________________
શ્રદ્ધાથી ફળવતી બને છે. અર્થાત્ જે દેવ, ગુરુ ને ધર્મને તમે આચરવા તૈયાર છો, તેમાં તમારી દેવ, ગુરુ ને ધર્મ તરીકેની પૂર્ણ શ્રદ્ધા હોવી ઘટે.* એ દેવગુરુએ રજૂ કરેલાં તત્ત્વોમાં પૂર્ણ શ્રદ્ધા હોવી ઘટે. આ શ્રદ્ધા એટલે સમ્યકત્વ ! આવા સમ્યક્ત્વના ઉપાસક માટે મુખ્ય પાંચ વ્રત છે. આ પાંચ મહાવ્રત એટલે અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ ને બ્રહ્મચર્ય. આ પાંચ મહાવ્રતો સાધુ સાધ્વીએ પ્રાણના ભોગે પણ પાળવાનાં છે. ગૃહસ્થો જરૂરી લઈ શકે છે."
આટલું શ્રવણ કર્યા પછી સભા સમાપ્ત થઈ. રાજા-મહારાજાઓએ સંઘસ્થાપનાનો ઉત્સવ ઊજવ્યો. આ ઉત્સવના પડઘાઓ આર્યાવર્તના ખૂણે ખૂણે પડ્યા. નવક્રાન્તિના પ્રવર્તક જ્ઞાતપુત્રનો સંદેશ ઠેર ઠેર પ્રસરી વળ્યો.
16
મોહપાશ
સવસ્થાપનાની એ છડી સવારીએથી મગધરાજ પોતાના મંત્રી, સામંત ને સરદારો સાથે પુન: રાજગૃહી તરફ પાછા ફરતા હતા. રણોત્રોનો વિજયના જેવો આજના ધર્મવિજયનો આનંદ અપૂર્વ હતો. મહાપ્રભુએ મગધનાં જ બે મહારત્નોને શ્રાવક ને શ્રાવિકાપદે અંકિત કર્યો. પ્રભુએ જાણે આડકતરો આદેશ કર્યો હતો કે મગધના નાથે મહાધર્મનો પ્રચાર કરવો.
અને એ મહાધર્મના પ્રચારની અનેકાનેક શક્યતાઓ મગધને વરી હતી. ચલ્લણી ને નંદા જેમ રાણીઓ, અભય ને નાગથિક જેવા વિશ્વાસુ મંત્રીઓ, મેતાર્ય જેવા શ્રેષ્ઠીપુત્રો અને માતંગ-વિરૂપા જેવી સુંદર બેલડીઓ અહીં હતી. અનેક સુંદર વટવૃક્ષો પાંગરેલાં હતાં કે જેની છાયામાં બીજાં વટવૃક્ષોને પાંગરતાં વાર ન લાગે.
આખી સવારી વનપ્રદેશની શોભા નિહાળતી આગળ વધતી હતી. મગધરાજ જ્ઞાતપુત્રના નવસંદેશને, અહિંસા અને ત્યાગની ભાવનાને રાજ કીય વ્યવહારોમાં કેમ અંતર્ગત કરવી એની કલ્પનામાં મગ્ન હતા.
મગધરાજના ‘સેચનક' હસ્તીની પાછળ જ મહાઅમાત્ય અભય અને નગરશ્રેષ્ઠી મેતાર્યના પડછંદ અશ્વો હતા. મહાઅમાત્યના ચહેરા પર આછી વ્યગ્રતા હતી. સદા સ્વસ્થ ને શાન્ત દેખાતા મહાઅમાત્યના મુખ પરની આ ચિંતાની રેખાએ રેખાઓ પકડી શકાય તેમ પણ નહોતી.
“મંત્રીરાજ , કંઈક વિચારમાં લાગો છો." મેતાર્યે પોતાના અશ્વને જરા વધુ પાસે ચલાવતાં કહ્યું.
વિચાર ?” મહાઅમાત્યે ભારે દિલ ઉચ્ચાર્યું : “મેતાર્ય, વિચાર તો માનવમાત્રને સ્વાભાવિક છે. ચાહો, એ તો આવ્યા જ કરે ને !'
* या देवे देवताबुदिर्गुरो च गुरुतामतिः । धर्म च धर्मधी शुदा सम्यक्त्वभिदमुच्यते ।।
ત્યાગશાસ્ત્ર : હેમચંદ્રાચાર્ય.
132 સંસારસેતુ