવદત્તાના નૃત્ય પર થંભી રહી, પણ પુનઃ સભાજનો પર ફરવા લાગી. દાસીએ ઓળખાવેલા તમામ રાજગૃહીના અગ્રગણ્ય પુરુષોને જાણે આજે ને આજે એ પિછાની લેવા ઇચ્છતો હતો.
નાગનૃત્ય કરતી દેવદત્તાને જાણે સમાધિ ચડી ગઈ. વીણાના સ્વરો ધીરે ધીરે હવામાં લીન થતા ચાલ્યા, ને આખરે સ્વરો બંધ થવા સાથે નૃત્ય સંપૂર્ણ થયું. ચાર દાસીઓ સાથે દેવદત્તા ઝડપથી સભામાંથી પસાર થઈ ગઈ. આખી સભા પરથી જાણે કોઈએ વશીકરણ વિદ્યાનો પ્રભાવ પાછો ખેંચી લીધો. દેવદત્તાના નૃત્યની સહુ વાર્દવાર્દ કરવા લાગ્યાં.
નૃત્યથી શ્રમિત થયેલી દેવદત્તા વેશપરિધાનના ખંડમાં ત્વરાથી પ્રવેશી નૃત્યનો સાજ જલદી જલદી ઉતારી, દેહ પર લગાડેલો રંગલેપ ધોવા નાના એવા હોજ પાસે એ જતી હતી, ત્યાં દાસીએ કહ્યું :
અજબ પુરુષ D 39
મગધની સંપત્તિની તો વાત જ ન કરવી. રાજગૃહીમાં એવા એવા શ્રીમંતો
38 3 સંસારસેતુ
Page #29
--------------------------------------------------------------------------
________________
આ પરદેશી સાર્થવાહ માપની મુલાકાતે આવેલ છે. થોડી એક ક્ષણોમાં તો એમણે સ્વજન જેવો ભાવ જન્માવ્યો છે.”
મગધપ્રસિદ્ધ દેવદત્તાના સ્વજન બનવાનું અહોભાગ્ય કોને મળે છે ?” સાર્થવાહે શ્રમિત સુંદરીની ખુશામત કરતાં કહ્યું : “અમારા દેશમાં લક્ષ્મી છે, વ્યાપાર છે, નૃત્યભવન છે, પણ દેવદત્તા જેવી નૃત્ય-સુંદરી ત્યાં નથી. સુવર્ણમુદ્રાઓ કરતાં સૌંદર્ય મુદ્રાઓ અમારે મન બહુમૂલ્ય છે. આજ મને લાગે છે, કે મારો દુ:ખદ ને અતિદીર્ધ શ્રમપ્રવાસ તમારા દર્શન સફળ થયો છે.”
જુવાનના મુખેથી દેવદત્તા પોતાનાં વખાણ સાંભળી રહી. આવાં વખાણ જોકે એણે ઘણી વાર સાંભળ્યાં હતાં, આલંકારિક શબ્દોના કુથ્થા હવે એને રુચતા પણ નહોતા, છતાં આ જુવાનના શબ્દો તેને પ્રિય લાગ્યા. આ શબ્દો પાછળ સ્વસ્થતાનો ટંકાર હતો. એમાં કામની વિહ્વળતા, મોહની વ્યાકુળતા કે વાસનાની મૂર્ખતા નહોતી.
ઊગતી તરુણાવસ્થા, નિખાલસ પુરુષત્વ ને ચંચળ નયનોની શક્તિ દેવદત્તાને સહેજ માં આકર્ષી ગયાં. એને લાગ્યું કે આ સાર્થવાહ સાથે થોડીએ ક ઘડીઓ જરૂર વિતાવવા જેવી છે. એનું પુરુષત્વ પ્રિયકર લાગ્યું. એ બોલી :
દાસી, તાંબૂલ લાવે.'
કુશળ દાસી તાંબૂલથી મઘમઘતો થાળ લઈ આવી. યુવાને તાંબૂલ લઈ મોંમાં મૂક્યું અને કમર પરના પટામાં રહેલી બંસજાળમાંથી સુવર્ણમુદ્રાઓનો થાળમાં ઢગલો કરી દીધો.
દેવદત્તા સાર્થવાહના વર્તાવ પર મુગ્ધ થતી ચાલી, એને લાગ્યું કે આ સાર્થવાહ અવશ્ય ભોગી ભ્રમર છે. નહિ તો સુંદરીઓને વશ કરવાની આ રીતથી તદ્દન સ્વસ્થ હતો. એની આંખો તદ્દન મદ વગરની ચણકતી હતી, એના એકે અંગમાં કામદેવતાનો સંચાર થયાની ધ્રુજારી જોવાતી નહોતી.
અજબ યુવાન ! પુરુષના સ્પર્શમુખ ને સહવાસ માટે તદન નિર્મોહી ને ઉદાસીન બનેલ દેવદત્તાના દિલમાં જાણે વાસનાની ચિનગારી ફરીથી ઝબૂકી. જીવનની ભૂંડીભૂખ ને કેવળ દેહવ્યાપારના નીચ વ્યાપારમાં વીતેલી અનન્ત રાત્રિઓમાં આ રાત્રિ કોઈ નવો સંદેશ લઈને આવેલી જણાઈ.
“સાર્થવાહ, રાજગૃહીમાં કેટલી રાતોનો નિવાસ છે ?”
વ્યાપારને અનુકૂળ જેટલા દિવસો મળે તેટલો ! વ્યાપારીને તો લક્ષ્મી જ સર્વસ્વ છે ને !”
રાજગૃહી તો લક્ષ્મીનું નિવાસસ્થાન છે !' નિર્જીવ અને સજીવ, બંને લક્ષ્મીઓ અહીં વસતી જણાય છે.”
સાર્થવાહનો વ્યંગ દેવદત્તા સમજી ગઈ. એણે વિશેષ કંઈ જવાબ ન આપતાં કહ્યું :
“સાર્થપતિ, પેલા જળકુંડ સુધી મારો સાથ કરશો ?” “શા માટે નહિ ?"
દેવદત્તા આગળ ચાલી. સાર્થવાહ એ જ સ્વસ્થ રીતે તેની પાછળ પાછળ ચાલ્યો. આવાસના મધ્ય ભાગની અંદર એક જળકુંડ આવેલો હતો. સ્વચ્છ અને સુગંધી જળ છલોછલ ભર્યું હતું. જળકુંડના કિનારે બેસી એના સ્વચ્છ જળનો આસ્વાદ લઈ શકાય એ રીતે ચારે બાજુ સંગેમરમરની પીઠિકાઓ ને આસનો યોજેલાં હતાં.
એક પીઠિકા પર દેવદત્તાએ સાર્થવાહને બેસવા ઇશારો કર્યો, અને પોતે પણ પાસે જ બેસી ગઈ.
મોડી રાતનો ચંદ્ર ઊગતો હતો અને આવાસનાં સ્ફટિકદ્વાર ભેદીને એની જ્યોસ્ના દેવદત્તાના દેહ પર વેરાતી હતી. ઉમર કંઈક પ્રૌઢ થતી હતી, પણ એના દેહસૌંદર્યની આભા એટલી ને એટલી જ વિલસી રહી હતી. એનાં વિલાસયુક્ત પ્રફુલ્લિત નેત્રોની ઉઘાડમીંચમાં અજ બ આકર્ષણ હતું. એણે નૃત્યવેળાનું કૃષ્ણવસ્ત્ર કાઢી નાખ્યું હતું, અને રૂપેરી તારથી ગૂંથેલું એક ઉત્તરીય વીંટાળી લીધું હતું. મસ્તકના કેશ છૂટા મૂક્યા હતા, અને તે હવાની લહરીઓ સાથે નૃત્ય કરતા હતા. મુખ પર આવી પડતા કેશને સમારવો વારે ઘડીએ ઊંચો-નીચે થતો કમલદંડ જેવો એનો હાથે ખરેખર કોઈ કવિની કવિતા કરતાં પણ સુંદર ભાવ પ્રગટાવતો હતો. - પ્રૌઢ-યૌવના દેવદત્તા કોઈ રસિક પુરુષને અધીરયૌવના લાગે તેવો આ સ્વાભાવિક સંજોગ હતો, પણ પેલો સાર્થવાહ હજીય સ્તબ્ધ હતો, સ્વસ્થ હતો.
અરે , પેલું શું ?” એમ કહેતો સાર્થવાહ પીઠિકા પરથી ઊભો થઈ પાસે પડેલી બીજી પીઠિકા તરફ ધસી ગયો.
“એ તો સુવર્ણ મત્સ્ય છે. બહુ દૂર દેશથી ઘણા મૂલ્ય મંગાવેલ છે.” બે લાગે છે.*
જોડી વગર જગતમાં જિવાય કેમ ! સાર્થવાહ, એ નર-માદા છે. આવી ચાંદનીમાં ન જાણે શું ગેલ કરતાં હશે !” આ શબ્દોમાં કેફ હતો. અનંગરંગનો સ્પષ્ટ ટંકાર હતો. છતાં આવા ભોગોપભોગના કોઈ પણ વાતાવરણથી સાર્થવાહ પર ભાસતો હતો.
“દેવદત્તા, વૈભારની ગિરિમાળાઓમાં અજબ સુવર્ણપદ્દો ઊગે છે. એ પણ મંગાવીને આ કુંડને શોભાવ !”
40 D સંસારસેતુ
એ જ બે પુરુષ D 41
Page #30
--------------------------------------------------------------------------
________________
“વૈભાર તરફ જાઓ ત્યારે આજની સુંદર રાતની યાદગીરી તરીકે એટલી ભેટ મોકલજો ને !”
સાર્થવાહે કંઈ પણ પ્રત્યુત્તર ન આપતાં મુક્ત હાસ્ય કર્યું.
સ્ફટિકનાં દ્વારોમાંથી વધુ ને વધુ નિર્ઝરતી હતી. જળકુંડનું સ્વચ્છ જળ દેવદત્તાના દેહ પરના વિધવિધ સુગંધીમય લેપોથી મઘમઘી ઊઠ્યું હતું.
રાત હતી ને રસિયાં હતાં, સ્થળ હતું ને સહવાસ હતો; પણ એ યુગલ ચક્રવાક ને ચક્રવાકીનું હતું. મોડી રાત સુધી મીઠી મીઠી વાતો કરીને સાર્થવાહ ઊભો થયો ત્યારે રાત ઘણી વીતી ગઈ હતી.
“આ બે પીઠિકા વચ્ચેનું અંતર જાણે યોજનાનું અંતર ભાસ્યું છે.” વિદાય આપતી દેવદત્તાએ ભંગ કર્યો.
પરિચય વધતો જશે, એમ એ અંતર પણ ઓછું થતું જશે, અને એક દહાડો નામશેષ થઈ જશે.” હસતો હસતો સાર્થવાહ આવાસની બહાર નીકળી ગયો, ને છેલ્લી રાતના અંધારામાં અદૃશ્ય થઈ ગયો.
થોડી વારે તારાના ઝાંખા પ્રકાશમાં એક નૌકા વૈભારની ગિરિમાળા તરફ સરતી જોવાતી હતી.
રાજવાર્તા
આથમતી રાતના ઝાંખા પ્રકાશમાં વૈભાર પર્વતની શિખરમાળ તરફ સરી ગયેલી નૌકા, એ પછી કેટલાય મહિનાઓ સુધી અવારનવાર એવા જ અસૂરા ટાણે આવતી અને જતી જોવાતી. એમાંથી પેલો રંગીલો પરદેશી અજબ સ્વભાવનો સાર્થવાહ લપાતો છુપાતો દેવદત્તાના આવાસે આવતો અને જતો.
આ આગમન અને પ્રત્યાગમનના સાક્ષીભૂત આકાશના તારકો અને સાગરના જળદેવતા – આ બે સિવાય કાળા માથાનાં માનવીઓ ઓછાં હતાં. નાનીશી હોડીનો નાવિક આ સાર્થવાહ વિશે કંઈ શંકા ધરાવતો થયો હતો, છતાં હિરણ્યના લોભે એની જબાન બંધ રહેતી. એ જોતો હતો કે ગંગાના તોફાની તરંગો પર કદી કદી નૌકા કાગળની હોડી જેમ ધ્રુજી ઊઠતી : ત્યારે પણ આ સાર્થવાહ જરાય ગભરાતો નહિ. વેપારીવર્ગમાં આટલી નિર્ભયતા એણે જીવનમાં પ્રથમ વાર નીરખી હતી, અને આટલા વૈભવશીલ જીવ વૈભારગિરિના કઠોર પ્રદેશમાં વસવા જાય એ એને માટે નવો અનુભવ હતો.
આવી અનેક શંકાઓ દેવદત્તાને અને એની કુશળ દાસીને પણ ઘણી વાર થતી, છતાં યુવાનનું વ્યક્તિત્વ જ એવું હતું કે એને નીરખતાં એવા પ્રશ્નો આપોઆપ સ્મરણમાંથી સરી જાય.
દેવદત્તાના રસમંદિરે અનેક રસિયાઓ આવી ગયા હતા; એના ઉદ્યાનનાં સુંદર ફૂલો પર જેટલા ભમરા બેસવા આવતા, એનાથી વધુ ભોગી ભ્રમરો એની ચારે બાજુ વીંટળાયેલા રહેતા. પણ એ ભ્રમરોનું નસીબ બગીચાના ભ્રમરો કરતાં હીણું હતું. તેઓને એકાંત ભાગ્યે જ મળતું. વાતચીતનો પ્રસંગ દુષ્કર બનતો, અને શ્વાસથી શ્વાસ ભેટે એટલા નજીક બેસી મધુપાનનો પ્રસંગ જવલ્લે જ સાંપડતો.
42 સંસારસેતુ
Page #31
--------------------------------------------------------------------------
________________
દેવદત્તા સંસારવ્યવહારનાં સૂત્રોની પંડિતા હતી. કામશાસ્ત્રની વેત્તા હતી. માનવસ્વભાવથી સુપરિચિત હતી. એ જાણતી હતી કે મનોવાંછિતની પ્રાપ્તિ કરતાં એની પ્રતીક્ષા અત્યંત સુરમ્ય, મીઠા દર્દથી ભરપૂર અને સંપૂર્ણ સ્વપ્નોથી સેલી હોય છે. માનવીને એ વશવર્તી રાખે છે.
પ્રાપ્તિ પછીની ક્ષણો તો કંટાળાભરેલી, આશાભંગની અને સ્વપ્નનાં ખંડેરોની હોય છે. પ્રતીક્ષાના કલ્પનાજીવી રાજ્યમાં માનવી પાસે ને પાસે આળોટવા ઇચ્છે છે. પ્રાપ્તિ પછીનો માનવી ઠંડો, હતાશ ને નીરસ બને છે, એ દૂર દૂર જવા મથે છે. દેવદત્તા પોતાના ભોગી ભ્રમરો પર માનસશાસ્ત્રનો આ નિયમ અજમાવતી, અને એ જ કારણે એના ભ્રમરો ખૂબ હતા ને એનાં વખાણ ખૂબ થતાં. પણ સાર્થવાહ સાથેના પ્રસંગમાં દેવદત્તાની યુક્તિ દેવદત્તા ઉપર જ અજમાવાઈ.
દિવસોના દિવસોથી સાર્થવાહ આવતો હતો, પણ જાણે અનંગના રંગમાં તે સાવ અબૂધ ! વાતો સુંદર સુંદર કરે, પણ જાણે સ્વસ્થતાનો અવતાર ! વિવલતા, ઉન્માદ કે કંપ સહેજ સરખાં પણ જોવા ન મળે !
ન
પ્રતીક્ષાના આ દિવસો વીતતા ચાલ્યા ને જાણ્યે-અજાણ્યે દેવદત્તા અદૃશ્ય સ્નેહપાશથી બંધાતી ચાલી. દેવદત્તા સામાન્ય કુંભદાસી કે વેશ્યા ન હતી. મગધની જાણીતી ગણિકા હતી. અને એ કાળના જીવનમાં ગણિકાનું રાજકીય, સામાજિક ને ધાર્મિક મહત્ત્વ મોટું હતું.
ગણિકા સમાજજીવનની શિક્ષિકા હતી અને એની શાળામાં અનેક કન્યાઓ ને રાજકુમારિકાઓ નવજીવનના પાઠ લેવા, નૃત્ય ને સંગીત શીખવા આવતી. રાજાઓના અંતઃપુરમાં એનો પ્રવેશ નિષિદ્ધ ન હતો. દેશ, ગામ ને કુળમાં ઘટતા ઘટનાપ્રવાહો એનાથી સદા ગમ્ય રહેતા.
આવી પંડિતા દેવદત્તા પણ સાર્થવાહનાં નયનોના ઇશારે નૃત્ય કરવા લાગતી. એનો સહેજ પણ સ્પર્શ એને સ્વર્ગભુવનનાં સુખોની યાદ આપતો. આવું સ્ફટિક શું પારદર્શી પૌરુષ એણે જોયું નહોતું. એના યૌવન પર નિષ્કલંક કૌમાર્યની આભા હતી. એની આંખોમાં સ્ત્રીને વશ કરે એવું તેજ હતું, પણ સ્ત્રીથી ઝંખવાય એવી પ્રભા નહોતી.
ઊજળી દૂધ જેવી અનેક રાતોમાંની એક રાતે; એ જલકુંડના જ કાંઠે, ચક્રવાક ને ચક્રવાકીના યુગલ જેવાં આ બન્ને બેઠાં હતાં. ચાંદીનાં અને સુવર્ણનાં પાત્રો, વિધવિધ જાતનાં અશન, પાન, ખાદિમ ને સ્વાદિમથી ભરેલાં હતાં. સાર્થવાહને મધુમેરેય(દારૂ)ની અત્યંત ઘણા હતી, અને એ વાતની દેવદત્તાને જાણ થયા પછી એણે કેવલ રાજઅતિથિ સિવાય મધુમેરેય પીરસવાની બંધી કરી હતી. અને
44 D સંસારસેતુ
પાલંગામારના* સુંદર વારકોx તૈયાર કરાવવામાં આવ્યા હતા. ચાંદીના પાત્રમાં ભરેલ પાલંગામાધુર પીરસતાં દેવદત્તા બોલી :
“ભલા સાર્થવાહ, તમારો વ્યાપાર પરિપૂર્ણ થયો કે નહિ ? કેટલું દ્રવ્ય લાભમાં મેળવ્યું ?"
“દેવદત્તા, દ્રવ્યલાભ તો ઘણો થયો છે, પણ જે આવી રીતે દ્રવ્ય વેડફે એની પાસે બચે શું ? પણ વારુ, દેવદત્તા, હવે મારા કાર્યથી નિવૃત્ત થયો છું. આ દેશ છોડી દૂર દૂર મારા દેશમાં ચાલ્યો જઈશ. ભલા, એ વખતે બધા પૂછશે કે, રાજગૃહી કેવી ને ત્યાં કોણ રાજ કરે છે, તો હું શું કહીશ ? રાજકથાઓ તો અત્યંત રસપૂર્ણ હોય છે કાં ?”
“અવશ્ય ! એમાંય અંતઃપુરની વાતો તો વિશેષ !”
“હું એવી વાતો સાંભળવાનો અધિકારી બની શકું કે ?”
“અવશ્ય, વહાલા સાર્થવાહ, રાજગૃહની, રાજગૃહના રાજવીઓની અને એની અંતઃપુરની બધી ઘટનાઓ મને હસ્તામલકવત્ પ્રત્યક્ષ છે. તમે એ સાંભળવાને અધિકારી છો. સાંભળીને સુખ પામશો. હું તમારા પર પ્રસન્ન છું. હું તમને ગુપ્ત ને પ્રગટ બધી ઘટનાઓ કહીશ. તમારા દેશમાં તેમાંનો પ્રગટ ભાગ અવશ્ય કહી સંભળાવો !”
“સાર્થવાહ, હવે શાંતિથી સાંભળો ! આ અલબેલી નગરીના વસાવનાર રાજા બિંબિસારના પિતાનું નામ પ્રસેનજિત. એ કાશીના રાજા શિશુનાગની પાંચમી પેઢીનું સંતાન. શિશુનાગનો વંશ ખૂબ જ બળવાન. સહુએ પોતપોતાનાં નગર વસાવ્યાં ને આબાદ કર્યાં. પ્રસેનજિતે ગિરિત્રજ વસાવેલું. ગિરિત્રજની તેજસ્વી કળા આજે આથમતી છે. રાજગૃહી પાટનગર બનતાં એની સામે કોઈ જોતું નથી. પણ એ કાળે એ અલબેલી નગરી હતી અને એવો અલબેલો પ્રસેનજિત રાજા હતો.
“દેશદેશથી એણે સુંદરીઓ પરણી લાવી પોતાના અંતઃપુરમાં વસાવી હતી. એના વિશાળ અંતઃપુરમાં ઊડતાં પતંગિયાં જેવી ચંચળ સિંહલની સુંદરીઓ હતી, કાળાંભમ્મર ઝુલ્ફાંવાળી પારસની પત્નીઓ હતી. ભૂરી આંખોવાળી મિલ સુંદરી અને ચંદન જેવા શીતળ સ્પર્શવાળી મલયની માનુનીઓ પણ હતી. નાની નાજુક અવયવોવાળી, ચિત્રલેખા શી કેકેય દેશની કામિની અને હાસ્યના ફુવારા ઉડાડતી, રક્તોષ્ટવાળી સૌરાષ્ટ્ર સુંદરી પણ વસાવી હતી. કુરુ, કુશાવર્તને કલિંગ, વિદેહ, વત્સ ને ચેદી દેશની રૂપસુંદરીઓથી અંતઃપુર ભરી નાખ્યું હતું.” દેવદત્તા દેશદેશના * શલ્લક ઝાડના ગુંદરમાંથી બનાવેલું પીણું.
× ગાડવા
* હાથમાં રહેલા આમળાના ફળ જેટલી સ્પષ્ટ.
રાજવાર્તા D 45
Page #32
--------------------------------------------------------------------------
________________
પરિચયનું પાંડિત્ય દર્શાવતી બોલતી હતી.
“આટઆટલી રાણીઓમાંથી રાજા રાજસંચાલન માટે ક્યારે નવરો પડતો હશે ? દેવદત્તા, સ્ત્રીઓની આટલી બધી મોહિની !”
“જુવાન સાર્થપતિ, હજી તમને કોઈ સાચી સ્ત્રી ભેટી નથી. સ્ત્રીથી પુરુષ, પુરુષથી સ્ત્રી; જો સદા વધતું યૌવન હોય તો પરસ્પરની મોહિની સદા વધતી જ રહે છે.” “દેવદત્તા, રાજકથા આગળ ચલાવ !” વિષયાંતર થતું જોઈ સાર્થવાહે વચ્ચે જ વાતને કાપી નાખી.
“સાર્થવાહ, આટઆટલી રાણીઓ પણ વીર, ધીર ને વિચક્ષણ રાજા પ્રસેનજિતને સંતોષ આપી ન શકી. વૃદ્ધાવસ્થાને કિનારે બેઠેલા એ વૃદ્ધ રાજવીને મૃગયાની મોજ માણતાં માણતાં એક ઉન્મત્ત યૌવના ભીલસુંદરી દૃષ્ટિપથમાં આવી, અને આવતાંની સાથે રાજા એના રૂપનો શિકાર થઈ ગયો. એક રાત એ ભીલસુંદરીના ઝૂંપડામાં રહ્યો ને પ્રેમની ઝંખના સાથે લેતો આવ્યો. ભર્યુંભાદર્યું અંતઃપુર અને સો સો પુત્રો છતાંય એનું દિલ ઉદાસીન બની ગયું.
“આ વાત બહાર આવી. પટરાણી ધારિણીના પુત્ર બિંબિસારને આ વાતની જાણ થઈ. પિતૃસેવા એ તો પુત્રનો પરમ ધર્મ લેખાય ! આ ધર્મનો જાણકાર યુવરાજ
બિંબિસાર ભીલપતિની પલ્લીમાં ગયો."
“બિંબિસાર કોણ ?” તદ્દન અજાણ્યો હોય તેમ સાર્થવાહે પ્રશ્ન કર્યો. “રાજગૃહીના વસાવનાર, આજના રાજરાજેશ્વર મગધપતિ બિમ્બિસારને તમે નથી ઓળખતા ! યુવાન ! તમે તો એને નહીં જોયા હોય ! જોવા જેવા છે, હોં ! કામદેવનો જીવંત અવતાર ! છાતી સિંહની, બાહુ વજ્રના, મસ્તક ઐરાવત હસ્તીના ગંડસ્થળ જેવું ! પણ એ વાત પછી. રાજા પ્રસેનજિતના સુખ માટે ભીલપતિ પાસે જઈ તેમણે તિલકાની માગણી કરી. ભીલપતિ ચતુર હતો. એય પલ્લીનો બેતાજ બાદશાહ હતો. એણે કહ્યું : ‘રાજગાદી તિલકાના પુત્રને મળે, એવું વચન આપો. મારી પુત્રીનું સંતાન તો અધિકાર માટે જ સર્જાયેલું છે, પલ્લીમાં કે પાટનગરમાં.' જેવી પિતાજીની ઇચ્છા હશે તેમ કરીશ.' આટલું કહી કુમાર બિમ્બિસાર પાછો ફર્યો. રાજાને તો તિલકાની સૌંદર્યભરી દેહયષ્ટિ મદનના તાપથી સળગાવી રહી હતી. એણે ભીલપતિને વચન આપ્યું ને તિલકાનું પાણિગ્રહણ કર્યું.
“વર્ષો વીત્યાં, યુવરાજ બિમ્નિસાર યોગ્ય વયનો થયો. તિલકાને પણ પુત્ર જન્મ્યો. રાજા વૃદ્ધાવસ્થાને આરે હતો. સિંહાસનના ઝગડા જાગ્યા, પણ તિલકાએ પોતાના જાજ્વલ્યમાન સૌંદર્યના આતાપથી વૃદ્ધ રાજાને પોતાના વશમાં કર્યો હતો. એક નજીવા બહાના હેઠળ બિમ્બિસારનું દિલ દુભવ્યું. સ્વમાનશીલ બિમ્બિસાર રિસાઈને ગૃહત્યાગ કરી ચાલી નીકળ્યો. પણ સિંહ અને સત્પુરુષો જ્યાં જાય ત્યાં 460 સંસારસેતુ
પોતાનું પરાક્રમ દાખવી બધું પોતાને વશવર્તી બનાવે છે, એ રીતે ગોપાળકુમારના નામથી દેશ દેશ ભટકતો આ યુવરાજ બેનાતટનગરનો અતિથિ બન્યો. ભાગ્ય ઊજળાં હતાં, એટલે ત્યાંના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીરાજ ઇંદ્રદત્તની આંખે ચડ્યો. એમના મોટા વ્યાપારનો ધણીધોરી બની બેઠો. નસીબ એટલેથી ન અટક્યું. સ્વરૂપમાં રતિ સમાન, શ્રેષ્ઠીપુત્રી સુનંદાના હૈયાનો હાર પણ બન્યો. અને સુખથી ભોગવિલાસ ભોગવતાં કેટલોય કાળ નિર્ગમન કર્યો.” દેવદત્તા પોતાના ધંધાના ખાસ શબ્દો ને અલંકારોનો વર્ણનમાં છૂટથી ઉપયોગ કરવા લાગી હતી.
“વાહ રે વીરપુરુષો ! જ્યાં જાય ત્યાં સ્ત્રી વગર તો એમને ચેન જ પડે નહિ ? સ્ત્રી જ જાણે એમના જીવનનું મુખ્ય અંગ !” યુવાન સાર્થવાહે ભંગ કર્યો. “શાસ્ત્રમાં સ્ત્રીને અર્ધાંગ કહેલ છે. યુવાન સાર્થપતિ, એ અર્ધાંગ પાછળ તો તમે પણ કોક દહાડો ગાંડા થશો.” દેવદત્તાએ વ્યંગનો સુંદર જવાબ વાળ્યો, અને સાર્થવાહના પડખામાં ભરાવા જરા પાસે સરી.
“રાત પૂરી થઈ જશે ને વાત અધૂરી રહી જશે. બિંબિસારને ગાદી કેમ મળી તે તો કહે !” સાર્થવાહને વાર્તાની અજબ જિજ્ઞાસા હતી. એને વ્યાક્ષેપ જરા પણ રુચતો નહોતો.
“ભાગ્યવાનના નસીબમાંથી ગમે તેમ કરો તોય લક્ષ્મી ખસતી નથી.” દેવદત્તાના અવાજમાં સાર્થવાહ તરફ ઇશારો હતો. એણે નયન નૃત્ય કરતાં વાત આગળ ચલાવી : “એક દહાડો વૃદ્ધ પિતા નવ્વાણુ પુત્રોથી પણ અસંતુષ્ટ બન્યો. એને વિદેશ ગયેલ પુત્ર યાદ આવ્યો, પણ રાજદૂતો એની કશી ભાળ ન લાવી શક્યા. આ ચિંતામાં ને ચિંતામાં પિતા બિછાને પડ્યો. મૃત્યુની ઘડીઓ ગણાવા લાગી. અચાનક કોઈએ સમાચાર આપ્યા. સમાચાર આપનારે યુવરાજ જેવો કોઈ યુવાન નર દૂર દરિયાકાંઠે નીરખ્યો હતો. પિતાથી તો જવાય એમ નહોતું : એટલે યુક્તિ કરી. સંકેતથી ભરેલો એક પત્ર લખ્યો ને તેમાં જણાવ્યું :
“કુકર કહેતાં કોર્પ વિડયો ઘરજમાઈ થાય : હયે હઈયાળી કો કહે, કવણ ભલો બિહુ માંય. મોર ભણે અમ્હે પિંછડાં, મેં મેલિયાં વનેહિ; અજિય અગાસાઉ રેહ વિણ, તે સિરિ રાય વહેઈ.’
અને કુમારને પત્ર મળ્યો, એનાથી ન રહેવાયું. એણે પણ ઉત્તર વાળ્યો : “જિણે અવસરે જોઈએ, સ્વામી તણો પસાઉ; તિણે નીચે ઉતારણો, કિમ સેવીજે રાઉ. ઘરજમાઈ ઘર સુગ્રહ, તે કુણ હુંશ ધરતી,
રાજવાર્તા D 47
Page #33
--------------------------------------------------------------------------
________________
પણ અપમાન્યા છોરડા, ન રહે દૂર ફરતી. જાતે એક જ પિંછડે, મોર દોહિલે કાંઈ; તેહ નવાણું પીંછડાં, ભરી પૂરી રહી આઈ."+
બાપે દીકરાનું દિલ પારખ્યું. ખૂબ પ્રેમ કરીને એને બોલાવ્યો ને રાજગાદી સોંપી. બધા જોઈ રહ્યા. જેમનાથી ન જોવાયું તે થોડા હાથપગ પછાડી ડાહ્યા થઈ ગયા.”
અને પેલી બાપડી સુનંદાને રઝળતી મેલી ને ? જોયું ને, આનું નામ પરદેશીની પ્રીત ! કરી તોય શું ને ન કરી તોય શું !” સાર્થવાહે વચ્ચે પ્રસંગ જોઈ દ્વિઅર્થી વાક્ય કહ્યું, અને ધીરે ધીરે નજીક સરી આવતી દેવદત્તાથી એ દૂર ખસી ગયો.
ચતુર દેવદત્તા બૅગ સમજી ગઈ, એણે કહ્યું : “પ્રીત કરી એટલે તો નિભાવવામાં જ શોભા ! સુનંદા સતી સાધ્વી સ્ત્રી હતી. રસિયો પ્રીતમ ગોપાલ પણ કેવલ રસંભોગી ભ્રમર ન હતો. મધુ ચૂસીને અલોપ થનાર નગુરો નર ન હતો. બિમ્બિસાર ગાદીએ બેસવા પાછો ફર્યો ત્યારે સુનંદા ગર્ભવતી હતી. એણે પાછળ એક સુંદર સંતાનને જન્મ આપ્યો. દિવસો ગયા ને સુનંદાને ભર્યુંભાર્યું પિતૃગૃહ પણ ભારે ભારે લાગવા માંડ્યું. એ પુત્રને લઈ આ તરફ આવી.”
વાહ રે પ્રીત ! દીકરો નબાપો બન્યો ને માને આખરે ભિખારણ બનવું પડ્યું.” સાર્થવાહ વચ્ચે બોલ્યો.
“કોણ ભિખારણ ? સાર્થવાહ ! દેવદત્તાના આવાસમાં છો એટલે નિશ્ચિત રહેજો. બાકી મગધમાં, રાજગૃહીમાં, અરે કોઈ વન-જંગલમાં પણ આ શબ્દો ઉચ્ચારશો મા ! એ માતા અને પુત્ર એટલે કોણ ? જાણો છો ? માતા એટલે મહારાજા બિમ્બિસારના અંતઃપુરની સતીરાણી સુનંદા અને પુત્ર એટલે ?” વાત કરતાં કરતાં જાણે દેવદત્તા નમ્ર થઈ ગઈ. એનાં ચંચળ નયનો શાન્ત થઈ ગયાં. એ નામમાં જ કોઈ જાદુ હોય તેમ એ થોડી વાર શાંત રહી ને પછી બોલી :
- “એ પુત્ર એટલે ! રોજ પ્રભાતકાળે જેનું પુણ્યનામ સ્મરવા યોગ્ય છે, એ પુરુષ ! સુંદરતાનો અવતાર ! શૌર્યની છબી ! ડહાપણનો ભંડાર ! કામવિજેતા શિવનું બીજું સ્વરૂપ ન્યાય, નીતિ ને સત્યનો જાણે સાક્ષાત્ અવતાર !”
“કોઈ રસિયો વાલમ લાગે છે. એનું નામ કહે ને !રે સુંદરી ! તારા શબ્દોના અલંકારો ઓછા કર ! એ મને, શ્રવણપટને નિરર્થક થાક ચડાવે છે.”
એમનું નામ અભયકુમાર ! મગધના એકમાત્ર સર્વસત્તાધીશ મહાત્મય ! મહારાજ બિખ્રિસારના મુખ્ય મંત્રી ! પિતાના સમગ્ર રાજની, તેને આધીન બીજાં
રાષ્ટ્રોના ખજાનાની, અન્નભંડારની, સેનાની, વાહનોની, પ્રત્યેક નગર તથા ગ્રામની એ વ્યવસ્થા કરે છે .x બલ, વીર્ય, પરાક્રમ, પુરુષાર્થ ને વિવેકની એ મૂર્તિ છે. અભયકુમાર એટલે બધું જ . એ શું છે ને શું નથી, એની જ કોઈ ચર્ચા કરી શકે તેમ નથી. અંતઃપુરની પણ એ જ સંભાળ રાખે છે.”
“વાહ રે વીર-ધીર ! એની વીરતાને છાજે એવું અંત:પુરની સાચવણીનું સુંદર કામ સંભાળ્યું !” સાર્થવાહના આ શબ્દોમાં ઈર્ષા હતી.
“ચૂપ રહે સાર્થવાહ ! મગધમાં રહીને મહાઅમાત્ય અભયકુમાર માટે એક શબ્દ પણ બોલીશ મા ! એ શક્તિના સર્વસ્વરૂપની બુદ્ધિ પાસે કંઈ અશક્ય નથી. તું જાણતો નહિ હોય કે એક વાર પોતાની વિમાતા ધારિણીનો દોહદ પૂરવા એણે વસંતમાં વૈભારપર્વત પર મુશળધાર વરસાદ વરસાવ્યો હતો ! અસ્તુ. આપણી વાર્તા આગળ ચલાવીએ. રાજ રાજેશ્વર બિમ્બિયારે સિંહાસન સ્વીકારી મગધની સત્તાને ખૂબ જ વધારી દીધી. એણે યુદ્ધો ઓછાં ખેલ્યાં પણ વિશાળ પ્રદેશ પર કબજો કર્યો. દિવસો વીતતા ચાલ્યા એમ મગધ સમૃદ્ધ થતો ચાલ્યો.
અને આજે રાજગૃહીં એટલે આર્યાવર્તના મહાન સામ્રાજ્ય મગધની રાજધાની. મગધની ભૂમિ, મગધનો નાથ અને મગધની પ્રજા તો કોઈ બડભાગી પ્રજા છે.” દેવદત્તાના શબ્દોમાં માતૃભૂમિનું અભિમાન ગાજતું હતું. ગણિકાના દિલમાંય ધરતીમાતાની મમતા જાણે ઉત્સાહ પૂરતી હતી.
- “ભારતવર્ષની ત્રણ ત્રણ પ્રચંડ ધર્મ-સંસ્કૃતિઓનાં અમીજળ આજ એને આંગણે વધે જાય છે. વૈદિક, બૌદ્ધ ને જૈન : એમ ત્રણ ત્રણ સંસ્કૃતિમાર્ગોનો ત્રિભેટો મગધમાં રચાયો છે. ત્રણ ત્રણ ધર્મતત્ત્વોના પ્રચંડ નાદ આ જ પુણ્યશાળી પ્રદેશમાં ત્રિવેણીસંગમ પામી રહ્યા છે.
પ્રથમ વૈદિક સંસ્કૃતિનો પ્રકાશ વર્ષો સુધી આ પ્રદેશ પર પથરાઈ રહ્યો હતો. બ્રાહ્મણ, ક્ષયાગ ને વેદશાસ્ત્રની પૂજા સર્વત્ર ચાલતી હતી. કાળ વીત્યો અને એ પૂજાનો અતિરેક થયો. નિર્દોષ યજ્ઞયાગને બદલે અશ્વમેધ, ગોમેધ અને નરમધ જેવા હિંસક યજ્ઞોએ પોતાનું સ્થાન જમાવ્યું. સોમરસના બદલે ઉત્તેજ કે પીણાંઓએ ઘર ઘાલ્યું. સર્વ વર્ણોમાં શ્રેષ્ઠ મનાયેલ બ્રાહ્મણે પોતાનું હણાતું બ્રાહ્મણપદ અખંડ રાખવા જાતીયવ્યવસ્થાનાં ચોકઠાં જડબેસલાખ કર્યો. શૂદ્રોનું સ્થાન હીણું થયું. સ્ત્રીઓનું સ્થાન પણ એવું જ બન્યું. અમ જેવાનો તો કોઈ ઉદ્ધારક જ નહોતો.”
દેવદત્તા થોડી વાર થોભી અને પુનઃ બોલવા લાગી : આ ભારે બનતી જતી સંસ્કૃતિ ઉપર બૌદ્ધ સંસ્કૃતિ પોતાની પાંખો ફફડાવતી
+ પ્રાચીન રાસ સંગ્રહ
* નાયાધમ કહી
48 [ સંસારસેતુ
રાજ વાર્તા D 49.
Page #34
--------------------------------------------------------------------------
________________
આવી બેઠી. બૌદ્ધ સંસ્કૃતિના પરમ પ્રચારક મહાત્મા બુદ્ધ ! મગધ અને કોશલ વચ્ચે આવેલ કપિલવસ્તુના ક્ષત્રિય રાજા શુદ્ધોદનના તે પુત્ર થાય. એક દહાડો જગતમાં વ્યાપી રહેલ આ ભયંકર હિંસા નીરખી; માનવજીવન પર તોળાઈ રહેલ જન્મ, જરા ને મૃત્યુનાં દુઃખ પેખી, એ દૂર કરવાની પ્રતિજ્ઞા કરી. પુત્ર અને પત્નીનો ત્યાગ કરી એક પારધિનાં વસ્ત્ર પહેરી, એની છરીથી કેશ કાપી મહાભિનિષ્ક્રમણ કર્યું. અને અહિંસક યજ્ઞયાગનો એમનો ઉપદેશ પ્રથમ રાજગૃહીને જ મળ્યો. એ પછી તો એ છ વર્ષ તપ તપ્યા પણ તેમાં કેવળ ઇંદ્રિયવિજય મેળવ્યો. જે જ્ઞાનની તેમને જરૂ૨ હતી, તે ન લાધ્યું. આખરે એમને લાગ્યું કે ભૂખથી મર્યે મુક્તિ નહિ મળે : એટલે મધ્યમમાર્ગ સ્વીકાર્યો. મધ્યમમાર્ગ એટલે ન શરીરને તપજપથી બહુ કષ્ટ દેવું કે ન તેને અત્યંત સુખશીલિયું બનાવવું.”
“દેવદત્તા, તું કર્મ અને ધર્મ બંનેની પંડિતા છે !'
“મહાત્મા બુદ્ધના આ ઉપદેશ ઉપર જૈન સંસ્કૃતિ ગરુડરાજ શી પાંખો પ્રસારતી આવી ઊભી. આ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિના જેટલી જ પ્રાચીન હતી, પણ એમાં દેશકાલને અનુસરી નવક્રાંતિ આણવામાં આવી હતી. એણે શુદ્રોને અપનાવ્યા. દુઃખિયાને છાતી સરસા ચાંપ્યા. આ ક્રાન્તિના આણનાર ક્ષત્રિયકુંડના મહાન લિચ્છવી વંશના કાશ્યપ ગોત્રીય, જ્ઞાતકુળધારક રાજા સિદ્ધાર્થને ત્યાં જન્મનાર...”
“દેવદત્તા ! બસ થોભી જા ! માનવીના ધર્મની બાબતમાં ચર્ચા કરવી, એનો ન્યાય તોળવો અત્યંત દુષ્કર છે. તું રાજવાર્તાનો કોઈ સુંદર પ્રસંગ બાકી હોય તો સંભળાવ !"
“સાર્થવાહ, તારી સુંદરતા ને અસુંદરતાની વ્યાખ્યા અજબ છે – સમજી શકવી મુશ્કેલ છે. પણ તારા મનને રાજી કરવા જ મેં આટલી રાત અને આટલી વાણી ખર્ચી છે. અસ્તુ. હા... એક તાજો જ સુંદર પ્રસંગ છે. એ ગુપ્ત છે. મગધનાં ઓછાં માનવીઓ એ જાણે છે. એ જાણનારનું મસ્તક પણ સલામત રહે કે નહિ તે પણ પ્રશ્ન છે.”
“એવી એકાદ વાતને ખાતર મગધની મહામનોહારિણી દેવી દેવદત્તાનું સુંદર મસ્તક હોડમાં મૂકવાની લેશ પણ આવશ્યકતા નથી.” સાર્થવાહે લાગણીભર્યા શબ્દો કહ્યા.
“રે પ્રિય ! તારા માટે શું શું ન કરું ! તારામાં લોભાવે તેવું પુરુષત્વનું અવર્ણનીય આકર્ષણ છે. ગમે એવી સ્વમાનશીલ સ્ત્રી પણ તારા હાથમાં રમવા ઇચ્છે તેવી નિખાલસતા તારામાં સભર ભરી છે. દેવદત્તાએ હજારોને રમાડ્યા છે, પણ એના જીવનના ઇતિહાસમાં એક સાર્થવાહ જ એને હાથતાળી આપી ગયો છે. ચક્રવાક ને ચક્રવાકી જેવો આપણો યોગ મારો નવો જ અનુભવ છે. દેવદત્તાએ તને 50 7 સંસારસેતુ
ઘણું ઘણું કહ્યું છે. આટલું બધું કહેવામાં થોડું જોખમ હોય તો ભલે હોય. એ જોખમ વેઠવા તૈયાર છું.”
“દેવદત્તા, તારો પ્રેમ અગાધ છે.”
“પ્રેમને સ્વયંભૂ બનાવવાની તારી શક્તિ અજોડ છે, સાર્થવાહ ! તારા દેશમાં જઈને તારી પ્યારી દેવદત્તાને કદી ભૂલીશ મા ! તું તારા દેશ તરફ જઈશ. હું પણ મગધના મહારાજના કામે બહારગામ ચાલી જઈશ. તું તારે દેશ પહોંચીશ, ત્યારે મારી ગુપ્ત વાર્તાનું પરિણામ આવી જશે એટલે એને પ્રગટ કરવામાં કિંચિત્ પણ દોષ નથી. માટે સંભાળ !” દેવદત્તા પોતાના વહાલા સાર્થવાહને હવે એકવચનથી સંબોધી રહી હતી.
“વૈશાલીપતિ મહારાજ ચેટકનું નામ તો સાંભળ્યું હશે. કર્મવીર ને રણધીર આ મહારાજ આજે ધર્મવીરપદને પામ્યા છે. શ્રમણ ભગવંત પ્રભુ મહાવીરના એ પરમ ભક્ત છે.”
“હું ......” પ્રભુ મહાવીરનું નામ જાણે શ્રવણને યોગ્ય ન હોય તેમ કાન પર હાથ મૂકતાં તેણે લાંબો નિસાસો નાખ્યો. દેવદત્તા ગુપ્ત વાર્તા કહેવાના આવેગમાં હતી. “મહારાજ ચેટકને સૂર્યનાં સપ્તકિરણ જેવી જુદી જુદી કાંતિ ને વર્ણરૂપવાળી સાત પુત્રીઓ છે. એકને જુઓ ને એકને વીસરો ! મહારાજ ચેટકે દેશદેશથી પંડિતો, વિદ્વાનો, વાદવેત્તાઓએ અને અનગારોને તેડાવી સર્વેને વ્યવહાર અને ધર્મશાસ્ત્રમાં નિપુણ બનાવી છે. રાજકુમારોને દુર્લભ એવું શિક્ષણ સર્વને આપવામાં આવ્યું છે. સાર્થવાહ, વૈશાલીનાં રાજકુટુમ્બોમાં સંસ્કારના હિસાબે મહારાજ ચેટક સર્વોપરી છે. અરે, આટઆટલી કેળવણી આપ્યા પછી પુત્રીઓના વિવાહાદિ કાર્યથી પોતે અલિપ્ત રહ્યા છે. કેળવણી-સુસંસ્કાર આપવા એ પિતાની ફરજ, નવું કુળ કે નવો સંસાર શોધી લેવો એ વિદુષી પુત્રીઓની ફરજ ! ક્યાં આજના રાજાઓ અને ક્યાં મહારાજ ચેટક ! આજના રાજાઓ તો પુત્રીઓને એક રાજ અને બીજા રાજ વચ્ચે સંબંધ વધારવાનું સાધનમાત્ર સમજે છે, અને વ્યસની, દુઃશીલ, કામી – ગમે તેવા રાજવીને પોતાની પુત્રી આપી દેતાં લેશમાત્ર સંકોચ કરતા નથી. પણ આ બધો પ્રતાપ કોનો ? જાણો છો ?”
“ના !”
“દીર્ઘતપસ્વી નિગંઠ જ્ઞાતપુત્રનો ! એમનો પ્રભાવ અપૂર્વ છે. જે રાજકુટુમ્બ પર એમની છાયા પડી એનો ઉદ્ધાર થઈ જાય છે.”
“જબરો જાદુગર !”
“હા, હા. અસલ જાણે જાદુગર ! મોં જોતાં જ પાપથી ભયભીત બની જઈએ."
રાજવાર્તા C 51
Page #35
--------------------------------------------------------------------------
________________
દેવદત્તા, તારી વાચાળતા અજબ છે. આડીઅવળી વાતોમાં કેટલી રાત વીતી ગઈ, એ તો જો ! હું આવ્યો ત્યારે આકાશમાં હરણાં ક્ષિતિજ લગભગ હતાં; અને અત્યારે તો જો ! અગત્સ્યનો તારો ઊગીને આથમી ગયો છે. પેલો વ્યાધ પણ અસ્ત પામ્યો, સ્વાતિ અને ચિત્રા કેવાં ચમકી રહ્યાં છે ! મધરાત થઈ ગઈ.”
આકાશ પરથી સમય પારખવામાં કુશળ લાગો છો !” દેવદત્તાએ ગગનમંડળના તારાગ્રહો વિશેનું સાર્થવાહનું નૈપુણ્ય જોઈ કહ્યું.
માણસનાં નેત્રો પરથી મન પારખવામાં જેમ તમે કુશળ છો તેમ આમાં અમે કુશળ છીએ. સહુ સહુનો ધંધો ! સાથે લઈને જતાં અરણ્ય; કંદરા ને વનરાજિઓમાં આકાશ જ અમારો ભોમિયો હોય છે. પણ દેવદત્તા, હવે તારી વાત પૂરી કરે ! મહારાજ ચેટકની સાત પુત્રીઓ બહુ વિદુષી છે, કળાભંડાર છે, હાં - પછી આગળ
ન પરણી શકે. આ લગ્ન અયોગ્ય છે.” મહારાજ બિંબિસાર આથી અત્યંત ક્રોધાન્વિત થયા, પણ રાજા ચેટકને છંછેડવામાં સાર નહોતો. આખરે અભયકુમારે આ કામ હાથમાં લીધું. વણિકનો વેશ સજી વૈશાલી ગયા ને સુયેષ્ઠા પાસે મહારાજ બિંબિસારનાં રૂપ, ગુણ વગેરેનું સુંદર રીતે વર્ણન કરી સુયેષ્ઠાને મોહિત કરી.”
“ધન્ય છે તમારા મહાઅમાત્યને ! બુદ્ધિનો ભંડાર ઠીક પ્રસંગે વાપરતા જણાય છે.”
એ બુદ્ધિના ભંડારનો તાગ લેવો મારા-તારાથી મુશ્કેલ છે, સાર્થવાહ ! આ પ્રકરણમાં તો એમની ઊંડી કુનેહ છે. મહાઅમાત્ય અભય પોતે શ્રમણોપાસક છે. તેઓ સમજે છે કે, આવું એકાદ કન્યારત્ન રાજ્યગૃહીના અંતઃપુરમાં વસે તો ઘણું પરિવર્તન થઈ શકે. સંસ્કારની સુંદર સરિતા વહી નીકળે . સાર્થવાહ, ટૂંકી વાત હવે એટલી છે, કે થોડા દિવસમાં હું વૈશાલી જઈશ. અભયકુમાર પણ ત્યાં આવશે. ચુનંદું સૈન્ય પણ ત્યાં હાજર રહેશે, ને તૈયાર થઈ રહેલ સુરંગ વાટે મહારાજ બિમ્બિયાર સુજ્યેષ્ઠાને ઉપાડી લાવશે.”
સુંદર કાર્યમાં નિયુક્ત થઈ છે, દેવદત્તા ! વારુ, હવે હું વિદાય લઉં. રાત છેક થોડી રહી ગઈ છે. તેં મને સુંદર રાજવાર્તા કહી એ કોઈ પણ કથાવાર્તા જેવી સુંદર છે. તારો આભાર માનું તેટલો ઓછો છે.”
વહેલો ઊગેલો ચંદ્ર હવે ક્ષિતિજ પર હતો. અને આ ચક્રવાક અને ચક્રવાકીની અન્તિમ મિલનરાત્રીઓમાંની એક રાત્રી પૂરી કરતો હતો.
મોડી મોડી એક નૌકા ગંગાના તટ પરથી સડસડાટ વહી ગઈ.
ચલાવ... **
“એ સાત પુત્રીઓમાંથી પાંચ પુત્રીઓ તો સ્વયં ઇચ્છિત પતિને પામી છે. પ્રથમ પુત્રી પ્રભાવતી વીતભયનગરના રાજાને પરણી છે, બીજી પદ્માવતી ચંપાનગરીના દધિવાહનને, ત્રીજી મૃગાવતી કૌશાંબીના શતાનિકને, ચોથી શિવા ઉજ્જયિનીના પ્રદ્યોતનને અને પાંચમી નિગંઠ જ્ઞાતપુત્રના* વડીલબંધુ અને કુંડગ્રામના અધિપતિ રાજા નંદિવર્ધનને પરણી છે. પાંચે મહાસતીઓ છે. છઠ્ઠી સુજ્યેષ્ઠા ને ચલ્લણા કુમારી છે. શું બંનેની કાંતિ ! એક તાપસી હમણાં સુજ્યેષ્ઠાની છબી લાવેલી.”
તાપસ લોકોએ આ ધંધો ક્યારથી શરૂ કર્યો !”
“યુવાન, વાતનાં મૂળ ઊંડાં છે. આ તો ધર્મકલહનું પરિણામ છે. છબી લાવનાર તાપસી એક વાર રાજા ચેટકના રાજમહાલયમાં ગયેલી. વાતવાતમાં આ બે રાજ કુમારિકાઓ સાથે શૌચમૂલક ધર્મ મોટો કે વિનયમૂળ ધર્મ મોટો. એ વિશે વાદવિવાદ ચાલ્યો. રાજકુમારીઓએ વિનયમૂળ ધર્મ મહાન સિદ્ધ કરી બિચારી તાપસીઓને નિરુત્તર કરી. રાજમહેલનાં બીજાં કેટલાંક જનોએ આથી તેઓની મશ્કરી કરી. પરાભવ પામેલી તાપસીઓ એમનો ધર્મમદ દૂર કરવા, અન્યધર્મી સાથે તેમને પરણાવવા સુજ્યેષ્ઠાની સુંદર છબી ચીતરી અત્રે આવી. મહારાજ બિંબિસાર તો એ છબી જોતાં મુગ્ધ થઈ ગયા.”
- “બાપ એવા બેટા !રાજા પ્રસેનજિત ભીલકન્યા પાછળ મુગ્ધ થયા, ને એમના પુત્ર ચિત્ર કન્યા પાછળ ! અભિમાની ને વિલાસી રાજપદ જ એવું છે.”
સાર્થવાહ, નાની નાની વાતમાં ઉશ્કેરાઈ ન જા ! માનવસ્વભાવ જ એવો છે, એમાં કોણ રાય ને કોણ રંક ! મહારાજ બિંબિસારે સુજ્યેષ્ઠા માટે દૂત મોકલીને માગણી કરી. રાજા ચેટકે કહ્યું : “વાહીકુળમાં ઉત્પન્ન થયેલા હયવંશની કન્યા સાથે. * બૌદ્ધા પ્રભુ મહાવીરને નામે ઓળખાતા
52 3 સંસારસેતુ
રાજ વાર્તા | 53
Page #36
--------------------------------------------------------------------------
________________
8
હજારમાં એક
ગંગાના હૈયા પરની નૌકાઓની આવજાવ અને દેવદત્તાના નૃત્યઝંકારની હેલીઓમાં, ગંગાના જ પ્રવાહથી થોડે દૂર, આંબાવાડિયાના એક છેડે વસતી મનુકુળની પરભૃતિકા – પેલી વિરૂપાને આપણે ઘણા વખતથી છેક જ વિસારી મૂકી.
વિસરાયેલી વિરૂપાનું આંગણું પણ આટઆટલે વર્ષે વિસરાયેલું જઈ રહ્યું હતું. એના સંસારમાં એ અને માતંગ – એ સિવાય કે નવીન વ્યક્તિ ઉમેરાઈ નહોતી. છતાં ન જાણે આ દંપતીનું રસજીવન નવું જ બનીને વહેતું હતું. ફેર માત્ર એટલો પડ્યો હતો કે, દિવસો જતાં માતંગ શ્રમણો પાસેથી કર્મનો મહિમા શીખી આવ્યો હતો અને નમ્ર બન્યો હતો. એ પોતે જ ઘણી વાર કહેતો :
“અલી વીરૂ, ભાગ્યમાં જ સંતાન ન લખ્યાં હોય તો પછી ક્યાંથી મળે ? એવો સંતાનમોહ શા કામનો ?"
“તો ગાંડા, ગામનાં છોકરાંને શા માટે રમાડે છે. હેત કરે છે, ને તારી વાડીઓમાંથી ફળફૂલ લાવી વહેંચે છે ?”
“એમ કરવામાં મારું મન ખૂબ રાજી થાય છે. અને જો તું નારાજ ન થાય તો કહું. મને તો ધનદત્ત શેઠનો પેલો મેતારજ ખૂબ વહાલો લાગે છે. એની બોલી કેવી મીઠી છે ! જાણે તું જ નાની બાળ થઈને બોલતી ન હોય ! આપણે પહેલી વાર મળ્યાં ને નજરે નજર —"
“હવે ઘરડો થયો. જરા ડાહ્યો થા ! સ્ત્રીમાં બહુ મન ન રાખીએ.” વિરૂપાએ ટોણો માર્યો.
“એમાં શું થયું ? શ્રમણો તો કહે છે કે, પરસ્ત્રી માત સમાન માનવી. પોતાની સ્ત્રી માટે તેઓ કંઈ કહેતા નથી. અને જો પોતાની સ્ત્રીમાં મન ન રાખીએ તો પછી
આ પરણવાની માથાકૂટ શું કામ ? સંસારની બધી સ્ત્રીઓ પુરુષો સામે જોઈને બેર્સ ને પુરુષો સ્ત્રીઓ સામે, કોઈએ કોઈમાં મન પરોવવું જ નહિ, એમ જ ને ?”
“તું તો મોટો પંડિત થઈ ગયો છે. મારે માથાકૂટ નથી કરવી. કાંઈ સારું જોયું, કોઈનું સાંભળ્યું કે તને મારી યાદ આવે છે, પણ તેં શેઠાણીને જોયાં નથી ! મેતારજ બરાબર તેમની આકૃતિ છે. આઠમે વર્ષે પાઠશાળાએ મોકલ્યો ને હવે તો તેણે અઢાર લિપિઓનો+ અભ્યાસ આરંભ્યો છે. જુદાં જુદાં શાસ્ત્રોનો પણ અભ્યાસ ચાલે છે. કોઈ આચાર્ય નાટ્યશાસ્ત્ર, કોઈ શિલ્પશાસ્ત્ર, કોઈ સૈનિકશાસ્ત્ર, તો કોઈ પાકદપર્ણ, કોઈ માતંગવિદ્યા, તો કોઈ સંગીતશાસ્ત્ર શીખવે છે. કુમારની ગ્રહણશક્તિ અદ્ભુત છે. રાજકુમારોની સાથે અશ્વવિદ્યા, હયવશીકરણ અને ધનુર્વિદ્યામાં પણ એ સમકક્ષ છે. વયમાં નાનો પણ મહાઅમાત્ય અભયનો એ પ્રીતિપાત્ર બન્યો છે. આખો દિવસ રાજમહેલમાં ને રાજમહેલમાં. મહારાજ બિમ્નિસાર પણ કુમારને જોઈ ભાન ભૂલી જાય છે. મહારાણી સુનંદા તો એક વાર બોલી ગયેલાં કે હું તો એને મારો જમાઈ બનાવીશ. શેઠ-શેઠાણી તો એની પાછળ ગાંડાં છે." વિરૂપાના આ શબ્દો પાછળ મમતા ગાજતી હતી.
“બહુ ગાંડાં બની છોકરાને બગાડશે, અને પછી મહારાણીને અનુભવ કરવો હશે તો થશે કે જમ અને જમાઈ સરખા હોય છે.”
“બધાય કંઈ તારા જેવા હોતા નથી. બિચારી મારી મા એને તો તું યાદે કરતો નથી. મને થોડા દહાડા એની ખાતરબરદાસ્ત કરવાય જવા દેતો નથી. અને કોઈ વાર જાઉં તો ચાર દહાડામાં તેડું આવ્યું જ છે. મારી માને તો જમાઈ કરતાં હવે જમ ઘેર આવે તો સારું એમ લાગે છે !”
‘જો વીરૂ ! ઝઘડો થઈ જશે. રોહિણેયના દાદાના મૃત્યુ વખતે તેની ઉત્તરક્રિયા કરીને પાછા ફરતાં તારી માને ભેગો થતો આવ્યો હતો. બિચારીએ મને કેવું હેત કર્યું ! મેં નમસ્કાર કર્યા એટલે એણે મારું માથું સૂંધ્યું. ક્યાં માનો સ્વભાવ ! ને ક્યાં દીકરીનો સ્વભાવ હે ભગવાન !” માતંગે વિરૂપાને ચુપ કરવા બરાબર તીર ફેંક્યું. વિરૂપા માતાના વખાણથી મનમાં ને મનમાં રાજી થઈ અને વાતનું વહેણ બદલી નાખતાં બોલી :
“માતંગ, રોહિણેયના કંઈ વાવડ ?"
“રોહિણેય અજબ આદમી છે હો ! એનો દાદો હતો તો જબરો, પણ થોડો
+ ૧ હંસિપિ, ૨. ભૂતલિપિ, ૩. જક્ષીલિપિ, ૪. રાક્ષસીલિપિ, ૫. ઊંકીલિપિ, ૬. યાવનીલિપિ, ૭. તુરુાલિપિ, ૮. કિટી, ૯. દ્રવિડી, ૧૦. સિંધવીય, ૧૧, માલવિની, ૧૨. નટી, ૧૩. નાગરી, ૧૪. લાટ, ૧૫. પારસી, ૧૬. અનિમિત્તી. ૧૭. ચાણક્ય, ૧૮. મૂળદેવીલિપિ. (વિશેષાવશ્યકમાંથી)
હજારમાં એક C 55
Page #37
--------------------------------------------------------------------------
________________
એ કર્મી ! એનાથી કોઈનું ભલું ન થયું ને મરતાં મરતાંય જો રોહિણેયે ડહાપણ ન વાપર્યું હોત તો કેટલાયને મારતો જાત !”
“હમણાં રોહિણેય શું કરે છે ?"
સ્વપ્નાનો આદમી છે. કંઈ સમજાતું નથી. લૂંટફાટ તો બંધ છે પણ તૈયારીઓ જબરી લાગે છે. ઉપરનાં પાણી શાન છે. પણ અંદર જબરી મથામણ ચાલતી જણાય છે. કરશે ત્યારે ભારે પરાક્રમ કરશે. મને તો ઘણી વાર મન થાય છે કે મહાઅમાત્ય સાથે એનો મેળાપ કરાવી દઉંનો, પણ પાછું વિચાર કરતાં એમ લાગે છે કે, રાજકારણના એ દરમાં હાથ ઘાલવામાં સાર નથી. આ તો રાજા, વાજાં ને વાંદરાં. રખેને કંઈ થાય તો મેતકુળનો એક દીપક ઓલવાઈ જાય.”
“તું મહાઅમાત્ય વિશે હીણું બોલે છે ?"
એમના માટે મને માન છે. પણ વિરૂપા, રાજસેવા જ એવી છે ! ઘણી વાર માણસને માણસાઈ વીસરી જવી પડે છે.” વાતમાં ને વાતમાં માતંગે પાસે બેઠેલી વિરૂપાને એક ઝીણી ચૂંટી ખણી..
“મોટો માણસાઈવાળો ન જોયો હોય તો ! ઘરડો થયો. હવે આ ચેનચાળા - - આ તોફાન ન શોભે !”
- “વીરુ; આપણાં દિલ તો ઘરડાં નથી થયાં ને ? લોકો કહે છે કે દેવદેવીઓને ઘરડાપો હોતો નથી, સદા યુવાન રહે છે. તેને જોઈને મને પણ એમ લાગે છે કે જાણે વિરૂપાને ઘરડાપો છે જ નહિ, જ્યારે જુઓ ત્યારે પાકી ગલ જેવી !”
અરે, પણ તું કહેતો હતો કે આજે અધખેલન પરીક્ષા થવાની છે. બધા રાજ કુમારો અને એશ્વનિપુણ યુવાન એકઠા થવાના છે.” વિરૂપાએ વાત વાળી લીધી.
- “વિરૂપા, મને એ વાતનું તો વિરમણ થયું. ચાલો, સૂરજ પશ્ચિમાકાશમાં ઢળવા માંડ્યો છે. બધા ક્રીડાક્ષેત્રની આજુ બાજુ ગોઠવાઈ ગયા હશે, સ્થાન મળવું પણ મુશ્કેલ બનશે.”
ધણીધણિયાણી ઉતાવળાં તૈયાર થઈ નગરના મુખ્ય દરવાજા ભણી વળ્યાં. પુરજનોનાં જૂથેજૂથ ક્રીડાક્ષેત્ર ભણી ઊમટી રહ્યાં હતાં. ઘરઘરના જુવાનોની આજે શૌર્ય પરીક્ષા હતી. કેટલાય કોડીલા નવજુવાનો પોતાની પ્રેયસીઓને નિમંત્રણ આપી આવ્યા હતા કે, “આવજે ક્રીડાક્ષેત્ર પર મારી મર્દાનગી જોવી હોય તો ! સો સો રાજકુમારોને ઝાંખા ન પાડું તો કહેજે !"
કેટલીક નવવધૂઓએ મૂછાળા પતિઓની મૂછોના કાતરા ખેંચીને કહ્યું હતું : “પતિદેવ, આજે તમારું પાણી જોવાની છું. રોજ મોટી મોટી ડંફાસ મારો છો, તો આજ ધાડ મારજો ! મારી સખીઓમાં મારે શરમાવું ન પડે તેવું કરજો !”
56 B સંસારસેતુ
આખા નગરમાં ઉત્સવ જેવો આનંદ હતો. વર્ષમાં બેએક વાર આવા મેળાઓ યોજાતા. આખી પ્રજા અભિન્નભાવે એમાં રસ લેતી. લોકોનાં ટોળાંમાંથી સહેજ દૂર દૂર રહીને ચાલતાં ધણીધણિયાણી માતંગ અને વિરૂપા ક્રીડાક્ષેત્ર પર પહોંચ્યાં ત્યારે શરતમાં તરનાર અશ્વારોહીઓ સજ્જ થઈ પંક્તિમાં ઊભા રહી ગયા હતા.
એ રહ્યો મારો લાલ ! મેતારજ ! હજારમાંથી હું તો ઓળખી કાઢ્યું .” વિરૂપાથી એકદમ બોલાઈ ગયું.
“ઘેલી થઈ ગઈ કે શું ? જરા સંભાળીને બોલ ! કોણ તારો લાલ ? રાજગૃહીનો કોઈ શ્રેષ્ઠી સાંભળશે તો તારી જીવતી ખાલ ઉતરાવી નાખશે !''
“અરે ભૂલી, પણ તું જોતો નથી ? પેલો, હો રાજ કુમારોની પંક્તિના છેડે, છેલ્લામાં ત્રીજો ! શ્વેતમયૂર એશ્વ પર આરૂઢ થયેલો !”
જોયો, બરાબર જોયો. રાજ કુમારની કાંતિ એના મોં પર વિલસી રહી છે. પણ હવે એની ચર્ચા છોડી દે ! એને અને આપણને શું ?'
મારી તો પ્રાણપ્રિય સખીનો પુત્ર છે ! તને ખબર છે, મેં જ એનું નામ મેતારજ પાડ્યું છે. મને વહાલ કાં ન આવે ?"
હા, હા, પણ બરાબર લક્ષ આપીને જો ! શરતનો પ્રારંભ થાય છે. શીધ્રગતિની શરતનો સંકેત થયો છે. આ બધા અશ્વો સીધી દિશામાં જેટલી ઝડપથી જવાય તેટલી ઝડપથી દોડશે.”
શાબાશ ! શાબાશ !” પુરજનોનાં મુખેથી ઉચ્ચાર થઈ રહ્યો.
અશ્વારોહીઓ અશ્વની પીઠ સાથે એક થઈ ગયા હતા, ભાથામાંથી છૂટેલા વેગવંત તીરની જેમ બધા નિર્દિષ્ટ સ્થળે જઈ પુનઃ સ્વસ્થાને પહોંચવા તીવ્ર વેગથી પાછા ફર્યા.
બરાબર રસાકસી જામી. પીઠ પર આરૂઢ આશ્વારોહીઓના મનની વાત જાણે અશ્વોએ જાણી લીધી હતી. પોતાની વિશાળ કાયા સંકોચી તેઓ ગરુડ જેવી ઝડપથી દોડતા હતા.
કેટલાક અશ્વો પડ્યા, કેટલાક અશ્વરોહીઓ ગુલાંટ ખાઈ ગયા. એમ ધીરે ધીરે બધા અશ્વોમાંથી કેવળ બે અશ્વો આગળ નીકળી આવ્યા. એક શ્વેત અને બીજો રક્તવર્ણાય. બે વચ્ચે તુમુલ હોડ જામી. સફેદ અને રક્તવર્ષીય બંને અશ્વો તરત જ ઓળખાઈ ગયા.
“એ જ. એ જ.” બધેથી એકસામટો ઉચ્ચાર નીકળ્યો. કોણ ? કોણ ?” નહીં સમજેલાઓએ પ્રશ્ન કર્યો. નથી જોઈ શકતા કે પેલો સફેદ દૂધ જેવો અશ્વ છે તે શ્વેતમયૂર ! રાજ ગૃહીના
હજારમાં એક n 57
Page #38
--------------------------------------------------------------------------
________________
માટે માગણી કરતું, તો કોઈ મેતાર્યને જીતેલો જણાવતું. તો કોઈ મહાઅમાત્યને ! દેહ પરનો પ્રસ્વેદ લૂછતો જુવાન મેતાર્ય આગળ આવ્યો ને નમ્રતાપૂર્વ બોલ્યો :
મહારાજ , શરત તો મહામંત્રી જીત્યા છે. મારી જીતમાં કલંક છે. મેં તો એક વાર ઠોકર ખાધી.”
મહાઅમાત્ય તરત આગળ આવ્યા ને બોલ્યા : “ના, ના, પિતાજી ! જીત તો મેતાર્યથી જ ગણાય. ઠોકર ખાવા છતાં એણે મને આગળ જવા જ ન દીધો ! હોડનું પારિતોષિક કુમાર મેતાર્યને જ ઘટે !”
મંત્રીરાજ ! અહીં તમારો ન્યાય નહીં ચાલે !'' મેતાર્થે મહામંત્રીને બોલતા અટકાવી કહ્યું : “મહારાજ પાસે હું અને તમે વાદી-પ્રતિવાદી રૂપે ખડા છીએ. ને ન્યાય આપવાનો અધિકાર આજે તમને નથી, મહારાજ મગધેશ્વરને જ ન્યાય આપવા દો !''
મહારાજ બંને કુમારોની નિખાલસતા જોઈ ગદ્ગદિત થઈ ગયા. તેમણે કહ્યું :
શાન્ત થાઓ, યુવાનો ! હું જ ન્યાય તોળીશ, આ વિજય તમારો નહિ, પણ મારો છે, મગધનો છે, મગધની વીર પ્રજાનો છે. જેના રાજ્યમાં સ્વયં પુરુષાર્થ કરી વિજય વરી, વિજયમાળા બીજાને પહેરાવનાર નિષ્કામ મહારથીઓ અસ્તિત્વ ધરાવે છે. એ રાજ્યનો સૂર્ય અવશ્ય મધ્યાહ્ન છે. સર્વ વિષયોમાં તેનો વિજય છે. હું ઇનામ
મહાશ્રેષ્ઠી ધનદત્તના પુત્ર કુમાર મેતાર્યનો !”
“અને બીજો ?”
અરે, એટલુંય જાણતા નથી ? કેસૂડાનાં પુષ્પ સરખો પેલો ઊઘડતા રક્તવર્ણનો અશ્વ તે જ અહિચ્છત્ર ! રાજગૃહીના મહાઅમાત્ય અભય-કુમારનો !”
અરે, આ તે કંઈ શરત કહેવાય ? એક તો ઊગતો જુવાન અને બીજો પુખ્ત યુવાન : બે વચ્ચે કાંઈ હરીફાઈ શોભે !''
બેસો, બેસો, શાસ્ત્રમાં કહ્યું નથી કે ‘ગુણિપુ ન ચ લિંગ ના ચ વય:' જાત કે જુવાની આવે ટાણે જોવાતી નથી, સિત્તેર વર્ષના વૃદ્ધો પણ આ શરતમાં ઊતરે છે.”
આવી આવી મનમાની ચર્ચાઓ કરતાં પુરજનોનાં નયનો તીવ્રવેગે આવતા બે અશ્વોની ગતિ પર જ સ્થિર બન્યાં હતાં.
“અરરર... ગયો, બસ ગયો !'' બધેથી અરેરાટીનો ઉચ્ચાર થયો, શ્વતમયૂરને ઠોકર લાગી, ઉપરનો અશ્વારોહી લથડ્યો ને આખા જનસમૂહમાંથી લાગણીભર્યો ઉપરનો શબ્દ નીકળી પડ્યો.
- “હાય, મારો લાલ !” એક ખૂણે ઊભી રહી, તરસ્યાં નયનોએ નીરખી રહેલી વિરૂપા ધડામ કરતી ધરણી પર ઢળી પડી. ભયમાં ફાટી રહેલા એના ડોળા ચારે તરફ ઘુમવા લાગ્યા. એ તરત અવાચક બની ગઈ.
એક તરફ શરતની પૂર્ણાહુતિની રસાકસીભરેલી ક્ષણો, બીજી તરફ વિરૂપાની ઓ હાલતે !
ધન્ય ધન્ય મિત્રાર્યને !” મેદનીમાંથી પ્રશંસાના શબ્દો ગાજ્યા.
જનતા એકદમ હર્ષાવેશથી ગર્જી ઊઠી, ઠોકર ખાધેલ અશ્વ પરથી ગબડેલો મેતાજ અત્યંત કુશળતાથી વાંદરીના બચ્ચાની જેમ અશ્વના પેટને વળગી રહ્યો ને પુનઃ એક છલાંગે પીઠ પર આરૂઢ થઈ ગયો. માનભંગ થયેલા સવારે અને આજે હવે તો પ્રાણાર્પણની બાજી લગાવી હતી.
છતાંય સંકેતસ્થાન પર શ્વેતમયૂર અને અહિચ્છત્ર એક જ સાથે પહોંચી શક્યા, એક નહિ પણ બે જણા સર્વશ્રેષ્ઠ નીવડ્યા.
મહારાજ બિમ્બિસાર સ્વસ્થાનેથી ઊઠી હર્ષપૂર્વક બંનેના સ્વાગત માટે આગળ ધસી આવ્યા.
ધન્ય છે ! તમને બંનેને. જયવાદ ઘટે છે.”
હોડનો નિર્ણય બાકી છે. વિજય એકનો જ હોય, અને એ રીતે પારિતોષિક પણ એકને જ મળે.* મેદનીમાંથી જુદી જુદી જાતના અવાજો આવી રહ્યા હતા. કોઈ પુનઃ શરતને
58 D સંસારસેતુ
અને મહારાજે ભાવાવેશમાં મહાઅમાત્ય અભય અને કુમાર મેતાર્યને છાતીસરસા ચાંપી દીધા, પાછળ રહી ગયેલા અશ્વરોહીઓ ધીરે ધીરે સંતસ્થાન પર આવી ગયા હતા. મહારાજ બિમ્બિયારે સભાને ઉદ્દેશીને કહ્યું :
“મગધની આશા સમા નવજુવાનો ! સાચા પુરુષાર્થનો કદી પરાજય નથી. એ તો ભાવિ મહાન વિજયની પ્રાથમિક ભૂમિકા છે. કર્મશીલ યોદ્ધાનો પરાજય થતો જ નથી. મગધને એવા યોદ્ધાઓની જરૂર છે. આજે જીતેલા કે હારેલા : તમામ યોદ્ધાઓને હું પારિતોષિકથી નવાજીશ. તમારી અધૂરી રમેલી રમતો ખુશીથી ને ઉત્સાહિત સમાપ્ત કરો !”
મહારાજના આ શબ્દોને માનવમેદનીએ હર્ષના પ્રચંડ નિનાદથી વધાવી લીધા. નિરાશ થયેલા યુવાનો પુનઃ કીડાક્ષેત્ર પર આવીને સજજ થઈ રહ્યા. આ પછી શરતોનો પ્રારંભ થયો.
વિવિધ જાતની શરતો હતી.
એકમાં અશ્વોને ગોળ કુંડાળે નાખી દોડાવવાના હતા. બીજીમાં સળગતી ખાઈઓ પરથી અશ્વોને કુદાવી ચાલ્યા જવાનું હતું. ત્રીજીમાં દોડતા અશ્વ પર ખેડા
હંજારમાં એક n 59
Page #39
--------------------------------------------------------------------------
________________
થઈ, એની પીઠ પર જ શરસંધાન કરી, નિર્ણીત કરેલ વૃક્ષ પરના ફળને છેદવાનું હતું.
આમ અનેકવિધ રમતો રમાઈ, ને પૂરી થઈ. આખો જનસમુદાય એ જોવામાં મગ્ન હતો. આ રસમગ્નતામાં બિચારી વિરૂપાને કોણ યાદ કરે ? કેવળ માતંગ એની સેવામાં હાજર હતો. થોડીવારે ભીડમાંથી છૂટવા માટે નાના કોમળ ફૂલને કોઈ ઊંચકી લે, એમ વિરૂપાને ઉપાડી માતંગ એક ઘટાદાર વૃક્ષ નીચે આવ્યો. વિરૂપા હજી બેભાન જ હતી.
“બૈરીની જાત ખરી ને ! એમાં વળી અવળચંડી ! જરૂર કોઈની નજર લાગી. હું એને કહેતો જ હતો કે તું બહાર નીકળ ત્યારે અંબોડામાં જબાકુસુણનું ફૂલ નાખીશ મા ! એક તો નાગની ફેણ જેવો અંબોડો ને એમાં લાલઘૂમ ફૂલ. કોકની ભારે નજ૨ લાગી. પણ ફિકર નહિ !' માતંગ મનમાં બબડવો ને એણે પોતાના મંત્રો યાદ કરવા માંડ્યા.
નાગ, ભૂત, યક્ષ, ઇંદ્ર, રુદ્ર, શૈવ ને વૈશ્રમણને તેણે મંત્ર દ્વારા આવાહન કર્યું. અનેક શક્તિમાતાઓને સ્મરી. ઠંડું પાણી લાવી મંત્રીને એ મંત્રજળ એના મુખ પર છાંટવા માંડ્યું.
છતાંય વિરૂપા બેશુદ્ધ હતી, પણ હવે એના ઘૂમતા ડોળા શાન્ત પડ્યા હતા. એનું ધમણની જેમ ઊછળતું વક્ષસ્થળ ધીમું પડ્યું હતું.
“ભારે જબરી નજર...” માતંગ બબડ્યો અને તેણે આ નજ૨ની અધિષ્ઠાત્રીને
કાઢવા કમર કસી હોય તેમ પોતાના મસ્તકની શિખા છોડી. પોતાના હાથમાં રહેલી તામ્રમુદ્રિકા કાઢી વિરૂપાની એક લટ સાથે બાંધી, અને ફરી વેગથી મંત્રોચ્ચાર શરૂ કર્યો.
પૃથ્વી, આકાશ ને પાતાળ, દિશા ને વિદિશા, વન, વ્રજ, વનખંડ ને વોદ્યાનના દેવતાઓનું એણે આવાહન કર્યું. પણ દેવદતાઓ આજે નક્કી કોઈ બીજા ભક્તની ભીડ ભાંગવા ગયા હશે, નહિ તો આટલો વિલંબ કેમ ?
શરતોની પૂર્ણાહુતિ થઈ હતી. મહામંત્રી, શ્રેષ્ઠીકુમાર મેતાર્ય અને બીજા વિજેતાઓની પ્રશંસા કરતી જનમેદની વીખરાવા લાગી હતી. વિરૂપાની કોઈને પડી નહોતી. રસ્તે જતા કોઈની નજર પડતી તો તે તરત ટીકા કરતું :
“જોઈને પેલી છેલછબીલી થઈને ફરનાર મેતરાણી વિરૂપા, ધણીને વશ કરવા વળી કંઈ ચેનચાળા આદર્યા હશે. વાઘ જેવા માતંગને બકરી જેવો બનાવી મૂક્યો છે. ગામમાં એના જેવો બીજો જવાંમર્દ નથી, ને બિચારો બૈરી પાસે બસ, બકરી બેં..." ટીકા કરનારે મોંથી ઉચ્ચાર કર્યો ને સાંભળનારા હસી પડ્યા.
થોડે દૂર મોટો રાજમાર્ગ હતો. અનેક શિબિકાઓ ત્યાં થઈને પસાર થઈ રહી હતી. અચાનક એક મૃદુ અવાજ આવ્યો :
60 D સંસારસેતુ
“માતંગ ! શું છે !”
માતંગે પાછળ જોયું તો ધનદત્ત શેઠનાં પત્ની ઊભાં હતાં. એણે ઝડપથી ઊભા થતાં કહ્યું : “બા, વિરૂપાને કંઈ થઈ ગયું છે !” “વિરૂપાને?”
“હા, શેઠાણીબા ! આ તરફ કુમાર મેતાર્ય અશ્વ પરથી લથડ્યા ને આ તરફ એ ‘હાય હાય’ કરતી જમીન પર પછડાઈ પડી ને બેભાન થઈ ગઈ. કોઈ મેલા દેવની નજર લાગી દેખાય છે. પણ ચિંતા કરવા જેવું કંઈ નથી. હમણાં આરામ આવી જશે.”
“અરે, પણ એને આમ ધૂળ પર કેમ સુવાડી છે ? માતંગા લે તો ! આ પાથરણું બિછાવ !"
ધનદત્ત શેઠનાં પત્ની શિબિકામાંથી એકદમ નીચે ઊતરી ગયાં, અને એમાં બિછાવેલ કીમતી પાથરણું લઈ માતંગને આપ્યું.
“બા, તમે શા માટે શ્રમ લો છો ? આપ પધારો ! કોઈની નજર લાગી છે. એ તો હમણાં સારી થઈ જશે !”
“ના, ના, માતંગરાજ ! એમ ચાલ્યા ન જવાય ! એ તો મારી પ્રિય સખી છે.” “નગરલોક નિરર્થક નિંદા કરશે.”
“ભલે કરે, અમે બે તો એ નિંદાથી પર થઈ ગયાં છીએ. લોકો કહીને શું કહેશે
? અમે બે સખીઓ છીએ એ જ ને ! આભડછેટ નથી જાળવતાં એ જ ને ?” એમ કહેતાં કહેતાં શેઠાણી છેક વિરૂપાની નજીક પહોંચ્યાં.
પાછળ અશ્વનો હણહણાટ સંભળાયો. જોયું તો શ્વેતમયૂર પર બેસીને કુમાર મેતાર્ય ચાલ્યો આવતો હતો. માતાને ટોળાની અંદર જોતાં એ ત્યાં આવ્યો, તેજમૂર્તિ મેતાર્યને જોતાં જ ટોળાએ જગા કરી આપી. પાછળ મહાઅમાત્ય અભય પણ આવતા હતા. સત્તાની મૂર્તિ સમા કુમાર અભયને આવતા જોઈ ટોળું વીખરાવા લાગ્યું.
“વિરૂપા, વિરૂપા ! ઓ ઘેલી ! જો તો ખરી, આંખો તો ઉઘાડ ! તને જોવા તારો વહાલો ખેતાર્ય પણ આવ્યો છે !”
આ શબ્દોએ વિરૂપાના કાનને કંઈક ચમકાવ્યા. બધાંને લાગ્યું કે માતંગના મંત્રોચ્ચાર કરતાં આ શબ્દોએ વધુ અસર કરી.
“મેતાર્ય, મારો લાલ !” વિરૂપા હોઠ ફફડાવતી તૂટક તૂટક સ્વરે બોલવા લાગી. થોડી વારે તો એ બેઠી થઈ. જરા ભાનમાં આવતાં જ એણે પ્રશ્ન કર્યો : “મેતાર્ય હેમખેમ છે ને ? અશ્વનો ખેલંદો આબાદ છે ને ? ઘણું જીવે મારો હજારમાં એક D 61
Page #40
--------------------------------------------------------------------------
________________
લાલ !'
“ગાંડી થઈ છે કે શું ? શું શું બકે છે ? શરમાતી નથી – જો તો ખરી ! અહીં કોણ કોણ છે ?” માતંગ મહાઅમાત્યને આવતા જોઈ શરમિંદો બની ગયો ને મૂંઝાતો બોલ્યો.
“ના, ના. એ ગાંડી નથી થઈ.” શેઠાણી નજીક જતાં બોલ્યાં : “વિરૂપા, અલી ઓ ઘેલી ! જો તો ખરી ? આંખ તો ઉઘાડ ! તારી સામે કોણ ઊભું છે ! મેતાર્ય પોતે ! આજે તો મગધનાથે એને શાબાશી આપી, આખું નગર એની વાહ વાહ કરે છે.”
“કોણ કુમાર ?” વિરૂપા એકદમ સાવધ થઈ ગઈ. એણે વસ્ત્રો સંભાળ્યાં. ઢીલો થયેલો કેશકલાપ ફરીથી બાંધ્યો. સ્વસ્થ બની એણે ધીરે ધીરે ચારે તરફ નજર ફેરવી. બીધેલી મૃગલી શાં એ નયનોમાં અપાર્થિવ તેજના ચમકાર હતા.
વિરૂપાએ જોયું તો નગરનાં અનેક લોકો ટોળે મળેલાં છે. શેઠાણી, કુમાર મેતાર્ય, મહાઅમાત્ય અભય, માતંગ અને બીજા ઘણા ઘણા જેની લાજશરમ રાખવી પડે એવા એવા અનેક સામે ઊભા છે, અને પોતે બેશરમ બનીને, અસ્તવ્યસ્ત હાલતમાં સામે બેઠી છે. પાસે અનેક પ્રકારની એના વિશે ચર્ચાઓ ચાલી રહી છે. વિરૂપાએ કાન માંડ્યા.
કુમાર મેતાર્ય મહાઅમાત્યને કહી રહ્યા હતા :
“મારી માતાની સખી છે. બન્ને વચ્ચે ખૂબ હેતપ્રીત છે. અને એટલો જ પ્રેમ એને મારા પ્રત્યે છે. ‘મારો લાલ’ એ ઉદ્બોધન સિવાય મને કદી સંબોધતી નથી. મંત્રરાજ માતંગની પત્ની છે.”
“માતંગની પત્ની છે ? એ તો એવી હોય જ ને ! માતંગ તો કલાવૃંત મયૂર છે, એની પત્ની એવી જ હોય ! કુમાર, શૂદ્રકુળમાં જન્મ લીધો એટલે માનવી કંઈ આત્મા, હૃદય કે મનોભાવ ખોઈ નાખતો નથી. મને તો આવા લોકોને જોઉં છું ને આ જાતિબંધનો એક જાળ જેવાં લાગે છે. હું તો સહેજ વિચાર કરું છું; જરા ઊંડો ઊતરું છું કે જ્ઞાતપુત્ર મહાવીરના ઉપદેશનો જ બધે સાક્ષાત્કાર થાય છે.”
વાર્તાલાપ તો લાંબો ચાલ્યો હશે; પણ આટલા જ શબ્દો વિરૂપાના શ્રવણપટ પર અથડાયા. એ શરમાઈ ગઈ ને તરત ઊભી થઈ નીચું મોં કરી ઝડપથી મેદનીની બહાર નીકળી અદૃશ્ય થઈ ગઈ.
ધીરે ધીરે સહુ વીખરાયાં.
શિબિરમાં બેસતાં બેસતાં શેઠાણીએ માતંગને કહ્યું :
“બરાબર સારવાર કરજે, અને મને એની તબિયતના ખબર આપજે. વૈદ્યની જરૂર હોય તો મોકલું."
62 D સંસારસેતુ
“ના રે, શેઠાણી બા ! માતંગ વૈદ્યોનો વૈદ્ય હોય ત્યાં એને ઘેર બીજો વૈદ્ય કેવો ! કોઈ કૂડી નજર લાગેલી, એટલે આમ બન્યું. હું તો ઘણીવાર એને સમજાવું છું કે આમ બનીઠનીને બહાર ન નીકળ. પણ બૈરીની જાત. કહ્યું ન માને કદી.” માતંગને આજની આ બધી ઘટનાથી ક્રોધ ચઢી ગયો હતો. એ આગળ ન બોલી શક્યો, એણે ધીરેથી દાંત કચકચાવ્યા.
“જોજે માતંગ ! ઘેર જઈને પાછો લડી પડતો નહિ ! બરાબર સેવાબરદાસ્ત કરજે."
“ચિંતા નહિ, શેઠાણી બા ! આખરે માણસ તો મારું છે ને !”
હજારમાં એક C 63
Page #41
--------------------------------------------------------------------------
________________
9
કીર્તિ ને કાંચન
વિરૂપાને એ દિવસના બનાવ પછી બહાર નીકળતાં ખૂબ શરમ આવતી.
માતંગ ભલે ગમે તેવો રોષે બળ્યો હોય છતાં એની પાસે કંઈ કરી શકે તેમ નહોતો; પણ વિરૂપાને બીજા વિચાર આવતા. એ વિચારતી : “એ દિવસે કેવી નિર્બળતા બતાવી ! કેટકેટલા ને કેવા કેવા પુરુષો વચ્ચે પોતે નિર્લજ્જ બની પડી રહી ! અને કોણ જાણે લોકો મારે માટે શું શું કહેતા હશે !”
આવા વિચારોમાં ને વિચારોમાં એ અડધી થતી ચાલી.
“અરેરે ! પરમ પાડ માનું છું મા શક્તિનો. નહિ તો એ દિવસ મોંમાંથી કંઈ યદ્ઘાતદ્ઘા બોલાઈ ગયું હોત તો શું થાત !” વિરૂપા વધુ ઊંડી ઊતરી, અને જેમ વધુ ઊંડી ઊતરતી ગઈ એમ એનું મનોદુઃખ વધતું ચાલ્યું.
“વિરૂપા, તને કોણે ઊંચે થાંભલે ચડાવી હતી ? બેળે-બેળે તું ચઢી. શા માટે એ વખતે વિચાર ન કર્યો ? મન એટલું કાચું હોય તો પછી કસોટીએ ચડવું નહોતું. કોનો પુત્ર ? તારો ? અરે મૂર્ખ ! તારા નસીબમાં સંતાન હોત તો આટઆટલાં વર્ષોનાં વહાણાં વાયાં, ને બીજું સંતાન જ ન થાત ? ગઈ કાલે જ તારી આંખ સામે જ પરણીને આવેલી પેલી અનેકાનેક મેતપત્નીઓના ખોળા ભરાઈ ગયા. આ બાઓ એવાં છોકરાંઓથી તો ઊભરાય છે. ઘણીય માતાઓ ઇચ્છે છે કે ઈશ્વર આ જંજાળ ઓછી કરે, પણ જ્યારે ઈશ્વર એ જંજાળને વધારતો જ રહે છે, ત્યારે માતાઓ પોતે એ કામ હાથ ધરે છે. બાળકોને મારે છે, ઢીબે છે, ભૂખ્યાં રાખે છે; છતાંય એ ચોમાસાના અળશિયાની જેમ ખદબદ વધ્યે જ જાય છે. દરિદ્રકુળમાં તો સંતાનની છત, પછી તારે ત્યાં અછત કેમ !
“વિરૂપા ! તારે ભૂલી જવું જોઈએ. તારે માની લેવું જોઈએ કે તારો પુત્ર હતો
જ નહિ, તને પુત્ર અવતર્યો જ નહોતો. કદાચ અવતર્યો હતો તો અવતરીને તરત મરી ગયો હતો."
“મરી ગયો હતો ?” આ શબ્દોએ એના મનને અચાનક ધક્કો માર્યો. કોઈ
એના દિલમાં ચૂંટી ખણીને કહેતું લાગ્યું : “તું કોનું અશુભ ચિંતવી રહી છે ? તારા જ સંતાનનું ? હા, હા, અરે ! પણ મારે તો બાળક ક્યાં જન્મ્યો હતો કે એ મરી ગયો એવું કહું ? ખમા મારા લાલ !”
વિરૂપા એકદમ સાવધ થઈ ગઈ. આ વિચારોને દૂર કરવા એણે મોં પર થોડું ઠંડું પાણી છાંટવું અને પાસે જ વિવાયેલી કૂતરીનાં ગલૂડિયાંને લઈ પંપાળવા લાગી. પણ ગલૂડિયાંને રમાડતાં તો એની વેદના વધી ગઈ. એણે ખોળામાં રમતા ગલૂડિયાને બાજુમાં પટક્યું ને કામમાં મન પરોવતા માતંગનાં વસ્ત્રો લઈ ધોવા બેઠી. ધોતી ધોતી પાછું એ પોતાના મનને અનુરૂપ ભજન છેડી બેઠી : “ધોબીડા તું ધોઈ મનનું ધોતીયું રે,
રખે રાખતો મેલ લગાર રે | એણે રે મેલે જગ મેલો કર્યો રે,
અણધોર્યુ ન રાખ લગાર રે ! રખે મૂકતો મન મોકળું રે,
પડ મેલીને સંકેલ રે, સમયસુંદરની શિખડી રે,
સુખડી અમૃતવેલ રે ! ધોબીડા, તું ધોજે મનનું ધોતિયું રે !x
વિરૂપા વસ્ત્ર ધોવામાં મશગૂલ હતી, ત્યાં પાછળથી કોઈએ એના મસ્તક પર ફૂલોનો વરસાદ વરસાવ્યો.
“અરે, કોણ છે ? આ શું તોફાન !”
“ફૂલોનો વરસાદ ! રાણીજીના મસ્તક પર ફૂલોની બૌછાર !'હસતો હસતો માતંગ બોલ્યો.
“રાણીજીને ફૂલોની બૌછાર અને રાજાજીને ?"
“તારા હાથમાં રહેલો કાષ્ઠદંડ !”
વિરૂપા શરમાઈ ગઈ. એ વસ્ત્રો ધોતી ધોતી ધોકણું હાથમાં ગ્રહીને ઊભી થઈ અને બોલી : “ભોજનને થોડો વિલંબ છે. માતંગ, આ આસોપાલવ નીચે થોડી વાર
વિશ્રામ કર !"
×સમયસુંદર ઉપાધ્યાય.
કીર્તિ ને કાંચન D 65
Page #42
--------------------------------------------------------------------------
________________
“ચાલ ને વીરુ, આજે સાથે સાથે બેસી ભોજન બનાવીએ ને વાતો કરીએ. હવે બેએક દહાડા સુધી મારાથી ઘેર ઓછું એવાશે.”
“કેમ ?* “કારણ છે.” “શું કારણ છે ? કંઈ ગુપ્ત વાત છે ?”
હા હા.* “મારાથી પણ ગુપ્ત ?”
ના, ના, પણ બૈરીની જાત વાયડી ખરી ને, એટલે નથી કહેતો, છતાં સાંભળ ! હમણાં મહાઅમાત્ય, મહારાજા તેમજ બધા વિશ્વાસુ સૈનિકો બહાર ગયા છે. એમના આવતાં સુધી રાજમહાલયના ઉદ્યાનવાળા વિભાગની મારે ચોકી કરવાની છે. બરાબર સાવધાનીથી જાળવવાનો છે.”
મગધરાજના રાજમાં કોનો ડર ?* “છતાંય ખબરદારી સારી. ચેતતા નર સદાય સુખી.*
વાત કરતાં કરતાં પતિપત્ની ઘરમાં ગયાં, માતંગ ચૂલાની નજીક બેઠો ને વિરૂપા ભોજનની તૈયારીમાં ગૂંથાઈ. વચ્ચે વચ્ચે આ સુખી દંપતી અનેક જાતનાં ટોળટપ્પાં કરતું.
અચાનક દૂર દૂરથી રાજગૃહીની શેરીઓ વીંધતો કોઈ માનવકલરવ માતંગના કાન પર અથડાયો.
નગરની બાજુથી માનવસમૂહનો પ્રચંડ અવાજ આવી રહ્યો હતો. અવાજ વધતો જ જતો હતો. ધીરે ધીરે અવાજ સ્પષ્ટ સમજી શકાય તેવો આવવા લાગ્યો.
નાસો, ભાગો, લૂંટારાઓએ હલ્લો કર્યો છે !”
અરે, રાજગૃહીના શ્રેષ્ઠીઓનાં ઘર લૂંટાય છે, બધા સાવધ બની બહાર નીકળી પડો !''
શું લૂંટારાઓએ હલ્લો કર્યો ?” જમતો જમતો માતંગ એકદમ ઊભો થઈ ગયો. એના રોમેરોમમાં કંપારી વ્યાપી રહી.
કોઈએ આકડે મધ દીઠું લાગે છે. જ્યારે નગરમાં મહારાજ નથી, મહાઅમાત્ય નથી, મગધના ચુનંદા સૈનિકો નથી, ત્યારે કોઈ જાણભેદુએ ઠીક લાગ શોધ્યો છે. વિરૂપા, મારે જલદી જઈ પહોંચવું જોઈએ. રાજમહેલની પૂર્વદિશાની રક્ષાનો ભાર માથે છે, મારો છરો, મારી લાઠી, મારી પરશુ !'”
લાઠી, છરો, પરશુ વગેરે આપતાં વિરૂપાએ કહ્યું : “માતંગ, જાળવજે ! જોખમમાં ન ઊતરતો !”
66 D સંસારસેતુ
મર્દને જાળવવા જેવું એક નાક છે. એ ન રહ્યું તો પછી બધુંય સરખું છે.” વીરભાવના વેગમાં માતંગનાં બંને નસકોરાં ફાટી રહ્યાં હતાં. એની આંખોમાં તો જાણે અંગાર ચંપાયો હતો. એની પડછંદ કાયા અત્યારે અત્યંત બિહામણી લાગતી હતી.
એક છલાંગ, બે છલાંગ અને માતંગ વિરૂપાની નજરમાંથી અદૃશ્ય થઈ ગયો. પવન પર ચડીને જતા તણખાની જેમ એ નગરના મધ્યચોકમાં આવી પહોંચ્યો.
અહીંનું દશ્ય ભયંકર હતું. કેટલાય શ્રેષ્ઠીઓના ધનભંડારો માર્ગ વચ્ચે ઠલવતા થયા હતા. જે ઓ ભંડારો બતાવવા આનાકાની કરતા હતા, તેઓ પર જાતજાતના અત્યાચારો ગુજારવામાં આવતા હતા, માર્ગ પર લોહીનો છટકાવ હતો, તેમ મકાનોમાંથી ત્રાહિ ત્રાહિના પોકારો આવતા હતા. કુમળા દિલની કેટલીય સ્ત્રીઓ બેભાન બની ગઈ હતી.
કેટલેક ઠેકાણે તલવારોની હીંચ ખેલાઈ રહી હતી. માતંગે એક નજરે આ બધી પરિસ્થિતિ માપી લીધી. એને તરત જ સમજ પડી ગઈ કે વૈભાર પર્વતમાળાના પલ્લીવાસી લૂંટારાઓએ આજે નગરને ઘેરી લીધું છે. ચોકીદારોની અછત અને હાજર ચોકીદારોની ગફલતનો તેઓએ લાભ લીધો છે. પણ આશ્ચર્યની બીના એ હતી કે જાણે આ લૂંટારાઓ આ નગરના એક એક માણસને પિછાનતા હોય, તેમની ધનદોલત વિશે જાણતા હોય એમ વર્તતા હતા.
થોડીવારમાં તો દૂર દૂરથી જયગર્જના સંભળાઈ : પલ્લીપતિ મહારાજ રોહિણેયની જય !”
રોહિણેય ?માતંગ આશ્ચર્યાન્વિત બની ગયો. થોડી વારે નિશ્ચય પર આવતો હોય તેમ મનમાં બોલ્યો : “નક્કી ઉપરથી સૌમ્ય લાગતા પણ અંતરના ઊંડા માનવીનાં જ આ કામ !”
પણ અત્યારે લાંબા વિચારો કામ આવે તેમ નહોતા. લૂંટારાઓ એક પછી એક મકાનો લૂંટતા, ત્રાસ વર્તાવતા આગળ વધતા હતા.
માતંગને લાગ્યું કે રાજમહેલની રક્ષા માટે તેણે જલદી ત્યાં હાજર થઈ જવું યોગ્ય છે. એ ઝડપથી ગલીઓમાં અદૃશ્ય થઈ ગયો અને ટૂંકા માર્ગો દ્વારા ભણવારમાં રાજમહેલે પહોંચ્યો.
અહીંનું દશ્ય અત્યંત ભીષણ હતું. રાજ દ્વારના અનેક સૈનિકો ધરાશાયી બની ગયા હતા. લૂંટારાઓ જીવ પર આવીને અંદર પ્રવેશ કરવા માગતા હતા. મુઠ્ઠીભર બહાદુર સૈનિકો પ્રાણાર્પણથી હલ્લો ખાળી રહ્યા હતા.
પણ આ શું ? સૈનિકોને મોખરે કોણ ઊભું ? એના અંગઅંગમાંથી મધપૂડામાંથી
કીર્તિ ને કાંચન | 67
Page #43
--------------------------------------------------------------------------
________________
મધ ઝરે એમ લોહી ઝરી રહ્યું છે. એનો અશ્વ ઘવાયો છે; વસ્ત્રોની દશા તો વિચિત્ર છે : છતાં એક ગર્વોન્નત મસ્તકે હાથમાં મોટો ભાલો લઈ એ પડકાર કરી રહ્યો છે. - “ખબરદાર, એક ડગલું પણ આગળ વધ્યા છો તો ! ધન કાંચન જોઈએ તેટલું લઈ જાઓ, પણ મહારાજ મગધનાથની કીર્તિ પર હાથ નાખ્યો છે તો જીવતા પાછા નહિ વળો !
ધીરગંભીર શંખનાદ જેવો ઘેરો અવાજ ! આ અવાજ કોનો ? માતંગને પિછાણતાં વાર ન લાગી.
એ જ ! એ જ ! વિરૂપાનો લાલ ! કુમાર મેતાર્ય ! એ શ્રેષ્ઠીકુમારે પોતાની ધનદોલત સગે હાથે લૂંટારાઓને સોંપી હતી. સોંપતાં સોંપતાં એણે કહ્યું હતું :
હોય, સહુને લક્ષ્મીપતિ થવાની ઇચ્છા હોય. લઈ જાઓ, લેવાય તેટલું લઈ જાઓ ! રાજ ગૃહીની તમારી યાત્રા નિષ્ફળ ન થવી ઘટે. અમે એમ જાણશું કે મગધરાજને આંગણે એક દહાડો વહાણ નહોતાં લાંગર્યા !”
ધનદત્ત શેઠના ભંડારો ખુલ્લા મુકાયા હતા, લૂંટારાઓએ હાથ પડવું તેટલું ધન લીધું પણ એકલા લક્ષ્મીપતિ થવાની ઇચ્છા ન હોય એમ જણાયું. તેઓ તો આટલા કાંચનથી ને ધરાતાં મગધરાજનો વૈભવશાળી ને અભેદ્ય રાજ મહેલ લૂંટી અંતઃપુરમાં ખળભળાટ મચાવી, મગધની કીર્તિ પણે લૂંટવા માગતા હતા, પણ પ્રત્યેક રાજ ગૃહવાસીન મગધરાજની કીર્તિ પોતાના પ્રાણ કરતાંય વહાલી હતી...
કુમારને સેવકને જાણ કરી કે લૂંટારાઓ રાજમહેલ તરફ આગળ વધી રહ્યા છે, કે તરત એણે શસ્ત્રો સજ્યાં. વણિક સ્વભાવનો, દયામૂર્તિ લાગતો કુમાર એકદમ વીરના સ્વાંગમાં હાકોટા દેવા લાગ્યો.
ધનદત્ત શ્રેષ્ઠી વચ્ચે પડ્યા. શેઠાણીએ ખોળો પાથર્યો : પણ કુમાર બધાને હડસેલીને ચાલ્યો ગયો. એણે એકેની વાત ન સાંભળી. જતાં જતાં માત્ર એટલું જ કહ્યું : “આપણી આબરૂ અને લક્ષ્મી જીવનભર જાળવનાર ધણીની આબરૂ આમ એની ગેરહાજરીમાં, આપણી નજરે ઘડી બે ઘડીમાં રોળાઈ જાય તો તો જીવવું જ નિરર્થક લાગે ને !”
અને રાજમહેલના દ્વાર પર ખરી ઝપાઝપી ચાલી. કાંચનના ઢગલે ઢગલા આપતાં લેશમાત્ર ને થડકનાર, ન દેખાતી એવી કીર્તિ માટે મરવા સજ્જ થઈને ઊભો. ધનદત્ત શ્રેષ્ઠીના કુળનો આ એકનો એક દીપક આમ હથેળીમાં જીવ લઈને ઝૂઝે : એ જોઈ સામાન્ય સૈનિકોને પણ શૂર જાગ્યું. લૂંટારાઓએ થોડી વારમાં પારખું કરી લીધું કે રુદ્રસ્વરૂપનો આ અવતાર, જેવો તેવો યોદ્ધો નથી, અને એને આગળ આવેલો જોઈ નગરજનો પણ તેની સરદારી નીચે એકઠાં થઈ રહ્યાં છે, હાથોહાથની લડાઈમાં પોતાના માણસો પણ ઓછા થતા જાય છે, એટલે તેઓએ વ્યુહ બદલ્યો.
68 સંસારસેતુ
થોડાક પાછા ખસ્યા અને મોરચો બનાવ્યો.
છતાં ઘવાયેલો મેતાર્ય એક તસુ પણ પાછો ન ખસ્યો, એક હાથમાં ભયંકર ભાલો તોળીને એ પહાડ શો નિર્ભય ખડો હતો. એના બીજા હાથની વિશાળ ઢોલ નરમ પડેલા શત્રુદળમાંથી આવતાં તીરોને નિરર્થક બનાવી રહી હતી.
ધીરે ધીરે મામલો તંગ બનતો જતો હતો. લૂંટારાઓ એક સામટો હલ્લો કરવાની તૈયારીમાં હતા. અચાનક માતંગ વચ્ચે કૂદી આવ્યો. એણે હાકલ કરી :
“રોહિણેય, વીરધર્મ અંગીકાર કરતાં શીખ ! મર્દોના બાવડે મોત બાંધ્યું હોય છે, પછી આવી નામર્દાઈ ! તારા સૈનિકો જો તારા માટે મરી ખૂટવા તૈયાર હશે, તો શું રાજગૃહીના ધણીને સાચા સેવકો જ નહિ હોય ? રોહિણેય, એકલો મેદાનમાં આવી જા ! પંજે પંજા લડાવી જોઈએ ! નિર્દોષ પલ્લીવાસી વીરોનો સંહાર શા માટે કરે છે ?”
માતંગ, એમાં સાર નહિ કાઢે. પંજે પંજા લડાવીશું તો દુનિયા મારી ને તારી હાંસી કરશે. હું ને તું કોણ ? કૃપા કરીને મારો માર્ગ છાંડી દે !” લૂંટારાઓના ટોળામાંથી એક જુવાન આગળ આવ્યો. ઊંચા ઘોડા પર પડછંદ કાયનો એ પુરુષ અક્કડ બેઠો હતો. એના આખા શરીર પર લોઢાની ગુંથેલી સાંકળોનું બખ્તર હતું ને કમરને વીંટાતી વિષધર તીકણા છરાઓની હારમાળા હતી, એની વિશાળ પીઠ પર તીરોનું મોટું ભાથું હતું. અડધાં તીરો વપરાઈ ચૂક્યાં હતાં, ને એ એક એક તીરે એક એક જીવને ધરાશાયી બનાવ્યા હતા. એના એક હાથમાં લોહીનાંગળતી પરશુ હતી. ઠેકઠેકાણે એ ઘવાયો હતો પણ વેદનાની એક પણ રેખા એના મુખ પર દેખાતી નહોતી.
“રોહિણેય માર્ગ છોડતાં પહેલાં તો માતંગને અહીં માટીમાં મળી જવું પડે. તું કોને લૂણહરામ થતાં શીખવે છે.”
માતંગ, આ બધા કોણ ? એમને લૂંટવા, હેરાન કરવા એ તો આપણો
કુળધર્મ *
રોહિણેય, કુળધર્મની વાતો આજે નહિ. પાછો ફરી જા ! નગરને લૂંટી તેં તારી બહાદુરી બતાવી છે. હવે આટલેથી સંતોષ ધર ! મગધરાજની કીર્તિ સાથે બાથ ભીડ મા !”
“એ બાથ ભીડવા માટે તો વર્ષોથી ચૂપચાપ બેઠો હતો. ભોળાભલા નગરવાસીઓને લૂંટવામાં શી બહાદુરી ? બહાદુરી તો હવે બતાવવાની છે. આજે કોઈનું નહિ માનું. માતંગ ! માર્ગ મૂકી દે, નહિ તો હમણાં તું વીંધાઈ જઈશ.”
માતંગ માર્ગ નહિ મૂકે ! માર્ગ મુકે એ માતંગ નહિ.”
કીર્તિ ને કાંચન E 69
Page #44
--------------------------------------------------------------------------
________________
તો સાવધ થઈ જા ! બહાદુરો, આગળ વધો ! તમારી પરશુને બેફિકર ઘુમાવો ! રોહિણેય કાંચનનો ભૂખ્યો નથી, પણ કીર્તિનો ભૂખ્યો છે, એ વાત આજે જગજાહેર થવા દો !”
- આ અવાજ ભયંકર હતો. રાજમહેલના ઝરૂખાઓ પર એ પડછંદા પાડવી લાગ્યો.
લૂંટારાઓ ઝનૂનપૂર્વક આગળ ધસી ગયા. માતંગે ઈષ્ટ દેવતાઓનું સ્મરણ કરી પોતાની પરશુ ઉઠાવી. મેતાર્યે રોહિણેયને વીંધવા અશ્વને ચક્રાવ લીધો. તુમુલ યુદ્ધ મચી ગયું. મેતાર્ય અને માતંગને ઝૂઝતા જોઈ ભયભીત નગરજનોમાં પણ હામ આવી. મળ્યાં તે શરસ્ત્રાસ્ત્ર લઈ સહુ મદદે ધસી આવ્યાં.
માતંગ અદ્દભુત રીતે લડી રહ્યો હતો. દુશ્મનના દાવ સામી છાતીએ ઝીલતો હતો અને દુશમનને સામી છાતીના ઘાવ દેતો હતો.
કુમાર મેતાર્યે લૂંટારા રોહિણેય સામે દાવપેચ લેવા માંડ્યા હતા. ધીરે ધીરે નગર-સૈનિકો વધતા ચાલ્યા અને લૂંટારાઓની સંખ્યા ઓછી થવા લાગી. કેટલાક લૂંટારાઓ હજી નગરમાં જ લૂંટ કરવામાં વ્યગ્ર હતા. થોડા ઘણા મદદે દોડી આવ્યા. પણ તેઓ કંઈ વધુ ન કરી શક્યા. મેતાર્ય અને માતંગે નગરજનોમાં નવપ્રાણ પૂર્યો હતો. રોહિણેય ધીરે ધીરે ઘેરાઈ રહ્યો હતો. એના ગણ્યાગાંઠ્યા જ સાથીદારો બાકી હતા. અચાનક મેતાર્યો હાથમાં તોળેલો ભાલો ઝીંક્યો.
ચપળ રોહિણેય યમરાજના આગમનને પારખી ગયો, એ એક છલાંગે અશ્વ પરથી નીચે સરકી ગયો. ભાલો અશ્વની પીઠને ઘસાઈ સડસડાટ આગળ વધી ગયો. હવે રોહિણેય ઝનુને પર ચડ્યો. એણે કમર પરનો ભયંકર છરો ખેંચ્યો ને અત્યંત વિગથી મેતાર્ય સામે ફેંક્યો.
ગમે તેવો તોય સુકોમળ જીવનનો જીવનારા મેતાર્ય ! વળી લાંબી લડાઈથી થાક્યો હતો. એનો અશ્વ પણ અત્યંત ઘવાયો હતો. યમરાજ ની દષ્ટા જે વો ભયંકર છરો આંખના પલકારામાં એના સ્કંધમાં આવીને ખેંચી ગયો. પણ વીર મેતાર્ય પાછો ન ફર્યો. એક હાથે છરો ખેંચીને ફેંકી દીધો ને તરત બમણા વેગથી એ રોહિણેય પર ધસી ગયો.
મર્દ રોહિણેય મુંઝાયો. એણે હવે પાછા ફરવામાં જ સલામતી માની. તરત એણે મોંએથી વિચિત્ર પ્રકારનો અવાજ કર્યો. એ અવાજનું એક પછી એક બધા લૂંટારાઓએ અનુકરણ કર્યું. અશ્વ વગરનો રોહિણેય એક મોટી લાઠીના બળે આખા ટોળાને કુદી ગયો, ને ગંગાના ઘાટ તરફ નાઠો. માતંગ તો લડવામાં મશગૂલ હતો.
મેતાર્યે રોહિણેયને નાસતો જોયો ને તેની પીઠ પકડી. પગના બળથી દોડતા રોહિણેયને મેતાર્યનો અશ્વ આંબી લે એવી વાર હતી કે ચાલાક લૂંટારાએ કમર પરના
70 1 સંસારસેતુ
છરાનો ઉપયોગ કર્યો, વાર ચૂકવવા મેતાર્યને અશ્વ પરથી પૃથ્વી પર કૂદકો મારવો પડ્યો. હવે બંને પગપાળા થયા !
આગળ પવનવેગે રોહિણેય નાસે ! પાછળ દાંત કચકચાવતો મેતાર્ય પગલે પગલું દબાવે !
દક્ષિણ દિશામાં દોડતો રોહિણેય હવે બરાબર મેતોના કૂબાઓ પાસે આવી પહોંચ્યો હતો. ત્યાંથી નીચે ગંગાની કંદરાઓ વિસ્તરેલી હતી. એમાં એ ઊતર્યો એટલે જાણે માતાના ખોળે બેઠો, પણ આ પીછો પકડનારને કેમ ખાળવો ?
એક જ ક્ષણ ને રોહિણેયે કંઈક નિશ્ચય કર્યો. તેણે કમર પરથી છેલ્લો છરો ખેંચ્ય, ખેંચીને ઘા કરવા માટે એ એક ક્ષણ ઊભો રહી ગયો ને હાથમાં ઊંચે હવામાં વીંજ્યો.
મેતાર્યના ખભામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. એ દોડતો હતો. પણ હવે એને બીજું ભાન ઓછું હતું.
એક જ ક્ષણ ને કામ તમામ થઈ જાત, પણ કોઈ ચીસ પાડતું વચ્ચે ધસી આવ્યું. કોણ આવ્યું ?
ખસી જા, દૂર ખસ ઓ સ્ત્રી !” રોહિણેયે રોષભરી ગર્જના કરી. એના શબ્દોમાં વાઘની પ્રચંડ લોહીતરસ ગુંજતી હતી.
નહીં ખરું ! રોહિણેય, નિરાંતે ઘા કર ? આટલી કીર્તિ ભેગી સ્ત્રીહત્યાની કીર્તિ પણ વળતો જા !”
સ્ત્રી ! સ્ત્રીવધ ! બાળક અને સ્ત્રીને છંછેડવામાં મહાપાપ માનનાર રોહિણેય મૂંઝાયો.
કેમ ઘા કરતો નથી ! તારું કલ્યાણ થશે !” “તને નહિ મરાય ! રોહિણેય સ્ત્રીને અવધ્યય ગણે છે !”
અને એવી કુળનીતિમાં માનનાર રોહિણેય જોયું કે જ્યારે આ હઠીલી સ્ત્રી એક તસુ પણ ખસવા આનાકાની કરે છે, ત્યારે એ મૂંઝાયો. વખત ઓછો હતો. નાસી ન છુટાય તો વાત ભારે થઈ પડે તેમ હતી. એણે વીજળીની ઝડપે નિશ્ચય કર્યો. છરી પાછો કમર પર નાખ્યો ને આંખના પલકારામાં કૂબાઓ વટાવી ગિરિકંદરાઓમાં સમાઈ ગયો. જેઓ સાજાસારા રહેવા પામ્યા હતા, તે લૂંટારાઓ પણ હવે નાસી છૂટ્યા હતા.
મેતાર્થે આ સ્ત્રીનો સંવાદ સાંભળ્યો હતો, પણ ધીરે ધીરે તેની સમજ શક્તિ ઓસરી રહી હતી. એની આંખે અંધારાં આવી રહ્યાં હતાં. એ લથડ્યો. પણ કોઈ બે સુંવાળા હાથોએ એને ઝીલી લીધો. એ વિરૂપા હતી. મેતાર્યન ઝીલીને એ ઘરમાં
કીર્તિ ને કાંચન D 71
Page #45
--------------------------------------------------------------------------
________________
10
લઈ ગઈ. એક સાદી પણ સુંવાળી પથારીમાં એને આસ્તેથી સુવાક્યો. એના ઝેરી ઘામાં લક્ષપાક તેલનાં પોતાં મૂક્યાં ને પાટા વીંટવા લાગી.
મેતાર્ય મૂર્ધામાં પડ્યો હતો. અને વિરૂપા હજી એકની સારવાર પૂરી કરી નહોતી રહી. ત્યાં રાજસેવકો ઘવાયેલા માતંગને ઉપાડીને આવ્યા.
ખાટલામાં પડ્યો પડ્યો માતંગ હોકારા કરતો આવતો હતો. એનું ઝનૂન આથમ્યું નહોતું. માતંગની આ દશા જોઈ વિરૂપા બહાવરી જેવી થઈ ગઈ, પણ એણે સમય ઓળખી હિંમત એકઠી કરી. માતંગને બીજી પથારી બનાવી સુવાક્યો, એના ઘા ધોયા, ને બધે પાટા બાંધ્યા. માતંગ હજીય ઘાયલ વાઘની જેમ પડ્યો પડ્યો ગર્જના કરી રહ્યો હતો.
ધીરે ધીરે મેતોના વાસમાં ગામલોક ભેગું થવા લાગ્યું. હાંફળા-હાંફળા ધનદત્ત શ્રેષ્ઠી ધસી આવ્યા, હજારો દેવ-મંત્રો સ્મરતાં શેઠાણી પણ આવ્યાં. સહુના પ્રાણનો દીવો જાણે ઝંખવાયો હતો. આખા નગરની કીર્તિ જાળવનાર આ બે વીરોની સુખશાતા પૂછવા માટે મેતના આવાસમાં શું બ્રાહ્મણ, શું ક્ષત્રિય કે શું વૈશ્ય : બધા ય આવી ઊભરાયા હતા..
નાતજાતના ભેદ આજે ભુલાઈ ગયા હતા.
રાજગૃહીના મહાન વૈદ્ય જીવક થોડી વારમાં ત્યાં આવી પહોંચ્યા, બંનેને તપાસ્યા. મેતાર્યની સ્થિતિ ગંભીર જણાવી અને થોડા દિવસ માટે અહીંથી જરાય ન ફેરવવા સૂચના કરી.
ચિંતાનું એક મોટું વાદળ રાજગૃહી પર પથરાઈ રહ્યું.
જગતનું ઘેલું પ્રાણી
શેરડીનો આખો સાંઠો જેમ એકસરખા મીઠા ઇફુરસથી છલોછલ ભરેલો હોતો નથી, એમ માનવજીવનની બધીય ક્ષણો મીઠી ને મધુરી હોતી નથી. સાંઠાની અનેક કાતળીઓમાંથી બેચાર કાતળી જ બહુ મીઠી મધુરપ ધરાવતી હોય છે, અને એ મધુરપ જ એના છેડાની નીરસતા અને ગાંઠાની કઠિનતાને આવરી લેતી હોય છે. એમ સુખ દુઃખના ચક્રમાં ભમ્યા કરતા માનવીને જીવનમાં એવી થોડી એક ક્ષણો જ મળી જાય છે, જે એના કટુ અને વિષાદઘેર્યા જીવનને મિષ્ટતાની છાયા સદાને માટે આપી જાય છે.
વિરૂપાના જીવન-સંસારની એવી મીઠી મધુરી ક્ષણો આજે ઊગી રહી હતી. એના નાના એવા ઘરમાં સ્વયં સ્વર્ગ રચાઈ ગયું હતું. ને જીવનમાર્ગ ભૂલેલી લાગતી વિરૂપાને જાણે હર્ષની દિશા લાધી ગઈ હતી. એની મુખશ્રી પુનઃ ઉલ્લાસિત બની હતી અને શિથિલ બનતાં એનાં અંગોપાંગમાં ફરીથી ઉત્સાહની વિદ્યુત ઝબકી ઊઠી હતી.
પ્રસંગ તો અવશ્ય દુઃખદ હતો. કંઈ આજે વિરૂપાને ત્યાં કોઈ લગ્નોત્સવ નહોતો રચાય કે આટલી પ્રફુલિત બની જાય; પણ માનવીનું મન ક્યાંથી ને કોણ જાણે કેવી રીતે સાંત્વન ને સુખ શોધી લે છે, એ જાણવું જ અટપટું છે.
ઘરમાં ભયંકર રીતે ઘવાયેલ બે પુરુષના ખાટલા પડ્યા હતા. અને એ બે પુરુષોમાંય એક એનો જીવનસાથી પતિ માતંગ હતો. બીજો એનો જીવનસર્વસ્વ સમો પુત્ર હતો. વિરૂપા ઘાયલ એવા આ પુરુષોને પામીને જાણે ધન્ય થઈ હતી. કંઈક સૂનો સૂનો લાગતો એનો સંસાર આજે ભરાઈ ગયો હતો. એ ઘેલી સ્ત્રીને જાણે હવે કંઈ જોઈતું જ નહોતું.
72 | સંસારસેતુ
Page #46
--------------------------------------------------------------------------
________________
આખો દિવસ ને સંપૂર્ણ રાત એ સેવાશુશ્રુષામાં ખડી જ રહેતી. એને ઉજાગરા થકવતા નહિ, કઠિન શ્રમ શરીરને આરામ લેવા પ્રેરતો નહિ ને જાણે ભૂખપ્યાસ તો કદી હતી જ નહિ !
ઘડીકમાં માતંગને કપાળે શીતળ જળનાં પોતાં મૂકતી તો ક્ષણવારમાં મેતાર્યના ઘાની વેદનાથી તપ્ત થયેલા લલાટને પંપાળતી. એકને ઔષધ આપીને પરવારતી ત્યાં બીજાની પાટાપિંડીમાં પડતી. ધનદત્ત શેઠનાં અનેક દાસદાસીઓ ત્યાં પડ્યો બોલ ઝીલવા તૈયાર હતાં. શેઠ ને શેઠાણી પોતે અર્ધા અર્ધાં થઈ જતાં; પણ સેવાશુશ્રુષા તો વિરૂપા પોતે જ કરતી. એને કોઈ પર વિશ્વાસ ન આવતો. કોઈ ભૂલેચૂકે પાટો બાંધી દેતું તો એ તરત છોડી નાખી પુનઃ બાંધતી. ઔષધ કોઈ ઘટતું ને તૈયાર કરતું તોય તેને સંતોષ ન થતો. માલ વગરના કાંઈ કાંઈ વાંધા કાઢી પોતે જ તૈયાર કરવા બેસતી.
આખા નગરમાં લૂંટારાઓની ચર્ચાની સાથે મેતના ઘરમાં રહેલ મેતાર્ય માટે પણ રસભરી ચર્ચા ચાલી રહી હતી. ઘણાને આ વાત વધારે પડતી લાગતી; પણ મેતાર્યનું પરાક્રમ, માતંગની વિક્રમશીલતા અને વૈદ્યના અભિપ્રાયથી સહુ મને-કમને પણ મૈતના કૂબાનો વાસ એક અપવાદધર્મ લેખી શાન્ત થતાં. ધનદત્ત શ્રેષ્ઠી મેતાર્યને જરા આસાયેશ મળતાં ઘેર લઈ જવા અત્યંત ઉત્સુક હતા, પણ વૈદ્યનો અભિપ્રાય ન મળતાં એ ચંપાઈને બેઠા હતા.
એક દિવસમાં તો મેતોનો વાસ અનેક ઉચ્ચ કુળોની આવજાવથી તીર્થભૂમિ જેવો બની ગયો. જાતિહીનતાની તલવાર નીચે દબાયેલા મેતો પણ હવે ઉન્નત મુખે કહેતા : “ભાઈ, રણમાં જીતે તે શૂર ! ક્ષત્રિયને ત્યાં જન્મ્યું કંઈ શૂરવીર થોડા થવાય છે ! આ માતંગ જુઓ ને ! રાજગૃહીની લાજ એણે રાખી ! અને અમારી આ બટકબોલી વિરૂપાને ધન્યવાદ આપો ને કે, રોહિણેયના કાતિલ છરાને પોતાની છાતી પર ઝીલવા તૈયાર થઈ ! મેરુ પર્વત પરની બધી માટી કંઈ સુવર્ણ હોતી નથી, એમ ક્ષત્રિયને ત્યાં જન્મ્યા એ બધાય શૂરવીર ક્ષત્રિય : એમ કશું નહિ !+ શૂરવીરતા બતાવે એ ક્ષત્રિય, વિદ્યા ભણેભણાવે એ બ્રાહ્મણ ને વેપાર કરે એ વૈશ્ય !”
સાંભળનારાઓ આગળનાં વાક્યો શાન્તિથી સાંભળતા, પણ જ્યારે બોલનાર પાછળના શબ્દો બોલતો ત્યારે કેટલાક એકદમ છણકી ઊઠતા :
“બેસ, બેસ ! આ તો પેલા શ્રમણોની ચાલબાજી છે ! હવે તો પ્રાચીન શાસ્ત્રોમાંથી ભાતભાતના અર્થ ઉપજાવવા લાગ્યા છે. આ તો આપણી જ છરી અને આપણી જ ગરદન. વાહ રે જમાનો ! માતંગ સારો, વિરૂપા સારી; એ વાત બરાબર. + श्वपचा अपि धर्मस्थाः संस्कृता स्युद्द्विजोत्तमाः । મુળધર્માનુસારવ લેવા વૈચારપ માનુષા ।। (મહાભારત)
74 D સંસારસેતુ
બાકી કંઈ કોલસાની ખાણમાંથી એકાદ હીરો નીકળ્યો એટલે આખી ખાણ કંઈ હીરાની ન કહેવાય."
બોલનારના અવાજમાં શ્રમણોના ઉપદેશ પ્રતિનો પૂર્વગ્રહ આમ અસ્પષ્ટ રીતે ગુંજી રહેતો. આ રીતે હલકાને પગ નીચે ચંપાયેલા રહેનાર લોકો ફાટી જાય એ ઘણાને પોષાય એવી વાત નહોતી.
“ભૂલો છો તમે ! એકાદ હીરો નીકળ્યો એટલે કોલસાની ખાણ કૃતકૃત્ય થઈ ગઈ. પછી એ હીરાની ખાણ જ કહેવાશે. તારાઓ ! તમારી ચાલબાજી હવે અમે જાણી ગયા છીએ ! તમારો યત્ન કોલસાની ખાણને સદા કોલસાની ખાણ રાખવાનો છે, રખેને એકાદ અમૂલખ હીરા નીકળી એ કોલસાની કિંમત વધારી ન દે; અને જે ખાણમાંથી હીરા નીકળવાની સંભાવના હવે ઓછી બની છે, એનું મૂલ્ય ઘટાડી ન દે ! ગુણધર્માનુકૂળ જગત છે. જે કાળો તે કોલસો કહેવાશે; જે પ્રકાશમય હશે તે હીરો કહેવાશે.”
અને આવી ચર્ચાઓ ઘણીવાર લાંબી થઈ જતી. નાના એવા છમકલાનું રૂપ ધારણ કરી લેતી; પણ એકાએક વિરૂપા બહાર નીકળી આવતી. એની પાછળ ધનદત્ત શેઠ પણ આવતા અને સહુને વીનવતા :
“ભાઈઓ ! આ ધર્મસભાનું વિવાદગૃહ નથી, માંદા માણસોનું નિવાસસ્થાન છે. ઘાયલોના આરોગ્ય માટે સર્વેએ એમનો ખ્યાલ રાખીને આવવું જવું, બોલવુંચાલવું જોઈએ.”
બોલનાર પોતાના આવેશથી શરમાઈ જતા ને ચૂપ થઈ જતા.
ઘવાયેલો માતંગ પડ્યો પડ્યો વીરત્વના ઝનૂનથી હાકોટા દેતો હતો. ને જેમ જેમ એના ઘા ઠરતા ગયા તેમ તેમ મૂર્છામાં પડતો જતો હતો. એને મૂર્છા પામતો જોઈ વિરૂપા ગભરાઈ ઊઠી, પણ વૈદે અભિપ્રાય આપ્યો કે આ કારી ઘા માટે દર્દીને મૂર્છાની જરૂ૨ છે. કુદરતી રીતે મૂર્છા આવી રહી છે, સારી નિશાની છે.
માતંગ જ્યારે મૂર્છિત થતો હતો, ત્યારે મેતાર્ય ધીરે ધીરે જાગ્રત અવસ્થામાં આવી રહ્યો હતો. એના ખભામાં દારુણ વેદના જાગી હતી. હવે એ વેદનાથી થોડી થોડી વારે ચીસ પાડી ઊઠતો.
મેતાર્યનાં લક્ષણો પણ સારાં છે, એમ કુશળ વૈઘે જણાવ્યું; અને બરાબર સાવધાનીથી ઉપચાર જારી રાખવા સૂચવ્યું. બંને દરદી જીવના જોખમમાંથી ઊગરી ગયા છે : એવો એમનો સ્પષ્ટ અભિપ્રાય પડ્યો. વિરૂપાની મોટી ચિંતા ટળી ગઈ ને આ વાત સાંભળી અને દ્વિગુણ ઉત્સાહ આવ્યો.
સમી સાંજ થઈ. નગરલોક ધીરે ધીરે ઓસરવા લાગ્યું. રાત પડી અને ધનદત્ત
જગતનું ઘેલું પ્રાણી 75
Page #47
--------------------------------------------------------------------------
________________
શેઠ, એમનાં પત્ની અને થોડાં દાસ-દાસીઓ સિવાય ત્યાં કોઈ ન રહ્યું.
વિરૂ પાએ શેઠ અને શેઠાણીને આગ્રહપૂર્વક કહ્યું :
બંને ભરઊંઘમાં છે. હવે તો સવારે જ જાગવાના. આખી રાત અહીં બેઠાં બેઠાં ગાળવી એના કરતાં હવેલીએ જઈ આરામ કરો, એ જ ઠીક છે.”
શેઠે વાત કબૂલ કરી, પણ શેઠાણીની ઇચ્છા ન હતી. છતાં વિરૂપા માને તો ને ! “આજે થાક્યાંપાક્યાં છો ! ઘેર બધું વેરવિખેર પડ્યું છે. કાલે મારો વારો.”
શેઠને પણ વિરૂપાની સલાહ યોગ્ય લાગી. તેમણે એ વાતને અનુમોદન આપ્યું : “વહેલી સવારે આવી જઈશું. જરૂર પડે તો રાત્રે પણ બોલાવજો.”
ચિંતા નહિ ! એમાં મને કહેવું નહિ પડે.”
થોડાંએક દાસદાસીઓ મૂકીને એ ક શિબિકામાં શેઠ-શેઠાણી ઘર તરફ રવાના થયાં. રાત જામતી ચાલી તેમ તેમ દાસદાસીઓએ પણ જગ્યા મળી ત્યાં શરીર લંબાવી ઊંઘવા માંડ્યું.
આખા દિવસની સંતપ્ત રાજગૃહીની ભૂમિ પર ગંગાનાં જલદીકરોમાં સ્નાન કરીને આવતો, વૈભારગિરિમાળાનો સુગંધી પવન વીંઝણો ઢોળવા માંડ્યો. નિશાનાથ ચંદ્રદેવ પણ આકાશની એ કે કોરે ઊગી સંજીવનીનો છંટકાવ કરવા લાગ્યા. મઘમઘી ઊઠેલા આંબાવાડિયાની કોયલોને પણ આવી સુંદર રીતે ગીત ગાવાનો જાણે ક્યાંથી ઉલ્લાસ ચડી આવ્યો !
ગઈ કાલે રોહિણેયની અજબ મુસદીવટ પાસે છેતરાયેલા ચોકીદારીના દ્વિગુણિત એવાજો સિવાય આખી નગરી શીતલ સુંદર રાતની સોડમાં પોઢી ગઈ હતી.
જાગતી હતી એકલી વિરૂપા ! જીવનની આવી સૌભાગ્ય રાત ફરીથી ઊગશે કે નહિ, કદાચ એકાદ ઝોકું આવી જાય ને આવી અમૂલખ રાતની એકાદ ક્ષણ પણ નિરર્થક સરી જાય એ બીકે એ સાવધ બનીને બેઠી હતી. ઘડીકમાં ઊઠીને માતંગને સંભાળતી. ઘડીકમાં મેતાર્યના શરીર પર હાથ ફેરવતી. દાસદાસીઓ નિરાંતે ઘોરતાં હતાં. તેમનાં નસકોરાંનો અવાજ શાંતિમાં બરાબર ગડગડાટ મચાવ્યે જતો હતો.
માતંગના નાના શા સ્વચ્છ મકાનની પાછલી બારી અધખુલ્લી હતી; અને તેમાંથી સુગંધભર્યા પવન સાથે ચંદ્રનાં રૂપેરી કિરણો પણ ઘરમાં આવતાં હતાં. જોબનભરી અનેક રાતો માતંગ અને વિરૂપાએ આ ચંદ્રના પ્રકાશમાં વિતાવી હતી; પણ આજના પ્રકાશમાં વિરૂપાને કંઈ જુદો ઓલાદ લાગતો હતો.
ચંદ્રનું એક તીરછું કિરણ મેતાર્યના મુખ પર પોતાની જ્યોના ફેલાવી બેઠું. હતું. એક તો જન્મજાત સુંદરતા, એમાં ચંદ્રકિરણે આપેલી આછી રૂપેરી તેજસ્વિતા ! માથા પર એકબે ઘા ને પાટાઓનાં પડ છતાં જાણે એ મુખ અવનવી મોહકતા
76 1 સંસારસેતુ
ધરાવી રહ્યું હતું. એની ધનુષ્ય શી ભ્રમર, વિશાળ લલાટ ને સુખ નાસિકા, મોટાં મોટાં બિડાયેલાં કમળપત્ર જેવાં પોપચાં વિરૂપાને વ્યગ્ર બનાવી રહ્યાં. એ ઘેલી સ્ત્રી એકીટશે જોઈ રહી હતી.
ચંદ્ર આકાશમાં ઊંચો ચડતો ચાલ્યો, એમ એનો વધુ ને વધુ પ્રકાશ ઘરના ગર્ભભાગને અજવાળવા લાગ્યો : અને એ પ્રકાશમાં મેતાર્ય અત્યંત રમણીય ભાસવા લાગ્યો.
મેતાર્ય ગર્ભમાં હતો ત્યારે વિરૂપાને ઘણીવાર સ્વપ્ન આવતાં ; એમાં દેખાતું. કે જાણે પોતે પુત્રને બદલે કમળફૂલને જન્મ આપ્યો. એ કમળફૂલનો અર્થ આજે સમજાય, ચાંદનીના પ્રકાશમાં મેતાર્યનું મુખે કમળફૂલની સુકુમારતા ધરી બેઠું હતું.
અચાનક દૂરની ખીણોમાંથી બાજના પંજામાંથી છટકવા માગતું એક ચામાચીડિયું ઘરમાં આવી ભરાયું. થોડી વાર ચીં ચીં કરી એ એક ખૂણે ચંપાઈ બેઠું.
વિરૂ પાની નજ૨ મેતાર્ય પરથી સરીને માતંગ પર વળી. પૌરુષના અવતાર સમો, વનનો રાજવી કોઈ મહા વાથે પોતાની બોડમાં પડ્યો હોય, એ રીતે એ નિરાંતથી પથારીમાં પડ્યો હતો. એની પડછંદ કાયા અનેક પ્રકારના ઘાથી ક્ષતવિક્ષત હતી તોય અત્યંત ભવ્ય લાગતી હતી. એ માતંગને નિહાળી વિરૂપાને આખો સંસાર સનાથ-ભર્યો ભર્યો લાગતો. માતંગ ઘેર હોય ત્યારે હજાર કુટુમ્બીજનોથી એને પોતાનું ઘર ઊભરાતું જણાતું. એકલા માતંગની હૂંફથી એને જગત હર્યુંભર્યું લાગતું.
પોતાનો ચિર જીવનસાથી માતંગ ! સંસારની દીનતાને, હીનતાને, જીવનના તડકાછાંયાને સાથે વેઠી જીવનસાફલ્ય કરનાર ! એ જ માતંગ સાથેના પોતાના સુખી જીવનનું પ્રતીક-પરસ્પરની અદ્વિતીયતાનો સરવાળો મેતાર્ય ! માતંગની જુવાનીની છટા, પોતાની યૌવનવયની સુરખી; આશા, ઉલ્લાસ ને બળ બધાંની મૂર્તિમંત યાદદાસ્તા જાણે મેતાર્ય !
જીવનમાં વહાલું કોણ ? માતંગ કે મેતાર્ય બેમાંથી અધિકું કોણ ? વધુ પ્રિયપાત્ર કયું ?
વિરૂપા કંઈ નિશ્ચય ન કરી શકતી. એ બહાવરી બની ઘડીમાં માતંગ સામું જોતી, ઘડીમાં મેતાર્ય સામે ! માતંગને જોતી ત્યારે એમ લાગતું કે જાણે જીવનમાં એથી વિશેષ કોઈ પ્રિયજન એને નથી !
મેતાર્યને જોતી ત્યારે એમ ભાસતું કે જાણે આથી વધુ પ્રિય કોણ હોઈ શકે ? કલ્પના પણ કેમ કરી શકાય !
અચાનક મેતાર્થે પડખું ફેરવ્યું. ઘાયલ ખભો દબાયો. વેદનાનો તીખારો ઝગ્યો. એણે ધીરેથી સિસકારો કર્યો : “મા !”
જગતનું ઘેલું પ્રાણી | 77
Page #48
--------------------------------------------------------------------------
________________
“હા બેટા !” વિરૂપા અચાનક જવાબ આપી બેઠી. બીજી ક્ષણે એ સાવધ બની ગઈ. ઊઠીને એના ઓશીકા પાસે આવી.
ફરીથી મેતાર્યે વેદનામાં કહ્યું :
“મા !”
“હા, મેતાર્ય ! હું વિરૂપા !”
“નહીં, મા !” લવારો કરતો હોય તેમ મેતાર્ય બબડ્યો, અને એણે મસ્તક પર ફરતા વિરૂપાના હાથને પકડી લીધો.
વિરૂપાના હૃદયમાં અજબ મનોમંથન જાગ્યું. મેતાર્યે પકડેલા હાથમાંથી જાણે કોઈ અકળ મનોવ્યથા ઉત્પન્ન થઈ આખા દેહને ઘેરો લઈ રહી હતી. અચાનક ઊભી થયેલી મન-આંધીમાં એ અટવાઈ ગઈ હતી. એના મનમાં અનેક તરંગો સાગરનાં ક્ષણજીવી મોજાંની જેમ જાગી જાગીને વાસ્તવિકતાની દીવાલો સાથે અફળાવા
લાગ્યા.
શા માટે મેતાર્ય મારો પુત્ર છે, એમ હવે છુપાવવું ? કયા કારણે ધગધગતા આ હૃદયને એના હૃદયથી ચાંપીને શાન્ત ન કરવું ? કઈ બીકે એના અર્ધવિકસિત કમલપુષ્પ સમા આ ઓષ્ઠને ચૂમી ન લેવા ? કઈ હીનતાની દહેશતથી મારે નગ૨માં જાહેર ન કરવું કે પરમ પરાક્રમી મેતાર્ય મારું સંતાન છે, વિરૂપા એની માતા છે, માતંગ એનો પિતા છે !
“મા ! જીવનદાત્રી !” મેતાર્યે હાથને વધુ ને વધુ દાબતાં કહ્યું.
વિરૂપા વધુ ધીરજ ન ધરી શકી. એ એકદમ ભાવાવેશમાં આવી પાગલ બની બેઠી. એ બોલી :
“હા બેટા, હું તારી મા !” અને એણે મેતાર્યના ઓષ્ઠ પર ચુંબન ભરી લીધું. “તું જ મારી મા !” મેતાર્ય ધીરેથી બોલ્યો. એના શબ્દોમાં માણસ ધી૨જ ખોઈ નાખે તેવી મમતાનો રણકાર હતો.
“હા, બેટા, હું જ તારી સાચી મા !'
“સાચી મા એટલે શું ?” મેતાર્ય કાંઈક ભાનમાં આવ્યો હતો. એ વિરૂપાની છૂટી પડેલ લટ લઈ આંખ ઉપર રમાડી રહ્યો હતો.
“સાચી માનો અર્થ ન સમજ્યો બેટા ?” વિરૂપા મેતાર્યના સ્પર્શથી વિહ્વળ બની રહી હતી. જુવાન જુવતીનાં સ્પર્શાકર્ષણ અનેરાં હોય છે, પણ એમાં ઊંડી ઊંડી દેહવાસના ગુંજતી હોય છે, જ્યારે માતા અને પુત્રનાં સ્પર્શકર્ષણ તો અગમ્ય હોય છે. એમાં વાસનાના સ્થાને ત્યાગ ગુંજતો હોય છે – આત્મસ્નેહની અપૂર્વ સુવાસ મઘમઘતી હોય છે. જુવાનજુવતીનાં સ્પર્શાકર્ષણ દેહને વિકસાવે છે, મા-પુત્રનાં આત્માને !
78 7 સંસારસેતુ
અને એવા આત્માના નાદ પાસે માનવી કોણ બિચારું ? વિરૂપા આજુબાજુ ઊંઘતાં દાસદાસીઓનો ખ્યાલ વીસરી ગઈ. પાસે સૂતેલા માતંગને પણ ભૂલી ગઈ. ભર્યાભાદર્યો મેતવાસ અને ઘરમાં થતી વાતચીત ઘરની ભીંતે ઊભેલો સાંભળી શકે એવી કાચી વાંસ-માટીની દીવાલોનો ખ્યાલ જ એના મનમાંથી છૂટી ગયો. એના સ્મરણપટમાં પોતે ને મેતાર્ય બેની જ હસ્તી રહી.
ન
“સાચી માનો અર્થ ન સમજ્યો ?” વિરૂપાએ શબ્દોને ફરીથી જાણે ચાવ્યા : “સાચી મા એટલે અભયકુમારને જેમ સુનંદા, મેઘકુમારને જેમ ધારિણી, એમ હું..”
અને વિરૂપા એટલા શબ્દો પણ પૂરા ન કરી શકી. એણે મેતાર્યને છાતીસરસો ચાંપી દીધો. એના ઓષ્ઠ પર પુનઃ પુનઃ ચુંબન કર્યાં. એના મોટા વાળમાં હાથનાં આંગળાં ભેરવી ઘસવા લાગી.
“માતા, કંઈ ન સમજાયું ! તું શું કહે છે ?”
“કંઈ ન સમજાયું ?” વિરૂપાએ પ્રશ્ન કર્યો : “અબઘડી સમજાવું છું મારા લાલ !"
“કોને સમજાવે છે ? વિરૂપા, કેમ ભૂલી ગઈ કે ? દરદીની સાથે વાતચીત કરવાની વૈદ્યરાજે બંધી કરી છે ?”
વિરૂપા આ અવાજ સાંભળી ચમકી ઊઠી. પાછળ જોયું તો ધનદત્ત શેઠની દાસી નંદા ઊભી હતી.
“કોનું નખ્ખોદ વાળવા ઊભી થઈ છે, વિરૂપા ? આખરે હલકી જાત એટલે હલકું મન ?”
હલકું મન ! માતા પુત્રને પ્યાર કરે એનું નામ હલકું મન ? પણ ના, ના ! નંદા સાચું કહેતી હતી. બગડેલી બાજી સુધારવી જ ઘટે ! વિરૂપાએ જરા વેગથી કહ્યું. “નંદા, જન્મ આપનાર સ્ત્રી કરતાં જન્મ આપીને જિવાડનાર, ઉચ્ચપદે સ્થાપનાર સ્ત્રી સાચી માતા, ખરું કે નહિ ?"
“અવશ્ય ! મેતાર્યની તું સાચી માતા ! વિરૂપા, હવે જરા નિદ્રા લે. આખી રાત જાગી છે. છેલ્લો પ્રહર ચાલે છે. હમણાં શેઠાણીબા પણ આવશે.”
વિરૂપા છોભીલી પડી ગઈ હતી. એણે કંઈ જવાબ ન આપ્યો. એ એક ખૂણામાં સોડિયું વાળીને આરામ લેવા પડી. એટલામાં શેઠાણી આવી પહોંચ્યાં. મેતાર્ય થોડી થોડી વારે અશક્તિની મૂર્છામાં પડી જતો હતો. એની સમજવાની શક્તિ અત્યારે બહેર મારી ગઈ હતી.
થોડી વારે ફરીથી એણે પડખું ફેરવ્યું, અને ધીમા સિસકારા સાથે કહ્યું : “મા ક્યાં છે ?”
જગતનું ઘેલું પ્રાણી – 79
Page #49
--------------------------------------------------------------------------
________________
- “આ રહી બેટા. પાસે જ ઊભી છે ને ! આખી રાત ઊંઘ તો બરાબર આવી ને ?” શેઠાણીએ એની પીઠ પર હાથ પસારતાં કહ્યું.
અર્ધમીંચેલી આંખે મેતાર્થે માતાની અલકલટ લેવા પ્રયત્ન કર્યો. પણ આ શું ? વિખરાયેલ કેશવાળી અને ચંદ્રના પ્રકાશમાં ચંદ્ર જેવા સૌમ્ય મુખવાળી સ્ત્રીના બદલે તાજા જ્ઞાનશૃંગાર કરેલ, ઊગતા સૂર્યના કેસરવર્ણા ગોળા જેવા મુખવાળી સ્ત્રી ! મેતાર્યની થાકેલી મરણશક્તિએ વિચાર કર્યો :
રાતે આવેલી કઈ માં, જેની અલકલટ સાથે મેં મારાં પોપચાં ઘસ્યાં હતાં ને આ મમતાભર્યા મુખવાળી માતા કઈ ? શું ખુદ દિવસ અને રાત તો માતા બનીને નથી આવ્યાં ? અથવા માતા જ એવાં જૂજવાં બે રૂપ તો નથી ધરતી ને ?
મેતાર્યના તન સાથે મન પણ અશક્ત હતું. એ ફરીથી તંદ્રામાં પડ્યો. થોડીવારે એણે પુનઃ ઉચ્ચાર કર્યો :
મા !” આ રહી બેટા !" શેઠાણીએ મેતાર્યના લલાટે ધીરેથી હાથ ફેરવ્યો.
ઉષાની મૃદુ આભા બારી વાટે ઘરમાં પ્રસરી રહી હતી. એક ખૂણે ઊંઘવાના બહાને સોડિયું વાળીને પડેલી વિરૂપા શું ખરેખર ઊંઘતી હતી ?
ના રે ના ! એ ઘેલી રડી રહી હતી. પણ ૨ડનારાઓને રડતાં રાખી, હસનારાઓ સાથે હસતો સૂર્યનો ગોળો ક્ષિતિજ માંથી બહાર આવતો હતો અને પોતાનાં પ્રખર કિરણોથી પૃથ્વીની વિશાળ પીઠ પર તેજ સંધાન કરતો હતો.
મગધનાં મહારત્નો.
૨ડતી રડતી નિદ્રાના ખોળે પોઢી ગયેલી વિરૂપા જાગી ત્યારે એના ઘરની આસપાસ મોટો કોલાહલ થઈ રહ્યો હતો. શેરીઓ અને રસ્તાઓ ઝડપથી ને ચીવટથી સાફ થઈ રહ્યા હતા. ચારે તરફ જળનો છંટકાવ થઈ રહ્યો હતો. ઠેર ઠેર રંગોળીઓ પુરાઈ રહી હતી, ને ઝરૂખે ઝરૂખે આસોપાલવના તોરણો બંધાઈ રહ્યાં હતાં. પ્રજાજનો હરતાંફરતાં ખૂબ શોર મચાવી રહ્યાં હતાં.
ઘોડેસવાર સમાચાર લાવ્યો હતો કે મહારાજ બિસ્મિસાર વૈશાલીપતિ ચેટકની રૂપસુંદર પુત્રી સુજ્યેષ્ઠાનું હરણ કરીને આવી રહ્યા છે. નગરથી થોડે દૂર છે. એક પ્રહર પૂરો થતાં તેઓ આ તરફ આવવા રવાના થશે.
ક્ષત્રિય રાજા એ કે રાજ કુમારીનું હરણ કરે, અને તેમાં પણ બધા રાજવીઓ વચ્ચે સંસ્કાર ને ધર્મપરાયણતાનો ફાંકો રાખનાર વૈશાલી ગણતંત્રના રાજવીની પુત્રીનું હરણ કરે : એ તો પ્રજાને પોરસ ચડાવે તેવો પ્રસંગ !
બે દિવસ પહેલાંનો દુ:ખદ લૂંટફાટનો પ્રસંગ ભૂલી પ્રજા તો પોતાના આવા નરવીર ને પરાક્રમી રાજવીનાં સન્માન કરવા ઘેલી બની ઊઠી. ઘર, ગવાક્ષો, ઝરૂખાઓ શણગારાવા માંડ્યા હતા. મોતીના સાથિયા અને રંગોળી પુરાવી શરૂ થઈ. આજે તો રાજાએ મગધના નામનો ડંકો દેશમાં વગાડ્યો હતો. ચૌટે ને ચકલે પુરજનો એકઠાં મળી કંઈ કંઈ વાર્તાવિનોદ કરવા લાગ્યાં હતાં.
અલ્યા, આ કુમારી તો જ્ઞાતપુત્ર મહાવીરની ઉપાસિકા છે. હવે એનો ધરમ ને બરમ પાણીમાં !” એ કે હસતાં કહ્યું.
ઠીક નાક કાપ્યું. રાજા ચેટક તો કોઈને ગણકારતો જ નહોતો. પોતાની પાસે જાણે બધા રાજા તણખલાં ! અલ્યા, એ અહિંસાધર્મનો ઉપાસક લડવા બહાર નીકળ્યો હશે કે ?”
80 D સંસારસેતુ
Page #50
--------------------------------------------------------------------------
________________
“અરે, લડવાને બદલે સામયિક કરવા બેઠો હશે !” ને ચર્ચા કરનારાઓ પણ હસી પડ્યા. સહુને આ પ્રસંગે રાજકીય કરતાં ધાર્મિક રીતે પણ ઠેકડી કરવા જેવો લાગ્યો. જ્ઞાતપુત્રના ઉપાસકોએ હમણાં હમણાં ઉપાડો લીધો હતો. યજ્ઞ ખોટા, વેદ ખોટા, ઈશ્વર ખોટા. બધું ખોટું ખોટું કહી એક માયાજાળ પેદા કરી હતી. આ પ્રસંગ એમને હેઠા બેસાડવા માટે ઠીક ઉપયોગી નીવડશે, એમ બધા માનવા લાગ્યા હતા. ત્યાં વળી પોતાને રાજદ્વારી વિદ્વાન મનાવતા એક પુરજને કહ્યું :
અલ્યા, રાજા નહિ રાષ્ટ્રપતિ ! ત્યાં વૈશાલીમાં તો ગણતંત્ર રાજ ચાલે છે. અનેક રાજા એકઠા થઈ એક રાજ ચલાવે.”
એ તો ઝાઝી રાંડે વેતર વંઠા જેવું થાય.” બીજાએ ટીકા કરી.
પણ પુરજનો આ વાત કરીને વીખરાય, તે પહેલાં તો એક જણ ઉતાવળો ઉતાવળો વચ્ચે ધસી આવ્યો. એ ખૂબ હાંફતો હતો ને સાથે સાથે પેટ પકડીને હસતો હતો.
અરે, એક ખૂબ હસવા જેવી ખબર !”
શું છે શંભુ ?” આખું ટોળું નવા સમાચાર જાણવાની ઉત્કંઠાથી એને ઘેરી વળ્યું. પણ શંભુ અત્યંત હાંફતો હતો. એ હાંફવામાંથી નવરો પડતો ત્યાં હસવા લાગતો : ને હસવામાંથી જ રા નવરો પડતો ત્યાં હાંફવા લાગતો. થોડી વારે માંડમાંડ હસવું ને હાંફવું ખાળતો એ બોલ્યો :
“કહું ? હું તો હસીને બેવડ વળી ગયો. રાજ દેવડીએથી જ સાંભળીને આવ્યો છું. કેવી વિચિત્ર ઘટના !” અને પુનઃ હસવા લાગ્યો. એકઠા થયેલાઓની ઇંતેજારી હદપારની વધી ગઈ હતી. એકે શંભુને લાકડીનો ગોદો મારતાં કહ્યું :
અલ્યા, વાત કહે છે કે આનાથી તારી ખોપરી ફોડી નાખું ?”
ના, ભાઈ, ના ! જરા મારો શ્વાસ તો હેઠો બેસવા દો ! અરે, કેવી વિચિત્ર વાત...” અને પાછું એણે હસવા માંડ્યું. આ રીતે હસવાનો અંત ક્યારે આવત તેની કલ્પના થઈ શકતી નહોતી, પણ એકાએક એક જણાએ એની ગળચી પકડીને ધમકાવ્યો :
હસવું બંધ કરે છે કે ગળું પીસી દઉં !'” ભયનો માર્યો શંભુ શાન્ત થઈ ગયો. એણે વાત કહેવી શરૂ કરી :
“શું કહું તમને ! અરે, ભાઈ ! વાત કરતાં કરતાં વચ્ચે મારાથી હસી પડાય તો માફ કરશો.” અને ગળું ઢીલું પડતાં શંભુ ફરીથી હસી પડ્યો. પણ પેલા પુરુષે ફરીથી દબાવતાં એ સાવધ બન્યો ને કહેવા લાગ્યો :
“વાત એવી બની કે એક તાપસી પાસેથી છબી જોઈને ગણતંત્રના રાજા
ચેટકની છઠ્ઠી પુત્રી સુજ્યેષ્ઠાનું હરણ કરવાનો સંકેત રચવામાં આવ્યો હતો. સુજ્યેષ્ઠાએ આપણા મહારાજા માટે ઘણું સાંભળ્યું હતું ને તેમાં તેને મહાઅમાત્ય અભય અને આપણા ગામની કુશળ દેવદત્તાનો પ્રસંગ સાંપડતાં એ તો મનથી મહારાજાને વરી ચૂકી. પણ રાજા ચેટકને આ વાત કોણ કરે ? આપણા મહારાજાએ એનું માગું કર્યું ત્યારે પેલો દોઢ ડાહ્યો ચેટક કહે કે હૈહય વંશની કન્યા વાહી કુળને ત્યાં ન હોય ! બાપે આમ કહ્યું ત્યારે એની કુંવરી સુજ્યેષ્ઠાએ કહેવરાવ્યું કે, હું તૈયાર છું. મને આવીને ક્ષત્રિયને ઉચિત રીતથી લઈ જાઓ !” શંભુ જરા થોભ્યો. એની વાતથી બધા શાન્ત પડ્યા હતા ને એજબ ઇંતેજારીથી એના મોં સામે જોઈ રહ્યા હતા.
પછી તો આપણા મહાઅમાત્ય ગયા, મહારાજ ગયા. મહાઅમાત્ય હોય તો શું બાકી રહે ? એમણે ઠેઠ રાજ મહેલના અંત:ભાગ સુધી સુરંગ ખોદાવી. નિયત કરેલા દિવસે મહારાજ રથ લઈને સુરંગના મુખદ્વાર આગળ ઊભા રહ્યા. બરાબર વખતે ચેટકપુત્રી આવી ને મહારાજાએ તો રથમાં બેસાડી રથ હાંકી મૂક્યો. પાછળ હોહા થઈ ને રાજા ચેટકને ખબર ખબર પડી ગઈ. તેઓએ પીછો પકડ્યો પણ તેમની ખબર લેવા મહાઅમાત્ય અભય અને આપણું સૈન્ય તૈયાર જ ઊભું હતું. મહારાજા તો રથ સાથે દૂર દૂર નીકળી ગયા. પણ ભાઈઓ, હવે ખરી મજાની વાત આવે છે. કાન દઈને સાંભળજો !” શંભુએ એમાં વિશેષ રસ મૂકવા વળી થોડી વાર વાત અટકાવી.
હા, હા, તું કહ્યું જા ! અમે કાને ઘેર મૂકીને નથી આવ્યા !''
મહારાજનો રથ તો ધમધમ કરતો ચાલ્યો જતો હતો. સવાર થયું ને ભાણ ઊગ્યો કે મહારાજે રથનો પડદો ઊંચકી કુંવરીને બોલાવી : ‘સુજ્યેષ્ઠા !” કુંવરી કહે : ‘મહારાજ, મારું નામ ચલ્લણા ! હું એની નાની બેન છું. મારી બેન સુચેષ્ઠા તો એનો રત્નકરંડક ભૂલી ગયેલી તે લેવા ગઈ હતી ને આપે રથ હંકારી મૂક્યો.” મહારાજાએ સૌંદર્યના પુંજ સમી એ કુંવરીને નીરખતાં કહ્યું : “હે મૃગલોચને ! મારો પ્રયાસ વ્યર્થ તો નથી ગયો. મારે મન તું પણ એટલી જ સુંદર છે.”
વાહ વાહ, ખરો ઘાટ બન્યો. પછી શું થયું ?”
શું થાય ! સુચેષ્ઠા નહીં તો એની બેન સહી, મહારાજાએ તો એની સાથે ગાંધર્વવિવાહ કર્યા.”
અરે, પણ બેમાં વધુ સુંદર કોણ ?”
એકને જુઓ ને બીજીને ભૂલો. આ તો એક કાંકરે બે પક્ષી માર્યા. મહારાજા ચલ્લણાને પણ પરણ્યા ને હવે સુયેષ્ઠા ક્યાં જવાની હતી ? ભાઈઓ, એ તો કહ્યું કે ને વધુ ડાહ્યો વધુ ખરડાય !રાજા ચેટક કહેતો કે મારા હાથે કોઈ પુત્રપુત્રીનાં લગ્ન નહીં કરું. ! હવે હાથે ન કર્યો તો હૈયે વાગ્યાં ને ! એ તો એકનીય ના પાડતો હતો
મગધનાં મહારનો n 83
82 D સંસારસેતુ
Page #51
--------------------------------------------------------------------------
________________
ને આ તો બેય ગઈ !”
આખું ટોળું ખૂબ મોટેથી હસી પડ્યું. ખુશ થવા જેવા સમાચારથી બધા જાણે ઘેલા બની ગયા હોય તેમ ભાતભાતની ચર્ચાઓ કરતા હસવા લાગ્યા.
“અરે, આ હસવા જેવો પ્રસંગ છે ?” દૂરથી કોઈનો ગંભીર અવાજ સંભળાયો. એક મોટો લશ્કરી અમલદાર લોહીથી ખરડાયેલાં વસ્ત્રો સાથે ધસ્યો આવતો હતો.
હસનારાઓનાં મોં એકદમ સિવાઈ ગયાં. એ તો મગધનો જાણીતો સંદેશવાહક દેવસૂનુ હતો; એ જોરશોરથી કહેતો હતો :
- “મહારાજની આજ્ઞા છે કે કોઈએ મંગળગીત ન ગાવાં. આ આસોપાલવ, આ રંગોળીઓ, આ કુંકુમઅક્ષતના થાળો બધું હટાવી લો ! દિવસે અબીલગુલાલ ઉડાડવાની કે રાત્રે દીપમાળા પ્રગટાવવાની પણ આજ્ઞા નથી.”
“નક્કી કંઈ અશુભ થયું.” લોકોનાં ટોળેટોળાં આ આજ્ઞા ઉપર વિવિધ જાતની ચર્ચા ચલાવવા લાગ્યાં. દેવસૂનુનો ઉપયોગ જવલ્લે જ થતો. એ જે સંદેશ લઈને આવે એ ગંભીર જ હોય એવી પ્રજાની ધારણા હતી. કેટલાક માણસો દેવસૂનુની પાછળ ચાલ્યા.
એ રાજમહેલ તરફ નહોતો જતો, પણ મગધના મહારથિકો, સામંતો અને સરદારોના આવાસ તરફ જતો હતો. એની પાછળ પાછળ થોડું અંતર રાખીને લોકોનું મોટું ટોળું પણ ચાલ્યું.
દેવસુનૂ મગધના મહાન યોદ્ધા અને વિશ્વાસુ અંગરક્ષક નાગરથિકને ઘેર જઈ ઊભો રહ્યો. દરવાજા ઉપરની દાસી દ્વારા અંદર પ્રવેશવાની એણે અનુજ્ઞા માગી.
થોડી વારમાં ખુદ નાગરથિક પોતે બહાર આવ્યા. અવસ્થા તો લગભગ શતશરદx પહોંચી હતી, પણ એમના દેહ પર હજીય જૂની પરાક્રમશીલતા ને વીરતા ચમકી રહી હતી. કોઈ પહાડ જેવી એમની પડછંદ કાયા પર અલબત્ત એક પણ વાળ શ્વેત થયા સિવાય રહ્યો નહોતો, પણ એમનું કસાયેલું બદન જોનારને એમ જ લાગતું હતું કે આ માનવી હજી પણ એક જ હાકે ને એક જ છલાંગે અશ્વ પર આરૂઢ થઈ શકે ને રણમાં ધૂમી શકે.
નાગરથિક મગધની એક પૂજનીય વ્યક્તિ હતી. એનો પ્રતાપ બાહ્ય રીતે કંઈ દેખાતો નહિ, છતાં એના પ્રતાપને વશ થવામાં બધા પોતાનું કર્તવ્ય સમજતા. મહારાજ બિખ્રિસારના પિતા રાજા પ્રસેનજિતના મૃત્યુ સમયે જ્યારે રાજગાદી માટે ભયંકર તોફાન ઊપડ્યું અને કોને ગાદી આપવી એવો પ્રશ્ન ખડો થયો, ત્યારે એક વાર એમ લાગેલું કે જાણે આંતરકલહમાં મગધનું આખું સામ્રાજ્ય બળીને ખાખ થઈ
જશે. મહારાણી તિલકાનો પક્ષ સબળ બની બેઠો હતો, ને જો બિમ્બિસારને રાજ્ય મળે તો બળવો જગાવવાની પેરવીમાં હતો. મહારાજ પ્રસેનજિત પણ ભયથી ગુપ્ત રીતે બિમ્બિસારની તરફેણ કરતા હતા, પણ પ્રગટ રીતે કંઈ કરી શકવા અસમર્થ હતા. એવી કપરી વેળાએ મગધનો આજીવન સેવક આ મહાન નાગરથિક ખુલ્લંખુલ્લાં બહાર પડ્યો. એણે કહ્યું : “ગુણમાં ને હકમાં બિમ્બિસાર જ રાજતિલકને યોગ્ય છે. અને એને જ રાજતિલક થશે.”
એક વાર આ શબ્દોએ તો ભીષણ સંકટ ઊભું કર્યું, પણ બહાદુર નાગરથિક મેદાને પડ્યો. કૂડકપટ, દાવપેચ, વિષના પ્યાલા અને નગ્ન ખંજરોની દુનિયા સામે આવી ઊભી; પણ આ મહાન યોદ્ધો હિંમત ન હાર્યો. એને આખી મગધની પ્રજાને તૈયાર કરી અને બિમ્બિસારને રાજતિલક કરાવ્યું.
મહારાજ બિમ્બિયારે નાગરથિકને પોતાના અંગરક્ષકનું માનવંતું પદ આપ્યું. આ પછી તો કેટલાંય યુદ્ધોમાં નાગરથિક મહારાજાની સાથે રહીને લડવો અને છેલ્લે છેલ્લે પોતાના પુત્રોને મહારાજાની સેવામાં મૂકીને પોતે નિવૃત્ત થયો.
આવા નાગરથિકને આવતા નિહાળી સહુ શાન્તિ અને શિષ્ટતાથી ઊભા રહી ગયા. દેવસૂનુ દોડીને એમના પગમાં પડ્યો ને ચોધાર આંસુએ રડી પડ્યો.
દેવસૂનુ, શા માટે રડે છે ? મહારાજ તો હેમખેમ છે ને ? મહાઅમાત્ય તો કુશળ છે ને ?"
“બંને ય કુશળ છે, પણ...” અને ફરીથી દેવસૂનું ૨ડી પડડ્યો. એ એકલો વૈતનિક સંદેશવાહક નહોતો, એને નાગરર્થિક પ્રત્યે અનહદ માન હતું.
દેવસૂનુ, તારા જેવો પુરુષ રડે, એનો અર્થ મારાથી સમજાતો નથી. શું છે ? મારા પુત્રો હેમખેમ છે ને ?”
“પૂજ્યવર્ય, આપના પુત્રો...” સંદેશવાહક આગળ ન બોલી શક્યો.
“મારા પુત્રો !” અંદરથી એક તીણો સ્વર આવ્યો. પલકારામાં એક વયે વૃદ્ધ પણ દેખાવે પ્રૌઢ સ્ત્રી બહાર ધસી આવી. દેવસૂનુએ તેને નમસ્કાર કર્યા ને કહ્યું :
“દેવી સુલસા, બહુ માઠા સમાચાર છે."
માઠા સમાચાર ?" ને સુલસા એ કદમ આગળ આવી, નાગરથિકની આ પત્ની હતી. નાગરથિક રાજગૃહીની પ્રજાને જેમ પ્રિય હતો, તેમ સુલસા તરફ પણ સહુને માન હતું. એકબે નહિ, પણ બત્રીસ પુત્રોની માતા બનનાર આ નારીનો દેહ ને એની રૂપશ્રી હજી તેવાં ને તેવાં જ હતાં. એના શરીર પર વૃદ્ધાવસ્થા ઊતરતી જતી હતી, તેમ તેમ સૌમ્યતાનો તેજ અંબાર વૃદ્ધિ પામતો જતો હતો.
મગધની મહાનારીઓમાં સુલતાની ગણતરી થતી હતી. એણે યુવાવસ્થામાં જ
* સો વર્ષ
84 D સંસારસેતુ
મગધનાં મહારનો 85
Page #52
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતપુત્રનો ઉપદેશ સાંભળી તેમનો ધર્મ સ્વીકાર્યો હતો. ધન, યૌવન અને આરોગ્ય હોવા છતાં આ દંપતીએ આખું જીવન પર-ઉપકારમાં વિતાવ્યું હતું. બત્રીસ બત્રીસ પુત્રોની જંજાળ વચ્ચે પણ સુલસા જાણે નવરી ને નવરી જ ! કોઈને ભીડ પડી કે મદદે પહોંચી જ છે !
છેલ્લાં વર્ષોમાં તો એણે જૈન શ્રમણો પાસેથી શ્રાવક શ્રાવિકાનાં બારવ્રત અંગીકાર કર્યા હતાં. વ્રત એનું, મમતા એની, મીઠાશ એની, ખારી દુનિયામાં એ મીઠી વીરડી હતી. સૌંદર્ય અને શીલથી ઓપતી સુલસાને પેટે જન્મ લેવો એ મગધવાસીઓને મન ગર્વનો વિષય હતો. નાગરીિકે રાજ કાજ થી પ્રત્યક્ષ રીતે નિવૃત્તિ લીધા પછી તેના બત્રીસ પુત્રો મહારાજા બિમ્બિસારના અંગરક્ષક તરીકે નિમાયા હતા.
એ બધા મહારાજા સાથે વૈશાલી ગયા હતા. સુલતા પોતાના પુત્રોના કુશળ માટે વ્યગ્ર બની રહી.
દેવી, આપના પુત્રોનું મૃત્યુ થયું.” મૃત્યુ !” સુલસાની આંખોમાં જાણે અશ્રુનો સાગર ઊલટવા લાગ્યો. “કોણ, કોણ , મરાયા ? શી રીતે મરાયા ?” “યુદ્ધમાં મરાયા, મહારાજાનું રક્ષણ કરતાં.”
“યુદ્ધમાં મરાયા ને ?” વૃદ્ધ નાગરથિકે ગળું ખંખેરતાં ખંખેરતાં વ્યગ્ર બનેલી સુલસા તરફ જોતાં કહ્યું : “દેવી, આપણા સ્વામીની સેવા કરતાં કરતાં બેચાર પુત્રોએ હસતે મોંએ બલિદાન આપ્યું, એથી રૂડું શું ? આ પામર જીવનની એનાથી વિશેષ સાર્થકતા શી ? હું તો શાબાશી આપું છું, એ મારી મૃત સંતતિને !”
પણ, પણ મારા દેવ ! લડાઈમાં એકબે નથી હણાયા પણ ....” સંદેશવાહકની જીભ લોચા વાળવા લાગી.
હા, હા. પણ એમાં મારે માટે શોક કરવા જેવું નથી. મારે તો બત્રીસ બત્રીસ પુત્રો છે, પણ દેવનુ ! જે માતાની માતાને જે એકનો એક લાડકવાયો ગયો હોય એના દ્વાર પર પહેલાં જવું ઘટે. મહારાજની મમતા માટે આભારી છું. દેવસૂનું, શાંતિથી કહે કે મારા પુત્રોમાંથી કોણ કોણ વીરગતિ પામ્યું ?”
ઓ મારા પૂજનીય દેવતા, નથી બોલી શકતો.... આપના કોઈ પણ પુત્રે પીઠ ન બતાવી. બત્રીસે બત્રીસ પુત્રો કામ આવ્યા.”
બત્રીસે બત્રીસ પુત્રો ?” કોઈ મોટા વટવૃક્ષ પર જાણે વીજ ળી પડી; નાગરથિક આટલું બોલીને જમીન પર ઢળી પડ્યો. હાય ! હું કેમ જીવીશ ?” તુલસા આટલું બોલીને મૂંગી થઈને ઊભી રહી.
86 | સંસારસેતુ
અંદર ને અંદર બળતું ઝાડ જેમ કોલસો થઈ જાય તોય એવું ને એવું લાગે, એમ બન્યું. સુલસાનો ચહેરો અત્યારે જોઈ શકાય તેવો નહોતો. આંતરયુદ્ધની એક એક નિશાની દેહ પર પથરાઈ ગઈ હતી. અશ્રુનો સાગર ઊલટી પડ્યો હોય ને આંખોના પડદા પાછળ જાણે ખાળી દીધો હોય એવાં એનાં નયનો ભર્યા ભર્યા હતાં. રૂંવાડે રૂંવાડું સ્થિર થઈ ગયું હતું. શ્વાસની ક્રિયા પણ જાણે શાન્ત થતી ચાલી હતી.
શે જિવાશે ? હાય, મારાં બાળ !” જાગ્રત થયેલ નાગરથિક આટલું બોલી ફરીથી બેશુદ્ધ બની ગયો.
જાગ્રત થાઓ, તમને, ધર્મના જ્ઞાતાને આટલો મોહ ન શોભે ! કોનાં છોરું ને કોનાં વાછરું !” વયોવૃદ્ધ નાગરથિકના મસ્તકને પંપાળ્યું, પાણી છાંટ્યું ને દાસીએ ચંદનનો લેપ કર્યો.
નાગરથિકે ધીરે ધીરે નેત્રો ઉઘાડ્યાં. નાગરથિકને સાંત્વન આપતી સુલસા કહેવા લાગી : “મારા કરતાં તમે વધુ નિપુણ છો, છતાં આ પામરતા ! કર્મની ગતિ ભૂલી ગયા ? કોણ તારું છે ને કોણ મારું છે ? તમે યોદ્ધા છો, હું માતા છું. માતાની પીડ તમે ન જાણો ! પણ હું સમજું છું કે આ મોહ છે, મોહ મિથ્યા છે.”
સુલસી અદ્દભુત વીરવ દાખવી રહી, જેવું વીરત્વ જગતના કોઈ યોદ્ધા કે યોગી માટે અસંભવિત હતું એણે પતિને આશ્વાસન આપતાં કહ્યું :
- “મહારાજ બિખ્રિસાર ચેટકપુત્રી ચેલ્લણા સાથે ગાંધર્વવિવાહ કરીને આવી રહ્યા છે, એ વખત આવી રોકકળ ! સ્વામીને અપશુકન નહીં થાય ?”
ચેટકપુત્રી ચેલ્લણા, જ્ઞાતપુત્રની પરમ ઉપાસિકા મગધની મહારાણી બની ? શુભસંદેશ !”
દેવી, એ અર્થે નગરજનોએ ઉત્સવ આદરેલો. ધૂપ, દીપ ને તોરણમાળાઓ તૈયાર કરેલી. પણ પાછળથી આપણા પુત્રનાં મૃત્યુના સમાચાર મળતાં તેમણે બંધ કરાવ્યું છે.”
“બધું બંધ કરાવ્યું છે ?” તુલસા ક્ષણવાર વિચારમાં પડી ગઈ.
હા, દેવી ! અને મહારાજ મહાઅમાત્ય સાથે સીધા અહીં પધારે છે, અને પછી માતંગને ઘેર જશે. ધન્ય છે માતંગને ! ધન્ય છે મેતાર્યને ! ખરે વખતે એમણે આપણી આબરૂ રાખી.” દેવસૂનુએ કહ્યું.
- “જીવન-મરણ કોઈને હાથ નથી. જગત તો જળ-કાષ્ઠને સંબંધ છે. તરતાં તરતાં બે કાષ્ઠ મળ્યાં, ભેગાં રહ્યાં ને વળી જુદાં થયાં. અહીં સંયોગ વિયોગ માટે જ છે. આપણા બત્રીસ પુત્રો કરતાં નગરજનોની રક્ષા ને નગરધણીની કીર્તિ માટે મરી ફીટનાર એ મેતાર્યને તો યાદ કરો !” સુલતાએ કહ્યું.
મગધનાં મહારત્નો T 87
Page #53
--------------------------------------------------------------------------
________________
મહારાજ હવે પધારતા હશે. હું પાછો ફરું છું.” દેવસૂનુએ આજ્ઞા માગી. - “ખુશીથી પાછો જા. મહારાજાને કહેજે કે મગધરાજના નામ પર બત્રીસ પુત્રોની તો શું, પોતાની જાતની પણ કુરબાની કરવા માટે નાગરથિક ને સુલસા તૈયાર છે. ઘણું જીવો મગધ !”
- “ઘણું જીવો મગધના મહાજનો !” અચાનક પાછળથી ધીરગંભીર સ્વર આવ્યો. બધાએ ચમકીને પાછળ જોયું તો સ્વયં મહારાજા બિંબિસાર અને મહાઅમાત્ય અભય આવી ઊભા હતા.
સુલસા બાજુમાં માથું નમાવી ઊભી રહી ગઈ. નાગરથિકે હાથ જોડી નમસ્કાર કર્યા; પણ આ શું ? ખુદ મગધરાજે નાગરથિકના પગનો સ્પર્શ કર્યો.
મારા નાથ , મને શરમાવશો મા !'' હું ક્ષમા યાચું છું, નાગદેવ !” શાની ક્ષમા ?” બત્રીસલક્ષણા બત્રીસના સંહારનું નિમિત્ત બન્યો તે માટે .”
કોનો સંહાર, રાજવી ! મગધના સિંહાસન માટે જ તો આ જીવતર છે. રાજનું મારો વંશ ચિરંજીવ બની ગયો.”
દેવી સુલસા ! મને ક્ષમા આપશે કે ?'
“શા માટે નહિ ? સુલસા આજે વિશ્વમાં અભિમાન લઈ શકે તેવા પુત્રોની માતા સિદ્ધ થઈ છે. જીવન અને મૃત્યુ તો દિવસરાત જેવાં છે." નાગરથિકે સુલસાના અંતરભાવ વાંચતાં કહ્યું.
“કેટલું ધૈર્ય ! ખરેખર મગધની આવી મહાપ્રજા માટે હું રાજા તરીકે અયોગ્ય છું : એવું મને ઘણી વાર લાગી આવે છે.” નિખાલસ સ્વભાવનો મગધરાજે નમ્રતાપૂર્વક કહ્યું.
- “જેવા રાજા હોય તેવી પ્રજા થાય, મહારાજ , આજનો ઉત્સવ ફરીથી શરૂ થાય તેવી મારી ઇચ્છા છે. સુલસાના ઘેર શોક નથી, પણ ઉછરંગ છે : એ વાતની પ્રજાને મારે જાણ કરાવી છે.” સુલસાએ નમ્ર મુખે પ્રાર્થના કરી અને મહારાજની પાછળ રહેલી શિબિકા તરફ આગળ વધી. દાસીઓ મોતીના હાર, સુંદર ફૂલો ને અમતકુંકુમના થાળ લઈ આવી.
રથમાં રાણી ચેલ્લણા હતાં.
“મગધનાં મહારાણી ! મગધની એક નારી આપનું સ્વાગત કરે છે.” સુલસાએ રાણી ચેલણાને વધાવ્યાં, હસ્ત ગ્રહીને એમને બહાર લાવી. “માતા, મગધના શિરછત્ર સમા નાગદેવને નમસ્કાર કરો ! અને જગતજનની
88 [ સંસારસેતુ
જેવાં દેવી સુલસાની આશિષ માગો.”
મહાઅમાત્ય અભય કુમારે રાણીજીને કહ્યું : “પ્રણામ છે, પૂજનીય દેવતા !”
“દેવી, અખંડ સૌભાગ્ય ભોગવો ને રાજા ચેટકના સંસ્કારબીજ અહીં રોપજો !” નાગરથિકે આશીર્વાદ આપ્યા.
આશીર્વાદે કેટલાકને ચમકાવ્યા. અરે આ તો મહારાજ મગધરાજનું અપમાન ! પણ ના, ના, એ વીર યોદ્ધાના શબ્દોમાં એટલી નિખાલસતા ભરી હતી કે સહુને અપમાન કરતાં એમાં શિખામણનો ભાસ થયો.
અનેક જાતના વિચિત્ર બનાવોથી મૂંઝાઈ રહેલ રાણી ચેલ્લણા આ સ્ત્રી-પુરુષ સામે આશ્ચર્ય અને હર્ષથી નિહાળી રહી. એક ક્ષણમાં મગધની અસંસ્કારિતા વિશેની એની કલ્પના સરી ગઈ. નવીન વાતાવરણ જાણે જૂનું લાગવા માંડ્યું. એણે મસ્તક નમાવી આશીર્વાદ ઝીલતાં કહ્યું :
“ગુરુજનોના આશીર્વાદ ફળો !”
પુત્રમૃત્યુની ઘેરી છાયા ધીરે ધીરે વિલીન થવા લાગી. જ્યાં મરનાર પુત્રોનાં માતા ને પિતા સ્વયં ઉત્સવમાં અગ્રગણ્ય ભાગ લે, ત્યાં બીજા શોક શી રીતે મનાવી શકે ?
શ્રેષ્ઠીપુત્ર મેતાર્ય અને ઉદ્યાનરક્ષક માતંગનું સ્વાથ્ય કેવું છે ?” મહારાજાએ નાગરથિકને પ્રશ્ન કર્યો.
સારું છે, મહારાજ , મગધની લાજ એ બે જણાએ રાખી !” અને વિરૂપા ?”
“હા, હા, એને પણ જીવના સાટે મેતાર્યને જાળવ્યો, નહિ તો આજે રાજગૃહીનો એક દીવો જલતો ન હોત.”
ચાલો, આપણે સર્વ એમની ખબર લેવા જઈએ. એમનું જાહેર સન્માન થવું ઘટે !” મહાઅમાત્ય પ્રસ્તાવ મૂક્યો.
આગળ મહાઅમાત્ય ને નાગરથિકના અશ્વ, પાછળ મહારાજાનો અશ્વ અને પછી નવાં રાણીની શિબિકા : પાછળ માનવસમુદાયનો કોઈ હિસાબ નહોતો.
વિરૂપાના તુચ્છાતિતુચ્છ આવાસ તરફ મહામહિમાવન્તો માનવસાગર ઊલટી રહ્યો. રાજા અને પ્રજાની આ હેતપ્રીત જોવા જાણે આકાશના દેવતાઓ પણ હાજર થયા હોય અને એમના પ્રકાશથી આખું નભોમંડળ ઝગઝગી રહ્યું હોય તેમ લાગતું હતું. સવારનો સૂર્ય મધ્યાહ્ન પહોંચતો હતો.
મગધનાં મહારત્નો 89.
Page #54
--------------------------------------------------------------------------
________________
12
અભૂતપૂર્વ
મગધના ઇતિહાસમાં આજનો પ્રસંગ સુવર્ણાક્ષરે લખાતો હતો. રાજગૃહીના મહામહિમાવન્તા રાજાઓના ગજરાજો જે પૃથ્વી પરથી પસાર થતા, એ પૃથ્વીની રજને પણ અસ્પૃશ્ય, મેત અને ચાંડાલ લોકોનાં પગલાં અને પડછાયાથી પણ દૂર રાખવાની ઉત્કટ સાવધાની આજ સુધી સેવવામાં આવી હતી; એને બદલે આજે ખુદ મગધરાજ મેતોના વાસમાં જઈ રહ્યા હતા.
અને મગધરાજ જ્યાં જાય ત્યાં એમની પાછળ કોણ ન જાય ? અને મગધરાજ જેઓના ઘેર પગલાં પાડે એને ત્યાં શી શી ઋષિસમૃદ્ધિ ન પ્રગટે ? મેતોના આનંદની અવિધ આવી ગઈ હતી. એમનાં નાનાં ઘર અને નાનાં મન વિશાળ રૂપ ધરી રહ્યાં હતાં. મગધનો નાથ જેઓને આંગણે આવે એને હીન, દીન ને અસ્પૃશ્ય કોણ કહે ?
જનમ જનમની હીનતા આજ ધોવાઈ રહી હતી. આમ્રવૃક્ષોની મંજરીઓથી એમણે કૂબાનાં આંગણાં શણગાર્યાં હતાં ને ગંગાની કંદરાઓની માખણ જેવી માટી લાવી રસ્તાઓ ભર્યા હતા. પ્રાતઃકાલથી કોઈ નવરું જ નહોતું પડ્યું.
ખરી ધમાલ તો વિરૂપાને ત્યાં હતી. ધનદત્ત શેઠનાં અનેક દાસદાસીઓ માયાવી ભૂતની શક્તિથી કામ કરી રહ્યાં હતાં. નવનવા સ્થંભો, અવનવાં વિરામસ્થાનો, રાજમાર્ગને સાંકળતો નવીન વિશાળ માર્ગ : અને વચ્ચે વચ્ચે સુંદર જળના ફુવારાઓ યોજ્યા હતા. શેઠ-શેઠાણીએ માર્ગમાં પગલે પગલે મોતી વેરી મગધેશ્વરનું સ્વાગત કરવાનો નિર્ણય કર્યો હતો.
ગરીબ બિચારી વિરૂપા શું નિર્ણય કરે ? એ તો ઘેલી બની ગઈ હતી.
વાજિંત્રોના નાદ ત્યાં નહોતા, પણ માનવીઓના કંઠમાંથી નીકળી રહેલો જયજયકાર વાતાવરણને મિષ્ટ બનાવી રહ્યો હતો. અનેક દુઃખદ બનાવો પર
આજનો પ્રસંગ સુખદ વાયુલહરીઓ વહાવી રહ્યો હતો. રાજગૃહીની લૂંટ, મેતાર્યમાતંગ વગેરેની ભયજનક ઘાયલ સ્થિતિ અને રાજા ચેટક સાથેના યુદ્ધમાં મરાયેલા અનેક નગર યોદ્ધાઓ : આટઆટલા ગમગીન બનાવો પર પણ ઉલ્લાસની છાયા પાથરી દેવાનું વ્યક્તિત્વ મગધનો નાથ ને મગધના મહાઅમાત્ય ધરાવતા હતા.
મહાન લગતા મગધની મહત્તા સામાન્ય રીતે શોધી ન જડતી, શોધનાર ઘણીવાર નિરાશ થતો, પણ આવા કટોકટીના પ્રસંગે એ વણશોધી ઝળકી ઊઠતી. મગધરાજ મેતોના વાસ આગળ ઊભા કરેલા સ્વાગત દ્વાર પાસે આવીને અશ્વથી નીચે ઊતરી ગયા. મહાઅમાત્ય અને બીજાઓએ પણ તેમનું અનુકરણ કર્યું. પ્રજા અનિમેષ નયને પ્રતાપી એવા મહારાજ મગધેશ્વરના ઊપડતા ચરણોને જોઈ રહી. તેઓને લાગી આવ્યું કે આ પ્રતાપી રાજાની ચરણરજની સેવા પાસે જીવન અને મૃત્યુ શી વિસાતમાં છે ? હજાર હજાર જીવન ને હજાર હજાર મૃત્યુ એના પર કુરબાન કરવાં ઘર્ટ !
ધનદત્ત શેઠ હાથ જોડીને સર્વથી આગળ સ્વાગત માટે ઊભા હતા. પાછળ બીજા નગરશ્રેષ્ઠીઓ હતા. શેઠાણી, વિરૂપા ને બીજી ૨મણીઓ એક બાજુ મસ્તક નમાવીને ખડી હતી.
મગધરાજ અને મહાઅમાત્યે નગરજનોનાં પ્રણામ શર સામે હાથ જોડ્યા, અને મેતાર્ય તથા માતંગના કુશળ પૂછવા અંદર ચાલ્યા. મેતાર્ય પણ શુદ્ધિમાં હતો. માતંગને હજી મૂર્છા વળી નહોતી.
“કુમાર, કુશળ છે ને ? મગધની કીર્તિ માટે પ્રાણ ન્યોછાવર કરનાર તમારા જેવા કુમારો માટે હું ખરેખર મગરૂર છું."
મેતાર્થે જવાબમાં સૂતાં સૂતાં હાથ જોડ્યા. વયમાં નાના છતાં ગુણમાં સમાન પોતાના મિત્રની આ દશા જોઈ મહાઅમાત્યે ઘા પર વીંટાળેલા પાટા જોતાં જોતાં કહ્યું :
“મહાઅમાત્યના કાચા કારભાર પર લોકો હસે છે. મેતાર્ય, મારી લાજ તે રાખી.” “મગધની કીર્તિ ને મહાઅમાત્ય ક્યાં જુદાં છે ? મેં મારી ફરજ બજાવી.' “હવે મહાઅમાત્યે એની ફરજ બજાવવી રહે છે !” મગધરાજે પોતાની ઇચ્છાને વચ્ચે રજૂ કરી.
“અવશ્ય, પ્રજાની સમક્ષ હું પ્રતિજ્ઞા કરું છું કે થોડાએક દિવસમાં એ મદોન્મત્ત લૂંટારા રોહિણેયને ન્યાયના સિંહાસન સમક્ષ રજૂ કરીશ. મગધની કીર્તિ સામે બાથ ભીડનારો પાતાળમાં હશે તો ત્યાંથી શોધી લાવીશ ને આકાશમાં હશે તો ત્યાંથી ઉપાડી લાવીશ.”
“ધનદત્ત શ્રેષ્ઠી ! તમારા પુત્રને બચાવનાર વિરૂપા ક્યાં છે ?”
અભૂતપૂર્વ I 91
Page #55
--------------------------------------------------------------------------
________________
મગધરાજના આ શબ્દો સાથે આગળ ઊભેલું ટોળું ખસી ગયું, પાછળ શેઠાણી પાસે વિરૂપા નત વદને ઊભી હતી. મહારાજને સામે ઊભેલા જોઈએ ત્યાં ઊભાં ઊભાં મસ્તક નમાવી પૃથ્વીની રજ મસ્તકે ચડાવી.
માતંગને શોભે તેવી પત્ની છે. મગધની નારીઓ આવી જ હોય. વિરૂપા, તને ધન્યવાદ છે !”
વિરૂપા કંઈ ન બોલી. એને લાગ્યું કે આ શબ્દો નહોતા, પણ દુનિયાની દોલત એના પર ન્યોછાવર થતી હતી.
અને મગધરાજ માતંગના બિછાના પાસે ગયા. કોઈ મદોન્મત્ત કેસરી નિરાંતે નિદ્રા લેવા આડો પડ્યો હોય એવો એનો દેખાવ હતો. વિશાળ ભ્રમર, જાન બાહુ, મોટા વાળ એની ભવ્યતામાં વધારો કરતા હતા.
“મહાઅમાત્ય ! વિરૂપા અને માતંગની પૂરી સંભાળ રખાવજો. એના મસ્તકમાં ઊંડો ઘા પડવો લાગે છે.મગધરાજે ધીરેથી મસ્તકને સ્પર્શ કર્યો. મમતાથી કેશ પર હાથ ફેરવ્યો.
મેતનો સ્પર્શ ! નિરભ્ર આકાશમાં એકાએક વીજળી ચમકી ગઈ. આટલી બોળાબોળમાં પણ મહારાજે માતંગને સ્પર્શ કર્યો, એ ઘણાથી સહન ન થયું.
- “ઉપાનહ* ગમે તેવાં સુંદર હોય, ગમે તેટલી રક્ષા કરનારાં હોય, પણ કંઈ એને મસ્તકે ચડાવાય છે ?” એક જણાએ ધીરેથી બીજાને કહ્યું. પણ અત્યારે એવા અભિપ્રાયોનું અહીં સ્થાન નહોતું. અભૂતપૂર્વ એવા આ પ્રસંગો હતા.
કાળ જ બળવાન હોય ત્યાં માનવીના યત્ન નિરર્થક હતા. મગધરાજની પાછળ પાછળ આવેલાં રાણી ચેલ્લણાએ તો હદ વાળી. એમણે વિરૂપાની પાસે જઈ એને માથે હાથ મૂક્યો ને રાજમહેલમાં આવવા નિમંત્રણ આપ્યું.
કેટલાક પ્રસંગો જ અનિર્વચનીય હોય છે. માનવીની જિહ્વા એને વચનથી જોખી-માપી શકતી નથી. મનમાં મુંઝાતા માનવીઓ જાણે પોતાની જિવાને જ ઘેર ભૂલી આવ્યા હોય, એમ મૂંગા ને મૂંગા આ બધું નિહાળી રહ્યા.
આજ ધરતી અને મેઘનું જાણે મિલન થતું હતું. મેઘ પોતાની સહસ્ત્ર ધારાએ ધરતીને બાહુમાં લઈ ભીંજવતો હતો. કોણ ઊંચ, કોણ નીચ ભલા !
મગધરાજ કુશળ પૂછી પાછા ફર્યા. સ્વાગત-દ્વાર પાસે એમને બેસવા માટે સેચન કે હસ્તી સુવર્ણરસી અંબાડીથી સજ્જ રાખવામાં આવ્યો હતો. પ્રશંસા, ધન્યવાદ ને જયજયના પોકારો વચ્ચેથી પસાર થતા મગધરાજ જેવા હાથી પર આરૂઢ થવા જાય છે, ત્યાં વયોવૃદ્ધ નાગથિક વચ્ચે આવીને ઊભા રહ્યા અને પ્રણિપાતપૂર્વક કહેવા લાગ્યા :
મહારાજ, નગરમાં શરૂ થયેલો ઉત્સવ શા માટે થંભવો જોઈએ ? આપ આજ્ઞા આપો. આખા નગરમાં ફરીથી ઉત્સવનો પ્રારંભ થાય. રાત્રે દીપમાળાઓ પેટાય, ઘરેઘરે જયજયધ્વનિ પથરાય. આજ કંઈ મગધ ખોટ ખાધી નથી. મગધ તો મહાકાળના ઇતિહાસમાં અમર થઈ ગયું. મગધેશ્વર મૈતવાસમાં પધારે, ઊંચ અને નીચની દીવાલોને ગુણગરિમા પાસે ઢાળી દે, એ અભૂતપૂર્વ પ્રસંગને પણ આજે આ રીતે વધાવી લેવો ઘટે.’
મગધરાજ ગમે તેવો મોટો હોય, પણ પ્રજાનો બનાવેલો છે ને ? પ્રજાની ઇચ્છાને આધીન થવામાં એ પોતાની મહત્તા સમજે છે. મહાઅમાત્ય ! તમે વિવેકી છો. પ્રજાને યોગ્ય આદેશ આપજો !”,
અને ઉદાસીન બની રહેલી નગરી ફરીથી વિધવિધ જાતનાં વાજિંત્રોના નાદથી ગાજી ઊઠી. ફૂલમાળા, જળછંટકાવ ને મણિમાણેકના સ્વસ્તિકોથી દીપી ઊઠી.
વયોવૃદ્ધ નાગરથિક અને તેની પત્ની સુલસા પણ કર્મની ગતિ ને સંસારની મોહની પ્રકૃતિ વિચારતાં ઉત્સવમાં મગ્ન બન્યાં હતાં. એમણે પોતાના આવાસ પર બત્રીસ બત્રીસ ફૂલમાળાઓ લટકાવી હતી, બત્રીસ બત્રીસ સ્વસ્તિકો રચ્યા હતા ને બત્રીસ બત્રીસ દીપમાળાઓ પેટાવી હતી.
92 સંસારસેતુ
અભૂતપૂર્વ D 93
Page #56
--------------------------------------------------------------------------
________________
13.
ધરતી અને મેઘ
બબ્બે માતાઓની સેવાશ્રુષાના બળે કુમાર મેતાર્ય બહુ જલદી સાજો થઈ ગયો. એની આ માંદગી ઐતિહાસિક મૂલ્ય લઈને આવી. અનેક અવનવા સંબંધો પેદા કરીને પૂરી થઈ. મહારાજ બિમ્બિસાર અને મહાઅમાત્ય અય એને પોતાનો નજીકનો સ્વજન લેખાતા થયા હતા. નગરજનો પોતાના લધુ વયના ઓ વીરકુમાર માટે ખૂબ જ સન્માન દાખવતા.
પણ સહુથી વધુ ગાઢ સંબંધ તો વિરૂપા અને માતંગ સાથે જોડાયો હતો. એકબીજાને ત્યાં જવાનો સંકોચ રહ્યો નહોતો, ને લોકોને મોઢે પણ ગળણું બંધાવ્યું હતું.
માતંગ અનેક ઘાની નિશાનીઓ શરીર પર રાખીને સાજો થયો હતો. એના કપાળમાં એક મોટો લાંબો ઘાનો ચીરો અમીટ રીતે પડી ગયો હતો. પણ એ ચીરો દૂષણ બનવાને બદલે ભૂષણ બની ચંદ્રની આડ જેવો એના વિશાલ ભાલપ્રદેશમાં શોભતો હતો. અવસ્થાએ ઘેરાતા એના વદનને જાણે એ નવી ખુમારી આપી જતો હતો.
વિરૂપા-માતૃત્વના સ્મરણે ઘેલી બનેલી વિરૂપા, દેવી સુલસાના બત્રીસ પુત્રોના મૃત્યુપ્રસંગના શ્રવણ પછી શાન્ત બની ગઈ હતી. એને લાગવા માંડ્યું હતું કે સુખના ઉદ્ભવ માટે સ્વાર્પણ જરૂરી છે. કમળનો ઉદ્ભવ આપનારી માતા પૃથ્વીએ પણ કાદવ બનવું પડે છે. કાદવ બન્યા વગર કંઈ કમળને જન્માવી શકાય ? માતૃત્વની ઊપડેલી ઝંખના આ રીતે શમી જતાં વિરૂપા હવે વ્યગ્ર નહોતી રહેતી. ત્યાગનો અનેરો આનંદ એના દિલને સદાકાળ પ્રફુલ્લિત રાખતો હતો.
મેતાર્ય યોગ્ય વયનો થતો જતો હતો અને યોગ્ય વયે માતાપિતાને સૂઝે અને મૂંઝવે એવા બે પ્રશ્નો ઊભા થયા હતા. એક મેતાર્યના લગ્નનો અને બીજો,
વેપારવણજ તેને હાથ સોંપવાનો. ધનદત્ત શ્રેષ્ઠીનો વ્યાપાર દૂરદૂરના દેશો સાથે સંકળાયેલો હતો. જલપત્તનX અને સ્થલપત્તનળ ને માર્ગે અનેક વેપારો ચાલતા હતા. આર્ય અને અનાર્ય દેશોનો પ્રતિબંધ નહોતો. અનેકભાષાભાષી વ્યવહારિયા આ કાર્ય નિભાવતા.
ચંપા-અંગ, તામ્રલિપ્તિ-બંગ, કંચનપુર-કલિંગ, વારાણસી-કાશી, સાકેત-કોશલ, દ્વારવતી-સૌરાષ્ટ્ર વગેરે દેશોમાં તેમની પેઢીઓ ચાલતી; અને શક, યવન, બર્બર, સિંહલ, પારસ, ગંધાર, કોંકણ ને હુણ દેશો સાથે પણ મોટા મોટા સાર્થવાહો દ્વારા માલની આપલે થતી.
ધનદત્ત શ્રેષ્ઠીએ જીવનના એકમાત્ર આનંદ સમા મેતાર્યને ધીરે ધીરે આ કામમાં નિયુક્ત કરવા માંડ્યો. અઢાર ભાષાઓના જ્ઞાતા અને અનેક પ્રકારની કળાઓના જાણકાર મેતાર્યને આ કામમાં નિપુણ બનતાં વિલંબ ન લાગ્યો. શસ્ત્રાસ્ત્રનો, પ્રાણીઓનો, મધ, માંસ ને વિષનો વેપાર કરવાનો કુલધર્મથી નિષેધ હતો. પણ જેનાથી પ્રજાજીવન પર અસર પડે તે દૂધનો, ધૂતનો, તેલનો, હાથીદાંતનો, ફળમૂળ ને ઔષધિના વેપારનો મેતાર્યે નિષેધ કર્યો. ખોટાં ખાતાં, દાણચોરી અને સાટાંતેખડાંની પણ તેણે બંધી કરી.
દરેક પેઢી પ્રામાણિકતાથી ચાલે, સત્ય ને ન્યાયને માર્ગે દ્રવ્ય ઉપાર્જન કરે, એક વસ્તુની કિંમતના એની અછતના લીધે ચારગણા ભાવ ન વધારે, એ તરફ એણે પૂરતું લક્ષ આપવા માંડ્યું.
પ્રારંભમાં હાથ નીચેના વ્યવહારીઓનો કુમાર મેતાર્ય સામે કચવાટ વધ્યો, પણ ધનદત્ત શ્રેષ્ઠીએ તો લગભગ નિવૃત્તિ લીધેલી હોવાથી કોઈનું કંઈ ચાલ્યું નહિ. થોડો કાળ જતાં આ પદ્ધતિના કારણે ધનદત્ત શ્રેષ્ઠીની પેઢીઓની ખ્યાતિ દૂર દૂર પ્રસરી : અને વ્યાપાર ખૂબ મોટા પ્રમાણમાં ચાલવા લાગ્યો. લક્ષમીની રેલ આપોઆપ એને ત્યાં વહેવા લાગી.
આવા યૌવનવયને પ્રાપ્ત થયેલ, ગૃહસ્થાશ્રમધર્મને નિભાવવાને સશક્ત એવા પુત્રના લગ્નની ઉત્કટ અભિલાષા માતાપિતાને હોય જ , ધનદત્ત શ્રેષ્ઠી પાસે કહેણ ઉપર કહેણ આવતાં હતાં. કોઈ મિથિલા નગરીના નગરશ્રેષ્ઠીનું આવતું, તો કોઈ કાંપિલ્ય નગરીના ધનકુબેરનું આવતું. પિતાની ઇચ્છા સ્વર્ગની અપ્સરાઓને વીસરાવે તેવી કન્યાઓ પુત્ર માટે આણવાની હતી : અને તે માટે મેતાર્યને જ પ્રવાસે મોકલવાનો નિર્ણય કર્યો. વિવેકપરાયણ પુત્ર પોતે જ કન્યાઓને નીરખે, એના ગુણ, ધર્મ ને કુળશીલની તપાસ કરે; અને પછી જ લગ્નોત્સવ શરૂ થાય.
x જ્યાં જલમાર્ગ હોય ને વહાણો લાંગરી શકતાં હોય તે ભૂમિ, જ્યાં સ્થલમાર્ગ હોય તે સ્થલપત્તન.
ધરતી અને મેઘ D 95
Page #57
--------------------------------------------------------------------------
________________
ધનદત્ત શેઠે પત્ની સાથે પણ આ વાતની ચર્ચા કરી જોઈ, મહાઅમાત્ય અભયની પણ સલાહ લઈ લીધી; અને એક સારા દિવસે ને શુભ મુહૂર્તે મેતાર્યને પ્રસ્થાન કરાવ્યું. સાથે જલમાર્ગ ને સ્થળમાર્ગોના જાણકાર ભોમિયા આપ્યા. મહાઅમાત્ય અભયે નાનું એવું સૈન્ય આપ્યું; ને દેશપરદેશની પોતાની પેઢીના નિરીક્ષણના બહાને કુમાર મેતાર્ય પ્રવાસે નીકળ્યો. એ વિદાયનો દિવસ અપૂર્વ હતો.
કુમાર મેતાર્ય પ્રવાસ કરતો કરતો દેશદેશ ભ્રમણ કરવા લાગ્યો. એ જે નગરને પાદર પોતાનો પડાવ નાખતો ત્યાં નાનું એવું નગર વસી જતું. વ્યાપાર-વણજની ધમાલ મચી રહેતી; અને માલની આપલેમાં આખો દિવસ પૂરો થઈ જતો. રાત્રે મુલાકાતો ચાલતી. અનેક શ્રેષ્ઠીઓ આવા સુંદર, વ્યવહારચતુર, લોકમાન્ય ને રાજ માન્ય યુવાનને પોતાની એ કાદ પુત્રી આપી સંબંધ વધુ ગાઢ કરવા ઇચ્છતા હતા, તેઓ હિંમતથી કુમારની સામે પોતાની વિનંતી રજૂ કરતા; પણ કુમાર કંઈ જવાબ ન વાળતો.
કુમારના સાથીદારો ને હિતસ્વીઓને આ વાત ન રુચતી. તેઓ કોઈક વાર હિંમતપૂર્વક સલાહ આપતા :
કુમાર, આપણો પ્રવાસ કેવલ ધનલક્ષમી માટે નથી, કુળલમી માટે પણ છે. અર્થ-કામની પ્રાપ્તિનું આ જીવન છે. ચતુર વ્યવહારીઆ કોઈ દિવસ આવી માગણીઓ સામે નિરુત્તર રહેતા નથી, ગૃહવાસમાં એકએકના રૂપને ભુલાવે તેવી લલનાઓ ઊભરાતી ન હોય તો આ અનર્ગળ ધનવૈભવનો અર્થ શો ? દેશદેશની, વિવિધ દેહશોભાવાળી, રૂપમાં દેવાંગના સમી સ્ત્રીઓ તો કુશળ વ્યવહારીઓની શોભા છે. અર્થ અને કામની પ્રાપ્તિ માટેનો આ પ્રવાસ એમ ને એમ નિરર્થક જવા દેશો મા !”
તમારી સલાહ સાચી છે. એવી માગણીઓનો જેમ તિરસ્કાર હું ન કરી શકું, તેમ સ્વીકાર પણ કરી શકતો નથી. પ્રવાસનું મારું દૃષ્ટિબિંદુ ભિન્ન પ્રકારનું છે. આ માગણીઓનો પ્રત્યુત્તર રાજગૃહીમાં પાછા ફર્યા બાદ જ અપાશે.”
પણ આપણા સંબંધો આ રીતના જવાબથી ફાલતા-ફૂલતા અટકશે. કુમાર, તમે કદાચ નહિ જાણતા હો, કે દેશદેશની અનેક કન્યાઓ પરણી લાવવાના આપણા રિવાજ પાછળ અત્યંત ગંભીર રહસ્ય છુપાયેલું છે. આપણો વેપાર વિશ્વાસનો છે અને આપણો અંગનો માણસ જ વિશ્વાસુ રહી શકે. આ કન્યાના પાણિગ્રહણથી આપણે આટલા દૂર દેશાવરમાં વગર પ્રયત્ન આપણું એક અંગ ઊભું કરીએ છીએ અને એ રીતે અંગસંબંધથી બંધાયેલા સહુ કોઈ આપણી પીઠ પાછળ પણ આપણા હિતમાં જ વર્તવાના.”
અને આપણા અહિતમાં વર્તે તો આપણે એ કન્યાઓ પર જુલમ ગુજારી તેમની શાન ઠેકાણે આણવાની, એમ ને ?” કુમાર ઊંડા રહસ્યમાં ઊતર્યો.
96 D સંસારસેતુ
હિતસ્વીઓ જવાબ ન દઈ શક્યા, પણ તેઓ એટલું બોલ્યા :
“એવું બન્યાના દાખલા આપણે ત્યાં નથી, બધે એવા સંબંધોએ અનેક લાભ કરી આપેલા છે.”
આ ચર્ચા આટલેથી અટકતી, પણ કુમાર તો કન્યાનું કહેણ મૂકવા આવનારને શાન્તિથી ઉપરનો જ જવાબ વાળતો.
અર્થ-કામની પ્રાપ્તિ માટે નીકળેલ કુમાર મેતાર્ય આલંભિકા, સ્વેતાંબિકા, વારાણસી, મિથિલા ને વિશાલા વગેરે પ્રદેશોમાં ફરતો ફરતો આગળ વધતો હતો. ત્યાં અચાનક એને કૌશાંબીના રાજા શતાનિકનું તેડું આવ્યું. મોટા અરબી અશ્વ પર. આરૂઢ થયેલો સંદેશવાહક ઊગતે પ્રભાતે હાજર થયો ને તેણે નમ્રતા પૂર્વક કહ્યું :
રાજ ગૃહીના સર્વશ્રેષ્ઠ વ્યાવહારિકને કૌશાંબી-પતિ મહારાજ શતાનિક અને મહારાણી મૃગાવતી સહર્ષ સાદર આમંત્રે છે.”
“કૌશાંબીપતિની સેવામાં અમો સહર્ષ ઉપસ્થિત થઈશું ને એ પળને અમે અમારા જીવનની ધન્ય પળ સમજીશું.” કુમારે જવાબ વાળ્યો.
મેતાર્યનો વિવેકભરેલો પ્રત્યુત્તર સંદેશવાહકે કૌશાંબીપતિને જઈને કહ્યો. બીજે દિવસે વાજતેગાજતે મેતાર્યનો નગરપ્રવેશ થયો. મહારાજ શતાનિકે આ વિખ્યાત વ્યાવહારિકને અત્યંત માન આપ્યું. મેતાર્ય પણ અમૂલ્ય મણિ, મોતી ને ધનકર્તકની ભેટ ધરી, મહારાણી મૃગાવતીએ પણ પોતાના અંતઃપુરમાં રખા કુમાર વ્યાવહારિકને તેડાવ્યો ને તેની પાસે પોતાની બેન ચલ્લણાના કુશળવર્તમાન પૂછવા.
‘આપ મહારાજ ચેટકનાં પુત્રી ? જ્ઞાતપુત્રનાં ઉપાસિકા ?”
હા, યુવાન વ્યાવહારિક, મારી બેન સુજ્યેષ્ઠાએ તો વૈરાગ્યભાવ સ્વીકાર્યો. વારુ, રાણી ચેલ્લણા પર મગધરાજનો કેવો ભાવ છે ?'
“કમળ ઉપર ભમર જેવો !” ચતુર મેતાર્યો દ્વિઅર્થી વાક્ય કહ્યું.
ચલ્લણાને બોલાવવાનું ઘણું મન થાય છે, પણ આ રાજ કાજ ! એમાં કાવતરાં, દગો, વિશ્વાસઘાત ડગલે ને પગલે ભર્યા છે ! મેતાર્યકુમાર, થોડા દિવસો પહેલાં મેં મારી બેન ધારિણીને તેડું મોકલ્યું હતું; પણ પછી ન જાણે શું થયું ? ધારિણી તો ન આવી, પણ અમારું સૈન્ય ત્યાં ગયું. ચંપાનગરી ૨ણમાં રોળાઈ. મારી બેનનો સૌભાગ્યતિલક ભૂંસાયો, ને બેન-ભાણેજનો કંઈ પત્તો જ નથી !”
“જર, જમીન ને જોરુ, ત્રણે કજિયાનાં છોરુ” એ શાસ્ત્રની વાત સાચી છે, રાણીજી !
“ના, ના, કુમાર મેતાર્ય ! ત્યાં તું ભૂલે છે. જ્ઞાતપુત્રનું તો કહેવું છે કે કજિયાનું મૂળ માનવી પોતે છે, કજિયાનું કારણ માણસનું મન છે અને મન આ બધું મેળવવા ઘેલું છે. અરેરે, સાતપુત્ર !” રાણી મૃગાવતીએ પુનઃ લાંબો નિસાસો નાખ્યો.
ધરતી અને મેઘ 97
Page #58
--------------------------------------------------------------------------
________________
“જ્ઞાતપુત્રના પવિત્ર નામ સાથે નિસાસો શા કાજે ?"
નિસાસો ન નાખું તો શું કરું ? સુધા ને તૃષા, ટાઢ ને તડકો વેઠી દેહ કેવો કરી નાખ્યો છે ! મેતાર્ય, જીવનની તો જાણે પરવા જ નહિ ! મેં ભિલાન આપવા મોકલેલી દાસીઓ હમણાં જ આવતી હશે. થોડી વાર થોભો તો વર્તમાન મળશે.”
“એમના વિશે મેં ઘણું સાંભળ્યું છે. એમના અપૂર્વ ઉપદેશો ઘણાને મુખે સાંભળી ધન્ય થયો છું. જન્મ કરતાં કર્મની મહત્તા આંકતા એ પરમ પવિત્ર સાતપુત્રનાં દર્શન કરી શકીશ તો મારી જાતને ધન્ય માનીશ.”
રાજા શતાનિક પણ મહેલમાં આવ્યા. ત્રણે જણાં રાજમાર્ગ પર જોઈ રહ્યા.
કૌશામ્બીના ઊંચા મિનારાઓ પર સંધ્યાની પચરંગી તડકી ઢોળાઈ રહી હતી, અને રાજસરોવરનાં પુષ્પો ધીરે ધીરે બિડાવા લાગ્યાં હતાં. રોઈ રોઈને રાતાં કરેલાં પ્રિયાના નયન સમો સૂર્ય અસ્તાચળ પાછળ હડસેલાતો હતો.
કૌશામ્બીના ધણી શતાનિકનો રાજમહેલ અત્યારે અલૌકિક વૈભવોમાં દીપી રહ્યો હતો. સહુ ઝરૂખે બેસી માર્ગ પર કંઈક નીરખી રહ્યાં હતાં. થોડી વારમાં એક ધમધમતો રથ આવીને દ્વાર પર ઊભો રહ્યો. એમાંથી દાસદાસીઓનું વૃંદ એકદમ રાણીજીના ખંડમાં ધસી આવ્યું.
- “બા સાહેબ ! એ યોગી તો કંઈ લેતો નથી ! કંઈ બોલતો પણ નથી ! કંઈ આપવા માગીએ તોયે હાથ લાંબો કરતો નથી !” દાસીઓએ મઘમઘતા મિષ્ટાન્નના થાળો નિરાશામાં નીચે પડતા મૂકતાં કહ્યું :
“કેવો અજબ યોગી !” રાજવધૂઓએ કંઈક મૂંઝવણમાં સુકોમળ હાથ ગાલીચા પર પછાડ્યા. એમનાં હીરાજડિત કંકણો ઘડીભર વાતાવરણમાં સંગીત પેદા કરી રહ્યાં.
‘બા ! એની પીઠ અને પાંસળીઓ જાણે એક થઈ છે ! બા ! એને ભોજન લીધા કાલે પાંચ માસ ને પચીસ પચીસ દિવસ પૂરા થશે ! એ માણસ નથી. માણસનું ગજું નથી. દેવ લાગે છે.” એક દાસીએ ઉમેર્યું.
- “પણ દાસી ! એનાં નયનોમાં કેવું મીઠું ઘેન છે ! અહા ! હજાર હજાર દીપમાળાઓ ઝંખવાય એવી જ્યોત એમાં ભરી છે. હું તો એને જોઉં છું ને આ મહેલ, આ અલંકારો, આ સાહ્યબી, બધું ભૂલી જાઉં છું. કેવી શાન્ત પ્રવૃત્તિ, પણ કેવી અજબ હઠ !” રાણીના ગૌર ગાલો પર આંખમાં અજાયું આવેલું એક આંસુ ભરાઈ રહ્યું.
“કેવો મૂંગો એ યોગી !” રાજા શતાનિકે ધીરેથી બધાની વાતને અનુમોદન આપ્યું : “જાણે વિધાતાએ જીભ જ દીધી નથી ! હું એનું મુખ જોઉં છું ને બકુલપુણ્યની કુમાશને પણ ભૂલી જાઉં છું. પ્રભાતના સૂરજ સમું એનું લલાટ વિસારીએ તોયે વીસરતું નથી. એની સામે યુદ્ધની કે દુન્યવી મોટાઈની વાત તો
કરતાંય શરમ આવે. પ્રેમમંદિર છે. આ સંસાર તો જાણે એને જોતાં વીસરી જવાય.”
“રાજસન્માન પણ સ્વીકારતાં નથી ?" મેતાર્યો વચ્ચે કહ્યું.
“ કંઈ પૂછો જ મા ! આવા પકવાન ને રાજમહેલની અધિષ્ઠાત્રીઓની મહેમાનીનો પણ તિરસ્કાર કરે છે ! બોલાવો તોયે બોલતો નથી. ભારે અડબૂથ !” મુખ્ય દાસીએ ચર્ચામાં છૂટ લીધી.
દાસી ! ચૂપ મર ! સંસારીઓને માપવાના ગજથી એ યોગીને માપવા ન બેસાય ! નથી લાગતું કે એને પગલે પગલે પ્રભુતા જન્મે છે ! એની નજરે નજરે #ણા પેદા થાય છે ! એની મૂક દૃષ્ટિમાં પણ કોઈ મહાન જાદુગરને ભુલાવે તેવું જાદુ તેં નથી ભાળ્યું ?” રાણી ભક્તના હૃદયને શોભાવે તેવા શબ્દો બોલી રહી હતી : “કાલે તો મારે જ્ઞાતપુત્રને આરોગાવીને જ આરોગવું છે, હું તો એને જેમ સંભારું છું એમ હૃદય પાણી પાણી થતું જાય છે.”
રાજરાણી મૃગાવતીએ વાતવાતમાં હઠ લઈ લીધી.
રાજા શતાનિકે કહ્યું : “ચતુર વ્યાવહારિક, એકાદ રાત્રિ કોશાંભીને વધુ આપો. કાલે જ્ઞાતપુત્રનાં દર્શનનો લહાવો લેતા જાઓ !”
“અવશ્ય, એવાં દર્શનોથી તો મારો પ્રવાસ સફળ થશે .”
કુમાર મેતાર્ય એ રાત્રિ ત્યાં જ રોકાયા. કૌશાંબીના ધણીએ એના સ્વાગતમાં મણી ન રાખી. મનમાં વિચાર્યું કે ભલે રાજગૃહીનો આ વ્યાવહારિક પણ એક વાર મારું સન્માન, મારો વૈભવ જોઈને વાહવાહ કરતો જાય.
મેતાર્થે જ્ઞાતપુત્રના માટે ઘણું સાંભળ્યું હતું. પિતાજી પાર્શ્વનાથના ધર્મના ઉપાસક હતા, અને જ્ઞાતપુત્રના ઘણા સાધુઓ એ રીતનો ઉપદેશ કરતા હતા. આજે અચાનક મળેલી આવી તકે શા માટે જવા દેવી ?
બીજો દિવસ ઊગ્યો. એ દિવસે કૌશાંબી માટે અત્યંત ઉત્સાહનો હતો. સૂર્ય જરા ઊંચે ચડ્યો કે બધાં યોગીની રાહમાં તૈયાર થઈ ઊભાં.
રાજદરવાજે ચોકીદારે મધ્યાહ્નકાળ દાખવતાં ઘડિયાળો ઠોક્યાં, અને સૌની ઉત્સુકતા વધતી ચાલી. - અંતઃપુરની રમણીઓ અને રાજવધૂઓ આજ તો વહેલી સ્નાનથી પરવારી ચૂકી હતી. લાંબા લાંબા કેશને ગૂંથી લીધા હતા. સેંથાઓમાં ઉતાવળે સિંદૂર પૂરી લીધો હતો. મોતીની સેરો ઉતાવળમાં આડીઅવળી લટકાવી દીધી હતી. તોય સૌંદર્ય જાણે બોલી ઊઠતું હતું.
હમણાં જ ખીલેલાં બધાં ચંપકપુષ્પો અને પારિજાત પુષ્પો ચૂંટાઈ ગયાં હતાં. રાજમાર્ગો રંગોળીઓથી ભરાઈ ગયા હતા. ઘેર ઘેર આસોપાલવના તોરણ હવામાં
98 D સંસારસેતુ
ધરતી અને મેઘ D 99,
Page #59
--------------------------------------------------------------------------
________________
ડોલી રહ્યાં હતાં.
મિષ્ટાનના થાળોમાંથી સૂર્યનો તાપ સુગંધ વહાવી રહ્યો હતો. નવી આવેલી વધુઓ ઘરમાં ધોળેલા કેસૂડામાં કૂંડાઓનો વિચાર કરી રહી હતી. અચાનક સૌએ મોઢેથી ઝીણો સિસકારો કર્યો....
અરે !સાવધાન !સ્મશાનના રાહ પરથી પેલા યોગી આવતા હતા ! સ્મશાન ! કેવું મીઠું વાસસ્થાન ! કેવું સુંદર વિશ્રામસ્થાન !
પાતાલને ભેદવા મથતી હોય એવી નીચી નજર સાથે યોગી નજીક આવતો ગયો. કેવાં ધીરાં પગલાં ! કેવી તપશ કાયા ! આત્માના તેજનો કેવો ભવ્ય પ્રકાશ ! લોકોએ માર્ગમાં ફૂલ વેર્યાં. યોગી જરા આઘો ખસ્યો. એણે મુખ જરા ઊંચું કર્યું. બધ એક નજર નાખી.
પણ એ નજરે તો જાદુ કર્યું. હાથના ફૂલના હાર અને મિષ્ટાન્નના થાળ થંભી ગયા ને સૌ એની સામે તાકી રહ્યાં. બેપરવા યોગી આગળ વધ્યો.
કેટલાય સામે થાળ ને માળ ધરી ઊભા.
કેટલાય પાદપૂજન કરવા ધસી આવ્યા.
પણ કોઈની સામે ધ્યાન નહિ ! એ રાજમહેલ તરફ આગળ વધ્યો. “નક્કી આજ એ રાજમહેલના અતિથિ બનશે !” લોકોએ વિચાર્યું.
પણ આ શું ? રાજમહેલ પણ વટાવી ગયા ! બિચારાં રાણી રડી પડ્યાં, છતાં કોઈ ન ખસ્યું, ચંપાની માળાઓ અને પારિજાતની ગુલછડીઓ પર સૂરજ નિર્દય રીતે તપવા લાગ્યો; છતાં કોઈ ન હાલ્યું.
“હમણાં પાછા ફરતી વખતે માર્ગ રૂંધી અને અન્ન આરોગાવીશું.” સહુએ રાજરાણીને આશ્વાસન આપ્યું.
યોગી જ્ઞાતપુત્ર તો આગળ જ ચાલ્યા; આગળ જ વધ્યે જાય છે. કૌશામ્બીની મદભરી શેરીઓ વટાવ્યે જ જાય છે.
“અરેરે ! આ સત્તા આટલી ભૂંડી કે અમારું અન્ન પણ યોગી ન આરોગે ? હા, હા, અનેક નિર્દોષોનાં ખૂનથી તરબતર આ વૈભવ ત૨ફ એ દયાની મૂર્તિ નજર પણ કેમ નાખે ?” રાજાએ નિઃશ્વાસ નાખ્યો.
આટઆટલા ધનની શી સાર્થકતા ? કૌશાંબીના કોટીધ્વજો વિચારવા લાગ્યા : “પણ હા, પચાસના રોટલા ઝૂંટવી મેળવેલા દ્રવ્યના સ્પર્શવાળું અન્ન એ પવિત્ર પુરુષ કેમ આરોગે ?" હજારો ધર્મશાસ્ત્રોએ જે સ્થિતિનું ભાન નહોતું કરાવ્યું, એ આ કલ્યાણમયી દૃષ્ટિએ એક નજરે કરાવ્યું.
આગળ ને આગળ ચાલ્યા જતા જ્ઞાતપુત્ર એક ઘરને આંગણે થોભ્યા. સૌની 100 D સંસારસેતુ
નજર ત્યાં ચોંટી રહી. જ્ઞાતપુત્ર એ ઘરની પરસાળમાં આવી ઊભા રહ્યા.
જુવાનવયની એક દુઃખિયારી બાળા હાથેપગે જકડાયેલી ઉંબરમાં બેઠી હતી. એની આંખોમાં અનન્ત યાતનાના પડછાયા ઊભરાતા હતા. વદન પર ક્ષુધાની હજારો જોગણીઓ હીંચ લઈ રહી હતી. હાથમાં તૂટેલટેલ એક સૂપડાના ખૂણામાં મૂઠીભર અડદના બાકળા પડ્યા હતા. એ બાકળા ક્ષુધાની મહાન ગર્તામાં સમાવી દેવા પેટ તલપાપડ થતું હતું. જીભમાં પાણી છૂટી રહ્યું હતું. હાથ એ કાર્ય કરવાને તૈયાર થતા હતા ત્યાં યોગી પરસાળમાં આવી ઊભા.
દુઃખિયારી બાળાએ યોગી તરફ જોયું. એણે બાકળા આપવા હાથ લંબાવેલા હાથ એણે ટૂંકા કર્યા. અરેરે ! યોગી લોભાયો ત્યારે બાકળામાં ! અને એમાંય પાછો હઠે ચડ્યો ! હાથ લંબાવીને પાછો ફર્યો.
રાજમાતા યોગીના વર્તન ૫૨ ચીડે બળ્યાં ને રડી પડ્યાં.
પણ પેલી બાળાનું શું ? અરેરે ! એના કમભાગ્યની તો અવિધ આવી ! પોતાના જીવનસર્વસ્વ સમા આટલા બાકળા આપવા માંડ્યા તોય ન લીધા. એમને શી ખબર કે અત્યારે જીવન ધરી દેવું સફળ હતું, બાકળા ધરવા મુશ્કેલ હતા.
બાળાનાં બે મોટાં કાળાં નયનોમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યા. યોગીએ એ નિહાળ્યું ને પાછો ફર્યો. બાળાના બાકળા લઈ ફાક્યા, અને એક નજર બાલાના આંસુભર્યા મુખ પર ફેંકી. જોતજોતામાં એ એક જ દૃષ્ટિએ આંસુ છુપાવી દીધાં ને બાલિકાના મુખ પર ચાંદની રાતનો પૂર્ણ ચંદ્ર ખીલી નીકળ્યો.
એક જ નજર, એક જ દૃષ્ટિએ અને બાલાના દિલમાંથી કંગાલિયત, દુઃખ ને દર્દ નાસી ગયાં. એનું હૈયું હલકું બની જતું લાગ્યું. કેટલીક વાર ભાષા કરતાં મૌન અને શબ્દો કરતાં દૃષ્ટિ જીતી જાય છે. એવું જ આજે બન્યું.
યોગી ક્ષણવાર થંભ્યો અને પાછો ફર્યો. પણ એટલી વારમાં રાજમાર્ગ ઠાઠથી ભરાઈ ગયા હતા. રાજા, રાજમાતા અને રાજરાણી દોડી આવ્યાં. નગરજનો ગામ ગજવી રહ્યા હતા.
દીર્ઘતપસ્વી નિગ્રંથ જ્ઞાતપુત્રનો જય હો !”
સ્તબ્ધ બની ઊભેલા કુમાર મેતાર્ય, રાજા શતાનિક અને રાણી મૃગાવતીના મુખમાંથી સ્વયં બોલાઈ ગયું.
આ શબ્દો પણ જાતે વાતાવરણની મૌનશાન્તિને અણછાજતા લાગ્યા. માનવી સ્તબ્ધ બનીને જોયા કરે એવો આ પ્રસંગ હતો. મૌનની વાચા ગુંજતી હતી, અને ત્યાગનું અશ્રાવ્ય સંગીત સહુના મનને ડોલાયમાન કરી રહ્યું હતું. મનોમન વિચારમંથન જાગ્યું હતું.
ધરતી અને મેઘ – 101
Page #60
--------------------------------------------------------------------------
________________
અરે, આટઆટલાં મોટાં રાજ કુળો ને શ્રેષ્ઠી કુળો તરછોડી, મહારાજા શતાનિક ને મહારાણી મૃગાવતીની વિનંતીને ઠોકર મારી, એક હીન, દીન તરછોડાયેલી પેલી દાસીના હાથના બાકળા સ્વીકારવામાં શું મહત્ત્વ ! અરે, એ દાસીને તો નીરખો ! માથું મૂડાવેલું છે, પગે બેડીઓ પડેલી છે ! ક્ષુધા-તૃષાએ મોં પર કેવી ગ્લાનિ ફેલાવેલી છે ! બિચારીને કેટકેટલે દિવસે આટલા બાકળા ખાવા મળ્યા હશે ! એ બાળ કમાંથી ભાગ પડાવીને શું સાધ્યું ! ક્યો ધર્મ ને કઈ સાધુતા દર્શાવી ! અરે, એની આંખોમાંથી વહેતાં આંસુ હજી પણ સુકાયાં નથી !
જ્ઞાતપુત્ર પાછા ફરતા હતા. પેલી દાસી જેનું નામ ચંદના હતું. એ હવે રડતી નહોતી, હસી રહી હતી. જ્ઞાતપુત્રે એ હાસ્ય સામે એક આછું સ્મિત કર્યું. એ સ્મિતમાં તપસ્વીની દંતપંક્તિઓ ચમકી રહી, જાણે હજાર હજાર હીરાઓનું તેજ નિર્માલ્ય બન્યું ! આટઆટલાં મણિમુક્તા, આટઆટલાં ભેટોપહાર નિરર્થક બન્યાં ! અને કરપાત્રમાં રહેલા બાકળા જાણે કૌશાંબીની તમામ રસવતીને ફિક્કી પાડવા લાગ્યા.
વિવેક ધર્મના ઉપાસકે આટઆટલી અવમાનના કૌશાંબીને માથે શા માટે લાદી ? જગતે જાણશે ત્યારે શું કહેશે ? કૌશાંબીના એકે ઊજળા કુળમાં ભાવના ને ભક્તિનો અંશ જ નહીં હોય ?
જ્ઞાતપુત્ર પુનઃ નીચી નજરે સ્વસ્થાન તરફ પાછા ફરતા હતા. સ્વસ્થ પગલે ને સ્કૂર્તિદાયી ચાલે ચાલતાં ચાલતાં એમણે બેએક વેળા ચારે બાજુ જોયું.
રે ! દૃષ્ટિમાં કેવી સ્વસ્થતા ! કેટલી મોહની ! કેવું તપોબળ ! કુમાર મેતાર્ય ભક્તિભાવભર્યા વદને એ પુરુષ પુંગવને જતા નિહાળી રહ્યો. આજની એની સૃષ્ટિમાં જાણે લક્ષ્મી, દ્રવ્ય, સત્તા, ડહાપણ, વિદ્વત્તા બધું ઓસરી ગયું હતું; અને દિલમાંથી કોઈ અનાહત નાદ જાગી રહ્યો હતો કે આ બધું ખોટું ! આ બધો મિથ્યાભાસ ! દુન્યવી દૃષ્ટિ સિવાય એની કશી કિંમત નહીં !
મેતાર્યની દૃષ્ટિ ધીરે ધીરે દૃષ્ટિપથની બહાર જતી એ તેજમૂર્તિ પર વળગી રહી, પ્રકાશનું એક વર્તુળ યોગીના દેહની આસપાસ ઘૂમી રહ્યું હતું. અલંકારહીન. વસ્ત્રવિભૂષણહીન એ મૂર્તિ જાણે શરીરસૌષ્ઠવનો નમૂનો લાગતી હતી. અસ્થિ, ચર્મ, મજ્જા, માંસમય એ દેહ હતો કે પ્રકાશનો સાકાર દેહધારી પુંજ હતો ! એનો નિર્ણય કરવો સામાન્ય જન માટે અશક્ય હતો.
પાર્શ્વનાથ સંપ્રદાયના અનેક સાધુઓનો પરિચય એ પામ્યો હતો. જ્ઞાતપુત્રના પૂજક ને પ્રશંસક શ્રમણોને પણ એ મળ્યો હતો. જન્મજાત ઉચ્ચ-નીચતાને ધિક્કારનારા શ્રમણોના ઉપદેશો તરફ એને ભાવ હતો. એમનાં તપ, ત્યાગ ને નિસ્પૃહતાથી એ પૂરો પરિચિત હતો : ઘણાના વ્યક્તિત્વથી એ અંજાયો હતો, કેટલાયને એણે પૂજ્યા, માન્યા ને સત્કાર્યા હતા : પણ વગર પરિચયે કેવલ દર્શનમાત્રથી માનવીની બાહ્ય
102 D સંસારસેતુ
ચેતના મૂછિત થઈ જાય એવું વ્યક્તિત્વ તો એ આજે જ નીરખવા પામ્યો હતો.
- આ વ્યક્તિનો સ્પર્શ પામી તુ પણ જાણે ખુશનુમા બની બેઠી હતી. બન્ને પહોર વીતી ગયા હતા. તોય જાણે કોયલ ટહુકા કરતી હતી; વૃક્ષો મંજરીઓ વેરતાં હતાં, અને દ્વાર દ્વાર પર વાતો વાયુ જાણે નવીન સંદેશા લાવતો હતો.
અરે ! અન્યની શી વાત ! અજાણી, થોડે દ્રવ્ય ખરીદાયેલી પેલી દાસીની દશા નીરખવા જેવી હતી. એના નાના અધર પરની સુકાયેલી લાલી ફરીથી ઝળકી ઊઠી હતી. સિવાયેલી એની જીભ કંઈક મિષ્ટ સંગીત ગાઈ રહી હતી. દુ:ખમાં સુખનું સંગીત ! ધરતી ને મેઘના મિલનનું સંગીત ! રે મેઘ ! મેલી ધરતીના સ્પર્શે તું થોડો મેલો થયો હોઈશ. પણ ધરતી કેવી પવિત્ર થઈ !
દાસી ચંદના ?” રાજા શતાનિકે એને બોલાવી.
એ ઘેલી બાળકી બધી સુધબુધ વીસરી ગઈ હતી. એ તો અંતરીક્ષમાં કંઈ જોતી મિષ્ટ સ્વરે ગણગણતી જ રહી.
મહારાજ ! ચંદના મારી દાસી છે. કૌશાંબીના બજારમાંથી મેં ખરીદી છે. એક સુભટ એને તાજેતરના ચંપાનગરીના યુદ્ધમાંથી લૂંટના માલ તરીકે ઉપાડી લાવ્યો હતો.”
- “સ્ત્રી લૂંટની-વેચાણની એક વસ્તુ ! આર્યોનું આ કલંક ક્યારે ધોવાશે ?” મેતાર્ય વચ્ચે બોલી ઊઠ્યો. ચંદના એને મન અત્યારે મહાન ભાગ્યશાળી પવિત્ર નારી બની ગઈ હતી.
હા, દાસદાસીઓનાં વેચાણ ક્યાં નવાં છે ? એ તો શાસ્ત્રસિદ્ધ છે. પુરાણપવિત્ર છે, હિરણ્ય, મણિ, માણેકની જેમ દાસદાસી પણ પરિગ્રહ જ છે ને ? અને યુદ્ધ ચાલુ હોય ત્યાં સુધી એ પરિગ્રહની ખોટ નહીં પડવાની. આજ તો મોટાં દાસબજારો ચાલી રહ્યાં છે.”
“પશુની જેમ સ્ત્રી એ વેચાણની વસ્તુ ! એને માન-સ્વમાન, સુખદુ:ખ કશું જ નહિ ? સ્ત્રી તો માતાની જાત !” મેતાર્યના શબ્દોમાં વેધક ટંકાર હતો. મહારાજા શતાનિકના દિલમાં નવું તોફાન જાગતું હતું, એ વિચારતા હતા :
“મારા વિજયની સુંદર તેજસ્વી છાયા નીચે કેટકેટલાં સ્ત્રી-પુરુષ ગુલામ બન્યાં હશે ! કેટકેટલાં ભૂખે મર્યો હશે ! બળાત્કારને આધીન થયાં હશે ! એક યુદ્ધ એટલે શું ? સબળને નિર્બળ પર અત્યાચાર-અનાચાર ગુજારવાનો હક, વેરની ભયંકર ખાઈમાં હજારો કીમતી પ્રાણનું બલિદાન. આ ઘૂરકાધૂરકી ક્યારે શમે ? વેરની આ પરંપરા શું વેર લેવાથી શમશે ? કાલે ચંપાની હિણાયેલી પ્રજા મારી પર તક મળે તો જુલમ ગુજારવામાં શું મણા રાખે ?”
ધરતી અને મેઘ 1 103
Page #61
--------------------------------------------------------------------------
________________
“હા બેટા વસુમતી !” અચાનક રાણી મૃગાવતીની ચીસ સંભળાઈ. રાજરાણી દીનહીન દાસીને ગળે વળગી પડ્યાં હતાં ને ધ્રુસકે ધ્રુસકે રોતાં હતાં. રાજા શતાનિક આર્યાન્વિત બની જોઈ રહ્યા. રાણી રડતાં રડતાં કહેતાં હતાં :
નાથ, આ તો મારી બેન ધારિણીની પુત્રી ! ચંપાનગરીના રાજા દધિવાહનની પુત્રી !”
“પુત્રી વસુમતી !" સત્તાના મદે ને વેરના અંધાપાએ બીડેલાં નેહનાં દ્વારા આપોઆપ ખૂલી ગયાં, રાજા શતાનિકની આંખોના ખૂણા ભીના થયા.
“મારા પાપે આ દશા ? હાય રે રાજ્ય ! રે સત્તા ! ધિક્કાર છે મારા વિજયને ! વસુમતી, ચાલ, મહેલે ચાલ !
મહારાજ , મહેલ અને મળિયામાં હવે મોહ નથી રહ્યો. નિગ્રંથ પ્રભુએ આજ મારો ઉદ્ધાર કર્યો; મારો દબાયેલો ચંપાયેલો આત્મા આજે પોકાર કરે છે; મારા કલ્યાણ માટે. મારા જેવી અનેક દુખિયારી બેનોના આત્મિક ઉદ્ધાર માટે. જાણે મને કોઈ આમંત્રી રહ્યું છે. સ્ત્રી પરિગ્રહ નહિ.* પુરુષની મિલકત નહિ, એ પણ જીવનમરણની, સત્કર્મ ને શીલની સ્વાધીન અધિષ્ઠાત્રી ? મારો રાહ હવે વારો છે.”
આ શુંખલા-બેડી, આ દુઃખદ અવસ્થા મારાથી નથી જોવાતી.” રાણી મૃગાવતી ફરીથી રડી પડ્યાં.
રાણીજી, ગઈકાલ સુધી – અરે ! ઘડી પહેલાં જ મને પણ એ ભારભૂત લાગતી હતી. પણ આજે તો મારી દૃષ્ટિ આ બાહ્ય જગતને આંતર જગતને સ્પર્શી રહી છે. હું તો કોણ માત્ર ? આ આખું જગત આનાથી પણ મહાન બેડીઓમાં જકડાયેલું છે. હવે એ બેડીઓ તોડીશ, પ્રભુએ મને તારી. મારા મનની હીનતા બેડીઓ માત્ર લોઢાની નથી, સોનાની, રૂપાની ને સત્તાની પણ હોય છે ! અને માત્ર દસ-દસીને જ નહિ - - રાજારાણીને પણ પડેલી હોય છે. દીનતા જાણે બીજે ક્યાંય છે જ નહિ ! આ સ્થિતિ પ્રાપ્ત થયાનું મને દુ:ખ નથી. અને દુઃખ હોય તોપણ તે પરમ સુખનું નિમિત્ત બન્યું છે. રાજાજી, તમે મારા ઉપકારી છો. પેલો સુભટ ને ઈર્ષ્યાથી બળીને મારી આ દુર્દશા કરનાર ધનાવહ શેઠનાં પત્ની મારાં હિતસ્વી છે; તેઓ ન હોત તો પ્રભુનો આવો પ્રસાદ મને ક્યાંથી મળત ! મૂઠી બાકળામાં લો મેં લંકા લૂંટી !”
- “વસુમતી, નહિ-નહિ, ચંદના ! એ મૂઠી બાકળા નહોતા, તારું જીવન અમૃતજીવન સર્વસ્થ હતું. અમારાં તને વંદન છે !" મેતાર્યે લાગણીભર્યા દિલે ચંદનાને નમસ્કાર કર્યા. * પ્રભુ મહાવીરના પહેલાં સ્ત્રી એ પરિગ્રહની વસ્તુ લેખાતી. પ્રભુ મહાવીરે એ ભાવનામાં સહુ પ્રથમ ક્રાંતિ આણી. એમણે સમાજ અને ધર્મમાં સ્ત્રીને સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું. સ્ત્રીને સંઘમાં સ્થાન આપનાર સહુ પ્રથમ મહાવીર હતા.
104 1 સંસારસેતુ
નગરજનોએ તેનું અનુકરણ કર્યું. ચંદના-ચરણધૂલિ ચંદના, ક્ષણવારમાં પૂજનીયા બની ગઈ. એ દહાડે કૌશાંબી ધન્ય બની. મેતાર્યના પ્રવાસની એ ક્ષણો ધન્ય બની.
- જ્ઞાતપુત્રના પુનર્દર્શન માટે ઉત્સુક બનેલો મેતાર્ય થોડા દિવસ ત્યાં રોકાયો. પણ છ માસે મૂઠી બાકળા લઈને એ મહાન તપસ્વી પાછા ક્યાંયના ક્યાંય શરદના મેઘની જેમ અદૃશ્ય થયા હતા.
હવે દિવસો બહુ વીતી ગયા હતા. રાજા શતાનિક અને રાણી મૃગાવતીની માયાભરી રજા લઈ, મહાન વૈરાગણ સતી ચંદનાની ચરણરજ માથે ચડાવી, મેતાર્ય પોતાના સાથે સાથે આગળ વધ્યો.
આવાં અનેક સંસ્મરણો સાથેનો પ્રવાસ ખેડીને મેતાર્ય કુમાર પાછા ફર્યા. ત્યારે દ્રવ્યની પોઠોની પોઠો તેમની સાથે હતી. કેટલોય કીમતી માલ ભરી ભરીને આણવામાં આવ્યો હતો. યોજન યોજન જેટલેથી એમાં રહેલાં સુંદર તેજાના, વસાણાં ને અમૂલ્ય કેસર-કસ્તુરી-અંબરની સુગંધ સમસ્ત પ્રદેશને છાવરી દેતી હતી.
મેતાર્ય ટૂંક સમયમાં રાજ ગૃહી આવી પહોંચશે એવા સમાચાર મળતાં ઠેર ઠેર એમના સ્વાગત માટે ભારે તૈયારી થઈ રહી. રાજ ગૃહી આખું શણગારાવા લાગ્યું. શહેરની આસપાસ સુગંધી ચંદન વગેરેના કણો વેરવામાં આવ્યા. આસોપાલવ ને કદલીથંભોથી માર્ગ શણગારવામાં આવ્યા.
ધનદત્ત શેઠનો સુખરવિ આજે પૂર્ણ મધ્યાહૂને ચડ્યો હતો. શેઠાણી તો નયનાનંદ પુત્રના આગમનના સમાચાર સાંભળી પેલાં બન્યાં હતાં. એમણે સાંભળ્યું હતું કે કુમાર પોતાની સાથે દેશદેશની સૌંદર્યવતી કુમારિકાઓનાં કહેણ લઈને આવે છે. આ સાંભળીને તો એમનો ઉત્સાહ હૃદયમાં સમાતો નહોતો.
આટઆટલી સમૃદ્ધિ , વૈભવ ને કીર્તિ વરીને આવનાર મગધનો મહાશ્રેષ્ઠીના સ્વાગતમાં શી મણા રહે ! એ દિવસે રાજગૃહીમાં મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો.
કુમારની અર્થપ્રાપ્તિની કથાઓ રાજસભામાં ચર્ચાવા લાગી. પણ કામ અને ધર્મ પ્રાપ્તિની વાતો જ્યારે સ્વયં કુમારે વર્ણવી ત્યારે તો આખી સભા સ્તબ્ધ બની ગઈ.
- વિદ્વાન ને કુશળ વ્યાવહારિક મેતાર્યને રાજ સભાએ દેશદેશની સ્ત્રીઓનાં વર્ણન પૂછડ્યાં. મેતાર્ય રસિક પુરુષ હતો. એણે તો આખું એક શૃંગારશાસ્ત્ર સર્જીને જાણે સભા સમક્ષ રજૂ કરી દીધું. કોટીવર્ષ - લાટની સુંદર કટિપ્રદેશવાળી સુંદરીઓ, કાંપિલ્યપાંચાળની વર્ણ શ્યામ પણ શરીરસૌષ્ઠવમાં દેવાંગનાઓને શરમાવે તેવી સ્ત્રીઓ, સૌરાષ્ટ્રની નાજુક કાચની પ્રતિમા-શી પ્રયદાઓ, પુષ્ટિ ને કઠિન કુચભારથી નમ્ર દેહયષ્ટિવાળી મૈથિલ સુંદરીઓ, પ્રફુલ્લ કમળદળ સમાં નેણવાળી સાકેત - કોશલની કામિનીઓ, મણિ ને સુવર્ણની મેખલાઓની શોખીન તામ્રલિપ્તિને બંગની રમણીઓ, પરવાળાના જેવા નાના સંપુટ ધરાવતી ને મંદમંદ વાણી વદતી
ધરતી અને મેઘ 105
Page #62
--------------------------------------------------------------------------
________________
કલિંગ-કંચનપુરની અબળાઓ, તિલક-વલયથી ઓપતી ને કપોલDલ પર પત્રલેખા કરવામાં કુશળ શ્રાવર્તિની સુંદરીઓ અને અનંગરંગમાં રતિ સમાન વત્સવામાંઓની કથાઓ એવી લલિત રીતે સંભળાવી કે તમામ સભાજનો કોઈ શુંગાર કાવ્ય વાંચી રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા.
“ધન્ય છે કુમાર મેતાર્યની રસિકતાને !” સભાજનોએ વાહવાહનો નાદ કર્યો.
કુમાર, તમે નિગ્રંથ જ્ઞાતપુત્રને સ્વચક્ષુએ નિહાળ્યા છે. અમને એ પતિતપાવન દેહમૂર્તિ વિશે કંઈ કહેશો ?” મહામંત્રી અભયકુમારે અર્થ ને કામની કથાઓ પછી ધર્મકથા વિશે પણ આકાંક્ષા દર્શાવી.
જ્ઞાતપુત્રના નામ શ્રવણની સાથે જ અલંકારને રસ વિશે ઉઘુક્ત થયેલા મેતાર્યના મુખ પર સૌમ્યતા છવાઈ ગઈ. શૃંગારના વર્ણનમાં ચંચળ બનેલી એની જિહ્વા ને નયન જાણે સ્વસ્થ થઈ નમ્ર બની ગયાં. એણે ક્ષણ વાર મૌન ધારણ કર્યું ને પછી વાત શરૂ કરી :
સભાજનો, શરદઋતુના સૂર્યથી વિશેષ તેજસ્વી મુખમંડળવાળા, ચંદ્રમંડળથી પણ સૌમ્ય, સ્વયંભૂરમણ સમુદ્રથી પણ વિશેષ ગંભીર અને રૂપમાં ઇંદ્રને પણ ઝાંખા પાડે એવા એ મહાન ત્યાગી ભિક્ષુનું વર્ણન મારા જેવાની સહસ જિદ્દાઓ પણ કરવા શક્તિમાન નથી. હું તો એ તેજસ્વી દેહસૃષ્ટિનાં ઘડી બે ઘડી દર્શન કરી શક્યો છે, પણ એ પ્રશાન્ત મુખ, એ કરુણાભર્યા નયનો, એ રાજ રાજેશ્વરને નમાવે તેવી સ્વસ્થતા, ગંધહસ્તીના જેવી ચાલ, સાત હાથની કૃશ છતાં તેજસ્વી કાયા મારા સ્મરણપટમાંથી ખસતાં નથી. નિશ્ચલ શ્રીવન્સવાળી છાતી જાણે મેરુપર્વતને છેદવામાં સમર્થ હોય તેમ ફૂલેલી હતી, કદી ન ભૂલી શકાય, સ્વપ્નમાં પણ જેનું સ્મરણ ચાલ્યા કરે એવા એ પુરુષ-પુંગવ છે.”
“એ મહામાનવીના આહારવિહાર વિશે કંઈ કહેશો ?” મગધરાજે વચ્ચે પ્રશ્ન કર્યો. દેશદેશની સુંદર સ્ત્રીઓના વર્ણનમાં મગ્ન બનેલ રાજવીને જ્ઞાતપુત્ર વિશે પ્રશ્ન કરતા જોઈ પ્રજાને પોતાના રસિક રાજવી વિશે અધિક કુતૂહલ જાગ્યું. પરમત્યાગી બુદ્ધના ઉપાસકની આવી જિજ્ઞાસા કેટલાકને નવીન લાગી, પણ પ્રજાનો મોટો ભાગ હવે જાણતો થયો હતો કે, રાજા ચેટકની પુત્રી રાણી ચેલ્લણાએ અંતઃપુરમાં આવ્યા પછી મહારાજ પર જાદુ કરવા માંડ્યો હતો.
એ મહામાનવનો – પુરુષસિંહનો સ્વલ્પ પરિચય પામ્યો, એ મારા અલ્પ ભાગ્યની એંધાણી છે. પણ મહારાજ ! ઉપવાસ એ એમનો આહાર છે. મૌન એમની વાણી છે. ત્યાગ એમનો સંદેશ છે. કદી વાચા ફુરે છે, તો સાંભળવાનું અહોભાગ્ય પામનારાં વાતો કરે છે કે, જાણે કોઈ દિવ્ય ગવૈયાએ માલકોષ રાગ છેડ્યો હોય એવી મધુરપ એમાં લાગે છે. એમના આહારવિહારનું વર્ણન કરતાં જાણે સ્વયે કવિ બની
106 સંસારસેતુ
જવાય છે. ઉપમા-ઉપમેય પણ જડતાં નથી. પવન પેરે અપ્રતિબદ્ધ , શરદચંદ્રની જેમ નિર્મળ, કચ્છપની પેરે ઇંદ્રિયોને ગોપવનાર, ખડગી (ગેંડા)ના શૃંગની જેમ એકાકી, ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત, મહાન હસ્તીની જેમ પરાક્રમી, વૃષભની જેમ સંયમભારના નિર્વાહમાં સમર્થ, સિંહસમ દુર્જેય, મેરુની જેમ દુર્ઘર્ષ ને સાગરસમ ગંભીર છે.”
“શ્રેષ્ઠી કુમાર ! કઈ વિશેષતાથી અમારે જ્ઞાતપુત્રને પિછાણવા, ને સત્કારવા ?” એક વૃદ્ધ નગરજને વચ્ચે પ્રશ્ન કર્યો.
“સૂર્યને જેમ સુર્ય તરીકે પિછાણવા માટે ઓળખાણ આપવાની જરૂર નથી એમ આ મહાપુરુષને સ્વયં પિછાની શકાય છે. છતાંય તપ્ત સુવર્ણના જેવા વર્ણવાળા, સાત હાથની કાયાવાળા એ પરમ તારણહારને પિછાણવા બહુ સહેલ છે. ગાય દોહવાના આસનની જેમ બેઠેલા, સુગંધમય શ્વાસોશ્વાસવાળા એ પ્રભુને પગે સિંહનું લાખું (લાંછન) છે.”
ધન્ય છે કુમાર તમારી વિદ્વત્તાને ! ધન્ય છે તમારા પ્રવાસને ! તમારા સંભાષણથી અમે જાણે સ્વચક્ષુએ નિહાળતા હોઈએ એમ લાગે છે. તમારી વર્ણનશૈલી ને તમારી નિરીક્ષણ શક્તિનાં અમે ભૂરિ ભૂરિ અભિવાદન કરીએ છીએ.”
મગધરાજ, મહાઅમાત્ય ને સર્વ સભાજનોએ ઉપરના શબ્દોમાં કુમારનાં વખાણ કર્યા.
આઠ આઠ કન્યાઓનાં માગાંની રસભરી કથાઓ પૂર્ણ થયા પછી મહાસતી ચંદનાની વાતોએ પ્રજાના હૃદયમાં જ્ઞાતપુત્ર પ્રત્યે નવીન જ સ્નેહ જન્માવ્યો.
રાજગૃહી કેટલાય દિવસો સુધી કર્ણોપકર્ણ આવી ચર્ચાઓ કરવામાં મગ્ન રહ્યું.
અહીંના લોકોના અર્થ અને કામ ધર્મને અનુલક્ષીને હતા : ને ધર્મ મોક્ષને અનુલક્ષીને હતો.
ધરતી અને મેઘ [ 107
Page #63
--------------------------------------------------------------------------
________________
14
હાથતાળી
ગગાની ગિરિકંદરાઓમાં સરી ગયેલો રોહિણેય વાઘની જેમ કૂદતો, તાકતો વૈભારગિરિની ગુફામાં આવીને છુપાઈ ગયો. આ પ્રચંડ ગિરિમાળની કિલ્લેબંદી ભેદીને આવવાની કોઈની તાકાત નહોતી. એના શૂરા સાથીદારોની માવજતમાં એ કેટલાક દિવસો ઘાની સારવાર કરાવતો પડ્યો રહ્યો. પણ માતંગ અને મેતાર્યને સાજા થતાં જેટલા દિવસો એને ન લાગ્યા. પર્વતનાં વૃક્ષમૂળોએ, વનલતાઓના રસોએ અને જાનવરોનાં અંગોમાંથી ઉપજાવેલી ઔષધિના બળે એ જલદી સાજો થઈ ગયો. એના ઘા પુરાઈ ગયા ને ફરીથી એની નસોનું લોહી થનગનાટ કરવા લાગ્યું.
રોહિણેય અને એના દાદાના સ્વભાવ વચ્ચે એક જ મોટો ભેદ હતો. એના દાદાની વીરતા અવિચારી, ક્રૂર હતી. રોહિણેય વિચારશીલ હતો. એ દરેક બાબતના સારાસારાનો તાગ લઈ શકતો. એનો દાદો જ્યાંથી પાછો પડતો ત્યાં જ ફરી પાછો ઝનૂનપૂર્વક સામે ધસતો, ને કાં મારીને કાં મરીને જ નિરાંત લેતો.
વીર ને વિચારશીલ રોહિણેય આ બાબતમાં જુદો પડતો.
રાજ ગૃહીની એની પ્રચંડ લૂંટ દ્રવ્યની તો રેલમછેલ થઈ ગઈ હતી. એણે સાથીદારોને ધરવી દીધા હતા, અને સહુ આ લૂંટને જીવનસાફલ્ય લેખતા હતા. કેવળ રોહિણેય જ આ પ્રયાસને નિષ્ફળ પ્રયાસ લેખી ઘણી વાર દુઃખ જાહેર કરતો.
આટઆટલી માહિતીઓ, આટઆટલાં વેશપરિધાનો, આટઆટલી જહેમત લીધી પણ ધાર્યું ન થયું. મારે કંઈ લક્ષ્મીની ભૂખ નહોતી. મગધરાજના સિંહાસન પર બે દહાડા પર રોહિણેયની છત્રછાયા ઢોળાત, મારા નામની નેકી પોકારાત તો કેવી નામના થાત ! મારા નામની મુદ્રાઓ, મારા નામની આજ્ઞાઓ, મારા નામનો જયજયકાર !”
“કેવી બાલિશ કલ્પના !” વયોવૃદ્ધ ને અનુભવી સાથીદારો હસી પડતા.
રોહિણેય છંછેડાઈને કહેતો : “કલ્પના નથી, દાદાની ભાવનની પરિપૂર્તિ છે. મગધના કયા સૈનિકોથી તમે ઓછા ધનુર્ધરો છો ? કયા વીરથી તમે ઓછા પરાક્રમી છો ? શા માટે તમે લૂંટારા અને તેઓ કીર્તિવાન સૈનિકો ? બંનેનું પોષણ એક જ સ્થળેથી થાય છે. તેઓ પણ કાયદાના જોરે પ્રજાને લૂંટે છે. આપણે પણ પ્રજા પાસેથી બાવડાના બળે મેળવીએ છીએ. પછી શા માટે તમે હીન ? તમે નીચા ? બ્રાહ્મણો ને ક્ષત્રિયો કેમ મોટા ?”
- રોહિણેયના શબ્દોમાં અમોઘ બળ હતું. શેખી કરતા બધા સાથીદારોના દિલમાં એકાએક સ્વાભિમાન ઊગી આવ્યું. એમનાં મસ્તકો મગરૂરીમાં ટટ્ટર બની રહ્યાં.
- “મારે તો ભવોભવનાં હિણાયેલાઓનું રાજ માંડવું હતું, આજે તમારા કાજે દિવસની બાદશાહી મેળવત તો કાલે મારે કોઈ સમોવડિયો એથી અદકું પરાક્રમ કરી બતાવત. જેનો પડછાયો લેવામાં પાપ લેખાય છે, એવો મારો જ કોઈ ભાઈ એમના સિંહાસન પર બેસીને હકૂમત ચલાવત, પણ નસીબે સાથ ન પૂર્યો !”
હજી ક્યાં જિંદગી વીતી ગઈ છે ?''
“પણ આવેલી પળ વીતી ગઈને ! છતાં એમ ન માનશો કે હું નિરાશ બની બેઠો છું. દાદાની આખરી ઇચ્છા પૂરી કરીને જ જંપ વાળીશ.”
બહાદુર રોહિણેયના છેલ્લા શબ્દો હજી મુખમાં જ હતા, ત્યાં એક મોટો કૂતરો ભયંકર ચિત્કાર કરતો ધસી આવ્યો. એ રોહિણેયનો વફાદાર ચોકીદાર ‘ખેડેગ' હતો.
“ખડગને કોણે ઘાયલ કર્યો ?” રોહિણેય એકદમ ઊભો થઈ ગયો. એનો અવાજ ભયંકર બન્યો હતો.
પણ હજી એ વિશે વધુ માહિતી મળે ત્યાં તો એક પલ્લીવાસી દોડતો ધસી આવ્યો. એનાં અંગેઅંગ ચાળણીની જેમ તીરોથી વીંધાઈ ગયાં હતાં.
“મહારાજ , નાસો ! પલ્લી ધેરાઈ ગઈ છે.” અને તરત જ એ વફાદાર સેવક ધરણી પર ઢળી પડ્યો. એનું પ્રાણપંખી ઊડી ગયું.
“અરે, આ તો ગંગાતટનો આપણો સેવક કંચન ! જે પલ્લીની સામે આંગળી ઊંચી કરવાનું સાહસ ભલભલા મહારથીઓ ન સેવે એના પર હલ્લો ! અશક્ય ! અસંભવ !**
અસંભવ કરે તેવા મહાઅતાત્ય અભયનું આ કામ છે. એણે આપને જીવતા પકડી મગધના સિંહાસન સમક્ષ રજૂ કરવાની પ્રતિજ્ઞા કરી છે.” દોડી આવેલા બીજા પલ્લીવાસીઓએ વાત કરી.
હાથતાળી B 109
Page #64
--------------------------------------------------------------------------
________________
મને-રોહિણેયને પકડવાની હામ ?” વજદેહી રોહિણેયે પ્રચંડ હાક મારી, અને જાનવરના જેવો અવાજ કર્યો. દિશાઓએ એ બોલ ઝીલી લીધો ને પડઘો પાડયો.
પણ આજે આ શું બન્યું ? જે અવાજના અનુસંધાનમાં અનેક અવાજો પુનરાવર્તન પામતા અને ક્ષણવારમાં વીર સાથીદારોથી પલ્લી ઊભરાઈ ઊઠતી, ત્યાં આજે બધું ચૂપચાપ કેમ ? ફરીથી એણે અવાજો કર્યા છતાંય એ જ નિસ્તબ્ધતા !
મદમસ્ત હાથી પાગલ બનીને ધ્રુજી ઊઠે એમ રોહિણેય ધ્રુજ્યો. એણે મોટી પરશુ હાથમાં લઈને ચારે તરફ ઘુમાવી. હવામાં પણ એક મોટો ઝળઝળાટ પેદા થયો. એ દોડીને એક વૃક્ષ પર ચડી ગયો. દૂર દૂર નજર નાખી જોઈ, પણ એણે કંઈ ન નીરખ્યું.
“મારા વીર સાથીદારો ! અજબ રીતે પલ્લી ઘેરવામાં આવી છે. જે પલ્લીને છંછેડતાં મહાન રાજાનાં સૈન્યો ધ્રુજે, જે પલ્લીના ઇતિહાસમાં દુશ્મનના પડછાયા નથી આલેખાયા એ જ પલ્લી આજે મંત્રભરી રીતે ઘેરાઈ ગઈ છે. આજે સામાન્ય દુશ્મનનો સામનો કરવાનો નથી. કોઈ ચતુર સાથે કામ પડ્યું છે.
ચતુર સાથે ચતુરાઈથી જ કામ લઈશું.” પાસે ઊભેલા સાથીદારે કહ્યું. - “આપણા સાથીઓ કાં તો પકડાઈ ગયા છે, કાં મૃત્યુ પામ્યા છે. આપણા માથે જ પલ્લીના રક્ષણનો ભાર છે. બહાદુરો, તૈયાર છો ને ?”
પલ્લીપતિ મહારાજ રોહિણેય માટે મૃત્યુ સાથે પણ લડવા તૈયાર છીએ.'' હાજર હતા તે બધાઓએ જયગર્જના કરી.
કેયૂર, જે રોહિણેયનો અવિભક્ત મિત્ર હતો, એણે એક ઝાડની ટોચ પર ચઢી દૂર દૂર જોતાં કહ્યું : “હા, હા, હવે કંઈ કંઈ દેખાય છે. તીડના ટોળાની જેમ ઊડતું સૈન્ય આવી રહ્યું છે. સાવધાન !”
“સાવધાન, પલ્લીપતિ ! આજે અજબ રીતે આપણે ઘેરાયા છીએ. આટલા લકર સામે આપણે નહીં ટકી શકીએ. તમારો ઉષ્ણીય મને આપો, તમે નાસી છૂટો !''
“હું નાસી છૂટું ?” રોહિણેય શબ્દોને કટકા કરીને આવ્યા.
હા, હા, નહિ તો આજે આ પલ્લીની અહીં સમાપ્તિ થશે. આપણી શુદ્રોના કલ્યાણ રાજની ભવ્ય કલ્પનાઓ ધૂળમાં મળશે.”
વફાદાર સાથીદાર કેયૂરે વધુ સવાલ-જવાબમાં ન પડતાં રોહિણેયના માથાનો કીમતી ઉષ્ણીષ લઈ છાતી પરનો હીરાજડિત પટ્ટો પણ ખેંચી લીધો.
“સૈન્યની પહેલાં સૈન્યનાયકે મરવું ઘટે ! મરશું તો બધા સાથે જ ! આજે હાથે હાથ અજમાવી લેવાની ઇચ્છા થઈ છે. મગધનો એ અમાત્ય મારા ઘા પણ જોતો જાય.”
110 D સંસારસેતુ
વિવેકને વિસારે ન પાડો. તમે આગળ વધશો તો તીડનાં ટોળાંની જેમ ઊમટી આવતાં આ દળો તમને કાં તો કેદ કરી લેશે કે કાં તો તમારા પ્રાણને હાનિ પહોંચાડશે. બંને રીતે પલ્લીવાસીઓ અનાથ બનશે. અને દાદાનું મહાન સ્વપ્ન ધૂળમાં મળશે.” અનુભવી સાથીદાર કેયૂરે કંઈક માયાભર્યા અવાજે કહ્યું.
બળ સામે બળ ને કળ સામે કળ, એમ તમારું કહેવું છે ને ?” રોહિણેયે ચારે તરફ નજર ઘુમાવતાં કહ્યું. “વારુ, વારુ, મગધના મહાઅમાત્યને મારા બળનો તો પરચો મળ્યો છે. હવે જરા કળનો પરિચય પણ આપી દઉં. ભલે, એના સૈનિકો ખાલી હાથે મગધમાં જઈને આપણી ચતુરાઈની પણ વાતો કરે !”
એક જ ક્ષણ ને રોહિણેય પાસેની ગુફામાં સરી ગયો. આખી પલ્લીને ઘેરવા ધસતાં સૈનિકદળો હવે નજીક આવ્યાં હતાં. સેનાનાયકના દિલમાં અનેરો ઉત્સાહ હતો, આખી પલ્લીને ઉજ્જડ કરી મૂકી હતી. કેટલાયને ભગાડી મૂક્યા હતા. સોમાં થયેલા ઘણાને યમશરણ પહોંચાડ્યો હતો, ને તાબે થયા તેને મુશ્કેટોટ બાંધી નિઃસ બનાવ્યા હતા.
આજે તો મગધની સેના અને મગધનો સેનાપતિ જીવનમરણનો સોદો કરીને ધસતાં હતાં. કારણ કે સૈન્યપતિ મહાઅમાત્ય અભયે મગધની કીર્તિ સામે બાથ ભીડનાર રોહિણેયને પકડવાની પ્રજા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાને ઘણા ઘણા દિવસો વીતી ચૂક્યા હતા; અનેક યુક્તિ-પ્રયુક્તિઓ; ઘણી ઘણી ચતુરાઈઓ અને ચાલાકીના બળે આજે આટલું સાહસ ખેડી શકાયું હતું.
ઘેરી લો તમામ પલ્લીવાસીઓને !” સેનાનાયક મહાઅમાત્ય અભયે પ્રચંડ અવાજે કહ્યું. સૈનિકો વેગથી ધસ્યા, પણ એમ પલ્લીવાસીઓ નમતું તોળે એવા નહોતા. તેઓએ ક્ષણમાત્રમાં પોતાના ગણ્યાગાંઠ્યા યોદ્ધાઓને બૃહમાં ગોઠવી દીધા ને ભયંકર તીરોના ટંકારથી જવાબ આપ્યો.
એક તરફ સંપૂર્ણ રીતે સુસજ્જ ને વિજય પર વિજય કરતા આવતા સૈનિકો ને બીજી તરફ હાથે આવ્યાં તે શસ્ત્રો સજીને મેદાને પડેલા થોડાએક પલ્લીવાસીઓ હતા, નાનું એવું યુદ્ધ પણ મર્દાનગીની કસોટી કરે તેવું બન્યું.
બરાબર યુદ્ધ જાગ્યું હતું. ત્યાં અચાનક ગિરિકંદરાઓમાંથી હુકાર કરતું એક જંગલી જાનવર નીકળી આવ્યું. ભયંકર વનપશુ ! પગની મોટી ખરીઓ અને મસ્તકનાં ભારે શીંગડાંથી પૃથ્વીને ખોદતું, ધૂળ ઉડાડતું ને એક વાવંટોળ જગાવતું. એ પશુ ક્ષણવારમાં યુદ્ધનું મેદાન વટાવીને બહાર નીકળી ગયું.
યોદ્ધાઓનાં શસ્ત્રો ક્ષણવાર થંભી ગયાં ને નિમિષમાં અદૃશ્ય થયેલા એ પશુ તરફ આશ્ચર્યની નજર નાખી પુનઃ યુદ્ધ શરૂ કર્યું. પલ્લીવાસીઓ જેવા તેવા વીર નહોતા. તેઓ પ્રાણના ભોગે પણ શસ્ત્રો નીચાં ન મૂકતાં પણ તેઓનું ધારેલું કાર્ય
હાથતાળી | Ill
Page #65
--------------------------------------------------------------------------
________________
પૂર્ણ થયું હતું. હીરાજડિત પટ્ટો ને કીમતી ઉપણીષ પહેરેલો પલ્લીવાસી એકદમ આગળ ધસી આવ્યો. એણે શસ્ત્રો નીચે નાખી દીધાં, ને બંને હાથ ઊંચા કરી શરણાગતિ યાચી.
બહાદુરો, પકડો એ લૂંટારાને, અને તમામ લૂંટારાઓનાં શસ્ત્રો કબજે કરી લો !”
મર્દાનગીનાં પાણી માપી લે એવા યુદ્ધનો આવો સુખદ અંત જોઈ મગધના સૈનિકો એકદમ ઉત્સાહમાં આવી ગયા. તેઓએ દોડીને હીરાજડિત પટ્ટાને ઉષ્ણીષવાળા નાયકને પકડી લીધો. પલ્લીવાસી યોદ્ધાઓએ તજેલાં તમામ શસ્ત્રો કબજે કરી લીધાં ને મહારાજ મગધરાજ ને મહાઅમાત્ય અભયનો જયજયકાર બોલાવ્યો.
તરત પાટનગર તરફ વિજયી કૂચ શરૂ થઈ.
સૈનિકો ઉત્સાહમાં હતા. બંદીવાનો પણ આનંદમાં હતા. પણ બંનેની ગતિમાં ભેદ હતો. સૈનિકો બને તેટલી ઝડપથી આ ભયંકર પલ્લી વટાવી જવા ઇચ્છતા હતા; ને બંદીવાનો જાણે પોતાની પ્યારી ભૂમિ છોડવાની ઇચ્છા ન હોય એમ મહામહેનતે ઢસડાતા ઢસડાતા ચાલતા હતા. તમામ બંદીવાનોની આંખો વારે વારે એક જ દિશામાં ખેંચાતી હતી અને તે પણ પેલું ભયંકર જાનવર ગયું તે દિશામાં.
આમ ને આમ થોડો પંથ કપાયો ત્યાં દૂર દૂર આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાવા લાગ્યા. આકાશ કાળું બની રહ્યું. આ જોઈને તમામ પલ્લીવાસી બંદીવાનો ગેલમાં આવી ગયા ને જોરજોરથી ઘોષણા કરવા લાગ્યા. - “જય હો મહારાજ રોહિણેયનો !"
તમામ સૈનિકો આ બૂમથી ચમકી ઊઠ્યા. તેઓએ બંદીવાનોને બાંધેલા પાશ ને દોરડાં ફરીથી કસીને બાંધી લીધાં. રખેને આ રીતે તોફાન મચાવી બંદીવાનો નાસી છૂટે. મહાઅમાત્ય અભયે સાથે ચાલતા સૈન્યને ચાર ભાગમાં વિભક્ત કરી નાખ્યું. આ યોજનથી સૈનિકોની જીવતી ચાર દીવાલ રચાઈ ગઈ, પણ આશ્ચર્યની વાત એ હતી કે બધા કરતાં પેલો કીમતી ઉષ્ણીષ ને હીરાજડિત પટ્ટાવાળો જોરજોરથી બૂમો પાડતો હતો.
“મહારાજ રોહિણેયની જય !”
“વાહ, વાહ રે, મહારાજ રોહિણેય ! તમારો જયજયકાર ઉચ્ચારનાર બીજા કોઈ ન રહ્યા તે હવે તમે સ્વમુખે જયજયકાર કરી રહ્યા છો ?” મહાઅમાત્ય અભયે વિજયની ખુમારીમાં મૂછે તાવ દેતાં કહ્યું :
“મૂંઝાશો મા, મહારાજ રોહિણેય, મગધની શેરીએ તમારા જયજયકારની વ્યવસ્થા યોજી છે. આવા વેશમાં ખૂબ રૂપાળા લાગશો, હો ! બંદીવાનનો દોરદમામ શોભે છે ખરો, હો મહારાજ રોહિણેય !” મહાઅમાત્ય “મહારાજ રોહિણેય’ના સંબોધનને બેવડાવ્યું.
12 D સંસારસેતુ
ક્યાં છે મહારાજ રોહિોય ? મગધના મહામંત્રી, શું તમે મારું સ્વાગત મહારાજ રોહિણેય તરીકે કરો છો ? વાહ, વાહ !” અને તે પલ્લીવાસી ખડખડાટ હસી પડ્યો.
“તારી લુચ્ચાઈ જાણું છું, ચાલાક લૂંટારા ! મગધના મહામંત્રીને બનાવવો સહેલું નથી. એ બહાને તારે છટકી જવું છે ?" મહાઅમાત્યે શાંતિથી જવાબ વાળ્યો.
ના, ના, મહામંત્રી ! છટકવાની લેશમાત્ર મારી ઇચ્છા નથી. મગધનો ન્યાય જે શિક્ષા કરે, અને તે ગમે તેવી ક્રૂર હોય તોપણ તેમાંથી છૂટવા હું ઇચ્છતો નથી. મહારાજ રોહિણેય અમર તપો. એ છૂટયા એટલે અમારાં હજાર જીવન-મૃત્યુ કુરબાન છે !”
“શું તું રોહિણેય નથી ?" “ના, હું તો એનો દાસાનુદાસ ચંદન છું.” શી ખાતરી ?"
ખાતરી ? ખાતરી મારા દેદાર ! બુદ્ધિનિધાન મહામંત્રી, શું તમે એમ કહ્યો છો કે મારા જેવા જ રૂપગુણવાળા મહારાજ રોહિણીય હશે ?” બંદીવાને જરા હસીને કહ્યું. જાણે એને સામે ઊભેલા મગધના પ્રચંડ પુરુષાર્થી મહાઅમાત્યની કોઈ પરવા જ ન હતી. એનું રોમેરોમ મહારાજ રોહિણેય સલામત સ્થળે પહોંચી ગયાના આનંદમાં નાચી રહ્યું હતું.
‘ત્યારે ક્યાં છે તારો રોહિણેય ?"
મહારાજ રોહિણેય ક્યાં છે એમ પૂછો છો ને મહામંત્રી ?”
તોછડા નામને સુધારતો હોય એમ પલ્લીવાસી બોલ્યો : “હવે ભેદ કહેવામાં વિન નથી. મગધના સમર્થ મંત્રીરાજ , જુઓ, પણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ચડી રહ્યા ને ! દેખાય છે !”
“હા, હા ! શું મુલક આખાનો ચોર ત્યાં છુપાયો છે ?' મહામત્રીએ અધીરાઈમાં વચ્ચે પ્રશ્ન કર્યો.
ના, ના, ત્યાં નથી છુપાયો. બાકી ચોર તો આપણે સહુ છીએ. તમે કરો એ લીલા, અમે કરીએ એ ચોરી !” ફરીથી શિક્ષકની અદાથી મહામંત્રીની તોછડી ભાષાને એણે સુધારી : “એ તો સલામતીની નિશાની માત્ર છે. એ ધુમાડાના ગોટેગોટા એમ કહી રહ્યા છે કે યમરાજને પણ શોધવું દુર્લભ બને એવા સ્થળે એ પહોંચી ગયા !”
“હું ગમે ત્યાંથી પકડી પાડીશ.” મંત્રીરાજ, પેલા ઊંચે ઊંચે આકાશમાં ચડતા ધુમાડાના ગોટાઓને પકડી
હાથતાળી | Il3
Page #66
--------------------------------------------------------------------------
________________
પાડી શકશો ? જો એ કરી શકશો તો જ તમે મહારાજને પકડી શકશો !”
“મહારાજ ?” પલ્લીવાસીના મહારાજ શબ્દને મહાઅમાત્યે તુચ્છકારપૂર્વક ઉચ્ચાર્યો : “મહારાજ ! વાહ રે મહારાજ ! કાયરની જેમ ભાગી છૂટ્યો તમારો નામર્દ મહારાજ !"
“મંત્રીરાજ, મુકાબલો થાય ત્યારે જ ખબર પડે કે કોણ નામર્દ ને કોણ વીર ? આજે મહારાજ રોહિણેય જગતમાં મગધના કહેવાતા બુદ્ધિનિધાન મહામંત્રીની બુદ્ધિની ફજેતી કરવા જ નજર સામેથી નાસી છૂટ્યા છે. મગધની ભરબજારો વચ્ચેથી જ્યારે આપણે નીકળીશું, અને મગધની પ્રજા કે જેણે મહારાજ રોહિણેયને આંખ ભરી ભરીને નીરખ્યા છે : એ જોશે કે આ તો રોહિણેય નહિ, પણ એના દાસાનુદાસ ચંદનને રોહિણેય સમજીને મહામંત્રી પકડી લાવ્યા છે, ત્યારે તમારી ધીરતા, વીરતા ને બુદ્ધિમત્તાની કેવી હાંસી થશે ? એ વખતે બુદ્ધિનિધાન મંત્રીની હોશિયારી પર કેવા વ્યંગબાણો ઝરશે ? મહામંત્રી પ્રજા એ વખતે કોને ધન્ય ધન્ય કહેશે ? એ વખતે અંતરમાં કોની બુદ્ધિની વાહવાહ પોકારશે ? કુશળ માછીમારની જાળમાં મગરમત્સ્યને બદલે એક નાનું મત્સ્ય સપડાયેલું જોઈ લોકો શું શું કહેશે ? ચાલો, જલદી પગ ઉપાડો ! મગધની શેરીએ શેરી અમારા જયજયકાર માટે રાહ જોતી ઊભી હશે."
આ શબ્દો નહોતા, એકેક ભાલાનો ઘા હતો. અને જો આ વાચાળ લૂંટારાની
વાતો સાચી હોય તો બદનામીનો ક્યાં આરો ઓવારો રહેવાનો હતો ! મહામંત્રીએ તરત કુમાર મેતાર્ય અને માતંગને સાચા રોહિણેયને પરખવા માટે તેડું મોકલ્યું.
મગધમાં પવનવેગે મહાઅમાત્યની યશગાથાઓ પહોંચી ગઈ હતી. અજેય એવા રોહિણેય વશ કરીને જીવતો પકડી લાવનાર મહાઅમાત્યના સ્વાગતની તૈયારીઓ પણ ચાલી રહી હતી. એવામાં કુમાર મેતાર્ય અને માતંગના તેડાના સમાચારે એક નવી જ હવા જ પ્રસરાવી. પ્રજા અનેક જાતના તર્કવિતર્ક કરતી રાહ જોવા લાગી.
મહાઅમાત્ય અભયે સૈન્ય સાથે ગંગાતટે પડાવ નાખ્યો હતો. પલ્લીવાસીઓ અત્યંત ગેલમાં હતા. સૈનિકો આ નવી જાતની શંકાથી વ્યગ્ર બની રહ્યા હતા, ને તેઓનો પુરુષાર્થ આમ એળે જાય એ તેમને રુચતું નહોતું. સહુ કાગના ડોળે મેતાર્ય ને માતંગની રાહ જોતા હતા.
માતંગ તો રોહિણેયનાં સ્વજનોમાંનો એક હતો. એણે બાળપણથી એને નિહાળ્યો હતો. મેતાર્યને પણ રાજગૃહીની લૂંટમાં એનો પૂરતો પરિચય થયો હતો. મેતાર્ય અને માતંગ બંને ટૂંક સમયમાં અશ્વો ખેલાવતા છાવણીમાં આવી પહોંચ્યા. તેઓના આવતાંની સાથે જ મહામંત્રીએ વેશધારી રોહિણેયને સામે ઉપસ્થિત કર્યો. 114 D સંસારસેતુ
મેતાર્યે શાંતિથી નજર નાખી ધીરેથી મસ્તક હલાવી ઇનકાર ભણ્યો, પણ માતંગ તો ખડખડાટ હસી પડ્યો.
“અરે, આ તો રોહિણેયનો વફાદાર સાથી કેયૂર !"
“કેયૂરે મને છેતર્યો ? દગો ! એને કૂતરાને મોતે મરવું પડશે.” છોભીલા પડેલા મહાઅમાત્યનો ક્રોધભર્યો અવાજ ગર્જ્યો. ભલભલાને ગભરાવી મૂકે એવો આ પડકાર હતો, પણ જાણે કેયૂર પણ કશી જ અસર નહોતી.
“મંત્રીરાજ, મહારાજ રોહિણેયની સલામતી માટે ગમે તેવા ક્રૂર મોતથી પણ કેયૂર ડરતો નથી. અને વળી વિચાર તો કરો કે જ્યારે મેં મહારાજ રોહિણેયનો આ ઉષ્ણીય પહેર્યો, ત્યારે હું કંઈ મોજ માણવા મેદાને પડતો નથી : પણ એક મગધના સમર્થ વીર સામે બાકરી બાંધું છું, એનું મને પૂરેપૂરું ભાન નહિ હોય ? શસ્ત્રોથી ન ડરનાર શબ્દોથી ડરશે, એમ માનો છો મંત્રીરાજ !” કેયૂર પૂર્ણ સ્વસ્થતાથી બોલતો હતો.
“તારે રોહિણેયનો પત્તો આપવો પડશે."
“મારા રાઈ રાઈ જેવડા કટકા કરો તોપણ નહિ ! સૂર્યને પશ્ચિમમાં ઉગાડી શકો તોપણ નહિ !” કેયૂરે છાતી ફુલાવતાં ને એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું, અને સાથે ઉમેર્યું : “હું તો શું, પણ મારા આ સામાન્ય પલ્લીવાસીઓ પાસેથી પણ એવી વ્યર્થ આશા સેવશો નહિ ! મૂર્ખ તો ઠર્યા છો, મૂર્ખશિરોમણિ બનવા પ્રયત્ન ન કરશો."
“મંત્રીરાજ, આવા નરને તો મગધમાં કોઈ સેનાપતિનો હોદ્દો શોભે ! કેવી વીરત્વભરી વફાદારી !” કુમાર મેતાર્યથી ન રહેવાયું. તે વચ્ચે બોલી ઊઠ્યો. “પછી મારી પ્રતિજ્ઞાનું શું ?" મહામાત્ય અભયે કંઈક ખેદપૂર્વક વચ્ચે પડેલા મેતાર્યને પ્રશ્ન કર્યો.
“પ્રતિજ્ઞા પૂરી કરી શકો છો, અને તે પણ કેવળ લૂંટારાઓને પકડીને, જેર કરીને કે મારીને નહિ, પણ તેમને મગધના શક્તિસ્તંભ બનાવીને ! બુદ્ધિનિધાન, આપ કાં ભૂલો છો ? આ પણ પ્રતિજ્ઞાની પ્રથમ પાદપૂર્તિ છે. અજેય એવી પલ્લી આપે નષ્ટભષ્ટ કરી, કેયૂર જેવા વીર ને વિચક્ષણ સાથીદારોને આપે કેદ કર્યા; હવે બાકી રહ્યો કેવલ રોહિણેય ! એ આપના પરાક્રમ સામે કેટલે સુધી બચશે ? મારું તો કહેવું માત્ર એટલું જ છે કે, આ શક્તિના સ્ફુલિંગોને સારે રસ્તે વાળો, એમની બોલવાની છટા, ચાલવાની છટા, લડવાની છટા શું સામાન્ય છે ? મંત્રીરાજ, રોહિણેયનો દાદો કેવલ લૂંટારો નહોતો. એ તો મહાન સુધારાઓની આશા સેવનાર વીરનર હતો.”
મેતાર્યનાં ચતુરાઈથી ભરેલાં વાક્યોએ દુભાયેલા દિલ પર શાંતિના જળનો છંટકાવ કર્યો. આ પ્રસંગથી પોતાની જાતની થયેલી અવમાનનાનો ક્રોધ દૂર થઈ
હાથતાળી – 115
Page #67
--------------------------------------------------------------------------
________________
ગયો, ક્ષણવારમાં એમનું મન પણ આલોચના કરવા લાગ્યું કે મારા અને કયૂરમાં કયો તત્ત્વની ખામી છે, કે જેથી લૂંટારો કહેવાય ને હું મહામંત્રી કહેવાઉં ?
મહાઅમાત્ય થોડી વાર ઊંડા વિચારમાં ઉતરી ગયા. બીજી ક્ષણે તેમણે હુકમ કર્યો :
વારુ, સંદેશવાહ કોને કહો કે મગધરાજને ખબર આપે કે રોહિણેય સિવાય બધા લૂંટારાઓ પકડાયા છે, ને બાકી રહેલા એ લૂંટારાને પકડવા મહામંત્રી સ્વયં પોતાના થોડાએક સાથીદારો સાથે આગળ વધ્યા છે.”
સંદેશવાહકો મારતે ઘોડે રાજ ગૃહી તરફ ગયો.
મગધરાજે આ સમાચાર સાંભળી ધન્યતાના શબ્દો ઉચ્ચાર્યા. પ્રજાને પણ પોતાના મહાઅમાત્યની શક્તિ વિશે માન ઊપસ્યું. મગધની સેના કુમાર મેતાર્ય ને માતંગની સાથે લૂંટારાઓને લઈ રાજગૃહીમાં પ્રવેશી.
15
જ્ઞાતપુત્રને ચરણે
પારિજાતકના છોડને ગમે ત્યાંથી ઉપાડી લાવીને વાવો : એ ઊગશે ને ખીલશે ત્યારે તો ગમે તેવો પ્રદેશ ને ગમે તેવું વાતાવરણ હશે, તોપણ એની એ જ સુગંધ વહાવશે. વાતાવરણને મુદિત કરશે ને સશક્ત ધ્રાણેન્દ્રિવાળાની આપોઆપ પ્રશંસા પામી ઊઠશે.
પરમયૌવનના – મહારાજ ચેટકની પુત્રી રાણી ચેલ્લણા માટે પણ એવું જ બન્યું. આર્યાવર્તના એ પરમ સંસ્કારી રાજવીની પુત્રીનું હરણ કર્યું, એ વેળા મગધનાં ઘણાં માનવીઓને લાગ્યું હતું કે ઠીક થયું, રાજા ચેટકની સંસ્કાર-બડોશને ભલી ઠોકર વાગી. પણ એ લાગણી વિશેષ વખત ન જીવી શકી.
રાણી ચેલ્લણાની સુવાસ આપોઆપ અંતઃપુરને મુદિત કરી ઘેરી વળી. ધીરે ધીરે એ સુવાસ અંતઃપુરમાંથી બહાર નીકળી, ને રાજસભા, કર્મચારીઓ ને આમ પ્રજા સુધી પહોંચી. મંત્રીરાજ અભયકુમાર ને અભયકુમારની માતા સુનંદાએ આ પ્રવૃત્તિના વેગમાં સુંદર સહાય કરી.
મગધના વયોવૃદ્ધ નાગરથિક મહાશયનો આશીર્વાદ સાચો પડતો લાગ્યો. બત્રીસ બત્રીસ પુત્રોનાં મૃત્યુને કર્માધીન સ્થિતિ લખી સંતોષ માનનાર શાણી સુલતાને હૈયે પણ રાણી ચેલણાના આ સંસ્કારપરિમલથી પુત્ર-બલિદાનની સફળતાનો ઉલ્લાસ વ્યાપતો ચાલ્યો, સમસ્ત મગધના અંતર-સંસ્કારમાં રાણી ચેલ્લણા જે વી એક સુકોમલ સુંદરી અજાણી રીતે નવી ભાત પૂરી રહી.
આ નવી ભાતમાં અવનવા રંગોની પુરવણી કુમાર મેતાર્યો કરી. એના પુણ્યપ્રવાસમાં સંસ્મરણોએ અનુકુળ વાતાવરણની હવા સર્જી. આ સર્વની સ્થાયી અસર મગધરાજ પર ધીરે ધીરે કાબૂ લેવા માંડી. રાત ને દહાડો બૌદ્ધ સાધુઓના
116 D સંસારસેતુ
Page #68
--------------------------------------------------------------------------
________________
સંસર્ગમાં રહેનાર રાજવીને જૈન શ્રમણોનો પરિચય પ્રિય લાગવા માંડ્યો. એમના સારા ને સરળ ઉપદેશો, આત્યંતિક ત્યાગ ને સર્વથા દેહોત્સર્ગની વાતો પાસે બૌદ્ધધર્મનો* મધ્યમ માર્ગ મોક્ષપ્રાપ્તિની કંઈક પ્રાથમિક ભૂમિકા જેવો ભાસ્યો. આ ધર્મરંગ વધતો ગયો ને એના ગાઢ પાસ મગધરાજ પર બેસતા ગયા.
જ્ઞાતપુત્રનાં વખાણ તો દિનદહાડે સંભળાતાં હતાં, તેવામાં રાણી ચેલ્લણા સાથે વનવિહાર કરવા નીકળેલ રાજાને અનાથી નામના મુનિ સાથે પરિચય થયો.
અનાથી મુનિ પૂર્વે એક રાજ કુમાર હતા, પણ પોતાના શરીરમાં પ્રગટ થયેલ દાહજ્વરની કોઈ પણ શાન્તિ ન કરી શકવાથી, તેઓએ નિર્ણય કર્યો કે જો આ રોગની શાન્તિ થાય તો હું સંસારત્યાગ કરીશ. આ નિર્ણયથી રાજ કુમારનો દાહજ્વર શાન્ત થયો. સગાસ્નેહીઓના અનેક આગ્રહ ને વિનવણી છતાં સંસારનું દુ:ખદ સ્વરૂપ સજા થવાથી રાજ કુમારે દીક્ષા લઈ લીધી. અને ભર્યાભાદર્યા જ ગત વચ્ચે પણ માનવી અનાથ છે, એમ દર્શાવવા પોતે અનાથી નામ ધારણ કર્યું. આ સંસ્કારી યુવાન જ્યારે સંસારની અસારતાનું ચિત્ર દોરતો ત્યારે ગમે તેવાનું દિલ પીગળી જતું.
સુકોમળ કુમારને સંસાર છોડીને કષ્ટ સહન કરતા જોઈ મહારાજ શ્રેણિકે તેમના વિશે પૃચ્છા કરી. અનાથી મુનિએ સંસારની અનાથતાનું અપૂર્વ હૃદયંગમ ચિત્ર દોર્યું. મગધરાજને આ શબ્દોએ ખૂબ જ અસર કરી. તેઓ વૈરાગ્યમાન શ્રમણોના પૂજારી બન્યા.
વાત આટલેથી ન અટકી. એક દહાડો મગધરાજે સ્વયં પ્રભુ મહાવીર સમય જઈ શિષ્યત્વ સ્વીકાર્યું, એમનાં તત્ત્વોને આવકાર્યા ને સમ્યક્ શ્રદ્ધાથી વંદન કર્યું. અમારિ પડહની યોજના કરી, હિંસક યજ્ઞો રાજ અજ્ઞાનથી બંધ હતા, તે વિશેષ રીતે બંધ કરાવ્યા.
પણ આ બનાવે આખા મગધ પર અને સમસ્ત આર્યાવર્ત પર તોફાનના એક પ્રચંડ હાકોથી પૃથ્વીનો ખૂણખૂણો ખળભળી ઊઠ્યો, દશે દિશાઓ ગાજવા લાગી :
હદ થઈ, આ ધર્મલોપકોની ! શૂદ્રોને ફટવ્યા, સ્ત્રીઓને માથે ચડાવી, વેદવિહિત યજ્ઞોને નામશેષ કર્યા, ને હવે શું આ પાંખડીઓ ઊંચનીચને એક આરે બેસાડી પૃથ્વીને પાપના ભારથી લાદી દેશે ? વૈદિકો, જ્યાં હો ત્યાંથી એક વાર બહાર પડો ! “ધર્મો રક્ષતિ રક્ષિતઃ' ધર્મની રક્ષાનો આ પ્રસંગ છે. શાસ્ત્રવચન છે કે જે ધર્મની રક્ષા કરે છે, તેની ધર્મ રક્ષા કરે છે, ધર્મ આજે શ્રમણોએ ભયમાં મૂક્યો છે, માટે પ્રાણાર્પણથી પણ ધર્મની રક્ષા માટે કટિબદ્ધ બનો ! આ પાંખડીઓની
પ્રબલ જાળમાં રાજા-મહારાજાઓ પણ ફસાતા જાય છે. કાશી ને કોશલના રાજાઓ એની મોહાનીમાં આવી ગયા છે. વીતભયપટ્ટન ને કૌશાંબીના રાજા એ જાદુગરની જ આંખે નિહાળે છે. પોતનપુરના પ્રસન્નચંદ્ર ને હસ્તશીર્ષના અદીનશત્રુ પોતાની ધર્મદીનતા છડેચોક સ્વીકારી રહ્યા છે. ઉજ્જયિનીના ચંડપ્રદ્યોત અને હમગિરિની તળેટીમાં આવેલ પૃષ્ઠચંપાના રાજાએ પણ પોતાની પીઠ બતાવી દીધી છે. નાના નાના અનેક રાજાઓ વેદવિહિત યજ્ઞો કરવામાં નાનમ સેવવા લાગ્યા છે. વૈશાલીના મગરૂર મહારાજ ચેટકે તો એ જ્ઞાતપુત્રનાં પગલાંને પરમેશ્વરનાં પાદચિહ્ન કરીને પૂજ્યાં છે. છેલ્લે છેલ્લે શેષ રહેલ મગધરાજે પણ એક નવયૌવનના રાણીના રૂપમાં અંજાઈ એ જાદુગરની આગળ શિર ઝુકાવ્યું છે.
વેદધર્માનુયાયીઓ, કાન ખોલીને સાંભળી લેજો ! એ ધુતારા જ્ઞાતપુત્રએ હમણાં હમણાં પોતે સર્વજ્ઞ* બનેલ છે, એવી જાહેરાત કરી છે. અને એ રીતે એણે પોતાનું કામ આગળ ધપાવ્યું છે. એણે સુંદર સિંહાસનોમાં બેસીને અનેક જનો સામે સર્વજ્ઞભાવના અહંકારથી પ્રથમ દેશના-પ્રથમ ઉપદેશ આપ્યો છે. પણ શ્રોત્રિયો ! જાણીને ખુશ થશો કે સત્ય કદી છુપાયું છૂપાતું નથી. એના ઉપદેશનો એક પણ માણસે સ્વીકાર કર્યો નથી. એ નિષ્ફળ ગયો છે. વૈદિક ધર્મનો આ મહાન વિજય લેખજો. પણ આવા વિજયોથી ખુશ થવાની જરૂર નથી. પાણી પહેલાં પાળ બાંધો. સંગઠન કરો, સંઘબળ કેળવો ને ફરીથી વૈદિક ધર્મના જયજયકારથી આર્યાવર્તન ગુંજાવી દો !
તમે નિશ્ચયે રાખજો કે આ ધર્મમાં કંઈ સારતત્ત્વ નથી. હેય કે ઉપાદેય જેવું કંઈ છે જ નહિ. અને કદાચિત્ માની લઈએ કે જો એમ હોય તો જ્ઞાતપુત્રનો પ્રથમ શિષ્ય ગોશાળક તેનાથી કેમ દૂર થાત ? જ્ઞાતપુત્રનાં પુત્રી ને જમાઈ એના તત્ત્વજ્ઞાનનાં કેમ વિરોધી બનતા ? માટે તમે કેમ સાવધ રહેજો ! એના ભાષાડંબર પ્રબળ છે, એની યુક્તિઓ સામાન્ય નથી. એની નમ્રતા ને સરળતાનો બાહ્ય રીતે કોઈ જોટો નથી. પણ આ બધા તો વૈદિક ધર્મના નાશ માટેના છદ્મવેશ છે. એ ખંડનાત્મક શબ્દો વાપરતો નથી, આ ધર્મ ખોટો છે, એમ એ કદી કહેતો નથી. એ કહે છે, આ ધર્મ સારો છે. આવી મંડનાત્મક નીતિથી એ ચાલાક પોતાનો પ્રચાર કરે છે. માટે બધા સાવધ રહેજો !?
આ ઘોષણા આર્યાવર્તના એક છેડાથી બીજા છેડા સુધી ભયંકર આંધીની જેમ ક્ષણવારમાં પ્રસરી વળી. રાજકારણની પ્રવૃત્તિની જેમ આ ધર્મકારણની પ્રવૃત્તિએ
* બૌદ્ધ ધર્મ માધ્યમિક માર્ગનો ઉપાસક છે. તે માને છે કે શરીરને અત્યંત કષ્ટ આપી કૃશ ન કરવું અને ખુબ મોજ શોખ કરી ફિટાવવું પણ નહિ. ભગવાન મહાવીરે આત્મત્તિક માર્ગ સ્વીકારેલો : જેમાં ઇંદ્રિયો પર સર્વથા વિજય મેળવવા દેહના અત્યંત દમન પર ભાર ભાર મૂક્યો.
118સંસારસેતુ
* પ્રભુ મહાવીરને દીક્ષા લીધા પછી બાર વર્ષ ને સાડા છ માસ વૈશાખ સુદી ૧૦ મે, ઋજુ વાલિકા નદીના તટ પર કેવલજ્ઞાન-ભૂત, વર્તમાન અને ભવિષ્ય-ત્રણ કાળનું જ્ઞાન થયું. આ પછી તેમણે દેવોને સભામાં આપેલો પ્રથમ ઉપદેશ નિષ્ફળ ગયો હતો. કોઈએ તત્ત્વો સ્વીકાર્યા નહોતાં.
જ્ઞાતપુત્રને ચરણે D 119.
Page #69
--------------------------------------------------------------------------
________________
લોકોનાં મન ચકડોળે ચડાવ્યાં. વૈદિક ધર્મ અને શ્રમણ ધર્મ જાણે હોડે ચડ્યા હોય તેવું વાતાવરણ પ્રસરી રહ્યું. આ સંદેશ ઠેર ઠેર પહોંચી ગયો, ને એક વાર વૈદિકોનો નવીન સંગઠનમાં પ્રાણ પૂર્યો.
સાતપુત્ર અપાપા નગરીની આસપાસ હતા. ને અપાપામાં આવવાની સંભાવના જાણી, આ નગરીના મહાન ધનાઢચ શ્રોત્રિય સોમિલે મહાન યજ્ઞની જાહેરાત કરી અને તમામ વેદધર્માનુયાયીઓને નિમંત્રણ મોકલ્યાં.
આ સાથે એ વેળાના વિખ્યાત અગિયાર દિગ્ગજ વિદ્વાનોને પણ તેડાં મોકલ્યાં. દેશદેશથી એક અવિરત જનપ્રવાહ આપાપા નગરી તરફ વહેતો થયો.
મગધના ગોબર નામના ગામથી સુપ્રસિદ્ધ વસુભૂતિ ગૌતમના વેદવિદ્યાવિશારદ, સકલશાસ્ત્રપારંગત, વાદકલાનિપુણ ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ ને વાયુભૂતિ નામના ત્રણ પુત્રોએ પોતાના અનેક શિષ્યો સાથે આ યજ્ઞમાં ભાગ લેવા પ્રસ્થાન કર્યું.
કેટલાક સંનિવેશના ‘વાદીઘટમુદ્રગર 'ની ઉપમાથી ખ્યાત વ્યક ને સુધર્મા નામના બે પ્રકાર્ડ પંડિતો પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે અપાપા ભણી આવવા રવાના થયા,
મૌર્ય સંનિવેશથી સાક્ષાત સરસ્વતીના અવતારસ્વરૂપ મંડિકદેવ ને મૌર્ય નામના વિદ્વાનો સપરિવાર યજ્ઞમાં ભાગ લેવા આવ્યા.
આ ઉપરાંત વિમલાપુરીથી અકૅપિત, કોશલથી અલભ્રાતા, વત્સદેશથી તૈતર્ય ને ખુદ રાજ ગૃહીથી પ્રભાસદેવ નામના પ્રબલ પંડિતો અપાપામાં આવી પહોંચ્યા.
બ્રહ્મચર્યના ઓજસથી ઓપતા, સુદીર્ઘ શિખા ને પવિત્ર યજ્ઞોપવિતથી પ્રભાવિત લાગતા આ બ્રહ્મદેવોની ચરણરજથી પૃથ્વી પણ પવિત્ર થઈ. તેમના જયજયકારથી અને પ્રબલ વેદઋચાઓનાં ગાનથી આકાશનો ઘુમ્મટ પણ ગુંજી ઊઠયો.
યજ્ઞની મહાન તૈયારીઓ કરવામાં આવી, સામવેદ ને અથર્વવેદના ગાનથી એનો પ્રારંભ થયો. યજ્ઞની ભડભડતી શિખાઓ વાતાવરણને આવરી લેવા લાગી. આર્યાવર્તના મહાન અગિયાર વિદ્વાનો, નક્ષત્રોની વચ્ચે સૂર્ય શોભે એમ શિષ્યસમૂહ વચ્ચે શોભી રહ્યા હતા. દર્શનાતુર લોકોની મેદનીનો પાર ન હતો. બૌદ્ધ અને જૈન ધર્મને ગૌણ કરી નાખવાનો આ મહાન પ્રયાસ ખરેખર અભિનંદનીય હતો.
એ અભિનંદનીય પ્રયાસને શોભાવવા ને સત્કારવા રાજા-મહારાજાઓનો મોટો સમૂહ, દેવાંગનાઓ સમાન રાણીઓ સાથે સપરિવાર આવી રહ્યો છે : એ સમાચાર સોમિલ વિપ્રને મળ્યા ત્યારે તેના આનંદની અવધિ ન રહી. એણે પોતાના અનર્ગળ દ્રવ્યવ્યયને સફળ લેખ્યો, જીવનને ધન્ય લેખ્યું.
આકાશને રેણુથી છાઈ દેતો, હાથી, રથને વાજિઓના સમૂહોવાળો આ વર્ગ
હવે દૃષ્ટિપથમાં આવ્યો હતો : યજ્ઞકુંડમાં ધૃત ને મધુમેયના ઘડાઓ હોમાવા લાગ્યા. વેદગાનનો ઘોષ પ્રચંડ બન્યો.
પણ આ શું ? રાજાઓનો એ સમૂહ યજ્ઞમંડપ તરફ આવવાને બદલે અપાપાનગરીની પાસે આવેલા મહસેનવન તરફ ચાલ્યો. જરૂર રાજાઓ માર્ગ ભૂલ્યા. રથીઓએ રથ જૂઠા હાંક્યા. સોમિલ વિપ્રે અનુચરને માર્ગ બતાવવા મોકલ્યો, પણ ક્ષણવારમાં અનુચરે આવી પ્રણામ કરતાં કહ્યું :
“તેઓ મહસેનવનમાં સર્વાને વંદન કરવા જાય છે !''
કોણ સર્વજ્ઞ ?” અગિયાર વિદ્વાન વિપ્રોમાંના વડા વિપ્ર ઇંદ્રભૂતિ ગૌતમે ઊંચા અવાજે પ્રશ્ન કર્યો.
“સાતપુત્ર !!*
જ્ઞાતપુત્ર અને વળી સર્વજ્ઞ ? વદતોવ્યાઘાત ?" ઇંદ્રભૂતિ ગૌતમે આસન પરથી ઊભા થતાં પડકાર ર્યો, અને મસ્તક પરની શિખાની બાંધ-છોડ કરતાં કહ્યું : “હું એ જ્ઞાતપુત્રની સર્વજ્ઞતાની શેખીને પળવારમાં ધૂળમાં મેળવવા અત્યારે ને અત્યારે પ્રયાણ કરીશ. મારા શિધ્યવર્ગ સિવાય કોઈ મારી સાથે આવશો નહિ. તમે બધા શ્રદ્ધા રાખજો કે ઇંદ્રભૂતિ ગૌતમ ઘડીના છઠ્ઠાભાગમાં એની સર્વજ્ઞતાને સંહારી તમારી સમક્ષ ઉપસ્થિત થશે. આપ સર્વ યજ્ઞના પવિત્ર કાર્યને શાન્તિથી આગળ ધપાવો !!”
ઇંદ્રભૂતિ ગૌતમે ઓસન નીચે પગ મૂક્યો ને સર્વત્ર ‘ઇંદ્રભૂતિ ગૌતમનો જય'ની પ્રચંડ ઘોષણા ગાજી રહી. વસુભૂતિ ગૌતમના આ વડા પુત્રની વિદ્વત્તા વિશે કોઈને તલમાત્ર સંદેહ નહોતો. એની વાદશક્તિ ને જ્ઞાનતેજ પાસે કોઈ ટકી શકતું નહિ. ભક્તજનો સ્વયં જયને જાણે વિજય માટે પ્રસ્થાન કરતો જોઈ રહ્યા.
મહસેનવનનો માર્ગ અતિ દૂર ન હતો. પાંચસો અનુયાયીઓથી શોભતા ઇંદ્રભૂતિ ગૌતમ મહસેનવનમાં આવી પહોંચ્યા. વનના પ્રારંભમાં હય ને રથ વગેરે વાહનો ઊભાં હતાં. ઇંદ્રભૂતિ ગૌતમે તેમાં પ્રવેશ કર્યો; પણ સાથે જ મહાન હિમગિરિ પર સૂર્યનાં કિરણો પડતાં જેમ એ સ્વયં દ્રવવા લાગે, એવી કોઈ એકહ્ય લાગણી આ મહાન પંડિતરાજને થઈ આવી. અનેક આશ્રમો, વનો ને પુષ્કરણીઓનો પ્રવાસ એણે ખેડડ્યો હતો, પણ આવું સૌમ્ય વાતાવરણ કદી અનુભવ્યું નહોતું.
જલDલોત્પન્ન પંચવર્ણા પુષ્પોથી આખો વનખંડ મઘમઘી રહ્યો હતો. આ વૈશાખનો ધોમધખતો ભાનુ પણ અહીં શાન્ત બનીને તેજ ઢોળી રહ્યો હતો. વનવૃક્ષોમાંથી મંદ મંદ વહેતો વાયુ વંશવીણાના મીઠા સ્વરો ઉત્પન્ન કરી વાતાવરણને સુમધુર બનાવતો હતો
જાણે ઇંદ્રભૂતિ ગૌતમના પાંડિત્યના ગર્વોન્નત શિખરને કોઈ નવીન ઝંઝાવાત ક્ષણવારને માટે સ્પર્શી ગયો. પણ તરત જ સાવધ બની એ આગળ વધ્યો.
જ્ઞાતપુત્રને ચરણે 12
120 D સંસારસેતુ
Page #70
--------------------------------------------------------------------------
________________
હવે જ્ઞાતપુત્રની સભા દૃષ્ટિગોચર થતી હતી. સ્વયે નમ્ર બની જતા દિલને ઇંદ્રભૂતિએ પુનઃ એક વાર સ્વસ્થ કર્યું. આપોઆપ ઝૂકી જતા મસ્તકને પુનઃ ટટ્ટર કર્યું, ને એણે વેદમંત્રોનો ઉપચાર કર્યો.
થોડે જ દૂર, આસોપાલવની લાંબી છાયાઓથી આચ્છાદિત એક વેદિકા ઉપર કોઈ તેજતાં વર્તુળોથી ઝળાંઝળાં થઈ રહેલી એક માનવમૂર્તિ બેઠી હતી. મેઘ જેવી ગંભીર પુષ્ટ અર્થવાળી ને મધુર વાણી ઇંદ્રભૂતિના શ્રવણપટને સ્પર્શી રહી.
વારંવાર ગળી જતા મનનું સ્વાથ્ય જાળવી એ દઢ પગલે આગળ વધ્યો, પણ વેદિકા એના ઉપર દૃષ્ટિ સ્થિર ન થઈ શકી. શરદઋતુનાં ઉગ્ર સૂર્યકિરણોનો સમૂહ જાણે એની આંખોને આંજી રહ્યો હતો !
નક્કી કોઈ ઇંદ્રજાલી !” ઇંદ્રભૂતિએ મનમાં વિચાર કર્યો ને ઇંદ્રજાલ તોડવાના દૃઢ મનોરથ સાથે એ આગળ વધ્યો ત્યાં કોઈ અપૂર્વ સ્વર એના કાને અથડાયો.
“આવો, ઇંદ્રભૂતિ ગૌતમ, આવો ! કુશળ છો ને !”
કોણ મને નામથી સંબોધે છે ? મારું નામ કેમ જાણે ! ઇંદ્રભૂતિ ગૌતમ ક્ષણવાર અચંબામાં ડૂબી ગયો. પણ તરત એને લાગ્યું કે પૃથ્વીના પટ પર એવું કોણ હશે કે જે ઇંદ્રભૂતિ ગૌતમને ન જાણતું હોય !”
“હા, હું ઇંદ્રભૂતિ ગૌતમ, ! હે મહાન એન્દ્રજાલિક હું વાદ કરવા નિમિત્તે અહીં તારી ઇંદ્રજાલવિદ્યાને સંહારી લેવા આવ્યો છું.”
“હું ઐન્દ્રજાલિક ? ગૌતમ શાન્ત થા ! સાચા તપસ્વીઓ ચમત્કારી હોય છે, પણ ચમત્કાર કરતા નથી. તું વાદ કરવા આવ્યો છે કે સંશનિવારણ કરવા આવ્યો છે, તે બધું હું જાણું છું.”
- “મને-ઇંદ્રભૂતિ ગૌતમને સંશય ? અસંભવ !” ઇંદ્રભૂતિનો રોષભર્યો અવાજ ગાજ્યો પ્રતિદ્રુદ્રિતાનો એમાં પડકાર હતો, પણ સામેથી એવો જ મીઠો ને વહાલસોયો અવાજ આવ્યો :
ગૌતમ, આર્યાવર્તના મહાન વિદ્વાન ! તારા સંશયને હું જાણું છું. તને જીવના અસ્તિત્વ વિશે સંદેહ છે. પણ ભદ્ર, આમ આવ ! શાંતિથી આસન સ્વીકાર ! વિદ્વાનને શંકા જ ન હોય, સંશય જ ન સ્પર્શે, એ ભ્રમણા ખોટી છે. ઘણીવાર વિદ્યા જ ભ્રમને વધારે છે. તારો સંશય સામાન્ય છે, પણ લોકલાજના કારણે પ્રગટ ન કરવાથી તને ખૂબ ને ખૂબ દહી રહ્યો છે. શંકા શ્રદ્ધાને દૃઢ કરે છે.”
આ શબ્દો નહોતા, સુંદર મીઠા ઝરણનું મંદ મંદ ગાન હતું જે પોતાના સ્વરૂપમાં માનવીને સ્વયં સ્તબ્ધ બનાવી દે. વેદરૂપી સાગરનો પારગામી ઇંદ્રભૂતિ ગૌતમ ઘણું ઘણું મથી રહ્યો હતો કે પોતાના જ્ઞાનનો ગર્વ, પોતાની પંડિતાઈની
ઉગ્રતા નમ્ર ન બને; પણ એ પ્રયાસ નિરર્થક હતો. એનું ઉન્નત મસ્તક આશ્ચર્યમાં સ્તબ્ધ બન્યું હતું. વાણી આગળ વધી :
હે પ્રિય ગૌતમ, જીવે છે. તે અરૂપી છે. એને વર્ણ નથી, એને સુગંધ કે દુર્ગધ નથી, એને રસ નથી. એ સ્પર્શથી પણ પર છે. એ અવિનાશી છે, અને વિનાશી દેહમાં રહ્યો છતાં એ પુણ્ય ને પાપનો, સુખ ને દુ:ખના કર્તા ને ભોક્તા બને છે. દેખાતો દેહ એનો છે, પણ એ કોઈનો નથી. એ તો કીડીના દેહમાં પણ ફર્યો છે, ને ગજરાજ બનીને પણ વિચર્યો છે; છતાં આત્માનો કોઈ આકાર નથી. આ વિજ્ઞાનધન આત્માનું જ કારણ છે, કે તને જીવ વિશેનો સંશય થયો. એક નિયમ છે, કે જ્યાં જ્યાં સંશય હોય ત્યાં સંશયવાળો પદાર્થ હોય. જીવ છે, અને તે ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વગેરે લક્ષણોથી જાણી શકાય છે.”
- વાણી સરળ ને નિર્મળ ઝરણ જેવી હતી. શાસ્ત્રની અનેક પંક્તિઓ જે ઇંદ્રભૂતિના દિલને વશ કરી શકી નહોતી એ આ સરળ વાક્યપંક્તિઓ વશ કરી રહી હતી. તેણે ધીરેથી પ્રશ્ન કર્યો :
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈય ને શુદ્ર : એ રચના શું ખોટી છે ?”
“હે ગૌતમ ! એ બધી સાચી છે. ક્ષમા, સત્ય, શીલ, તપ ને શાસ્ત્રાભ્યાસ કરનાર ગમે તે હોય, પણ તે બ્રાહ્મણ છે. ભય, દુઃખ, ક્લેશ ને સંતાપના ત્રાસથી રક્ષણ કરનાર મનુષ્ય, કહો કે ન કહો પણ તે ક્ષત્રિય છે. નીતિપૂર્વક વ્યવહાર ચલાવનાર, દેશ-ગ્રામની ધનધાન્યની વૃદ્ધિ થાય એ રીતે વ્યાપાર કરનાર વૈશ્ય છે : અને જે સેવાકર્મ કરનાર છે, સ્વેચ્છાએ શુદ્ધિ ને સ્વાથ્ય જાળવનાર છે એ શુદ્ર છે. સર્વ પોતપોતાના કર્મમાત્રથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર બને છે. એ રીતે શૂદ્ર પણ બ્રાહ્મણ બની શકે છે, ને ક્ષત્રિય પણ વૈશ્ય બની શકે છે.* ને પોતાના કર્મ યથોચિત કરતો નથી, એ બ્રાહ્મણ કેવલ ઓંકારના ઉચ્ચારથી બ્રાહ્મણત્વને યોગ્ય નથી. શસ્ત્ર લેવાથી ક્ષત્રિય થઈ શકતો નથી, ને જોખવા-માપવાથી વૈશ્ય બની શકાતું નથી. અને એવી જ રીતે અમ સાધુઓનું પણ સમજવું. મુંડન કરવા-માત્રથી સાધુ કે મુનિ થવાતું નથી. વનમાં વસવાથી કે વલ્કલ પહેરવાથી તપસ્વી થવાતું નથી. સ્વકર્મને યથોચિત રીતે કરનાર તે તે પદને યોગ્ય છે; અને હલકું કે ભારે ગમે તે કર્મ યથોચિત ને યથાખ્યાત રીતે કરનાર કોઈ બ્રાહ્મણ, શુદ્ર કે મુનિ સમાન છે, ઉચ્ચ-નીચ, સ્પર્યુ કે અધિકારી-અધિકારી નથી.*** *
કેટલું સત્ય જ્ઞાન ! ન શાસ્ત્રીયતાની જટિલતા કે ન પાંડિત્યની ઉગ્રતા ! યુક્તિ, * कम्मुणा बमणो होड़, कम्मुणा होड़ खत्तिओ ।
થઇ—TT ચરસ દોરુ શુ કવર મનુ //ઉત્તરાધ્યયન, અ. ૨૫. ગા. ૩૩. ** નર મુકિgUT મrt, 7 રેખા વંશનો / ન મુજો વUવારો, યુસ વોરેT ન રાવસાં || ઉત્તરાધ્યયન, એ. ૨૫. ગા. ૩૧.
જ્ઞાતપુત્રને ચરણે D 123
122 D સંસારસેતુ
Page #71
--------------------------------------------------------------------------
________________
વાદ કે દલીલોની પ્રપંચજાળનું જાણે અહીં અસ્તિત્વ જ નથી ! સાદા, સરળ, સ્વતઃ સમજાઈ જાય તેવાં જ વાણી ને વિચાર ! માનવીને વાદાવાદ જ જાણે નિરર્થક ભાસે ! આર્યાવર્તનો મહાન વિદ્વાન વિચારોની ઊંડી ગર્તામાં પડી ગયો. એણે જીવનમાં આટલું નિખાલસ, આત્મભાવને સ્પર્શતું, નમ્ર ને સર્વગ્રાહી તત્ત્વજ્ઞાન સાંભળ્યું નહોતું.
એના પાંડિત્યના પોપડાઓમાં વીંટાયેલો આત્માનો અનાહત નાદ જાણે વારે વારે ગર્જી ઊઠતો હતો : “ગૌતમ ! તને તારી બધી વિઘા શું શુષ્ક નથી ભાસતી ? તારી વિદ્યાની શુષ્કતા તૃષાતુર પ્રાણીઓને મૃગજળથી ભરેલાં મહારણોમાં અથડાવી મારવા સિવાય કંઈ કરી શકશે નહિ ! એકલી વિદ્યા શા કામની ? ઉદરભર માણસના જેવી વિદ્યા કેવલ કંઠાગ્ર કરી લીધું કલ્યાણ નહિ થઈ શકે !”
ક્ષણવારમાં આર્યાવર્તના આ મહાન વિદ્વાન સામેથી અભિમાન, પૂર્વગ્રહ ને પાંડિત્યનાં જાળાં દૂર થતાં ગયાં. કોઈ મહા સંકલ્પની ક્ષણોમાંથી પસાર થતો હોય તેમ ઇંદ્રભૂતિ ગૌતમ પળવારને માટે સ્થિર, સ્તબ્ધ ને મૂક ઊભો રહ્યો. એનો સત્યનો શોધક, ઋજુસ્વભાવી આત્મા અંતરમાં બળવો પોકારી રહ્યો :
- “ગૌતમ, માનવજીવનનું સાર્થક કરી લે ! પાંડિત્યના પંકમાંથી નીકળી આત્માના પવિત્રતમ પંકજને ખીલવ ! તારી પ્રચંડ શક્તિોના રથી વિનાના ૨થને મળેલો આ સારથિ સાધી લે !”
એક જ ક્ષણે ! ઝંઝાવાત પસાર થતાંની સાથે જ દિશાઓ જેમ પ્રસન્ન બની સુગંધ વહાવવા લાગે, તેમ પાંડિત્યના આ અવતારનો આત્મા નિર્મળ બની ગયો. દુનિયાનાં માનાપમાન, લાભાલાભ, કીર્તિ-અપકીર્તિ એ ભૂલી ગયો. એ જ્ઞાતપુત્રના ચરણે પડડ્યો. એણે બે હાથ જોડી અંજલિબદ્ધ થઈ પ્રાર્થના કરી :
નમુત્થણે અરિહંતાણં ભગવંતાણું ,
આઈગરાણે, તિસ્થયરાણં, સયંસંબુદ્ધાણં .+ એક એક પંક્તિ કોઈ સંવાદી સૂરોની જેમ બધા પર પડઘો પાડી રહી. નિર્વાણગિરાના આ મહાન પંડિતના મુખમાંથી સરતી પ્રાકૃત લોકભાષાની આ પંક્તિઓ સહુને વશ કરી રહી. ચરણસ્પર્શ કરી રહેલા ઇંદ્રભૂતિ ગૌતમે નત મસ્તકે જ પ્રાર્થના કરી :
“હે પરમપુરુષ ! વાંદરાને નિમિત્તે, પૂજવાને નિમિત્તે, સત્કારને નિમિત્તે, સન્માનને નિમિત્તે, બોધિલાભને નિમિત્તે, મોક્ષ પામવાને નિમિત્તે, હું વૃદ્ધિ પામતી શ્રદ્ધાથી, નિર્દભ બુદ્ધિથી, નિર્વિકાર ચિત્તથી, નિશ્ચય અને પરામર્શપૂર્વક આપને + ધર્માદિના સ્થાપક, તીર્થના સ્થાપક અને સ્વયં શાનવાન એવા અરહિંત ભગવંતને મારા નમસ્કાર છે. – ‘શકસ્તવ *
124 D સંસારસેતુ
સ્વીકારું છું. આપ મને સ્વીકારો !”
“તથાસ્તુ, ગૌતમ !” જ્ઞાતપુત્રે આટલી સુદીર્ઘ વિનંતીનો બે જ શબ્દોમાં જવાબ વાળી દીધો ને કહ્યું : “ઇંદ્રભૂતિ, ઋણાનુબંધનો પ્રેર્યો તું અહીં આવ્યો છે. મારું જ્ઞાન કહે છે કે, તું મારા સંદેશને ચિરંજીવ બનાવીશ, મારા સ્થાનને શોભાવીશ.”
ગૌતમે નત મસ્તકે જાણે આ સંદેશ ઝીલી લીધો. ઇંદ્રભૂતિ ગૌતમના કુશળ ને વિદ્વાન પાંચસો શિષ્યો પણ ગુરુના માર્ગને અનુસર્યા. જીતવા આવેલા મહારથીઓ વગર વાદવિવાદે જિતાઈ ગયા.
આ સમાચાર ઝંઝાવાતને વેગે સોમિલ દ્વિજની યજ્ઞશાળામાં જઈ પહોંચ્યા. ક્ષણભર કોઈપણ આ અસંભવિત ઘટનાને સંભવિત માનવા તૈયાર ન થયું, પણ ઘટનાની વાસ્તવિકતાને પુષ્ટિ આપે તેવા વર્તમાનો પર વર્તમાનો આવવા લાગ્યા.
વેદનો ગર્જારવ કરતા કંઠ ક્ષણવાર થંભી ગયા. આહુતિ આપતા હોતાઓના હસ્ત અડધે એમ ને એમ તોળાઈ રહ્યા. ને માની શકાય તેવા વર્તમાન !
સર્વવિદ્યાવિશારદ અગ્નિભૂતિ હવે સ્વસ્થ ન બેસી શક્યો. એ પોતાના આસન પરથી આવેશમાં ખડો થઈ ગયો : અને એણે પ્રચંડ અવાજે ઘોષણા કરી : “મને ખબર મળી હતી કે જ્ઞાતપુત્ર જ બર જાદુગર છે, મગરૂર માયાવી છે. આર્યાવર્તના પરમ ભૂષણ સમાને મારા જ્યેષ્ઠબંધુ ઇંદ્રભૂતિ ગૌતમને વાદમાં પૃથ્વી, આકાશ કે પાતાળનો કોઈ પણ જીવ હરાવી શકે, તે વાત સ્વપ્નમાં પણ હું માનવા તૈયાર નથી. પણ એક વાત છે; ઋજુપરિણામી મારા જ્યેષ્ઠ ભ્રાતાને એ માયાવીએ અવશ્ય પોતાની કુટિલ માયાજાળમાં ફસાવ્યા છે. આપ સર્વે શાન્તિથી યજ્ઞકાર્ય આટોપો ! હું ક્ષણમાત્રમાં એ પ્રખર માયાવીની માયાજાળ છિન્નભિન્ન કરીને મારા પૂજ્ય બંધુશ્રી સાથે વેદધર્મની યશપતાકા દિગદિગન્તમાં પ્રસારતો પાછો ફરું છું.”
આખી સભાએ અગ્નિભૂતિ ગૌતમનો જયનાદ પોકાર્યો. આકાશને ભેદવા જાણે જતો ન હોય તેમ ઉન્નત મસ્તકે પગલે પગલે ધરણી ધ્રુજાવતા એ વિદ્વાને પ્રસ્થાન કર્યું. એની પાછળ એનો પાંચસો શિષ્યોનો સમુદાય પણ પરવર્યો.
મહસેનવન આજે ધન્ય બની ગયું હતું. આર્યવર્તના મહાન ચરણોની સેવા પામીને આજે એની રજ પણ પવિત્રતમ બની બેઠી હતી.
ઇંદ્રભૂતિ ગૌતમ સાથે જ્ઞાતપુત્રનો વાર્તાલાપ હજી ચાલી રહ્યો હતો. ત્યાં વાતાવરણને વધતો પ્રચંડ શખસ્વર સંભળાયો. થોડી વારમાં અગ્નિભૂતિ ગૌતમના જયજયનાદથી વાતાવરણ વ્યાકુળ બની ઊડ્યું. આખી સભા માર્ગ પ્રતિ ઉત્સુકતાથી નીરખી રહી. વાદવિવાદ માટે આવી રહેલો વિદ્વાનોનો સમુદાય નજીક આવી પહોંચ્યો હતો.
જ્ઞાતપુત્રને ચરણે 25
Page #72
--------------------------------------------------------------------------
________________
“આવો, અગ્નિભૂતિ ગૌતમ ! કુશળ છો ને !" જ્ઞાતપુત્રે મુખ પર સહેજ સ્મિત ફરકાવતાં મિષ્ટ ભાષામાં કહ્યું.
માયાવી તો અજબ છે ! સહેજ પણ સરળતા દાખવી, તો એ ફાવી જવાનો, એમ સમજી અગ્નિભૂતિએ પણ પ્રત્યુત્તર આપ્યા વગર મુખ પર સ્વસ્થતાની રેખાઓ બેવડાવતાં, કેવલ મસ્તક ધુણાવી સત્કારનો સ્વીકાર કરતો હોય તેમ આસન ગ્રહણ કર્યું.
સભા સ્તબ્ધ હતી. આ મહાન પંડિતના તેજમાં સહુ ઝંખવાઈ ગયા દેખાતા હતા; પણ પેલા જાદુગર પર કંઈ અસર નહોતી. એના મુખ પર તો એ જ શાન્તિ, એ જ સ્વસ્થતા ને એ જ કાન્તિ વિદ્યમાન હતી. અગ્નિભૂતિ ગૌતમે એક વાર પોતાનું બ્રહ્મતેજ થી દમકતું વિશાળ મસ્તક ચારે તરફ ફેરવ્યું ને પછી પ્રચંડ ઘોષણા કરી :
હે માયાવી જ્ઞાતપુત્ર ! તારી માયાજાળ ભેદીને મારા બંધુને લઈ જવા અને તને પરાસ્ત કરવા માન્યવર ઇંદ્રભૂતિ ગૌતમનો આ લઘુબંધુ અગ્નિભૂતિ ગૌતમ ઉપસ્થિત થયેલ છે. વધુ માયાજાળ પ્રસાર્યા વિના મારી સાથે વાદવિવાદ માટે તત્પર થા ! તારો પૂર્વપક્ષ વિસ્તારથી ૨જૂ કર !”
આવેશમાં ને આવેશમાં વિદ્વશ્રેષ્ઠ અગ્નિભૂતિ ભાષાની શિષ્ટતા પણ વીસરી ગયો : પણ એવી શિષ્ટતા-અશિષ્ટતાને જાણે અહીં સ્થાન જ નહોતું.
- “તત્પર જ છું, અગ્નિભૂતિ ગૌતમ ! તમારા પ્રકાંડ પાંડિત્યથી હું પૂર્ણતયો પરિચિત છું. તમારી સાથે વાદવિવાદનો શુભ પ્રસંગ ક્યાંથી ?”
અગ્નિભૂતિને આ શબ્દોએ ઉત્તેજિત કર્યો. એને લાગ્યું કે પોતાના વિદ્વાન પણ ભોળા ભાઈને ભરમાવનાર આ માયાવી મારી સામે વધુ વખત ટકી શકે તેમ નથી. એ આગળ કંઈ બોલવા જતો હતો, પણ જ્ઞાતપુત્રને બોલતા સાંભળી શાન્ત રહ્યો.
“હે ગૌતમ ! આપણે વાદવિવાદ કરીએ એ પહેલાં કર્મ વિશેની તમારી શંકા તો દૂર કરી લો ! તમારા પાંડિત્યને પીડતી આ શંકા લોકલજ્જાને કારણે વર્ષોથી તમારા હૃદયમાં સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ તમને સતાવી રહી છે. એ વિશે હું કંઈક કહું, પછી આપણે વાદવિવાદનો પ્રારંભ કરીએ.”
આ શબ્દો નહોતા, પણ અગ્નિભૂતિના પાંડિત્ય ઉપર ન કળી શકાય તેવો જબરદસ્ત પ્રહાર હતો. છતાંય અગ્નિભૂતિ ન ડગ્યો. એ સ્વસ્થ ચિત્તે ને ઉન્નત મસ્તકે પોતાના આસન પર દૃઢ રહીને બોલ્યો, પણ એની ભાષામાં પરિવર્તન થઈ ગયું હતું. સ્વાભાવિક તોછડી ભાષા લુપ્ત થઈ ગઈ : માનભર્યો વાક્યો નીકળ્યાં :
વારુ જ્ઞાતપુત્ર ! તમારું વક્તવ્ય પૂરું કરો !” - “મારું વક્તવ્ય કર્મ વિશે છે. ગૌતમકુળભૂષણ ! એ વાતનો નિર્ણય રાખજો કે કર્મ છે ! એ રૂપી છે, મૂર્તિમાન છે અને અરૂપી અમૂર્ત એવા આત્મા સાથે અનાદિકાળથી જોડાયેલ છે. એ કર્મફળની પ્રત્યક્ષ સાબિતી આપણે બધા છીએ. શા
26 D સંસારસેતુ
માટે એક પૂજાય છે, જ્યારે બીજો પૂજા કરે છે ? એ ક સેવાય છે, ત્યારે બીજો સેવા કરે છે ? એક જ જાતનો માનવદેહ, પછી બે વચ્ચે આટલી વિચિત્રતા કેમ ? શું કારણ ? અને એનું કોઈ પણ કારણ હોય તો તે ‘કર્મ ” જ છે.”
અગ્નિભૂતિ જેમ જેમ આ શબ્દો સાંભળતો ગયો તેમ તેમ એનો ગર્વ ગળતો ગયો. આવી સાદી યુક્તિ-પ્રયુક્તિઓ એણે ઘણી સાંભળી હતી, પણ એ શબ્દોએ એના પર કંઈ, અસર કરી હતી ! ઝંઝાવાતમાં ડગમગ થતા મનરૂપી તરુને જાણે વિશ્વાસના વાયુ સ્પર્શતા હતા. એનું અસ્વાભાવિક દૃઢતાથી દબાવી રાખેલ મન બળવો પોકારી ઊઠ્યું. સાતપુત્રની વાણી જેમ આગળ વધતી ગઈ, તેમ તેને ન જાણે શું થતું ગયું : પણ અગ્નિભૂતિ વિશેષ ને વિશેષ અસ્વસ્થ થતો ચાલ્યો. શબ્દો તો થોડા જ હતા, પણ કોઈ અચિત્ર પ્રભાવ એના મદરાશિને વેગથી ગાળી રહ્યો હતો.
“પરમગુરૂ, તમારા ચરણે છું !” એકાએક અગ્નિભૂતિ મસ્તકને પૃથ્વી સરસું નત કરી બોલી ઊઠ્યો. અગ્નિભૂતિની વાણીમાં પ્રચંડ પૂર વહી ગયા પછીની શાન્તિ હતી.
તથાસ્તુ ગૌતમ !” ક્ષાતપુત્રે પોતાના વિજયથી લેશ પણ ન હરખાતાં એ જ શાન્તિથી ઉપરના શબ્દો ઉચ્ચાર્યા.
અગ્નિભૂતિ ગૌતમના પાંચસો શિષ્ય પણ ગુરુના ગુરુને ચરણે બેસી ગયા.
આ વર્તમાન વાયુવેગે યજ્ઞમંડપમાં જઈ પહોંચ્યા. અગ્નિભૂતિ તે ઇંદ્રભૂતિના ભાઈ વાયુભૂતિ સહસા જ આસન પરથી ઊભા થઈ ગયા ને સશિષ્ય પરિવાર મેહસેનવન તરફ ચાલ્યા, ન કોઈની સાથે કંઈ બોલ્યા કે ન કંઈ ચર્ચા કરી. એમનું મુખે અનેક રેખાઓથી અંકિત થઈ ગયું હતું. પોતાના બન્ને ભાઈઓને ચળાવનાર તરફ તેમના દિલમાં અત્યંત ઉગ્ર આવેગ હતો : પણ માર્ગમાં જ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમનો એ આવેગ ધીરે ધીરે શમતો ચાલ્યો. એમને વિચારતાં લાગ્યું કે જે મહાપુરુષનો આશ્રય મારા બંને ભાઈઓએ સ્વીકાર્યો એ મહાપુરુષ ખરેખર મહાન હશે. એમની સાથે વાદાવાદ કરનાર હું કોણમાત્ર !
વાયુભૂતિ ગૌતમે વગર વિવાદે મહસેનવનમાં આવી જ્ઞાતપુત્રનું શરણ સ્વીકાર્યું.
આર્યાવર્તના ત્રણ ત્રણ મહાન વિદ્વાનોના આ રીતના સમાચારથી દેશવિદેશથી આવેલો સમુદાય ખળભળી ઊઠ્યો, ધર્મપ્રતિષ્ઠાનો સવાલ પાસે સહુ અધીરા બની ઊડ્યા. સોમિલ વિખે ઊભા થઈ રોષભરી વાણીમાં કહ્યું :
“દેવભૂમિ આર્યાવર્તમાંથી શું વેદનું જ્ઞાન નષ્ટ થયું છે, કે એક સામાન્ય માણસ કે જે કદી કોઈ વિદ્યાપીઠ કે વિઘાશ્રમમાં ગયેલ નથી. અને માયા એ જ જેની મૂડી છે, એવાને પણ હરાવી ન શકે ? હું સર્વ પંડિતસભાને આ પ્રશ્ન કરું છું.”
સોમિલ વિપ્રના આ શબ્દોએ વજપાત જેવી અસર કરી. આર્યાવર્તના અગિયાર
શાતપુત્રને ચરણે 127
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠ વિદ્વાનોમાંથી બાકી રહેલા આઠ વિદ્વાનો એક સાથે ગર્જી ઊઠ્યા : “યજમાન દેવ ! શાન્ત થાઓ ! અમે આઠ જણા અત્યારે જ પ્રસ્થાન કરીએ છીએ. એકાકી વિદ્વાનને ભરમાવનારી એ માયવી અમને આઠને કેમ ભરમાવી શકે છે, તે હવે જોઈ લઈએ.”
નિરાશ બનેલી માનવમેદનીમાં ફરી આશાનો સંચાર થયો. સહુએ આ વિક્રમૂર્તિઓના પ્રસ્થાનને પ્રચંડનાદથી વધાવી લીધું. સહુથી અગ્રભાગમાં કોલ્લાક સંનિવેશના પ્રખ્યાત વિદ્વાન વ્યક્ત ને ઉપાધ્યાય સુધર્મા પોતાના એક હજાર શિષ્યો સાથે ધરણી ધ્રુજાવતા ને વેદનાથી ગગનમંડળને ભરી દેતા ચાલતા હતા.
આ બંને વિદ્વાનોના સમુદાય પછી મૌર્યગ્રામનો અજેય મનાતો વિદ્વાન મૌર્યપુત્ર હતો. એના ૩૫૦ શિષ્યો પાછળ ચાલતા ચાલતા પણ વાવિદ્યાના ભેદાભેદની ચર્ચા કરતા હતા.
આ પછી પોતાના ત્રણસો શિષ્ય સાથે પંડિતવર આગળ ભ્રાતા ને તેવા જ ત્રણસો શિષ્યો સાથે સ્વયં વેદાવતાર અકંપિત ચાલતા હતા. સહુથી છેડે વત્સદેશભૂષણ તૈતર્ય ને તે પછી કેવલ સોળ વર્ષની પાંગરતી તરુણાવસ્થામાં રાજગૃહીનાં વિદ્વાનોમાં સન્માન પામનાર પ્રભાસદેવ હતા.
કોઈ મહા સેના મહાન રાજ્ય ઉપર ચડાઈ કરવા જતી હોય એવું દૃશ્ય હતું. ચાલનારાઓની ચરણધૂલિથી આકાશમાં જબરી ડમરી જામી હતી.
આર્યાવર્તના ઇતિહાસનું એક અતિ મહત્ત્વનું પૃષ્ઠ આજે ઊઘડી રહ્યું હતું. ન બનેલો બનાવ આજે બની રહ્યો હતો. ધર્મના ઇતિહાસોમાં ન ઘટેલી ઘટના આજે ઘટી રહી હતી. આત્માના પ્રચંડ સામર્થ્યનો પવિત્રતમ ઇતિહાસ આજે ઓળખાતો હતો. વિદ્યા, પંડિતાઈ, ચાતુરી, વાદનિપુણતા અને એવું બીજું ઘણું એક નમ્ર આત્મા પાસે જાણે નિરર્થક બનતું જતું હતું.
આઠ પંડિતોની વાદગર્જનાથી જાણે દિશાઓ ડઘાઈ ગઈ હતી. પાછળ ઊભેલો શિષ્યસમુદાય સાગરમાં આવેલી ભરતીની જેમ લહેરાતો હતો.
“આવો પંડિતરાજો, આવો ! આજે તો આ ભૂમિનાં પુણ્ય જાગ્યાં છે. કુશળ છો ને ! હું જાણું છું કે આપ સર્વે મને વાદવિવાદથી પરાસ્ત કરવા આવ્યા છો; પણ આપ જાણો છો કે હું વાદવિવાદથી પર થઈ ચૂકેલો છું. આપના સંશયો તો આ મારા સમર્થ શિષ્યો ગૌતમકુલભૂષણ ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ ને વાયુભૂતિ છેદશે. આપ ખુશીથી પૂર્વપક્ષ રજૂ કરો !"
એ, બે ને ત્રણ !
પૂર્વપક્ષ ૨જૂ થયો ને ક્ષણવારમાં ઇંદ્રભૂતિએ તે તે પંડિતોના સંશયનું નિરાકરણ કર્યું. ત્રણે પંડિતો નિરુત્તર બન્યા.
128 D સંસારસેતુ
ચાર પાંચ ને છે. એમની પણ એ જ સ્થિતિ થઈ. તૈતર્ય તો પૂરી ચર્ચા પણ કરી ન શક્યો.
છેલ્લા પાંગરતી તરુણાવસ્થાવાળા પ્રભાસે વાદવિવાદ લાંબો ચલાવ્યો. વાદવિદ્યાના છલપ્રપંચનો પણ આશ્રય લીધો. પણ એ બાળ વિદ્વાન જ્ઞાતપુત્રની સામે કંઈ વધુ બોલી ન શક્યો.
આઠે પંડિતોએ જ્ઞાતપુત્રનું શરણ સ્વીકાર્યું ને સર્વેએ એકત્રિત થઈ જ્ઞાતપુત્ર જે લોકભાષામાં ઉપદેશ આપતા હતા, એ જ ભાષામાં જ્ઞાતપુત્રની સ્તવના કરી.
તમામ શિષ્યપરિવાર સહિત સમગ્ર સભાએ તેમાં સાથ પૂર્યો. વીરાસનેx બેઠેલા ઇંદ્રભૂતિ ગૌતમે પોતે સ્તવેલ ‘શક્રસ્વત’નો પ્રારંભ કર્યો. બીજા બધાએ તેમાં સાથ પુરાવ્યો.
“નમૃત્યુર્ણ અરિહંતાણં, ભગવંતાણં, આઈગરાણં, તિત્યયરાણં, સયંસંબુદ્ધાણં. પુરિસત્તમાણં, પુરિસસીહાણું, પુરિસવર-પુંડરીઆણં,
પુરિસવરગંધહસ્થીણું,
લોગુત્તમાર્ણ, લોગનાહાણું, લોગહિઆણં, લોગપયવાળું, લોગપજ્જોઅગરાણું.
ધમ્મદયાણું, ધમ્મદેસયાળું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણું; ધમ્મવરચાઉરંત ચક્કવટ્ટીણું.
જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં,
બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણું.
× એક પ્રકારનું આસન
+ નમસ્કાર હો પરમપુરુષ ! એ પરમપુરુષ કેવા છે, તેનું વિશેષ વર્ણન કરે છે : પુરુષ વિશે સિંહ સમાન, પુરુષ વિશે ઉત્તમ પુંડરિક કમળ સમાન, પુરુષ વિશે પ્રધાન ગંધહસ્તી સમાન, તેમજ લોકને વિશે ઉત્તમ, લોકનાથ, લોકકલ્યાણકર્તા, જગતપ્રકાશક ને લોકમાં દીપક સમાન, ધર્મદ્રષ્ટા, ધર્મોપદેશક, ધર્મનાયક, ધર્મરથના સારથિ, તેમજ સ્વર્ગ, નરક, મનુષ્ય ને તિર્યંચ ગતિનો નાશ કરનાર, તેમજ રાગદ્વેષના જીતનાર ને જિતાડનાર, સંસાર-સમુદ્રને તારનાર ને તેમાંથી તરાવનાર, તત્ત્વના જાણકાર ને જણાવનાર, કર્મથી સ્વયં મુક્ત ને બીજાને મુક્ત કરાવનાર, એવા સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણરૂપ, અચળ-નીરોગી અનંત-અક્ષય-અવ્યાબાધ-અપુનરાગમન સ્થિતિને પ્રાપ્ત થયેલ, રાગદ્વેષનો ક્ષય કરનારા એવા સર્વ ક્ષયોના જીતનાર અરિહંતને નમસ્કાર હો !
જ્ઞાતપુત્રને ચરણે D 129
Page #74
--------------------------------------------------------------------------
________________
સવનૂણં, સવદરિસીણં, સિવ-મય-મરૂ અ-મર્ણતમખિય-મવાબાહ-મપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેયં ઠાણે સંપત્તાણું નમો જિણાë જિઅભયાણું.”
સ્તુતિ પૂરી થઈ. આખી પરિષદાએ ‘નમો જિણાë જિઅભયાણં'નો જયનાદ ગજાવ્યો.
આ જયનાદનો પડઘો ક્ષણવાર સર્વ દિશાઓને બધિર બનાવી રહ્યો. આઠ પંડિતોને પણ શરણે ગયેલા સાંભળી નગરલોકનાં જૂથજૂથ મહસેનવન તરફ ઊમટી રહ્યાં હતાં.
મહસેનવનમાં ઊમટી રહેલી માનવમેદની તરફ દૃષ્ટિ ઘુમાવતાં જ્ઞાતપુત્રે પોતાનો ઉપદેશનો પ્રારંભ કર્યો :
“મહાનુભાવો, દરે ક ધર્મ અને દરેક પ્રાણી મારી દૃષ્ટિએ સમાન છે, કારણ કે હું ‘સ્યાદ્વાદ’ સિદ્ધાન્તનો પ્રતિપાદક છું . સંસારના મોટા ષો કે કલહો જોવા કે જાણવાના દૃષ્ટિબિંદુના ભેદથી જ ઉત્પન્ન થાય છે. કોઈ ધર્મ, કોઈ વસ્તુ કે કોઈ ક્યિા : દરેકને બે બાજુ હોય છે. એ બંને બાજુ જોવી-નીરખવી-એનો સમન્વય કરવો : એનું નામ સ્યાદ્વાદના સિદ્ધાંતને અનુસરનારો માણસ પરસ્પર વિરુદ્ધ લાગતી બાબતોમાંથી પણ તત્ત્વ તારવી શકે છે. લોકો કહે છે કે હું કોઈ ધર્મની નિંદા કરતો નથી, કેવલ મારી વાતનું વિધાન કરું છું : એ વાત સાચી છે – પણ એમાં દંભ નથી. સ્યાદ્વાદ દૃષ્ટિ-વાળો માણસ વિવિધ દૃષ્ટિબિંદુથી દરેક ધર્મને નીરખે છે. અને દરેક ધર્મ અમુક દૃષ્ટિબિંદુએ સારો હોય છે. એ સારાનો સમન્વય સાધવો એ જ શ્રેયસ્કર છે. માટે તમને પણ એ જ સિદ્ધાંત અનુસરવા સૂચવું છું. એથી પારસ્પરિક દ્વેષ, ઝઘડા, વૈમનસ્ય ઓછાં થશે. માણસ માણસની નજીક આવશે ને ગમે તેવા મત કે અભિપ્રાય ધરાવવા છતાં, ‘સ્યાદ્વાદ' સિદ્ધાન્તના બળે નિશ્ચિત દૃષ્ટિકોણ પણ એક થશે.”
સભા શાન્ત ચિત્તે સાંભળી રહી હતી. આ વેળાએ રાજાઓમાં ઇંદ્ર સમાન એવા મગધેશ્વરે ઊભા થઈ, બે હાથ જોડી પ્રાર્થના કરી :
“નિગ્રંથ પ્રભુ ! આપનું શાસન પ્રવર્તાવો ! આપની માન્યતાઓમાં માનનારો સંઘ સ્થાપો !''
“મારું શાસન ! મારો સંઘ ! ભલું કહ્યું મગધપતિ ! પણ જાણી લેજો કે મારા શાસનમાં, મારા સંઘમાં રાયર કનો ભેદ નથી, નીચ-ઉચ્ચનો ભેદ નથી, જાતિ-ગોત્રની અડચણ નથી. શ્રદ્ધાપૂર્વક મારા તત્ત્વજ્ઞાનને અનુસરનારો કોઈ પણ જીવ મારો
130 1 સંસારસેતુ
અનુયાયી છે. મારી પણ ઇચ્છા છે કે અહિંસા ધર્મનો અને સ્ટાદ્વાદ શૈલીનો જેટલો પ્રચાર થાય તેટલો ઇષ્ટ છે, અને તે માટે હું સંઘ સ્થાપું છું.
સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-મારા સંઘનાં આ ચાર અંગો છે. ત્યાગ એ મારો પરમ આદર્શ છે. જગતનું જીવન ત્યાગ પર જ ચણાયેલું છે. જગતની સુંદરતા ત્યાગમાંથી જન્મે છે. એ ત્યાગભાવના પર જીવનારા મારા સંઘના અનુયાયી બની શકે. પણ દરેક અનુયાયી સર્વોત્કૃષ્ટ ત્યાગનો નમૂનો બની શકતો નથી. સામાન્ય રીતે ત્યાગધર્મમાં માનનારો ને તે માન્યતા પ્રમાણે યથાશક્ય વર્તનારો વર્ગ તે શ્રાવક ને શ્રાવિકા : કડક રીતે ત્યાગધર્મમાં માનનારો ને માનવા પ્રમાણે વર્તનારો વર્ગ તે સાધુસાધ્વી.”
“પ્રભુ, એમને સાધુપદ આપો !''
મારા લક્ષમાં જ છે ગૌતમ ! તમને અગિયાર પંડિતરાજોને સાધુગણના ધારક તરીકે નિયત કરું છું. સાધુ સમુદાયમાં તમે અગિયાર ગણધરો કહેવાશો. ઇચ્છું છું ને આશીર્વાદ આપું છું કે ચિરંજીવ થઈ ચિરકાળ સુધી ધર્મનો ઉદ્યોત કરશો.*
“મારા દેવ, મને સાધ્વીપદે સ્થાપો !” સભાની એક બાજુથી મિષ્ટ સ્વર સંભળાયો. ખીલતી પુષ્પકળી સમી એક કુમારિકા હાથ જોડીને ઊભી હતી.
કોણ, ચંદના ?”
શું એ ચંદનબાલા છે, કે જેના મૂઠી બાકળા પાછળ શ્રાવસ્તિનાં મેવામીઠાઈ વ્યર્થ બન્યાં હતાં ! એ જ રાજા શતાનિકની પુત્રી વસુમતી ! પ્રભુએ જેની ભિક્ષા સ્વીકારી જીવન-મરણની અટવીઓ ઉલ્લંઘાવી દીધી ! આખી સભા એ કુમારિકા તરફ તાકીને જોઈ રહી.
ચંદના, ત્યાગમાર્ગની પરમ પૂજારિણી ' તથાસ્તુ ! સાધ્વીવર્ગની તું પ્રથમ પ્રવર્તિની !”
ચંદના એ નિરુત્તર રહી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
“મગધરાજ ને અભયકુમાર આદિ મારા શ્રાવકો ને સતી સુલસા ને સતી ચલ્લણ મારી શ્રાવિકાઓ !”
બધાંએ ઊભા થઈ મસ્તક નમાવી સહર્ષ સ્વીકાર કર્યો. અગિયાર પંડિતરાજો સાથે આવેલા શિષ્યોએ સાધુધર્મ અંગીકાર કર્યો. ઘણાએ શ્રાવકધર્મ સ્વીકાર્યો; ઘણી સ્ત્રીઓએ સાધ્વીપદ ને ઘણીએ શ્રાવિકાપદ સ્વીકાર્યું.
“મહારાજ , વતદર્શન કરાવો !'' સભાએ સંઘનાં વ્રતો કેવાં હોવાં જોઈએ તે માટે આદેશ માગ્યો.
“મહાનુભાવો, વ્રતદર્શન કરાવું તે પહેલાં એક વાત જણાવવાની કે દરેક ક્રિયા
શાતપુત્રને ચરણે n 131
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાથી ફળવતી બને છે. અર્થાત્ જે દેવ, ગુરુ ને ધર્મને તમે આચરવા તૈયાર છો, તેમાં તમારી દેવ, ગુરુ ને ધર્મ તરીકેની પૂર્ણ શ્રદ્ધા હોવી ઘટે.* એ દેવગુરુએ રજૂ કરેલાં તત્ત્વોમાં પૂર્ણ શ્રદ્ધા હોવી ઘટે. આ શ્રદ્ધા એટલે સમ્યકત્વ ! આવા સમ્યક્ત્વના ઉપાસક માટે મુખ્ય પાંચ વ્રત છે. આ પાંચ મહાવ્રત એટલે અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ ને બ્રહ્મચર્ય. આ પાંચ મહાવ્રતો સાધુ સાધ્વીએ પ્રાણના ભોગે પણ પાળવાનાં છે. ગૃહસ્થો જરૂરી લઈ શકે છે."
આટલું શ્રવણ કર્યા પછી સભા સમાપ્ત થઈ. રાજા-મહારાજાઓએ સંઘસ્થાપનાનો ઉત્સવ ઊજવ્યો. આ ઉત્સવના પડઘાઓ આર્યાવર્તના ખૂણે ખૂણે પડ્યા. નવક્રાન્તિના પ્રવર્તક જ્ઞાતપુત્રનો સંદેશ ઠેર ઠેર પ્રસરી વળ્યો.
16
મોહપાશ
સવસ્થાપનાની એ છડી સવારીએથી મગધરાજ પોતાના મંત્રી, સામંત ને સરદારો સાથે પુન: રાજગૃહી તરફ પાછા ફરતા હતા. રણોત્રોનો વિજયના જેવો આજના ધર્મવિજયનો આનંદ અપૂર્વ હતો. મહાપ્રભુએ મગધનાં જ બે મહારત્નોને શ્રાવક ને શ્રાવિકાપદે અંકિત કર્યો. પ્રભુએ જાણે આડકતરો આદેશ કર્યો હતો કે મગધના નાથે મહાધર્મનો પ્રચાર કરવો.
અને એ મહાધર્મના પ્રચારની અનેકાનેક શક્યતાઓ મગધને વરી હતી. ચલ્લણી ને નંદા જેમ રાણીઓ, અભય ને નાગથિક જેવા વિશ્વાસુ મંત્રીઓ, મેતાર્ય જેવા શ્રેષ્ઠીપુત્રો અને માતંગ-વિરૂપા જેવી સુંદર બેલડીઓ અહીં હતી. અનેક સુંદર વટવૃક્ષો પાંગરેલાં હતાં કે જેની છાયામાં બીજાં વટવૃક્ષોને પાંગરતાં વાર ન લાગે.
આખી સવારી વનપ્રદેશની શોભા નિહાળતી આગળ વધતી હતી. મગધરાજ જ્ઞાતપુત્રના નવસંદેશને, અહિંસા અને ત્યાગની ભાવનાને રાજ કીય વ્યવહારોમાં કેમ અંતર્ગત કરવી એની કલ્પનામાં મગ્ન હતા.
મગધરાજના ‘સેચનક' હસ્તીની પાછળ જ મહાઅમાત્ય અભય અને નગરશ્રેષ્ઠી મેતાર્યના પડછંદ અશ્વો હતા. મહાઅમાત્યના ચહેરા પર આછી વ્યગ્રતા હતી. સદા સ્વસ્થ ને શાન્ત દેખાતા મહાઅમાત્યના મુખ પરની આ ચિંતાની રેખાએ રેખાઓ પકડી શકાય તેમ પણ નહોતી.
“મંત્રીરાજ , કંઈક વિચારમાં લાગો છો." મેતાર્યે પોતાના અશ્વને જરા વધુ પાસે ચલાવતાં કહ્યું.
વિચાર ?” મહાઅમાત્યે ભારે દિલ ઉચ્ચાર્યું : “મેતાર્ય, વિચાર તો માનવમાત્રને સ્વાભાવિક છે. ચાહો, એ તો આવ્યા જ કરે ને !'
* या देवे देवताबुदिर्गुरो च गुरुतामतिः । धर्म च धर्मधी शुदा सम्यक्त्वभिदमुच्यते ।।
ત્યાગશાસ્ત્ર : હેમચંદ્રાચાર્ય.
132 સંસારસેતુ
Page #76
--------------------------------------------------------------------------
________________
“એમ વાત ઉડાવશો મા ! વિચાર વિચારમાં અંતર હોય છે. મંત્રીરાજના સદા સ્વસ્થ હૃદયને સતાવી રહેલ વિચાર સ્વાભાવિક કે સામાન્ય ન હોય.”
“મેતાર્ય, સાચું છે. મુખ તો માણસના મનનું દર્પણ છે. વિચાર તો બીજો કંઈ નહિ, પણ આ રાજજીવનનો છે. દિવસે દિવસે એમાંથી છૂટવાનો પ્રયાસ કરતો જાઉં છું, તેમ તેમ વધુ ને વધુ એમાં ગૂંથાતો જાઉં છું.”
“એટલે તમે રાજગાદીનો ત્યાગ કરવા ઇચ્છો છો ?” મેતાર્ય આશ્ચર્યમગ્ન બની પ્રશ્ન પૂછી રહ્યો.
“રાજગાદીના ત્યાગનો નિર્ણય થઈ ચૂકેલો છે.”
“મગધનું સામ્રાજ્ય નાનું પડ્યું ?”
“નાનું નથી પડ્યું. એ જીવનનો રસ જ મારામાં રહ્યો નથી. ગૃહસ્થાશ્રમનું જીવન ગાળવા જેમ અમુક રસની આવશ્યકતા છે, એમ રાજવી જીવન ગાળવા માટે પણ અમુક રસ અનિવાર્ય છે. મને તો બધું જ નીરસ ભાસે છે. ખાર પર લીંપણ જેવું લાગે છે.”
“તો શું કરશો ?"
“જ્ઞાતપુત્રના શરણે જઈશ.”
“સાધુ થશો ?” મેતાર્ય અત્યંત આશ્ચર્ય અનુભવી રહ્યો. મહાઅમાત્યના જલકમલવત્ જીવનનો અને નિષ્કામ વૃત્તિનો એ પૂરો પરિચિત હતો પણ એ વૃત્તિ આટલી હદે આગળ વધી હશે, એનો એને ખ્યાલ નહોતો. મગધનું આટલું મહામૂલું સામ્રાજ્ય, છતાં શક્તિ-સામર્થ કોણ આ કીર્તિવંત પદને તજવા સ્પપ્ન પણ સેવે ? મહાઅમાત્ય મગધનાથ બને તો આજના લોકપ્રિય મગધનાથને પ્રજા ક્ષણમાત્રમાં ભૂલી જાય, એટલી તો એમની મોહની હતી.
“અદ્ભુત ત્યાગ !” મેતાર્યથી એકાએક બોલી જવાયું અને એ ઊંડા વિચારમાં ઊતરી પડ્યો.
મહાઅમાત્ય મેતાર્યની પ્રકૃતિ જાણતા હતા. ત્યાગની અત્યંત અભિરુચિ હોવા છતાં ભોગથી ન છટકી શકનારા આ જુવાનની વૃત્તિ તરફ તેમને અત્યંત માન હતું. તેઓએ જરા વધુ નજીક ઘોડો લીધો ને કહ્યું :
“મેતાર્ય, એ ત્યાગની વાત આજે મૂકો. તમને ખબર છે, કે મને બેચેન બનાવી રહેલ તો મારી રોહિણેયને પકડવાની પ્રતિજ્ઞા છે. દિવસો વીતતા ચાલ્યા છે, પણ કંઈ થઈ શક્યું નથી."
“અદ્ભુત લૂંટારો !” પરગુણપ્રશંસાના સ્વભાવવાળા મેતાર્યે કહ્યું : “મહાઅમાત્ય, જો કે એણે મગધની કીર્તિ સામે બાથ ભીડી એટલે તમને રોષ છે : બાકી સુંદર યુવાન 134 D સંસારસેતુ
છે. શૌર્ય સાથે સંસ્કારની સુંદર છાંટ પણ એનામાં છે. તમારા અનુગામી તરીકે...”
“પણ વારુ, મેતાર્ય ! તમારાં તો લગ્ન લેવાયાં છે. દેશદેશની અજોડ સૌંદર્યભરી સાત કુમારિકાઓ તમારી સાથે પાણિગ્રહણ કરશે. મગધનાથ વાત કરતા હતા; કે આ ઉત્સવ અત્યંત ભવ્ય થશે. જોજો મેતાર્ય, સાત સાત સૌંદર્યવતીને પામી જીવનના મહાન આદર્શોને વીસરી ન જાઓ ! મહાઅમાત્ય અભયે વાત બદલી.
“મહાઅમાત્ય, બહુ મોટી દુવિધામાં છું. એક તરફ તમને જોઉં છું, જ્ઞાતપુત્રને નીરખું છું, મહાસતી ચંદના ને સુલસાને સ્મરું છું : ત્યારે આ બધું ફિક્કું લાગે છે. એમ લાગે છે કે બધુંય નીરસ છે. રસ છે કેવળ ત્યાગ, વૈરાગ્ય ને અર્પણમાં ! પણ ક્ષણવારમાં પડદો હટે છે, ને પેલાં મદભર્યાં નયનો ને માધુર્યની મૂર્તિઓ જોઉં છું, ત્યારે કેફ ચડી જાય છે. જાણે એમ લાગે છે કે આ સુંવાળો સહચાર જ જીવનસર્વસ્વ છે ! એને ન છોડી શકાય ! જીવનની બહાર એમાં છે."
“કુમાર, કેટલાક જીવનનું નિર્માણ જ એવું હોય છે, પ્રેરો કે ન પ્રેરો, પણ એ ભોગ તરફ જ ધસવાનું. એવાને ભોગ ભોગવાનું ન કહેતાં વૈરાગ્ય તરફ ખેંચી જવામાં ઘણું જોખમ છે. એવે ટાણે તમને ઊપજતી દુવિધા ઉપયોગી છે. ભોગના કીચડમાંથી એક દહાડો એ યોગ તરફ પ્રેરી જાય છે. કુમાર, હવે મારે જુદા પડવાનો વખત આવી પહોંચ્યો છે. જતાં પહેલાં એક જ વાત કહું છું કે ભોગને પણ મર્યાદા છે, વખત આવ્યે એને પણ છોડી દેજો !''
“મહાઅમાત્ય, ભલે રોજના ગુનેગારને દંડ દેવા આજે સિધાવો, પણ મારા લગ્નમાં અવશ્ય હાજર રહેવું પડશે. એ વિના લગ્નક્રિયા નહીં થાય."
“લગ્નક્રિયામાં વિલંબ પણ નહીં પોસાય કુમાર, મહાઅમાત્યને સાથે જ લઈ લો ! ગજરાજ પર આરૂઢ મગધનાથ આ સંવાદ સાંભળી રહ્યા હતા. તેમણે વચમાં કહ્યું.
“પણ મહારાજ, મહાઅમાત્ય તો આજ્ઞાધીન છે. મગધનાથની આજ્ઞાની વાર છે.” મેતાર્થે મહાઅમાત્ય કંઈ હા-ના ભણે, તે પહેલાં તેમને યુક્તિથી બાંધી લીધા.
“કુમાર મેતાર્યના લગ્ન હોય એ વેળા હાજર રહેવાનાં વગર કહ્યે જ આજ્ઞા કે આમંત્રણ માનવાનાં. મગધના રક્ષકોના બાહુ મજબૂત હશે, તો રોહિણેય જેવો જગનો ચોરટો શું પાતાળમાં જઈને છુપાશે ?”
“બેની વાતચીતમાં ત્રીજો માથું ન મારી શકે એવી ઠીક ચાતુરી વાપરો છો ! પણ કુમાર ! ગુનેગારને જેટલી મોડી શિક્ષા થાય તેટલી પ્રજાને પોતાની વિશેષ નિરાધારતા ભાસે. રાજ્યો શક્તિ પર નિર્ભર છે. જેની દંડશક્તિ જેટલી પ્રબળ એટલી એની પ્રજા નિર્ભય.”
“મગધની પ્રજાને મગધપતિ કે મગધના મંત્રીને હવે નવે નામે નથી મૂલવવાના !
મોહપાશ – 135
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રજાને પૂરો ભરોસો છે કે મગધનો શત્રુ કદી સ્વસ્થ નહીં રહી શકે. આ ઉત્સવ સમાપ્ત થાય કે આપને રજા છે.”
“સારુ, જેવી તમારી ઇચ્છા !” મહાઅમાત્ય અભયે હસતાં હસતાં ન ગમતી વાતનો સ્વીકાર કર્યો.
સવારી વેગથી આગળ ને આગળ વધતી જતી હતી. હાથીઓના ઘંટારવો, અશ્વોના હણહણાટ અને રથોના થરથર અવાજ થી આખો વનપ્રદેશ ગુંજી ઊઠડ્યો હતો.
રાજગૃહી પહોંચવાને હવે થોડો પંથ બાકી હતો. મગધનાથના હસ્તીની પાછળ ચાલ્યા આવતા મંત્રીરાજ અભય અને મેતાર્ય ફરીથી પોતાની ચર્ચાનો પ્રિય રસ-વિષય અધ્યાત્મવાર્તામાં ઊતરી પડ્યા.
“મહામંત્રી, પ્રભુનો ઉપદેશ સાંભળ્યા પછી આ નાતજાત, આ ધનદોલત, આ માયા-મોહ બધા તરફ તિરસ્કાર છૂટે છે. આપણું જીવન જ એવું છે કે જાણે સાદાઈ અને સંયમ સાથે દુશ્મનાવટ ! પેલી વિરૂ પા ને માતંગ ! કેવું સુંદર જીવન ! મહાપ્રભુએ નાત-જાતનાં જાળાં કાપી નાખ્યાં એ સારું જ કર્યું.”
મહામંત્રી, વિરૂપા તરફ તો મને કોઈ એકધ્ધ ખેંચાણ છે. મારી માતાની એ પ્રિય સખી છે. રોહિણેયના હાથે ઘાયલ થઈને મેં એની જે સેવા માણી-ખરેખર મારી માતા માટે પણ એ દુર્લભ છે, આવી અજબ સેવા એના સિવાય કોઈ ન કરી શકે. કોણ ઉચ્ચ-કોણ નીચ ! ખોટા ભેદ, મહામંત્રી ! ઉપદેશ પચાવવો સહેલ નથી. મારા વિચાર અને આચારમાં સરખું સામર્થ્ય હોય એમ મને નથી લાગતું. વિચાર અને આચારમાં ઘણો ભેદ છે. છતાં ખાતરી રાખજો ! એક દહાડો જ્ઞાતપુત્રનો ઉપદેશ ચરિતાર્થ કરી બતાવીશ. મંત્રીવર્ષ, તમારા જેટલું સામર્થ્ય તો દુર્લભ છે.”
કુમાર, સંસારને તો કરોળિયાની જાળ માનજો !” એને પ્રાણાર્પણથી પણ ભેદયાની હોંશ છે.”
વારુ મેતાર્ય ! એક ચર્ચા તમને કહેવાની રહી ગઈ. અમારે વાદવિવાદ ચાલ્યો. એકે કહ્યું સત્ય ને અહિંસામાં પણ વેળા-કવેળા જોવાની ! ધારો કે એક મૃગલું આપણી પાસેથી પસાર થયું. એને જતું જોનાર આપણા સિવાય ત્યાં અન્ય કોઈ નથી. પાછળ જ એક દૂર પારધી આવીને પ્રશ્ન કરે કે મુગલું જોયું ? હવે આપણે શું કરવું? મેં કહ્યું સત્ય કહો તો હિંસા થાય છે; ખોટું કહો તો સત્ય હણાય છે; મૌન સેવો તો પેલો તમારો ઘાત કરે છે. ત્રણમાંથી શું કરવું મેતાર્ય ? આ ચર્ચા ખૂબ રસભરી નીવડી. બોલો, તમે શો જવાબ આપો છો ?”
જીવને માટે પ્રતિજ્ઞા પાળવી, શિકારીને સમજાવવો, ન માને તો પ્રાણનું પણ બલિદાન આપી પ્રતિજ્ઞા જાળવવી !'
શાબાશ મેતાર્ય ! તમારી ભાવના બરાબર છે, પણ ભલા કોઈ એમ પણ કહે કે હરણ જેવા યુદ્ધ પ્રાણી ખાતર મહા પરાક્રમી માણસે શા માટે મરી ફીટવું ?”
સત્ય અને અહિંસાના પાલકને મન કીડી અને કુંજર બધાં ય સરખાં છે. અને એ રીતે સત્ય અને અહિંસાની વેદી પર આપેલું એનું બલિદાન વ્યર્થ જતું નથી ! એ બલિદાનને મૌનની વાચા આવે છે, ને જુગજુગ સુધી એવા હજારો શિકારીઓનું કલ્યાણ કરે છે. મરનાર પાસે અહિંસા માટે અડોલ શ્રદ્ધા જોઈએ.”
આવી જ્ઞાનભરી વાતો કરતા કરતા બન્ને રાજગૃહીના દરવાજામાં પ્રવેશ કરી ગયા. સંધ્યાનો છેલ્લો પ્રકાશ જગત પરથી વિદાય લઈ રહ્યો હતો ને રાજગૃહીની બજારો દીપકોના પ્રકાશથી ઝળઝળી ઊઠી હતી. એક ચોકમાં બન્ને જુદા પડ્યા, મહામંત્રી રાજમહાલય તરફ ચાલ્યા. મેતાર્યે ઘોડાને ઘર તરફ હાંક્યો. પણ એટલી વારમાં કોઈ બાળક તેને કંઈ કહી ગયો.
મેતાર્યો ઘોડો પાછો ફેરવ્યો અને નગરના પાછળના ભાગમાં આવેલા મેdવાસનાં ગૃહો તરફ ચલાવ્યો. રાત્રિને ટાણે મેતાર્ય મેતોના ઘર તરફ શા માટે ? કેટલાક નગરજનોના મનમાં પ્રશ્ન પેદા થયો ને પાછો નિત્યના વ્યવસાયમાં વિલીન થઈ ગયો.
મેતાર્ય ધીરે ધીરે ઘોડો ચલાવતો વિરૂપાને આંગણે જઈ ઊભો રહ્યો. વિરૂપા ઘરમાં દીવો પેટાવી એની સામે એકીનજરે જોઈ રહી હતી. વખતનાં વહેણની સાથે યૌવનની ખુમારી ચાલી ગઈ હતી, પણ પ્રૌઢ અવસ્થાએ તો વળી રૂપાને રંગ ગાઢો કર્યો હતો. એકબે ઝીણી કરચલીઓએ ચહેરાને વધુ દેખાવડો બનાવ્યો હતો. ઓછાં સંતાનને ઓછી સુવાવડો ; બંનેએ એનો ઠસ્સો જાળવી રાખ્યો હતો. છતાં એ ઉન્મત્ત કંઠે, મદભર ચાલ અને રુઆબભેર વાતો હવે નહોતી.
ઘોડાની હણહણાટી સાંભળતાં વિરૂપા દીવો લઈ બહાર આવી, આંગણામાં ઊભા કરેલા ફૂલછોડના ક્યારા ઉપર દીવો મૂક્યો.
“મેતાર્ય, પધારો !' “શા માટે મને યાદ કર્યો ?"
માનું દિલ છે, ભાઈ ! વજ સરીખડી દીવાલોથી બાંધેલા સાગરનો બંધ પણ કોઈક વાર તો તૂટી પડે છે ને ?”
- “કોણ મા છે ? કોના દિલની વાત કરો છો ? કોના સાગરનો બંધ તૂટ્યો ?” મેતાર્યનું દયાળુ દિલ બોલવા લાગ્યું.
કોણ મા ? હું મા, ભાઈ, સંસારમાં દુઃખિયારી માતાનો કંઈ તૂટો છે ?” માનવીના દિલ ઉપર તીક્ષ્ણ કરવત ફરતી હોય અને જેવો સ્વર નીકળે તેવા સ્વરે વિરૂપા બોલતી હતી.
136 3 સંસારસેતુ
મોહપાશ ! 37
Page #78
--------------------------------------------------------------------------
________________
શાણી હસમુખી વિરૂપાના આ વર્તનથી મેતાર્યના મનમાં કંઈક ઊઠ્યું. આ
પહેલાં પણ કેટલાક પ્રસંગોથી મેતાર્યના મનમાં કંઈક શંકાઓ જન્મી હતી. એ ઘોડેથી ઊતરી વધુ નજીક ગયો. એણે કંઈક ગળગળા છતાં મક્કમ અવાજે કહ્યું : “હું ઘણા વખતથી જોઉં છું કે તમે મને જોઈ બેચેન બની જાઓ છો, કંઈનું કંઈ બોલી નાખો છો. ભેદભરી આ રીતે શા માટે ? આટલો મનભાર શા કારણે ?”
“મનભાર ઓછો કરવા ઘણીય મથું છું. કુમાર ! વ્રત તપ પણ કરું છું. શ્રમણોના ઉપદેશમાંય જતાં ચૂકતી નથી, પણ ન જાણે શા માટે આ મનવાસનાનું ભૂત પીછો જ છોડતું નથી.”
“કઈ વાસના ?”
“સંતાનની ”
“તમારે સંતાન ક્યાં છે ? પારકાનાં સંતાન જોઈ શા માટે દિલ બાળો છો ? મરેલાંને વિસારવામાં જ બુદ્ધિમાની છે.”
“કોણ મરેલું ? મારું સંતાન તો જુગ જુગ જીવો !" વિરૂપાની આંખો ફાટી. એ જાણે પાર્થિવ જગતની રહી નહોતી.
“હા, માતા કહેતી હતી કે હું જન્મ્યો તે જ દિવસે તમે પણ એક બાળકીને જન્મ આપેલો. એ મરી ગઈ કાં ?"
“કોણ મરી ગયું ? મારું સંતાન તો જીવિત છે. મારું સંતાન અમર છે. મેતાર્ય, મને એક વાર ચોખ્ખચોખ્ખું કહી દેવાની રજા આપ કે હું તારી મા છું.” વિરૂપા હૃદય પરનો કાબૂ ગુમાવી બેઠી હતી.
“વિરૂપા, શા માટે મૂંઝાઓ છો ? જ્ઞાતપુત્રનો ઉપાસક ધનદત્ત શેઠનો પુત્ર, માતાની પરમ સખીને માતા કહેતાં નહિ શરમાય ! તમને જોયા પછી તો જ્ઞાતપુત્રનો ઉપદેશ સાચી રીતે સમજાયો. ઉચ્ચતા તો તમને પામીને ગૌરવ અનુભવે. કહેવાતી ઉચ્ચતાની નીચતા મેં જોઈ છે. તમે તો માતા કરતાંય મહાન છો."
“મેતાર્યુ, અત્યારે મારી સબબૂધ ઠેકાણે નથી. હૃદયના પહાડમાંથી ક્યાંક લાવા ઊકળવા લાગ્યો છે. કડાકા થાય તો ડરીશ મા ! તું ધનદત્તનો પુત્ર નહિ, મારો ! વિરૂપાનો ! માતંગનો ! મુજ ચંડાલણીનો તું પુત્ર ! બેટા, આ છાતીનાં દૂધ તારા માટે જ હતાં. વચનને ખાતર બીજાને આપેલો ! હા, હતભાગિની વિરૂપા !”
વિરૂપા આટલું બોલતાં બોલતાં ઢગલો થઈ જમીન પર પડી ગઈ. મેતાર્થે એકદમ આગળ વધી એને ઉપાડી આંગણામાં સુવાડી મોં પર પાણી છાંટી કપડાથી હવા નાંખી. થોડીવારમાં એ બેઠી થઈ. ભાનમાં આવતાંની સાથે એ બોલવા લાગી : “મેતાર્ય, રુધિરની માયા વિચિત્ર છે. તારું એક એક હાડકું, તારો એક એક 138 D સંસારસેતુ
અવયવ મારા હાડમાંસનો બનેલો છે. દુનિયામાં થેલામાં ઘેલું પ્રાણી મા છે, નહિ તો ભલા, અર્પણ કરેલી દોલતને કોઈ યાદ કરતું હશે ? પણ બેટા, મૂંઝાઈશ મા ! કીર્તિ અને કુળને સિંહાસનેથી તને નહિ ઉતારી લઉં. એક વાર તને ભેટી લેવા દે ! ધગધગતી આ છાતીને તારા આશ્લેષથી શાન્તિ પામવા દે ! બેટા, આ તારા રક્તકપોલ પર રહેલું ચુંબન ચોડવાનો અધિકાર આ હતભાગનીનો જ હતો. બસ કેવળ એક વાર મા કહેતો જા ! બેટાનો સાદ સાંભળી મોત પણ મીઠું લાગશે.” “વિ...રૂ...પા ! મા કરતાં મહાન છો. તમારી વાણી કંઈ સમજાતી નથી. જરા વિસ્તારથી કહો.”
“વિસ્તારથી સાંભળીશ ? ભલે બેટા, સાંભળ !” વિરૂપા ધીરે ધીરે અસ્પષ્ટ રીતે વાત કહેવા લાગી. એમાં અડધું સમજાયું. અડધી વાત અધિક ગરબડ ઊભી કરે છે. મેતાર્ય બોલ્યો :
“વિરૂપા ! મને મોતના મુખમાંથી પાછી લાવનાર મારી જનેતા સતી વિરૂપા ! તમારી વાણી નથી સમજાતી ! જરા વિસ્તારથી સમજાવો !"
“સમજાવું છું બેટા ! જ્યારે બધી લાજશરમ છોડીને તારી સામે ઊભી છું, પછી શા માટે અંતરના અવરોધને આડે લાવીશ ? બેટા, વાત ટૂંકી છે. ધાર્યું હતું કે આજે થશે ને કાલે ભુલાઈ જશે, પણ એ ન બન્યું. તું જાણે છે કે શેઠાણી અને હું સહિયર છીએ. શેઠાણી સાગરહૃદયા છે. મને નીચને સખી કરી. એ મોટા મનની નારીને હું કેમ વીસરી શકું ? કદીય અમારા સખીપણાને ઊંચનીચની દીવાલો ભેદી શકી નથી. શેઠાણીને સંતાનની અછત હતી. એમના દેહની ગરમી બાળકને જન્મવા ન દેતી. કોઈ જન્મતું તો જીવતું નહિ. ધનદત્ત શેઠને વારસની જરૂર હતી. અને એ જરૂરિયાત માટે તેઓ બીજી પત્ની કરવા માટે પણ તૈયાર હતા. અને એમ થાય તો શેઠાણીને માથે શોક્યનું સાલ ઊભું થાય. કુદરતનો જ એ સંકેત માનું છું કે, અમને બંનેને સાથે મહિના રહ્યા. આ માટે મેં વગર કહ્યુ સોંગન આપીને સોદો કર્યો : મારે પુત્ર જન્મે તો એમને આપવો. એમને જે જન્મે એની માતા મારે બનવું !”
વિરૂપા જાણે વાત કરતાંય થાકી ગઈ હતી. વર્ષો પછી એના અંતરનાં કમાડ આજે ઊઘડતાં હતાં.
“બેટા, એક સુંદર રાતે વેદનાની વાણ્ય પોકારતાં તને જગતના અજવાળાનાં પ્રથમ દર્શન કરાવ્યાં. અમારા સંકેત મુજબ વિશ્વાસુ દાસી નંદા તૈયાર હતી. કુશળતાથી સંતાનની આપલે થઈ ગઈ. શેઠાણીને પુત્રી અવતરેલી, પણ ગરમીથી એ ખદખદી રહી હતી. થોડે દહાડે એ બિચારી પરલોક પ્રયાણ કરી ગઈ. બેટા, તારું એક અંગ મારા હાડમાંસનું છે. નથી ઇચ્છતી કે મને માયામોહ વળગે ને તારું ભવિષ્ય ઘેરું બને; પણ વેળાકવેળાએ મારું મન મારું નથી રહેતું ! તારી પાછળ મોહપાશ D 139
Page #79
--------------------------------------------------------------------------
________________
“મેતાર્ય, ગરીબ માતાનું વચન કદી નહિ ઉણાપે ? ગરીબ મા સદા વહાલી લાગશે ?**
ઘસડાય છે. તું નિર્માલ્ય પાક્યો હોત તો ઝટ વિમરણ થાત. પણ તારી પરાક્રમગાથાઓએ મારી પુત્રમાયાને સજાગ કરી તારા ઓષ્ઠની લાલી ને તારા દેહની સુરખીને ચૂમી લેવાનું મન થાય છે. અરેરે ! નંદા તને લઈ ગઈ એ વેળા બેટા, તારા દેહ પર હાથ ફેરવવા જેટલીય સ્વસ્થતા મારામાં નહોતી. વર્ષો બાદ, આજે આકાંક્ષા મનને ઘેરી વળી છે. માનો અધિકાર ! જનેતાનો હક્ક !”
વિરૂપા આગળ કંઈ ન બોલી શકી. એ દોડીને મેતાર્યને ભેટી પડી. મેતાર્યું પણ વિરૂપાના સ્કંધ પર મસ્તક અવલંબતાં એટલું જ કહ્યું :
મા !” બેટા !” ને વિરૂપા ઘેલી બની મેતાર્યના કપોલસ્થળને ચૂમી રહી.
પરવશતાની એક ક્ષણ ! જીવનની એક મધુરી પળ ! દૂર આંબાવાડિયામાં કોયલે જાણે નાચી ઊઠી. ઉપર નભોમંડળમાં જાણે તારકો આશ્ચર્યમુગ્ધ બની નીરખી રહ્યા,
મોહપાશની એક ઉત્કટ ક્ષણ પસાર થઈ ગઈ, ને વિરૂપા સ્વસ્થ થઈ ગઈ. એ મનોમંથનમાં પડી ગઈ : હાય, હું કેવી નબળી બની ગઈ ! જિગરના ઘા સાચી જનેતા કદી પ્રગટ કરતી નથી. રે, તારી આ ઘેલાઈથી કેટલો અનર્થ થશે ? તું કોને ભેટે. છે ? કોને આલિંગે છે ? વિરૂપા, જાત સંભાળ ! સ્થિતિ ને સમય વિચાર ! રાજગૃહીંના ધનકુબેર, મગધરાજના પ્રિયપાત્ર, મહાઅમાત્યના મિત્ર, અરે ! આવતી કાલે સાત સુંદરીઓના ભરથાર બનનાર સામે આ કેવી ચેષ્ટાઓ !
વિરૂપા આ બધી ઘટનાનો વિચાર કરતી ધ્રુજી રહી. પોતે કેવું કાર્ય કર્યું, એની કલ્પનાથી વિવશ બની રહી.
મેતાર્ય પણ હવે શાન્ત થયો હતો. એણે કપોલ પ્રદેશ પર છાયેલી સ્નિગ્ધતા લૂછતાં કહ્યું :
ત્યારે મારો પિતા માતંગ અને મારી મા વિરૂપા ! મારું કુળ મેત, એમ ને ?”
કોણ દુષ્ટ તને મેત કહે છે ? એની જીભ જ ખેંચી લઉં ?” ફરીથી વિરૂપા આવેશમાં આવી ગઈ : “મેતાર્યને મારો પુત્ર કોણ કહે છે ? એ તો ધનદત્તનું સંતાન ! વિરૂપા કથીર. કથીરની ખાણમાં કંચન ન પાકે !”
મા, મૂંઝાશો નહિ ! મેત કુળ મારે મન હીણું નથી. મારું કુળ જ મેત ! હું તો વિરૂપાનો પુત્ર. જેને શરમ આવતી હોય એ એને છોડી દે. ધનદત્ત મારા પિતા નહિ, ને દેવશ્રી મારી માતા નહિ. કુળ, કીર્તિ ને પૈસો : બધુંય માતાના પ્યાર પાસે ફિક્યું છે. હું મેતાર્ય નહિ, મેતારજ ! મેતોના આંગણાની રજ !”
મૈતાર્યનાં આ લાંબાં વાક્યો દરમિયાન વિરૂપા મનને સ્થિર કરી શકી. એણે મેતાર્યના જવાબનો કંઈ ઉત્તર ન વાળ્યો. એ કંઈક ગંભીર વિચારમાં ઊતરી પડી. થોડી વારે બોલી :
1401 સંસારસેતુ
મા અને ગરીબ ? મા એ મા છે. માનું વચન શિરસાવંદ્ય છે. પરીક્ષા કરવી હોય ત્યારે કરી જોશો !”
“આજે જ પરીક્ષા કરીશ.” ભલે.”
આ ગરીબ માતાની આજ્ઞા છે કે, આ વાતને તારે ભૂલી જવી. ફરીથી ધનદત્તના પુત્ર બની જવું ! વિરૂપા તારી કોઈ નહિ, એમ સ્વીકારી લેવું.”
હવે ન બને !”
તો માતાની આજ્ઞા શિરસાવંદ્ય શાથી? મેતાર્ય, જા ચાલ્યો જા. માતાને દુઃખી કરીશ મા ! માતંગ આવતો હશે. એનું હૈયું ભાંગે તો જન્મોજન્મમાં પણ મારું કલ્યાણ ન થાય !”
બીજાનું હૈયું સાબૂત રાખવા પોતાનું ભાંગવું ?”
હા, બેટા ? ઘણીવાર પોતાનું ભાગીને જ પારકાનું સાબૂત રાખી શકાય છે. પ્રકૃતિનો જ એ ક્રમ છે. જગત આખું એકબીજાના ત્યાગ પર નભે છે. પહાડ પોતાના વજ જેવા હૈયાં ભેદીને જ શુભ્રસલિલા ગંગામાતાને માર્ગ આપે છે. આ ગંગામાતા પવિત્રતમ પૃથ્વીને રસવતી બનાવવા ઠેર ઠેર વહેતી આખરે ખારા સાગરમાં સમાય છે, કોઈ કહેશે કે, અરેરે ! મીઠા જળને ખારા જળમાં ભેરવી દીધું, એવું ગાડું કાર્ય તે કંઈ બલિદાન કહેવાય ! કુમાર તું તો ડાહ્યો છે, વિદ્વાને છે. તું જાણે છે કે, એ બલિદાન જ ફરી વર્ષાનાં વાદળો લાવે છે : ખારા સાગરનાં પાણી ફરી મીઠાં બની બધે વરસી પડે છે. સૂકી ધરા શસ્યશ્યામલા બનીને નાચી ઊઠે છે.”
મા, અભણ છતાં આટઆટલું જ્ઞાનમંથન ?”
બેટા, એ મંતન જ મારા જીવનનું સર્વસ્વ રહ્યું છે. એ વિના હવે જિવાય તેમ નથી. પણ મેતાર્ય, ખબરદાર હવે મને મા કીધી છે તો ? ન તું પુત્ર ને હું માતા ! મારી સખીના જીવનને જો હાનિ પહોંચાડવા પ્રયત્ન કરીશ, તો ભવોભવ તારું ભલું નહિ થાય. મેતાર્ય, આજની આ મારી નબળી ક્ષણો માટે મને માફ કર !”
“માં...” આવેલો શબ્દ અડધે ગળી જતો મેતાર્ય બોલ્યો : “કોણ માફ કરી શકે ? મગધની એક સામાન્ય મત નારીના જેટલી સમર્પણની તાકાત મગધના વીરોમાંય નથી. વધુ નથી કહેતો. તારી ઇચ્છા મુજબ થશે.”
કલ્યાણ થજો તારું ! બસ, હવે જલદી પાછો ફર !” આકાશના તારાઓ સામે મીટ માંડતાં વિરૂપાએ ઉચ્ચાર્યું, જાણે એ આકાશના
મોહપાશ D 141
Page #80
--------------------------------------------------------------------------
________________
વિસ્તૃત પટ પર જીવનકથાનો વધુ ભાગ એકિત કરી રહી હતી.
ધીર ગતિએ મેતાર્ય અશ્વ પાસે આવ્યો ને મંદ ગતિએ તેના પર આરૂઢ થયો. એના મસ્તિષ્ક પર જ્ઞાતપુત્રના વૈરાગ્યની, મંત્રીરાજ અભયના ગાદીત્યાગની અને વિરૂપાના સર્વસ્વત્યાગની વાતો હથોડા મારી રહી હતી.
જગત કેટલું મહાન, ત્યારે પોતે કેટલો શુદ્ર ! બધાંય એક ઉચ્ચ આદર્શની પાછળ ઘેલાં બન્યાં હતાં, ત્યારે એને સંસારસુખનાં, સૌંદર્યપિપાસાનાં, સમૃદ્ધિ-વૈભવભોગનાં સ્વપ્નમાં આવી રહ્યાં હતાં. પણ ભલા, આવી કવેળાએ એને સંતાપ કરાવવાનું વિરૂપાને શું કારણ મળ્યું ? એક માતા થઈને પુત્રના સુખમાં શા માટે નાનો એવો સંતાપનો કીડો સળવળતો કર્યો ?
વિરૂપા પાસે એનો કંઈ ઉત્તર નહોતો, પણ ઉત્સવઘેલું માનવમન એનો ઉત્તર દઈ રહ્યું હતું. કુમાર મેતાર્યના લગ્નોત્સવની છેલ્લા કેટલાક દિવસોથી ઝડપભેર તૈયારીઓ થઈ રહી હતી. મગધરાજ વગેરે જ્ઞાતપુત્ર સર્વત્તપદને પ્રાપ્ત થયા હોવાથી તેમના દર્શને મહસેનવન તરફ ગયેલા હોવાથી તેમના જ આગમનની રાહ હતી. ઉત્સવની તૈયારીઓ દિવસે દિવસે સંપૂર્ણ થઈ રહી હતી.
એ ઉત્સવમાં માતા તરીકે શેઠાણી અગ્રભાગ લેશે. ધનદત્ત શેઠનો સુંદર પુત્ર અશ્વે ચડશે, વિશાળ મસ્તકવાળા, આજાનબાહુ મેતાર્યને જોઈ સહુ માતાપિતા માટે પ્રશંસાનાં પુષ્પો પાથરશે. નગરનાં નારીવૃંદો હોંશભેર શેઠાણીને બિરદાવશે, શેઠનાં પ્રશંસાગીત ગાશે ને મંગળ મંગળ વર્તી રહેશે. એ વખતે વિરૂપાનું સ્થાન ક્યાં ? શેઠાણી કહેતાં હતાં કે એનું સ્થાન અગ્રગણ્ય હશે. પોતાની સાત સાત પુત્રવધૂઓ સહુ પ્રથમ એના ચરણે નમશે. પણ વિરૂપા એ ઇચ્છતી નહોતી.
એ તો પોતાનું સ્વયંનિર્મિત સ્થાન શોધી રહી હતી. એ સ્થાનની શોધ અકારી હતી. એકાદ શેરીના ખૂણે ઊભા રહી. આઘેથી આશીર્વાદ આપવા સિવાય એના ભાગ્યમાં બીજું નિર્માણ નહોતું..
આવી વેળાએ માનવીને પોતાનાની પીડ ઊપજે એ સ્વાભાવિક હતું. એવી પીડથી જ વ્યાકુળ બની એણે આ પગલું લીધું હતું. જગત મેતાર્યને વખાણે, ભેટે, ચૂમે – એ પહેલાં ચૂમવા ને ભેટવા એણે મેતાર્યને બોલાવ્યો હતો.
પણ બોલાવ્યા પહેલાંની ક્ષણો ખૂબ જ કઠિન ને દુઃખદાયક હતી. એમાં ને એમાં શરીરે ઘસાતું ચાલ્યું હતું.
દાંપત્યનો પ્રારંભિક વિકાસ મોટેભાગે સ્કૂલ વાસના પર હોય છે, છતાંય માનવીને ગાલ સદા ગુલાબ લાગતા નથી, ને ઓષ્ટ પરવાળાં સમા ભાસતા નથી. વાસના એક દહાડો થાકે છે, ને ત્યારે દાંપત્યને સદા તાજું રાખવા સંતાનની જરૂર ઊભી થાય છે. એ વેળા સંતાનના ગાલની લાલી અને અધરોનાં પરવાળાં પતિ
1423 સંસારસેતુ
પત્નીની ચર્ચાનાં ને ચુંબનનાં વિષય બને છે.
વિરૂપાના મદભર દેહસૌંદર્ય માતંગને આજ સુધી કશો જ વિચાર કરવા દીધો નહોતો. થોડું ભણેલો, છતાં વધુ ગણેલો માતંગ વિરૂપાના મોં પર ઝૂમતી એક અલકલટ ઉપર પ્રેમગીત ગાવા લાગી જતો. અને એનું જ કારણ હતું કે વિરૂપા માતંગ ઉપર આધિપત્ય રાખતી.
છતાં માતંગને રૂ૫દીવાનો ઠરાવીએ, તો એટલે પણ એકપક્ષી ન્યાય થયો ગણાય. માતંગ મંત્રસિદ્ધોનો રાજા હતો. એના લાંબા વાળ કંઈ વિરૂપાથી ઓછા રૂઆબદાર નહોતા. કાને કુંડલ, હાથે બાજુ બંધ પહેરીને છૂટા કેશે એ ફરતો, ત્યારે સાક્ષાત્ કામદેવનો અવતાર લાગતો. અલબત્ત, મેતની જાત એ વેળા હલકી હતી, પણ વેદમંત્ર સિવાય એ બધું ભણતી, અધિકાર ભોગવતી. એમાં પ્રભુ મહાવીર મળ્યા. ઊંચ-નીચની દીવાલો કડડભૂસ કરતી જમીનદોસ્ત થઈ. મેતોનો બેડો પાર થયો.
વિરૂપા ને માતંગ એવાં ધર્મશ્રેષ્ઠ મેત હતાં. એમનું દાંપત્ય અખંડિત હતું, પણ હવે વાસનાનો થાક લાગ્યો હતો. ઘણી વાર બન્નેના મનમાં થયો કરતું કે આપણો આ મહેલને કોઈ નવા થાંભલાની જરૂર છે. આપણો જીવનમાં રસ પૂરનાર કોઈ નવું તત્ત્વ ઉમેરાવું ઘટે.
દિવસો વીતતા ગયા, પણ એમાંનું કંઈ ન બન્યું. માતંગ કંઈક નિરાશ રહેતો જણાયો. એની નિરાશા દૂર કરવા મેતાર્યને બધો ભેદ કહી દેવા બોલાવ્યો.
પણ આખરે સ્ત્રી તે સ્ત્રી ! એણે શેઠાણીના દિલ પર થનાર વજપાતની કલ્પના કરી અને મેતાર્યને આ રહસ્ય કોઈને ન કહેવાના સોગન સાથે વિદાય કર્યો.
મોહપાશ 143
Page #81
--------------------------------------------------------------------------
________________
17
રંગમાં ભંગા
મતાર્યના કેટલાક દિવસો આ પછી ઉગ્ર મનોવ્યથામાં વીત્યા. પ્રેમ અને સૌંદર્યથી ભરીભરી લાગતી આ સંસારની સપાટીની નીચે પણ એક અજબ સ્રોત વહેતો હોય છે, એની એને વિચારણા થવા લાગી.
સંસારની શેરીઓમાં જે પ્રેમ છે, જે પ્રેમથી પિતા પુત્ર માટે મરે છે, ને પુત્ર પિતા માટે બલિ આપે છે, પત્ની પતિ માટે સતી થાય છે, ને પતિ માટે જીવતી ચિતામાં જલે છે; એ અવશ્ય પ્રેમ હશે : પણ એથીય ઊંડાણમાં ઊતરીએ, તો એ પ્રેમ નથી લાગતો. મેતાર્યને લાગ્યું કે એ સ્વાર્થની કંઈક માયાજાળ છે. મમતાના ઉધામા છે.
પેલો પ્રેમ તો નિર્વાજ, નિર્દભ, નિર્મળ બની પોતાના પ્રેમપાત્રને વધાવે છે. એને ભાવીની કોઈ આશા કે વર્તમાનની કોઈ શુભેચ્છાની આકાંક્ષા હોતી નથી.
વિરૂપાએ એવો પ્રેમ ચરિતાર્થ કરી બતાવ્યો. એ પ્રેમમાં નબળાઈ નહોતી, કીર્તિલોભ કે અર્થલોભ નહોતો. એણે પોતાની વાડી ઉજ્જડ બનાવીને ધનદત્ત વ્યવહારીઆની વેરાન વાડીમાં અમૂલખ છોડ વાવ્યો હતો. આ ઓછું શૌર્ય નહોતું. શત્રુની લોહીપિપાસા માટે શસ્ત્રોથી ખૂનખાર જંગ ખેડતા યોદ્ધા કરતાં આ જંગ સામાન્ય નહોતો.
મેતાર્ય જેમ જેમ વિચાર કરતો ગયો એમ એમ એને વિરૂપા અત્યંત મહત્ત્વશાલિની લાગવા માંડી. ધનદત્ત અને પોતાની માતા એની પાસે ફિક્કા લાગવા માંડ્યાં. વિરૂપાના શબ્દોમાં જે માર્દવ ને દર્દ હતું એ બીજે નહોતું. પોતાને ‘બેટા’ કહીને સંબોધતાં એની આંખોની કીકીઓ જે નૃત્ય કરતી ઊઠતી, એ વર્ણવવું અશક્ય હતું.
મેતાર્ય વધુ ને વધુ લાગણીપ્રધાન બનતો ચાલ્યો. એને અંતરમાં લાગી આવ્યું
કે, શા માટે જેના ઉદરમાં માંસ-મજ્જાથી આ હાડચામ બંધાયાં, એના પુત્ર થઈ ન જવું ? આ વિદ્વત્તા, આ કુશળતા, આ નિપુણ વ્યાવહારિકપણું શા માટે ભરેલામાં ભરવા માટે વ્યય કરવું ? શા માટે મેતકુળોને બુદ્ધિ, લક્ષમી ને કીર્તિથી ઉજ્જવળ ન કરવાં ? શા માટે આ બાહુઓની પ્રચંડ તાકાતથી ને આ કુશાગ્ર બુદ્ધિથી દરેક મતનું ઘર સમૃદ્ધિથી ભરી ન નાખવું ? કુળસેવા, માતૃપિતૃ સેવા શું એ નથી માગતી ? મેત બનીને જીવતાં મેતાર્યને શા શા અંતરાયો નડશે ? અને નડશે તોયે મહાસતી ચંદના જેવી રાજકુંવરીને અધમ દાસીપદથી તો ઓછાંને ! જે એક કોમળ સ્ત્રી કરી શકી, એ કઠોર પુરુષ નહીં કરી શકે ?
| વિરૂપા ! વિરૂપા ! મેતાર્ય ઊભો થઈ ગયો. ખંડમાં ચારે તરફ આંટા મારવા લાગ્યો, ત્યાં જાણે કોઈ પોકાર પાડીને કહેતું લાગ્યું :
કુમાર ! વિરૂપાની વાત ભૂલી ગયો ? તું જેને મા માને છે, એની જ આજ્ઞા વીસરી ગયો ? ઘેલી વિરૂપાના એ વ્યર્થ બકવાદને આજ પછી તારે કદી સ્મરવો નહિ ! તું શ્રેષ્ઠીપુત્ર ! પ્રખ્યાત ધનદત્ત વ્યવહારીઆનું પુત્રરત્ન, જીર્ણશીર્ણ થયેલ વિરૂપાના દિલને શાતા પહોંચાડવા તારે આટલું કરવું જ રહ્યું ! ઊર્મિલ ન થતો, કુમાર ! એ જ ઊર્મિલતા વિરૂપાના દેહને ખાઈ ગઈ ! એના તનમનના રસકસ ચૂસી લીધા. ઘણીય વંધ્યા સ્ત્રીઓને સંસાર ઉજાળતી મેં નીરખી છે ! વિરૂપાના નસીબમાં એવું કંઈય રાખતો જા ! શાન્ત થા ! સ્વસ્થ થા ! રાજગૃહીનાં અતિથિગૃહોમાં તને વરવા હોંશે હોંશે આવેલી પેલી સાત સુંદરીઓનો વિચાર કર ! જરા નીચે વાગી રહેલાં વાઘોના મીઠા સ્વર તરફ લક્ષ આપ ! કેવા મીઠા સૂર ! કેવો મધુર સમય !”
અદૃષ્ટ રીતે અપાઈ રહેલ આ ઠપકો જાણે મેતાર્યને લાગ્યો. એણે નીચે નજર કરી.
અને વાત સાચી હતી. ભવનના મોટા ચોકમાં વિવિધ જાતનાં વાજિંત્રોના સૂર બેવડાઈ રહ્યા હતા. નટ, નર્તકી ને મલ્લો આજના ઉત્સવમાં વિવિધ પ્રકારે મનોરંજન કરવા તૈયારી કરી રહ્યા હતા. કથક, રાસક ને આખ્યાતાઓ વિવિધ પ્રકારની વાણી વડે પ્રશંસાભર્યાં કથાનકો ઉચ્ચારી રહ્યા હતા. હય ને રથીઓની હારમાળા ખડી હતી.
અપૂર્વ એવો ઉત્સવ આજ રચાયો હતો. ગ્રામ, નગરપુરપાટણ, આકર, દ્રોણમુખ ને દૂરદૂરના મંડપોમાંથી* પ્રજનકુળો જળના સ્રોતની જેમ ચાલ્યાં આવતાં હતાં. ધનદત્ત વ્યવહારીઆનો વ્યવહાર દૂરદૂરના દેશો સાથે ચાલતો હતો. એ દેશોથી પણ ઘણા વ્યવહારીઆ રાજગૃહી આવ્યા હતા.
* ગ્રામ-ફરતી વાડી હોય તે. નગર-રાજધાની ક્યાં હોય તે પુરપાટણ-જળ ને સ્થળના માર્ગ જ્યાં હોય તે દ્રોણમુખ-જળમાર્ગ હોય તે. મંડપ-અઢી ગાઉં ફરતાં ગામ ન હોય તે પ્રદેશ,
રંગમાં ભંગ 145
Page #82
--------------------------------------------------------------------------
________________
ધન, લક્ષ્મી ને લાગવગ આજે છૂટે હાથે વપરાતાં હતાં. મગધેશ્વર મહારાજ શ્રેણિકે પણ પોતાના રાજભંડારો ખુલ્લા મૂક્યા હતા. રાજશાહી સાધનોનો ઉપયોગ છૂટથી થઈ રહ્યો હતો. ખુદ ઇંદ્ર પોતે અમરાવતી વીસરી જાય એવી શોભા રચાઈ હતી. મેતાર્ય માટે ચાર ઘંટવાળો અશ્વરથ આણવામાં આવ્યો હતો. રથના આગળના ભાગમાં સુંદર શિલ્પવાળા બે કળાયેલ મોર ચીતર્યા હતા. સુવર્ણરસ્યાં એના મોરપિચ્છમાં નીલમ જડ્યાં હતાં, અને એની ચાંચ સ્ફટિકની બનાવી હતી. મણિમુક્તાજડ્યું છત્ર હવાની મંદમંદ લહરીઓ સાથે ડોલી રહ્યું હતું. રથનાં ચક્રો પર રૂપેરી ઘૂઘરીઓ હતી. ચાર સુંદર અશ્વો ઊભા ઊભા મદથી જમીનને ખોતરી રહ્યા હતા.
અને આવું જ દૃશ્ય રાજગૃહીને પાદર દેશદેશથી વરવા આવેલી કન્યાઓના વાસસ્થાનનું હતું. હય ને રથીના હણહણાટ ત્યાં નહોતા; પણ શાહી મહેમાનગૃહના આંગણામાં સાત સુંદર શિબિકાઓ ચતુર દાસદાસીઓને હાથે શણગારાઈ રહી હતી. કોની શિબિકા સર્વશ્રેષ્ઠ એની જાણ્યે-અજાણ્યે હોડ આદરી હોય એમ લાગતું હતું. સ્ફટિકની મૂર્તિઓ જેવી સાત સાત સુંદરીઓ વારે વારે આકાશ સામું જોતી શણગાર સજી રહી હતી. ગોરજ સમયે પ્રસ્થાન મુહૂર્ત હતું. મુગ્ધાવસ્થાની લાલપ તમામની દેહ પર રમી રહી હતી. કયા અંગને કઈ ઉપમા ઓપશે એની જ મૂંઝવણ થતી હતી.
સૌંદર્યની સાકાર મૂર્તિઓ જેવી આ સુંદરીઓમાંથી કોઈ પોતાનાં સંપૂર્ણ વિકસિત કમળ જેવાં નેત્રોમાં કાજળની રચના કરતી હતી, તો કોઈ પોતાના સ્નિગ્ધ ને ફૂલગુલાબી કપોલકથળ પર કસ્તૂરી વગેરે સુંદર દ્રવ્યોની પત્રલેખા રચતી હતી. કદળીદળ જેવા કોમળ પગમાં ઘૂઘરીઓવાળા નુપૂર કમનીય કટીપ્રદેશ પર સુવર્ણ કટીમેખલા ને હસ્તમાં કાવ્યની એક એક પંક્તિ સમાં વલય પહેરી રહી હતી. વગર શૃંગારે સૌંદર્યનો અવતાર લાગતી સુંદરીઓ શૃંગારસૌષ્ઠવથી સ્વયં રતિસ્વરૂપ બની બેઠી હતી. સામાન્ય નજરે જોનારને પણ સ્વાભાવિક લાગતું કે કુમાર મેતાર્યનાં ભાગ્ય ખીલ્યાં છે.
ધીરેધીરે સૂરજ પશ્ચિમાકાશમાં ઢળતો ચાલ્યો. ગગનમાં ગોખ પર મુગ્ધૌવના સંધ્યા પોતાની ગુલાબી લાલી પ્રસરાવતી ડોકિયાં કરવા લાગી. બરાબર આ વેળાએ ગુલાબી લાલીને ઝાંખી પાડતી આ સાત સુંદરીઓ શિબિકાઓમાં સ્થાન લેવા લાગી.
સેવકોએ સુગંધી તેલોથી મહેકતી મશાલો પેટાવી. શિબિકાઓમાં હવાની લહેરોમાં મંદમંદ ઝૂલી રહેલા હીરામોતી ને સ્ફટિકનાં નાનાં નાનાં સુંદર ઝુમ્મરો એકાએક હજારો પ્રતિબિંબ પાડી ઊઠ્યાં ને એ શિબિકાની બેસનારીઓના ચહેરા પર તેજનાં અપૂર્વ કિરણો વેરવા લાગ્યાં.
વાજિંત્રોના નાદે પ્રસ્થાનને વધાવી લીધું. 146 D સંસારસેતુ
નગરના પ્રત્યેક આંગણાંમાં રંગોળી પૂરવામાં આવી હતી. આસોપાલવનાં તોરણો ને સુગંધી ઇન્નભર્યા દીપકોની દીપમાળ રચવામાં આવી હતી. ધનદત્ત શ્રેષ્ઠીએ પોતાના સાત ખોટના એકના એક સંતાન માટે દેશવિદેશમાંથી વિધવિધ દેહશોભા ધરાવતી કેવી સુંદરીઓ આણી છે, એ જોવાની સહુને અત્યંત ઉત્સુકતા હતી.
ચિંતાજર્જરિત દેહવાળી વિરૂપા પણ આજે અત્યંત ઉત્સાહમાં હતી. ધનદત્તશેઠને ત્યાંથી તેડું આવી ગયું હતું. પણ હવે એણે મમતા સ્વચ્છંદે ચડે એવા પ્રસંગો ટાળવાનો નિર્ણય કર્યો હતો. એટલે એ પણ બજારમાં બેસીને જોવાની ઇચ્છા ધરાવતી હતી.
ગોરજ સમય થઈ ચૂક્યો હતો. વાતાવરણ વરવહુના પ્રસ્થાનની જાહેરાત કરતાં વાજિંત્રનાદથી ગુંજી રહ્યું હતું, વિરૂપાએ જલદી કરી હતી, પણ ન જાણે માતંગને આવવામાં આજે વિલંબ થયો હતો.
એ પરસાળમાં ઊભી ઊભી માર્ગ તરફ જોઈ રહી હતી. થોડીવારમાં મોટી ફલાંગો ભરતો માતંગ આવતો દેખાયો. માતંગ હવે અવસ્થામાં પ્રવેશતો હતો, પણ એનો રુઆબ જરાય ઓછો નહોતો થયો, બલ્કે રૂપસુંદર માતંગ હવે કંઈક ભવ્ય લાગતો હતો. ધોળી છાંટવાળાં એનાં ગૂંચળાવાળાં ઝુલ્ફાં અને રોહિણેયના હાથે કપાળમાં થયેલા ઘાનું લાંબું ત્રિશૂળ મનહર મેળ ખાતાં હતાં. એની સામે વિરૂપાચિંતાની જલતી ચિતામાં પોતાના દેહને રોજબરોજ શેકી રહેલી વિરૂપા કંઈક ફિક્કી, નિશ્ચેતન ને ઉમરવાન દેખાતી હતી.
માતંગ આવ્યો ખરો, પણ એના મનમાં કંઈક ઘોળતું હતું. એની આંખમાં કંઈ આવી ભરાયું હોય એમ એ વારેઘડીએ આંખો ઉઘાડમીંચ કરતો હતો ને જાણે કોઈ નીરસતા અને થકવી રહી હોય તેમ બગાસાં ખાતો હતો. પોતાની આ સ્થિતિ વિરૂપા ન કળી જાય એ માટે પુરુષત્વસૂચક હાસ્ય લાવી એણે કહ્યું :
“વિરૂપા, હવે તો તું ડોસી થઈ ગઈ લાગે છે !"
“પણ તને ક્યાં ડોસા થવું ગમે છે ?” વિરૂપાએ નિરૂત્તર બનાવી દે તેવો સામો કટાક્ષ કર્યો. દંપતીઓની ભાષા ઘણીવાર સાદી નજરે અર્થહીન ને સામાન્ય લાગે છે, પણ એમાં ઊંડે ઊંડે ઘણો અર્થ ભરેલો હોય છે.
વિરૂપાનો કટાક્ષ માતંગ સમજી ગયો, એણે ધીરેથી કહ્યું :
“વિરૂપા, તું ડોસી થા એટલે મારે ડોસા બનવું જ રહ્યું ને ! પણ...” બોલતો બોલતો માતંગ થોભી ગયો.
“પણ શું ? કેમ થોભી ગયો ?"
“ોભી એટલા જ માટે ગયો કે આપણે પણ આ મૈતાર્ય જેવો એક પુત્ર હોત
રંગમાં ભંગ D 147
Page #83
--------------------------------------------------------------------------
________________
ને, તો આવો જ લગ્નોત્સવ રચત. અરે, પુત્ર નહિ ને એકાદ પુત્રી પણ હોત ને, તોય મેતાર્ય જેવો વર શોધી લાવત !"
“તારી દીકરી ને મેતાર્ય જેવો ?" વિરૂપાએ માતંગની મનની સ્થિતિ પારખી લીધી. એણે જરા કટાક્ષ કર્યો.
“વિરૂપા ! ગાંડો નથી થયો. બાકી, હવે વાતો ગમે તેટલી કરું તેથી શું વળે ? વિદ્યા ને રૂપ બે હોય તો આજે કુળ તો ખાંડ ખાય છે ખાંડ ! પણ હવે એવી વાતો આપણને બંધ કરવી શોભે."
“શા માટે ?”
પેલા વેદપાઠી કહેતા હતા કે અપુત્રીયા માણસને નરક મળે છે. એણે જીવતાં પ્રાયશ્ચિત્ત કરવું પડે !”
“ત્યારે તો બ્રહ્મચારીઓની દુર્ગતિ એમ ને ?”
ના, ના, આ તો પરણેલાની વાત છે.” “પરણેલામાં આપણા પરમ પ્રભુ ! બોલ, છે કંઈ જવાબ ?”
માતંગ એકદમ ઊંડી વિમાસણમાં પડી ગયો. એ થોડીવારે બોલ્યો : “વિરૂપા, હું ગાંડો થયો છે, એ વાત જાતે જ કબૂલ કરી લઉં છું. અહા, હું અંધકાર રાખતો હતો કે પરમ પ્રભુના સિદ્ધાંતો બરાબર લક્ષમાં રાખું છું, પણ એ મારું અભિમાન આજે મેતાર્યને જોઈ ગળી ગયું. પણ એક વાત ચોખ્ખી કહી દઉં, વિરૂપા ! ગમે તેમ પણ પુત્રની વાત સાંભળી મને કંઈ કંઈ થઈ જાય છે, જીવતો કે મરેલો એક પુત્ર હોત ને તોય...” અને માતંગ વિચારમગ્ન બની પરસાળમાં જ નાની એવી માટીની પાળીના ટેકે બેસી ગયો.
શાન્ત અને સ્વસ્થ બની બેઠેલી વિરૂપાને પતિપ્રેમે પુનઃઅસ્વસ્થ બનાવવા માંડી. એણે વિચાર કરવા માંડ્યો કે માતંગને હવે બીજી માયા તો નથી, ત્યારે ભલે એ પણ રહસ્ય જાણી લે !
અને પતિપ્રેમમાં ભાન ભૂલેલી વિરૂપા વીસરી ગઈ કે જે વાત પર એ ભૂતકાળનો વજપડદો પાડવા ઇચ્છતી હતી એ જ વાત પોતાને હાથે સજીવ બનતી જાય છે. એ ધીરેથી માતંગની નજીક સરી અને એના લાંબા કેશ ઉપર હાથ ફેરવતી અત્યંત વહાલથી બોલી :
માતંગ, કાન ખોલીને સાંભળી લે. તારે પુત્ર છે. જીવતો છે. બસ, હવે દિલની બેચેની ટાળી દે !”
વિરૂપા, છોકરાને ફોસલાવવા બેઠી છે ?"
ફોસલાવતી નથી, તારે પુત્ર છે, અને તે પણ આ જ, જેને તું જમાઈ બનાવવા ચાહે છે.”
148 D સંસારસેતુ
વિરૂપા, સંસારમાં દ્રવ્ય ઉધાર લાવી શકાય છે, પુત્ર નહિ ! કદાચ મેતાર્યને આપણો પુત્ર બનાવીએ, પણ ભલા ધનદત્ત શેઠ પાસે ઉધાર આપી શકે એટલી પુત્રસંપત્તિ જ ક્યાં છે ? મને ઘેલો ન બનાવ !'
હું ઘેલો નથી બનાવતી, મારા નાથ ! એક અક્ષમ્ય અપરાધનો એકરાર કરવા બેઠી છું, માતંગ, એ મારો અપરાધ સાંભળી તારી સૂધબૂધ ગુમ થઈ જશે. તારું લોહી પળવાર ઊકળી જશે. બોલ, મને માફ કરીશ ?”
વિરૂપાનાં મોટાં સ્વચ્છ સ્ફટિકશાં નયનોમાં આંસુ ઊભરાયાં હતાં.
વિરૂપા, તને માફ ?" વિરૂપાના પડી ગયેલા ચહેરાને જોઈ વ્યગ્ર બની ગયેલ માતંગે એકદમ એને પાસે ખેંચી. “વિરૂપા તારો અપરાધ ? વિરૂપા અને વળી અપરાધ ? મારી વિરૂપા કંઈ સંસારમાં શોધી જડે એમ છે ? કોઈ દહાડો નહિ ને આજે આવી મને મૂંઝવનારી વાત કેમ ?”
મેં તારો ભયંકર અપરાધ કર્યો છે.” “મારે મન અપરાધ પણ અંતરનું વહાણ બનશે.” “તો સાંભળી લે ! મેતાર્ય તારું સંતાન છે !”
ચિત્તભ્રમ તો નથી થયો ! ને માણસ નબળું થાય ત્યારે આવા જ ચાળા સૂઝે છે. ગાંડી, લોકો સાંભળશે તો હાંસી કરશે.”
“કરવા દે, પણ તને સ્પષ્ટ કહું છું કે મેતાર્ય તારું સંતાન છે. આપણા નેહજીવનની એ પહેલી ને છેલ્લી યાદ છે.”
“મેતાર્ય આપણું સંતાન ? અસંભવ જેવી બીના !'”
આમ આવ, માતંગ ! તને આખો ઇતિહાસ સંભળાવું, પછી તારે જે શિક્ષા કરવી હોય તે કરજે ! હું સુખેથી રહીશ.'
ઊંચી પરસાળની આડમાં બે જણાં અડોઅડ બેસી ગયાં. વિરૂપાએ ધીરે ધીરે બધી વાત કહેવી શરૂ કરી.
વાત વધતી ચાલી : માતંગને આશ્ચર્ય ને આઘાત લાગી રહ્યા છતાં એ સ્વસ્થ બેઠો રહ્યો. બધી ઘટના વર્ણવીને આખરે પરિસમાપ્તિ કરતાં વિરૂપાએ કહ્યું :
માતંગ, આખો સંસાર પરસ્પરના સમર્પણ, ત્યાગભાવ ને ઔદાર્યથી નભે છે. આપણે સંસારમાં બીજી શી ભલાઈ કરી શકવાનાં હતાં ?”
માતંગ સ્તબ્ધ હતો. આકાશથી વજપાત થાય ને માનવી ઊભો ને ઊભો થીજી જાય તેમ.
“માતંગ, તું મને ગમે તે શિક્ષા કરી શકે છે. તારાથી આજ સુધી ગુપ્ત રાખવા મથતી ઘટનાનો મને હંમેશાં ચાંપતો ભાર તો હળવો કર્યો."
રંગમાં ભંગ 149
Page #84
--------------------------------------------------------------------------
________________
“શિક્ષા !” માતંગ હજી સ્વસ્થ નહોતો : “વિરૂપાને – મારી વિરૂને શિક્ષા ?’’ માતંગ મોટા ડોળા ચારે તરફ ઘુમાવવા લાગ્યો. વિરૂપાના અંતરમાં ભયની આછી કંપારી વહી ગઈ.
“શિક્ષા ! બરાબર શિક્ષા કરીશ ! આમ આવ વિરૂપા !”
દૂર સરેલી વિરૂપા સહેજ નજીક ગઈ.
“આ તારી શિક્ષા !” ને મોટે અવાજે બોલતા માતંગે વિરૂપાને છાતી સાથે
દાબી દીધી.
આકાશના પટ પરથી સંધ્યા વિદાય લઈ ગઈ હતી, ને નિશાતારકો આછું અજવાળું વેરી રહ્યા હતા. દંપતીના આ પ્રેમમય જીવનમાં વિક્ષેપ નાખે એવી વસતિ અત્યારે કુમાર મેતાર્યનો લગ્નોત્સવ જોવા ગઈ હતી.
બેએક ક્ષણ વિરૂપાને ભુજપાશમાં જકડી રહેલા માતંગે, છૂટવા મથતી વિરૂપાના સ્વાભાવિક શ્રમથી લાલ થયેલા સ્નિગ્ધ ગાલ પર મુખ દાબી દીધું. “ઓ ઘેલા ! જરા સાંભળ તો ! વાજિંત્રોના સ્વર બેવડાયા. અરે, ખૂબ મોડું થયું. કન્યા શિબિકાઓ નગરના મધ્યભાગમાં આવી ગઈ. હવે તો આખો સમૂહ મગધેશ્વરના રાજમહાલય તરફ વળ્યો હશે, ચાલ ચાલ !”
માતંગે વિરૂપાને મુક્ત કરી. વિરૂપા હાંકી રહી હતી. પણે વાદ્યોનો સૂર વધતો જતો હતો. બંને જણાં એકદમ તૈયાર થઈ તે તરફ ચાલી નીકળ્યાં.
વરઘોડો મધ્યચોકમાંથી રાજમહાલય તરફ જ ધપતો હતો.
જીવનમાં જવલ્લે જ જોવાનું સદ્ભાગ્ય સાંપડે એવો આ પ્રસંગ હતો. આખોય માર્ગ ફૂલ, અક્ષત ને કંકુમછાંટણાંથી છવાયેલો હતો. ચાલવાનો માર્ગ મહામહેનતે મળી શકે તેમ હતું. વિરૂપા ને માતંગ માર્ગ કરતાં કરતાં આગળ વધ્યાં.
૨થમાં બેઠેલો મેતાર્ય અમરાપુરીના ઇંદ્ર જેવો શોભતો હતો. પાછળ સાત શિબિકાઓમાં આરૂઢ થયેલી, એકને જોઈએ અને એકને ભૂલીએ તેવી સુંદરીઓ ઇંદ્રાણીના રૂપયૌવનને પણ ઝાંખી પાડતી હતી.
રાજમહાલય પાસે મૈતાર્યનો રથ આવીને થોભ્યો. તરત જ છડીદારે ખમા’ સ્વરનો મોટો ઉચ્ચાર કર્યો. મગધરાજ સામેથી મેતાર્યનું સ્વાગત કરવા ચાલ્યા આવતા હતા. ઉત્સવઘેલી પ્રજા પોતાના મહાન રાજવીને આવતા નિહાળી ઘેલી થઈ ગઈ. જોરજોરથી ‘ખમા ખમા' ધ્વનિ થવા લાગ્યો.
મગધરાજની પાછળ મહામંત્રી અભય હતા. એમની પાછળ મગધનાં સંનિધાતા, સમાહર્તા ને દુર્ગપાલ હતા. બાજુમાં મહારાણીઓ પણ આ નગરસુંદર મેતાર્યને વધાવવા આવી હતી.
150 D સંસારસેતુ
મગધરાજને આવતા નિહાળી મેતાર્ય મંદગતિએ રથમાંથી નીચે નમેલા મેતાર્યની પીઠ પર હાથ ફેરવ્યો ને આશીર્વાદ આપ્યા. મહામંત્રી અને બીજા વર્ષે શુભેચ્છાઓ દર્શાવી.
રાણી ચલ્લણાની આગેવાની નીચે આખા અંતઃપુરે સાતે કન્યાઓને નીરખીને ધન્ય ધન્ય શબ્દો ઉચ્ચાર્યા ને ફૂલ-અક્ષતથી વધાવતાં અખંડ સૌભાગ્ય ઇન્યું. વાજિંત્રોના મંદ મંદ પણ મીઠા સ્વરો હવામાં વહેતા હતા. મેતાર્યને પુનઃ રથમાં બેસાડતાં મગધરાજે ધનદત્ત શ્રેષ્ઠીને કહ્યું :
“શ્રેષ્ઠી ધનદત્ત ! આવા પુત્ર તો ભાગ્યશાળીને સાંપડે છે. ખરેખર તમે ધન્ય છો !"
પ્રજાએ મગધરાજના આ શબ્દો પર હર્ષના પોકારો કરી પોતાની પણ સંમતિ જાહેર કરી.
“ધન્ય ધન્ય નગરશ્રેષ્ઠી ધનદત્ત !” ચારે તરફ એક જાતનો ધ્વનિ પથરાઈ રહ્યો. પણ અચાનક વાજિંત્રોના સ્વરને પણ દાબી દેતો એક મેઘગર્જના જેવો અવાજ સંભળાયો. બધા આશ્ચર્યમાં એ તરફ જોઈ રહ્યા.
મેદનીને એક છેડે ઊભેલો કોઈ પડછંદ પુરુષ કંઈ બૂમો પાડતો આગળ ધસવા ઇચ્છતો હતો. કોઈ સ્ત્રી એને અટકાવી રહી હતી, પણ તે નાજુક સ્ત્રીથી ક્યાં સુધી રોક્યો રોકાય ?
એ પુરુષ મોટેથી બૂમો પાડતો મેદનીમાંથી આગળ ધપ્યો. કંઈક તોફાનની આશંકાથી રક્ષકોએ પોતાનાં શસ્ત્ર સંભાળ્યાં. ધનદત્ત શ્રેષ્ઠી મેતાર્યની આગળ આવીને ઊભા રહ્યા. પેલા પુરુષનો સ્વર હવે સ્પષ્ટ સંભળાતો હતો :
“મહારાજ, એ પુત્ર ધનદત્તનો નહિ, પણ મારો છે.”
“અરે, આ કોણ બોલે છે ! જેની ઉપસ્થિતિમાં પૃથ્વીના ચમરબંધીઓ પણ ઊંચો અવાજ કરી શકતા નથી, એવા મગધરાજ ને મહામંત્રીની સમક્ષ જ આવું દુર્વર્તન ચલાવનાર એ બે માથાનો માનવી છે કોણ ?
“અરે, એ તો માતંગ ! રાજ-ઉદ્યાનનો રખેવાળ ! મંત્રોનો રાજા !” માનવમેદનીમાંથી જાતજાતના અવાજો આવવા લાગ્યા.
“મહારાજ ! મુજ માતંગાની ફરિયાદ છે. મેતાર્ય મારો પુત્ર છે !”
“માતંગ, તારું પદ સંભાળ ! પ્રસંગ વિચાર !સોનાની છરી ગમે તેટલી સુંદર હોય તોય ભેટમાં ખોસાય પણ પેટમાં ન નંખાય.” ધનદત્ત શ્રેષ્ઠીના ક્રોધનો પાર નહોતો.
ન
“પદ સંભાળવા જ આવ્યો છું. મેતાર્ય શ્રેષ્ઠીસંતાન નહિ, પણ મેતસંતાન છે : રંગમાં ભંગ – 151
Page #85
--------------------------------------------------------------------------
________________
એમ કહેવા આવ્યો છું.”
આ શબ્દો આખી મેદની પર વજ્રપાત જેવા હતા. ધનદત્ત શેઠને તેમના કુટુંબીઓ માટે વિષપાન કરવા યોગ્ય સમય હતો.
“શાબાશ હૈ જ્ઞાતપુત્રના શિષ્ય ! એમના ઉપદેશને ચરિતાર્થ કરવાનો ઠીક રસ્તો હાથ કર્યો !” મેદનીમાંથી અવાજ આવ્યો.
“અલ્યા, અમે તો કહેતા'તા કે નીચને માથે ચડાવ્યાં ખોટાં !” બીજો અવાજ આવ્યો. ઢાળ જોઈને ઢળનારાં જળના સ્વભાવવાળી માનવમેદની ક્ષણવારમાં ધનદત્ત, મેતાર્ય અને માતંગને છોડી જ્ઞાતપુત્ર પર ટીકાનાં બાણ વરસાવવા લાગી.
“ખબરદાર, જો કોઈએ જ્ઞાતપુત્રનું વચ્ચે નામ લીધું તો ! સાંસારિક ખટપટોમાં આપણાં કર્માકર્મની બાબતમાં – મહાપુરુષોને સંડોવવાની રીત ખોટી છે.” મગધરાજનો કંઈ રોષસૂચક અવાજ સંભળાયો.
નગરલોક એકદમ શાન્ત થઈ ગયું. મહામંત્રી આગળ આવ્યા ને માતંગનો હાથ પકડી બોલ્યા :
“માતંગ ! શું કહે છે ?”
“મહારાજ, અવિનયની ક્ષમા ! મેતાર્ય મારું સંતાન છે.”
ધનદત્તનો પિતા ઊકળી ગયો, મગધરાજની હાજરીમાં એણે શાન્તિ જાળવતાં કહ્યું : “મહારાજ, “મારી બદનામી કરવાનું આ કોઈ કાવતરું લાગે છે. હું ન્યાય માગું છું.” “ન્યાય જરૂ૨ મળશે, પણ અત્યારે કામ પતાવો.” મહારાજાએ આજ્ઞા કરી. “ના, મહારાજ, ન્યાય પહેલાં ને પછી બીજું. મારો ગરીબ સેવકનો દાવો છે. કે મેતાર્ય મારું સંતાન છે.” માતંગે વચ્ચે કહ્યું.
“અને એ દાવો ખોટો ઠરશે તો તેની શિક્ષા જાણો છો ?” મહામંત્રીનો અવાજ મુંો.
“મગધના સાચા ઇન્સાફ પર માતંગને શ્રદ્ધા છે. એની યોગ્ય શિક્ષા માટે તૈયાર જ છું." માતંગ અત્યંત આવેશમાં હતો.
“મગધના સિંહાસન પાસે ન્યાય મેળવવાનો ગરીબનો ને શ્રીમંતોનો સરખો હક છે. એ હક માર્યો ન જાય, એ જોજો મંત્રીરાજ !" મેતાર્થે વચ્ચે ધીરેથી કહ્યું. ધનદત્ત શ્રેષ્ઠી ક્રોધમાં ને ક્રોધમાં કંઈ બોલી શકતા નહોતા.
મેતાર્ય સ્વસ્થ ચિત્તે બેઠા હતા. એમને કોઈ હર્ષ કે શોક જાણે સ્પર્શો નહોતો. આખું નગરલોક ઊંચું ઊંચું થઈને નીરખી રહ્યું હતું કે મગધરાજ ભયંકરમાં ભયંકર શિક્ષાની આજ્ઞા આપશે. એ ફૂલથી કોમળ છે, એમ વજ્રથીય કઠોર છે. હમણાં મહામંત્રી અભય માતંગને ગરદન મારશે.
152 D સંસારસેતુ
પણ મગધનો નાથ એમ ન્યાયને કચડી સંબંધ સાંધવાનું શીખ્યો નહોતો. આવા જ પ્રસંગે એ સોળે કળાએ ખીલી નીકળતો. એ વેળા પ્રજા જોતી કે ન્યાયપુર સરનો કોઈ પણ દાવો જીતવામાં રાય કે ટ્રંક, અમીર કે ગરીબનો ભેદ આડે ન આવતો.
આખોય વરઘોડો નિઃશબ્દ ઊભો હતો. આટલી જબ્બર માનવમેદનીના શ્વોસોશ્વાસનોય જાણે પડઘો પડતો હોય એમ લાગતું હતું. માતંગનો અડગ નિર્ણય સાંભળી મનમાં કંઈ ને કંઈ કુતુહલ કલ્પી રહ્યા.
પાલખીમાં બેઠેલી નવોઢાઓનાં ફૂલગુલાબી મોં, પોતાના ભાવિ પતિનું આવું અપમાન થતું જોઈ લાલ હિગળોકિયાં જેવાં બની ગયાં હતાં. એમના નાના નાના અધરોમાંથી ક્રોધનો મર્મર ધ્વનિ નીકળતો હતો, અને કામદેવની કામઠી જેવી ભ્રૂકુટિઓ વારે વારે ખેંચાતી ને સંકોચાતી હતી.
અદલ-ઇન્સાફી મગધરાજે કેટલાય ફેસલા ચૂકવ્યા હતા. કોઈ વાર મોટી ગૂંચવણ આવી પડતાં મહામંત્રી અભયની બુદ્ધિએ સાચા ન્યાય માટે મહેનત કરવામાં કંઈ કમીના રાખી નહોતી, પણ આજ તો મહારાજા અને મંત્રી બન્ને વિમાસણમાં પડી ગયા.
ધનદત્ત શેઠ તો આ બધી વસ્તુને કોઈ પત્ર્યંત્ર ક્રૂર મશ્કરી સમ લેખતા હતા. એમને માટે તો પ્રત્યેક ક્ષણ એક જુગ-જુગ જેવડી હતી. ગળા સુધી ક્રોધ આવીને ઊભો હતો. શું કરી નાખું, એવો પડઘો પડી રહ્યો હતો; પણ સત્તા પાસે શાણપણ જાળવવામાં જ મજા હતી.
કેટલીક ક્ષણ કિંકર્તવ્યમૂઢતામાં પસાર થઈ ગઈ. આખરે મહામંત્રીએ જાહેર કર્યું : “મગધના સિંહાસન પાસે ન્યાય માગવાનો સહુને સરખો હક છે. વરઘોડો થોડી વાર થોભશે. પુત્ર કોનો, એની સાચી જાણ માતા સિવાય બીજાને કોઈને ન હોય. આપ જાણે પાપ ને મા જાણે બાપ. બોલાવો માતંગની પત્નીને અને મેતાર્યનાં માતાજીને "
રંગમાં ભંગ – 153
Page #86
--------------------------------------------------------------------------
________________
18
પ્રેમની વેદી પર
આજ્ઞાની જ વાર હતી.
રાજસેવકો દોડ્યા. બંનેને શોધી કાઢતાં એમને વિલંબ ન થયો. મેદનીને એક ખૂણે વિરૂપા ઢગલો થઈને પડી હતી. માતંગે એની આખી બાજી ઊંધી વાળી હતી. વિરૂપાના સ્નેહભર્યા સહચારથી માતંગનું દિલ બધું જાણ્યા છતાં શાંત હતું, પણ શ્રેષ્ઠી ધનદત્તને મેતાર્યના પિતા તરીકે મગધનાથનો સત્કાર પામતો જોઈ બુઝાયેલો અંગાર પ્રજ્વલી ઊઠ્યો. પત્નીની શિખામણ ને ભાવિના અનિષ્ટનો ખ્યાલ એ સાવ વીસરી ગયો.
“વિરૂપા, આપણા પુત્રને આપણો શા માટે જાહેર ન કરવો ? મગધમાં સાચને કોણ આંચ પહોંચાડી શકે તેમ છે ?”
માતંગ બબડ્યો ને આગળ વધ્યો, પણ વિરૂપાએ એને પકડી લીધો. પણ એનો આવેશ વધતો ચાલ્યો. એ ભાન ભૂલ્યો.
આખરે નાજુક વિરૂપાને તરછોડી માતંગ આગળ વધી ગયો. વિરૂપા ભાવિ અનર્થની કલ્પનાએ વ્યાકુળ બની ગઈ. જર્જરિત બનેલું એનું હૈયું હિંમત હારી ગયું. એ સૂધબૂધ ગુમાવી રસ્તા પર ઢળી પડી.
રાજસેવકો અને દાસીઓ પાસે ઉપડાવી મહામંત્રી પાસે લઈ આવ્યા. રાજદ્વારની પાસેના ખંડમાં એને સુવાડવામાં આવી.
શેઠાણી તો વરઘોડોમાં જ હતાં. રાણી ચેલ્લણાએ તેમણે ખંડમાં બોલાવી લીધાં. વિરૂપાને મૂચ્છિત દશામાં પડેલી જોઈ શેઠાણી એકદમ તેની પાસે ધસી ગયાં. શુશ્રુષા કરવા લાગ્યાં ને બોલ્યાં :
“વિરૂપા, મારી સખી !"
વિરૂપા બેશુદ્ધિમાં લવારો કરી રહી હતી :
“મહારાજ, મને બદનામ ન કરશો. મારે પુત્ર જ હતો નહિ. હું પુત્રને ન વેચું. પુત્રનો પૈસો મારે બાળહત્યા બરાબર છે. મહારાજ, મૃત છીએ, પણ જ્ઞાતપુત્રના ઉપદેશને દિલમાં ધારણ કરનાર છીએ.”
અરેરે ! હવે જુઠ્ઠા માતંગનું આવી બન્યું !
ના, ના, પણ શેઠાણી વળી જુદી જ વાત કરતાં હતાં; “મહારાજ, મેતાર્ય મારું સંતાન નથી, વિરૂપાનું છે. મારો ખાલી ખોળો ભરવા એ હું લાવી. મહારાજ, જરા ધ્યાનપૂર્વક મેતાર્યનું આ શરીર જુઓને ! એનું સુડોલ નાક શું વિરૂપાના અણિયાળા નાકને બંધબેસતું નથી ? અને આ ભોગળ જેવા બાહુ માતંગના બાહુ સાથે સરખાવો ને ?”
“મેતાર્યનાં માતાજી એ મારાં માતાજી ગણાય, માટે જરા ભાનમાં આવીને બોલો ! અતિ લાગણીવેડા ન કરશો. સત્યને સ્પષ્ટ કરો.” મહામંત્રીએ કહ્યું.
“ભાનમાં તો આજે બરાબર આવી છું. મોટા કુળને નામે જગતને કચડી રહેલા લોકો મોટાઈના પડદા પાછળ કેટલું છુપાવે છે ? મંત્રીજી, મારો પુત્ર ન જીવે તો મારા ઉપર શોક્ય આવે એવી સ્થિતિ હતી. આ શોક્યનું સાલ ટાળવા આ પુત્રનો
સોદો કર્યો."
મહામંત્રીજીને હવે કોઈ વાતની શંકા ન રહી. એમણે ઇંતેજારીમાં સ્તબ્ધ બનીને બેઠેલી માનવમેદની સમક્ષ જાહેર કર્યું : “પ્રજાજનો, વિલંબ ઘણો થયો છે. વાત ટૂંકી છે. પ્રભુવીરના ઉપદેશને સાંભળનારાને હવે કુળ-જાતિની મહત્તામાં મહત્તા નહિ લાગે. પુણ્ય કરે તે પુણ્યવાન. પણ ફૈસલા તરીકે મારે નિવેડો આણવો જોઈએ કે મારા પરમ મિત્ર અને અનેક ગુણોથી અલંકૃત મેતાર્ય વણિકપુત્ર નથી. પણ મતના સંતાન છે. શેઠાણીને પુત્ર ન જીવતા હોવાથી વિરૂપાએ શેઠાણીને મેતાર્ય વેચેલા !"
“વેચેલા ? ધિક્કાર હજો એ જનેતાને ! આખરે ગમે તેટલા માથે ચઢાવો તોય મેત તે મૃત !” અર્ધપચ્યું તત્ત્વજ્ઞાન અદશ્ય થઈ ગયું ને લોકોની જીભ જાતિ-કુળના ગુણ અવગુણની ચર્ચા કરવા લાગી ગઈ.
પણ એટલામાં અંદરથી ખબર આવ્યા : “મહારાજ, મતપત્ની વિરૂપા બેભાન બની છે. એ લવી રહી છે, કે મેં વેચેલા નથી. મારી ઇજ્જતને બદનામ ન કરો. એ મારો પુત્ર જ નથી."
“કેમ વેચેલા નથી ? શેઠાણી પોતે કહે છે કે મેં સોદો કર્યો હતો ?” મહામંત્રી પોતાના અભિપ્રાયને મજબૂતપણે વળગી રહી દલીલ કરવા લાગ્યા. ત્યાં તો બધી
પ્રેમની વેદી પર – 155
Page #87
--------------------------------------------------------------------------
________________
લાજ-મરજાદ છોડી શેઠાણી બહાર ધસી આવ્યાં, પરંતુ એ કાંઈ બોલે તે પહેલાં બેભાન બની ગયાં.
આખી મેદનીમાં સૂનકાર છવાઈ ગયો. બાજુમાં બેઠેલ અલંકાર ને વસ્ત્રોથી સુશોભિત મેતાર્ય ધીરેથી ઊભા થયા. હાથ જોડી મગધરાજને વિનંતી કરી કે મને થોડું નિવેદન કરવાની આજ્ઞા આપો.
મગધરાજે ઇશારાથી આજ્ઞા આપી. મેતાર્યે માથું ટટ્ટાર કરી પ્રજા તરફ જોઈ બોલવા માંડ્યું : “પ્રજાજનો, મહામંત્રી જેવા મહામંત્રી આજે વિગત શોધવામાં ભૂલ્યા છે. આજનો આખો પ્રસંગ જગતની બે મહાન જનેતાઓના હ્રદયઔદાર્યનો છે. જાતિ, કુળ, ઉચ્ચ-નીચ આ બધાં બંધનો કેવાં જૂઠાં છે, એ આજનો પ્રસંગ બતાવી આપે છે. બે જનેતાઓનાં હૃદયો આજે જોવા મળ્યાં, એ બન્ને હૃદયોના પુત્ર થવામાં મારું સૌભાગ્ય છે, પણ જન્મને આટલું મહત્ત્વ શા માટે ?”
મેતાર્ય થોડીવાર થોભ્યા. આખી સભા શ્વાસ બંધ કરીને બેઠી હોય તેવી શાન્ત હતી. મેતાર્થે આગળ ચલાવ્યું : “પ્રજાજનો, હું જાણું છું કે, તમને આવી વાતોમાં રસ નહિ આવે. મારે તો તમને મારું વૃત્તાંત જણાવવું ઘટે. અને એ પૂરતું હું જણાવું છું. કે હું મેતનો પુત્ર છું. મારી જનેતા વિરૂપા અને મારો જનક મંત્રસિદ્ધના રાજા માતંગ. મારી જનેતા અને ધનદત્ત શેઠનાં પત્ની દેવશ્રીને સખીપણાં હતાં. ધનદત્ત શેઠને દેવશ્રીથી થયેલાં સંતાન જીવતાં નહોતાં; અને હવે સંતાન – અને તે પણ પુત્ર ન જન્મે કે ન જીવે તો બીજું લગ્ન કરવાની તૈયારી હતી.”
મેતાર્ય ક્ષણવાર થોભ્યો ને પુનઃ કંઈક ગર્વમિશ્રિત સ્વરે બોલવા માંડ્યું : “જગતમાં જેની જોડ ન મળે એવી આ બે સહિયરોએ એક દહાડો વાતવાતમાં
આ વાત ચર્ચા. મારી જનેતાએ ભાવભર્યું વચન આપ્યું કે પોતાને પુત્ર થશે તો તે તેને આપશે. આ સોદો નહોતો, વેચાણ નહોતું, આત્મસમર્પણ હતું !”
“આત્મસમર્પણ ?” મેદનીમાંથી પડઘો પડ્યો.
“હા, આત્મસમર્પણ ! મારી જનેતાના દાંપત્યને પણ વર્ષો વીત્યાં હતાં, સંતાનની લાલસા એને હૈયે પણ હતી, છતાં સહિયરનાં સુખદુઃખમાં એ પોતાના સુખદુઃખમાં માનતી હતી. એક રાતે એ સમર્પણ થયું. પુત્ર આપ્યો ને પુત્રી એને ઘેર ગઈ. માતાના રોગિષ્ઠ પેટની પુત્રી વધુ વખત ન જીવી. નીરોગી કાયાનું સંતાન તે હું. પણ મારી તો બન્ને જનેતાઓ ! બન્ને મારા પિતાઓ ! મારે મન કોઈ કુળ હલકું કે હીણું નથી, છતાં પહેલો હું મેત ! “વિરૂપા મારી જનેતા ! હું મેતાર્ય નહિ પણ મેતારજ !"
આખી મેદની હજીય મંત્રવત સ્તબ્ધ હતી. કેટલાયની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. મગધરાજે ગળગળે અવાજે હુકમ કર્યો : “વિરૂપાને અહીં તેડાવો.” 156 D સંસારસેતુ
રાજસેવક અંદર જઈ થોડીવારમાં પાછો આવ્યો, એણે કહ્યું : “મહારાજ, વિરૂપા, હવે આ સંસારમાં નથી. એનું ચિંતા ને મમતાથી જર્જરિત હૈયું પોતાની સહિયર અને પોતાના પુત્રની આ નાલેશી ન સહી શક્યું, એટલે ભાંગી પડ્યું. રાજવૈદનો આ અભિપ્રાય છે.”
ન
માતંગની શોધખોળ ચાલી, પણ એ ન જાણે કયા ઊંડા વિચારની ગર્તામાં સરી પડ્યો હતો. એને પોતાના લાગણીવેડાના ગંભીર પરિણામનું જોખમ માલૂમ પડી રહ્યું હતું.
“મેતાર્ય ક્યાં ?”
મેતાર્ય પણ ત્યાં નહોતો.
મગધરાજ અંદર અંતઃપુરમાં જવા પીઠ ફેરવતા હતા ત્યાં કોઈ રૂપેરી ઘંટડી જેવો અવાજ સંભળાયો :
“મહારાજ, અમે મેતપુત્રને નહિ ૫૨ણીએ.”
અને એવા અનુક્રમે સાત અવાજ આવ્યા. પૂર્ણચંદ્રના જેવા મુખવાળી સાતે રમણીઓનાં સુંદર કપોલપ્રદેશ ઉપર સ્વાતિનાં બિંદુ જેવાં બબ્બે ચાર ચાર આંસુઓ દીપકના પ્રકાશમાં મોતી જેવાં ઝળહળી રહ્યાં હતાં.
અંદરથી ઉતાવળો અવાજ આવ્યો :
“વિરૂપા મરી ગઈ !”
“બિચારી દુઃખિયારી છૂટી !” દાસીઓ એકબીજીને કહેવા લાગી. “કોણ મર્યું ? વિરૂપા ?” મેતાર્ય અંદરના ખંડમાં જતો બોલ્યો.
“વિરૂપા ન મરે ! મને કહ્યા સિવાય એ ન મરે !” માતંગ મૂઢની જેમ બોલતો બોલતાં મેતાર્યની પાછળ ચાલ્યો.
“શું વિરૂપા મરી ગઈ ?" મહામહેનતે ભાનમાં આવેલાં શેઠાણી આટલું બોલી પુનઃ બેભાન બની ગયાં. આ વખતે એમનો દેહ વિશેષ ઠંડો પડતો ચાલ્યો હતો.
“હાય, હાય ! ન જાણે આજે કેવો દિવસ ઊગ્યો છે, મારું તો સર્વસ્વ જવા બેઠું છે.” ધનદત્ત શેઠે કપાળ કૂટયું. રાજવૈદ ત્યાં ઉપસ્થિત જ હતા. ઉપચારો ચાલુ કર્યા, પણ દર્દ કંઈ અનોખું હતું. ઠંડું પડતું જતું શરીર અનેક માત્રાઓના અનુપાન પછી પણ ઉષ્મા પકડી શકતું નહોતું.
અંદરના ખંડમાં વિરૂપા એક સાદા બિછાના પર સદાને માટે સુખની નિદ્રામાં સૂઈ ગઈ હતી. એના મુખ પર વ્યથા કે વિકૃતિને બદલે સૌમ્યતા છવાઈ રહી હતી. મહા ઊંઘમાં પોઢી હોય એમ એ સૂતી હતી.
‘વીરુ !' વજ્ર છાતીનો માતંગ ઢીલો પડી ગયો. એણે એક કરુણ ચીસ પાડી, પ્રેમની વેદી પર D 157
Page #88
--------------------------------------------------------------------------
________________
પણ એ ન આગળ વધી શક્યો કે ન ઊભો રહી શક્યો. કંઈ વિચારમાં ચડી ગયો. એના હોઠ વગર અવાજે ફફડવા લાગ્યા. એની સૂકી આંખોના ડોળા ચારે તરફ જોવા લાગ્યા. એ ન બોલ્યો, ન રહ્યો કે ન છાતી કૂટી ! જીવનસર્વસ્વ સમી વિરૂપા સદાને માટે છૂટતી હતી. છતાં દોડીને એને ભેટી પણ ન શક્યો !
અરે, એ તો પાછો વળ્યો. કંઈ બડબડતો, હાથના વિચિત્ર પ્રકારના ચેનચાળા કરતો બહાર નીકળ્યો. ગામની આંખે ચડેલા આ પ્રેમી યુગલનો આવો કરુણ અંત ટીકાખોર લોકો પણ જોઈ ન શક્યાં. બહાવરા જેવો માતંગ સીધો પોતાને ઘેર પહોંચ્યો.
મહામંત્રીએ માતંગને રોકવા ઇચ્ચું, પણ તેમ ન થઈ શક્યું. મેતાર્યની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. ખુદ મગધરાજ ને રાણી ચેલ્લણા રડી રહ્યાં હતાં. એ આંસુ અમૂલખ હતાં, ખુદ દેવોને પણ દુર્લભ હતાં. દુર્લભ એ માટે હતાં કે એ આંસુ વેદવારાથી કમનસીબ લેખાયેલી, સદા દૂર રખાતી એક મેતરાણી પામતી હતી. સર્વજ્ઞનો એક સુંદર બોધપાઠ જાણે આ અભણ, તુચ્છ, અજ્ઞાન નારી
મગધની મહાપ્રજાને પ્રબોધી રહી હતી.
અંતર વલોવતું આ દૃશ્ય અવર્ણનીય હતું. આખરે સંસારની અસારતાને જાણનાર મહામંત્રીએ સહુને ધીરજ આપતાં કહ્યું :
“વિરૂપા તો જીવી ગઈ. આવું મૃત્યુ તો હજાર હજાર જીવન કરતાં મુલ્યવાન છે. એક મનુષ્ય ને બીજો મનુષ્ય : મનુષ્યની રીતે બે વચ્ચે કોઈ જાતનો ભેદભાવ પડી શકતો નથી. માણસ આખરે માણસ છે, ને આખરે એક જ રૂપ પામે છે. વિરૂપાએ આ માનવ માત્રની ઐક્યતાનો અમૂલો પાઠ આપ્યો છે. મેતાર્ય ધૈર્ય ધારણ કરો ! ચાલો, તમારી માતા બેભાન પડ્યાં છે. પર્ણ શિબિકાઓમાં નાનાં મૃગબાળ જેવી સાત સુંદરીઓ ન જાણે કેવી મૂંઝાઈ રહી હશે."
પણ મેતાર્ય ત્યાંથી ન ખસ્યો. મહામંત્રી એકલા શિબિકાઓની પાસે આવ્યા. ઝગમગતી મસાલોનો પ્રકાશ હારબંધ ઊભેલી પાલખીઓ ઉપર સંતાકૂકડી રમતો હતો. હવાની લહેર સાથે નાચતી એ જ્યોતોનો પ્રકાશ પાલખીમાં બેસનારીઓના ગૌર કપોલદેશ પર જાણે આછી ગુલાબી ઈરાની શેતરંજી બિછાવી રહ્યો હતો.
“પુત્રીઓ નિશ્ચિંત રહેજો !સહુ સારાં વાનાં થશે.” મહામંત્રીએ સાંત્વન આપ્યું ને તેઓ અંતઃપુરમાં પાછા આવ્યા. અંતઃપુરનું દૃશ્ય મર્મભેદક હતું. વિરૂપા મૃત્યુ પામેલી પડી હતી. બહારથી શેઠાણીને પણ અહીં બેભાન અવસ્થામાં આણવામાં આવ્યાં હતાં.
ધીરજના સાગર મેતાર્ય ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. મહામંત્રી જેવા નિર્મોહી ને સારાસારની જાણનારની આંખોના બે ખૂણા પણ ભીના થયા. એમણે મેતાર્યને 158 D સંસારસેતુ
ઊભા કર્યા ને આ ઘેલછા છોડી દેવા સમજાવતાં કહ્યું :
“મેતાર્ય, વિરૂપાનું આત્મસમર્પણ અજોડ છે. જગતની મહાન નારીઓમાં એ આદર્શ રૂપ છે. પ્રભુનો ઉપદેશ એણે પચાવ્યો હતો; પણ હવે એની અન્તિમ ઇચ્છાને માન આપો ! ચાલો, ફરીથી વાજાં વગડાવો ! મેતાર્ય ! ઘોડે ચડી જાઓ. આજનું લગ્નમુહૂર્ત અફળ ન થવું ઘટે. ઘોડે ચડેલો વરરાજા પાછો ન ફરે. સપ્તપદી પૂરી થઈ જવા દો. ભલે આજે આખો વરઘોડો મહારાજાનો મહેમાન બનતો. આ ક્રિયા બાદ વિરૂપાની અન્તિમ ક્રિયા પતાવી લેવાશે.”
“મહામંત્રીજી, મિત્રધર્મમાં ન્યાય ચૂકશો મા ! મને વરવા આવેલી કન્યાઓ અને તેમના માબાપોએ નગરશેઠના પુત્રને પસંદ કર્યો હતો. મેતકુલોત્પન્ન મેતારજને નહિ ! માતા વિરૂપાનો સિદ્ધાંત હતો કે એકબીજાના ત્યાગ ને બલિદાન ઉપર આ સંસાર ચાલે છે. મારે પણ એ સિદ્ધાન્તને જીવ માટે જાળવવો ઘટે.”
“બોલાવો એ કન્યાઓને ! અહીં જ તેમને પૂછી લઈએ.”
દાસીઓ કન્યાઓને લાવવા રવાના થઈ, અને થોડી વારમાં એ રૂપનો રાશિ ત્યાં આવીને ખડો થઈ ગયો. સાચા સૌંદર્યની મજા એ છે કે ગમે તેવા ભાવમાં અનોખી સુંદરતા જન્માવે છે. એકએક કન્યાના ગાલ ઉપર શરમ અને લજ્જાની લાલ ચીમકીઓ ઊઠી હતી.
“પુત્રીઓ, શરમાશો મા ! તમે મેતાર્યને મેતકુલમાં જન્મેલો જાણ્યા પછી પણ પરણવા તૈયાર છો ?'
થોડી વાર તો કોઈ ન બોલ્યું અને પછી જાણે ચાંપ દબાઈને કોઈ સપ્તસ્વરવાળું યંત્ર એક સાથે ગુંજી ઊઠ્યું : “ના !”
“તમારી ઇચ્છા મુજબ જ થશે. ગભરાશો નહીં. પણ પુત્રીઓ ! તમે તો પ્રભુ મહાવીરની અનુયાયી છો. કુળ ને ગોત્ર હજીય પ્રિય છે ?”
કન્યાઓ પગની પાનીઓ પર મૂકેલી મેંદી સામે જોઈ રહી. એ ગુલાબી પાનીઓ કમળપુષ્પને પણ શરમાવતી હતી.
તેઓ ચૂપ હતી, એમના હૃદયમાં અજબ મનોમંથન ચાલી રહ્યું હતું. સામે જ કદાવર, પ્રચંડ, સશક્ત, જોતાં જ મન મોહી જાય તેવા પૌરુષભર્યો મેતાર્ય ખડો હતો. શું કરવું ને શું ન કરવું ? કન્યાઓ તદ્દન મૂંઝાઈ ગઈ. વર્ણ અને ગોત્રના હાઉ સિવાય એમને મેતાર્યને પરણવામાં કોઈ વાંધો નહોતો.
“હજી વખત છે. એમને વિચાર કરી લેવા દો ! ચાલો, પ્રથમ મહાનારી વિરૂપાની અંતિમ ક્રિયા ઊજવીએ,” મહામંત્રીએ રસ્તો કાઢ્યો. એમણે વિચાર્યું કે ગમે તેવી ભારે બીનાને સમય હળવી બનાવે છે. આજનો સંકોચ કદાચ કાલે ન પણ રહે ! પ્રેમની વેદી પર – 159
Page #89
--------------------------------------------------------------------------
________________
બહુ સારુ !” મગધરાજને કોઈ વાતમાં વાંધો નહોતો.
સાતે રૂપવતી કન્યાઓને અંતઃપુરમાં રહેવાનું સ્થાન કાઢી આપ્યું. વિવાહોત્સવના રૂપમાં આવેલ આખું નગર હવે ધીરે ધીરે ડાઘુના રૂપમાં પલટાઈ ગયું.
રાત વીતવાની રાહ જોતા સહુ હતા ત્યાં ગોઠવાઈ ગયા. આખી રાત કોઈને નિદ્રા ન આવી.
ધનદત્ત શેઠનાં પત્નીના ઉપચાર ચાલુ હતા, પણ પોતાની પ્રિય સખી ચાલી ગયાના સંતાપમાં એ કંઈ કારી કરતા નહોતા. બેએક વાર કંઈક ચેતન આવ્યું, પણ એ તો બુઝાતા દીપકના ભડકા જેવું હતું.
દૂર દૂર આકાશમાં રાત્રિનો શ્યામ અંચળો ભેદીને ઉષાએ મોં બહાર કાઢવું, વિરૂપાની ઉત્તર ક્રિયાઓ ચાલુ થઈ, ત્યાં સમાચાર આવ્યા કે શેઠાણી અવસાન પામ્યાં છે.
બે સખીઓ સાથે ચાલી. જીવનમાં એક થઈને રહેનારીઓએ મૃત્યુમાંય સાથ ન છોડ્યો..
ઊના પાણીના ઝરાઓને કાંઠે , ‘મહાતપોપતીર' તીર્થની પાસે બંનેની ચિતા ખડકાવજો ! દેશ દેશના, યાત્રાળુઓ આવે ત્યારે મગધની આ બે મહિમાવંતી નારીઓને પણ યાદ કરે.” મગધરાજે આજ્ઞા કરી.
રાત વીતતાં, મહામંત્રીની આગેવાની નીચે સ્મશાનયાત્રા નીકળી. જીવનભર નગરને છેડે બધાથી દૂર વસી રહેલ રૂપવતી ને ગુણવતી વિરૂપાને શોભાવનારી એ યાત્રા હતી. એનું જીવન અને ઘટનાઓ સાંભળી સાંભળીને લોકોની આંખોમાં આંસુ ઊભરાઈ આવતાં. કુળગોત્રની નિરર્થકતા હવે તેમને પ્રતીત થતી હતી.
પણ પેલો લહેરી માતંગ ક્યાં ? વિરૂપાની એકાદી વાળની લટ ઉપર જાન દેનારો માતંગ આજે ક્યાં હશે ? એને તો ન્યાય જોઈતો હતો ને !
ગંગાનો એક નાનો પ્રવાહ મહાપ્રવાહતી છૂટો પડી નાની ગિરિકંદરાઓમાં વળતો હતો. આ પ્રવાહ નાની નાની ટેકરીઓ વીંટીને વહેતો હતો, ને એ ટેકરી પરના નાના આંબાવાડિયામાં ઊના પાણીના ઝરા ખળખળ નાદ કરતા વહેતા હતા. આ ગિરિકંદરાઓના મુખભાગ પર જ ‘મહાતપોપતીર ' આવેલું હતું. અહીં ગોપલોકો ધણ ચારવા આવતા. યાત્રીઓ દર્શનાર્થે આવતા. રોગીઓ રોગશમન માટે આવતા.
આ સુંદર સ્થળની એક નાની ટેકરી પર, કે જ્યાંથી આ તીર્થ થોડે દૂર હતું, બે ચંદનકાર્ડની ચિતાઓ રચવામાં આવી. સ્મશાનયાત્રામાં સાથે આવેલ નગરલોકો સુગંધી વસાણાં ને ચંદનકાષ્ઠ પણ પોતાની સાથે લાવ્યા હતા. સહુએ મરનારાઓને એ રીતે અંજલિ આપી.
મેતાર્યો બંને માતાઓને માથું નમાવતાં અગ્નિસંસ્કાર કર્યો. ચિતા ભભૂકી ઊઠી, ધૃતના કુંભ રેડાવા લાગ્યા. મૃત્યુશાન્તિનો જાણે છેલ્લો યજ્ઞ મંડાયો. એ યજ્ઞમાં પ્રેમની વેદી પર બલિ થનારી મગધની બે મહાનારીઓ હતી.
આખરે ચિતાઓએ પોતાનું કામ પૂરું કર્યું. વિરૂપા !
જાણે દિગંત પડઘા પાડતું હતું : વૃક્ષો ડાળીઓ નમાવીને આકંદ કાગાનીંદરમાં લોકોને સદા સંભળાતો પેલો મીઠો સૂર યાદ આવતો હતો. એ સૂરમાં કેવી ઊંડી ને પવિત્ર છાપ એ પાડતી હતી !
પણ આ બધાં રોદણાં આજે શા કામનાં !
નગરલોક મરનારાઓના જીવનની સદાવલંત જીવનજ્યોતો સામે ગામ તરફ વળ્યું, પણ મેતાર્ય ત્યાં જ ઊભા રહ્યા. મહામુકેલીએ અહીં લાવવામાં આવેલો માતંગ થોડે દૂર ટૂંટિયું વાળીને બેઠો હતો. એને પોતાની ભૂલનો પારાવાર પશ્ચાત્તાપ થઈ રહ્યો હતો.
વસંતઋતુનો મીઠો વાયુ ચિતાને હવે બૂઝવતો હતો ને સરિતાનાં નીર મેતાર્યના વ્યાકુળ હૃદયની જેમ ઊછળી ઊછળીને કિનારો કાપતાં હતાં. આખરે તો ભસ્મ પણ હવામાં ચાલી જવા લાગી.
પણ એ ચંદનરજ જેવી ભસ્મમાંથીય* ‘મહાતપોપતીર ’ના વાયુમંડળમાં જાણે એક ગીતના અશ્રાવ્ય મધુર સ્વરો રેલાઈ રહ્યા હતા :
“થનગન વનમાં નાચે વસંતડી, હૈયાની કુંજ મારી હુલે ઝૂલે.”
* આ ઊના પાણીના ઝરાઓ મહાન યાત્રીઓ ફાહ્યાન અને હ્યુએનસંગે જોયેલા ને તેમણે પોતાના પ્રવાસ વર્ણનમાં નોંધેલા છે.
પ્રેમની વેદી પર 1 161
16) D સંસારસેતુ
Page #90
--------------------------------------------------------------------------
________________
19
ફાળો આકાર
રાજગૃહીને માથે આવી એક શોકભરી રાત્રિનો શ્યામ પડદો પથરાઈ રહ્યો હતો. દેવાલયોના છેલ્લા ઘંટારવ હમણાં જ શમી ગયા હતા, ને તુરીઘોષ વાગવાની તૈયારીમાં હતો. કોટના કાંગરે પ્રગટાવેલા દીપકો ધીમા ધીમા ઝળઝળી રહ્યા હતા. રાજમહાલયના બુરજો ઉપર તો દીપકોનો કંઈ પાર નહોતો. રોજ ત્યાં દીપાવલી રચાતી.
રાત વધતી ચાલી. શેઠાણી ને વિરૂપા જેવી બે આદર્શ સખીઓનાં મૃત્યુનો શોકસમય પળાતો હોય તેમ રાજ ગૃહીનાં રાજ ભવનોમાં નૃત્યગીત બંધ હતાં. મેતાર્યની કુળહીનતા પ્રગટ થઈને જાણે પરોક્ષ થઈ ગઈ હતી અને કન્યાઓના દિલ પરથી પણ આ બે સખીઓના સ્વાર્પણે કુળનો ભારે બોજ હળવો કર્યો હતો. છતાં લગ્નના દિવસો દૂર ઠેલાયા હતા. કન્યાઓ રાજ કુલની મહેમાન બની હતી.
આવી એક રાત આગળ ને આગળ વધતી જતી હતી. તૂરીઘોષ પણ થઈ ગયો હતો ને રસ્તાઓ નિર્જન બન્યા હતા. ધીરે ધીરે દીપકો પણ ઝાંખા પડતા ગયા, ને મધરાતે તો આકાશમાં તારલિયાઓ સિવાય કોઈ ન રહ્યું. ચોકીદારે દરવાજા બંધ કર્યા.
| દુર્ગના એક છેડે આવેલાં નૃત્યઘરો તરફથી કોઈ કોઈ દીવાનાઓ આવતાજતા. રૂપજીવિનીઓના આવાસો પણ હવે સૂના થયા હતા.
આવા ઘોર અંધકારમાં રૂપજીવિનીઓનાં નિવાસસ્થાનોની બાજુમાં એક કાળો આકાર ઘૂમી રહ્યો હતો, એની પડછંદ ઊંચાઈ એમ માનવા પ્રેરતી હતી કે એ પુરુષ હશે. તીર જેવી ઝડપ અને સસલા જેવી ચકોરતા દર્શાવતી હતી કે એ પડછાયો કોઈ ભૂત-પ્રેતનો નહિ, પણ કોઈ પયંત્રકારી કાબેલ વ્યક્તિનો હશે.
નિશાચર હશે, એમ સહેજે કલ્પના થઈ આવે; કારણ કે આવે સ્થળે કોણ સારો માણસ રખડે ? સારા માણસને આવા સ્થળે આવવાનું કારણ શું ? મગધની
મહાનગરીમાં મહાઅમાત્યની જાગતી ચોકીમાં કાળા માથાના માનવીની તો ફરવાની શી મજાલ ! અરે, નક્કી કોઈ ભૂત હશે; પૃથ્વી પર ભમવા આવી ચડ્યું હશે. પણ આ પ્રશ્ન કરનાર ત્યાં કોઈ નહોતું. કાળો આકાર ધીરે ધીરે રૂપજીવિનીઓના આવાસો વટાવી ગયો. એનાં પગલાં મક્કમ હતાં, એની દિશા ચોક્કસ હતી.
ધીરે ધીરે એ નર્તકીઓના આવાસ તરફ વળ્યો. કેટલીક પરદેશી પ્રીતમોને રિઝવવા માટે સજેલા સાજ ઉતારીને છેલ્લો આરામ લેવાની તૈયારી હતી. ઘણીખરી મુખમોહિની અને ભપકા માટે રંગ, રાગ અને કાજળથી પોતી નાખેલા આખા દેહને શ્રેમપૂર્વક ધોઈ રહી હતી. વય બધીની ખીલતી હતી, અને સંસારમાં સ્વર અને સૌંદર્યભરી આ કિન્નરીઓનું દિલ કોના ઉપર હશે, તે કળી શકાવું શક્ય નહોતું.
સુવાસિત જળભર્યા કુંડમાં માંસલ ગૌર પગથી છબછબિયાં કરતી એક નર્તકીએ સહેજ કંટાળાપૂર્વક કહ્યું :
સુનેત્રા ! પ્રવાસીઓની તો કંઈ ખોટ નથી, પણ લીધેલું કામ પૂરું ન થયું. પેલો પરદેશી સાર્થવાહ ન દેખાયો તે ન દેખાયો.”
“દેવદત્તા, એ પરદેશી સાર્થવાહ તે જ ચાલાક ચોર રોહિણેય એમ કેમ માન્યું ?”
બુદ્ધિનિધાન મહામંત્રીની એ જ બલિહારી છે. મેં આપણે ત્યાં આવેલા તમામ પરદેશીઓનાં ભૂજપત્ર પર આળેખેલાં ચિત્રો બતાવ્યાં. એમણે એ છબી જોતાં જ કહ્યું કે, એ જ રોહિણેય ! અદ્ભુત વેશપલટો !”
દેવદત્તા, તને તો એના પર ખૂબ હેત હતું. અને આજે એનું જ ગળું કાપવા તૈયાર થઈ બેઠી !”
ગમે તેમ તોય આપણે તો રાજગૃહીનાં પ્રજાજન ! આપણાંય કર્મધર્મ ખરાંને ! રાજ આજ્ઞા માટે મસ્તક આપવું પડે ! પણ બેન, મને એક વાતની ખાતરી થતી નથી. ચોર થઈને આટલો ચતુર ! અને કદાપિ ચતુર હોય તો પણ આટલો સંયમી ?” વાત કરતી કરતી દેવદત્તા જરા પાસે સરી અને સુનેત્રાના કાન પાસે મુખ રાખીને કહ્યું :
અલી, મારી અનેક વાર માગણી છતાં, અરે, જે દેહની પ્રાપ્તિ માટે મોટા મોટા શાહ સોદાગરો સહસ સુવર્ણમુદ્રાઓ ન્યોછાવર કરવા તૈયાર છે, એ દેહ મેં અને અર્પણ કર્યા છતાં એણે કદી મારો સ્વીકાર કર્યો નથી."
બેન, તો તો નક્કી મહામંત્રી ભૂલ્યા. ચોરબદમાશનો તો મને ચિરપરિચય છે. બહાર રોજ ખૂનનાં ખૂન કરતાં ન અચકાય એવા બહાદુરો આપણી સુલલિત દેહલતાઓ જોતાં જ જાણે રાંકમાંના રાંક થઈ જાય છે ! માણસનું ખૂન કરતાં આંચકો ન ખાય, પણ આપણી વેણીનું એકાદ ફૂલ ચૂંથતાં પણ ધ્રુજે ! એક ચોર અને આટલો સંયમ, મને તો અશક્ય લાગે છે !'
પ્રેમની વેદી પર 1 163
Page #91
--------------------------------------------------------------------------
________________
“સુનેત્રા, મહામંત્રી ભૂલે એમ પણ બનવું અસંભવ છે. એ કંઈ આપણાં જેવાં કેવળ ચર્મચક્ષુનો ધણી નથી. એનાં પ્રજ્ઞાચક્ષુ તો આકાશ-પાતાળ નીરખે છે. એ પરદેશીનું અડધું વર્ણન મેં કર્યું, ને બીજું બધું એમણે કર્યું, જાણે કોઈ વર્ણનકાવ્ય હોય તેમ તેની સાક્ષાત મૂર્તિ ખડી કરી દીધી."
ન
“એક ચહેરામહોરાના બે માણસ કેમ ન હોય ? ઘેલી થઈ છે તું. હજારોમાં મહાભાગ્યે આવો એકાદ રસિયો પ્રીતમ મળી આવે છે. એ રસિયાને ભુજમાં દબાવી, નિત્યની આ અનિચ્છનીય પ્રવૃત્તિમાં સુખની સરિતા લહેરાવ ને ! આ માથાકૂટમાં તું
ક્યાંથી પડી ?"
“એ ન બને ! મેં તો બીડું ઝડપ્યું છે ! એ અહીં આવે એટલે પકડાવ્યે જ છૂટકો ! દિવસો કેટલા વીતી ગયા ? મહામંત્રી રાતદહાડો એના જ વિચારમાં ને એની શોધમાં જ ઘૂમે છે.”
“હા, હા, હા.” એકાએક આવાસના દ્વાર પર હસવાનો અવાજ સંભળાયો. યુવતીઓ છળી ગઈ.
શેરીઓમાં ભમતો પેલો આકાર જ અહીં દેખાયો હતો. ઘનઘોર રાત, ને કાળા આકારનું આગમન ! આવાસનો ચોકીદાર નિરાંતે કુભકર્ણી નિદ્રામાં પડ્યો હતો. યુવતીઓ એકદમ ચીસ પાડી ઊઠી.
ઊંઘતો ચોકીદાર સફાળો જાગી ઊઠ્યો. આવા અનેક પ્રસંગોએ તાત્કાલિક ઇલાજો લેવા માટે ટેવાયેલો એ મોંમાંથી બીભત્સ શબ્દો કાઢતો મોટી છરી સાથે ત્યાં આવી પહોંચ્યો. પણ લેશમાત્ર ગભરાયા વગર, કંઈ પણ અવાજ કર્યા વગર પેલો આકાર આગળ વધ્યો. જાદુગરના જેવી કરામતથી તેણે ચોકીદારનો છરો ખૂંચવી લીધો અને હાથી જેમ કમળફૂલને ઊંચકી ફેંકી દે એમ એને ઊંચકી બહાર ફેંકી દીધો. ચોકીદાર ઊંધે માથે પડ્યો.
“દેવદત્તા, પિછાની લે ! હું જ પેલો પરદેશી સાર્થવાહ ! મને ફસાવવા તું બેઠી છે, તે હું જાણું છું. . પણ તું મને પકડી લે, તે પહેલાં હું તને પકડી જાઉં. ચાલ ! તને મારા મજેદાર ઘરમાં લઈ જાઉં ! તારા હજાર હાથવાળા મહામંત્રી તને છોડાવવા ત્યાં આવશે. બીડું તો સુંદર ઝડપ્યું હો !” પેલો આકાર બોલતો હતો. અરે, પણ આ ચોર-ડાકુની ભાષા ન હોય ! એ શબ્દોમાં સંસ્કાર ગાજતા હતા. ઝનૂન નહોતું – સૌમ્યતા હતી. પણ બધું જાણવા પેલી યુવતી સર્ચત ન હતી. એ તો ક્યારનીય બેભાન બનીને ઢળી પડી હતી.
કાળો આકાર આગળ વધ્યો. એણે ફૂલની જેમ યુવતીને ઊંચકી લીધી. પોતાના અંધારપછેડામાં લપેટી લીધી, અને સડસડાટ શેરીઓ વીંધતો એ ચાલ્યો.
164 D સંસારસેતુ
શેરીઓ ને ગલીઓ પસાર કરતો એ આકાર રાજમહેલ બગીચાની દીવાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો કે અચાનક પડકાર સંભળાયો :
“કોણ છે એ"
કોઈ અંધારામાંથી બહાર નીકળી આવ્યું. પણ પેલો કાળો આકાર તો ઝડપથી આગળ વધવા લાગ્યો.
નક્કી કોઈ ગુનેગાર ! બગીચાની દીવાલમાંથી કોઈ બહાર આવ્યું. સીધો સપાટો આકારના માથા ઉપર ! પણ કાળા આકારે વીજળીની ઝડપે હાથમાંની વસ્તુ જમીન પર સેરવી દાવ ચૂકવી લાઠીનો ઘા વ્યર્થ કર્યો અને જોતજોતાંમાં અંધારામાં એના હાથમાં લાંબી તલવાર લપકારા મારવા લાગી. પેલા આકારે વિચિત્ર અવાજ કાઢતાં ધીરેથી કહ્યું :
“તારા માર્ગે જા ! મોતને ન બોલાવ !”
“મોતથી ડરે એ બીજા ! રાજગૃહીની શેરીઓમાં શેતાન ભમે છે એ વાત મેં જાણી લીધી છે. જાન જાય તો પણ આજે નહિ છોડું !” અને આવનારે લાઠી ઘુમાવી. સીધો ફટકો માર્યો, પણ પેલાએ તલવાર પર ઝીલી લીધો. તલવાર અને લાઠી બન્ને હાથમાંથી છૂટી દૂર પડ્યાં ! એટલામાં પેલી સ્ત્રી જાગી ઊઠી. એણે ચીસ નાંખી. સ્ત્રીનું અપહરણ ! મગધ રાજના રાજ્યમાં !
આવનાર ઝનૂન પર ચડ્યો. એણે છરી કાઢી. પેલા કાળા આકારે ઊછળીને એનો હાથ પકડી લીધો. પણ હાથ પકડવા જતાં બુરખો સરી પડ્યો, તારાના પ્રકાશમાં એ એકદમ ઓળખાઈ ગયો.
K
“કોણ, તું રોહિણેય ?” અને આવનાર ઝનૂનપૂર્વક સામે ધસ્યો.
મદમસ્ત વનહસ્તીઓના દ્વંદ્વ જેવું તંદુ મચ્યું. આગંતુક પણ પડછંદ શરીરનો હતો. એના સુદીર્ઘ બાહુ ને દાવપેચ લડાવવાની હિંમત એને વગર કહે અજબ ખેલાડી તરીકે ઓળખાતી હતી. કેટલીએક પળો આ રીતે દમાં વીતી ગઈ.
ભૂમિ પર પડેલી દેવદત્તા ધીરેધીરે જાગ્રત થઈ રહી હતી. પણ આ દ્વંદ તરફ એની નજર પડતાં પુનઃ ચીસ પાડી ઊઠી.
કાળો આકાર હવે કંઈ નવા દાવપેચમાં હતો. એણે જોયું કે આ રાતનું હૃદ લંબાય તો વધુ મદદ આવી પહોંચે ને પોતે ઘેરાઈ જાય. એણે તરત એક અવળી ગુલાંટ ખાધી, અને સહેજ સરક્યો. દીવાલ પાસેથી સરી આવનારે અને ચિત કરવાનો સુંદર પ્રસંગ જોઈ એકદમ કૂદકો માર્યો, પણ પેલો સાપ જમીન પર પેટભર સરી જાય એમ સરી ગયો. કૂદકો નિષ્ફળ ગયો.
અને એ નિષ્ફળતાએ પેલા કાળા આકાર માટે માર્ગ કરી દીધો. વીજળીવેગે
કાળો આકાર – 165
Page #92
--------------------------------------------------------------------------
________________
એ ઊભો થયો ને નાઠો. સામનો કરનાર બગડેલી બાજી સમજી ગયો ને એણે ઉતાવળો એક ચિત્કાર કર્યો.
ચિત્કારની સાથે આજુબાજુથી સૈનિકો દોડી આવ્યા. તેઓએ આસમાની દીવાનું અજવાળું ચારે તરફ ફેંકવા માંડ્યું. અને તેઓએ જે જોયું તેથી આશ્ચર્યમાં ડૂબી ગયા.
કોણ મહામંત્રીજી !” “વિલંબ પોષાય તેમ નથી. જલદી અશ્વ લાવો ! મગધનો ચોર રોહિણેય નાઠો છે.” “રોહિણેય !” સૈનિકોનાં મોં ફાટ્યાં રહ્યાં.
“વિચારવાનો વખત નથી. હું એની પૂંઠ પકડું છું. તમે અશ્વ સાથે દરવાજે ભેગા થાઓ.’
જેવી આશા !' સૈનિકો એટલું બોલી એકદમ અશ્વશાલા તરફ ચાલ્યા ગયા.
આ આજ્ઞા આપવામાં પળવારનો વિલંબ થયો, પણ એટલી વારમાં તો રોહિણેય ઠીક ઠીક આગળ વધી ગયો હતો.
રાજગૃહીના ઊંચા આવાસો ને ટૂંકી કેડીઓની વચ્ચેથી રોહિણેય પવનવેગે ઊડ્યો જતો હતો. પણ પળવારમાં તો આખા રાજગૃહીના ચોકીદારો સચેત બની ગયા. હવે જમીન પરનો માર્ગ ભભરેલો કલ્પી રોહિણેયે માર્ગ બદલ્યો. એ નિમિષમાત્રમાં એક ઊંચા આવાસની અગાસી ઉપર ચઢી ગયો, ને ત્યાંથી વાનરની જેમ કુદતી કૂદતો રાજ ગૃહીને વીંધવા લાગ્યો.
પૂરેપૂરું અનુસંધાન રાખીને મહામંત્રી આગળ વધતા હતા. વસંતની સુંદર રાત્રિ હતી, ને ઘણાં દંપતીઓ રસભર્યા પ્રહારો વિતાવી હમણાં જ ગાઢ નિદ્રામાં પડ્યાં હતાં. એમનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતાં ને કેટલાંક તે એવી સ્થિતિમાં સૂતાં હતાં કે નજર નાખતાંની સાથે જ રોહિણેય ત્યાંથી આગળ વધી જતો.
રાવણની લંકા માર્ગ કૂદતા હનુમાનની કલ્પના રોહિણેય પૂરી પાડતો હતો. એની પાસે કોઈ અપૂર્વ લબ્ધિ હોય કે એના ચપળ પગમાં કોઈ યંત્ર હોય, જે ચાંપ દબાવતાં જ રોહિણેયને ઉછાળી એક આવાસથી બીજા આવાસ પર પહોંચાડી દેતું હોય તેમ લાગતું હતું. મહામંત્રી અને કેમ પકડવો તેના વિચારમાં આગળ વધતા હતા. સેનિકો અશ્વ સાથે આવી પહોંચ્યા હતા.
રોહિણેય રમતવાતમાં રાજ ગૃહીના આવાસો વટાવી ગયો. કિલ્લો વટાવતાં પણ એને શ્રમ ન લાવ્યો. કિલ્લાની બહાર મોટું વિસ્તૃત મેદાન હતું, પણ તે રસ્તે ન જતાં એણે નવો માર્ગ લીધો. એ ગંગા નદી પાર કરવા પ્રવાહમાં પડ્યો.
આજે જીવસટોસટનું સાહસ હતું. ચાલાક રોહિણેયે રમતવાતમાં મહાઅમાત્યની
અશ્વશક્તિને નિષ્ફળ બનાવી.
અશ્વોને પેલે પાર લાવો ! બીજાં સૈનિકદળો ગિરિમાળ વીંટી લે ! વાવ, નદીઓ ને પુષ્કરણીઓ પર પહેરા મૂકી દો !” મહાઅમાત્ય એક હોડીમાં બેસતાં અને તેને રોહિણેયની પાછળ વહેતી મૂકતાં આજ્ઞા કરી.
પણ રોહિણેય તો સાગરનું જળચર હોય તેમ કરવા લાગ્યો. કદી દેખાય, કદી ડૂબી જાય. ક્યાંક પરપોટા ઉડાડતો આડે રસ્તે આગળ વધે. હોડી અત્યંત ઝડપથી આગળ ધસતી હતી. આવા પ્રબલ પરાક્રમી ચોરને જીવતો ઝાલવાની હોંશ ધરાવનાર મહામંત્રી હલેસાં દેનારને અત્યંત ઝડપ રાખવાનું કહેતા હતા.
- સાગરસમી ગંગાનાં નીર મધપ્રવાહે ભયંકર રીતે ઘૂમરીઓ ખાઈ રહ્યાં હતા. એવી ઘુમરીઓમાં કુશળ નાવિકો પણ હોડી ઝુકાવવાનું સાહસ ન કરતા. ગંગા નદીના આંતરપ્રવાહોથી જાણે રોહિણેય રજેરજ માહિતગાર હોય એમ એ ઘડીકમાં આ ભમ્મરથી પેલા ભમ્મરે નીકળતો.
અપુર્વ હરીફાઈ જામી, પણ એટલી વારમાં અશ્વો ગંગા નદી પાર કરીને સામે તૈયાર થઈ ઊભા રહ્યા. એ જ વેળાએ રમત રમતો રોહિણેય સામે કાંઠે બહાર આવ્યો ! પણ ત્યાંય તે ઘેરાયેલો જ હતો.
છતાં ભય કે મૃત્યુ જાણે કદી જાણ્યાં નથી એવો રોહિણીય ખિસકોલીની ઝડપે એકદમ ઝાડની ઊંચી ડાળો પર ચડ્યો ને થોડે દૂર આવેલી અંધારી ઝાડીમાં કૂદ્યો.
પાછલી રાતે મોડા ઊગેલા ચંદ્રની રેખા આકાશમાં ચડતી હતી. એનું આછું અજવાળું ગંગાના સામા કિનારાની વનરાજિ ને ડુંગરમાળો પર વેરાતું હતું. રાજગૃહીવાળા કિનારા પર મોટી મેદની એકત્ર થયાના હોકારા સંભળાતા હતા.
ઝાડી ઘેરી લેવાનો મહામંત્રી હુકમ આપે એટલામાં તો કોઈ અશ્વારૂઢ પુરુષ ઝડપથી તેમાંથી બહાર નીકળ્યો.
એ જ રોહિણેય ! પૂંઠ પકડો !” મહામંત્રીએ પ્રચંડ ઘોષ કર્યો.
વૈભાર પર્વતની સાંકડી કેડી થોડીવારમાં એશ્વોના દાબલાથી ગાજી રહી. બધા પૂરવેગે ધસી રહ્યા હતા. આ ઘોડદોડ ખૂબ ચાલી; પણ ધીરે ધીરે એશ્વો અને એના સવારો ઓછા થવા લાગ્યા.
166 1 સંસારસેતુ
કાળો આકાર 167
Page #93
--------------------------------------------------------------------------
________________
20
કોણ સાચું ?
ઊંચી શિખરમાળને ભેદીને સૂરજ નારાયણે વનપ્રવેશ કર્યો ત્યારે કેવલ છે અશ્વો જ તબડક તબડક કરતા માર્ગ કાપી રહ્યા હતા. બધાના મુખમાંથી ફીણના ગોટાગોટા નીકળી રહ્યા હતા. આગળ જતો ઘોડેસવાર ને પાછળના ઘોડેસવારો વચ્ચે અંતર ઠીક ઠીક હતું, પણ હવે જાણે પાછળના ઘોડેસવારો જીવ પર આવી ગયા હોય તેમ લાગતું હતું.
| પાછળના અશ્વોની ગતિ વધી. અંતર ઓછું થતું ચાલ્યું. પણ પકડી પાડી શકાય એટલું તો નહિ જ !
“મંત્રીરાજ , જીવતો કે મરેલો ! હવે લાંબો શો વિચાર કરો છો ?”
તરત જ આગળના ઘોડા પર સવાર થયેલ મહામંત્રી દોડતા ઘોડાની પીઠ પર ઊંચા થયા ને હાથમાં રહેલું કુંતx ફેંક્યું.
| પ્રચંડ ધનુષ્યમાંથી ફેકાયેલાં તીરની જેમ હવામાં જબરો સુસવાટો બોલાવતું કુંત રોહિણેય તરફ ધસ્યું, પણ જીવ લઈને નાસતા એ કુશળ ચોરની ગરદનને પણ જાણે આંખો હતી. એ ચેતી ગયો ને પોતાના કાળથી બચવા નિમિષમાત્રમાં અશ્વની પીઠ પરથી એક બાજુ ઝૂકી ગયો. કુંત સવારને બદલે અશ્વની ગરદનમાં ઊંડે ઊતરી ગયું. લોહીની ધાર વછૂટી, છતાં વફાદાર એશ્વ મૂંઝાયો નહિ. એણે પ્રવાસ જારી રાખ્યો.
કુંતનો ઘા ખાલી જતાં રોહિણેય ફરીથી બરાબર સવાર થઈ ગયો, ને ક્ષણમાત્રમાં અશ્વની ગરદનમાંથી કુંત ખેંચી કાઢવું.
લોહીના ફુવારાઓ ઉડાડતો એશ્વ જરાય થોભ્યો નહોતો. રોહિણેય જેવા x નાનું ભાલું.
પોતાના અસવારનું જાણે પ્રાણાર્પણથી પણ રક્ષણ કરવાનું બીડું એણે ઝડપ્યું હતું. એ વેગથી આગળ દોડ્યું જતો હતો.
કેટલીએક પળો આ રીતે વીતી ગઈ. વનપ્રદેશના જાણકાર રોહિણેય મહામંત્રી અને તેમના ગણ્યાગાંઠ્યા મદદગારોને વનની ખીણોમાં ઘાંચીના બળદની જેમ ફેરવવા માંડ્યા હતા. સૈનિકો અને તેમના અશ્વો થાક્યા હતા. કેવલ મહામંત્રી અત્યંત આવેગથી પીછો પકડી રહ્યા હતા. ચતુર રોહિણેયનો એશ્વ હવે લોહીના અત્યંત વહેવાથી અશક્ત બનતો જતો હતો. એણે પોતાનું વસ્ત્ર ફાડીને દોડતા પાટો વીંટ્યો હતો, પણ ઘા સામાન્ય નહોતો. હવે અશ્વ પર ભરોસો રાખવા કરતાં એણે બીજું કંઈ વિચાર્યું.
વનની વનરાઈ ગાઢ બનતી જતી હતી. મહામુશ્કેલીએ માણસ ચાલી શકે તેવી અનેક નાની આડીઅવળી કેડીઓ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. રોહિણેયે એક આવી કેડીનો માર્ગ લીધો, ને પળવારમાં ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો. પણ મહામંત્રી આજે તો છેલ્લો નિર્ણય કરીને નીકળ્યા હતા. રોહિણેય ન મળે તો એમના માટે પણ હવે રાજ ગૃહીનાં ઝાડવાં જોવામાં નહોતાં. કાં શસ્ત્રત્યાગ ! કાં સંન્યાસ !
મહામંત્રીએ પણ અશ્વને ઝાડીમાં ધકેલ્યો; પણ અંદર જતાં તેઓ જુએ છે, તો એક ઝરણને કાંઠે પેલો ઘાયલ અશ્વ ખાલી ઊભો હતો.
“દુષ્ટ છટકી ગયો ? નામર્દ !!” અને કોપે ચડેલા મહામંત્રીએ પોતાની ગરુડ જેવી દીર્ઘ દૃષ્ટિ ચારે તરફ ફેંકી.
દૂર, થોડે દૂર, રોહિણેય પગપાળો નાસતો જતો હતો. મહામંત્રીના ક્રોધનો પાર ન રહ્યો. એમણે પીઠ પરના ભાથામાંથી એક ઝીણું તીણ તીર ખેંચી કાઢવું ને ધનુષની પણછ કાન સુધી ખેંચી હવામાં વહેતું મૂક્યું.
મહામંત્રી હજીય આવા શૂરવીરને જીવતો પકડવાનો લોભ છોડી શક્યા નહોતા. શરસંધાન એના પગ પર હતું, અને એ સંધાન અચૂક નીવડયું. તીર. રોહિણેયના ખડતલ પગની આરપાર નીકળી ગયું.
પોતાના સંધાનની સફળતામાં મહામંત્રીએ એક અટ્ટહાસ્ય ક્યું ને એનો પીછો પકડી ઝાલી લેવા અશ્વ પરથી છલાંગ મારી નીચે ઊતર્યા. પણ આશ્ચર્ય !
રોહિણેય તીર ખેંચ્યા વગર જ , જરાય થોભ્યા વગર દોડતો હતો. આજે એની પાસે નહોતું તીરનું ભાથું. તલવાર, છૂરી અને ચોરીનાં બીજાં નાનાં સાધનો હતાં, તેમાં તલવાર વગેરે તો પહેલાં હૃદ્ધ વખતે જ છૂટી ગયાં હતાં. એકાદ તીર પાસે હોત, એકાદ નાની કૃપાણ કે કટારી પણ હોત, તો રોહિણેય અવશ્ય ભયંકર સામનો કરતું, પણ આજે તો નાસી છૂટયા સિવાય એના માટે બીજા કોઈ માર્ગ નહોતો.
પ્રેમની વેદી પર 1 19
Page #94
--------------------------------------------------------------------------
________________
ઘવાયેલા પગે નાસીને પણ એ કેટલો નાસે ! એણે વનપ્રદેશમાં ટૂંકાં ટૂંકાં ચક્કરો લેવા માંડ્યાં. આ પ્રદેશના બિનઅનુભવી મહામંત્રી એ રીતે જરા પાછળ પડ્યા, પણ એ વખતે એમને ખાતરી થઈ ચૂકી હતી કે સૈનિકોએ આખી ડુંગરમાળ ઘેરી લીધી હશે. તમામ વાવ, નદીઓ ને પુષ્કરણીઓ પર પહેરા બેસી ગયા હશે. પલ્લીવાસીઓના ગુપ્ત કૂવાઓમાં કેફી પદાર્થો નખાઈ ગયા હશે. જરા વહેલા કે જરા મોડા પણ રોહિણેયને પકડાયા સિવાય છૂટકો નહોતો.
છૂટો પડેલો રોહિણેય વનને વીંધતો હવે જરા સમથલ ભૂમિ પર આવ્યો હતો. ધોમ ધખતો જતો હતો. પગમાં અસહ્ય વેદના જાગતી જતી હતી. એણે ચારે તરફ દૂર દૂર જોયું. મહામંત્રી પાછળ રહી ગયા લાગ્યા : દુમન લેખી શકાય તેવું કોઈ ત્યાં ન દેખાયું.
“હાશ !'' કહીને રોહિણેય નીચે બેસવા ગયો. ત્યાં એને કાને કોઈ મધુરા અવાજ સંભળાયો. આકાશના પટ પરથી હવામાં લહેરી લેતી કેટલીક જયગર્જનાઓ પણ સંભળાઈ :
જ્ઞાતપુત્રનો જય !''
અરે, પેલા ઠગારા જ્ઞાતપુત્રની વાણી ! હત્તારીની ! આવે કવખતે આ અપશુકન ક્યાં થયાં ? એણે તરત પોતાના કાન પર જોરથી હાથ દાબી દીધા.
પગમાં અસહ્ય વેદના જાગી હતી. ઝનૂનપૂર્વક દોડવામાં તો કંઈ ભાન નહોતું રહ્યું; પણ હવે જાણે એક ક્ષણમાં પગ થાંભલા જેવો થઈ ગયો હતો. છતાંય કેમ થોભાય ! આ તો સિદ્ધાંતનો સવાલ ! એણે કાયર થતા પોતાના દિલને મુંગો ઠપકો આપ્યો :
યાદ છે ને પૂજ્ય શિરછત્ર દાદાની એ મૃત્યુપળો ? એ વેળાની આજ્ઞા ? સ્મરણમાં છે ને બધાની વતી પોતે લીધેલી પ્રતિજ્ઞા ? અરેરે ! એ જ્ઞાતપુત્રની વિરુદ્ધ કશુંય થઈ શક્યું નહિ ! એના પરમ ઉપાસકોને પણ હું હાનિ પહોંચાડી શક્યો નહિ ! એને અત્યારે એક પગ ખાતર પ્રતિજ્ઞાનો ભંગ કરું ? પગ તૂટી પડે તોપણ શું ?” એણે કાન પર સખત રીતે હાથ દાબીને આગળ વધવા ઇચ્છવું, પણ યોદ્ધો આજે લાચાર બન્યો હતો. પગ જ ન ઊપડ્યો.
ફરીથી એણે એ રીતે કાન પર હાથ રાખી આગળ વધવા પ્રયત્ન કર્યો, પણ શરીર પાસે મનને નમવું પડ્યું. વખત વીતતો જતો હતો, એમ પીછો પકડનારા પણ નજીક આવી પહોંચવાની સંભાવના વધતી જતી હતી.
નિરુપાયે, પોતાના આવા કમજોર શરીરને ધિક્કાર આપતો રોહિણેય નીચે બેસી ગયો ને જે દિશામાંથી અવાજ આવતો હતો તે દિશાના તરફ હાથ મૂકી પગમાંથી તીર કાઢવા લાગ્યો. પણ તીર તો બે પગની બાજુ આરપાર નીકળ્યું હતું.
170 3 સંસારસેતુ
એક હાથે ખેંચી શકાય તેમ ન લાગ્યું.
આખરે એણે બે હાથે કાઢવા પ્રયત્ન કર્યો, પણ ત્યાં તો જે અવાજ નહોતો સાંભળવો એ જ અવાજ કાન પર અથડાવા લાગ્યો. કેવો અવાજ !
હવામાં રહેતા આવતા નીચેના શબ્દો એના કર્ણપટલ પર અથડાયા :
મહાનુભાવો, સત્કર્મ કરનાર દેવપદને પામે છે. દેવોનો રાજા ઇંદ્ર છે ને તે વર્ગમાં રહે છે. દેવો કેવા હોય છે; તે જાણો છો ? તેમના ચરણ પૃથ્વીને કદી સ્પર્શ કરતા નથી; તેમનાં નેત્રો કદી ઉઘાડમીચ થતાં નથી; એમની પુખ-માળાઓ કદાપિ કરમાતી નથી અને એમનો દેહ પ્રસ્વેદથી રહિત હોય છે.”
હાશ !” એક મોટા હાશકારા સાથે એણે તીર ખેંચી કાઢચું, ઊભો થયો ને વેગથી દોડ્યો. આટલા શબ્દો એનાથી મનેકમને સાંભળી લેવાયા હતા. એનો અત્યંત પશ્ચાત્તાપ તેના દિલમાં ઊભરાઈ આવ્યો :
અરેરે ! મેં કુળ બોળ્યું ! મારાથી વિશેષ કંઈ કરી શકાયું નહિ, અને વધારામાં શિરછત્ર દાદાની સામે લીધેલી પ્રતિજ્ઞા પણ તોડી ! સ્વર્ગમાં બિરાજેલ દાદા ન જાણે મારા પર કેવો શાપ વરસાવતા હશે !” રોહિણેય આકાશ સામે ક્ષણવાર મીટ માંડી રહ્યો ને પછી જાણે કોઈનો ઠપકો સાંભળી પોતે ગ્લાનિ પામતો તેમ જોરથી નાઠો. ન એણે ઊંડા ઘાને પૂરવા વનસ્પતિ શોધી કે ન એણે પાટો વીંટટ્યો.
સૂરજ પોતાનાં આગના ભડકા જેવાં કિરણોથી બધે ઉકળાટ ફેલાવી રહ્યો હતો. ભૂખ્યો ને તરસ્યો ઘાયલ રોહિણેય આ ટેકરીથી પેલી ટેકરીએ અને આ ગુફાથી બીજી ગુફાએ નાસતો હતો. શિકારી પશુ જેમ હવામાં લાંબો શ્વાસ લઈ ભય પારખી લે, એમ રોહિણેય પોતાની પાછળના ભયને પારખી ગયો હતો.
પણ આજે એને નિરાશા ઘેરી વળી હતી. પ્રતિજ્ઞાભંગનું અત્યંત દર્દ એના દિલમાં ખડું થયું હતું. જે શરીર પર પોતાને અભિમાન હતું, એણે જ દગો દીધો ! પોતાના વફાદાર અશ્વ જેટલીય હિંમત એણે ન બતાવી. આવા શરીર પર શો ભરોસો ! ને એ રીતે એ સ્વયં પોતાની જીવન-આલોચના કરવા લાગ્યો. દાદાએ વસાવેલી સુંદર પલ્લી ક્યાં ? પોતાના વફાદાર સાથીદારો આજે મગધના કારાગૃહમાં સડે છે ? ને પોતે ?
‘પોતે એટલે ? હું ?” ક્ષણભર રોહિણેય ખુમારીમાં ચડી ગયો : “અરે હું એટલે ? મારા નામથી તો સગર્ભાના ગર્ભ ગળી જાય છે ને યોદ્ધાઓના હાથમાંથી તલવાર સરી જાય છે ! રાજગૃહીને લૂંટવાનું મહામૂલું કામ કરનાર રોહિણેય કેટલાની ને કોની માએ જણ્યા છે ? મગધરાજ ને મહામંત્રી જેવાના બુદ્ધિબળની હાંસી કરનાર બીજો કોઈ નર તો બતાવો !” પણ એટલામાં વિચારમાળા પલટાણી. જાણે એનું મન જ એને કહેવા લાગ્યું :
કોણ સાચું ? 1 171
Page #95
--------------------------------------------------------------------------
________________
“અરે, પણ એથી શું કામ સર્યું ! તું રાક્ષસ બન્યો, પિશાચની પ્રતિમૂર્તિ તરીકે પંકાયો. તારા કુળની શી પ્રતિષ્ઠા વધારી ? તારા કુળને તાર્યું ? અને નાનાશા તીરે તારી પ્રતિજ્ઞામાં ધૂળ ભેળવી. લોકો જાણશે ત્યારે તારા નામ પર નહિ થૂંકે ?”
રોહિણેય નિરાશામાં બેસી ગયો. તરસથી એનું ગળું સુકાઈ રહ્યું હતું. એણે ચારે તરફ નજર ફેંકી. થોડે દૂર એક નાનો કૂવો દેખાતો હતો.
એ કૂવા તરફ ચાલ્યો. કૂવો પાણીથી છલોછલ ભરેલો હતો. એણે કાંઠે બેસી* પીવા માટે ખોબો ભર્યો, પણ તરત કોઈ ગંધે એના નાકને ચમકાવી દીધું. એણે ફરીથી જરા સાવચેતીથી પાણી સૂંધ્યું, અને તરત જ ખોબો ઢોળી નાખી ઊભો થયો : “હટ, આખરે આવો પ્રપંચ ! પાણીમાં પણ કેફી વિષનો પ્રયોગ !"
પણ સાથે જ ઝાડ પરથી કોઈના સરકવાનો અવાજ આવ્યો. થાકેલો, નિરાશ બનેલો રોહિણેય સાવચેત બને તે પહેલાં તે બંદીવાન બની ગયો. “દો !”
“બરાબર, દગાખોર સાથે દો !"
મહામંત્રીએ એના પાશ મજબૂત કર્યા. થોડી વારમાં આજુબાજુ છુપાયેલા સૈનિકોથી એ સ્થળ ઊભરાઈ ગયું. રોહિણેયને મજબૂત રીતે બાંધીને બધા પાછા વળ્યા. આજે સર્વના દિલમાં આનંદ સમાતો નહોતો. મગધનો મહાન ચોર મહામુશ્કેલીએ જીવતો પકડાયો હતો. મહામંત્રીની પ્રતિજ્ઞા પૂરી થઈ હતી અને મગધની પ્રજાના માથેથી સદા તોળાઈ રહેલી એક આફત પણ ઊતરી ચૂકી હતી.
અત્યંત સાવધાનીપૂર્વક બધા પાટનગર તરફ વળ્યા. પણ અરે, આ શું ? કાર્ચીડો પોતાના રંગ બદલે એમ આ રોહિણેય ધીરે ધીરે પોતાની આખી આકૃતિ પલટી રહ્યો હતો. વેશપરિવર્તનમાં નિપુણ રોહિણેય મુદ્રા-પરિવર્તનમાં પણ અજબ કૌશલ્ય ધરાવતો લાગ્યો. છતાંય આખા માર્ગ દરમિયાન રોહિણેય શું કરી રહ્યો હતો, એની સૈનિકોને પૂરી જાણ ન થઈ શકી. જ્યારે તેઓ ગર્વોન્નત મસ્તકે રાજગૃહીની બજારોમાં થઈને નીકળ્યા, ત્યારે તેનું તેમને ભાન થઈ આવ્યું.
રાજમાર્ગો, વીથિકાઓ, શેરીઓ ને ઝરૂખાઓ માનવમેદનીથી ભરપૂર હતા. મગધના પાટનગરને લૂંટી શકે અને મહાઅમાત્ય જેવા મહાઅમાત્યને પણ ક્ષણભર હેરાન પરેશાન કરી મૂકે તેવા પુરુષને જોવાની સહુને અજબ ઇંતેજારી હતી. તેમાં પણ જ્યારે તેઓએ જાણ્યું કે સાર્થવાહના વેશે વર્ષો સુધી રોહિણેય ગણિકા દેવદત્તાના પ્રમોદભવનમાં જઈને રહ્યો હતો, ત્યારે તો સહુના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓએ દેવદત્તા પાસેથી તેનું અનેક વાર વર્ણન મેળવ્યું, ને અંતરથી આકર્ષાયેલી દેવદત્તાએ પોતાના રસિયા પ્રીતમના રૂપવર્ણનમાં કંઈ પણ મણા ન રાખી.
* આવા કૂવાઓ અત્યારે પણ સમેતશિખર પર્વત (પાર્શ્વનાથ હીલ) પર મોજૂદ છે, જેના કાંઠે બેસી મુસાફર ખોબાથી પાણી પી શકે છે.
172 D સંસારસેતુ
આવા વીર, બહાદુર, સુંદર ને ચતુર ચોરને નિહાળવાની ઇચ્છા કોને ન થાય ! નગરજનોને તો કોઈ ને કોઈ સ્વરૂપે રોહિણેય હંમેશાં સ્વપ્નમાં દેખાતો, એટલે સહુએ એની મનઃકલ્પિત આકૃતિઓ નિર્માણ જ કરી લીધી હતી. પણ આ પુરુષ એ
કલ્પનાઓથી તદ્દન નિરાળો હતો.
“અરે, શું આ જ રોહિણેય !" એક ભડભડિયા પ્રજાજને ઉતાવળમાં બોલી નાખ્યું : “અરે, એના લબડતા હોઠ તો જુઓ ! ઠંડો એનો હાથ તો જુઓ ! દેવદત્તાએ વખાણેલો રોહિણેય શું આ જ ?"
સૈનિકોના કાન પર આ ટીકા અથડાઈ. શું ખરેખર રોહિણેય એવો છે ? તેઓએ એના સામે જોયું અને જોતાં વેંત જ આશ્ચર્યમાં ડૂબી ગયા. ક્ષણભર તેઓને પણ વિમાસણ થઈ આવી. આ તો કોક કુટુમ્બી૦ જેવો લાગે છે ! અરે, અનેક ગુપ્ત વિદ્યાઓનો જાણકાર રોહિણય બીજાને બાંધીને છટકી તો નથી ગયો ને ! જેને મહામંત્રીએ પકડ્યો એ આવો નહોતો !
“અરે, પણ એની આંખો તો જુઓ, બિચારાને કીકીઓ જ ક્યાં છે ? રતાંધળો લાગે છે. મહામંત્રીએ ‘આલાને બદલે માલાને’ પકડી લાવવા જેવું તો નથી કર્યું ! આ તો રોહિણય નથી જ !"
આમ ટીકાનો વિસ્તાર વધતો ચાલ્યો. લોકો મૂછમાં હસવા લાગ્યા. જે નગરજનોએ લૂંટારા તરીકે એને નીરખેલો, તેઓએ તો ચોખ્ખીચટ ના ભણી કે આ રોહિણેય નથી જ !
કેટલાક ઉત્સાહી નગરજનો દેવદત્તાને પૂછી આવ્યા. જાણે પોતાની આંખ દગો દેતી હોય તેમ એણે વારેઘડીએ ઉઘાડમીંચ કરતાં ધીરેથી ડોકું ધુણાવી ના પાડી.
દેવદત્તાની દાસી ઘણીવાર શેખી કરતી કે એ છેલછબીલા સાર્થવાહને સર્વ પહેલાં પાનનાં બીડાં મેં જ આપેલાં. કેટલાક ટીખળી લોકો દોડીને એને ઘસડી લાવ્યા ને પેલા માણસને બતાવીને પૂછ્યું :
“બોલ જો, આ જ પેલો સાર્થવાહ ને ? તારી દેવદત્તાની સેજનો સાથી !”
દાસી છંછેડાઈ પડી. એને એવા અણઘડ પુરુષનો સંબંધ પોતાની રૂપશાલિની દેવદત્તા સાથે જોડવાથી ખોટું લાગ્યું. એ બોલી : “ફરીથી બોલ્યા છો તો ખબર જ લઈ નાખીશ. અરે, આ માણસ તે કંઈ માણસમાં છે ! મને તો પંઢ જેવો લાગે છે. એની ચાલ ને લાળ ટપકતા હોઠ તો જુઓ !”
“અરે, પણ કુમાર મેતાર્યને જ પૂછો ને ?”
કુમાર મેતાર્ય રાજમહેલે હતા. એમણે પણ સામેથી જંજીરોમાં જકડાઈને આવતા રોહિણેયને જોઈ કહ્યું : “મહારાજ ! આ શું ? આ રોહિણેય ન હોય !” ૦ કણબી
કોણ સાચું ? D 173
Page #96
--------------------------------------------------------------------------
________________
“શું મહાઅમાત્ય રોહિણેયને બદલે બીજા કોઈને પકડી લાવ્યા છે ?” મગધરાજના મોંમાંથી એકાએક નીકળી ગયું.
રાજમાર્ગ પરનાં હાસ્ય ને ઠઠ્ઠાની વચ્ચેથી મહામંત્રી અને સૈનિકોને પસાર થતાં ભોંય ભારે લાગી. જેઓની પાસેથી પ્રશંસાનાં પુષ્પોની આશા રાખી હતી, તેઓની પાસેથી કટાક્ષનાં વ્યંગનાં બાણોનો વરસાદ વરસ્યો. સૈનિકોનો તો ઉત્સાહ શમી ગયો. તેઓ બિચારા આ નિર્માલ્ય લાગતા માણસની લોહજંજીરો ઝાલીને, છાતી ફુલાવીને, ઊંચે મુખે ચાલતાંય શરમાતા હતા.
રાજદ્વાર પાસે આવતાં તેઓએ છુટકારાનો દમ ખેંચ્યો. મગધપતિએ સામે પગલે આવીને ધૂળ ને શ્રમથી મ્લાન લાગતા મહામંત્રીનું સ્વાગત કર્યું. સૈનિકો તરફ પણ એક હાસ્ય ફેંકી તેમના પ્રણામ ઝીલ્યા. આ પછી તેઓ રોહિોય પાસે આવ્યા, એની જંજીરોને પકડીને ઊભેલા સૈનિકોને શાબાશી આપતાં મગધરાજે પૂછ્યું :
“કેમ, રોહિણેયને આબાદ પકડી પાડ્યો ને !”
સૈનિકો ચૂપ હતા. હા કહેવી કે ના કહેવી તેની મૂંઝવણ ચાલી રહી હતી. જો આને જ રોહિણેય તરીકે ઓળખાવે તો આવા નિર્માલ્ય માણસને પકડતાં આટલો વિલંબ કેમ થયો એ પ્રશ્ન થાય, ને એને રોહિણય તરીકે ન ઓળખાવે તો પછી આ કોને પકડો ? મગધરાજ આ બધી મૂંઝવણ ટાળવા રોહિણય પાસે ગયા, અને પૂછ્યું : “કેમ રોહિોય, કુશળ છે ને ?”
“રોહિણેય ? હા બાપજી !” અને પેલો ખૂબ જોરથી જાણે રડવા લાગ્યો : બોલતાંય એના ગળામાંથી અવાજ નહોતો નીકળતો. ભયથી નસકોરાં ફાટ્લે જતાં હતાં. એ ગડબડ ગડબડ બોલવા લાગ્યો. એના બોલવાનો સાર આ હતો :
“મહારાજ, હું કુટુંબી (કણબી) છું. મારું નામ દુર્ગાચંડ. બાપાજી, ખેતી કરતો'તો ને ખાતો પીતો'તો, ત્યાં રોહિણેયે કેર કર્યો. એક રાતે મારા ખેતરમાં હું ફરતો'તો, ત્યાં રોહિણેય આવ્યો. હું એનાથી બચવા ઘરબાર છોડી નાઠો, પણ એણે મારો પીછો લીધો. એક તીર મારી મારા પગને વીંધી નાખ્યો અને પછી એ મને પકડીને લઈ ગયો ને આ બધા સૈનિકો નિરાંતે ઊંઘતા હતા, ત્યાં લઈ જઈને હાથેપગે બાંધીને નાખ્યો. એ તો ભારે ચાલાક. મને ફસાવીને તરત નાસી ગયો. મેં ઘણા કાલાવાલા કર્યા, પણ મારું કોણ માને ! મહામંત્રી મને પકડીને અહીં લાવ્યા. મહારાજ, તમારું નામ ઘણું સાંભળ્યું છે. હવે તો તમે મારો કે જિવાડો ! મને મારા ખેતરના ને મારી નાતરાની વહુના વિચાર આવે છે."
આ શબ્દો સાંભળી શ્રમિત મહામંત્રીને પણ જાણે કંઈ થઈ ગયું. એક પળવાર તો પોતાનાં બુદ્ધિબળનું ગુમાન સરી ગયું. પણ પુનઃ સ્વસ્થ થતાં તેમણે કહ્યું : “આ જ પોતે કપટપટુ રોહિણેય છે. એની ચાલાકી હવે નહિ ચાલે. એને જરૂર શિક્ષા થશે. મલક આખાનો ચોર !”
174 D સંસારસેતુ
“અવશ્ય. ગુનેગારને કપરી સજા, એ મગધનો ન્યાય છે. પણ શિક્ષા કરતાં પહેલાં ગુનાનો નિર્ણય અને ગુનેગારની ચોકસાઈ તો કરવી પડશે ને ! એક ચોર મગધનું સિંહાસન ન્યાય ન કરી શકે એટલું પાંગળું બનાવી શકે ખરો કે ?" મગધરાજનો અવાજ ગાજ્યો.
“મહારાજ, બહુ નિહાળી નિહાળીને જોતાં હવે મને આ જ રોહિણેય લાગે છે." મેતારજે વચ્ચે કહ્યું.
“હોઈ શકે; પણ એમ સંશયભરેલો નિર્ણય ન્યાય પાસે સ્થાન ન પામે ! એક નિર્દોષ દંડાય એના કરતાં હજાર ગુનેગાર છૂટી જાય : એ ન્યાયાસનને યોગ્ય લાગે છે.” જે મગધરાજના ન્યાયદંડ નીચે મગધવાસીઓ નિશ્ચિત રીતે જીવી શકતા, એ જ ન્યાય આજે મહામંત્રી જેવા મહામંત્રી સામે હોવા છતાં પક્ષપાત કરવા તૈયાર નહોતો !
“પેલા કેદી બનેલા પલ્લીવાસીઓને તો બોલાવો ! તેઓ પિછાની લેશે.” આ વાત મહામંત્રીને ન રુચી, પણ તેમણે સ્પષ્ટ વિરોધ ન કર્યો. રોહિણેયના વફાદાર સાથી કેયૂર તથા બીજાને ત્યાં તરત હાજર કરવામાં આવ્યા. તેઓને રોહિોય બતાવવામાં આવ્યો, પણ એને જોતાંની સાથે જ બધા બોલી ઊઠ્યા :
“અરર, આ શો ગજબ થયો ? આ તો વૈભારનો વનવાસી, બિચારો કુટુંબી દુર્ગચંડ ! બહુ જ ભલો છે, હો, મહારાજ !"
બધા સ્તબ્ધ બની ગયા. મહામંત્રી તો શું કરવું ને શું ન કરવું : એની જ મૂંઝવણમાં પડ્યા. આખરે મગધરાજે આજ્ઞા કરી :
“મહામંત્રીજી, આજથી સાતમે દિવસે એનો ન્યાય ચૂકવાશે. અપરાધ અને અપરાધીનો નિર્ણય ત્યાં સુધીમાં ન્યાયાસનને ખાતરી થાય એ રીતે કરી લેશો.”
આ નિર્ણય સામે મહામંત્રી કંઈ ન બોલ્યા. કહેવાતા રોહિણેયને સૈનિકો એક જુદા કારાગૃહમાં લઈ ગયા.*
આખું નગર આજના અજબ બનાવ પર ચર્ચા કરી રહ્યું હતું, જ્યારે ભૂખપરિશ્રમને ભૂલીને મહામંત્રી આ વાતનો નિવેડો કેમ લાવવો તેની મંત્રણા કરી રહ્યા હતા. આંખે દીઠી સાચેસાચી બીનાને કુશળ પુરુષો વિકૃત કરી શકે છે, એના પ્રત્યે મેતાર્ય આશ્ચર્ય પ્રદર્શિત કરી રહ્યા હતા. વારેવારે પ્રશ્ન એ ઊઠતો કે કોણ સાચું ?
*
આ આખા પ્રસંગને વિશદ રીતે અને રસભરી રીતે વણી લેતી ‘પતિતપાવન' નામની નાટિકા જુઓ. કોણ સાચું ? – 175
Page #97
--------------------------------------------------------------------------
________________
21
સ્વર્ગલોકમાં
કેસૂડાનાં પુષ્પની શોભાવાળી સંધ્યા આથમી ત્યારે મગધના પાટનગરના
છેડે આવેલા દેવિમાન આકારના પ્રસાદમાં એકાએક નૃત્યગીત આરંભાઈ ગયાં. આખોય પ્રાસાદ લીલા રંગનો હતો. એના પડદાઓ પણ લીલા રંગના હતા. પ્રાસાદ અનેક ખંડમાં વિભક્ત કરેલો હતો, જેમાં સઘન લતામંડપો, શીતળ નિર્ઝરગૃહો ને સ્ફટિકના પ્રકાશે ઝળહળતી પુષ્પવાટિકાઓ આવેલી હતી.
એનો એક એક ખંડ જાતજાતનાં શિલ્પોથી શણગારેલો હતો, ને એ ખંડની અર્ધ ખૂલી બારીઓ વાટે જોનારને પોતે પૃથ્વીથી ઊંચે વસતો હોય તેવો ખ્યાલ આવતો હતો. પૃથ્વી પર કદી ન અનુભવ્યો હોય તેવો મીઠો સુગંધભર્યો પવન ત્યાં વહેતો હતો.
આ દેવવિમાનરૂપ પ્રાસાદનો મુખ્ય ખંડ તો અનેરી શોભાથી ભરેલો હતો. આસનો પીઠિકાઓ, પર્યંકો સ્ફટિક અને નીલજડ્યાં હતાં. એની દીવાલો મુક્તામાળાઓથી લચી પડતી હતી. આ ખંડના મધ્યભાગમાં એક મોટા પલંગ પર કોઈ પુરુષ સૂતો હતો. એના દેહ પર હંસલક્ષણ વસ્ત્ર× હતું. કાનમાં તેજસ્વી કુંડળો હતાં. બાહુ પર કીમતી બાજુબંધ અને હાથ પર સુંદર કંકણો હતાં. એના પગ લાલ રંગથી રંગેલા હતા, ને લાંબા વાળ ખૂબ કાળજીથી ઓળ્યા હતા.
આ એક પુરુષને બાદ કરતાં આખો મહાલય સ્ત્રીઓથી ભરેલો હતો. બધી સ્ત્રીઓ નવયૌવના અને રૂપરૂપના અંબાર સમી હતી. તેઓનું એક એક અંગ કામદેવનું વિજયી શસ્ત્ર હતું.
કોઈ સંકેત થતાંની સાથે કૂટ, નકાર ને ઘોંકાર જેવા મેઘધ્વનિ પૂર્વક મૃદંગો x શ્વાસથી પણ ઊડી જાય તેવું પ્રાચીન કાળનું કીમતી વસ્ત્ર.
વાગવા માંડ્યાં. ક્રમ ને ઉત્ક્રમના આરોહ-અવરોહ સાથે વીણા વાગવા માંડી. કામદેવના વિજયી મંત્રાસ્ત્ર જેવું સંગીત છેડાયું. ગાંધાર રાગ અનેક લય ને જાતિ સાથે ગવાવા લાગ્યા.
શાંત બેઠેલું સુંદરીવૃંદ સજ્જ થયું. કોઈ ગાવા લાગી, કોઈ મૃદંગ વગાડવા માંડી, કેટલીકે નૃત્ય આરંભ્યું.
સંગીતના મિષ્ટ ધ્વનિ સાથે આ રૂપના રાશિએ નૃત્ય આરંભ્યું. નિશાનો શ્યામ અંચળો ધીરે ધીરે જગત પર પથરાઈ રહ્યો હતો. વારેવારે ખુલતા વાતાયનોના પડદાઓ વાટે સ્ફટિકશા આકાશમાં તારલિયાઓ ઝબૂકી રહ્યા હતા. ને નીચે દૂર દૂર રાજગૃહીના ઝાંખા આકાશદીપકો દેખાઈ રહ્યા હતા.
મંદમંદ સંગીત ધીરે ધીરે ઉત્તેજક બનતું ચાલ્યું. મૃદંગ બજાવતી સ્ત્રીઓ જોર જોરથી મૃદંગ પર થાપીઓ મારવા લાગી, અને એ પરિશ્રમમાં એમનાં સુપુષ્ટ વક્ષસ્થળો પણ અવનવું નૃત્ય કરવા લાગ્યાં. પારદર્શક આવરણો પહેરીને વીણા લઈને બેઠેલી સ્ત્રીઓએ પોતાની સુંદર આંગળીઓનું નૃત્ય આરંભ્યું.
અને સાથે સાથે નૂપુર, કટિમેખલા ને વલયોના સુમધુર ઝંકાર સાથે બીજી સુંદરીઓ નાચવા લાગી.
ખંડના મધ્યભાગમાં સુખસેજમાં સૂતેલો પુરુષ ધીરે ધીરે જાગ્રત થઈ રહ્યો હોય એમ સળવળતો હતો, પણ કોઈ કેફી પીણાના જોરે એ હજી અર્ધજાગ્રત હતો. મખમલી શય્યા એને ગલીપચી કરી રહી હતી, ને સુગંધભર્યો પવન એની આંખોને ભારે બનાવી રહ્યો હતો. એને લાગી રહ્યું હતું કે જાણે પોતે કોઈ સ્વર્ગીય પ્રદેશમાં વિહરી રહ્યો છે. શરીરમાં અત્યંત આળસ અને મગજ પર ઘેનનો ભાર લાગતો હતો. પણ ધીરે ધીરે એના કર્ણપટલ પર સુમધુર ગીતનો ધ્વનિ સંભળાવા લાગ્યો. ફરીથી એ કોઈ સુંદર સ્વપ્નમાં પડ્યો.
પણ થોડીવારે કોઈ કુમાશભરી વસ્તુ એને સ્પર્શ કરતી લાગી. સેજમાં બેસી શકાય તેટલી શારીરિક શક્તિ જાણે હણાઈ ગઈ હતી. એણે સૂતાં સૂતાં જ મદભર્યાં નેત્રો ખોલ્યાં.
ખરેખર સ્વર્ગ જ ! સૂતાં સૂતાં એ જેની કલ્પના કરી રહ્યો હતો એવું જ સ્વર્ગ ! એનાં ઉઘાડાં અંગોને સ્પર્શ કરીને એક પરમ - યૌવના સ્ત્રી વીંઝણો કરી રહી હતી. પાસે જ અલૌકિક નાટારંભ રચાઈ રહ્યો હતો.
*નૃત્ય કરતી કેટલીક સુંદરીઓ દૃઢ અંગહાર ને અભિનયથી કંચુકીને તોડવા મથતી હોય એમ કમળદંડ જેવા સુંદર ભુજામૂળને બતાવવી હતી.
* શ્રી હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ઠિશલાકાપુરુષ'ના વર્ણનના આધારે
સ્વર્ગલોકમાં D 177
Page #98
--------------------------------------------------------------------------
________________
કોઈ દંડપાદ વગેરે અભિનયના બહાને પોતાના અધોવસ્ત્રને હવામાં લહેરાવી ગોરુચંદન જેવા ગૌર જંઘામૂળને પ્રદર્શિત કરતી હતી.
ખીલતી કળી જેવી કોઈ નવયૌવના નૃત્યશ્રમથી શિથિલ થયેલ અધોવસ્ત્રની ગ્રંથિ દૃઢ કરવાની લીલાથી કામદેવની ખાણ સમાન પોતાના નાભિપ્રદેશને પ્રગટ કરતી હતી.
વિરહિણી જેવો વેશ-શૃંગાર સજેલી કોઈ સુંદરી ઇભદંત નામના હસ્તાભિનયના બહાને ગાઢોલિંગનની સંજ્ઞા કરતી હતી.
હવાનાં આંદોલનોથી મુળ સુધી ડોલતા કરંબક પુણ્યના મૂળની જેમ ધ્રુજતી કોઈ વિશાળલોચના અંગભંગના બહાને પુષ્ટ અને ઉન્નત સ્તનવાળા પોતાના વક્ષસ્થળને ધ્રુજાવતી હતી. અને કોઈ સરી જતા સુવર્ણતંતુથી ભરેલા ઉત્તરીય વસ્ત્રને વિશેષ દૃઢ કરવા જતાં પોતાના નિતંબદેશને ખુલ્લો કરી દેતી હતી.
આટઆટલાં રૂપનૃત્યો સાથે મૃદંગને વાણીના ઝણઝણાટ સેજ પર પાસે બેઠેલી સ્ત્રી પણ જાણે આ પૃથ્વીનું માનવી નહોતી. એનાં વિશાળ નયનો, ગાઢ કેશકલાપ, કમળદંડ સમા બાહુઓ અને ખીલતી કળી જેવા બે બિમ્બાધર માનવીને મોહની નિદ્રા આપે એમ હતું.
એના હેરતમાં રક્તકમળ હતું. વાળની લટોમાં મોગરાની કળીઓ ગૂંથી હતી. કર્ણના અંતિમ ભાગ પર શિરીષપુષ્પની શોભા હતી. વક્ષસ્થળ પર મોતીસરના હાર શ્વાસ લેતા પડ્યા હતા..
મણિફલકના હેમથંભો પર પેટાવેલા રત્નદીપકો આ નવયૌવનાની દેહલતા પર આછું તેજ ઢોળતા હતા.
સુખશયામાં સુતેલો રોહિણેય એક વાર સુખદ સ્વપ્નમાં સરી ગયો. થોડીવાર એ સ્વપ્ન તૂટતાં એનાં નેત્રો ફરીથી ખૂલ્યાં. એણે વિસ્મયપૂર્વક સૂતાં સૂતાં જ પ્રશ્ન કર્યો :
“દેવીઓ, તમે કોણ છો ? હું અત્યારે ક્યાં છું ને મને અપરિચિત એવું આ બધું શું છે ?”
પાસે બેઠેલી નવયૌવના સુંદરીએ નયનનર્તન કરતાં કહ્યું : - “આ સ્વર્ગભૂમિ છે. અને એ ભૂમિ પરનું આ દેવવિમાન છે. તમે પૃથ્વીલોક પરથી અત્રે આવ્યા છો. ઇદ્ર ધનુષ્યનાં અહીં તોરણો છે, અને નીલમની પાળે બાંધેલા જળકુંડોમાં રતિશ્રમ નિવારવા દેવાંગનાઓ સ્નાન કરે છે. આસોપાલવ ને મંદાર અહીંનાં વૃક્ષો છે, ને આ વૈદુર્યમણિની પૃથ્વી પર સુવર્ણપદ્મો સદા ખીલે છે. આ મણિમય ભૂમિનાં સુરતરુ ફળે છે, ને એ મનોવાંછિત આપ્યા કરે છે. પૂર્વ પુણ્યના
પ્રતાપે તમે અમારા સ્વામી થયા છો ને પૂર્વ કરેલાં સારાં કર્મોના બળે સુંદર સુરયુવતીઓ ને અપ્સરાઓના તમે એકમાત્ર અધિકારી બન્યા છો !”
| સ્વર્ગ ! દેવવિમાન ! અપ્સરા ! સ્વામી ! પુરુષના હૃદયમાં શબ્દોના પડઘા પડવા લાગ્યા. પણ હજી કોઈ ભારે ઘેન એના દેહને દાબી રહ્યું હતું. પેલી અપ્સરાએ આગળ ચલાવ્યું :
“સ્વામી, લેશમાત્ર પણ સંદેહ ધરશો મા ! આ સ્વર્ગભૂમિ પર આવનાર પૃથ્વી પરનાં નીતિધર્મનાં બંધનોથી પર બને છે. હાસ્ય, સૌદર્ય ને સદા હર્ષની આ ભૂમિને તો જરા નીરખો ! આવો, પ્રિય, જરા તમારા મસ્તકને મારા આ બાહુનો ટેકો આપો ! જરા નજર નાખો ! દૂર દૂર પૃથ્વીના દીવા દેખાય છે, અને આપણી ભૂમિ સમું આ નીલવર્ણ નભોમંડળ નીરખો !”
નવયૌવનાના સુકોમળ બાહુના ટેકે રોહિણેય દૂર દૂર નજર નાખી : ખરેખર પૃથ્વીના દીપકો દૂર દૂર દેખાઈ રહ્યા હતા ને કોઈ સુંદર દેવવિમાનમાં પોતે વિહરી રહ્યો હોય તેવો ભાસ થતો હતો.
ઘનશ્યામ વાળના ગુચ્છાઓ સમારતી પેલી નવયૌવનાએ આગળ ચલાવ્યું :
હે નાથ ! અહીં સદા છયે ઋતુ પ્રગટેલી રહે છે ને ઋતુઓને યોગ્ય રસિકાઓ પણ અહીં સદા સજ્જ રહે છે. જુઓ, પણે નજર કરો ! દૂર દૂર ચમરી મૃગો ચરી રહ્યાં છે, ને મત્ત કોકિલનાં મધુર કૂજિતોથી રતિરહસ્યની પ્રસ્તાવના કરતી કામનાટકની નટી રૂ૫ વસંતલક્ષ્મી વિસ્તરી રહેલ છે. અને વસંતઋતુને યોગ્ય રસિકા પણ ઉપભોગ માટે ત્યાં સજ્જ છે.”
નવયૌવનાના સંકેતની સાથે મુખ્ય ખંડની બાજુમાં આવેલ એક ખંડનું મોટું દ્વાર ઊઘડી ગયું. ખરેખર ત્યાં વસંતનું સામ્રાજ્ય જામેલું હતું. વૃક્ષો વૃક્ષે નવપલ્લવતો હતી, ને દૂર દૂરથી કોયલના ટહુકા આવતા હતા. નૃત્ય કરતી સુંદરીઓમાંથી એક કેસરિયો રંગના અધોવસ્ત્રવાળી સુંદરી ચિત્રવિચિત્ર હાવભાવ કરતી એ ખંડમાં પ્રવેશી.
અને સ્વામી, અહીં જરા આ તરફ દૃષ્ટિ નાખો ! કદમ્બના વિકસિત પુષ્પરજથી દિગ્વધૂને સદાને માટે સુરભિત કરતી પેલી ગ્રીષ્મઋતુની શોભાને તો નીરખો ! પુનાગ વૃક્ષોની મીઠી છાયાઓ અને સ્વર્ગગંગાનો શીળો એનો વાયુ છે, અને એવી જ સુંદર શીતલ સ્પર્શભરી, અર્ધશ્રુત વિલાસમેખલાવાળી એની અધિષ્ઠાત્રી માનુની છે.”
વસંતઋતુના ખંડની પાસે જ ગ્રીષ્મઋતુનો ખંડ આવેલો હતો. વનરાઈ પથરાઈ રહી હોય તેવું દશ્ય હતું. નૃત્ય કરતી સુંદરીઓમાંથી એક રૂપેરી ટીપકીઓથી ભરેલા વસ્ત્રવાળી સુંદરી એમાં પ્રવેશી ને પ્રિયંગુ લતામંડપમાં બનાવેલી કમળપત્રની
સ્વર્ગલોકમાં B 179
178 1 સંસારસંતુ
Page #99
--------------------------------------------------------------------------
________________
શય્યા પર સૂઈ ગઈ. જાણે સુતરશ્રમને નિવારવા માટે બાજુમાં કમળપુષ્પનો વીંઝણો એ ઢોળવા લાગી.
એનું ગતિડોલન અપૂર્વ હતું. એ ડોલનથી એની અલકલટ પરનાં મંદારપુષ્પો શિથિલ બન્યાં હતાં. શ્રવણ ઉપરનાં સુવર્ણકમળો નૃત્ય કરતાં હતાં, એના હાથે ને પગે લાલારંગની લાલી હતી.
શી સ્વર્ગની શોભા ?'' રોહિણેય એકદમ આવેશમાં બોલી ઊઠ્યો.
મારા અધિરાજ, હજી તો એવા ઘણા ખંડ બાકી છે. જુઓ, ગ્રીમખંડની પડખે જ , કેતકી પુષ્પનાં વનોથી જાણે કામદેવના રાજ્યાભિષેકમાં સર્વ અંગે મંગળ કરતી હોય એવી વર્ષાઋતુ. ત્યાં મીઠો ઝરમર ઝરમર મેહ વરસે છે, અને પેલો ઉન્મત્ત મયુર કે જેનો અમર પિરછ કલાપ ઇંદ્રધનુના રંગોથી દેદીપ્યમાન છે. એ કેલિ કરતો રસિકોને આમંત્રણ આપે છે. જેવી આ વર્ષાઋતુ છે એવી એના ઉપભોગને અનુરૂપ શ્યામસ્વરૂપા, સ્નિગ્ધગાત્રા વામાં ત્યાં છે.”
વર્ષાઋતુનો ખંડ ખુલ્લો થતાં જ અંદરથી વાદળોના ગોટેગોટા જાણે બહાર નીકળવા લાગ્યા. ગર્જના ને વીજળી થવા લાગી. વરસતા વરસાદમાં એક વૃક્ષની ડાળ પર બે શુક-સારિકા ચાંચમાં ચાંચ નાખી પ્રણયોન્મત્ત બેઠાં હતાં. હવાના ઝકારાઓમાં હેમદ્વાર વારેવારે બિડાતાં હતાં ને ઊઘડતાં હતાં.
આ વેળા નૃત્ય કરતી સુંદરીઓમાંથી એક નીલવર્ણા ઉત્તરીયવાળી સ્ત્રી એમાં પ્રવેશી. પવનનું તોફાન પ્રચંડ હતું. એક પવનના ઝપાટે એનું નીલરંગી ઉત્તરીય દેહથી અળગું કરી નાખ્યું. એ જ વેળાએ નિર્લજજ વિદ્યુતે પ્રકાશની સળી ઘસીને એ સુંદરીની નગ્નતા પ્રગટ કરી દીધી. સુવર્ણથી કંડારેલ કોઈ પ્રતિમાશી એ પોતાની નગ્નતા ઢાંકવા જાણે કોઈનું આલંબન યાચતી હોય એમ એકદમ અંદર ધસી ગઈ.
“અદ્ભુત !'' પુરુષે ફરીથી ઉચ્ચાર કર્યો.
સ્વામી ! હજી આ શરદવિલાસને તો નિહાળો ! નવીન નીલ કમળના વિસ્તારથી હજાર નેત્રવાળી થઈ પોતાની શોભાને ચૂમતી હોય એવી શરદને તો જુઓ ! સ્વચ્છ જળ ભર્યા સરોવર, ને વૃક્ષ વૃક્ષ ગુંજારવ કરતા ભ્રમરો 'રક્તપાદ અને રક્તચંચુથી શોભતા આ શ્વેત શરીરના રાજહંસોય હવે પોતાની પ્રિયતમ હંસીઓ સાથે વિહાર કરે છે અને પેલું આસોપાલવ ! સોળશણગાર સજેલી સુંદર યુવતીના પાદપ્રહારથી હવે તો અજબ રીતે ખીલી ઊઠયું છે. ને પેલું બકુલ ! સુરસુંદરીઓએ મધુરસની પિચકારી મારી એનેય બહેકાવી મૂક્યું છે. દેવોને વિજયપ્રસ્થાન માટેનો આ પ્રસંગ વિદાય થતાં પહેલાં પતિને અનેક રીતે તૃપ્ત કરતી કામિનીઓની વ્યાકુળતા તો નીરખો ! એમનાં શૃંગાર, એમના હાવભાવ, એમના રતિવિલાસો અનન્ય છે. એવી સુંદર ઇતુ શરદને શોભાવતી કુમકુમ લાલપવાળી સુંદરી પણ છે.”
180 સંસારસેતુ
વસંત, ગ્રીમ ને વર્ષાના ખંડની પછી શરદ ઋતુનો ખંડ હતો. એના દ્વારા ઊઘડતાં જ શુભ્ર સ્વચ્છ દિશાનો ચારે તરફ ચમકતી દેખાઈ. શાંત જળભર્યા સરોવરો ને એને આરે નાનાં નાનાં તાજા દર્ભ ચરતાં મૃગબાળ દેખાયાં. પયોધર ને નિતંબના ભારથી લચી જતી એક નૃત્યસુંદરી માથે કુંભ મૂકી પનઘટ જવા નીકળી હોય એમ તેમાં પ્રવેશી.
અને આ હેમંતલક્ષ્મી ! અને એના ઉપભોગને યોગ્ય આ હસ્તિની સુંદરી ! એની સ્નિગ્ધતા વગરની વિરહવેણી તો જુઓ ! એણે પ્રીતમના પ્રસ્થાનને દિવસે જ સુંદર કેશ કલાપની ત્રણ સરની એક લાંબી લટ ગૂંથીને વેણી બાંધી છે. પિયુ ઘેર આવીને જ એ વેણી છોડશે, ને કેશસંસ્કારધૂપ* આપશે."
હેમંતઋતુનો ખંડ ઘેરો હતો ને શીળા વા વાતા હતા. પક્ષીઓ, પશુઓ એકબીજાની હૂંફમાં પડ્યાં હતાં. એ વેળા એક વિરહિણીએ દ્વાર ખોલ્યું. એણે ફૂલોની સેજ બિછાવી રાખી હતી. મધુર પકવાન્ ને સુંદર મધુરસો તૈયાર રાખ્યા હતા. શીતળ વાયરા એની કોમળ દેહલતાને ધ્રુજાવી રહ્યા હતા, પ્રીતમની રાહમાં ધડકતા ઉરને ઉરવસ્ત્રથી વારે વારે દાબતી હતી. એના કંઠમાં શ્વેત ડોલર કળીઓનો હાર હતો.
અને ઓ મારા નાથ ! નીરખી લો ! ડોલરને અને સિંદુરવાનાં પુષ્પોથી હેમંત અને વસંતનું અનુસંધાન કરતી આ શિશિર ! પણે ઊભી શિશિરને ઉપભોગ શ્યામા !”
એ દશ્ય પણ અભુત હતું. પુરુષ સૂધબૂધ ભૂલી ગયો. એણે પોતાની પાસે બેઠેલી કુશળ અપ્સરાને ભેટવા પોતાના બાહુ લંબાવ્યા :
“થોભો, મારા નાથ ! આ દેવવિમાન, પ્રાસાદ, આ ઋતુમાં ને ઋતુઓને યોગ્ય રસિકાઓને સ્વીકારી સુધન્ય કરો તે પહેલાં અમને તમારો અભિષેકવિધિ પૂર્ણ કરવા
સુંદરીઓ, તમારો વિધિ ખુશીથી પૂર્ણ કરી, એ માટે તૈયાર છું.”
સેજ પર બેઠેલી નવયવનાએ સંકેત કરતાંની સાથે ભરેલા જળકુંભો હાથમાં લઈને અનેક સુંદરીઓ ત્યાં ઉપસ્થિત થઈ ગઈ. દરેક સુંદરીએ વક્ષસ્થળ ઉપર એક કીમતી વસ્ત્ર વસ્યું હતું ને દેહ પર સુશ્રીથી ભરેલા અવયવોને પારદર્શક બનાવે તેવું ઉત્તરીય પહેર્યું હતું. એમના ગાઢ કેશકલાપ છૂટા હતા ને તેમાંની સુગંધી તેલની સ્નિગ્ધતા આંખને ભરી દેતી હતી. કુંભવાળી સ્ત્રીઓની પાછળ કુસુમછાબ લઈને સુંદરીઓ આવી હતી. તેની પાછળ અનેક જાતના મઘમઘતા પકવાન્સથી ભરેલા થાળ લઈને સુંદરીઓ ઊભી હતી.
* કેશને ધૂપ દેવાનો પ્રાચીન રિવાજ,
સ્વર્ગલોકમાં n 181
Page #100
--------------------------------------------------------------------------
________________
“સ્વર્ગના નવા મહારાજા ! આ બધી સુંદરીઓ આકાશગંગાનું પવિત્ર નીર ને આકાશકુસુમોની ફૂલછાબથી આપનું સ્વાગત કરશે. પણ એ પહેલાં આ દેવભવનના રિવાજ મુજબ આપે નિઃસંકોચ રીતે પૂર્વભરનાં સુકૃત્ય ને દુષ્કૃત્ય વર્ણવવાં જોઈએ. દરેક દેવતાના અભિષેકની આ પ્રાથમિક વિધિ છે !
પૂર્વભવ ? સત્ય ? દુષ્કૃત્ય ?” મનને મૂર્છા ચડાવે તેવા આ રમ્ય વાતાવરણમાં આવા પ્રશ્નો રોહિણેયના મનને ભારે કરી નાખે તેવા લાગ્યા. એણે ફરીથી ધીરે સ્વરે ઉચ્ચાર્યું :
“સુકૃત્ય ને દુષ્કૃત્ય !”
“હા, સુકૃત્ય ને દુષ્કૃત્ય ! તમારાં સત્યો સાંભળીને અમે બધાં સ્વર્ગલોકમાં એની કીર્તિગાથાઓ ગાતાં ફરીશું. તમારાં દુષ્કૃત્યો તો જાહેર થતાંની સાથે લય પામશે. અને એ રીતે આત્મા પરનો બોજ હળવો થતાં તેમાં ચિરકાળ સુધી આ સુંદર સ્વર્ગ, આ સૌંદર્યભરી અપ્સરાઓને ભોગવી શકશો.”
પણ આ શબ્દો કંઈ કંઈ સતેજ બનતા જતા રોહિણેય પર જુદી અસર નિપજાવી રહ્યા. એ મનમાં ને મનમાં વિચારી રહ્યો :
શું સ્વર્ગમાંય સુકૃત્ય ને દુષ્કૃત્યની માથાકૂટ રહેલી છે ?”
અને રોહિણેયે ખુલ્લાં રહેલાં વાતાયનો વાટે દૂર દૂર સુધી નજર નાખી. મધરાતનું આકાશ તારલિયાઓથી છલોછલ હતું ને દૂર દૂર પૃથ્વી પરના દીપકો દેખાતા હતા. એણે દૂરની નજર સંકેલી ચારે તરફ ખંડમાં નજર નાખી. ખંડમાં મોહિની રૂપ ધરીને નયનનર્તન કરતી, કટીભંગ કરતી, વિધવિધ હાવભાવ રચતી એ જ અપ્સરાઓ ખડી હતી.
શું સાચું ? પોતાનાં સુકૃત્યો – દુષ્કૃત્યોને પ્રગટ કરી દેવા ? હજી શરીરમાં ઘેન વ્યાપેલું જ હતું. પથ્થરનાં ઓશીકાં ને પાણીની પથારીઓમાં પોઢનારી મદભરી કાયા સેજમાં બેઠેલી અસરાના સુકોમળ અવલંબન વગર ટટ્ટાર બેસી શકતી નહોતી !
સ્વર્ગ ! અસરા ! અને પુરુષને પોતાનાં સુત્ય ને દુષ્કય યાદ આવવા લાગ્યાં. મોટામાં મોટું દુષ્કૃત્ય કર્યું ? અને એ પુરુષને પોતાનું એક મહાન દુષ્કૃત્ય યાદ આવ્યું.
એણે રોહિણેયના જન્મમાં પિતાની આજ્ઞા ઉલ્લંઘીને પેલા જ્ઞાતપુત્રની વાણી સાંભળી હતી ! એ જ મોટું દુષ્કૃત્ય. એ વાણી સાંભળવા કરતાં એ વેળા પોતે મરી કેમ ન ગયો ! કેવું દુષ્કૃત્ય ! અને દુક્યની યાદ સાથે પેલા શબ્દો એનાં સ્મરણપ્રદેશમાં ગુંજારવ કરી રહ્યા.
અરે, એ જ સ્વર્ગભુવન શું આ જ ! આ જ પેલાં દેવદેવીઓ ! શું આ સત્ય હશે કે પ્રપંચ ! મગધનો મહાચોર રોહિણેય મરી ગયો ? આ મારો
નવો અવતાર છે ? ખરેખર હું સ્વર્ગમાં છું ને આ સુંદર અપ્સરાઓ મારી સેવિકાઓ છે ?
અને પુરુષ વિશેષ વિચારમાં ઊતરતો ગયો. એણે સામે ઊભેલી સુંદરીઓ પર શ્રમભરી નજર કરી, ખંડની દીવાલ પર ઝળહળતા દીપકોના પ્રકાશમાં એ લાંબા સુંદર પડછાયા પાડતી ઊભી હતી. પ્રતિહારિકાઓની ફૂલમાળાઓ ગૂંથાઈને કંઈક કરમાયેલી લાગતી હતી. દીર્ધ શ્રમ રાતના ઉજાગરે ઘેઘૂર બનેલાં વિશાળ લોચનો વારેઘડીએ ઉઘાડÍચ થતાં હતાં.
સાચોસાચ આ અસરાઓ હશે ? શું રોહિણેય મૃત્યુ પામ્યો હશે ? એણે વિમાસણમાં સેજ અપ્સરાના હસ્તને ખેંચ્યો. અપ્સરાના કોમળ હસ્ત પર પ્રસ્વેદ હતો.
એના પગમાં લાગેલા તીરને કાઢતાં કાઢતાં અચાનક સાંભળી લીધેલાં જ્ઞાતપુત્રનાં પેલાં અકારાં લાગેલાં વાક્યો યાદ આવ્યાં :
“મહાનુભાવો, સત્કર્મ કરનાર દેવપદને પામે છે. દેવનો રાજા ઇંદ્ર છે ને તે સ્વર્ગમાં રહે છે. દેવો કેવા હોય છે, તે જાણો છો ? તેમના ચરણ પૃથ્વીને કદી સ્પર્શ કરતા નથી, તેમનાં નેત્રો કદી ઉઘાડÍચ થતાં નથી. એમની પુષ્પ-માળાઓ કદાપિ કરમાતી નથી અને એમનો દેહ પ્રસ્વેદથી રહિત હોય છે.”
જ્ઞાતપુત્રે કરેલું વર્ણન અને આ દૃશ્ય બેમાં જમીન આસમાનનો ફેર હતો. શું જ્ઞાતપુત્ર જૂઠા ! અરે, બીજી બાબતમાં ભલે જૂઠા લાગે. સ્વર્ગની બાબતમાં જૂઠા શા માટે હોય ?
રે રોહિણેય ! ચાલ ! ઉસ્તાદી બનાવ ! અનિષ્ટમાંથી પણ ઇષ્ટ ખેંચી લે. બીજી તરફ જ્ઞાતપુત્રનાં વચનોને પણ સત્યની કસોટી પર કસી લે. એક કાંકરે બે પક્ષી !
‘દગો દગાખોર સાથે દગો !” પુરુષના મસ્તિષ્કમાં કોઈએ નવો પ્રકાશ રેડ્યો. મહામંત્રી અભય એને યાદ આવ્યો. વગર ઋતુએ પોતાની માતાનો દોહદ પૂરવા જેણે વૈભાર પર્વત પર મુશળધાર વરસાદ વરસાવ્યો હતો. એ વિચક્ષણ મુત્સદીથી શું અશક્ય હોય ! નક્કી દગો !
- રોહિણેય અજબ વિમાસણમાં પડી ગયો. વિધિમાં વિલંબ થતો હોવાથી એને સાવધ કરવા એ અપ્સરાએ નજીક જઈ, લલિત રીતે દેહસ્પર્શ કરતાં કહ્યું :
- “સ્વામીનાથ ! અન્ય દેવતાઓ આપનું સ્વાગત કરવા સ્વર્ગભૂમિની વીથિકાઓમાં સજ્જ થઈને ખેડા છે. કૃપા કરીને અવિલંબે વિધિ સમાપ્ત થવા દો ! બોલો , આપનાં કૃત્યોની કથા કહો ! અમે શ્રવણ કરીએ છીએ !”
ક્ષણભરની આંધી પછી જેમ દિશાઓ પ્રસન્ન થઈ ઊઠે છે, એમ મુંઝવણની એક પળ પસાર થતાં જ પુરુષ સાવધ થઈ ગયો. એણે કહેવા માંડ્યું :
“હે મૃગુલોચના ! પૃથ્વી પર હું તદ્દન નિર્દોષ જીવન ગાળતો હતો. ઘેર ખેતી
1821 સંસારસેતુ
સ્વર્ગલોકમાં | 183
Page #101
--------------------------------------------------------------------------
________________
કરતો. નાનાં ગોકુળ ચારતો ને પાડોશીઓને પ્રેમ કરતો. ઋતુઋતુના યમનિયમો ને માસ માસનાં જૂજવાં ધર્મબંધનો હું પાળતો. સાધુસંતોની સેવા કરતો.”
“સુંદર ! ધન્ય છે તમને ! આ તો તમારાં સુકૃત્યો થયાં. દરેક માણસના જીવનમાં અંધારી ને ઊજળી બે બાજુઓ હોય છે. સંસારના ગમે તેવા દીવા નીચે અંધારું રહે છે, એ અમે જોયું છે. નિઃસંકોચ થઈ, હવે તમારાં દુષ્કૃત્ય વર્ણવી, એટલે વિધિ સમાપ્ત થાય. જુઓ, ત્યાં તમારા સ્વાગતના ઉત્સાહી દેવતાઓ શંખસ્વર વિકસાવી રહ્યા છે.”
“સુંદરીઓ, મારું સંપૂર્ણ જીવન સાધુસંતોના સમાગમને લીધે દુષ્કૃત્યરહિત વ્યતીત થયું છે."
“ખરેખર સાધુવાદને પાત્ર છો. પણ હે પ્રિય દેવ ! માણસમાત્ર ભૂલને પાત્ર છે. આખા જન્મમાં કંઈ ને કંઈ પ્રગટ કે અપ્રગટ કૃત્યો તો સહુને થયાં જ હોય છે : કંઈ ચોરી, કંઈ યારી, કંઈનું કંઈ ?”
“અશક્ય, પ્રિય સુંદરીઓ, અશક્ય !' પુરુષ ખડખડાટ હસી પડ્યો. “તમે જ ન્યાય કરજો, હે દેવાંગનાઓ ! શું એવાં દુષ્કૃત્યો કરનારને આવું સ્વર્ગલોક મળે ખરું ? તમારા જેવી અનેક કોમલાંગીઓ સાંપડે ખરી ? અંધ પુરુષ તે વળી પર્વત ઓળંગી શકે ખરો ? પાપી માનવીને આ પુણ્યવાન પ્રદેશમાં પ્રવેશવાનો શો અધિકાર ?"
અપ્સરાવૃંદ વિમાસણમાં પડી ગયું. એમણે પુનઃ પુનઃ પુરુષને વિનવણી કરતાં
કહ્યું :
“સ્વર્ગના ધર્માધિરાજ પાસે માનવીના કર્મધર્મનો હિસાબ રહે છે, તેઓ કહે છે કે પૃથ્વી પર એવો કોઈ માનવી નથી, જેણે મનમાં કદી પાપ ચિંતવ્યું ન હોય, કે એકાદ પણ ગુપ્ત દુષ્કૃત્ય ન કર્યું હોય. ભય, પ્રેમ ને મોહ માનવીને સ્વાભાવિક છે, અને એ સ્વાભાવિકતા કેટલીક વાર માનવી પાસે ગુપ્તપણે પાપ આચરાવે છે. આપના જીવનની એવી ઘટનાઓ સ્વર્ગવાસીઓને સંભળાવવી ઘટે !”
“હૃદયવત્સલ દેવીઓ, તમને નિરાશ કરવી પડે છે, તે માટે દુઃખી છું. પણ સાધુસંતોના સમાગમના પ્રતાપે ભય, પ્રેમ ને મોહથી હું પર રહી શક્યો છું.”
આ પ્રત્યુત્તર સાંભળી કેટલીક અપ્સરાઓના હસ્તમાંથી કુંભ સરી ગયા. કેટલીક નિરાશ બની ત્યાં બેસી ગઈ.
અચાનક એક ગુપ્તદ્વાર ખૂલ્યું. એ દ્વારમાંથી મહામંત્રી અભય અને મહાશ્રેષ્ઠી મેતાર્ય બહાર નીકળી આવ્યા. અપ્સરાઓ એક ક્ષણમાં અદૃશ્ય થઈ ગઈ. મહામંત્રીએ પેલા રોહિણેય પુરુષની પાસે જઈ કહ્યું :
184 D સંસારસેતુ
“કુશળ દુર્ગાચંડ, તને તારી કળાને, તારી હિંમતને, તારા ધૈર્યને ધન્ય છે ! હું જાણું છું કે તું રોહિણેય છે, પણ મગધના સિંહાસનનો ન્યાય તને અપરાધી તરીકે સ્વીકારવાનાં સાધનોના અભાવે મુક્ત કરે છે. જા, સુખેથી વૈભાર શિખરમાળાને શોભાવ ! મહામંત્રી પોતાના વ્યર્થ પરિશ્રમને વળી ફરીથી સફળ કરશે."
“હે સમર્થ પુરુષ ! શક્તિઓના આ પ્રચંડ ધોધને ઉખર ભૂમિમાં વ્યર્થ ન કરતો. તારી મહાશક્તિઓને વંદન. પણ રે વજ્રપુરુષ ! દરેક શક્તિ ભક્તિ માગે છે, નહિ તો વનમાં ઊપજેલો દવ વનને બાળે છે – એમ થાય છે.”
મહારાજની વાણીનું સત્ય આજે સમજાયું. નીચ તે નીચ નહિ, ઉચ્ચ તે ઉચ્ચ નહિ. કલ્યાણ થજો તારું ! તારી શક્તિઓને સારે રસ્તે વાળજે !” મેતાર્થે આશીર્વાદ આપ્યો.
દુર્ગાચંડ અંધારી રાતે દેવવિમાન – પ્રાસાદના દ્વારની બહાર નીકળ્યો. હજી ઘેન પૂરું ઊતર્યું નહોતું. લડિયાં ખાતો ખાતો એ રાજગૃહીની બહાર નીકળ્યો. આ વેળા એક અજાણ્યું તોફાન એની મનોભૂમિની ક્ષિતિજ પર ઊગી રહ્યું હતું.
સ્વર્ગલોકમાં – 185
Page #102
--------------------------------------------------------------------------
________________
22
જીવનની નવી જાતરા
રોહિણેયના પ્રસંગ પછીથી મહામંત્રીના હૃદય પર દાસીન્યનો પડેલો મહાન પડદો ઘણા વખત સુધી ન ઊપડ્યો. એ દરમિયાન પોતાના પ્રિય મિત્ર મહાશ્રેષ્ઠી મેતાર્યનાં સાતે કન્યા સાથે લેવાયેલાં લગ્ન આનંદ સમાપ્ત થયાં. છતાંય એ આનંદનો પ્રસંગ એમના દિલને બહેલાવી ન શક્યો.
અચિંત્ય મનાતી પોતાની શક્તિઓ એક સામાન્ય માણસ પણ કેવી રીતે વિફળ બનાવી શકે એની ગ્લાનિ એમના અંતરને સદાય ભરી રહેવા લાગી. પણ પ્રજાની સ્થિતિ જુદી હતી. પ્રારંભમાં રોહિણયની મુદ્રાપરિવર્તનની કુશળતાના પરિણામે એ ભુલાવામાં પડી, પણ એ પછી તો તેઓને વિશ્વાસ થયો હતો કે મહામંત્રી સિવાય પૃથ્વી પરનો કોઈ યોદ્ધો રોહિણેયને આમ ઝડપી શકે તેમ નહોતો; એને તેના છુટકારાના સમાચાર પછી પણ પ્રજા ભયવશ થવાને બદલે મગધના અંદલ ઇન્સાફની પ્રશંસા કરી રહી હતી. એ તો માનતી હતી કે આજે છૂટેલો રોહિણેય હવે રાજ ગૃહી સામે નજર નહિ નાખે, ને નાખશે તો હજાર માથવાળા મગધરાજ ને મહામંત્રી હવે એને પાછો જીવતો જવા નહિ દે.
પણ પ્રજાની આ પ્રશંસા, આ વિશ્વાસ મહાઅમાત્યને કોરી ખાવા લાગ્યાં. એમના કર્તવ્યશીલ મનને લાગ્યા કરતું હતું કે બહેતર છે કે આ મહાન પ્રજાનું નેતૃત્વ તજી નિવૃત્તિ સ્વીકારવી. પણ આ વાત કોને કરવી ? એક વાર મગધરાજને કહેલી ત્યારે હોહા મચી ગયેલી. મગધરાજે પોતે પણ કહાવેલું કે મારી અનુજ્ઞા સિવાય આ માર્ગે ન જવું.
ત્યારે શું જીવનનો આનંદ લૂંટાઈ જવા દેવો ! મહાઅમાત્યના જેવા જ પ્રશ્નો યુવાન મેતાર્યને જન્મી રહ્યા હતા. સુરસુંદરીઓ સમી સાત સાત પત્નીઓ પામીને
સ્વર્ગલોક જેવાં સુખ ભોગવનારને એક વેદના સદાય સતાવી રહી હતી. લોકો ખુલ્લે મોંએ નહોતા બોલતા, પણ એમનાં અંતર હજીય આ પ્રગટ કુળહીનતાથી ભાગતાં હતા. તેઓને મનરાજગૃહીનો લાડીલો કુમાર હવે કંઈક અપ્રિય થતો હતો : તેઓએ આ બધા પ્રકરણને સાચી સમજ બુદ્ધિથી સમજવાને બદલે કોઈ નિગ્રંથોનું કાવતરું, કહ્યી લીધું હતું.
આ કુળહીનતા કેમ ટળે ? પ્રજામાં આ પ્રત્યે આદર કેમ પેદા થાય ? પદદલિત શુદ્રતાને આ રીતે પડી રહેવા દઈએ તો નિરર્થક વિરોધ જ વળે જાય !
આવા વિચારોમાં માતંગનો પ્રશ્ન ઉમેરાયો : ધનદત્ત શ્રેષ્ઠી અત્યંત ઉદાર હતા, પણ માતંગને પોતાને ઘેર આશ્રય આપવાનું અતિ ભયંકર સાહસ તેઓ ખેડી શકે તેમ નહોતા.
વિરૂપાના અકાળ અવસાન પછી મૂળથી લહેરી માતંગ બેદરકાર બન્યો હતો. એ પર્વતમાળાઓમાં ફર્યા કરતો, સ્મશાનોમાં સૂઈ રહેતો, ઊના પાણીના ઝરાઓની પાસેના પેલી બે સહિયરોના ચોતરાઓ પાસે આળોટતો. મહાશ્રેષ્ઠી મેતાર્ય સમજાવવા આવતા ત્યારે એ હસીને કહેતો :
કુમાર, આવી આવી મોટી બડાશોમાં તો વિરૂપાએ જિંદગી ધૂળધાણી કરી. ઉપદેશ સાંભળવો જુદી વાત છે ને આચારણમાં મૂકવો જુદી વાત છે. અને જો બધાને મન ઉપદેશ મોટી વાત હતી, તો જ્યારે મેં જાહેર કર્યું કે મેતાર્ય મેતપુત્ર છે, ત્યારે બધાને અત્યાચ્ચર્યના અતિ ઘા કેમ વાગ્યા ? કુમાર, લોકો વાતો કરે છે કે સારામાં સારા ઉપાનહ હોય તો પણ માથે ન મુકાય, એ તો પગે પહેરાય.”
મેતાર્ય પાસે આ ઘેલાની વાતનો કોઈ ઉત્તર નહોતો, એ નિરુત્તર બની પાછો વળતો, છતાં એમ પાછા વળ્યું એનું દિલ પાછું ન વળી શકતું.
માતંગનું દુઃખ એને ઘેરી વળતું. આખરે માતંગને પાછો વાળવા મેતાર્યે એક દિવસ ધનદત્ત શેઠના ગૃહનો ત્યાગ કર્યો. મેતવાસના પડખે જઈને એ વસ્યો. દિલનો ડંખ વિચારવા એણે મેતકુલો તારવાની પ્રવૃત્તિ આરંભી. મેતોના ઉદ્યોગોને પુનર્જીવન આપવાનું શરૂ કર્યું. શુદ્ધિ ને નિર્ભયતાના પાઠ શીખવવા માંડ્યા.
પ્રજાએ આમાં સાથ ન પૂર્યો. કેટલાકોએ ખાનગીમાં ટીકા કરી કે, કાકપક્ષીને ગમે તેટલા હીરનીરમાં સ્નાન કરાવો, પણ કંઈ રાજ હંસ બની શકશે ! દૂધ અને પાણી અલગ કરી શકશે ? માટે રાજહંસ એ રાજહંસ ને કાગ તે કાગ.
પણ આ ટીકા મેતાર્યને ન સ્પર્શી. એણે પોતાની પ્રવૃત્તિઓને વેગ મળે તે જોવાનું રાખ્યું.
ધનદત્ત શ્રેષ્ઠી હવે નીરસ જીવન જીવતા હતા. દેવી જેવી પત્નીના અવસાન
જીવનની નવી જાતરા 187
Page #103
--------------------------------------------------------------------------
________________
પછી લક્ષ્મી તરફ અતિ રુચિ નહોતી રહી.
મેતાર્યના મનોમંથનને પણ એ જાણતા હતા. ઓહ, જીવનભરની કેવી છલના ! ખોટના દીકરાને ભિખારી રાખી, ગાંડો, ઘેલો, ભીખો એવાં તોછડાં નામ આપી ચાલવાની સંસારની રીત પાછળ કેટલું સત્ય છુપાયું હતું ! મેતાર્ય મતોમાં વડીલ ! મેત એટલે શુદ્ર !
એક દહાડો મેતાર્યું નગર બહાર, મેતોની વસ્તી પાસે એક નાનું શું ભવન બાંધ્યું. ફળલતાઓના માંડવા કર્યા. અવારનવાર ત્યાં વસવા માંડ્યું. મેતોને પહેલાં તો આશ્ચર્ય લાગ્યું. પણ ત્યાંના વાતાવરણે એમનાં દિલોને આકર્ષ્યા.
કોઈ માંદું પડ્યું તો મેતાર્યભવનમાં ! કોઈ ભૂખ્યું હોય તો મેતાર્ય ભવનમાં ! કોઈ ઝઘડા થયા તો મેતાર્યભવન !
ધીરે ધીરે આખો મેતવાસ પલટાઈ ગયો. આજુ બાજુ ની ગંદકી ચાલી ગઈ. સુગંધી છોડ ઊગી નીકળ્યા.
એક દહાડો મેતાર્યે વિરૂપાની મૂર્તિની ત્યાં સ્થાપના કરી. ધૂપ ચોવીસે કલાક બળવા લાગ્યો, વાતાવરણ મહેકી ઊઠર્યું !
સ્નાન કર્યા વગર કોઈ મૂર્તિ સમીપે ન જઈ શકે. ફાટેલાં વચ્ચે કોઈ દર્શન ન કરી શકે, ભલે સીવેલાં હોય, ભીખ માગીને પેટ ભરે એ હીનમાંય હીન !
મેતાર્થે અહીંથી જ્ઞાતપુત્ર જ્યાં વિચરતા હોય ત્યાં સુધી જવાના માર્ગો બનાવવા માંડ્યા. એણે કહ્યું : શ્રમ કરનારને સુધા ન નડે. શ્રેમ તો દેવ છે ! એનો પૂજારી ભૂખ્યા ન મરે !
સહુ બીજા માર્ગનો શ્રમ છોડી, આ માર્ગનો શ્રમ કરવા લાગ્યા.
રાજ ગૃહીનો મેતવાસ નમૂનેદાર વાસ બની ગયો. છતાં લોકો ટીકા કરતા કે, આ બધા શ્રીમંતોના શોખના ચાળા છે. જન્મથી જ શંકામત લઈને સરજાયેલા કહેતા : કોઈ લાલ કરેણ જેવી મેતરાણી પર મન હશે, એટલે આ મહેનત થતી હશે !
જે હોય તે - પણ મેતાર્યના દિલના જખમ એને આ રસ્તે લઈ જતા હતા. એના મનમાં તો વિરૂપાના જેવા મૂંગા આત્મસમર્પણના કોડ હતા. કીર્તિ મેળવવા મરવું, એ તો જાણે સોદો થયો, નમાલી વાત ને અનામી અર્પણ ! શૂદ્રવાસ, શુકુળ ને શૂદ્ર જનતા ધીરે ધીરે પલટો લેવા લાગી. પરિશ્રમનાં જળ ગમે તેવી ભૂમિને શસ્યશ્યામલા કરે છે, ને ગમે તેવી મૂરઝાયેલી વેલને પ્રફુલ્લાવે છે. એમનો ચોરી કરવાનો વ્યાપાર ધીરે ધીરે યોદ્ધાગીરીમાં પલટો લેવા લાગ્યો. પારકાં મકાન તોડવાં, વાડીઓ ઘેરવી ને જનકુળો ભ્રષ્ટ કરવાં, વગેરે પ્રત્યાઘાતી પ્રવૃત્તિને બદલે તેઓએ રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી.
અશુદ્ધિ ને અત્યંત હીનતાનો પાશ ધોવાતો ચાલ્યો. વ્યાપારકુશળ મેતાર્યું ધનદત્ત શેઠના કોષમાંથી એક માથા સુવર્ણ પણ આપ્યું નહોતું, છતાં જોતજોતામાં એને ધન તો ઊભરે ભરાવા લાગ્યું.
વાણિજ્યવિશારદ મેતાર્ય કોઈને કંઈ દયાદાન ન કરતો. માત્ર દયાદાન માણસને નિરુદ્યમી ને ભિખારી વૃત્તિનો બનાવે છે. એની ખૂબી એવી હતી કે પોતાનો ધનનો પ્રવાહ મેતકુળો ને શૂદ્રકુળોમાં થઈને વહેતો આવતો અને વચ્ચે જે જે એમાં પરિશ્રમ કરતા એ સહુને યોગ્ય એમાંથી મળી રહેતું. અંતે એ પ્રવાહ મેતાર્યના ધનભંડારોમાં જઈ ભળતો. જે મેતકુળો રોજ ગંદકી, મહામારી ને મહાન્વરનાં ઘર હતાં, ત્યાં આરોગ્યની બંસી બજવા લાગી હતી. મેતાએ ગોકુળો વસાવ્યાં હતાં. વ્રજના સ્વામીઓ વ્યાજ ના બોજ માંથી હળવા બન્યા હતા. કેટલાક સાગરના સેફરીઓ બન્યો હતા ને કેટલાક વિશ્વકર્માની વિદ્યાના જાણકાર બન્યા હતા.
આમાં વિશેષ સંસ્કાર નાખવા મેતાર્ય કેટલાક શ્રમણોને અવારનવાર તેડાવતો. શ્રમણો કથાવાર્તા કરતા, ઉપદેશનાં પદો રચતા; માનવભવની સફળતા કેમ થાય, ઉત્તમ જીવન કેમ જીવી શકાય, વગેરે બાબતો દૃષ્ટાંતથી સમજાવતા.
આ રીતે મેત અને શૂદ્રનો મોટો ભાગ નવજીવન પામતો હતો, ત્યારે એક વર્ગ કે જે રોહિણેયના દાદાનો પક્ષકાર હતો, એ આ કાર્યનો ઘોર વિરોધ કરતો. મેતાર્યની કોઈ પણ સારીનરસી પ્રવૃત્તિને એ પ્રપંચ તરીકે વર્ણવતો.
એ લોકો કહેતા કે આ તો એક જબરદસ્ત કારસ્તાન તે, ગણ્યાગાંઠયા શુદ્રોને મિટાવી દેવાનું ! શૂદ્રો ને દ્વિજન્મોd એક થયા, એ કદી કોઈ કાળમાં, કોઈ શાસ્ત્રમાં વાંચ્યું ? શૂદ્રોના તો બે ધર્મ : ગામમાં વસનારની તેમણે સેવા કરવી, જંગલમાં વસનારે એમને લૂંટવા. રોહિણેયનો દાદો મૂર્ખ નહોતો, ને વીરવર રોહિણેય જ અત્યારે એકલે હાથે લડી રહ્યો છે, એ પણ ગાંડો નથી, આપણે આમ કરીને રોહિણેયને પીઠ પાછળ ઘા મારી રહ્યા છીએ. આ બધા થાક્યાના ગાઉ ગણે છે. રોહિણેય મગધના ક્ષત્રિયોને, બ્રાહ્મણોને અને વૈશ્યોને મારેલી થપાટ હજી સહુને ચરચરે છે. જય રોહિણેય !
શૂદ્રોના જ બે માર્ગ વચ્ચે ઘણીવાર અથડાઅથડી થતી. એમાંથી રક્તપાત જન્મતો. મેતાર્ય પોતે એમને સમજાવવા જતા ત્યારે તેઓ સ્પષ્ટ કહેતા :
“મેતરાજ, તમે બહુ ભલા છો, પણ આ વાતમાં અમે તમારું નહિ માનીએ. અમારી નાત-જાત પર દયા કરીને આ પ્રવૃત્તિને બંધ કરો. અમને વધુ અન્યાય ન કરો.”
હું અન્યાય કરું છું ? જો મારાથી જાણ્યેઅજાયે તમારો અપરાધ થતો હોય
o બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય.
188 D સંસારસેતુ
જીવનની નવી જાતરા n 189
Page #104
--------------------------------------------------------------------------
________________
તો ચાલો ન્યાય કરાવીએ. મગધરાજ તો પક્ષપાત નહિ કરે ને ?”
“એ વાત ખરી !” વિરોધી શુદ્રો જરા વિચારમાં પડી ગયાં. ગઈ કાલની બીના તેમની આંખ સામે જ હતી કે પુરાવાના અભાવે વિચક્ષણ રોહિણેયને જાણ્યા છતાં મુક્ત કર્યો. શું જવાબ વાળવો એની મૂંઝવણ બધાને સતાવી રહી. એક હોશિયાર માણસે તોડ કાઢ્યો ને કહ્યું : - “કુમાર, મગધરાજ ન્યાય તો ભલો તોળવાના. પણ હું કહું છું કે જો ચારે વર્ણ એક આરે પાણી પીએ એમાં કોઈ જાતનો એમને વાંધો ન હોય, તો શા માટે એક રાજ કન્યા મેતારજને ન આપે ?” - “રાજ કન્યા, ને તે મેતારજને ?”
“શા માટે નહિ ? ક્યાં જેવા તેવા માણસને આપવાની છે ? ભારત વિખ્યાત નરવીરને આપવાની છે ! રાજા પહેલ કરે તો પ્રજામાં વિશ્વાસ આવે ને ?”
એ ન બને !”
“તો પારકું ઘર કૃપષ્ણાર્પણ કર્યું પુણ્ય ન થાય ! કુમાર ! એ તો જળ ને સ્થળ જુદાં તે જુદાં !”
મેતારજ આનો જવાબ ન આપી શકતો; પણ આ બે વર્ગો વચ્ચે મેળ કરાવવાની પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખતો. છતાં શૂદ્રોની આ વાતો ઘેર ઘેર પ્રચલિત થઈ હતી.
અને આ વાતને જેઓએ સાંભળી તેઓએ ઝીલીને પ્રચાર કરવા માંડ્યો. દ્વિજો પણ હવે તો છડેચોક કહેવા લાગ્યા કે ખરો ધર્મપ્રચાર તો ઘેરથી જ શરૂ થાય. કાં તો સમાનતાની વાતો બંધ થાય ને કાં તો કંઈ કરી બતાવવું જોઈએ. પહેલો ઘા પોતાના પગ પર ઝીલવો જોઈએ. નહિ તો થુંક તો સહુ ઉડાડે છે. એનાથી કંઈ ન
રાજગૃહીને કાંગરે કાંગરે રત્નમાળા જ ડાવો ! એનો પ્રકાશ આકાશના વિમાનોનેય અજવાળે !''
અરે, એ તો હવે મેતકુળોની એકાદ સાગરખેપનું કામ ! અરે, જ્યાં જગતનો વ્યાપારકુશળ વ્યવહારીઓ હોય ત્યાં રત્નમાળની શી ખોટ !'
અને માતંગના આ શબ્દો મિથ્યા બકવાદ નહોતા, એ વાત થોડા દહાડામાં બધાંને સમજાઈ ગઈ. રાજગૃહીના કાંગરા રત્નમાળોથી ઝળહળી ઊઠ્યા.
ઘેલા માતંગે ફરીથી માગું મોકલ્યું. મગધના મહાન રાજવીને આવી વાતો અપમાનકર્તા નહોતી ભાસતી, પણ પ્રજાજીવનની નવઉષ્માનો ચમકારો એમાં જોતા. એમણે ફરીથી કહેવરાવ્યું :
રાજગૃહીં સદાને માટે પાવન થતી રહે એવું કાર્ય થવું જોઈએ. વૈભારગિરિના અગમ્ય પ્રદેશોમાંથી એક ધોરીમાર્ગ બનાવે. એ રસ્તે જ્ઞાતપુત્રને પ્રથમ પધરાવે અને વટેમાર્ગ અને વણઝારોને ચાલુ કરે, તો જ બની શકે !”
આ કામ ખરેખર દુઃસાહસ હતું. દ્રવ્યનો તોટો નહોતો, પણ આવી સૂચિભેદ્ય ગિરિમાળોનાં પેટાળ ફેડનાર માનવશક્તિનો અભાવ હતો. છતાં જ્ઞાતપુત્રના દર્શનલોભે મેતારજને દ્વિગુણિત ઉત્સાહી બનાવ્યો. ઘણા વખતથી સાદા રસ્તા તો શરૂ કર્યા જ હતા. એણે દેશદેશથી કુશળ મેતોને તેડાવ્યા ને ભયંકર અટવીઓમાંથી સુંદર માર્ગ નિર્માણ કરવાનું કામ શરૂ કર્યું. વૈભારની ભયંકર શિખરમાળો ભેદવા માંડી. માર્ગની બંને બાજુએ સુંદર વૃક્ષો રોપાવા લાગ્યાં.
મેતારજ વિચારી રહ્યો હતો :
આ સુંદરને ટૂંકા માર્ગેથી જે વેળા પરમ તપસ્વી જ્ઞાતપુત્ર મહાવીર પધારશે, એ વેળા આ રજ પવિત્ર બની નાચી ઊઠશે. કદાચ સામ્રાજ્યો લોપાઈ જશે, પણ આ માર્ગ નહિ લોપાય. હજારો શ્રમણો, અનેક માલ ભરેલી વણઝારો અહીંથી પસાર થશે. આ વૃક્ષો છાયો ઢોળશે. આ વનમૃગો સાથીદાર બનશે, અને રાજગૃહીનો વ્યાપાર સમૃદ્ધ બનશે.”
આ કામને દિવસો લાગ્યા, પણ એક અશક્ય મનાતું મહાભારત કાર્ય સમાપ્ત થયું. દેશદેશ વચ્ચેનાં અંતરો એ દહાડે ઘટી ગયાં. નવો માર્ગ નવયાત્રા સમાન થઈ પડ્યો. વૈભારની પ્રદક્ષિણા કરીને પ્રવાસ ખેડતા ને દિવસો બાદ એક શહેરથી બીજે શહેર પહોંચતા શાહ સોદાગરોને અને સાર્થવાહોને હવે લાંબા પ્રવાસોમાંથી મુક્તિ મળી.
આ મહાન કાર્યો પ્રજાની લાગણીને ફેરવી નાખી. મેતારજ બનેલા મેતાર્યની સહસમુખે પ્રશંસા થવા લાગી.
- એક દહાડો ઘેલા માતંગને પણ આ વાતનું ભૂત વળગ્યું. એણે મહામંત્રીના મુખે સ્પષ્ટ વાત કરી. મહામંત્રીએ પ્રજાનો અભિપ્રાય મગધરાજને સંભળાવ્યો. મગધરાજે પાણીના પ્રવાહ સમા પ્રજાના અભિપ્રાયને હસતાં હસતાં સાંભળીને કહ્યું :
“રાજ કન્યા મેતાર્યને પણ વરે, પણ એ પહેલાં મેતારજે રાજ ગૃહીને શોભાવે તેવાં કાર્ય કરવાં જોઈએ.”
રોહિણેયના હાથમાંથી રાજ ગૃહીને બચાવી એ મહાન કાર્ય નહિ ?”
એ તો નગરશ્રેષ્ઠીના પુત્રનો ધર્મ અદા કર્યો; એ તો મેતાર્યનાં કાર્ય. હવે મેતારજ તરીકે શું ? એમાં શુદ્ધકુળો ને મેતકુળોનો શો હિસ્સો ?” વારુ, તો મગધનાથ કહે તે કરીએ.”
190 સંસારસેતુ
જીવનની નવી જાતરા | 191
Page #105
--------------------------------------------------------------------------
________________
થોડીવારમાં તો નગરમાં ઢંઢેરો પિટાતો સંભળાયો : મહાન પરાક્રમી મેતારજ સાથે રાજ કુમારી સુવર્ણાનાં લગ્ન થશે. પ્રજા ઘરો શણગારે, શેરીઓ સંમાર્જન કરે ! કુમારિકાઓ ને પુત્રવધૂઓ મણિમુક્તાનો વરસાદ વરસાવે !”
મહાનગરીની પ્રજાઓનાં ભાગ્ય સદા આત્માશ્ચર્યવન્તી ઘટનાઓ સાથે સંકળાયેલાં હોય છે. એકરસ બનેલી પ્રજાએ ઉત્સવ આરંભ્યો. પ્રજાએ આગળ-પાછળની વાતો ભૂલી મેતારજને પોતાનો નગરશ્રેષ્ઠી બનાવ્યો.
ગોરજ સમયે લગ્નવિધિ પતાવીને પાછો ફરતા મેતારનાં જે સ્વાગત થયાં એની દેવો પણ ઈર્ષ્યા કરે તેમ હતું.
મગધરાજે રાજકુમારી સાથે નવનિર્મિત દેવવિમાન-પ્રાસાદ પણ અર્પણ કર્યો હતો. નવવધૂ સાથે મેતારજે એમાં પ્રવેશ કર્યો ત્યારે સાતે સુંદરીઓએ બંનેનું સહર્ષ સ્વાગત કર્યું.
આ દૃશ્ય દેવોની પુરી અલકાની યાદ આપે તેવું હતું.
23
પતિતપાવન
એક વાર ભૂલેચૂકે અગ્નિ સ્પર્શી જાય અને ભાગ્યયોગે એને પવનનો સાથ મળી જાય, પછી એ આગ બુઝાવી શક્ય નથી. એવી જ રીતે ગમે તેવા ઘોર પાપીના દિલમાં કોઈ નવીન પ્રકાશનું એકાદ કિરણ પ્રવેશી ચિરંજીવ બની જાય છે.
દુર્ગચંડ બની રાજગૃહીની અભેદ્ય ઉઘાડી આંખે થાપ આપીને પાછા વળતા રોહિણેયના દિલમાં અવનવીન જે તોફાન જખ્યું હતું, તે દિવસો વીતવા છતાં એવું જ મનોમંથન જમાવી રહ્યું હતું. એ ગુફાઓ ભમ્યો, શિખર-શંગોએ ભટક્યો, પણ એને ક્યાંય ચેન ન પડ્યું. એને ખરે વખતે નાજુક બનેલા પોતાના દેહ પર ક્રોધ ઊપજી રહ્યો હતો. પોતાની સ્તુનવિદ્યા, સંમોહની શક્તિ ને શસ્ત્રાસ્ત્ર વાપરવાની કુશળતાની નિષ્ફળતા એને ડસી રહી હતી.
અરે, આવા દેહનો ભરોસો શો ? આવી શક્તિઓની વિશ્વસનીયતા શી ? રોહિણેયની નજર સામે એના દાદાની, એના પલ્લીવાસીઓની મૂર્તિઓ ખડી થઈ. વેર, વેર ને વેર ! બદલો લેવાની ભાવનામાં ન જાણે કેટકેટલી જિંદગીઓ ધૂળધાણી થઈ ! દદો બિચારો પળવાર શાંતિથી ન જીવ્યો. એની શક્તિએ. એના શસ્ત્રસામર્થ્ય ઊલટો એને ઝનૂની બનાવ્યો. લૂંટફાટ, હત્યા, ચોરી, ખૂન, કલેઆમ ! જાણે રોજના વ્યાપાર !
અને રોહિણેયના શ્રવણ પર આશ્રાવ્ય રીતે કોઈ મધુર અવાજ સ્પર્શવા લાગ્યો... ઊકળેલા એના દિલને સહેજ શાતા વળી.
એને પેલા જ્ઞાતપુત્રની યાદ આવી. અમારા વંશનો એ મહાન શત્રુ ! પણ યાદ કેમ પ્રિય લાગે છે ? એનું સ્મરણ કરવું નથી, છતાં એ વારે વારે સ્મરણપટમાં ક્યાંથી ઊભરાય છે ? સાધુ થયો એટલે અમારો સમોવડિયો નહિ. બાકી એય રાજપુત્ર છે.
192 D સંસારસેતુ
Page #106
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રિયનાં રણવાદ્યોનો પૂજ ક છે. શરીરે સમર્થ છે. લોભાવે તેવી કાન્તિ પણ છે. પછી શા માટે આ ભવાડા કરે છે ! ત્યાગ-વૈરાગ્યની આ શી જંજાળ !
અને વિચારશીલ રોહિણેય ઊંડા વિચારમાં ઊતરી ગયો. એકાએક લાંબા સૂર ગવાતું કોઈ ગીત એના કાનને સ્પર્યું. પવનની ઉપર સવારી કરીને એ સૂરો આવી રહ્યો હતો :
“હો પરદેશી – પરદેશમેં કુણ શું કરો રે સ્નેહ ! આયા કાગળ ઊઠ ચલા,
ન ગણે આંધી ન મેહ-હો પરદેશી !
મનોમંથનની જ્વાલામાં સપડાયેલા દિલ પર આ શબ્દો જાણે વીંઝણો ઢોળતા લાગ્યા :
ભમરો આવ્યો રે કમળમાં, લેવા કમળનું ફૂલ, કમળની વાંછાએ માંહી રહ્યો, જિમ આથમતે સૂર,
હો પરદેશી ! રાતનો ભૂલ્યો કે માનવી, દિવસે મારગ આય, દિવસનો ભૂલ્યો રે માનવી, ફિરફિર ગોથાં ખાય,
હો પરદેશી !” દિવસનો ભૂલ્યો રે માનવી ! આ શબ્દો રોહિણેયના દિલમાં વારે વારે ઘોળાયા. ખરેખર, હું દિવસનો ભૂલ્યો છું. છતી શક્તિએ, છતે જ્ઞાને, છતા સામર્થ્ય મેં કંઈ શુભ ન કર્યું ! કોઈના પર ઉપકાર ન કર્યો !ન સ્વાર્થ સાધ્યો, ન પરમાર્થ ! મહાઅમાત્યને શંકાશીલ બનાવે એવી ચતુરાઈથી પણ શું કારજ સર્યું ? શું સ્વોપકાર કે શું પરઉપકાર હાંસલ થયો ?
ઉપકાર ? ઉપકાર તો જ્ઞાતપુત્રનો ! એના શબ્દો ન સાંભળ્યા હોત તો આજે મારું શું થાત ! જીવન કેવું ભયંકર બનત ! અને જેની એક વાત સત્ય નીકળી એની બધી વાતો સત્ય. ચોખાની હાંડલીમાં ચઢતાં બધા ચોખા ન ચંપાય. એ તો એક ચોખો ચાંપીને નિર્ણય કરી શકાય કે બધા ચોખા કાચા છે કે પાકા ! ભલે દાદા ભૂલ્યા, હું નહિ ભૂલ કરું ! અરે દાદાની ભૂલમાં લાખેણા પલ્લીવાસીઓ સદાને માટે છુંદાઈ ગયો.
જ્ઞાતપુત્ર મારા ઉપકારી ! મારા જેવા રાત-ભૂલ્યાને એ જ માર્ગ બતાવશે. રોહિણેય ભાવુક બની ગયો. પેલા સૂર વહ્યા આવતા હતા :
194 D સંસારસેતુ
સદગુરુ કહે વસ્તુ વોરિયો, જે કંઈ આવે રે સાથ, આપણો * લાભ ઉગારીએ, લેખું સાહિબ હાથ,
હો પરદેશી ? જરૂર, જ્ઞાતપુત્ર જેવા સંગુરુના શરણે જવું ! આ બધું મિથ્યા છે. અને રોહિણેયે સૂરની દિશા તરફ દોટ મૂકી.
વૈભારપર્વતનો ગિરિમાર્ગ અનેક ઘુઘરિયાળી વેલોથી, સુંદર શિબિકાઓથી, હય ને રથોથી મુખરિત થઈ રહ્યો હતો. મગધના નાથ, મગધનાં મહારાણી , મગધના મહામંત્રી, મગધની પ્રજા પ્રભુ મહાવીરની વધામણીએ ચાલી હતી. સહુ પોતપોતાના સાથ ને સંઘોમાં સજ્જ હતા. પ્રભુના દર્શનવંદનનો આનંદ સાત ખોટના દીકરાના લગ્નના આનંદ કરતા વિશેષ હતો.
નગરશ્રેષ્ઠી મેતારજ પણ પોતાના સંઘ સાથે પ્રયાણ કરી રહ્યા હતા. આઠ રૂપયૌવનભરી પત્નીઓ સાથે હતી. અનેક દાસદાસીઓ પણ સાથે હતાં.
મગધના સભ્યો તલવારો ને બીજા અનેક સામંતો પણ આ નવા માર્ગ પર જઈ રહ્યા હતા. મુખ પર એક જાતનો આનંદ હતો, ઉત્સુકતા હતી.
મેત લોકોનું એક મોટું ટોળું લાંબે સાદે કંઠેકઠે ને સૂરસૂર મિલાવી ગાતું ગાતું ચાલ્યું જતું હતું. આ નવમાર્ગ – નિર્માણનું અભિમાન એમના મુખ પર હતું.
તમે બધાં ક્યાં જાઓ છો ?” રોહિણેયે પ્રશ્ન કર્યો.
સાતપુત્ર મહાવીર રાજગૃહીને પાવન કરવા પધારે છે. હમણાં થોડેક દૂરના એક વનચૈત્યમાં રહેલ છે. તેમના દર્શનાર્થે જઈએ છીએ.”
જ્ઞાતપુત્ર ?” રોહિણેય બબડ્યો, પણ અત્યારની એની મનોદશા જુદી હતી. ભલે ગમે તેવા તોય જ્ઞાતપુત્ર પોતાના ઉપકારી હતા. એનાં ચાર વાક્યોએ તો પોતાને રૌરવ નરકમાંથી બચાવ્યો હતો.
જ્ઞાતપુત્રના દર્શનાર્થે જાઓ છો ? ચાલો, ત્યારે સહુથી પહેલો હું શા માટે ને જાઉં ? આવો સંયોગ ફરી ક્યારે મળશે ? કૂતરું પણ બટકું રોટલો આપનારના પગ ચાટ્યા વગર રહેતું નથી, ત્યારે આ તો મારા ભવોભવના ઉપકારી ભવસાર્થવાહ !!”
રોહિણેય રાજમાર્ગની બાજુની ઊંચી ટેકરી પર ફરીથી ચડી ગયો. રાજ માર્ગના પ્રવાસીઓ આ વિચિત્ર પુરુષને અદૃશ્ય થતો નીરખી રહ્યા. એ મૃગબાળની જેમ ખાડાટેકરા કૂદતો, નદીનાળા ઓળંગતો, વનઘટાઓ વધતો ચાલ્ય, એની ઝડપમાં પવનનો વેગ હતો ને એની છલાંગોમાં કેસરીની તાકાત હતી. યોજનના યોજન આ * શ્રી લાભવિજયજી .
પતિતપાવન 1 195
Page #107
--------------------------------------------------------------------------
________________
રીતે એ જઈ શકતો. વનનાં ફૂર પશુઓ પણ એનો પીછો ન પકડી શકતાં.
જ્ઞાતપુત્ર જે વનમાં ઊતર્યા હતા, એ વનમાં પહોંચતાં એને બહુ અલ્પ સમય લાગ્યો. જ્ઞાતપુત્ર મહાવીર પોતાના સુવિખ્યાત અગિયાર ગણધરો અને અનેક શિષ્યો સાથે પરિષદામાં બેઠા હતા. એમના મુખ પર પાપીને પણ પાપીની વિસ્મૃતિ કરાવે એવી કરુણા વિરાજતી હતી.
ધાર્યું કરવામાં લેશમાત્ર વિલંબ ન સહનારો રોહિણેય ત્યાં પહોંચતાંની સાથે જ્ઞાતપુત્ર મહાવીરનાં ચરણમાં પ્રણામ કરતો બોલ્યો :
“હે નાથ ! તમારાં કેટલાંક વચનોએ મને જીવન્ત રૌરવ નરકની યાતનામાંથી બચાવેલ છે. હવે મને આ આત્મા, આ દેહ વિશે સમજાવી સાચો માર્ગ બતાવો. હું અઘોર પાપી છું. મારું કલ્યાણ કરો !”
ધર્મ પાળનાર પાપી રહી શકતો નથી, ધર્મનું શરણ સ્વીકાર, મહાનુભાવ ! દેહને જ સર્વસ્વ માની ઝૂઝનારે, બાહ્ય અવલંબનોને જ સુખનાં સાધન કલ્પનારે આત્માની પણ વિચારણા કરવી ઘટે. આત્મા એક અજય વસ્તુ છે. ક્રોધ, માન, લોભ ને માત્રામાં એ અદૃશ્ય થયો છે. આત્માને પ્રાપ્ત કરવો આવશ્યક છે અને તે માટે ૨જ થી નમ્ર, પવનથી હલકા ને તૃણમાત્રના પરિગ્રહથીય પર એવા સાધુ બનવું શોભે છે. દસ લાખ દુશમનોના સંહાર માટે જેટલું બળ આવશ્યક છે, એથીય વધુ બળ આત્મામાં ઊપજેલા ક્રોધને શાંત કરવા માટે જરૂરી છે. ક્રોધે તારું બગાડયું છે. એ ક્રોધને સંહાર. શાન્ત થા. યાદ રાખ કે કામને બાળી શકાય છે. ક્રોધને બાળવો ભલભલાથી દુ:શક્ય છે. એ બળ પ્રાપ્ત કરવા માટે ધર્મપ્રાપ્તિની જરૂર છે.”
ધર્મ એટલે શું ?”
“અહિંસા, સંયમ અને તપનો સમુચ્ચય એ ધર્મ ! માનવી કોઈને મન, વચન, કાયાથી ભારે નહિ, ત્રાસ આપે નહિ કે સંતપ્ત કરે નહિ. મનને સદા પોતાને વશ રાખી ખોટી વૃત્તિઓથી વેગળું રાખે, અને તપ સેવે - આનું નામ ધર્મ છે. આ ધર્મનું પાલન કરનારને દેવતાઓ પણ નમે છે."*
- “હે તારણહાર, મારાં કર્મો અત્યંત હીન છે. મારા દેહનું એક એક રોમ હિંસા, દ્વેષ ને આંસુ-લોહીથી ખરડાયેલું છે. રાત્રીના ઘોર અંધકાર જેવું હિંસક મારું હૃદય છે, અને આ નભોમંડળના તારકો જેવાં પ્રગટ મારાં પાપ છે. શું હું પ્રતિધર્મને યોગ્ય છે ?"
અવશ્ય !”
સ્વામી, મને અશક્ય ભાસે છે.'' 'धम्मो मंगलमुक्किट्ट अहिंसा संजमो तयो । देवा वि तं नमसंति जस्स धम्मेसयामणो ।।
– દશવૈકાલિકા 196 1 સંસારસેતુ
“કેમ ?”
“દીનાનાથ, આપની આંખોમાં તો ધ્રુવના તારા જેવું નિશ્ચલ તેજ છે, અને આપની છાતીમાં તો કેસરી સિંહના સંહારક શરભનું સાહસ છે : પણ આ સભા સ્તબ્ધ ન બની જાય તે માટે મેં મારું નામ નથી આપ્યું. મારું નામ છે. રોહિણેય !”
રોહિણેય ?” પરિષદામાંથી એકદમ અવાજ ઊઠ્યો. થોડી વાર હોહા મચી ગઈ.
“મલકના ચોર, મહાપ્નની રોહિણેય આ ભવમાં તો શું, ભવોભવમાં પણ પ્રતિધર્મને યોગ્ય ન થઈ શકે !” એકાએક કોઈ બોલી ઊઠયું.
કોણ કહે છે કે ન થઈ શકે ?” જ્ઞાતપુત્રે ચારે તરફ દૃષ્ટિ ફેરવતાં કહ્યું. એ દૃષ્ટિના સ્પર્શમાંય અંતર વલોવવાનું સામર્થ્ય હતું. બોલનારની જીભ ફરીથી ન ઊપડી શકી.
પ્રાણીને પશ્ચાત્તાપ જાગે એટલે પાપનો મોટો ઢગ પણ બળીને ભસ્મ થવાનો ! રોહિણેયના દિલમાં આજે એવો પશ્ચાત્તાપ જાગ્યો છે. એના સમર્થ આત્માને સાચો રાહ મળ્યો છે. રોહિણેય મહાચોર હોવા છતાં મહામુનિ થવાની યોગ્યતા રાખે છે. કેવલ માર્ગ બદલવાની જરૂર છે. એના જેવા સંયમી ને શૂરવીરથી શું અશક્ય છે ? કમ્મ શુરા સો ધમ્મ શૂરા ! નિર્બળનું નિર્વાણ નથી !”
“પ્રભો, હું આપનો ભવોભવનો આભારી છું. હું યતિધર્મ અવશ્ય સ્વીકારીશ. પણ તે પહેલાં મગધરાજ, મહાઅમાત્ય અને મગધની પ્રજાની મારે ક્ષમાયાચના કરવાની છે. એમનું ધન-વિત્ત તેમને પાછું સોંપવાનું છે. કદાચ તેઓ શિક્ષા કરે, તો તે પણ સહન કરવાની મારી તૈયારી છે.”
“રોહિણેય, જેનો અત્તરદીપ સળગ્યો એને ક્યાંય અવરોધ નથી નડતો. સુખદુઃખ, માનાપમાન એને માટે બધું સમાન છે.”
રોહિણેય તો મગધનું મહાઆશ્ચર્ય હતું. વનચૈત્યની નજીક આવેલા મગધના લોકોને જાણ થઈ ત્યારે મહામંત્રી ને મગધરાજ સાથે હોવા છતાં, ચતુરંગી સેના સજ્જ થઈ ને સાથે ચાલતી હોવા છતાં, પ્રજાના અંતરમાં ભયનો સંચાર થયો. અરે, એ તો પવનવેગી પુરુષ છે. વીજળીની જેમ આટલા સમુદાયની વચ્ચેથી હમણાં અદૃશ્ય થઈ જશે.
પણ ના, ના, ભયભીત લોકોએ જ્યારે એને નમ્ર બનીને મગધરાજ અને મહાઅમાત્યના ચરણે નમસ્કાર કરતો જોયો, ત્યારે તેઓ લેશ શાન્ત પડયા. એ પછી રોહિણેય સમસ્ત પ્રજાની પાસે ક્ષમાયાચના કરી રહ્યો. રોહિણેય જેવા મહાન સુભટ એક નમ્ર ગૃહસ્થની અદાથી ઊભો રહી ઓશિયાળા મુખે બધાં સામે નજર નાખે, એ દશ્ય પણ જીરવાય એવું નહોતું.
પતિતપાવન 197
Page #108
--------------------------------------------------------------------------
________________
“મગધવાસીઓ, તમારું લૂંટેલું દ્રવ્ય વૈભાર પર્વતની ગિરિકંદરાઓ, પર્વતકુંજો, સરિતાઓ અને સ્મશાનમાં પડ્યું છે. મારે મન હવે એ આ માટીથી પણ ઓછા મૂલ્યનું છે. મગધના કારાગૃહમાં રહેલા મારા વીર સાથીદારો એ જાણે છે. પણ મારી આજ્ઞા વિના એ મુખમાંથી ઉચ્ચાર પણ નહિ કરે ! મારી આજ્ઞાથી તેઓ તમને તમામ ધન-વિત્ત બતાવશે. તમે તેમને બોલાવો. હું માનું છું કે તેઓ કદી મારી આજ્ઞા નહિ ઉથાપે. તેઓ પણ મારા માર્ગે જ વળશે !”
“તેઓ પણ તરતમાં જ મુક્ત થશે.” મહામના મગધરાજ આ વીરની દરેક રીતે કદર કરવા તૈયાર હતા.
“અને તમે ઇચ્છશો તો રાજ તેઓને સેવાચાકરી પણ આપશે.” મેતારજે કહ્યું. “કૃપા છે તમારી, પણ હવે તો મેં અનેકાનેક રાજવીઓની સેવાને બદલે એક રાજરાજેશ્વરની જ સેવા કરવાનો નિર્ણય કર્યો છે."
“શું સાધુ બનશો ?” બધેથી એકદમ પ્રશ્ન ઊઠ્યો.
રોહિણેયે મસ્તક નમાવી હા કહી. બધા શાન્તિથી ઉપદેશ શ્રવણ કરવા બેઠા. દોડતા અશ્વોએ ગયેલા સવારો રોહિણેયના વીર સાથી કેયૂર અને બીજા સાથે ત્યાં આવી પહોંચ્યા. જ્ઞાતપુત્ર મહાવીરની દેશના પણ પૂરી થઈ હતી.
રોહિણેયે કેયૂરને પોતાનું તમામ દ્રવ્ય બતાવી દેવા સૂચવ્યું ને સાથે સાથે પલ્લીવાસીઓની વીરતાને આવે રસ્તે વાળી તે માટે તેઓની માફી માગી અને કહ્યું, “હું તો અહિંસા-સત્યનો પૂજારી સાધુ થવા ઇચ્છું છું."
આવા વિનય-વિવેકથી જંગલવાસી કેયૂર અજાણ્યો હતો. એને લાગ્યું કે પોતાનાથી અપરાધ થયો, જેથી સરદારને ખોટું લાગ્યું. એની લાલઘૂમ આંખોના ખૂણા ઠરડાયા. એણે ગળગળે અવાજે કહ્યું :
“મહારાજ રોહિોય, હજાર મગધરાજો અમને તમારી વફાદારીમાંથી આ જન્મમાં તો ચળાવી નહિ શકે. સેવકોનાં માથાં માગો ત્યારે તૈયાર છે. પછી આવી વાતો શા માટે ? અને આપ સાધુ થશો તો અમે ઘેર બેસી નહીં રહીએ. જ્યાં તમે ત્યાં અમે "
“કેયૂર, તું ન સમજ્યો ? અરે, તારા જેવા વીરોને કેવળ કુળના કારણે દૂર હડસેલાયેલા જોઈને જ મને સામ્રાજ્ય હાથ કરવાની લે લાગી હતી. પણ હવે તો એ સામ્રાજ્ય નાનું લાગે છે. હું જ્ઞાતપુત્રનો શિષ્ય બન્યો છું.” અને રોહિણેયે પોતાની આપવીતી કેયૂરને કહી સંભળાવી.
પરિષદામાંથી સહુ સ્નેહભર્યાં અંતરે પાછાં ફર્યાં. એમનું નૂર અને એમની સિકલ જ બદલાઈ ગયાં હતાં. શરીરબળનો મહારથી કેયૂર આ બધી વાતોમાં કંઈ
198 D સંસારસેતુ
ન સમજી શક્યો. એણે રોહિણેયની આજ્ઞાનુસાર વૈભાર પર્વતમાં છુપાયેલી તમામ દોલત બતાવવા માંડી. ધનદોલતની કંઈ કમીના નહોતી. શકટનાં શકટ ભરાવા લાવ્યાં.
પ્રજા આનંદમાં આવી ગઈ. એ તો જ્ઞાતપુત્રના પગલે શા શા નિધિ ન પ્રગટે, એનાં ગુણગાન ગાવા લાગી. ધન અને ધર્મનાં જાણે રાજગૃહીમાં પૂર આવ્યાં ! ઉદાર રાજવીએ જેનું જે હતું તેને તે પહોંચાડ્યું.
મહાન રોહિણેય મુનિ બન્યો. રાજગૃહીએ એ પ્રસંગને છાજે તેવો ઉત્સવ
રચ્યો.
જ્ઞાતપુત્રના પગલે નગરી ધન્ય બની.
પતિતપાવન – 199
Page #109
--------------------------------------------------------------------------
________________
પાણી પહેલાં પાળ
દિવસો વીત્યા એ પાવનકારી પ્રસંગને.
રાજગૃહીના દેવવિમાનપ્રાસાદના રત્નદીપકો હજી એની એ જ રીતે ત્યાં દરેક રાત્રિએ સ્વર્ગની શોભા ખડી થતી હતી : છતાં પણ કાળનાં અનેક ઝાપટાંઓ એની ઉપર વરસી ગયાં હતાં.
| ઘણીવાર વર્ષ પણ દિવસના જે ટલી જ ઝડપથી પસાર થઈ જાય છે. સુખી રાજ ગૃહીએ પણ એવાં કેટલાંય વર્ષો ઝડપથી પસાર થતાં નીરખી લીધાં હતાં. અત્યાચ્ચર્યના આઘાત લાગે એવા સંજોગો જ જાણે આજે નહોતા. હવે નિત્ય દુશ્મનદળની ચિંતા રખાય એવો એક દુશ્મન શેષ રહ્યો નહોતો !
મેતારજ નગરશ્રેષ્ઠીના પદે હતા. એણે ધનધાન્યના પ્રવાહો સદા ભરપૂર રાખ્યા હતા. એમનું નૂર અને એમની સિકલ જ બદલાઈ ગયાં હતાં.
આટલાં વર્ષોની આશ્ચર્યવન્તી ઘટનાઓમાં મહામંત્રી અભયની નિવૃત્તિ ને દીલાસ્વીકાર હતો : છતાં એક વાત તરત ભુલાઈ જાય તેમ હતી. સતી ચલ્લણાના પુત્ર કુણિકે એ પદ સંભાળી લીધું હતું. એય વીર, ધીર ને વિચક્ષણ હતો, છતાં કોઈક વાર એની ઉતાવળે અનુમાન કરી લેવાની આદત પ્રજાને જૂના, શાંત, ધીર, વીર મહાઅમાત્યની યાદ તાજી કરાવતી. કોઈક વાર વયોવૃદ્ધ મગધરાજ સામેની તેની તોછડાઈની લોકો ટીકા કરતા; પણ એ તો નગણ્ય બાબતો હતી.
ધનધાન્ય ને મણિકનકથી અભરે ભરેલી આ નગરીને કાળના દુર્નિવાર પ્રવાહોનો જાણે ઘસારો જ નહોતો બેઠો, અને એવો ઘસારો આઠ આઠ અપ્સરાઓ સાથે દેવવિમાનપ્રાસાદમાં ભોગ ભોગવતા પ્રૌઢ મેતારજને પણ નહોતો પહોંચ્યો.
નગર શ્રેષ્ઠી મેતારજને કોઈ વાર પેલી બે સહિયરો યાદ આવતી. એ વખતે
વિરૂપા નજર સામે આવીને ખડી થઈ જતી. એ કહેતી :
ધન, કીર્તિ ને રૂપના સાગરમાં અનેક માનવ-મસ્ય ખોવાઈ ગયાં છે. દીકરા ! કીર્તિનો પ્રદેશ છતાં અકીર્તિના રણમાં ચાલ્યો જા ! ત્યાં જેમ આકાશની અજાણી કોઈ વાદળી વરસીને રણના તાત હૈયાને અજાણી રીતે શાન્ત કરી જાય છે, એમ તુંય અકીર્તિ (અપકીર્તિના નહિ)ના પ્રદેશ છાતું સમર્પણ કરી દે !”
આ વખતે મેતારજ વ્યાકુળ થઈ જતો. એનું ચિત્ત બહાવરું બની જતું. એ બહાર ફરવા નીકળી જતો.
પણ પેલી આઠ પત્નીઓ સજાગ રહેતી. એ આઠે પતિને આકર્ષવા નીકળી પડતી, હાવભાવ કરતી, નૃત્યખેલ રચતી.
આખરે ભમરો કમલદલની કેદમાં પુરાઈ જતો.
રોજ નવી રાત, નવા રાસ ને જાણે નની જ રસિયણો ! એક સુદીર્ઘ સુખદ સ્વપ્નમાં મેતારજ લુબ્ધ થયા હતા, નગરશ્રેષ્ઠીનું પદ મળ્યા પછી એમની મહત્તા વધી હતી. રાજગૃહીના ઓવારે ઊતરતા દૂરદૂરના પ્રવાસીને મોંએ એમના જ રોમાંચક નામની રટણ ચાલતી : પણ એમનાં દર્શન દુર્લભ હતાં.
પ્રવાસીઓ, સાગર-સફરીઓ ને મોટા સાર્થવાહો એમના દર્શન માટે ઉત્સુક રહેતા, એમની મુલાકાતો માટે પ્રયાસ સેવતા. પણ આઠ આઠ રસિકાઓની કિલ્લેબંધીઓ ભેદીને નગરશ્રેષ્ઠી કદી બહાર નીકળી ન શકતા.
પરિચય પાડવાનો પ્રસંગ કેવળ રાજસભામાં જવાને વખતે પડતો, પણ એમાંય છેલ્લા વખતથી કંઈક વિઘ્ન આવ્યું હતું. લોકો વાતો કરતા કે મહાઅમાત્ય અભય સાથેની ઘનિષ્ઠ મિત્રતા હવે મહાઅમાત્ય કુણિક સાથે નથી રહી. કેટલાક આ વાતોને તિરસ્કારી કાઢતા ને કહેતા કે હવે રાજ ગૃહમાં મગધરાજ ને રાણી ચેલ્લણા સિવાય રહ્યું છે પણ કોણ ? કેટલાય કુમારોએ, કેટલીય રાણીઓએ દીક્ષા સ્વીકારી લીધી છે. હવે તો બધું નવું વાજું છે. અને ખરેખર, કહેનાર એ રીતે સાચો હતો. જૂનું કહી શકાય તેવું વયોવૃદ્ધ મગધરાજ સિવાય કોઈ નહોતું.
મગધરાજનેય માથે પળિયાં આવ્યાં હતાં, ને કરવાનું કરી લેવાનો વખત વળતો હતો, પણ અંતઃપુરની માયા, વનવાસનાં કષ્ટો ને સુધાતૃપાના પરિષહો તેઓ સહી શકે તેમ નહોતા. શસ્ત્રોના અનેક ઘા સામે મોંએ ઝીલનારી એમની પ્રચંડ કાયા લેશમાત્ર ટાઢ કે તડકો વેઠવા અશક્ત બની હતી.
એમાંય વયોવૃદ્ધ મગધરાજને એક પ્રસંગે વધુ તપાવ્યા. એક વાર કૌમુદીઉત્સવમાં એક કિશોરબાળાને નીરખી. ઊગતા ચંદ્રની રેખા જેવી એ બાળા ફૂટડી હતી. વૃદ્ધ મહારાજની નસોમાં ફરીથી કામન્વરે સંચાર ક્ય. પણ એ વેળાએ તો
પાણી પહેલાં પાળ | 2011
Page #110
--------------------------------------------------------------------------
________________
આવા સુખદ સ્વપ્નમાં એક વાર ભંગાણ પડ્યું. સેવક સંદેશો લાવ્યો હતો કે “કોઈ દેવમિત્ર આપને મળવા આવ્યા છે.”
ક્યાં છે દેવમિત્ર ?" “નગર બહાર, ચૈત્યમાં.”
“નગર બહાર ? વારુ, જા, એમના માટે ખાન-પાન ને વાસનો ઉચિત બંદોબસ્ત કર, હું આવું છું.” આઠ સુંદરીઓ સાથે જલક્રીડામાં ગૂંથાયેલા નગરશ્રેષ્ઠી મેતારને આવે વખતે બહાર જવું યોગ્ય ન લાગ્યું. આઠે સુંદરીઓ શરીર પર કેવલ એક જ પારદર્શક આવરણ વીંટી જલકુંડની પાસે મેતારજની રાહમાં ઊભી હતી. સંસાર માંડ્યાને વર્ષો વીત્યાં હતાં, પણ દેહ હતા જાણે નવસુંદર નવોઢાના !
“જલકુંડમાં સુવર્ણમજ્યો ક્રીડા કરી રહ્યાં હતાં, તેને મળીને ક્ષણવારમાં પાછો
મહાઅમાત્ય અભય મોજૂદ હતા.
સમર્થ અને વિચક્ષણ પિતાની નબળાઈથી એ પૂરી રીતે વાકેફ હતા. એ નબળાઈ બીજું રૂપ ન લે એ માટે એમણે એ કિશોરીને મહારાજાના અંતઃપુરની રાણી બનાવી, ભોગસમર્થ રાજવીના આ કૃત્ય સામે પ્રજાને કંઈ કહેવાનું નહોતું, પણ આ ઘટનાએ અંતઃપુરમાં એક જાતનો વિસંવાદ જગાવ્યો.
ભડભડિયા કુણિકે સ્પષ્ટ રીતે વિરોધ કર્યો; પણ આ વિરોધ કે વિસંવાદ મહાઅમાત્યરૂપી સાગરમાં બુંદબુદની જેમ અલોપ થઈ ગયો. તેઓએ કહ્યું કે : “એક માણસ પાસેથી બધી વાતે આશા રાખવી વ્યર્થ છે. કોઈની નબળી કડીનો લાભ ન લેતાં અને સાંધવા-સુધારવા યત્ન કરવો ઘટે !''
પણ આ તો તત્ત્વજ્ઞાનની વાતો હતી : એ વાતોને મહાઅમાત્યના સંન્યાસ સાથે વરાળ થઈને ઊડી જતાં વાર ન લાગી. અને આટલેથી બાકી હતું તે પેલી કિશોરીએ પણ પોતાના ચાલુ જીવન કરતાં પ્રવર્તિની ચંદનાના સાધ્વી સંઘમાં ભળી જવાનું વધુ પસંદ કર્યું. મગધરાજ પાસે એણે આશા માગી, તેમણે પણ જાણે પ્રાયશ્ચિત્ત કરતા હોય તેમ પોતાની લઘુવયસ્કો સંગિનીને અનુમતિ આપી દીધી. એ સાધ્વી બની ગઈ.
આખા મગધના મહારાજ્યમાં મગધેશ્વર એકલા રહ્યા ! રાણી ચેલ્લણા સતી સ્ત્રી હતી, પણ એનુંય હૈયું ખંડિત થયું હતું. દીક્ષિત થવાની પ્રબલ ભાવના છતાં કુણિક ને મગધરાજ વચ્ચેના સંબંધનો એ સેતુ બની રહી હતી. એટલે એણે દીક્ષિત થવાની મંજૂરી મન હોવા છતાં ન માગી.
મગધની મહાનૌકા આમ ચાલી જતી હતી; કદીક એના નિશ્ચલ થંભો પર નાનું શું તોફાને સ્પર્શી જતું; કદીક એના દિશાસૂચક યંત્ર પર આવરણો આવી જતાં; પણ એ બધું ક્ષણ માટે રહેતું ને ક્ષણિક નીવડતું. એ નૌકા એમ ને એમ આગળ ધપ્ય જતી.
છતાંય નૌકાના નાના-મોટા પણ મહત્ત્વના સૂત્રધારો ઓછા થયા હતા. જે થોડાઘણા હતા તેમાંના ઘણાને ઉદાસીનતા સ્પર્શવા લાગી હતી. એ ઉદાસીનોમાં અગ્રગણ્ય નગરશ્રેષ્ઠી મેતારજ હતા. તેઓએ રાજ કાજમાં માથું મારવું તજી દીધું હતું. મગધરાજના જામાતાના દાવે અંતઃપુરમાં વારેવારે જતા આવતા હતા, એ પણ હવે ઓછું થયું હતું.
તે ભલા ને તેમનો દેવવિમાનપ્રાસાદ ભલો. આઠ આઠ સંપીલી સુંદરીઓ સ્વર્ગને ભુલાવી નાંખે તેવા સુખાસ્વાદ આપતી હતી. ઋતુ ઋતુને યોગ્ય વિરામભવનોમાં રોજ નવા-નવા ભોગવિલાસ ઊજવાતા. નગરશ્રેષ્ઠી મેતારજ એક મહાસુખદ સંસારમાં આકંઠ ઝબકોળાઈ ગયા હતા.
202 | સંસારસેતુ
ભલે, પધારો ! મુલાકાત પતાવીને વેળાસર પાછા વળજો. અમે રાહ જોઈએ છીએ.” સુંદરીઓને રસભર્યા આ કાર્યક્રમમાં અચાનક આવેલો વિલંબ ન રુચ્યો, પણ દેવમિત્રની વાત સાંભળી તેઓએ કચવાતા મને રજા આપી.
ગ્રીષ્મના દિવસો હતા. ઊગતા પ્રભાતની મીઠી લહેરોમાંય ઉકળાટ હતો. સુખી જીવન જીવતા મેતારજને આવી વેળાએ બહાર નીકળવું દુઃસહ હતું. સુંદર શિબિકો તૈયાર કરવામાં આવી. અનેક દાસ સુગંધીજળનો છંટકાવ કરતો આગળ ચાલ્યા. કેટલાક વાતપત્રો ને ચામર ઢોળતા સાથે ચાલવા લાગ્યા, છતાંય નગરશ્રેષ્ઠી મેતારજને સૂર્યકિરણ સંતાપી રહ્યાં હતાં.
તેઓ નગર બહાર ચૈત્યમાં પહોંચ્યા ત્યારે એક વૃક્ષ નીચે બેચાર શ્રમણો બેઠેલા જોવામાં આવ્યા.
“ક્યાં છે મારા દેવમિત્ર ?” મેતારજે શિબિકામાં બેઠાં બેઠાં પ્રશ્ન કર્યો.
આવો, નગરશ્રેષ્ઠી ! સંસારની માયા શું એવી ભુલ-ભુલામણી છે, કે જોતજોતામાં જૂના સ્નેહીઓને વીસરી ગયા ?” એક શ્રમણે બેઠાં બેઠાં કહ્યું.
કોની આ પ્રેમભરી પરિચિત વાણી છે ? શું મહામંત્રી પોતે ?” ના, ના, મુનિ અભય !”
ધન્ય છે મહામુનિ ! પ્રથમ દૃષ્ટિએ આપને ન પિછાની શક્યો. કેમ મને યાદ કર્યો, વારુ !”
“તમને યાદ આપવા ! નગરશ્રેષ્ઠી મેતારજ ! ધર્માનુકૂલ અર્થકામને ખૂબ સાધ્યા, હવે અંતિમ પુરુષાર્થ મોક્ષનું શું ? પાણી આવતાં પહેલાં પાળ બાંધો !” “મુનિવર, વિચાર તો ઘણીવાર થાય છે, પણ એમ લાગે છે કે આ કાયા
પાણી પહેલાં પાળ | 203
Page #111
--------------------------------------------------------------------------
________________
25
બંધનમુક્તિ
સંયમના ભાર શી રીતે વહેશે ? આઠ આઠ મદભરી વહાલસોયી પ્રિયતમા-ઓનો વિયોગ કેમ સહેવાશે ? વૈરાગ્યના વિચારો જ હૈયું ભારે કરે છે.”
નિશ્ચયને કશું જ અસાધ્ય નથી. વીર, ધીર મેતારજ આટલો કાયર કાં ? શું ચંદનાનું દૃષ્ટાંત યાદ નથી ? વિરૂ પાથી વહાલસોયી સ્ત્રી કદી દેખી હતી ? છતાં વખત આવ્યો એટલે બધુંય મૂકીને ચાલવાનું ! ત્યાં કશીય દાદ-ફરિયાદ નહીં ચાલવાની.”
| “ બધુંય સમજું છું, મુનિવર ! પણ હજી મોહપાશ છૂટતા નથી. આવીશ, એક દહાડો જરૂર આવીશ.”
નગરશ્રેષ્ઠી, આવતાં આવતાં અસૂરું ન થાય એ જોજો ! આ તો કમળની કેદ છે. કઠણ કાષ્ઠને ઝેર કરી નાખનારો પ્રેમી ભમરો મધુ ચૂસવામાં મગ્ન બની રહ્યો, મનને ફોસલાવતો રહ્યો ને સાંજ પડી ગઈ. કમળ બિડાઈ ગયું. પ્રેમી ભમરાએ એ કમળને વીંધીને જવા કરતાં એ રાત કેદમાં જ રહેવાનું યોગ્ય સમક્યું ને એણે વિચાર્યું : હમણાં સૂર્યોદય થશે, કમળ ખીલશે ને મુક્ત બનીશ, પણ એને ખબર નહોતી કે એક ક્ષુધાતુર હાથી કમળનો ચારો કરવા ચાલ્યો આવતો હતો, ને એવાં હજારો કમળને ક્ષણવારમાં પોતાના મહાન ઉદરમાં સમાવી દેવાનો હતો. માટે કમળપત્રની કેદ છાંડી દો, મેતારજ ! કાળરૂપી હાથી નજીકમાં છે. કેવલ તમને જાગ્રત કરવા આવ્યો હતો. તમારી અપાર સમૃદ્ધિની, વિશાળ સંપત્તિની વાતો સાંભળી હું અત્યંત ચિંતાતુર હતો. રખે એ સંપત્તિ સત્યાનાશ ન નોતરે ! બસ આગળ જાઉં છું.”
અહીં થોભો, થોડા દિવસ વિશ્રામ લો ! રાજગૃહી તમારી જ છે.”
“આપણું કંઈ નથી. આ દેહ પણ આપણો નથી. નગરશ્રેષ્ઠી મેતારજ, આ ગ્રીમનો ઉકળાટ નાકાશમાં વાદળોને ગોટાને ઉમટાવે ને ચાતુર્માસ બેસે, તે પહેલાં મારે પરમપ્રભુને જઈ મળવું છે. ધર્મલાભ !”
વંદન !” મેતારજે નમસ્કાર કર્યા.
ચારે શ્રમણો જોતજોતામાં આગળ ચાલ્યા ગયા. મેતારજ એમને ક્ષિતિજ માં ભળતા જોઈ રહ્યા.
ધ્વમિત્રની વાતે પ્રારંભમાં ઘણો સંતાપ જન્માવ્યો, પણ હવે એ વાત ધીરે ધીરે વિસારે પડતી હતી, થાકેલો હારેલો મહાસાગરનો તરિયો ડૂબતો ડૂબતોય જેમ મહાસાગરનાં અથાગ જળને વીધી ક્ષણ બે ક્ષણ સપાટી પર આવી જાય, એમ નગર શ્રેષ્ઠી મેતારજનું હતું. ક્ષણભરમાં વાસનાત્યાગનો નિર્ણય કરતા ને ક્ષણભરમાં વાસનાના પૂરમાં તણાઈ જતા.
કાળનું ચક્ર ફર્યું જતું હતું. મેતારજના દેહ પરથી હજી તેલઅત્તર ઓછાં થતાં નહોતાં, અને મદભરી રમણીઓના સ્નેહપાશ હજી તેવા ને તેવા હતા.
આખોય રાજકીય બાગ ઉજ્જડ થતો ચાલ્યો હતો. કેવળ એકાદ ખૂણે મેતારજ જેવું કોઈ નવરંગી ફૂલ શિશિરના ઝપાટાઓથી અળગું અસ્તિત્વ જાળવી રહ્યું હતું. રોજ રોજ નવી રસભરી રાતો ઊગતી અને નવું જોબન પ્રગટતું !
પણ ભલા, શું મેતાર્યને આ બધું હજી પ્રિય હતું ? આઠ આઠ જોબનભરી પ્રિયતમાઓ વચ્ચે શું વિરૂપાનું બલિદાન ને શેઠાણીનું વાત્સલ્ય-દુ:ખ તે ભૂલી ગયા હતા ? પોતાનો જનક માતંગ શું તેમને યાદ પણ આવતો નહિ ?
ના, એવું નહોતું. મેતાર્યો તો મેતારજ-મોટા ચાંડાલનું બિરુદ ધાર્યું હતું; અને પ્રભુના ઉપદેશને અનુસરીને તેઓ ઉચ્ચ-નીચના ભેદ દૂર કરવા મથતા હતા. નીચી ગણાતી કોમોમાં જ્ઞાન અને સંસ્કાર વેરવા એ ઠેર ઠેર ફરતા; અને સહુની સામે વિરૂપાનું દૃષ્ટાન્ન રજૂ કરતા. એમના પ્રયત્નના પરિણામે કેટલાંક ચાંડાલ-કુલ અગ્રગય થયાં હતાં, ને ગૃહસ્થ તથા સાધુ જીવનની ચરમ સીમાને પણ પહોંચ્યાં હતાં.
અને આ છતાંય રંગરાગ ને એશઆરામની આ દુનિયામાં તેઓ મગ્ન હતા. કહેવું અને કરવું, એ બેની ભેદરેખા બની રહ્યા હતા.
0
204 સંસારસેતુ
Page #112
--------------------------------------------------------------------------
________________
એક વાર મેતારજ અડધી રાતે જાગી ગયા. પ્રિયતમાનો હાથ એમની છાતી ઉપર પડી ગયેલો. એમાં સ્વપ્ન લાધ્યું. જાણે સંસારસાગરમાં બધાય તરી ગયા છે. વિરૂપી તો સાગરને સામે કાંઠે ખડી છે ને સાદ પાડી રહી છે. બધાયની ગતિ પ્રગતિ કરી રહી છે, પણ ન જાણે મેતારજ સાગરમાં પડતાં જ ડૂબકાં મારવા માંડ્યા, અને એક વાર તો તળિયું પણ માપી આવ્યા. કેટલી ગભરામણ ? કેટલી મૂંઝવણ !
ઝબકીને જાગીને જુએ છે, તો ન મળે સાગર કે ન મળે પાણી. કદલીદલ જેવો પ્રિયતમાનો હાથ છાતી ઉપર પડ્યો છે ! એમણે ધીરેથી એ હાથને અળગો કર્યો; છતાંય સુવર્ણપિંજરની મેના એ હાથનાં રત્ન કંકણોના રવથી જાગી ગઈ, ને ચીંચી કરવા લાગી. મેતારજ ફરીથી ઊંઘવા પ્રયત્ન કરવા લાગ્યા, પણ ન ઊંઘી શક્યા.
એ બેઠા થયા ને બહાર ઝરૂખામાં આવી ઊભા રહ્યા. રાત્રિ નીરવ હતી. મેતારજનું મન તોફાને ચડ્યું. સામે પિંજરામાં મેના પાંખ ફફડાવી રહી હતી. રાજમંદિરની આ મેના હતી. સુવર્ણપિંજરમાં વસનારી હતી; છતાં એનેય અજંપો હતો ! મેતારજ ધીરેથી પાસે ગયા, પિંજર ઉઘાડી નાખ્યું. એમને ખબર હતી કે પોતાની પ્રિય રાજ કુંવરીને આ મેના પ્રાણસમ પ્રિય હતી.
મેના એક લાંબી કિકિયારી સાથે બહાર નીકળી ને પાંખો ફફડાવતી ગોખ પર બેઠી. વિદાય લેતી મેનાને જોવા મેતારજે ભરઊંઘમાં સૂતેલી પ્રિયતમાને જગાડી. વીખરાયેલો લાંબો કેશકલાપ, સમસ્ત કપોલ પ્રદેશને રંગી રહેલો સૌભાગ્યતિલક ને ઝીણા ઉત્તરીયથી ઢંકાયેલો મનોહર દેહ ! આ રૂપ જોઈ એકવાર મેતારજ ના દિલની વૈરાગ્યભાવના ધ્રુજી ઊઠી, પણ બીજી પળે હૃદય સ્વસ્થ કરી તેમણે કહ્યું; “પ્રિયતમ ! આ મેના જાય છે !”
- “પ્રિય, જોજો ! એવું ન કરતા, એ તો મને પ્રાણથી પણ પ્યારી છે.”
- “પણ એ તો આ ચાલી !” મેતારજે પાસે જઈ મૈનાને પકડવાની ચેષ્ટા કરી, પણ સ્વતંત્ર બનેલી મેના તો ભરૂરૂ .. કરતી ઊડી ગઈ ને અંધકારમાં અદૃશ્ય થઈ ગઈ.
“મેના તો ગઈ... પ્રિયતમે ! હવે શી રીતે તારાથી જિવાશે ? અને તું મરીશ, તો મારે પણ મરવું જ રહ્યું.” મેતારજે વ્યંગ કરતાં કહ્યું.
- “હવે મરવા-કરવાની વાત જવા દો ! મરેલાની પાછળ કંઈ કોઈ મરી જાય છે ? પણ એ તો પ્રેમની વાત છે. મને આ મેના ઉપર અત્યંત પ્યાર હતો. ને પિંજરામાં પંખી પાળવાની મગધેશ્વરની મનાઈ છતાં ખાસ આજ્ઞાથી મેં એને પાળી હતી.”
બસ, મારું એ જ કહેવું હતું. જનારાને જવા દઈ, સહુએ રહેલાથી આનંદ માનવો જોઈએ. જો, વિરૂપા ગઈ, શેઠાણી ગયાં, માતંગે ન જાણે ક્યાં ગયો ! ને હું ?
206 D સંસારસેતુ
કમને જવાનો વખત આવે તે પહેલાં માનપૂર્વક શા માટે ન ચાલ્યો જાઉં ! સુંદરીઓ, મહાઅમાત્યે આ લોક પણ સાધ્યો ને પરલોક પણ ! મેં શું કર્યું ?" મેતાજ બોલતાં બોલતાં થોભ્યા.
જા, તમામને જગાડીને અહીં બોલાવ ! આ વાત મારે તેમને પણ સમજાવવી છે.” મેતારજે બાકીની પત્નીઓને જગાડવા કહ્યું.
| બધી પત્નીઓ મેતારજના ધૂની ને ચંતક સ્વભાવથી સુપરિચિત હતી. એમને લાગ્યું કે દૂધને ભલે ઊભરો ચડે ! એ શમાવવા માટે પાણી તૈયાર હોય પછી શી પરવા ? ભરઊંઘમાં પડેલી બધી રમણીઓ વિસ્મયથી આંખો ચોળતી ત્યાં આવી પહોંચી.
મેતારજે ફરીથી બધી વાત કહી અને જણાવ્યું, ડાહ્યો માણસ જનારાને જવા દઈ રહેલામાંથી આનંદ મેળવે છે. કદાચ કાલે હું પણ ચાલ્યો જાઉં તો...”
બધી રમણીઓ ઉપર જાણે વીજળી તૂટી પડી. બધી એકદમ ચમકી ઊઠી. મેતારજે ફરીથી કહ્યું : “સુંદરીઓ, મારી કમળ-કેદ પૂરી થઈ. મેના ગઈ, એમ મારે ય જવું રહ્યું. પિંજરવાસ ક્યાં સુધી ? તમે આ સમૃદ્ધિ ભોગવો. તમને બધું આપેલું છે. આ બધું ભોગવજો ને બને તો તમે પણ આ લોકના સુખ તરફથી જરા પરલોક તરફ નજર કરજો.”
એ વાત કરશો મા ! એ ન બને !” બધી રમણીઓ ચિત્કાર કરી ઊઠી.
“સુંદરીઓ, તમે બધી મને એ વાતની ખાતરી આપો છો કે તમારું આ રૂપ કદી નહિ કરમાય, અને મારું આ યૌવન સદા ખીલેલું રહેશે ? અને વિનશ્વર દેહનું શું ? આ બાહુની પ્રચંડતા ને પગની આ દૃઢતા શું સદાકાળ ટકશે ? માટે બધું યોગ્ય વખતે થઈ જાય તેમાં જ મજા છે. મોહ છે, ત્યાં દુઃખ અવશ્ય થાય, પણ સાચો પ્રેમ પોતાના પ્રેમીનું હિત જુએ છે, સુખે જુએ છે. મારું હિત ને સુખ જુઓ ને મને રજા આપો.”
સુંદરીઓ કંઈ જવાબ ન આપી શકી. કેવલ તેમનાં નેત્રોમાંથી આંસુઓનો પ્રવાહ વહી રહ્યો.
એ આખી રાત્રિ પ્રેમીઓ વચ્ચે અજબ રસાકસીભરી વીતી, પણ મેતારજ હવે દૃઢ બન્યા હતા. કોઈ પણ વાત તેમને લોભાવી કે થોભાવી શકે તેમ નહોતી.
વહેલી સવારે રાજગૃહી કામધંધે વળગે એ પહેલાં બધે સમાચાર પ્રસરી ગયા કે મેતારજ સંસારત્યાગ કરી રહ્યા છે. જેણે જેણે આ સમાચાર સાંભળ્યા, તે સ્તબ્ધ થઈ ગયા.
માયાનો સંચળો ફગાવીને પળવારમાં મેતારજ ચાલ્યા ગયા. એ દિવસે જે
બંધનમુક્તિ
1 207
Page #113
--------------------------------------------------------------------------
________________
દુઃખદર્દ જન્મ્યાં, એ દિવસે દિવસે ઓછાં થતાં ચાલ્યાં. એમને કોઈ પાછું ન લાવી શક્યું. પાછા લાવનારા જ અડધે રહ્યા.
મગધરાજને પણ એક દહાડો દેવમિત્રનો સંદેશો મળ્યો કે વખત વીત્યા પછી કરેલાં કામ અફળ થશે. પાણી આવ્યા પહેલાં પાળ બાંધી લેવી સારી છે. અડધું અંતઃપુર ઉજ્જડ થયું. ખાસ ખાસ અનુચરો પણ ચાલ્યા ગયા. હજીય તજવાનો વખત આવ્યો નહિ ! તમે વિષયોને વેળાસર નહિ તો તો વિષય તમને તજી જશે. પણ વયોવૃદ્ધ મગધરાજનાં મોહનાં બંધનો ઢીલાં ન થઈ શક્યાં.
દેવોને ઈર્ષા આવે એવી સમૃદ્ધિ છોડીને નીકળેલા મેતા૨જ મુનિ ઘોર અરણ્યોમાં એકલા વિચરવા લાગ્યા. સ્મશાનોમાં એ સૂઈ રહે, ને દિવસોના દિવસો સુધી અન્ન ન આરોગે ! જ્ઞાનધ્યાન ને જપતપ એમનાં સદાનાં સાથી બન્યાં.
શમ, દમ ને ક્ષમા ! આ ગુણોના તો તે આગાર બન્યા. એમનું અંતર બધા જીવોને સમભાવથી જોતું હતું, ને પ્રમાદરહિત વિચરતા. તેઓ કોઈના અકલ્યાણમાં રાચતા નહોતા.
તેઓ પ્રભુ મહાવીરે અપેલી અહિંસાની ભાવનાનો પરમ પ્રચાર કરતા. તેઓ કહેતા :
सव्वे जीवा वि इच्छंति जीविडं न मरिज्जउं ।।
બધા જીવો જીવવાને ઇચ્છે છે, કોઈ મરવાને ઇચ્છતું નથી. જીવો અને જીવવા દો ! એક લીલા તણખલાને પણ ઈજા પહોંચાડવાથી મહામુનિ પર રહે.
મેતારજ મુનિ આ રીતે ઉત્કટ તપ સાધવા લાગ્યા. ધીરે ધીરે હાથી જેવી એમની કાયા ગળતી ચાલી. ન એ રૂપ રહ્યું કે ન રહ્યું એ તેજ ! સ્મશાનના વસનારા આ અવધૂતને ભલભલા પિછાણી શકતા નહિ. સાપ કાંચળી ઉતારે ને પાછો વળીને એને જુવે પણ નહિ, એમ પૂર્વાવસ્થાને સ્મરવી પણ મુનિરાજે છોડી દીધી હતી.
મેતારજ ગામેગામ વિચરવા લાગ્યા. એમનો ઉપદેશ તો એક જ હતો : પરાર્થે પ્રાણવિસર્જન ! દુનિયાના ઉત્કર્ષ અને ઉદ્ધાર અર્થે એકબીજાએ બલિદાનની પરંપરા ચાલુ રાખવી જોઈએ. દુનિયાનો કોઈ પણ છોડ ખાતર વગર ઊગી શકતો નથી, દુનિયાની કોઈ ઇમારત પાયા વગર ચિરકાળ ટકી શકતી નથી : અને એ ખાતર બનનારે પોતાનું સર્વસ્વ ગુમાવવાનું હોય છે. દુનિયાના તમામ ઉત્કર્ષ અર્થે માનવીઓ ખાતરરૂપ ન બને તો જગત સ્વાર્થાંધોનું જ ટોળું બની રહે ! પાણી, પવન, સૂર્ય, ચંદ્ર : બધાં જ જો સ્વાર્થ માટે જ જીવે તો સંસારની શી સ્થિતિ !
અને સાચી અહિંસા પણ કોનું નામ ? દુશ્મનને મારીને નહિ, એના કલ્યાણ માટે મરીને જીવનસાફલ્ય કરવું જોઈએ. એવું સાફલ્ય ન આણી શકીએ તો આ નાશ 208 D સંસારસેતુ
પામનાર જીવનનો કંઈ અર્થ નથી. વસંત આવી તો એણે હરએક પ્રાણીને નવજીવન આપ્યું. એ નવજીવનના કાર્યમાં જ ખતમ થઈ જવું ઘટે. એમાં જ વસંતની શોભા ! અને વસંત પોતાનું કામ ન પણ કરે તોપણ એને ખતમ તો થવાનું જ છે !
પ્રભુ મહાવીરનો આ જ સંદેશ હતો. આત્મબલિદાન, વગેરે બીજી બધી વાતો અહિંસામાં જ અંતર્ગત થઈ જાય છે. અહિંસામાં માનનારને સત્ય, પરિગ્રહ કે બીજું બધું જુદું જાણવાનું હોતું જ નથી.
ભોગક્ષમ અને ત્યાગક્ષમ મેતારજની સાધુતા ખુબ જ ઝળકી ઊઠી. ગામ ગામના ખૂણે ‘મેતારજ મુનિ'નાં ગુણગાન ગવાતાં હતાં. મેતારજ મુનિ એટલે દયાનો દરિયો ! કરુણાનો અવતાર !
બંધનમુક્તિ D 209
Page #114
--------------------------------------------------------------------------
________________
26
કાળચક
જાજ્વલ્યમાન જીવનની મહત્તા એમાં જ છે કે એ ઝળહળાટમાં જ પરિનિર્વાણ પામે ! સુદીર્ઘ આયુષ્ય એ જીવનનો માત્ર આશીર્વાદ જ નથી, ઘણીવાર શાપ પણ બની જાય છે. ટૂંકા પણ તેજસ્વી, અલ્પ પણ ભાવનાભર્યા જીવનની જ મહત્તા છે. પુખ્ત યુવાવસ્થામાં પ્રવેશેલા મહામંત્રી અભય આ વાત સમજ્યા. રૂપવતી રાણીઓ એ વાતને પામી ગઈ. મોડે મોડે પણ અતિ મોડું ન થાય તે પહેલાં નગરશ્રેષ્ઠી મેતારજ પણ એ સમજ્યા.
ન સમજી શક્યા કેવલ મગધરાજ. આખો રાજ-ઉદ્યાન ઉજ્જડ થઈ ગયો, તોય એમણે ટૂંઠું બનીને પણ એને વળગી રહેવાનું પસંદ કર્યું. હવે ગરુડ શી એ આંખો નહોતી, ને કેસરી સમું એ હાડ નહોતું. વજ જેવા પાપ ને ભોગળ જેવા બાહુ કમજોર બન્યા હતા. બધીય શક્તિઓ હણાતી ચાલી હતી, પણ સર્વ શક્તિઓના હાસમાં પ્રબલ બનનાર એમની ભોગશક્તિ ભડકે બળતી હતી.
બધીય રીતે મહાન મગધેશ્વરને આ ભોગલાલસા અજાણી રીતે પીડી રહી હતી. જ્ઞાતપુત્ર મહાવીરના પરમ પૂજારી હોવાનો દાવો કરનાર રાજવી પોતાની આ નિર્બળતા માટે ઘણીવાર એકાંતે ૨ડી પડતા.
મગધરાજ, નિર્માણને અન્યથા કરવાની તાકાત મહાત્માઓમાં પણ નથી. છતાં પ્રયત્ન કરનારને કશુંય અશક્ય નથી. તમારો શ્રદ્ધાદીપ બુઝાવા દેશો નહિ. ખરાબને ખરાબ, સારાને સારા તરીકે પિછાણજો, પશ્ચાત્તાપનો જલતો રહેલો પાવક આ ભવે નહિ, તો પરભવે પણ તમને પાવન કરશે જ .!!”
જ્ઞાતપુત્ર પ્રભુ મહાવીરનાં વચનોમાં શ્રદ્ધા રાખી જીવન નાવ હાંકનાર મગધરાજને માનવસુલભ દુર્બળતા સિવાય બીજા દુર્ગુણ રહ્યા નહોતા : પણ યુવરાજ કુણિકે એક
નવો દુર્ગુણ શોધી કાઢઢ્યો. એ દુર્ગુણ તે મગધરાજનું સુદીર્ઘ આયુષ્ય !
કુણિ કે પોતાના ભાઈઓને એકત્ર કર્યા, સગાંસંબંધીઓને મેળવ્યાં. સહુને કહ્યું : ‘ધિક્કાર હજો આપણા પિતાજીને ! રાજ કાજ કંઈ થતું નથી, ને નિરર્થક રાજસૂત્ર પકડી રાખે છે. યુવાન અભયકુમારે દીક્ષા લીધી તોય આ વૃદ્ધને ત્યાગની કંઈ ઇચ્છા થતી નથી. આવતીકાલે જેની જવાબદારી આપણે શિરે આવવાની છે, એવા આ મહીને સૌમ્રાજ્ય મગધની સંભાળ હવે આપણે આજથી જ લેવી ઘટે.’
ઊગતા સૂરજને નમવાના સ્વભાવવાળા બધા, યુવરાજની વાતને ટેકો આપી રહ્યા. મગધરાજ તો બુઝાતા દીપક હતા. બુઝાતા દીપકનો આધાર શા કામનો ? આ રીતે મગધરાજ વિરુદ્ધ એક વિચિત્ર રાજ કીય જાળ ગૂંથાવા લાગી.
મગધરાજનેય આછી આછી ગંધ આવવા લાગી હતી, પણ તેમના પુત્રપ્રેમ આગળ એ ગંધ એમને બનાવટી લાગી. યુવરાજ કુાિકે પિતા નિવૃત્તિ લે એવા પ્રયત્નો જારી રાખ્યા. મૃત્યુશધ્યા પર પડેલા નિર્બળ કેસરીની મશ્કરી રસ્તે જતા શિયાળને પણ શક્ય બને છે. એ રીતે મગધરાજ વારે વારે અપમાન, ભર્લ્સના પામવા લાગ્યા. પણ મોટા મનના રાજવીએ બધું દિલ પર ન લીધું. એને સાધનાનો પ્રકાર ગણી લીધો.
વાત વધતી ચાલી. એક વેળાના ચતુરંગ સેનાના મહારથીની અંતઃપુરમાં પણ હાંસી થવા માંડી. આર્યાવર્તનો અજોડ રાજવી આંતરયુદ્ધમાં એક પછી એક પરાજય પામતો ચાલ્યો.
આ પરાજયોએ એક શંકા જન્માવી. મગધરાજને લાગ્યું કે રાણી ચેલ્લા દુચારિત્રવાળી છે. એણે અંતઃપુરને મારા વિરુદ્ધ ઉકેરી મૂક્યું છે આ રીતે અંતઃપુરનો કોલાહલ ઉગ્ર બન્યો.
પુત્ર અને પિતા વચ્ચે સેતુરૂપ બનીને જીવવાની અભિલાષાવાળી રાણી ચલ્લણાને આ વાતથી અત્યંત આઘાત થયો. એનું દાસીન્ય વધતું ચાલ્યું. એવામાં જ્ઞાતપુત્ર મહાવીરના દર્શનાર્થે ગયેલા મગધરાજે સરળતાથી ભગવાનને એ શંકા પૂછી લીધી.
જ્ઞાતપુત્રે સ્પષ્ટતાથી કહ્યું : “રાણી ચેલ્લણા સતીઓમાં પરમ છે. લેશમાત્ર સંદેહ ધરીશ મા !”
વધુ ને વધુ માનખંડિત થતી ચલ્લણા આ પછી રાજાએ બનાવી આપેલા એ કસ્તભિયા પ્રાસાદમાં ચાલી ગઈ. સંસારની અસારતા એને દમી રહી હતી. પણ પતિની ઇચ્છા વગર દીક્ષિત કેમ થઈ શકાય ? રજા વગર દીયા કોણ આપે ?
મગધનું આ બેસૂરું વાઘ વધુ ને વધુ બેસૂરું બનતું ગયું. યુવરાજ કુણિકે સર્વ
કાળચક્ર 211
Page #115
--------------------------------------------------------------------------
________________
તૈયારીઓ કરી લીધી હતી. રાજ્યના સ્થંભોને પોતાના કરી લીધા હતા. આ બનાવો વિચિત્ર પ્રકારના વેશ ધારણ કરી પ્રજામાં પણ ભમી રહ્યા હતા. ઊઠતી બાદશાહીની આછી આંધી બધે પ્રવર્તતી ચાલી હતી.
આ આંધીની વચ્ચે જીવતા મગધરાજે પોતાનો ધર્મદીપક સદા જલતો રાખ્યો હતો. ઘણીવાર દિલ પણ થઈ આવતું, છતાં મુનિજીવનનાં કષ્ઠો નિહાળી થંભી જતા. તેઓએ ધીરે ધીરે જિનપૂજામાં પોતાનું મન પરોવવા માંડયું. પ્રિયાના શણગાર ઘણા કર્યા. હવે એમાંથી રસ ઊડી ગયો, પણ મન એનું એ હતું. એ પ્રભુના શણગારમાં અંતરની આસુરી વૃત્તિઓ દેવી ભાવ દાખવવા લાગી.
છતાંય મગધરાજની વિરુદ્ધના પ્રચારનો વેગ વધતો જતો હતો. ત્રિકાળવંદના માટે સુવર્ણજવે સિવાય રાજ લક્ષમીને સ્પર્શ ન કરનાર મગધરાજનું જીવન જ રાજ શેતરંજના ખેલાડીઓને ભારે પડવા લાગ્યું. સાપ ઘરડો થાય એટલે કંઈ એના દાંત નિર્વિષ થતા નથી !
મગધરાજ વિરુદ્ધ એક નવો દાવ રચાયે જતો હતો.
27
સોનીનો શો દોષ ?
રાજગૃહીને આંગણે આજે ધખધખતી ગ્રીષ્મ આવી હતી. સૂરજ સોળે કળાએ નિર્દય થઈ તપતો હતો; આમ્રઘટાઓમાં છુપાઈને ગાતા કોકિલો ખીલી ઊડ્યા હતા.
વાવંટોળો આકાશને ભરી દેતા હતા, ને વાયુ ગરમાગરમ થઈને પૃથ્વીને આકુળવ્યાકુળ બનાવી રહ્યો હતો.
ઘણે વર્ષે મેતારજ મુનિ રાજગૃહીને આંગણે આવતા હતા, પણ મુનિ તો વનવગડાના રહેનાર. મધ્યાહ્ન એકાદ વખત પાસેના ગામ-નગરમાં ગૌચરી માટે આવનાર-જનાર ! રાજગૃહી પાસેના ઉદ્યાનમાં ઊતરેલા મેતારજ મુનિ માસના ઉપવાસ પછી ભિક્ષાનું માટે આજે રાજગૃહીમાં પધારતા હતા.
ગામલોક ભોજન પૂર્ણ કરી રહેવા આવ્યા હતા. એવે વખતે મેતારજ મુનિ ભિક્ષાર્થે રાજગૃહીના ઘરે ઘરે ફરવા લાગ્યા. ફૂલ ઉપર ભમરો બેસે, ફૂલનો લેશમાત્ર ઈજા ન કરે અને રસ ચૂસી વિદાય થાય, એવી રીતે ભિક્ષા લેવાનો મુનિધર્મ હતો ! રસ-વિરસમાં એમને કંઈ રસ ન હતો. મુનિરાજ ફરતા ફરતા એક સુવર્ણકારને બારણે જઈ ઊભા.
સુવર્ણકાર મગધનો સુપ્રસિદ્ધ શિલ્પી હતી. રાજાજીનો માનીતો હતો. એના બનાવેલા સુવર્ણજવ મહારાજા ત્રિકાળ પૂજા માટે વાપરતા. રાજાજીનો સુવર્ણકાર , એટલે મુનિરાજોથી પણ સુપરિચિત. એણે મુનિજીને વંદના કરી, અને ભિક્ષાન લેવા ઘરમાં ગયો. મુનિરાજ આંગણામાં જ ઊભા રહ્યા.
સુવર્ણકારે પ્રેમપૂર્વક ભિક્ષા આપી. ભિક્ષાન વહોરીને ધર્મલાભ આપી મુનિરાજ પાછા ફર્યા. સુવર્ણકાર હાથ
212 | સંસારસેતુ
Page #116
--------------------------------------------------------------------------
________________
વગેરે સાફ કરી કામ ઉપર બેસવા જાય છે, ત્યાં તો સુવર્ણ-જવ અદૃશ્ય ! સુવર્ણકાર એકદમ આશ્ચર્યચકિત બની ગયો. આ સુવર્ણજવ કોણ લઈ જાય ?
એક ક્ષણ તો એ વિચારમાં પડી ગયો. એનું દિલ કોઈને ગુનેગાર માનવા તૈયાર નહોતું; કદાચ ડાબે હાથે ઉઠાવીને ક્યાંય મૂક્યા હોય ! ઘણી તપાસ કરી પણ કશું ન જવું. હવે શું ? નવું સોનું ક્યાંથી આણવું ? અને ન આણી શકાય તો જીવ શી રીતે બની શકે ? સોનું કદાચ ઉધાર લાવી શકાય, પણ વખતસર જવા તૈયાર કઈ રીતે થાય ! અને એમ ન થાય તો રાજાજીના સેવકો સીધું કારાગૃહ જ બતાવે !
એ મૂંઝવણમાં એને યાદ આવ્યું : અરે પેલો સાધુ ! હું અંદર ગયો ત્યારે એ બહાર જ ખડો હતો. માયા દેખી મુનિવર ચળે ! કંઈ બધા સરખા હોય છે ? ચાલ, તપાસ તો કરું ! રાજદેવડીએ જઈ ખબર આપું ! એ ધુતારાને પકડાવી દઉં !
સુવર્ણકાર એકદમ ઊભો થયો. એ તૈયાર થઈ બહાર નીકળ્યો, પણ એને કંઈ યાદ આવતું હોય તેમ લાગ્યું. અને એણે રાજ દેવડીનો માર્ગ બદલ્યો. એણે મુનિનો રાહ પકડ્યો.
એને વિચાર આવ્યો હતો કે આવા પ્રસંગે એક મુનિ વિરુદ્ધ રાજ દેવડીએ મારી દાદ કોઈ નહિ સાંભળે. એને ખબર પણ હતી કે આવા આંતરયુદ્ધમાં કોઈને આવી માથાકૂટમાં પડવાની ફુરસદ નથી. રાજાજીના સેવકો પોતાની જ લુચ્ચાઈ કલ્પી લે.
વિકલ્પોની પરંપરા વચ્ચે એણે વિચાર કર્યો કે આ કરતાં પેલા મુનિની હું જ ખબર લઈ નાખું. લેશ દમદાટી, જરા ધાકધમકી આપું. ધુતારો પારકું ધન ક્યાં સુધી જીરવી શકવાનો છે ?
દૂર દૂર દેવવિમાનપ્રાસાદના શિખર પરના સુવર્ણમયૂર ફૂદડી ફરતા દેખાતા હતા. આ શેરી, આ રાજ માર્ગ ને આ ધૂળ-બધું મુનિરાજને સુપરિચિત હતું. તેઓ બધાને પિછાણતા હતા. તેમને પિછાણી શકનાર દુર્લભ હતા.
તેઓને ઝટ પિછાણી શકાય તેમ પણ નહોતું. તપથી શ્યામ પડી ગયેલો દેહ ને ત્યાગથી કૃશ થયેલું શરીર ! સુવર્ણકાર દોડ્યો આવતો હતો. મુનિરાજ તો નીચી નજરે નગર બહાર જઈ રહ્યા હતા. અડધે રસ્તે જતાં એ પહોંચી વળ્યો. મુનિરાજને વિનંતી કહ્યું :
“મુનિજી, મારે કામ છે. ઘેર પધારો !” “મને વિલંબ થાય છે.”
ભલે થાય, તમારે આવવું જ પડશે.” સુવર્ણકારોના દિલમાં મુદ્દામાલ સાથે ચોરને પકડી લઉં, એવી ઇચ્છા હતી. એણે દમદાટી આપી. લાલ આંખ બતાવી. સરળપરિણામી મુનિરાજ પાછા વળ્યા. આગળ મુનિરાજ ને પાછળ સુવર્ણકાર !
ઘેર પહોંચતાંની સાથે જ એણે મુનિરાજને કહ્યું : “મહારાજ , મારું સોનું આપી દો !”
સોનું ?” મુનિરાજ આટલું બોલીને જાણે કંઈક યાદ આવતું હોય તેમ સ્તબ્ધ બની ઊભા રહ્યા. સુવર્ણકારને ખાતરી થઈ કે નક્કી આ જ ચોર ! સાધુના વેશમાં પાકો શઠ !
મુનિરાજ તો શાન્ત ઊભા, વિચારી રહ્યા. એમને યાદ આવી રહ્યું કે સુવર્ણકાર જ્યારે અંદર ગયો ત્યારે પાસે બેઠેલું એક કૌંચ પણી ભૂલથી એ સુવર્ણજવને સાચા જવ માની ચણી ગયું હતું. હવે શું કરવું ? નામ દેતાં સુવર્ણકાર પક્ષીને નહિ જ છોડે, એને મારી નાખશે. ત્યારે જૂઠું બોલવું ? એ કેમ બને ? એમને વર્ષો પહેલાંની એક વાત યાદ આવી.
અભયકુમાર સાથેનો એ ચર્ચા પ્રસંગ હતો. ચર્ચા ચાલતાં પોતે કહેલું :
જ્ઞાતપુત્રનો ઉપદેશ પચાવવો સહેલ નથી. મારા વિચાર અને આચારમાં સરખું સામર્થ્ય હોય એમ મને નથી લાગતું. વિચાર અને આચારમાં ઘણો ભેદ છે, છતાં ખાતરી રાખજો ! એક દહાડો જ્ઞાતપુત્રનો ઉપદેશ ચરિતાર્થ કરી બતાવીશ.”
અભયકુમારે ચર્ચા કરતાં એ વેળા કહેલું :
વા મેતાર્ય, એક ચર્ચા તમને કહેવાની રહી ગઈ. અમારે હમણાં વાદવિવાદ ચાલ્યો હતો. એકે કહ્યું કે સત્યને અહિંસામાં પણ વેળા-કવેળા જોવાની ! ધારો કે એક મૃગલું આપણી પાસેથી પસાર થયું. એને જતુ જોનાર આપણા સિવાય અન્ય કોઈ ત્યાં નથી. પાછળ જ એક કૂર પારધી આવીને પ્રશ્ન કરે કે મૃગલું જોયું ? હવે આપણે શું કરવું ? સ્થિતિ વિચિત્ર છે. સત્ય કહો તો હિંસા થાય છે, ખોટું કહો તો સત્ય હણાય છે. મૌન સેવો તો પેલો તમારો ઘાત કરે છે. ત્રણમાંથી શું કરવું ? મેતાર્ય, આ ચર્ચા ખૂબ રસભરી નીવડી. બોલો, તમે શો જવાબ આપો છો ?”
એ વેળા પોતે જ અભયકુમારને ઉત્તર વાળેલો :
જીવને સાટે પ્રતિજ્ઞા પાળવી. શિકારીને સમજાવવો, ન માને તો પ્રાણનું પણ બલિદાન આપી પ્રતિજ્ઞા જાળવવી."
અભયકુમારે વળતો જવાબ આપતાં કહેલું :
“શાબાશ, મેતાર્ય ! તમારી ભાવના બરાબર છે. પણ ભલા, કોઈ એમ પણ કહે કે હરણ જેવા શુદ્ર પ્રાણી ખાતર મહા પરાક્રમી માણસે શા માટે મરી ફીટવું ?”
એ વેળા પોતે જ ગર્વપૂર્વક કહેલું :
સત્યશીલ અને અહિંસાપાલકને મન કીડી અને કુંજર બધાંય સરખાં છે. આત્મા તો વળી નાનો-મોટો નથી. અને એ રીતે સત્ય અને અહિંસાની વેદી પર
સોનીનો શો દોષ ? n 215
214 3 સંસારસેતુ
Page #117
--------------------------------------------------------------------------
________________
આપેલું બલિદાન વ્યર્થ જતું નથી. એ મૂક બલિદાનને વાચા આવે છે ને જુગ જુગ સુધી એવા હજારો શિકારીઓનું કલ્યાણ કરે છે. મરનારને શ્રદ્ધા જોઈએ.”
એ ચર્ચાને તો વર્ષો વીત્યાં. એ વાત ચરિતાર્થ કરી બતાવવાનો પ્રસંગ આજે આવ્યો. આત્મસમર્પણ ! બલિદાન ! માનવી ખાતર બલિદાન આપનાર વિરૂપાઓ તો સંસારમાં છે, પણ પશુપક્ષી માટે પણ બલિદાન અપાય, તો પ્રભુ મહાવીરનો અહિંસાનો ઉપદેશ સાચો અમલમાં આવે ! જીવમાત્ર સમાન !
મુનિરાજની ભાવના વધતી જતી હતી.
‘આત્મવત્ સર્વભૂતેષુ' એ સંદેશ આ જીવન-બલિ દ્વારા સધાશે ! નષ્ટ થનારો આ જીવનથી પણ કંઈક સાધી શકાય, તો કેટલો લાભ ? કોનો આ દેહ ? કોની આ દુનિયા ?
મુનિરાજ સ્તબ્ધ ખડા રહ્યા. ન બોલ્યા કે ન ચાલ્યા. સુવર્ણકારનો ક્રોધ ઉગ્ર બની રહ્યો હતો. એણે બેચાર વાર પ્રશ્ન કર્યા, પણ કંઈ જવાબ ન મળ્યો.
અને જેમ જવાબ ન મળતો ગયો, એમ એમ ભૂખ્યા વાઘની જેમ સુવર્ણકારના મિજાજનો પારો વધતો ચાલ્યો. એણે મુનિની જડતી લીધી. પણ ત્યાં સુવર્ણજવ ક્યાંથી હોય ?
“નક્કી ક્યાંય છુપાવી દીધા ! કેવો કાબેલ ! ખરો મુનિવેશ ધાર્યો છે ! વારુ, ચાલ, તને પણ ઠીક ઠીક શિક્ષા કરે. ભવિષ્યમાંય યાદ રહે કે પારકું ધન કેમ ચોરાય
ઝીણી રેખા ફરકી. છતાં એ ધ્રુજારી ક્ષણિક હતી. ફરી મુનિરાજ સ્વસ્થ થઈ ગયા. બિડાયેલું મોં દઢ બન્યું, પણ હવે તો જ ડબાં નીચેય જાણે ધરતીકંપના આંચકા લાગતા હોય એમ ચળભળતાં હતાં.
આવી ઘોર વેદનાની વેળાએ મુનિરાજ વિચારતા હતા :
“બિચારા સોનીનો શો દોષ ? એને રાજભય છે. એને મન એ સાચો છે. મારા પર હિતબુદ્ધિથી - મને લુચ્ચાઈના માર્ગેથી વાળવાના નિમિત્તે આ કામ કરી રહ્યો છે. અને પેલા પંખીનો પણ શો દોષ ! એ તો ભૂલથી અખાદ્ય ખાઈ ગયું. એના પેટમાં ચૂંક આવતી હશે. એનું નામ દઈશ તો હજાર વાતેય આ સોની એનો ઘાત કરતો નહિ અટકે ! ભલે ત્યારે એ બિચારું સુખી થતું !' | મુનિ શાન્ત ઊભા હતા, પણ એમનું મનોમંથન પૂર્ણિમાની ચાંદની જોઈ સાગર ભરતીએ ચડે એમ ઉછરંગ ધરી રહ્યું હતું
સુવર્ણકાર પાસે પડેલું વાધર લીધું. એને પાણીમાં ભીંજાવી જેટલું પહોળું થઈ શકે તેટલું પહોળું કર્યું.
મુનિરાજ શાંત નયને બધું નીરખી રહ્યા હતા. સુવર્ણકાર વાધર લઈ પાસે આવ્યો ને કચકચાવીને માથે બાંધતો બોલ્યો :
ચાલાક ચોર, આજે તને એવી શિક્ષા કરું કે તું જીવનભર ખો ભૂલી જાય ! કેવો મીઢો ! જાણે જબાન જ નથી ! જોઉં છું કે હવે બોલે છે કે નહિ !”
ગ્રીષ્મના મધ્યાહ્નનો સૂર્ય નિર્દય રીતે તપી રહ્યો હતો. લીલું વાધર સુકાવા લાગ્યું. તપથી કૃશ થયેલી કાયાવાળા મુનિરાજને લાગ્યું કે કોઈ મહી અજગર પોતાના મસ્તકને ભરડો લઈ રહ્યો છે. હમણાં હાડકાં ને અસ્થિનું ચૂર્ણ કરી નાખશે.
મસ્તિકમાં વીજળીના કડાકા ને વેદનાના અસહ્ય તણખા ઝગવા લાગ્યા હતા. નિર્બળ કાયા ત્રાસથી ધ્રૂજી ઊઠી.
સુવર્ણકારને લાગ્યું કે હવે શિક્ષાની અસર થઈ રહી છે. એના મોં પર હાસ્યની
2163 સંસારસેતુ
સોનીનો શો દોષ ? n 217
Page #118
--------------------------------------------------------------------------
________________
28
અર્પણ
જલતી ભઠ્ઠી પર શેકાતા માનવીથીય વધુ ભયાનક વેદના ! ધરતીકંપના આંચકા ને લાવાનો પ્રચંડ તાપ એમાં હતો ! જ્ઞાનતંતુઓથી જ માનવી વેદના પિછાણે છે ને ! એના પર જ સીધેસીધો અત્યાચાર ! આ વેદનાનું એકમાત્ર પરિણામ-મૃત્યુ !
મૃત્યુ ! એક પોતાના આદર્શને અણિશુદ્ધ રાખવા પાછળ મૃત્યુ ! અરે, મૃત્યુ આટલું પ્રિય બનીને ક્યારે આવે છે ? આ તો જીવનસાફલ્યની સુંદર ઘડી ! આજે તો જીવનમાં બધાં સરવાળાબાદબાકી અહીં જ થઈ જવાનાં !
ધન્ય ઘડી !
મુનિરાજ ધીરે ધીરે વધતી જતી વેદનાને વીસરતા જતા હતા. એમની વિચારશ્રેણી અંદર ને અંદર ઊતરતી જતી. તેઓને જ્ઞાતપુત્રે આપેલું એક દૃષ્ટાંત યાદ આવી રહ્યું હતું.
સાતપુત્રે કહેલું : “હે શિષ્યો, આ શરીર વિજય ચોરના જેવું છે, ને આત્મા ધન્ય સાર્થવાહ સમો છે. તેની વાત નીચે પ્રમાણે છે :
વિજય નામનો એક ભયંકર ચોર હતો. એણે એક વાર ધન્ય સાર્થવાહના એકના એક પુત્રને હણી નાખ્યો ને તેના અલંકારો લૂંટી લીધા. સાર્થવાહે રાજદરબારમાં ફરિયાદ કરી. કુશળ રાજસેવકોએ વિજય ચોરને પકડીને કારાગૃહમાં પૂર્યો.
“ભાગ્યયોગે થોડા દિવસો વીત્યા બાદ ધન્ય શેઠ પર કંઈ આરોપ આવ્યો. ને તેમને પણ રાજાએ વિજય ચોરની સાથે એક જ હેડમાં બાંધી કારાગૃહમાં પૂરવાનો હુકમ આપ્યો. અહીં ધન્ય સાર્થવાહ માટે સારાં સારાં ખાઘ આવતાં. વિજય ચોરને
સૂકોલૂખો રોટલો મળતો. પોતાના પુત્રનો આ હત્યારો છે, એમ કલ્પીને સાર્થવાહ એને કંઈ ન આપતાં બધું પોતે જ ખાતો, અથવા ખાતાં જે વધતું તે ફેંકી દેતો.”
ભોજન બાદ ધન્ય સાર્થવાહને શૌચાદિ જવા માટે ઇચ્છા થઈ. છતાં તે એકલો હાલી-ચાલી શકે તેમ નહોતો. તેમ કરવા જતાં તેને અત્યંત વેદના થતી. આખરે તેણે વિજય ચોરને પોતાની અનુકૂળતા માટે સાથે સાથે ચાલવા કહ્યું. તેણે કહ્યું : “મારું માન રાખે તો તારું માન રાખું. તારા ભોજનમાં મને ભાગ આપ. આહાર વગર રહી શકાય, નિહાર વગર કેમ ચાલે ?” આખરે શેઠે ચોરની શરતો કબૂલ કરી. એને પોતાના માટે આવતા ભોજનમાંથી અડધું ખાવાનું આપવાનું વચન આપીને રાજી કર્યો.”
પોતાના પ્રાણપ્રિય પુત્રના ઘાતકને પોતાનો જ પતિ રોજ ખાવા આપે એ વાત ધન્ય સાર્થવાહની પત્નીને ન રુચી, ધન્ય સાર્થવાહ છૂટીને ઘેર આવ્યો ત્યારે પત્નીએ એ બાબત ફરિયાદ કરી : “હે નાથ ! આપણા પુત્રના ઘાતક વિજય ચોરને તમે ખવરાવતા તેથી મને ખોટું લાગ્યું છે.'
શેઠે ખુલાસો કરતાં કહ્યું : “હે પ્રિયે, હું અને તે એક જ હેડમાં બંધાયેલા હોવાથી મેં જો તેને ખાવા ન આપ્યું હોત તો મારું શરીર ન સચવાત, હું જીવતો ઘેર પણ ન આવત.''
આ પ્રમાણે દૃષ્ટાંત આપીને જ્ઞાતપુત્રે કહેલું : “વિજય ચોર તે શરીર અને ધન્ય સાર્થવાહ તે આત્મા, વિજય ચોર ધન્ય સાર્થવાહનો કાર્યસાધક હતો, તે માટે તેને ખવરાવેલું. આ પ્રમાણે આ શરીર સંયમ, અહિંસા, સત્ય, ત્યાગ ને તપ વગેરેની સાધના માટે અનિવાર્ય કારણભૂત છે, માટે જ તેને સાચવવું - જાળવવું. જો તેમ ન થતું હોય તો પછી સાચવ્યાનો કંઈ અર્થ નથી.
મહામુનિ મેતારજ વિચારી રહ્યા હતા : આજે એ સાધના માટે જ આ શરીર છૂટે છે. પછી શા માટે મોહ રાખવો ? મોતની આ સુંદર ઘડી શા માટે જવા દેવી ?
મસ્તકની પીડા વધવા લાગી. એક એક માસનું અપવાસી શરીર ઝાઝી ટક્કર ઝીલી શકે તેમ નહોતું : પણ અંદર વસેલો મહાન આત્મા સ્થિર હતો - એ વેદનાની એકે કિકિયારી ન પાડતો.
સુવર્ણકાર ગુનેગારની મજા જોઈ રહ્યો હતો. એને ભાવી પરિણામની કલ્પના ન હતી. એ કલ્પી રહ્યો હતો. કે ધુતારો ઘડી બે ઘડીમાં વેદનાથી ત્રાસીને પગે પડી ગુનો કબૂલ કરી લેશે.
એને જાણ નહોતી કે ગુનો કબૂલનાર તો અંતરીક્ષની કોઈ સૃષ્ટિમાં સરતો જતો હતો; દેહની અનિત્યતા, વાસનાની સંતપ્તતા, સર્વ જીવસમભાવ, કરુણા -
અર્પણ D 219
0 લાકડાનાં બે પાટિયાં : જેમાં ગુનેગારના હાથપગને નાખી બાંધવામાં આવે છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
એવી ભાવનાઓ ભાવતો હતો.
મુનિ અંતરમાં ને અંતરમાં સર્વ જીવોની ક્ષમાયાચના કરી રહ્યા હતા. એ વિચારતા હતા : “સુવર્ણકાર તો મારો પરમ ઉપકારી છે. એણે જ મારા આત્માની અનંતશક્તિનું મને ભાન કરાવ્યું. મારે કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર પણ નથી. સર્વ જીવો-કીડીથી લઈને કુંજર રંકથી લઈને રાય બધા સમાન છે. બધામાં મારા જેવો જ એકસરખો આત્મા વસી રહ્યો છે. એ દરેકના કલ્યાણની ભાવના ભાવવી એ મારી ફરજ છે.
વિજય ચોરની જેમ આ દેહને ખૂબખૂબ પોપ્યો, અને તોય સહેજ ઓછું મળતાં કેવો દૂબળો થઈ ગયો ! એવા દેહના મમત્વથી શું સર્યું ! આ દેહ મારો નથી. હું તો અનંત છું, અમર છું, મારો સ્વભાવ ચિદાનંદનો છે. આ વેદના, આ દુઃખ, આ સંતાપ, મારાથી ક્યાંય દૂર છે. એ તો પૂર્વકર્મની જલતી ભઠ્ઠી છે, હમણાં જ બુઝાઈ જશે. આ તો અગ્નિપરીક્ષા છે.
મને સિદ્ધોનું શરણ હજો ! અરિહંતોની મને યાદ હજો !
खामेमि सब्बजीव, सव्वे जीवाः खमन्तु मे ।
સર્વ જીવો મને ક્ષમા આપો ! હું સર્વને ક્ષમા આપું છું.”
વેદનાની ચરમ સીમા આવી હતી. અને બીજી તરફ વિચારની પણ શ્રેણી ઉત્તમ હદે પહોંચી હતી. એકાએક મુનિરાજના દિલમાં ઝળહળાટ થયો. આખું જગત જાણે પ્રત્યક્ષ થયું.
દેહની હાલત તો અકથ્ય હતી. આંખોના બે ડોળા બહાર નીકળી પડ્યા હતા, ને હોઠ તૂટેલી સારંગીના તારની જેમ ધ્રૂજતા હતા : પણ એ નેત્રહીનતા જ એમને ત્રણ લોકનો પ્રકાશ આપી રહી હતી.
સર્વોત્કૃષ્ટ જ્ઞાન એમને પ્રકાશ્યું. સાધકોની ભવોભવની પ્રાર્થનાનું અંતિમ મુનિરાજે વાતવાતમાં મેળવી લીધું. જેની મહામુનિ અભયને વાંછા હતી, ગણધરશ્રેષ્ઠ ગૌતમ જે માટે જ્ઞાતપુત્રના પાદપદ્મ સેવી રહ્યા હતા, એ મુનિ મેતારજ સ્વયં પામી ચૂક્યા હતા. અર્થ-કામના પરમ ઉપાસકને મોક્ષ હાથવેંતમાં હતો.
એક અલૌકિક હાસ્યની રેખા એમના મુખ પર તરવરી રહી, અને જીર્ણ-શીર્ણ દેહ પૃથ્વી પર ઢળી પડ્યો.
ઢોંગીને ઢંઢોળવા સુવર્ણકાર આગળ આવ્યો, પણ સ્પર્શ કરે છે તો શરીર ઠંડું હિમ ! મુનિરાજનો આત્મા દેહોત્સર્ગ કરી ગયો હતો.
શું મૃત્યુ !
220 D સંસારસેતુ
ના, ખુન !
સુવર્ણકારના દિલમાં પડઘા પડવા લાગ્યા.
ખૂનની શિક્ષા ! મગધરાજનો ન્યાય ! ક્યાં ચાલ્યો જાઉં ? નાસી છૂટું ? સંતાઈ જાઉં ? ક્યાં જાઉં ? આકાશ કે પાતાળમાં પેસી જાઉં તોય મગધનો રાજદંડ મને નહિ છોડે ! એક સાધુનું ખૂન !
સુવર્ણકાર ધ્રૂજી ઊઠ્યો. અચાનક કંઈ જોરથી પછડાયું. એક સ્ત્રી કાષ્ઠનો ભારો નાખતી હતી. એના અવાજથી પાસે બેઠેલું કૌંચ પક્ષી ચમકી ગયું, ભયમાં ચરકી પડ્યું.
અરે ! આ ચરકમાં શું ઝગઝગે છે ? સુવર્ણકારની નજર ત્યાં પડી. અરે ! આ તો સુવર્ણજવ ? શું કૌંચ ચરી ગયેલું ?
સુવર્ણકાર ક્ષણમાત્રમાં ન્યાયાધીશ મટી ખુદ ગુનેગાર બન્યો. અરે ! વા વાતો લઈ ચાલ્યો છે. રાજાજીના સેવકો આવતા જ હશે. હવે શું થાય ?
એકાએક એને કંઈ સૂઝી આવ્યું. એણે ઝટઝટ અલંકારોનો ત્યાગ કર્યો, એક વસ્ત્ર શરીરે વીંટી લીધું. મુનિનો દંડ અને પાત્ર હાથમાં લઈ મુનિ બની ચાલી નીકળ્યો.
લોકોનાં ટોળાં જમા થઈ રહ્યાં હતાં. કોઈ તીક્ષ્ણ દૃષ્ટિવાળાએ પરખી લીધું. ‘અરે, આ તો નગરશ્રેષ્ઠી મેતારજે !'
“શું મગધરાજના જામાતા ?
‘મહામુનિ મેતારજ !'
ક્ષણભરમાં બધે સંદેશ ફરી વળ્યો. દેવવિમાનપ્રાસાદની સુંદરીઓ દોડી આવી.
મગધરાજ આવ્યા.
દેવવિમાનપ્રાસાદની સુંદરીઓને આશા હતી કે ક્ષણિક વૈરાગ્યભાવનાને બળે આવી સુંદર સુખદ સૃષ્ટિ તજી જનાર રાતદહાડો ભોગમાં રચ્યાપચ્યા રહેનાર પ્રીતમ, મહામુનિ અભયના લઘુબંધુ નદીષેણની* જેમ પુનઃ મોહમાયાના પ્રેર્યા પાછા આવશે. આઠે સુંદરીઓ સદોદિત રાહ જોતી બેસી રહેતી : થાકેલો, કંટાળેલો પ્રીતમ આજે આવશે કે કાલે ! એ વેળા આઠે માનુનીઓએ સંકેત રચી રાખ્યો હતો કે પ્રીતમને ઠીકઠીક પજવવો !
પણ દિવસો વીત્યા તોય પ્રીતમ પાછો ન આવ્યો. ન ખબરઅંતર મળ્યા. એમના મંદીરંગ, મંદારમાલાઓ, ગંધ, માલ્ય ને વિલેપનો એમ ને એમ નિરર્થક થતાં
એ કાળના એક સાધુ અને મગધરાજના પુત્ર. દીક્ષા લેવા માટે બધાએ ના પાડી છતાં દીક્ષા લીધી ને પછી એક રૂપવતીમાં મોહાયા. આખરે એ મોહપાશ તોડી તેઓ સાચા સાધુ થયા.
અર્પણ I 121
Page #120
--------------------------------------------------------------------------
________________
20
સંસારસેતુ
રહ્યાં. દાસીઓ વધામણીના મોતીસર લેવા રોજ ઉત્સુક રહેતી.
ને વધામણી આવી ત્યારે કેવી ? બધી ચોધાર આંસુએ ૨ડવા લાગી. તેમને સાંત્વન આપતાં મગધરાજે કહ્યું :
- “પુત્રીઓ, વ્યર્થ શોક કરશો મા ! એમના મુખ પરનું અલૌકિક હાસ્ય તો નીરખો ! ઘોડે ચડી તમને વરવા આવ્યો ત્યારે આવો ઉમંગ એના મુખે નહોતો. એ તો તરી ગયો.” અને મગધરાજ પોતાની પુત્રી સુવર્ણા પાસે ગયા. તેના માથે હાથ મૂક્યો ને કહ્યું :
- “ક્ષત્રિયની પુત્રી ૨૩ ? એનો પતિ રણમાં રોળાય તો, એ તો અમર સૌભાગ્ય પામે, પુત્રી, તારો પતિ તો સામાન્ય રણમાં રોળાયો નથી, જે યુદ્ધમાં ભલભલા યોદ્ધાઓ હારી જાય છે – અરે , જે યુદ્ધમાં તારા આ વૃદ્ધ પિતાએ હાર ખાધી છે - - એમાં એ જીતી ગયો છે.”
મગધરાજનું દિલ આ શબ્દો બોલતું હતું. તેઓએ અનુક્રમે બધી સુંદરીઓની પીઠ પર હાથ મૂકી પંપાળતાં કહ્યું :
જાઓ, શોક તજી દો ! આવાં મૃત્યુ કંઈ ૨ડવાને યોગ્ય નથી. આજે તો ખુદ મૃત્યુનું મૃત્યુ થયું છે. સાતપુત્રની જીવદયા આવી કોણ જીવી બતાવશે ?'
સેવકોએ ગુનેગારને પકડી આણ્યો. મગધરાજે મુનિ મેતારાજના જીવનની પ્રશંસા કરતાં કહ્યું :
“એણે તો ચારે પુરુષાર્થ સાધ્યા. એવા જ્વલંત જીવનની પાછળ એના કારણે શિલા ન હોય. જે વેશથી મેતારજ સંસારસાગર તરી ગયા, એ વેશને એનો પાપી દેહ અપનાવી ભલે પવિત્ર બને. ભલે સાચો પશ્ચાત્તાપ સુવર્ણકારને સાચો સાધુ બનાવે !"
સુવર્ણકાર મુક્ત બન્યો. રાજ ગૃહી નગરીએ સાચા જીવનસાફલ્યને એ દહાડે પ્રત્યક્ષ કર્યું. અનેકોને તાર્યા.
જીવન કરતાં મૃત્યુથી મેતારજ દુનિયાને મહામૂલો બોધપાઠ આપી ગયા. ‘મહાતપોપતીરની પાસે વિરૂપા ને શેઠાણીની સમાધિઓ પાસે, મુનિ મેતારજને અગ્નિ દેવાયો.
એ અગ્નિ અલૌકિક હતો. એના પ્રતાપે ઘણાય માનવીઓને પવિત્ર બનાવ્યા.
વર્ષાનાં વાદળો ઘેરાં બન્યાં હતાં. કુદરતે લીલો સાબુ પહેરી નૃત્ય આરંભ્ય હતું. મત્તમયૂરો રાજ ગૃહીની પાસે આવેલા ચૈત્ય પર બેસી અંતરીક્ષમાં ઊભેલા કોઈ પોતાના પ્રિયજનને આમંત્રી રહ્યા હતા.
એ વેળા આ ચૈત્યમાં ચાતુર્માસ માટે રહેલા એક શિષ્ય ગુરુને પ્રશ્ન કર્યો : પ્રભુ, પેલા મહાતપોપતીને કાંઠે કોની સમાધિઓ છે ?”
હે શિષ્ય ! માનવજીવનને સફળ કરનાર માનવીઓની છે. એક ધન્યજીવના મેતરાણી વિરૂપાની છે, બીજી પરોપકારનો ગુણ જાણનાર રાજગૃહીનાં શેઠાણી દેવશ્રીની છે ને ત્રીજી જેમણે ચાર પુરુષાર્થ સાધ્યા, એવા મહામુનિ મેતારજની છે. એમની જીવનકથાઓ મગધપ્રસિદ્ધ છે.*
ગુરુદેવ ! મહામુનિ મેતારજને મારનાર સુવર્ણ કારને મગધરાજે કંઈ પણ શિક્ષા કેમ ન કરી ?”
“શિયા ? શિક્ષા કરતાં અમાથી ગુનેગારને સાચો પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપની મહત્તાને તું પિછાણતો નથી ? એના સાક્ષાત્ દૃષ્ટાંતસ્વરૂપ મહામુનિ રોહિણયને શું તું નથી જાણતો ?”
“જાણું છું, ગુરુદેવ ! હાલમાં તેઓ ક્યાં છે ?"
વૈભારની ગિરિકંદરાઓમાં એ છેલ્લી ક્ષણો તપ-જપમાં વિતાવી રહ્યા છે. મહામુનિ અભય પણ તેટલામાં જ છે.”
“દયાનિધિ ! યુવરાજ અભયની દીક્ષા જોઈને વયોવૃદ્ધ મગધરાજને શું કંઈ વૈરાગ્ય નહિ આવ્યો હોય ?”
“માણસમાત્ર કર્માધીન છે."
222 D સંસારસેતુ
Page #121
--------------------------------------------------------------------------
________________
“સંસારસેતુ જ્ઞાતપુત્રના પરમ શ્રાવક પણ ?"
કર્મને કોઈ મિથ્યા કરી શકતું નથી. ભવોભવનો પુરુષાર્થ એ માટે જોઈએ. મગધરાજે આત્મહત્યા કરી છે.”
“ગુરુજી, એ વિચિત્ર વૃત્તાન્ત મને કહો.”
ગઈકાલના આ વર્તમાન મગધરાજે સ્વમાનભંગના ભયથી આત્મહત્યા કરી લીધી.”
સ્વમાનભંગ ?"
હા, અતિ વૃદ્ધ થવા છતાં રાજ ગાદી ન તજવાથી યુવરાજ કુણિકે તેમને બંદીખાને નાખ્યા, અને રાજલોભમાં આટલેથી ન ધરાતા એ એકલવાયા વયોવૃદ્ધ રાજવીને રોજ સો સો ફટકા મારવા માંડ્યા. રાજ્યેશ્વરી સો નરકેશ્વરી તે આનું નામ ! સિંહાસન-લોભે પિતાપુત્રનો સંબંધ ભુલાવી દીધો. મગધરાજને સારાસારનું ભાન થયું. એ વેળા એ એમને એક જ સ્ત્રીને સહારો આપ્યો. અને તે રાણી ચેલ્લણાએ. કુણિક અન્ય કોઈને મળવા ન દેતો, પણ પરમ તપસ્વિની માતાને ના ન પાડી શક્યો. રાણી ચેલ્લણા સો વાર ગાળેલી સુરાથી કેશપાશ ભીંજવી, એનો અંબોડો વાળી, તેમાં કુલમાષનો પિંડ છુપાવીને લઈ જતાં. કેશમાંથી નિચોવીને સુરા પોતાં, કુલમાષનો પિંડ ખવરાવતાં.”
રાજાએ શું આ વેળા આત્મહત્યા કરી ?"
ના, ના, પ્રાણીનો આશાતંતુ દુર્નિવાર છે, પુત્રને શાણપણ આવશે એવી આશા પર નરકેસરી મગધરાજ મૃત્યુથીય ભયંકર જીવન વિતાવતા રહ્યા. એક દહાડો કુણિકને પતિવ્રતા રાણી ચેલ્લણાના સમજાવ્યાથી શાણપણ આવ્યું. એ પિતાને મુક્ત કરવા માટે દોડ્યો. પિતાની જંજીરો તોડવા હાથમાં કુહાડો લીધો, પણ મનની વાત કોણ જાણે છે ! મગધરાજ સમજ્યા કે પુત્ર ઘાત કરવા ધસ્યો આવે છે ! એના હાથે મરવા કરતાં શા માટે જાતે મૃત્યુ ન નોતરવું ! તેમણે હાથ પર રહેલ તાળપુટ વિષથી રસેલી મુદ્રિા મોંમાં મૂકી દીધી.”
“મહારાજ, પાપી કુણિકનું શું થશે ?”
એનું કલ્યાણ થશે. આ કાર્યનો પશ્ચાત્તાપ એના સમગ્ર જીવનને ઘેરી વળશે. એની યાદ એની નિદ્રા હણી લેશે. ખાનપાનમાંથી રુચિ હઠાવી લેશે. ભયંકર પીડાઓ ભોગવશે, ને એમાંથી એનો જીવનોત્કર્ષ રચાશે.”
અને મગધરાજના આત્માનું શું થશે ?'
“મગધરાજનો આત્મા પતનની ગર્તામાં નહિ ગબડે. એ કાળાંતરે તીર્થંકરપદ પામશે ને જીવનસાફલ્ય કરશે.”
ગુરુદેવ ! આવાં આવાં વિચિત્ર જીવનો જોઈ શંકા થાય છે કે માણસે શું ન કરવું. એક મહાચોર સ્વર્ગ પામે, અને એક મહારાજવી નરક પામે !''
શિષ્ય ! કર્તવ્યાકર્તવ્યના આ વિચિત્ર મહાસાગરમાં સંસારસેતુ રૂપ એક જ વાત યાદ રાખવી :
सच्चस्स आणाए उवढिओ मेहावी मारं तरई ।
એ વેળા ‘મહાતપોપતીર’ પાછળથી ઊંચે સાદે કોઈ ગાતું સંભળાયું. ગુરુશિષ્ય એ સાંભળી રહ્યો...
મેતારક મુનિવર. ધન ધન તુર્મ અવતાર. શમ દમ ગુણના આગરૂ જી, પંચમહાવ્રત ધાર, માસખમણને પારણેજી, રાજ ગૃહી નગરી મોઝાર. મે-૧ સોનીના ઘેર આવિયાજી, મેતારજ ઋષિરાય, જવલા ઘડતો ઉઠીઓ જી, વંદે મુનિના પાય, મે-૨ આજ ફળ્યો ઘર આંગણોજી, વિણ કાળે સહકાર, લો ભિક્ષા છે સૂઝતીજી, મોદકતણો એ આહાર, મે-૩ કૌચ જીવ જવલા ચણ્યોજી , વહોરી વળ્યા ઋષિરાય, સોની મન શંકા થઈજી, સાધુ તણાં એ કામ. મે-૪ રીસ કરીને ઋષિને કહેજી, દો જવલા મુજ આજ , વાધર શીર્ષ વીંટિયુંજી; તડકે રાખ્યા મુનિરાજ , મે -૫ ફટ ફટ ફૂટે હાડકાંજી , તટ તટ તૂટે રે ચામ, સોનીડે પરિસહ દિયોજી, મુનિ રાખ્યો મન ઠામ, મે-૬ એહવા પણ મોટા યતિજી, મન્ન ન આણે રોષ, આતમ નિંદે આપણોજી, સોનીનો શો દોષ ? મે-૭ એહવા ઋષિ સંભારતાંજી, મેતારજ ઋષિરાય, અંતગડ હુવા કવલીજી, વંદે મુનિના પાય, મે-૮ ભારી કાષ્ઠની સ્ત્રીએ તિહાંજી, લાવી નાખી તણિ વાર, ધબકે પંખી જાગિયોજી જવલા કાઢચા તિણિ સાર, મે-૯ દેખી જવલા વિષ્ટામાંજી મન લાજ્યો સોનાર, ઓધો મુહપરી સાધુનાજી લેઈ થયો અણગાર. મે-૧૦ આતમ તર્યો આપણોજી થિર કરી મન વચે કાય, રાજવિજય રંગે ભણેજી, સાધુતણી એ સજઝાય, મે-૧૧
સંસારસેતુ D 225
224 D સંસારસેતુ
Page #122
--------------------------------------------------------------------------
________________ ગુરુદેવ, સંસાર તેરવાના સેતુરૂપ મેતારજ મુનિવરના જીવનપ્રસંગને આવી મિષ્ટ રીતે કોણ ગાય છે ?" શિષ્ય પ્રશ્ન કર્યો. અનુભવી ગુરુએ કહ્યું : એ મંત્રસિદ્ધોનો રાજા માતંગ છે. ઘરબાર તજીને એ ફર્યા કરે છે. પોતાના પ્રિય પુત્રના ગુણગાન દસે દિશાએ ગજવતો ફરે છે.” એનું કલ્યાણ થશે ?" “જેના દિલમાં સદિચ્છાઓ સ્ફરતી હશે. ને સત્કાર્યની ઝંખના જેને સદોદિત સાવધ રાખતી હશે, એનું કદી અકલ્યાણ નહિ થાય.” સંપૂર્ણ વીર રોહિણેય પર રચેલી નાટિકા *પતિતપાવન' 226 D સંસારસેતુ