________________
સંસારસેતુ
સંસારસેતુ (બેક ટાઈટલ) જયભિખ્ખની નવલકથાઓમાં સંસારસેતુ આગવું સ્થાન ધરાવે છે. જયભિખુની અન્ય નવલ કથાઓ પૌરાણિક કે ઇતિહાસ પ્રસિદ્ધ કથાવસ્તુ પર આધારિત છે જ્યારે આ નવલકથાના કથાવસ્તુને એટલો ઐતિહાસિક આધાર નથી. માત્ર સજઝાયોમાં કે અન્યત્ર થોડીઘણી માહિતી મળે છે, પરંતુ લેખકના ચિત્તમાં મહર્ષિ મેતારજનું એવું આકર્ષણ જાગ્યું કે તેઓ આ નવલકથા સર્યા વિના રહી શક્યા નહીં. બીજી મહત્ત્વની બાબત એ છે કે અંત્યજ મુનિના તેજસ્વી જીવનને આમાં પ્રગટ કર્યું છે કે જે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થોને પોતાના જીવનમાં સંયમથી આચરનાર સંસારત્યાગની વૃત્તિ વારંવાર અનુભવે છે અને કમળ કેદમાં છુપાયેલા ભ્રમરની કેદ ખુલી જાય એ રીતે એમના હૃદયમાં જાગેલી વૈરાગ્યભાવનાને પરિણામે સંસારત્યાગ કરે છે અને તેઓ મહર્ષિ મેતાજ બનીને ચાલી નીકળે છે.
આ નવલકથામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની જન્મજાત મોટાઈને દૂર કરીને પંથ, પક્ષ અને જાતિ વગરની માણસની યોગ્યતાનું આલેખન કર્યું છે અને તેથી જ માનવીમાં રહેલા તમસ અને રજસ જેવા ગુણોને પાર કરીને સાત્ત્વિક માણસાઈનો સંદેશ આ નવલકથા આપે છે.
જયભિખ્ખ
શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ O૦૭