Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
૪૯૦
જૈન કથા સંગ્રહ
ભાગ પહેલા
દોહા
ધર્મ કર્મની ચાતુકી, નીતિ વિવેક વિલાસ જો ચાહેા ઝટ શીખવા, તેા વાંચે આ ખાસ જૈન કથા સંગ્રહ ખરે, એકવાર વંચાય ઉત્તમ બેધ મળે નકકી, આનંદિત મન થાય
કતા ઘેલાભાઈ લીલાધર
( કત્તાએ સર્વ હક સધીન રાખ્યાછે. )
CD
ધિ આંગલા ઝુઇશ એન્ડ વરનેકયુલર પ્રેસમાં છાપ્યું છે.
સુબઈ
શંવત ૧૯૪૬---શને૧૮૯૦
કીમતા રૂષી
અ
Page #4
--------------------------------------------------------------------------
________________
#
##
અરપણુ પત્રીકા.
સકળ ગુણ સંપુર્ણ,
શેઠ લાલજી સામજી
#
**
આપ સાહેબ ધર્મની વૃદ્ધિ કરવામાં ગણાજ જ ઉત્સાહી છો; વિવાદાનમાં આપની ગણજ શ્રધ્ધા
છેકેળવણીના ઉતેજન કછો. આપ સાહેબને ધર્મ કાર્યમાં નમગ્ન રહી તેની સંવૃદ્ધિ કરવા સારૂ સદા પ્રયાસ કરો છો; તેમજ ઉદાર અને ધર્મ શીલ છે, પરોપગારી કામમાં ઉત્સાહી છે એ આદિ જ એક સદગુણી પુરૂષ તરીકેના તમાર-વિષે ઉત્તમ % ગુણ જઇને આ “જૈન કથા સંગ્રહ” નામનું રો. આ પુસ્તક માનપુર્વક આપને અરપણ કરૂં છું.
ઘેલાભાઈ લીલાધર
※欲改成次說下次次次次次次次次次次次次次次次次次次出
*
Page #5
--------------------------------------------------------------------------
________________
મંડળાયા શ્રીબાલચં
કાશી નિવાસી.
મહારા
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
જૈન ધર્માવલંબી ભાઈઓ ! આજ દીન સુધી જૈન ધર્મ સંબંધી કથાઓના પુસ્તકની મેટી ખુટ હતી, તે ઘણા ભાઈઓની ફરમાશથી તે ખુટ પુરી પાડવા “જિન કથા સંપ્રહ” નામનું પુસ્તક છપાવીને બહાર પાડયું છે. આ પુસ્તકની અંદર તપ, દાન, ભાવ, શીયાળા ચારીત્ર, વગેરેનું મહાત્મય ઘણી જ રસીલી અને મને રંજક (૫૫) કથાઓની અંદર પુર્ણ રીતે દર્શાવેલું છે; જેથી કરીને આ પુસ્તક ખરેખર એક શૃંગાર રૂપ છે.
ધનુ રાગી ભાઈએ વધારે ન લખનાં એટલું જ કહેવું બસ છેકે આ લધુ પુસ્તક મેં મારી બનતી મેહનતથી પુનું લક્ષ આપીયું છે, જેને માટે આશા છે કે દેરક સજજન આશ્રય આપ્યા વીના રહેશે નહીં.
આ પુસ્તકમાં કાંઈ અજું દોડામાં આવે તે સજજનોએ સુધારીને વાચવું અને ક્ષમા કરવી; કારણ કે કફ વગેરે તપાસતાં નજર દોષ અથવા બુદ્ધિ દેષ રહી ગયે હશે.
કર્તા ઘેલાભાઈ લીલાધર
Page #8
--------------------------------------------------------------------------
________________
જાહેર ખબર.
૦
૦
વેચાતા માતા લોક પ્રસિધ, અમારા તરફથી છપાયેલ પુસ્તક
૨. આ. પિ ૧ જન વિવેકવાણી અને ધર્મસાર સંગ્રહ .. ૨ ૦ ૦ ૨ જન કM: મંચ ..
.. ૧ ૦ ૦ ૩ ગાલ લાકડાનાં ગજ દોરીના મલબારી (સાબ બુક * પગાર ગણીત ... ૫ લેપ્રીય કક્ષા સંગ્રહ... ૬ જન દીપક સ્તવનાવેલી
•.. ૦ ૪ ૦ ણ લોકપ્રીય ગાયન રસ ભાગ પહેલે... - ૦ ૨ ૦ ૮ ... ... ભાગ બીજે... ૯ .. ••• ભાગ ત્રી ને...
.. ૦ ૦ ૦ .. ... ભાગ થો...
... ૦ ૨ ૦ ૧૧ ગરબા સાર સંગ્રહ... ૧૨ ગરબા સંગ્રહ છે.
••• ૧ ૧૩ જન ગાયન સંગ્રહ ...
૦
૦
૦
૦
૦
૦
ઉપર લખેલી ચોપડી જથા બંધ કફાયતે ભાવે અને છુટક વેચાતી મલશે. દેશાવરના ગરાકોને પોસ્ટ મારફતે પિોચાડવામાં આવશે.
ઘેલાભાઈ લીલાધર ખબારકટ માંડવી બંદર છ માહારાએ શ્રી ખેંગારજી લાયબ્રેરી
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૪૩
૧૫૭
૧૮૩
૩૧ રાજનીતિ ઉપર રાજા ભોજની કથા
૧૩૮ ૩૨ બે આંખ વીચાણી ત્યારે આપણે કોઇનથી એ વિશે કથા.૧૪૦ ૩૩ પંડીતના ગુણ વિશે સારદાનંદ પંડીતની કથા... ૩૪ ભલાથી ભલે, અને ભૂંડાથી ભુંડે તે વિશે કથા ૧૫ ૩૫ ચાર વેદીઆની કથા .. ૩૬ સુસંગત વિશે હંસ અને સિંહની કથા - ૧૧૨ ૩૭ કુસંગત વિશે હંસ અને કાગડાની કથા ૩૮ પરોપકાર અને ક્ષમા ગુણ વિશે કથા
૧૬૮ ૩૯ કલી કાળમાં લબાડી માણસને પોહોરો છે તે વિશે સ્થા જ કર્મ ઉપર વછપાસનો કથા ... ••• ૧૭૮ ૪૧ નસીબ બે ડગલા આગળનું આગળ ૪૨ ભાવ ઊપર કથા...
૧૮૪ ૪૩ સુંદરી નામે મહાઆરીની કથા...
૧૮૬ ૪૪ ભાગ્યમાં લખ્યું હોય તે જ પ્રાપ્ત થાય તે વિશે કથા ૧૯૧ ૪૫ ભાનુ પ્રધાન અને શ્રી સરસ્વતીની કથા .. ૧૮૪ ૪૬ મતસાર પ્રધાનની કથા >૭ ખળ પુરૂષની કથા... .
૨ ૦૪ ૪૮ ભકત ભાવ વિશે સુરસેનની કથા... ૪૯ અવગુણ ઉપર ગુણ કરનાર મિત્રદત અને દતની કથા ૨૧૦ ૫૦ બીજાને મરમ પ્રકાશ કર નહી તે વિશે કથા ર૧પ ૫૧ બુદ્ધિ ઊપર વેશ્યાની કથા
२२० પર બુદ્ધિ ઉપર સાગર દતની કથા ..
૨૨૫ ૫૩ ઘણો કાળો અને થોડા કાળ માટે થાક લેવા એ વીશેકથાર૩૩ ૫૪ અનિત્ય ભાવ ઊપર એક દ્રષ્ટાંતિ કથા
૨૩૮ ૫૫ અતી લાભ વિશે કનકાવતીની કથા - ર૪ર
Page #10
--------------------------------------------------------------------------
________________
૪૧
રન કથા સંગ્રહ વાર્તાની અનુક્રમણિકા.
Lacrimson ૧ સત્ય ઉપર શ્રી દેવદત્તની કથા .. ૨ પક્ષપાતી રાજા વસુની કથા ... ૩ અદતા દાન ઉપર સુમિત્ર કુંવરની કથા ... ૪ અદત ઉપર થી સુરત શેઠની કથા ••• ૫ બ્રહ્મચર્ય અને શીલવૃત વિષે કથા ૬ પરિગ્રહ મુછા ઉપર અબીલ: સાધ્વીની કથા ... ૭ લેબ ઉપર સાગર ની કથા ૮ લોભ વિષે લેભની કથા ૦ ગુરૂ જ વિ દ સે ભીલ અને દ્રિણાચાર્યની કથા ૧૦ શ્રીસંઘની ભાન ઉપર રતનશા વેપારીની કથા ૫૧ ૧૧ અહિંસા વિ પગ ચડળ અને હિંસક પુરે હીતની કથા ૫૬ ૧૨ બુદ્ધિ ઉપર કો દત્તની કથા... ૧૩ અમરદત્ત અને કીમતીની કથા ૧૪ દાન વિ ભીમરોનની : ૧... ૧૫ ભકિત તી કરનાર પાળની કથા ૧૬ દાન વિષે મૃળદેવી ઉથા. ૧૭ દાન વિષે સધન એડની કથા ૧૮ શીયલ વિષે ની કથા...
૧૦૩ ૧૮ શીયલ વિષે શી શીલદરાની કથા ૨૦ તપ વિષે ૮, ૧ણા કુમારની કથા
૧ ૯ ૨૧ તપ વિષે અજુન માલીની કથા
113 ૨૨ સિદ્ધાંતની ધાર પર રાણીઓ ચોરની કથા ૧૧૭ ૨૩ મૃગલાની કથા ••• ૨૪ વીષય વાસનામાં ફસાયેલા હાથીની કથા ૨૫ નાસીકા ઈદ્રિ ઉપર ભમરાની કથા ૨૬ મનુષ્ય દેહની દુર્લભતા વિષે કથા
૧૨૮ ૨૭ સુભદ્ર શેની કથા ...
૧૩૧ ૨૮ મૃગસેન પારધીની કથા...
૧૩૪ ૨૯ મનના મનોરથ મનમાં રહ્યા...
૧૩૫ ૩૦ સ્ત્રી પુરૂષના અતી સુખ વિશે કથા
૭૪
૧૫
૧૨૬
Page #11
--------------------------------------------------------------------------
________________
૪૯૦
જૈન કથા સંગ્રહ.
ભાગ પહેલા.
સત્ય ઉપર શ્રી દેવદતની કથા. ---::::
પૂર્વે સાવથી નામે નગરીમાં શુરસેન નામે રાજા રાજ કરતા હતા. તે નગરીમાં ધનાશેઠ નામે એક શાહુકાર રહેતા હતા, જેને સુંદરી નામે રવરૂપ અને ગુણે ભરપુર પતિવ્રતા સ્ત્રી હતી. શેઠ પણ ઘણા યાળુ અને સુશીળ હતા. આ બને શેઠ શેઠાણીને જોકે શ્રી જીન ભગવાનની કૃપાથી, ધન ધાન્યાદિ સર્વે સ’પતિની પ્રાપ્તિ થઇ હતી તાપણ એક વાતે તેનું મન બહુ દુ:ખી રહેતું; અને તે એ કે તેને પેટે કાંઇપણ સંતાન હતું નહીં. હવે એક સમયે ધનેા શેઠ જમવા બેઠા છે ને તેની સ્ત્રી પ્ખા લઇ તેને પવન કરે છે, તેટ
Page #12
--------------------------------------------------------------------------
________________
1
લામાં વાંઝીયાપણાનું દુઃખ યાદ આવ્યાથી, તેણીની આંખે ઝળઝળીયાં ભરાઈ આવ્યાં. તેને રડતી જોઈ ધના શેઠે કહયું “હે સ્ત્રી ! તું શાવાતે કપાત કરે છે, તને કઈ વસ્તુની ન્યુનતા છે. આટલી બધી દોલત અને સુખ ચેન છતાં, આજે તું કેમ રડે છે તેનું મને ખરૂં કારણુ કહે સ્ત્રીએ રડતા સાદે ઉત્તર આ કે “હજી કારણ પૂછે છે? અડધી ઉમર વીતી ગઈ તો પણ તમારી આંખ હજી ઉઘડતી નથી. આ બધું ધન દોલતને શું કરવું છે? એને વાર મેળવનાર અને કહે કે પાછળ કુળનું નામ રાખનાર કોણ છે! અરે! દેવ! હવે મારાથી આ વાંઝીયાપણાનું દુઃખ સહન થતું નથી. કહયું છે કે પુત્રનતિ માટે હે હવામી પુસવના દુનીયામાં જીવતાર ધુળ છે. પુત્રવિનાનું આ સર્વ સમૃદ્ધિથી ભરેલું ધર ઉજડ મશન સરખું છે.
દોહા લાખ દીવા નીત બળે, બાહર રવી ઉગંત; તસ ઘર તહીં અંધારડા, જસ ઘર પુત્ર નત.
મારા ખરા દુઃખનું કારણ એજ છે. તમારૂ પુરૂષનું હયું, તેથી ગમે તેમ થાઓ અને કહે, તે પણ કાંઈ અસર થાય જ નહીં.”
Page #13
--------------------------------------------------------------------------
________________
૩
ધના શેઠે કહ્યું “હે સ્ત્રી ? જે વસ્તુને ઉપાય કરે આપણા હાથમાં નથી તેને માટે આવી રીતે વારંવાર શોક કરવાથી શો લાભ! મને પણ તારા જેટલું જ દુ: ખ લાગી આવે છે. ધીરજ રાખ; મારાથી જેટલું બન્યું તેટલું હું કરી ચુક્યો છું. માત્ર હવે આપણી ચકેસરી માતાની આરાધના કરવી બાકી છે, જે આવતી કાલે આઠમનો તપ કર્યા પછી હું આરંભશે. બીજે દિવસે ધના શેઠે આઠમનો તપ કરી દેવીની સનમુખ જઈ તપશ્ચર્યા કરવા બેઠા. એવી રીતે અતિશય પ્રેમ પૂર્વક તપ કરતાં જયારે છ માસ વીતી ગયા, ત્યારે એક દિવસની મધરાત્રીએ દેવી પ્રસન્ન થઈ, અને તેને દરશન આપી બેલીકે-“ કહે ધના તારી ભક્તિ જોઈ હું સંતુષ્ટ થઈ છું, માટે તેને જે જોઈએ તે માગ ધનો હાથ જેડી બે “માતાજી! મને એક પુત્ર આપ” દેવીએ કહ્યું “ તારા નસીબમાં ધન અને પુત્ર એ બેમાંથી એકે વાનું છે. માટે એ બેમાંથી એક વસ્તુ માગ”ધનો બે હીક છે મને પુત્ર અપિ” દેવી પુત્રનું વરદાન દઈ અંતરધ્યાન થઈ ગઈ. શેડ પણ ખુશી થતો ઘેર ગયા અને વરદાન વિશેની સર્વ હકીકત પિતાની સ્ત્રીને કહી, જે સાંભળી સ્ત્રી પણ ખુશી થઈ, અને તે દિવસે મોટે ઓછત્ર પાળી, જાચકને દાન ઇ પુન્યા ઘણું દ્રવ્ય ખરચું. થોડા દીવસ વીત્ય
Page #14
--------------------------------------------------------------------------
________________
બાદ માતાનાં વરદાનના પ્રભાવથી શેઠાણીને ગર્ભ રહ્યા, અને બીજી તરફ શેઠને વિપારમાં તેમજ જળ અને સ્થળ માર્ગમાં પણ જબરી ખોટ ગઇ. એમ દીવસ જતાં નવ માસે પુત્રને પ્રસવ થે. પુત્ર જન્મની ખુશાલીમાં મેટો ઓચ્છવ કરી ઘણાક ગરીબોને અન્ન વસ્ત્રાદિ આપીને ઘણું જ દાન કર્યું અને પુત્રનું નામ દેવદત્ત રાખ્યું. દીન પ્રતિદીન ઉમરમાં અનુક્રમે દેવદત્ત સાત વર્ષને થે. ધનાશેઠને વિચાર થયેકે પુત્રને ભણવાને મુક. એ વિચાર કરીને દેવદત્તને ભણવા મુકો, ત્યાં ભણતાં સાત વ્યસનને પારગામી થે. નટવીટ પુરૂષને સંગે કરીને મહા જુગટીઓ થે. ઘરની તથા બહારના લોકોની ચોરી કરે, એમ કરતાં વરસ પંદર સેલનો થયે અને જુવાનીમાં આવ્યું ત્યારે તેને રૂડે અને આબરૂદાર ઘરે પરણાવ્યો. ઘણા ઠાઠમાઠની સાથે બહુજ આડુંબર થકી સુખમાં મનુષ્યપણામાં દીવસ વિસર્જન કરવા લાગે અને જેમ જેમ વખત વિતતો ગયે તેમ તેમ ઉમર પણ વધતી જ ગઈ અને વીસ વરસની ઉમરને થયે એટલામાં તેની માતા મરણ પામી, ત્યાર પછી વરસે બે વરસે પીતા પણ મરવાને સુતે અને પોતાની પાસે દેવદત્તને તેડ. પીતાએ કહેવા માંડયું જે પુત્ર તું જુગટું અને ચેરી એ બે વાના મુકી
Page #15
--------------------------------------------------------------------------
________________
દેતો મારે જીવ શાન્તી પામીને ગતીને પામે. તે વારે પુત્ર છે જે પીતાજી એ બે વાના મુકે તો મારા ઘરને કારભાર ચાલે નહિં અને મને બીજે કોઈપણ રોજગાર સુઝે પણ નહીં. તે માટે આપ એ બે વગર જે કહે તે કરૂં. આવું વચન સાંભળીને શેઠ વીમાસીને પુત્રને કહ્યું કે હે પુત્ર આ શહેરને વિશે મારે મિત્ર જિણદાસ નામે શ્રાવક છે તેને તું એકવાર દીન પ્રત્યે પગે લાગજે, એવું વચન છે. તે વખતે દેવદત્તે બાપની વાણી પાળવાને હા કહી એટલે શેડ મરણ પામ્યું. ' હવે દેવદત્ત દીન પ્રત્યે એકવાર પગે લાગવાને જિણદાસને ઘરે જાય છે. એમ કરતાં કરતાં માસ છે માસ થઈ ગયા. તે વખતે જિણદાસના પુત્ર પુત્રાદિક પરિવારે કહ્યું કે એ દેવદત આપણું ઘરમાં દીન પ્રત્યે
વેિ છે તે કાંઈ સારૂં નહીં. એવા નીચ માણસની સંબત આપણને સારી નહીં. કુસંગનું વર્ણન –
कुसंगासंगदोषेण । साधवोजातिविक्रिया
एकरात्रीप्रसंगेण । काष्टघंटाविटंबना ||
એટલા માટે હે પીતાજી તમે એને આવતા અટકા, એના ઉત્તરમાં જિણદાસે કહ્યું કે વારૂ. એવામાં પ્રભાતના વખતે દેવદત્ત આ તે વખતે શેઠે કહ્યું કે હે દેવદત્ત તું હવે અમારે ઘરે આવીશમાં. તે
Page #16
--------------------------------------------------------------------------
________________
વારે તેણે કહ્યું કે, સ્વામી શામાટેતે વારે શેઠે કહ્યું ભાઈ સાંભળજે તુ ચેરી અને જુગટું મુકી દેતા સુખે આવે. તે વારે દેવદત્ત બે –એ બેવાના વગર જે કહે તે કરું તે વારે શેડ વિચારીને કયા કે તું ખોટું બેસવાનું બંધ કર. તે વારે દેવદત્ત કહે વારુ તે કફ છે તેથી શેઠ બોટું બોલવાની બંધી કરાવી. ઉત્તમને નથી રહું ફળ મળે એ વાત આ ઉપરથી વિચારી જ સિદ્ધ થાય છે. ઉત્તમ વર્ણન
T !જોરેજ , જાન;
भादगारे पें धानको, नहीं मुख मृगराज. હવે દેવદાન ઉપર મુજબ જીણદાસ પાસે અગડ કરી ઘરભણી ચાલે; મા જતાં વિચારવા લાગ્યો કે, હે ! ડેરા તે મને કુવામાં ઉતાર્યો, ખરે! મારા બધા રોજગાર બંધ પડશે. કેમકે મારા રોજગારમાં ખોટું છે ત્યાનું હોય જ છે, તે વિનાનો માલતું નથી, પણ ભલે હવે તે જે કાંઈ સરજયું હશે તે થશે. વન કેમ !
साधु सती अरुसुरमा । ग्यानी ने गजदंत ॥ હતા અપુછા ન વ નો જિરે – અનંત IH.
એવું વિચારીને સ્થિર ચિત કરી ઘરે જઈ બેઠે, એવી રીતે હવે દીવસમાં એક વખત શેઠને પગે લા
Page #17
--------------------------------------------------------------------------
________________
ગવા સારૂ જતો પણ બીજે કઈ ઠેકાણે ઘણું કરીને જતો નહતો. એમ કરતાં કરતાં પાંચસાત દિવસ થઈ ગયા ત્યારે તેની સ્ત્રી ઘણુંએ કહેવા લાગી –વામી તમે રોજગાર ધંધે કેમ જતા નથી. તે સાંભળીને તેણે જિનદાસની સાથે બનેલ સર્વવતાંત કહી સંભાળી. તે વખતે સ્ત્રી ઘણો જ આનંદ પામી. શિવાની હવે તમે આપેલું વચન સારી પેઠે છે અને રખેને દુષણ લગાડતા નહીં, વચન ભંગ થયાથી મહા પાપ છે. એ પ્રમાણે સ્થિર ચિતે ઘરે રહ્યા. એક સમયે દેવદત્ત એમ વિચાર્યું કે કે માટી ભારી રૂં. એ વિચાર કરી -વર્ષ સતને વિસ અંધારી રાત એવીતો મળી છે કે કોઈ કોઈને દેખતું નથી જીર ઝરમર ને ઝરે છે, અને વીજળી પણ થઈ રહી છે. તે સમયે તે નીકલી. નગરને રાજ પણ ન ચર્ચાએ નીક. એવામાં તેણે દેવદત્તને આવો દીઠા અને વિચાર્યું કે આ ાિએ કણ નીકળે. ચોર નીકળે કે જાર પુરૂષ નીકળે! તેમનો કેઈ આવે છે એમ જાણીને રાજા ચુપચાપ ઉભો રહે. તેવામાં દેવદત્ત નીકળ્યો ત્યારે રાજાએ બેલાવ્યો કે તું કોણ? તેવારે દેવદત્ત વિચાર્યું કે મારે તો ખોટું બોલવાની બંધી છે. તે માટે જેવું છે તેવું જ કહું !! કહ્યું છે કે ,
मिठाकाह अंगारमें, जहांचकोरचुगाई ॥ ..
Page #18
--------------------------------------------------------------------------
________________
गृही टेककीम छंडीई, जीभचंचजलजाई ॥१॥
એમ વિચાર કરીને દેવદત્તે કહ્યું કે હું નીશાચર છું ત્યારે રાજા બોલ્યા તું ક્યાં જઈશ એટલે તે બે કે હું રાજાને ભંડાર ફાડવા જઈશ.આથી રાજાએ જાણ્ય કે કઈ ગાંડીઓ દીસે છે, તેથી તેને કહ્યું કે જા જતો હોય ત્યાં એમ કહીને રાજા ને ગામમાં અને દેવદત્ત ગયો દરબારમાં ત્યાં ભંડાર ફાડયે તેમાંથી ચાર પિટીએ કાઢી. રત્ન અને ઝવેરાદી ભરેલી તે ચાર પેટીઓ કેડે બાંધી જે રસ્તે આવ્યા તે રસ્તે પાછો આવ્યો. પાછા વળતાં જે ઠેકાણે રાજા માળે હતો તે જ ઠેકાણે વળી મળે ત્યારે પણ તેમ કહ્યું અને વિશેશમાં કહ્યું પેટી ચાર આણી છે. ત્યારે રાજા એ જાણ્યું કે એ ઘેલે છે અને આટલામાં જ ફરતો દેખાખ છે અને ચોર હતો કેમ કહેકે હું છું એમ વિચારીને ઘરે ગયો.
દેવદત્ત પણ ઘરે આવ્યો અને એક પેટી ઉઘાડીને એક નંગ તેમાંથી કાઢી એક દુકાને ઘરેણે મુક્યું અને દસ હજારની રકમ લાવ્યું. તેની ઘરમાં સર્વે વસ્તુઓ લાગે ને સુખથી ઘરમાં બેસી રહેવા લાગ્યું. હવે દરબારમાં ઘડી બે ઘડી કેડે ભંડારી જાગ્યો અને જાઈને ચકીત થયો કે ભંડાર ફાડ દાસી આવે છે. પ્રધાનને સઘળી વાત જણાવીને બેઉ
Page #19
--------------------------------------------------------------------------
________________
જણ વિચાર કરીને ભંડારે આવ્યા. ભંડાર માંહેથી ચાર પેટી પ્રધાન લઈ ગયે અને ચાર પેટી ભંડારી લેઇ ગયે અને ભંડારીએ આવીને ફરીઆદ કીધી. તેવારે રાજા બેલ્યાકે શું છે રે ભંડારી! તેવારે ભંડારીએ કહયું કે મહારાજ ભંડાર ફાડયો દીસે છે તેથી રાજાએ કહયું કે ભંડાર તપાસે તે વખતે ભંડાર તપા અને કહયું કે જીરાજ! ૧૨ પેટીઓ ગએલી હોય તેમ સાબીત થાય છે. રાજાએ તે સાંભળીને કહયું કે ફરી તપાસે તે પણ ભંડારીએ તેમજ કહયું, આથી રાજા પોતે ભંડારે આવ્યા અને જાય છે તે ૧૨ પેટી
એ જાણાતી નથી. રાજાના મનમાં વિચાર આવ્યું કે ચારે તો ચાર પેટીઓ લીધી છે. અને ચેર તે ફરીને એકને એક ઠેકાણે આવે પણ નહીં. શાબાશ છે તે ચોરને રાજાએ કહયું અહો! ભંડારી, અહે! પ્રધાન સાંભળો. ચાર પેટીઓ ગઈ તે મારા જાણવામાં છે પણ આઠ પેટીઓ બીજી ક્યાં ગઈ! તેના પ્રધાન અને ભંડારીએ અંદર અંદર મસલહત કરીને બોલ્યા કે મહારાજ ચાર ચાર તમે પકડી આપશે તે આઠ પેટીઓને માટે અમે પણ તજવીજ કરીને પેદા કરી આપશું. આટલી વાતચીત થયા પછી રાજા તથા પ્રધાન અને ભંડારી જુદા પડયા. રાજા એક મોટા વિમાસણમાં બેઠા બેઠા એમ વિચાર કરે છે કે કોઈ
Page #20
--------------------------------------------------------------------------
________________
પણ ઉપાયથી પેટીઓ પેદા કરવી જોઇએ. આ બાબતની યુકિતની શોધ કરવા માટે રાજા એ નગરીની પુર્વ દીશા તરફ આદીશ્વરનું દેરાસર તૈયાર કરાવવા માં ડયું. દેરાસર જ્યારે તૈયાર થયું ત્યારે રાજાએ આખા શહેરમાં પડે વડા કે દીવાળીના ત્રણ દીવસ બે પગે ચાલનારા મનુષ્ય માત્ર દરશન કરવા નહીં આવે તેમને રાજા દંડ કરશે રાજા પણ દેરાસરે જઈને બેઠે. દેરાસર ઉપર હજારો લેકેની ભીડ થાય છે તેને બે દીવસ થઈ ગયા ત્યારે સ્ત્રીના કહેવાથી દેવદત્ત પણ નાહી ભજન કરી સુંદર વસ્ત્રો પહેરીને તથા આભુષણ અને અલંકાર સજીને દર્શન કરવાનું ચાલ્યું. માણસની ભીડ એટલી હતી કે પરાણે પરાણે દેહેરે દેવદત્ત પહોંચ્યો અને દરશન કરીને વળે ત્યારે રાજાએ બેલા ને કાનમાં છાનું પુછ્યું કે ચાર પેટીને ચોરતો તું છે એ સાંભળીને દેવદત્ત વિચાર્યું કે હવે અસત્ય વચન કેમકહું.
પણ છેવટ વિચાર કરીને બે કે હા મહારાજ તે તે હું છું. આ સાંભળીને રાજા મનમાં ઘણેજ હર્ષ પામ્ય અને દેવદત્તના માતા પિતાનાં નામ ઠામ પૂછીને બે માણસ તેની સાથે મેક૯યાં અને કહ્યું કે તેનું ઘર જઈ આવે. એ પછી રાજા પણ ઘરે આવ્યો.
Page #21
--------------------------------------------------------------------------
________________
અને રાજ પુરૂષ પણ પાછા દરબારમાં ગયા. બીજ દિવસે પ્રભાતને વખતે રાજા કચેરીમાં આવ્યા ત્યાં છત્રીસ રાજકુળ મળ્યાં છે તે જોઈને રાજાએ સીપાઈને મેકલીને દેવદત્તને તેડાવ્યું. તેવારે દેવદત્ત સ્નાન કરી ભોજન આરોગી સ્ત્રીની રજા લઈને રાજ કચેરીમાં પ્રવેશ કરતાં નીચે પ્રમાણે છે .
जाता तणा जुहार, वळता तणा वधामणां ॥ देवतणा वहेवार, विणस्यु के मळशुं नहीं ।
એટલું બોલતા બોલતા રાજા કને આ રાજાએ તેને ઘણે આદર દી તથા મીઠા વચનથી બેલાજે. હવે રાજાએ કહ્યું કે ચાર પેટીઓ તમે લીધી છે તે લાવે. ત્યારે દેવદત્ત કહો, તમારે માણસ મેં કે પિટીઓ લઈ આવે. તેથી રાજાએ માણસ મોકલે અને ચારે પેટીઓ સર્વના દેખતાં રાજાના મુખ આગળ લાવીને મુકી. હવે રાજાએ પ્રધાન તથા ભાંડારીને કહ્યું કે બીજી આઠ પેટીઓ લો. ત્યારે પ્રધાન અને ભંડારીનું મુખ કાળું ધબ જેવું થઈ ગયું અને કહેવા લાગ્યા કે મહારાજ અને ક્યાંથી લાવીએ. આ સાંભબી રાજા બહુ જ કોપાયમાન થઈ ગયા અને બે યાકે જાઓ. સીપાઇ પ્રધાન અને ભંડારીના ઘર ખેલીને પેટીઓ લઈ આવો.સીપાઈઓએ પ્રધાન અને ભંડારીનાં ઘેર જઈને પેટીઓ લાવી મુકી તેથી રાજાએ હુકમ
Page #22
--------------------------------------------------------------------------
________________
કીધે કે પ્રધાન અને ભંડારીને સૂળીએ ચડાચઅને સીરપાવલોકે દેવદત્તને આપીએ. છેવટે રાજાએ દેવદત્તના ઉપર એટલે બધે પ્યાર બતા કે પ્રધાન પદવી તથા ભંડારીને હોદ આ બે અધિકાર તેને આપ્યા; અને તેની સાથે ચાર પેટીઓ પણ તેને પાછી આપી. આ વખતે રાજાએ દેવદત્તને ઘણું જ માન આપ્યું તેથી દેવદત્ત કેહવા લાગ્યું કે મહારાજ પ્રધાન ને ભંડારી બનેને મારવા નહી જાઈએ,આ સાંભળીને દેવરત્તના વચનને પાળવા માટે પ્રધાન તથા ભંડારીને જીવતા મુકયા પણ દેશ નીકાલ કર્યા. દેવદત્તને ઘણા ઠાઠમાઠથી હાથી ઉપર બેસાડીને ઘરે પહોંચતે કયી, જ્યારે દેવદત્ત ઘર ભણી આવવા લાગે ત્યારે લેકે એ વાતની વધામણી તેને ઘેર લઈ જવા લાગ્યા અને તેથી સુમિત્રા નામે જે તેની સ્ત્રી હતી તેણે વિચાર્યું કે આ વાત ખરી હશે કે બેટી! એટલામાં બીજી વધામણી આવી! અને શેઠ પણ પાધરા આડંબર સાથે ગજ ખંધે બેસી ચમર ઢળતે જિણદાસને ઘરે ગયા ત્યાં જઈ હાથી પરથી ઉતરીને ચારે પેટીઓ મુખ આગળ ધરીને પગે લાગીને કહેવા લાગ્યો કે પીતાજી આ પ્રતાપ સર્વે તમારે છે. તે સાંભળી જિણદાસે કહ્યું કે પુત્ર એ સર્વ અસત્ય નહીં બેલવાના ફાયદા છે. વરતના મહીમા થકી ધર્મના પ્રભાવથી આ સર્વે બન્યું છે. માણસ -
Page #23
--------------------------------------------------------------------------
________________
તાના આયુષ્યને ઘણેક ભાગ જે ગેરવાજબી રીતે ગુમાવે છે તે કરતાં જે વૃત પચખાણ ભાવે કરીને કરે તે દેવતા પણ દાસ થાય તો બીચારા માનવીના તે શા આશરાચારે પેટીઓ ઉપર હાથ રાખીને કહ્યું કે આ તું પાછી લઈ જા અને તારૂં વરત હમેશાં બરાબર રીતે પાળજે. હવે દેવદત્ત ઘરે આવ્યું ત્યારે તેની સ્ત્રી સુ મિત્રાએ પાંચ સાત સાહેલી મળીથાળભરીને ચેખે વધા
પછી ઘરમાં પ્રવેશ કર્યો. ઘણાક ગરીબ ગુરબાને તથા સુપાત્ર માણસને દાનમાનથી સંતોષ્યા. હવે દેવદત્ત સુખે રાજમાન ભગવે છે, ધર્મની કરણી કરે છે તથા પિશા અને પરમણ કરે છે. શ્રાવકના વૃત સારી રીતે પાળોને તે છેવટે દેવલેક પહેં. શ્રીદેવદત્તની કથા સંપુર્ણ ૧
પક્ષપાતી રાજા વસુની કથા.
અંગદેશ મળે કુસુમપુરી નામે નગરી હતી, ત્યાં જીતશત્રુ નામને રાજા હતો તેને સુંદરી નામે ચી હતી, તેને પુત્ર વસુ એવા નામને હતે. તે નગરને વીશે રૂદ્રદત્ત નામે ઉપાધ્યા રહેતા અને તેમને રૂદ્રા નામે સ્ત્રી હતી, તેને પર્વત નામે પુત્ર હતા. વળી એજ નગરમાં શિવશર્મા બ્રાહણ રહેતા તેને પુત્ર નારદ નામે હતો. હવે રાજાનો પુત્ર અને નારદ એ બે ભણવા
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૪
ને રૂદ્રદત ઉપાધ્યા પાસે જવા લાગ્યા. વસુ અને નારદ અને ઉપાધ્યાને પુત્ર પરવત એ ત્રણે જણ સુખે ભણતા હતા. એક દીવસને સમે ઉપાધ્યાને વસુ ઉપર ઘણી જ રીસ ચડી ત્યારે વસુ ગુરૂની સ્ત્રી રૂદ્ર પાસે જઈને તેને શરણે પેઠે અને તેથી રૂદ્રાએ વસુની રક્ષા કરીને મારવા દીધું નહી. ત્યારે વસુએ કહ્યું માતાજી તમે મારા ઉપર ઘણેજ ઉપકાર કર્યો છે. સજજન પુરૂષો છે તે પોતાના ઉપર ઉપકાર કરનારને તેને યથ ચગ્ય બદલે આપવાને કદી પણ ચુકતા નથી. જનાવર પણ ઉપકારના બદલે ગુણ કરે છે અને ઝાડ પણ રક્ષકને ફળદાતા છે, તે માટે કાંઈક વર માગો ત્યારે રૂદ્રા એ કહ્યું કે ભલે તો વર હમણાં ભંડારમાં રાખે, મારે કામ પડશે ત્યારે હું માગી લઈશ. એમ વાતચીત થયા પછી સંસાને ઠેકાણે ગયા. વળી એક સમયે રૂદ્રાએ ધણીને કહ્યું કે તમે પોતાના પુત્રને ભણાવતા નથી તેથી ઉપાધ્યા બો૯યા કે, હે સ્ત્રી, તારા પુત્રમાં અક્કલ નથી, તેની હું તને પરિક્ષા બતાવીશ. એમ કહીને તેના મનનું સમાધાન કર્યું. એક દીવસને સમે ત્રણે નીશાળીઆ પાસે તેડયા અને તેમને પાંચ પાંચ કડીઓ આપીને કહ્યું કે સાંભળો આ પાંચ કેડી તમે તમારા પાસે રાખીને જાઓ અને પાછી લાવજે પણ પેટ ભરીને આવજો. એમ કહીને ત્રણેને જુદા
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૫
જુદા ભાગમાં મોક૯યા. ચાર પાંચ ઘડી પછી પાછા આવ્યા ત્યારે પર્વત પણ આવ્યો તેને પુછયું ત્યારે કહે કે મેતે પાંચ કોડીઓની ધાણી લઈને ખાધી અને ભુખ્યો પણ આવ્યું. તે પછી વસુ કુમાર આ તેને પુછયું ત્યારે, તે કહેકે આ કેડીઓ તમારી ૯ અને હું તે મારું પેટ પણ ભરી આવ્યું. તે બોકે કેડીઓ
ખી હાથમાં અને કોઈને હાટે જઈને સુખડી કઢાવી તે માંહેથી કટકે લઈને ચાખે ને ભાવ પૂછી આગળ ચાલ્યો. એ રીતે હાટ દસ વીસ ફર્યાથી પિટભરીન આવે. એ વાત થતી હતી તે વારે નારદ પણ આવ્યો અને તેણે પણ એમજ કહ્યું કે કેડીઓ પાછી આવી છે અને પેટ પણ ભરીને આછું. તે વારે પંડીતે કહ્યું કે જે સ્ત્રી, બુદ્ધિ તો કમનસારીણી. વળી કેટલાએક દીવસને આંતરે પંડીતે અડદના લોટના કડા ત્રણ ઘડીને તૈયાર કીધા. એકે કને જુદે જુદો એક એક આપે અને કહ્યું કે જયાં કઈ ન દેખે ત્યાં જઈને મારી આવજે. એમ કહીને ત્રણે જણને જુદા જુદા આધા વન ખંડીમાં મૂકાયાં. તે વેળા પછી ઘડીએ બે ઘડીએ પાછા આવ્યા. તે મણે પ્રથમ પરવત આવે. પરંવત કહે હુંબોકડાને મારી આજે પણ કેણે ન દીઠે. તેવારે, પંડીતે કહ્યું કે પુત્ર હમણું બેસે, એટલી વાત કરતામાં તો
Page #26
--------------------------------------------------------------------------
________________
વસુ અને નારદ પણ પાછા આવ્યા; પણ બેકડા પાછા લઈ આવ્યા. તેવારે પંડિતે પૂછયું કે તમે બેકડા પાછા કેમ લાવ્યા તે સાંભળીને તેમણે કહ્યું કે તમે કહ્યું હતું કે જયાં કોઈ દેખે ત્યાં માર . તે માટે અમે
જ્યાં જ્યાં ગયા ત્યાં સઘળાઓ દેખે. ગૃહ ગણ તથા ચંદ્ર સુર્ય તથા વન દેવ એ વગેરે સર્વ દેખે તે માટે અમે પાછા લાવ્યા. તે વખતે પંડીતે કહ્યું કે હે સી આવી મતી કેાઈની શીખવી શીખવાતી નથી પરંતુ આધીન ચાલથી જ પ્રાપ્ત થાય છે.
बुद्धि शरीरे उपजे, दीधी कीती होय ॥ जल भीतर कच्छब वसे, तरी न जाणे शोय ॥
એ પ્રમાણે વાત ચીત થયા પછી સિાને સ્થાનકે ગયાં. કેટલેક દીવસે પંડીતે પિતાને ઠેકાણે પરવતને રાખીને પિતે દીક્ષા લીધી અને રાજા પણ પ્રેક્ષ થયો અને વસુને રાજ્ય મળ્યું. વસુ રાજા નીતી માર્ગે રાજ ચલાવતો હતો. એક સમયે પાછલી રાત્રે શીકારે નીક અને આગલ જતાં એક થાંભલે તેની નજરે આ તે ફાટિક રત્નને સ્થંભ દેખી ખુશી થયે, તેથી રાતને રાતમાં ઘરે આયે તેના ચાર પાયા ઘડાવ્યા તે સીંહાસન હેઠે માર્યો. તે પાયા સુર્યના તેજથી દેખાય નહી અને તેથી કેઈના પણ જોવામાં એમ
Page #27
--------------------------------------------------------------------------
________________
જણાય કે સિંહાસન અધર થઈ રહ્યું છે. લોકોમાં કીરતી ચાલી કે અહે! વસુરાજા મે સત્યવાદી છે કે, જેનું સિંહાસન અધર રહ્યું છે એવી ખોટીકીરતી ચાલી. સુખથી રાજય કરતા હતા તેવામાં એક સમે નારદ ફરતો ફરતો પરવતની નીશાળે આવે ત્યાં પરવત કેટલાક વિદ્યાર્થિઓને ભણાવે છે તેમાં “અ” એ શબદ આવે તેવારે પરવતે કહ્યું અજ કહેતાં“વૃક્ષની છાલ” કહીએ, ત્યારે નારદ બોલ્યા કે આજ શબ્દ બેકડે કહીએ. એમ કરતાં બેઉ જણને વિવાદ થયે. તેવારે એક બીજાએ પણ લીધું કે જે ખેટો પડે તેને ગધેડે ચડાવી શેહેર બહાર કાઢો. એ શબ્દના ખરા અર્થને ન્યાય કરાવવા કાલે સવારે આપણે વસુરાજા પાસે જઈશું એમ નક્કી કર્યા પછી બને ઘરે ગયા. પરવતે પિતાની માને નારદ સાથે થયેલી હકીકતની ખબર કહી અને કહ્યું કે “ માતું રાજા વસુ પાસે જા અને જેમ તેમ કરીને મારે બેલ ખરે ઠરે તેમ કર !' પુત્રના કહેવાથી રૂદ્રા બ્રાહ્મણી રાજાની પાસે ગઈ. રાજા એ તેને માન આપ્યું અને હાથ જોડીને બે કે –“માતાજી તમે કેમ પધાર્યા, મારા સરખું કાંઇ કામકાજ હૈયતે કહે" રૂદ્રાએ પર્વત અને નારદ વિચે “અજ” શબ્દ વિશે થયેલી ખટપટ કહી સંભળાવી અને ગમે તેમ પણ પર્વતને બેલ ઉપર
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૮
રાખવા માટે અરજ કરી. રાજા બે, તમે કહે છે તેમ મારાથી અસત્ય બેલાય નહીં માટે હું તો જે સત્ય હશે તે કહીશ. ત્યારે રૂદ્રા બોલી તમે નાનપણમાં આપેલું વચન યાદ કરે અને જે તે વચન પાળતા હેતો પરવતને બેલ ઉપર રાખે. રાજા છે,
જ્યારે તમને મેં આગલથી વચન આપ્યું છે ત્યારે જેમ તમે કહે તેમ પર્વતને બેલ ઉપર રાખવાને હું ચુકીશ નહીં. બીજે દિવસે પર્વત અને નારદ બે જણ રાજા પાસે ગયા અને “અજ” શબદનો અર્થ કરાવ્યું ત્યારે રાજા વસુ બે કે જેમ ગુરૂ વચને “અજ' શબ્દનો અર્થ બેકડે થાય છે તેમ “છાલ” પણ થાય છે, માટે તમે બન્ને સાચા છે. એ પક્ષપાત ન્યાય રાજા વસુએ કરવાથી દેવતાઓને તેના ઉપર કોપ થશે અને તે જ ક્ષણે તેને પગ પકડી સીંહાસન ઊપરથી પછાડીને મારી નાખે, રાજા વસ મરીને નર્ક ગયે. વસના મૃત્યુ પછી તેના પુત્રને રાજ્ય ગાદી મળી. જેણે પર્વતને ખેટે ઠરાવીને ગામ બહાર હાંકી મુકો અને નારદને ચગ્ય સન્માન આપી પોતાની પાસે રાખે. જે કઈ અસત્ય બેલી પક્ષપાત કરે છે તે રાજા વસુની પેઠે આ લકે અપકીરતિ અને દુખ પામી મુઆ પછી નરકે જાય છે.
આદતા દાન ઉપર સુમિત્ર કુંવરની કથા
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૫
ભગદેશમાં રાજગૃહી નામે નગરીમાં પ્રસેનછત નામે રાજા રાજ કરતા હતા. તે નગરમાં સુવૃત નામે શેઠ હતા જેને સુમિત્રા નામે સ્ત્રી અને સુમિત્ર નામે પુત્ર હતા, જ્યારે સુમિત્ર દસબાર વરસના થયા ત્યારે તેના પીતા મરણ પામ્યા. વખત જતાં સુમિત્ર સમજણા થયા અને પેાતાની માને કહયું કે, મા મને રજા આપે, હું રાજગાર માટે દેશાટણ કરવા જઈશ. માતાએ તેને આશિર્વાદ દઇ, સાથે સાત રત્ન આપી જવાની રજા આપી. ફરતાં ફરતાં શ્રી એણાતટ નામના નગરમાં આવી પહેાંચ્યા. જયાં બીજે બદર જવાને તૈયાર વહાણ તેણે જોયુ . હવે સુમિત્રને પણ બહાર દેશાવર મુસાફરી માટે તે વહાણમાં જવાને વિચાર હતા; પણ પેાતાની પાસે જોખમ હૈાવાથી, તે સાથે લઇને ચડવાને ડીક લાગ્યુ નહીં તેથી એ કાઈ સાહુકારને ત્યાં મુકી આવું:એવા વિચાર કરીને તે રોહેરમાં ગયા અને પુછતાં ખબર મળીકે આ શેહેરમાં ઇંદ્રદત્ત નામે એક પુરાહીત છે જે ઘણાજ આખરૂદાર સાહુકાર છે. પછી તે પુછતા પુછતેા તે શાહુકાર પુરાહીતને ધરે ગયા અને તેની પાસે જઇ બાલ્યું “શેઠજી, મારી સુશાફરીમાં મારી પાસે સાત રત્ન છે માટે તે સાત રત્ન હું પાછે આવીશ ત્યાં સુધી તમે રાખા” પુરાહીત કહે કે,“ભાઈ અમે કોઇનુ કાંઈ
Page #30
--------------------------------------------------------------------------
________________
રાખતા નથી, પણ તું ઘણીજ આજીજી કરે છે તે ભલે મુકી જા. સુમિત્ર સાતે રત્ન તે પુરોહીત પાસે મુકીને વહાણે ચડયે અને વહાણ ત્યાંથી હંકાર્યું. તે થોડા દીવસમાં સહીસલામત સુવર્ણ દ્વીપનામના ટાપુમાં પહોચ્યું. સુમિત્ર તે નવા ટાપુમાં રોજગાર ચાલુ કર્યો જેમાં શ્રીજીને ભગવાનની કૃપાથી તે સારી પિઠે કમાયે. જયારે વ્યાપાર કરતાં બે ત્રણ વરસ થઈ ગયાં અને પિતાની પાસે સારી રીતે દ્રવ્ય એકઠું થયું ત્યારે તેણે પિતાના ઘરભણી આવવાને નિશ્ચય કર્યો. તરેહતરેહવાર જાતને માલ ખરીદી એક મોટા વહાણમાં ભરી અવેજને દાબડો સાથે લઈ તે ઘેર આવવાને તૈયાર રાખેલા વહાણ ઉપર ચડે. રસ્તે ચાલતાં મધ્ય સમુદ્રમાં મોટું તોફાન થવાથી વહાણ ભાંગી ગયું. સુમિત્ર શેઠને હાથ આ વખતે ભાગ્ય–નસીબે એક પાટીઉં આવી ચડવાથી તે કેટલેક દીવસે શ્રી બેણાતટ નગરીને કીનારે આવે. પુરોહીને જેવો સુમીત્રને લાંબેથી આવતાં દીઠે તે જ વખતે એક પ્રકારની અક્કલની યુકિત ઉપજાવીને પિતાની પાસે ના બીજા શાહુકારોને કહેવા લાગ્યું કે, આજે મને એક ભયંકર રવન્ય આવ્યું કે જેમાં કોઈ એક શખસ મને આવીને ગલે પડે છે એવું દીઠું. એમ વાત કરે છે તેવામાં સુમિત્રે આવીને કહ્યું મહારાજ મને ઓળ
Page #31
--------------------------------------------------------------------------
________________
ખે છે? “આંહ! અમે તે કેટલાકને ઓળખતા ફરીએ. તારા જેવા અહીંયાં ઘણાએ આવે છે, અને જાય છે.
ત્યારે સુમિત્ર બે , , હું સુમિત્ર છું કે જેણે સાત રત્ન તમારી પાસે થાપણ મુક્યાં છે વહાણે ચડયે હતા તે વહાણ ડુબી જવાથી મારી પાસે કંઈ પણ રહ્યું નથી માટે હવે મને મારી અનામત સાત રનની થાપણ પાછી આપે. પુરોહીત કહેકેશું! તંદીવાને થયું છે કે કેમ? ચાલ રસ્તે પડી એટલું બોલી સીપાઈને હુકમ કરી ધકા મારીને બહાર કાઢી મુકા. ત્યાંથી સુમીત્ર બહુ દુખી થતે ગામમાં ઠેકાણે ઠેકાણે ફરિયાદ કરવા લાગ્યો પણ કઈ પાસે દાદ મળે નહીં. સહુ કોઈ એને ગાંડો કહી ધીકારતા હતા. છેવટે તે રાજા પાસે ફરીયાદ લઈ ગયે ત્યાં પણ તેમજ ધકા મારી ધીકારીને કાઢી મુકો. હવે સુમીત્ર નીરાશ થવાથી દરરોજ ચાર ઘડી રાત રહેતી ત્યારે રાજાના મહેલ પાસે જઈને કહેતા કે “ફરિયાદ છે મુજ ગરીબની, જે દાદ આપે તો મારા સાત રત્ન પુરોહીત પાસેથી પાછા અપા. એવી રીતે પિકાર કરતા. એમ પિકાર કરતાં પાંચ સાત મહીના વીતી ગયા ત્યારે એક દીવસ રાણીએ રાજાને કહ્યું કે “મહા રાજ, આ ગરીબ માણસ દરરોજ પિકાર કરે છે તેના રત્ન કેમ પાછા અપાવતા નથી?” રાજાએ કહ્યું એ
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૨
હવાને છે તેથી ફેકટની બુમ કરે છે. રાણી કહે કે નહીં, મને તો તે શહાણે પુરૂષ જણાય છે અને એના સાત રત્ન નકકી એણે પુરોહીત પાસે મુકયાં હોવાં જોઈએ. જો તમે મને રજા આપે તે હું તે રને કઢાવું.” રાજા બોલ્યો ભલે તમેજ એને રત્ન
અપાવે. આ ઉપરથી રાણીએ એક દીવસ પુરોહીતને પિતાની પાસે બેલા. જયારે પુરોહીત આ ત્યારે તેને ઘણું જ માન આપીને રાણીએ બેસાડ અને ચોપટ પાસા લઈ બેલી કે પૂરોહીતજી, આ આપણે સંગઠે રમીએ. પૂરોહીત રાણી સાથે રમવા બેઠો ત્યારે રાણીએ પૂછ્યું કે કહે પૂરેહતજી આજે શું જમ્યા તેથી પૂરોહીતે જે કાંઈ ખાધું હતું તે કહ્યું. આ વાત પહેલાં રાણીએ આગળથી જ પોતાની દાસીને શીખવી રાખ્યું હતું તે મુજબ તેને ઈસાર કરવાથી તેણે પુરોહીતને ઘરે જઈ તેની સ્ત્રીને કહ્યું કે “બાઈ તમારા ધણીને રાજાએ મારવા કાઢે છે અને મને માત્ર તમારી પાસે આજ ખાધેલા જમણના એંધાણે એલ્યા વાણીયાના સાત રત્ન લેવા માટે મોકલી છે. તે જે તમે કાઢી આપે તે પુરોહીતને જીવ બચે. પુરે હીતની સ્ત્રીએ હસીને જવાબ આપ્યો કે –તમે જાણેને પ્રહીત જાણે મને કંઈ ખબર નથી. આ જવાબ
Page #33
--------------------------------------------------------------------------
________________
સાંભળી દાસી પાછી આવી. દાસીને એમને એમ પાછી આવેલી જોઈ રાણીએ બીજી યુક્તિ શેધી કહાડી અને તે એકે, પુરોહીત સાથે એવી સરત કીધી કે જે હું હારૂ તો મારા ગળામાને હાર તમને આપું, અને જો તમે હારે તે તમારા હાથમાંની વીંટી લેઉં. એવી સરતથી રમત આગળ ચલાવી. જેમાં પુરોહીત હા. રાણીએ તરતજ તેની વીંટી લીધી અને દાસીને આપી; જે લઈ દાસી ફરીથી પુરોહીતને ઘરે ગઈ અને ત્યાં જઈને તેની સ્ત્રીને કહ્યું કે હે! પુરોહીતાણું, તમારા ધણીએ આ છેલી નીશાણી પોતાના નામ સહીતની વીંટીની આપી છે અને કહ્યું છે કે, “જે મારા પ્રાણની ખપતી હોય તે રત્ન સાત તરત કહાડી આપજો.” વીંટીની નીશાણી જોઈ પુરોહીતની સ્ત્રીને વિચાર ઉપજે કે વાતતો ખરી દીસે છે; એમ ધારી રત્ન સાત તરત દાસીને આપયાં, જે દાસીએ લાવીને રાણીને આપ્યાં. ત્યાર પછી તેની વીંટી પાછી આપી રાણીએ પુરોહીતને જવાને રજા આપી. જ્યારે સાંજે રાજા મહેલે આપે ત્યારે રત્ન સંબંધી તેને સર્વે વાત રાણીએ માંડીને કહી, જે સાંભળી રાજાએ ખુશી થઈ તેની ચતુરાઇના વખાણ ક્યાં. હવે રાજાએ સાત રત્ન પુરોહીતવાળાં અને એક સે ને એક રત્ન પિતાના મળી એક સેને આઠ રત એક થાળીમાં ભરીને બીજે
Page #34
--------------------------------------------------------------------------
________________
દીવસે કચેરીમાં તે થાળ લઈ જઈ પેલા ગાંડા વાણીઆને બેલા. અર્ધ ઘેલા જે થઈ ગયેલ એ જ સમીત્ર તે કચેરીમાં આવ્યું ત્યારે રાજાએ તેને પુછયું કે જે રતો પુરોહીતને આપ્યાં હતાં તે તું તારા પિતાના તરીકે ઓળખી શકે છે. સુમિત્ર બે
હા મહારાજ હું મારાં રબા બરાબર ઓળખું છું.” રાજાએ તેને કહ્યું “ત્યારે લે આ થાળમાંથી તારાં રતા ઓળખી લે” સુમિત્રે બધાં ર મધ્યેથી પિતાના સાત રતા જુદાં કહાડ્યાં. રાજાએ કહ્યું એ સાતે રતિ, જે તમારાં હોય તો ઉપાડી લ્યો. સુમિત્ર કહે ના મહારાજ મને અડતા દાનનું વૃત છે માટે તમે પિતાને હાથે આપે તે લઈ લઉં. રાજાએ તેને રત ઉપાડી આપ્યાં અને તેજ વેળા શરપાવ મંગાવીને તેને બધા પ્રધાનેમાં મેટા પ્રધાનની જગા આપી. આથી સુમિત્રે પિતાની માને બોલાવીને ત્યાં રહ્યો. પછી સુમિત્ર ઘણા વરસ સુડી પ્રધાન પદ ભોગવી શ્રાવકના વ્રત આરાધી અડતાદાન રૂડી રીતે પાળી, લાંબું આયુષ્ય ભગવી અને સ્વર્ગ ધામમાં વિચર્યો.
સાર.
જે કાઈ મનુષ્ય શ્રાવકના ધર્મ રૂડી રીતે પાળે છે તે આ લેકે સુમિત્રની પેઠે કિર્તિ દવજનું સુખ ભગવી અને સ્વર્ગે વિચરે છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૫
અદત્ત ઉપર શ્રી સુન્નત શેઠની કથા.
પંચાલ દેશમાં સાવથી નામની નગરી છે. ત્યાં મહાસેન રાજા રાજ્ય કરે છે. તે નગરમાં સુત્રત શેઠ રહે છે. તેને ધનાનાં નામની સ્રી છે પણ તે સુત્રતને લીધે દુખથી આજીવીકા ચલાવે છે. એક દીવસે સુત્રત શેઠને સાધુના સંજોગ થયા તેથી ધર્મ ઉપદેશ સાંભળીને ધર્મમાં મન લાગ્યું. ત્યારે અદત્તાદાનનું પચખાણ લીધુ અને ધરે આવ્યા. એ દીવસ પછી એક વખત કલશીએ ભરીને શેઠ જંગલ જવાને ગયા; ત્યાં એક ધનનાભંડાર દીઠા તેથી મનમાં વિચાર્યું; જ્યારે મારાથી લેવાય તેમ હતુ' ત્યારે તેા ન મળ્યા અને આજ તે મારે અદતનું પચખાણ છે એમ વિચાર કરીને ધરે આળ્યે, એવી વાત સ્રી પુરૂષ કરતાં કરતાં રાત્રે બેઠાં છે અને મધ્ય રાત્રીના સમય થવા આવ્યે છે એટલે શેડ કહે કે સ્ત્રી, આજ મેં જંગલને વીશે ધન દીઠું તે આપણા ગામની બહાર એક વેાકળીને કીનારે ભેખડમાં આકડા અને કેરડા જોડે ઉગેલા છે તે ઠેકાણે જોયુ તે ધન જોવામાં આવ્યું. મારે હાલમાં પચખાણ છે. આ વખતે ધર પછવાડે ચાર ઉભા છે તે ચારને સર્વ હકીકત સારી પેઠે સાંભળવામાં આવી. તે ચારાએ વિચાર્યુ કે આ વાત સૈાથી સારી છે.
3
Page #36
--------------------------------------------------------------------------
________________
ચાલે જઈને તે ધનને ભંડાર કાઢીએ. એમ વિચારીને તે બધા ગામ બહાર જ્યાં ધન દાટેલું હતું તે નીશાનને ઠેકાણે આવ્યા. જમીન ખેંદીને જુએ છે તે એકલા સર્પ અને વીંછુ ભરેલા દીઠા. એ ઉપરથી - રેએ એમ જાણ્યું કે તે વાણીઆએ આપણા સાથે કુડ કરેલું છે માટે આપણે પણ તેની સાથે કુડ તથા કેહિ કરીએ.
ताद्रसेजायतबुद्धि ॥ व्यवसायोपीताद्रस ॥ सहायाताद्रसाज्ञेया ॥ व्याद्रसीभवतीव्यता ॥
એમ વિચારીને સઘળું ધન ચોરે ઉપાડયું અને સવૃતને ઘરે આવ્યા અને મોટેથી ચેરે કહ્યું : લેજે! શેઠ તારૂં ધન, એમ કહીને ચાર પિતાને ઠેકાણે ચાલ્યા ગયા. સુવૃતને અગડવૃતફળદાયક થયું અને સુખી થ, ધર્મ આરાધી સ્વર્ગે ગયે.
સાર–રેવીંછી જાણીને નાખ્યું પણ બત્તના પ્રભાવે ધન થયું માટે ધર્મની આતા રાખવી. વૃત વિરોધનાર અબસાર વણકની કથા.
સુશર્મ નામે નગરમાં અંબસાર નામે એક ગરીબ વાણીઓ રહેતું હતું, જે મહા દુઃખ ભોગવીને પિતાની આજીવીકા ચલાવતે હતા; એક વખત તે જીબી
Page #37
--------------------------------------------------------------------------
________________
ર૭. ગામ તેલ ગેલની ફેરી કરવા ગયો હતો એટલામાં મારગમાં એક મહા મુનીશ્વર સાધુને દેખી તેઓ પાસે ગયે અને તેમને ધરમપદેશ સાંભળીને રાજી થઈને બે૯ કે, –મને અડતાદાન વૃતનું પચખાણ કરાવે. ભારે સાધુ કહે કે જેમ તમારું મન થીર રહે તેમ કરે. પછી તેમને પગે લાગી અડતાદાનનું પચખાણ લઈ અંબસાર ઘરે ગયે. વ્રતના પ્રભાવે હવે સુખે દીન ગાળે છે. એક વખત ઊનાળાના દીવસમાં સંધ્યાકાળને સમયે અંબસાર શ્રાવક અંબવનમાં ફરતો ફરતો આવી લાગે ત્યાં ઘણાજ પાકેલા ઉત્તમ આંબા જેઈને અંબસારના મુખમાં પાણી છુટવા લાગ્યું. તેનું મન ચળવળવા લાગ્યું અને જીભતો તેને સ્વાદ લેવાને તળવળાટ કરવા લાગી. તે આંબા પ્રત્યે બે કે હે બસ નું કાર્યો કુત્યે અપાર કે ન એ તેમ; તું કહે તે લઊં બેચાર, છે. અંબસાર કેમ લે બેચાર ન દેખે કોઈ તે સમે લઈલે દસ બાર પછી દસ બાર આંબા ઉપાડી લેઈને અંબસાર શ્રાવક ઘરે ગયા. ફેકટના આંખ વધારે મીડા ગણીને અંબસાર દરરોજ ત્યાં જઈ આંબા ઉપાડી લાવે એમ કરતાં જ્યારે ઘણા દીવસે ગયા ત્યારે આંબાના ધણીને વહેમ ગયો કે હંમણાં થોડાક દિવસથી આંબા કોઈ લઈ જાય છે
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૮
માટે આજે તેની તપાસ કરવી એમ વિચારી એક દીવસ હાથમાં ખેરના લાકડાનો ડંકો લઈ એક ઝાડની પાછળ સંતાઈ બેઠા એટલે અંબસારે આવીને આંબાને હમેશની માફક કહીને આંબા લેવા માંડયા એટલામાં આંબાના રક્ષકે આવીને અંબસારને પકડ અને ડુકાને પુછયું કે કમરે! ખેરસાર ઘડે છે તને ખૂબ સુતાર; દઉ ચેરને બે ચાર તે કહે ઈદે દસ બારએટલું બલી આંબાના ધણીએ દસવીસડંડુકા અંબસારની પીઠ પર ઝાડી દીધા. આથી અંબસારને સારી પેઠે શિક્ષા થઈ અને લેકમાં અપજશ પામે અને વૃત વીરેધવાથી આ ભવે તેમજ પરભવે દુખી થયે.
સાર––જે કોઈ મનુષ્યવૃતવીરાધી થઈ પરાઈ વસ્તુ હરણ કરે છે તે શ્રાવક અંબસારની પેઠે આ લેકમાં અપજશ અને દુઃખ પામી અનંતભવે દુ:ખ ભેગવે છે,
બ્રહ્મચર્ય અને શીલવૃત વિશે કથા.
સુર્યપુર નામે નગરમાં શુરસેન નામે રાજા રાજા કરતો હત; તેને પ્રધાન કુટબુદ્ધિ નામે હતો; તેને કઢારપીંગલ નામે પુત્ર હતા. તે એકને એકજ પુત્ર હતો તેથી પ્રધાનને પ્યાર તેના ઉપર બહુજ હતો. તે નગરીમાં ધના નામે શ્રાવક સાહકાર રહેતો હતો તે બાર વૃતધારી હતો. તેને શીલવતી નામે સ્ત્રી હતી તે પણ બાર વૃતધારી હતી. એક દીવસે શીલવતી પાંચ
Page #39
--------------------------------------------------------------------------
________________
સાત સખીઓ સાથે દેહેરે થઈને અપાસરે જતી હતી તેવામાં કટારપીંગળ પ્રધાનને પુત્ર મેટા વ્યસની હેવાથી સાત વ્યસનને એકદમ સાથે કરીને નીકળે હતો.
|| યHવ્યસનવન | दुतंचमांसंचमुरासवेष्या ॥ पापब्धचारीपरदारसेवा एतानी सप्तव्यसनानी लोके ॥ घोराती घोरंनरकंमती
તે કઢારપીંગળ પાંચ સાત નટવીટ પુરૂષ સાથે ચાલ્યો જતો હતો તેટલામાં શીલવતી તેની નજરે પડી અને તેને દેખીને મેટા આશ્ચર્યમાં તે પડ. તેણે પિતાની સાથેના પ્રપંચી પુરૂષને પુછયું કે આ સ્ત્રી કોણ છે અને કોની છે ત્યારે તેઓએ જવાબ આપ કે તે ધનાવા શેઠની સ્ત્રી છે અને તે ઘણી જ શીલવતી છે. એવા વચન સાંભળીને તે પિતાને ઘરે ગયે. મહાશકમાં ગમગીન ચહેરે ઘેડાના તબેલામાં ટુટી ખાટલી લઇને સુતો. બપોરને વખતે જયારે પ્રધાન આળે ત્યારે પૂછયું કે કઢારપીંગળ ક્યાં ગયો છે ત્યારે જવાબ એ કે તે તે ઘોડાના તબેલામાં જઈને સુતે છે. ત્યાં પ્રધાન પિતે ગયે અને પુછ્યું કે હે દીકરા, તું શા કારણથી રીસાણે છે. તેના ઉત્તરમાં તેણે જણાવ્યું કે હું કેઈથી રીસાયે નથી પણ મારા મનમાં એક ચીંતા ઊમન્ન થઈ છે તે જે તમે મટાડે તે હું જીવીશ નહીં તો અગ્ની પ્રવેશ કરીને
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૦
બળી મરીશ. ત્યારે પ્રધાને વાત પુછી તે કઢારપીંગળે યથાસ્થિત માંડીને કહી. ઘણું કરીને કામી પુરૂષને કશી લાજ હોતી નથી. એ વાત જે તેઓના મનમાં હોય કે અરે ! હુંઆ કેવું દુષ્ટ કામ કરું છું તો તેઓ તરતજ જ્ઞાની થઈ જાય પણ સાધુ પુરૂષને સંગતેમાં વધારે કરીને એવા નીર્લજને જલદીથી સુધારી શકે છે. તે બે શીલવતી નામે સ્ત્રી છે તે જે મને મળે તો હું જીવું; તે સાંભળી પ્રધાને કેલ આવે કે તે તને એક બે મહીનામાં હું મેળવી આપીશ. એમ કહીને દિકરાને મનાવે અને બને એકડા બેશીને જમ્યા. પછી સર્વ સર્વને કામે લાગ્યાં અને પ્રધાનને તો વિચાર થવા લાગ્યા કે હવે ઉપાય શું કર. એજ વિચારમાં પ્રધાન દરબારમાં ગમે ત્યાં રાજાનું માથું બહુજ દુખવા આવેલું હોવાથી પ્રધાનને પુછયું કે આ મારા માથાને કોઈ ઉપાય સુઝતો નથી તે વીશે તું શું કહેવા માગે છે. ત્યારે પ્રધાને એક કપીત વાત રાજાને કહી કે હે રાજાજી, આજ નીમતીઓ મારે ઘરે આવ્યો હતો તેને મેં ખાનપાનાકથી સંતળે ને પુછયું કે મહારાજાને માથે વેગ આવે છે તેનું કાંઈ ઓસડ બતાવ. ત્યારે તેણે કહ્યું કે કંદુકદ્વીપ વીશે કજ૯૫ નામે પંખી છે તે પંખી જે અહી આવે તો સર્વે રાગ જાય, દુઃખ જાય, દુકાળ જાય, અને મરકી પણ જાય.
Page #41
--------------------------------------------------------------------------
________________
તે પંખીને એ ગુણ છે. ત્યારે રાજાએ કહ્યું કે પ્રધાનજી એ પંખી કેમ આવે. ત્યારે પ્રધાને કહ્યું કે એ વાત કાંઈ અઘરી નથી. કારણ કે આપણા શહેરમાં એક ધના નામે વેહેપારી છે તેને પેઢીગત વહાણોને માટે રોજગાર છે તેને મેકલીએ તે કામ કરી આવશે. રાજાને આ વાત ઠીક લાગી તેથી બીજે દિવસે પ્રભાતે રાજાએ રાજ સભા ભરી, તેમાં પ્રધાન પણ આ તે વખતે રાજાએ માણસ મેકલીને ધનાવા શેઠને બોલાવે. માણસોએ ધનાવાને જઈને કહ્યું કે આપને રાજા બોલાવે છે ત્યારે તે બોલ્યા કે ગામમાં ધનાવા તે ઘણા છે તમે ભુલતા હશે. ત્યારે માણસેએ કહયું કે ના તમને જ બોલાવે છે. ત્યારે તેણે લુગડા પહેર્યો અને દરબારમાં આવ્યું તેથી બધાએ આદરમાન કર્યું અને ઉભા થયા. ત્યારે શેઠને વિચાર થયો કે અતી આદર પણ ભલે નહીં–
अतीदानात् बली बद्धो, अती गर्वेण रावण ।। अती रुपवती सीता, अती सर्वत्र वर्जयेत ॥
એમ મહા વિચારમાં ગંભીર ચહેરે શેઠ રાજાને નમીને સ્થીર સ્થાનકે બેઠા ત્યારે રાજાએ કહયું કે શેઠ તમારા સરખું એક કામ પડયું છે. આથી શેઠે કહ્યું કે સેવકને ફરમા. રાજા બેલ્યા કે—કંદુક દ્વીપથી કીંજલ્પ નામનું પંખી લઈ આવે. ત્યારે
Page #42
--------------------------------------------------------------------------
________________
શેઠે કહયૂ કે મહારાજ મેં તો આજકાલ વહાણને રોજગાર બંધ કરી દીધું છે અને વહાણ પણ ઉંચા ચડાવીને મેયાં છે, તે માટે કેઈ બીજાને મોકલે તેથી પ્રધાને કહ્યું કે શેઠ તમારા વિના તે બીજાથી કેઈથી થશે નહીં. એમ કહીને શરપાવ વેઢ વિટીઓ વગેરે આપીને વાજતેગાજતે ગાજતે ઘેર પહોંચાડીને હા કહેવડાવી; અને ઘરે શેઠ આવ્યા ત્યારે સ્ત્રીએ પુછ્યું કે સ્વામી આ શું કરી આવ્યા! ત્યારે શેઠે કહયું કે, માન ન માન પણ આ કાંઈ તોફાન છે. તે વખતે સ્ત્રીએ કહ્યું કે રવાની મને એક દહાડે પ્રધાનને પુત્રે દીઠી હતી તે માટે આ સર્વ ઉપાય કીધે છે પણ હશે, આપણને ધર્મ સહાય કરશે. હવે શુભ મુહુર્ત જોઈને વહાણ તાયાં અને શેઠની સાથે રાજાએ ઘણું જ દ્રવ્ય દીધું. વહાણમાં તરેહતરેહના માલ ભર્યા અને વહાણ હંકાય તે વખતે શેઠને વળાવવાને પુરનીવાસી જન તથા રાજા અને પ્રધાન પણ આવ્યા હતા તે જયારે પાછા ગયા ત્યારે પછી રસ્તે જતાં શેઠે અડધી રાતના સુમારે એક હોડીયામાં બેસીને પોતાના ઘરને રસ્તો લીધે અને છુપી રીતે ઘરમાં કેઈ ન જાણે તેમ પ્રસન્નપણે સુખ મેળવવા માંડયું. બીજે દિવસે રાતના પહેર એક વીતતાં પ્રધાન પુત્ર કઢારપીંગળ સુંદર અલંકાર
Page #43
--------------------------------------------------------------------------
________________
33
તથા વજ્ર સજીને ધનાવા શેઠને ધરે આન્યા અને મારા ઠાકીને બોલ્યા કે અરે, દાસી, ખારણા ઉધાડ ત્યારે શેઠાણીએ દાસીને કહયુ કે તું જા અને તેની સાથે કાઇ બીજી હાયતા તેને અંદર આવવા દઇશ નહીં; એમ કહીને દાસીને મોકલી. દાસીએ કઢારપીંગળને અંદર લીધે અને પાછી ખડકી હતી તેમ બંધ કીધી. કઢારપીંગળ પાધરા મહાલે ચઢયા ખીજે મજલે ગયા ત્યાં શીલવતીએ ધણેાજ આદર સત્કાર કીધા. હથીયાર છેાડામાં, લુગડાં ઉતરાવ્યાં અને દાસીને કહ્યું કે પાણી ઊનું લાવ ત્યારે દાસી પાણી ઉત્તુ લાવી અને પછી સીલવતીએ કહયુ કે સ્વામી બેસે! આ ઉપર ત્યારે કંઢારપીંગળ ઢાલી ઉપર બેઠા એટલે ઢાલીએ કાર્ચે સુતરે બાંધેલે હતા તેના ઊપર બેસતાંજ એક મોટા અગેાચર ખાડામાં જઈને પડયા તે ત્યાંના ત્યાંજ રહેવા દીધા. ઉપર મલમુત્ર પડે અને દાસી મારફત શેર ચણા મળે તે ખાય એવાં મહા સંકટમાં કઢારપીંગળ છ માસ સુધી પડયા રહ્યા. એટલામાં શેઠને વહાણ આવ્યાની છાની ખબર ગુમાસ્તાઓએ મોકલાવી. શેઠે પણ વાધરી લાકે પાસે અનેક તરેહના પક્ષીઓના પીંછા એકઠાં કરાવ્યાં હતાં અને એક મેટુ, પીંજરૂ પણ ધડાવીને તૈયાર રાખ્યું હતુ. જેવી વહાણ આવ્યા
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૪
ની છાની વધામણી શેઠને મળી તે જ વખતે કઢાર પીંગળને ખાડામાંથી બહાર કઢા અને નવરાવીને બે હાથ તથા બે પગ બાંધીને ગોઠણભર કીધે અને ગુંદ તથા શાઈ એ બે ચીજો ડિલે ચોપડીને તે ઉપર જનાવરના પીંછડાં ખોસીને કઈ નવા પ્રકારના જનાવર જે કીધે અને પાંજરામાં પુર્યો તે પાંજરૂ ભાઈને માથે મુકીને રાતને સમે એક હોડીમાં બેસી શેઠ વહાણ ઉપર લઈ ગયા. વહાણ ઉપરજઈને શેઠે તેપના ઘડાકા કર્યા. આથી લેકે વધામણી લઈને રાજા પાસે ગયા ત્યારે રાજાએ પ્રધાને જણાવ્યું એટલે પ્રધાને શેઠને ઘરે શીલવતીને જણાવ્યું કે શેઠ આવ્યા માટે અમારા પુત્રને રજા આપે. ત્યારે શીલવતીએ કહેવરાવ્યું કે મેં આટલા દહાડા જાળવે છે તે હવે પણ જાળવીશ તે બાબત તમે મનમાં લગારે ચીંતા ધરશે નહીં. આથી પ્રધાન ઘણુંજ રાજી થર્યો.
હવે શેઠ પણ બીજે દીવસે શહેરમાં આવ્યા અને પાંજરું સાથે લઈને પાધરા દરબારમાં ગયા તેથી રાજાએ ઘણું જ માન આપ્યું અને પુછ્યું કે જનાવર લાવ્યા છે, ત્યારે શેઠકહે-જીવરાજ આ પંખીનું પાંજરું. રાજાએ તે જોઈને અતી આનંદ પ્રગટ કીધે તથા શેઠને કહયું કે તેને બેલા જોઈએ. તેથી શેઠે પિતાના હાથમાં લાકડી હતી તેવતી
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૫ હલાવે ત્યારે ઊંહઃ શબ્દ નીકળે; આથી રાજાએ કહ્યું કે આમ કેમ બેસે છે. શેઠ કહે પ્રધાનને પુછ એટલે પ્રધાને કહે શેઠને પુછે. આમ રકઝક થતી હતી તેવામાં રાજાએ કહ્યું પંખીને બહાર કાઢે અને બહાર કાઢતાં તે સર્વ લેકેએ ઓળખે. હવે રાજાએ શેઠને પૂછયું કે આ શું? ત્યારે શેઠે સર્વ બીનાથી રાજાને જાણ કર્યો. આથી રાજા કે અને કયારપીંગળને સૂળીએ ચડાવે. પ્રધાનનું ઘર લુંટી લીધું તથા તેમાં વસનાર કુટુંબને દેશ ત્યાગ કર્યો. શેઠને પ્રધાનવટું દીધું અને શીલવતીને પાલખી મોકલીને બેલાવી અને ઘણાજ પુજ્ય ભાવથી ભાઈ તરીકે સાસરવાસ કરીને ઘર તરફ વળાવી. આથી સતી શીલવતીને મહીમા ઘણેજ વચ્ચે અને શેઠ શેઠાણી બને સંસારનાં સુખ ભોગવીને ધર્મ આરાધતાં થકા દેવે લેકે પહોંચ્યાં; અને દુષ્ટાચારી કઢાર પીંગળ મહા ઘેર ન પડે. ઈતી શ્રી શીલવતી સતી ની કથા સંપુર્ણ છે 'પરિગ્રહ સંછ ઉપર સુશીલા સાધ્વીની કથા.
શ્રી પિતનપુર નગરીમાં સુદર્શન નામે રાજા રાજ કરતે હતું ત્યાં પ્રિયંકર નામે શેઠ હતો તેની પ્રિયંવદા તમે સ્ત્રી હતી. તે હોઠને યાર પુત્ર હતા અને એક પુત્રી
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૬ હતી. પુત્રી ઉપર શેઠ શેઠાણીની બહુજ પ્રીતિ હતી. પુત્રીને સારે આબરૂદાર ઘરે પરણાવી હતી. એક બે વરસ પરસ્થાને થયાં તેટલામાં પુર્વ સંરકારે કરીને કર્મ પ્રભાવથી તે પુત્રી વીધવાપણાને પામી.
कृतकर्मक्षयोनास्ती ॥ कल्पकोटीशतैरपी ।। अवष्यमेवभोक्तव्यं ॥ कृतकर्मशुभाशुभं ॥
રંડાપ પામી ત્યારે બાપ સાસરેથી તેડીને પિતાની પાસે રાખવા લાગ્યા અને તેના માટે એવી રીતે મનમાં વિચાર્યું કે હશે જેમાં ચાર પુત્ર છે તેજ જાણે આ પણ એક પાંચમો પુત્ર જ છે એમ વિચાર રાખે. સશીલા તે ખરેખર સુશીલાજ હતી; તેનું મન સદા ધર્મ કાર્યમાં જ લાગેલું હતું અને પિસા પડીકમણું કરીયા કરીને તે પોતાને વખત સુખમાં સમજી સંતોષ માનતી હતી. કેટલીક વખત એ રીતે કુટુંબમાં સંપ અને સુખ એ બે વાતની સુગમતા રહી પણ જ્યારે શેઠજી પ્રિયંકર ભરવા પડ્યા ત્યારે થારે દીકરાને સરખે ભાગે પિતાના ધનમાંથી વહેંચી આપ્યું; તેમજ પાંચમો એક ભાગ દીકરીને પણ આપે અને વધારામાં છાનાં ચાર ર દીકરીને આપીને શેઠ મર્ણ પામ્યા. સુશીલા સુધર્મ કરણી કરતી હતી અને પિતાની ઉમરના દીવસ ગુજારતી હતી. એમ કેટલાક દીવસ ગયા પછી પિતાની પાસેના
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૭
ચાર રસની ગોઠવણ કરવાને તેને વિચાર કે તેથી તેણે એક પાટલી કરાવી અને તેના ચાર પાયામાં ડગળી દઈને રતને ઠેકાણે પાડયાં અને પછી ઉપર રંગ ચડાવરાવ્યું. તે પાટલી ઉપર જ્યારે સુશીલા સામાઈક પડીકમણ કરતી ત્યારે થાપના મુકતી હતી. એક દીવસને સમયે ગવાલીકા નામે સાધ્વી પાસે સુશીલા એ ચારીત્ર આદરીને સર્વ સાથને પુછીને દીક્ષા લીધી પણ પાટલી સાથે લીધી. જયાં જાય ત્યાં તે પાટલી સાથેની સાથે રાખતી હતી અને ચારિત્ર પાળતી હતી. એમ કરતાં કરતાં જયારે સુશીલાનો અંત સમય આવ્યો ત્યારે તેણે અણસણ કર્યું પણ પરિગ્રહ મુછ પેલાં ચાર રત ઉપરે હેવાથી આલાવ્યું નહીં અને એજ સ્થિતિમાં મણ પામી. તે સુશીલા સાધ્વી જયારે મર્ણ પામી ત્યારે ગળી થઈ અને હમેશાં તેજ ઉપાસરામાં પાટલી ઉપર આવીને બેસી રહેતી. ઘણાક વખતે અપાસરામાં આવતા જતા ધર્મત્મા લેકે તેને છંછેડી છંછેડીને કાઢવા માંડે પણ તે મે કરી ત્યાંથી ખસતી નહોતી. ગુરૂઆદી ત્યાં આવીને જ્ઞાન કરીને તપાસવા લાગ્યા તે સાધ્વી સુશીલા મણું પામીને ગરોલી થઈ છે એમ માલમ પડયું. તેઓએ નિર્ણય કીધે કે પરીગ્રહ મુછાના પ્રભાવથી આ ગતીએ તે સાધ્વી પહોંચી છે. જ્યારે
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૮
ઘણા ગુરૂઓએ આવીને તે પાટલી તેડીને માહથી રસ્તો કાઢયાં ત્યારે તે ગરોળી તરત જ ત્યાં તરફડવા મંડી તેથી તેને ગુરૂઆદિ મોટા પુરૂષોએ કહ્યું કે અરે ! ભુંડી મનુષ્યદેહ તું હારી બેઠી અને સાધુપણાને પણ હારી બેઠી. તું એ ચાર રત્નની અંદર જીવ રાખવાથી આ જન્મને પામી તે પણ તને કાંઈ પણ સમજણ ન પડી. સાંભળ–
दोषसयमुळजालं । पूवरसीवीवजीयंजईचंतं ॥ अर्थवहसीअनथं । कीसअनथंतवंचरसी ।।
એવાં મહા મુનીશ્વરનાં વચન સુણીને ગળીને પિતાની પુર્વની જાતીનું મર્ણ થઈ આવ્યું અને અણુસણ આદર્યું. આત્મા આઈ આરાધી દેવ લેક પામી; અને એનાં ચાર રત્ન સંઘમાં ધર્મ ઠેકાણે ખરચાયાં.
લેભ ઉપર સાગર શેઠની કથા.
વસંતપુર નગરને વિષે હરીફેણ નામે રાજા રાજય કરતો હતો તે નગરમાં સાગર નામે શેઠ એક ગૃહસ્થ વસતો હતો. તે શેઠને ચાર પુત્ર હતા તે ચારે પરાયા હતા. સાગર શેઠ મહા ધનવાન હતા પણ અતી કૃપણ એટલે બહુજ લેભિયા હતા. આ
Page #49
--------------------------------------------------------------------------
________________
મણે કોઈ સાધુસંત આવે તે એક ચપટી લેટ પણ આપતે નહીં. અથ કૃપણ વર્ણન
कवणस्यगेहमझें । दाणंदद्गुणकपिअंकागो ॥ केकवणसयमरणं। केमुझपासबंधनकरई ॥
શેઠ એવો તે કઠીણ મનને હતું કે ઘરમાં પણ સડેલે બગડેલે દાણ ખાતે પણ કદી સારી વસ્તુ વાપરતે નહીં. તે એ લેભી હતું અને દીવસ ગુજારતો હતો. એક દહાડાના સમયપર વિજયશ્રી નામે જે નાની વહુ હતી તે ઘરમાં બીજી વહુઓ સાથે બેસીને બોલી કે અરે ! સખીઓ, એક મારી વાત સાંભળે. હું જે વાત કહું તે પેટમાં રાખછે. ત્યારે બીજી વસ્તુઓ બેબીકે બહેન તું ખુશીથી કહે તેમાં કાંઈ પણ બીક રાખીશ નહીં. ત્યારે વિજયશ્રી બેલી કે આપણા ઘરમાં એક ઘડી પણ સુખ નથી. માટે મારા વિચાર પ્રમાણે તે એમ આવે છે કે હું એક વિદ્યા જાણું છું તેથી આપણે સુખ મેળવી શકીશું. કારણ કે આપણા ઘરમાં ખાવા પીવામાં અને પેહરવા એાઢવામાં કે સુવા બેસવામાં તથા માથે તેલ વગેરે નાખવામાં પણ બહુજ દુઃખ વેઠવું પડે છે. તે દુઃખ મારા પાસે આકાશની વિદ્યા છે તેથી થોડે પણ વખત આપણે દુર કરી શકીશું. જે તમારા સર્વેને વિચાર હોય તે આકાશ માગે ઉ
Page #50
--------------------------------------------------------------------------
________________
ડીને પરદેશનો ખ્યાલખુશાલી જોઈએ. આવી વાત સાંબળીને સર્વેનું ચિત્ત ઘણુંજ પ્રસન્ન થયું અને એક સંપે થઈ અને મધ્યરાત્રીને વિશે જ્યારે સહુસહુના પતી નિદ્રાવશ થયા ત્યારે બહાર નીકળીને વાડામાં એકઠી મળી. તે વાડામાં એક સીમડીનું ઝાડ હતું તેના ઉપર ચડી અને સરસવ મંત્રીને વિનંતીએ ઝાડને છાંટયા એટલે તે ઝાડ ઉડયું અને બીજા દ્વીપમાં ગયું અને ત્યાં સર્વ હસીરમીને રાત્રી ઘડી ચા૨ પાંચ રહી ત્યારે ઘરે આવીને સહુસહુને ઘેર આવીને સુઈ રહી. આ રીતે તે સર્વ રોજ રાત્રીએ આકાશ માર્ગે જઈને પિતાના મનને સુખ મેળવતી હતી. એમ કરતાં કરતાં છ માસ ચાલ્યા ગયા. એક દીવસ સાગર શેઠ જાગતા હતા અને ચારે વહુઓ એકઠી મળીને બહારથી આવતી જોઈને તે મોટા વિચાર સાથે અતી આશ્ચર્યમાં પડયો. અરે ! આશું !! આમોડી રાત્રીના વખતે સ્ત્રી માણસ બહાર તે ક્યાં ગઈ હશે !!! એવા વિચારમાંને વિચારમાં તે રાત્રી તો ચાલી ગઈ અને દીવસ પણ ઊગ્યો. ફરી બીજા દીવસની રાત્રી પડી ત્યારે પણ આ દેખાવ જેવાને માટે તે કપટ નિદ્રા કરીને સુતો. ત્યારે રજની પેઠે ચાર વહુઓ નીકળી અને શેઠ પણ પાછલ છાને છાને ગયે અને ચારે વહુઓ ઝાડ આગલ જઇને તે ઉપર
Page #51
--------------------------------------------------------------------------
________________
૪
ચડી ત્યારે શેઠ પણ ઝાડના કોતરમાં જઈને બેઠા. તેની કોઈને ખબર નહતી. ઝાડ ઉપર ચડીને વિજયવંતી વહુએ મંત્ર ભયે અને સરસવ નાખ્યા અને કહ્યું જે રત્ન દ્વીપભણી ઉડજે એટલે ઝાડ ઉડયું અને રત્નદ્વીપમાં જઈને પડયું. વહુઓ સર્વ રમવા ગઈ અને શેઠે તો રત્ન પડયાં દીઠાં તેથી તે વીણવા મંડી પડયા. જાતે લેભી હતા તેથી તે રત્ન લેવામાં પાછા ઝાડ આગલ આવવાનું ભૂલી ગયા. વહુઓ તો પાછી ઉડીને ઘેર આવી હમેશની પેઠે સુઈ ગઈ. સવાર થઈ ત્યારે ઘરમાં શેઠને કોઈ દેખે નહીં અને પુત્રો તે વિચારમાં પડ્યા કે પીતા તે કઈ ઠેકાણે દેખાતા નથી. ત્યારે વહુઓએ તેમને કહ્યું કે તમે સર્વ રેજ ભાભાઇને રીસ કરીને ખીજતા તેથી કંઈ ઠેકાણે જઈને મુઆ અથવા સમુદ્રમાં પડયા હશે. એવી વાત સને સાચી લાગી તેથી શેઠને દાડો પાણી કર્યો અને વિલાસ કરી સુખી થયા તથા સાગર શેઠ અતીભથી આખરે અજાણ્યા દ્વીપમાં દુખ અને શાકથી ભુખને માર્યો આથડીને મરણ પામે.
લભવિષે લોભનદીની કથા.
પૃથ્વિ ભૂષણ નામે નગરમાં પ્રીમિત્ર નામે રાજા હતા, અને તેને બુદ્ધિસારનામે પ્રધાન હતો. તે નગરમાં
Page #52
--------------------------------------------------------------------------
________________
લેભનંદી નામે વેપારી વસતે હતું તેને સુંદરી નામે સી હતી ને તેને ચાર પુત્ર હતા. લેભનંદી મહા લેભીઓ હતું તેથી તેના બારણા ઉપર તે આખો દિવસ ખાટલે ઢાળીને બેઠે રહેતે, અને બારણે કેઈને આવવા દેતો નહીં. અતીત અભ્યાગતને તે એ ખરે ખરે શત્રજ હતા. આવા પ્રકારે તે પિતાને વખત નિગમન કરતો હતો તેવામાં એક દિવસના સમયે ગાભમાં ચેરા ઉપર એક ચારણ આવ્યું અને ત્યાં બેઠેલા માણસોને વિનંતી કરવા લાગ્યું કે ભાઈઓ,! મારે કાળજે અફીણની અંધારી આવી છે અને એટલા માટે મને કોઈ વાટકે રાબછાસ પાય એ કોઈ તમારામાં દાતાર પુરૂષ છે? તેવામાં કાઈ ઠગ માણસ બેઠે હતો તે બોલ્યો કે અરે ! ગઢવી,! અહીં એક લેભનંદી નામને સાહુકાર રહે છે તે ઘણો જ દાતાર છે તેના ઘેરે જાઈશ તો તું તારી આશા પુરી કરી શકીશ. ગઢવી બીચારો મુસાફર તથા અજાણ્યા માણસ હોવાથી તેણે તે વાત સાચી માની અને પાધરે લેભનંદીનું ઘર પુછીને તે શેડને ઘરે ગયે. જતાં પહેલે તે આશિવિદ દઈને શેઠના આગળ ઉભો રહ તેથી શેઠ બે કે તું કેમ આવ્યો છે. ત્યારે ચારણ છે કે શેઠળ હુતિ આપને ત્યાં કાંઈ રાબછાશ મળવાની આશાથી આછું. આ સાંભળી શેઠ ભારે ધમાં આવીને
Page #53
--------------------------------------------------------------------------
________________
ગાળો ભાંડવા મંડયે તેથી ચારણ પણ સામે ગાળોને વરસાદ વરસાવવા લાગ્યું. ગાળેમાંથી એક બીજા મારામારી ઉપર આવ્યા અને શેઠ ઉપર તથા ચારણ હેઠ એમ પડયા; ઘડીમાં ચારણ ઉપર અને શેઠ હેઠ એમ લથડંબથર્ડ થયા. ત્યારે ત્યાં ઘણા લેકે તમાસે જેવાને એકઠા થઈ ગયા અને તેમણે માંહે પડીને માંડ માંડ એક બીજાને જુદા પાડયા. આ ઊપરથી ચારણને બહુજ રીસ ચડી ગઈ અને પાધરોજ તળાવની પાળ ઊપર ગમે ત્યાં કેસરી માતાનું દહેજું દીઠું તેમાં પેઠે અને દેવીની સ્તુતિ કરવા લાગ્યું. અન્નપાણી તજી દીધાં અને લાગેટ સાત દિવસ સુધી માતાને તપ કરતા બેઠા તેથી માતા પ્રસન્ન થઈ માતાએ પ્રગટ થઈને તેને વરદાન માગવાને કહ્યું ત્યારે ગઢવી બે કે માતા વરદાન તે ભંડારે રાખે. જેવારે જેવું રૂપ કરવા ધારૂં તેવારે તેવું રૂપ થાય એટલું હું માગું છું. માતા તે આપીને સ્થાનકે ગઈ. ચારણ સુખેથી માતાને દેહેરે દહાડા નિર્ગમન કરવા લાગે અને ખાવાપીવાને ગામમાં જવા લા. એમ કરતાં છ મહીના વીતી ગયા ત્યારે એક દીવસે લાભનંદીના ભાઈને ઘેર વીવાહ હતું તેથી તે લેભનંદીને પરગામથી તેડવા માટે આવ્યું. ત્યારે લોભનંદીએ તેને કહ્યું કે ભાઈ હું નહીં આવી શકું. કારણ કે મારું ઘર રેઢું રહે તે કેમે પાલવે.
Page #54
--------------------------------------------------------------------------
________________
ત્યારે લોભનંદીને ભાઇ રીસા તેથી લાભનીં જાયું કે જે હું નહીં જાઊં તે ભવનું સગપણ જાશે એમ વિચારીને લેભનંદી તયાર થયે તેથી બે ભાઈ ગાડીમાં બેશી ચાલ્યા અને તળાવની પાળ ઉપર થઈને રસ્તે ચાલતા હતા તેથી ત્યાં નીકળ્યા. તળાવની પાળ ઉપર દેવીના દેહેરે પેલે ગઢવી બેઠે હતો તેણે ગાડી જતી દીઠી અને લેકને પુછવા લાગ્યો કે આ ગાડીમાં કેણું છે તેથી કેઈએ કહ્યું કે લેભનંદી તેના ભાઈને ઘરે વીવા છે ત્યાં જાય છે. એ સાંભલી ગઢવી બહુજ રાજી થયે અને માતાને પગે લાગી છે કે હું માતાજી મારું રૂપ લેભનંદીના જેવું કરે. તે વખતે દેવીના સત્યભાવથી સર્વ લેભનંદી જેવું જ રૂપ બની ગયું તેથી ગાડીમાં બેસીને ઘડી બે ઘડી પછી લેભનંદીને ઘેર ગયો તેથી તેના દીકરા દોડીને સામા આવ્યા અને કહેવા લાગ્યા કે પીતાજી તરત કેમ પાછા આવ્યા ત્યારે લેભનંદીના રૂપે જે ગઢવી બન્યો હતો તે કહે પુત્ર ચાલે ઘરમાં આ તમને એક વાત કહું. આ સાંભળી સર્વ ઘરમાં ગયા. શેડ કહે સાંભળ! મારા પુત્ર, આપણા ગામના તળાવની પાળ ઉપર દેવીની જગાએ હું પગે લાગવા ગયે ત્યારે દેવી કહે કે તારું ધન જાશે અને તારા સરખું કઈક બીજું ઘરમાં આ વીને બેસશે, એ સાંભળી હું પાછો આવ્યું. હે પુત્ર!
Page #55
--------------------------------------------------------------------------
________________
ધન જશે તેથી મને બહુ દુઃખ થાય છે માટે બહાર કાઢે આપણે જ ખરચીએ. એ સાંભળી પુત્ર કહે કે ઠીક. દીકરાએ મળીને એક ખુણામાંથી ધન કાઠું અને દાનપુન્યમાં વાપરવા માંડયું. જે કોઈ આવે તેને બા ભરીભરીને આપવા માંડયું. એમ કરતાં ત્રણ દીવસ વહી ગયા એટલે એ વાત લેભનંદીએ સાંભળી તેથી તે ગાડીમાં બેસીને દેડતે ઘેર આજે. ઘરમાં આંગણામાં જોઈને ચકીત થયે કે અરે ! આ વળી મારા જેવા બીજે કણ ઢોલીઓ ઢાળીને બેઠે છે અને ધનને ઢગલે કરીને ઉડાવતો દેખાય છે. આ જોઈને લેભનંદી બે કે, અરે ! ચંડાળ તું કોણ રે !મારૂં બધું ધન કેમ લુંટાવી દે છે !!! ત્યારે જે ઢોલીઆ ઊપર બેઠે હતું તે બોલ્યો કે અરે દીકરાએ આ હું કહેતો હતો તે મારૂં રૂપ લઈને આવે છે તેને મારી કાઢે. જેથી દીકરાએ લાકડી લઈને ઉઠયા. આથી લેભનંદીએ વીચાર્યું કે
એ તે રખે મને મારશે! માટે હું રાજા પાસે જાઉં ' એમ વિચારીને દરબારમાં ગયે. રાજાને સર્વ હકીકત નીવેદન કરી ત્યારે રાજાએ માણસ મેકલીને તેના ઘર ઉપરથી પેલા દેવ સ્વરૂપી લેભનંદીને તેડા તેથી તે પણ ત્યાં આવીને ઊભા રહ્યા. રાજાએ બે જઇને ધારી ધારીને જોયા તો બે સરખાજ માલમ પડયા
Page #56
--------------------------------------------------------------------------
________________
અને આથી આખી સભા મેટા આશ્ચર્યમાં પડી ગઈ. રાજાએ લેભનંદીના દીકરાઓને પુછ્યું તમારે બાપ કો? ત્યારે તેઓ બોલ્યા કે અમને કાંઈ ખબર પડતી નથી. આથી રાજાએ પ્રધાનને કહ્યું કે તમે ન્યાય કરો. પ્રધાન કહે કે પ્રમાણ કરી આપું. પ્રધાને એક ઝારી મંગાવીને મુખ આગળ મુકી કહ્યું કે જે કાઈ આ ઝારીને મોઢેથી પેસે અને નાળથી નીકળે તે ઘરને ઘણી ખરે. હવે લેભનંદી તે મોટા વિચારમાં પડશે, અને દેવ સ્વરૂપી બે કે હું નીકળું, ત્યારે પ્રધાન કહે હા નીકળે ત્યારે તે ઝારીમાં પેઠો અને પ્રધાને આડો હાથ દીધે ત્યારે દેવ સ્વરૂપી અંદરથી બે કે અરે! પ્રધાન મને બહાર કાઢે પછી સઘળી વાત તમને કહું. પ્રધાને હાથ ઉંચકર્યો એટલે અંદરથી નાળ થઈને બહાર નીકળે. બહાર નીકળીને ગઢવીનું રૂપ કરીને ઉભો રહ્યો. આથી રાજાએ કહ્યું કે તું કર્યું છે ત્યારે તેણે આગળની બનેલી હકીકત કહી સંભળાવી. રાજાએ લેભનંદીને શીખામણ આપીને ઘેર મેક. લેભનંદી ઘેર આવીને જાય છે તે ધનના ઠેકાણું તો સર્વ ખાલી દેખાયાં તેથી તે મનમાં વિચારવા લાગ્યું કે અરે ! મેં ધન ખાધું નહીં. આવી ચીંતા કરતાં કરતાં તે ઘરમાં ફરવા લાગ્યું અને દક્ષિણ દિશામાં કે જયાં તેણે
Page #57
--------------------------------------------------------------------------
________________
વધારે ધન દાટ્યું હતું ત્યાં જવા લાગ્યું પણ ત્યાં ખાડે છેદી મુકે હતો તેથી તેમાં એકાએક પડી જવાથી ભય અને દુઃખથી તે રીબાઈને થડા રેજમાં
ગુરૂ પુજા વિષે હરીફેણ ભીલ અને દ્રાણ
ચાર્યની કથા.
શ્રી હસ્તિનાપુરમાં પુરૂ રાજા રાજ્ય કરતો હતો તેને પાંચ પુત્ર હતા. યુદ્ધિરાદિ પાંડવ અને દુર્યોધન રાજા પાંડુને ભાઈ તેને એક પુત્ર હતા તે કેરવ કેહવાતા હતા. તે હરિતનાપુરમાં દ્રોણાચાર્ય કરીને વિદ્વાન વિદ્યાગુરૂ રહેતા હતા તેમની પાસે પાંડવ અને કરવ ભણવા માટે જતા હતા. ભણતાં ભણતાં ઘણાક દીવસ વહી ગયા ત્યારે એક સમયે સવારમાં યમુના નદીના કિનારા ઉપર પાંચ પાંડ અને સે કરવ ઉભા છે તેવામાં શ્રી દ્રાણાચાર્યજી ગુરૂ મહારાજ યમુનાજીમાં નહાવા માટે પેઠા, એટલામાં એક મોટા મગર મણે દ્રોણાચાર્યજીને પગ મુખથી લીધે ત્યારે દ્રોણાચાર્ય બોલ્યા કે અરે ! પાંડ ! અરે ! રે ! મને આ મગર તાણી જાય છે માટે તમારામાંથી કોઈ આવીને મુકો. આ સાંભળીને સે ઉભા ઉભા જેવા લાગ્યા પણ કઈ અંદર ન પડે. આ વખતે અ
Page #58
--------------------------------------------------------------------------
________________
ન જે પાંડવમાને હતે તેણે વિચાર્યું કે આપણા ગુરૂ જ્ઞાન પ્રગટ કરાવનાર તેમને મારા ઉભાં છતાં મગર લઈ જાય છે તેથી મારે જન્મ રદ જાણું છું એમ વિચારીને અર્જુન પાણીમાં ગુરૂની પાછળ પડશે. પાણીમાં જઈને અર્જુને મગરને મારીને દ્રોણાચાર્યને મુકાવ્યા અને બન્ને કાંઠે આવ્યા ત્યારે દ્રોણાચાર્ય અર્જુનને ઉપકાર માન્યો અને કહ્યું કે તેં મને આજે જીવીતદાન દીધું તેથી તું મારી પાસે કાંઈ માગે ત્યારે અને કહ્યું કે કેલ આપે તે હું માંગું તેથી દ્રાણાચાર્યું કે આપ એટલે અને બાણુ વિધા માગી હતીધી અને માગ્યું કે હવે તે વિદ્યા બીજા કોઈને તમારે શીખવવી નહીં એમ પણ માગી લીધું. અહીંથી સહુસહુને ઘેર ગયા. એક હરીક્ષણ નામે ભીલ હતા તે લાગટ ફળફુલ લઈને દ્રોણાચાર્યને ઘેરે પગે લાગવા આવતું હતું તેથી દ્રોણાચાર્યે તેને પુછયું કે ભાઈ તું મારી પાસે આવે છે તે શું કામ છે તે મને કહે. ત્યારે તે બોલ્યો કે, મહારાજ મને આપ બાણ વિદ્યા આપે. આ સાંભળીને કેંણાચાર્ય બેયા કે મારી પાસે તે વિદ્યા છે ખરી પણ મેં તે અર્જુનને આપીને કેલી દીધો છે કે તારા સિવાય તે કેઈને પણ દેવી નહીં તે માટે એ વગર બીજું કાંઈ ભાગ, ત્યારે બીલ તેમને નમસ્કાર કરીને વનમાં ગયા અને ત્યાં
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૯
જઇને દ્રાચાર્યના આકારની માટીની મુર્તિ બનાવી; તેને એ ભીલ રાજ પુજતા હતા. ફળફુલ ચડાવતા હતા અને એ મુર્તિ આગળ ધનુષ્ય અને બાણુ રાખીને કહેતા હતા કે મને બાણુ વિદ્યા પ્રાપ્ત કરાવા. એમ કરતાં જ્યારે છ માસ ચાલ્યા ગયા ત્યારે તે ભીયતે ગુરૂ ભક્તિવડે કરીને બાણુ વિદ્યા આવડી તેથી એક તળાવની પાળ ઉપર એક વડનું મોટું ઝાડ હતુ તેને બાણ વડે કરીને દરેક પાંદડામાં છેઃ પાડી મુકયા હતા. આ જગ્યા ઉપર ફરતાં ફરતાં અર્જુન એક વખતે બપારના તે વડ તળે આન્યા અને જોયુ તા.તે ઝાડના પાત્રાંપર કોઇ ખાણી પુરૂષના હાથથી ખાણ વાગેલાં છે. પાંદડામાં પડેલી કારણીથી વિચાર્યું કે આ કાણુ હશે ! તેવામાં તે હરિક્ષણ ભીલ પાણી ભરવાને ત્યાં આવી ચડયા. તેથી તેને પુછ્યું કે આ વડલા કેકાણે કાર્યો છે; તેથી તેણે કહ્યુ કે મહારાજ એ તા મે કાર્યો છે ત્યારે અર્જુને કહ્યુ કે તારા ગુરૂ કાણુ છે ! તેણે કહ્યું કે મારા ગુરૂ દ્રાણાચાર્ય છે. તે સાંભળીને અર્જુન ધેર આવ્યે પણ મનમાં દીલગીર થયા કે ઊત્તમ પુરૂષ વચન ભગ થયા; હવે કળિયુગ પાસે આવ્યે હાય એમ જણાયછે. એમ વિચાર કરીને એક બે દીવસ સુધી ગુરૂપાસે ગયા નહી તેથી કેાણાચાર્યને વિચા૨ આગ્ન્યા કે અર્જુન એક બે દીવસથી હાલમાં કેમ
Page #60
--------------------------------------------------------------------------
________________
આવતું નથી અને એટલા માટે તેને માણસ મોકલીને તેડાવ્યું અને કહ્યું કે કેમ બે દહાડા સુધી ન આવી શકાયું. ત્યારે તેણે કહ્યું કે મહારાજ તમારા જેવા ઉત્તમ પુરૂષે જયારે વચન ભંગ થાય ત્યારે અમારાં મન ઠેકાણે કેમ રહે. ગુરૂએ કહ્યું કે ખરે જે ઉત્તમના વચન સુર્ય પુર્વમાંથી પશ્ચિમમાં ઉગે અથવા પૃથ્વી ચલાયમાન થાય તે પણ ભંગ થતાં નથી. આથી અને કહ્યું કે ચાલ મહારાજ તમને બતાવું તો ગુરૂ કહે કે ચાલે ત્યારે જઈએ. ત્યાંથી બે જણ ઉઠયા તે પેલા વડ નીચે ગયા અને ત્યાં જઈને અને તે વડના પાંદડાં દેખાડીને કહ્યું કે આ કેની વિદ્યા છે ત્યારે ગુરૂ બે
લ્યા કે વિદ્યા તો મારી છે પણ મેં તારા વગર બીજા કોઈને આપી નથી એમ વાતચીત કરે છે તેવામાં પેલે હરીલેણ ભીલ તે ઠેકાણા ઉપર આવી ચડે. દોડીને પગે પડયો ત્યારે તેને અને કહ્યું કે આ કામ કોણે કર્યું છે ત્યારે ભીલ કહે કે મેં કર્યું છે. વળી અને કહ્યું કે તારે ગુરૂ કોણ છે ત્યારે તે કહે કે મારે ગુરૂ તે દ્રોણાચાર્ય છે. અર્જુને ગુરૂ મહારાજ સામું જોયું અને ગુરૂએ ભીલને કહ્યું કે અરે! તે દ્રોણાચાર્ય કયાં છે. આથી ભીલે કહ્યું કે ચાલે પધારો આપને બતાવું છું અને પેલી મુર્તિ પાસે લઈ જઈને બે કે આ મારે ગુરૂજી બેઠા છે તે તમે જુઓ. એ જોઈને દ્રોણાચાર્ય
Page #61
--------------------------------------------------------------------------
________________
અર્જુનને કેહવા લાગ્યા કે એવી રીતે જે ગુરૂની ભક્તિ કરીને વિદ્યા લઈ શકશે તેને આડા હાથ કેણ દેશે. અર્જુને ગુરૂને કહ્યું કે મહારાજ આપ તેની પાસેથી ગુરૂ પુજા બદલ તેને અંગુઠો માગી. આથી દ્રોણાચાર્ય ભીલને કહ્યું કે કાંઈ ગુરૂપુજા કરો. તે બોલ્યો કે આપ કહે તે આપું ત્યારે ગુરૂ કહે અંગુઠે આપે ત્યારે તરતજ અંગુઠો કાપી આગલ મુકે ત્યારે ગુરૂ બોલ્યા કે હવે બાણ નાખ, તેણે હવે બાણ લઈ ગુરૂને પ્રણામ કર્યો અને બે આંગળી વચ્ચે બાણ ઝાલીને નાખ્યું તે વળી વધારે બાણ ચાલ્યું અને આથી ગુરૂએ પ્રસન્ન થઈને માથે હાથ મુક અને આશિર્વાદ આપે અને ઘેર આવ્યા. શ્રી સંઘની ભકિત ઊપર રત્નશા વેપારીની કથા.
શ્રી શંખપુરમાં શંખ નામે રાજા રાજય કરતે હતો તે નગરમાં રત્ન નામે વહેવારીઓ શ્રાવક વસતે હતો તે મેટા-ભાગ્યશાળી પુરૂષ હતો પણ તે ઘણેજ આળસુ હતું. તે વેપારી શ્રાવકને ત્યાં એક દેહેરૂં હતુ તેમાં શ્રીજીન રૂષભદેવની પ્રતિમા હતી અને બીજીદાયમાં શંખની હતી. તેની પુજા અરચા કઈ દીવસ થતી નહોતી, એમ કરતાં કરતાં શેઠની ઉમરને કેટલોક ભાગ વહી ગયો. એક દિવસને સમયે મધ્યરાત્રીમાં રત્ન શ્રાવક
Page #62
--------------------------------------------------------------------------
________________
પર
સુતા હતા તેવામાં એક દેવતા આવીને ઊભા રહ્યા અને કહ્યું કે અરે ! રત્નશા, જાગે છે કે ઉંઘે છે, તે વખતે એ બે કે, સ્વામી જાગું છું. ત્યારે દેવતા કહે કે તું સાંભળ–હું તને એકવાત કેહવા માટે આ છું. અમને તારી સાત પેઢી થયાં પુજે છે પણ તું આળસને લીધે અમારી પુજા તજી બેઠે છે માટે અમે તો હવે શ્રી શેત્રુજય જઈશું તેથી તારી રજા લેવાને અત્રે આવેલું છું. ત્યારે રત્નશા શ્રાવક કહેકે સ્વામી કેની સાથે જાશે. આથી દેવ કહે કે આજથી સાત દીવસ પછી અહીં સંધ આવશે તેને તું દેરાસર આપજે એમ કહી દેવતા અદ્રષ્ય થયા. આ વાતથી રત્નશા મનમાં વિચાર કરવા લાગ્યો કે મેં આજસુધી બધું અઘટતું આહ્યું છે કારણ કે દેવની પુજા પ્રભાવના ન કીધી એમ વિચાર કરતાં પ્રભાતને પહેર થયે અને ઉઠીને દેહરૂ ઉઘાડયું અને દેહરામાં પુજા આર્ચા કરીને દરશણ કર્યું અને એ રીતે ત્રણ કાળ શુદ્ધ મનથી કરવા લાગે એમ કરતાં સાત દીવસ થયા ત્યારે સાતમા દિવસની સંધ્યાને સમય થયો એટલે એક સંધ આવીને ઉત્તર્યો અને આથી રત્ન શ્રાવકે વિચાર્યું કે દેવતાનું વચન ખાટું હેય નહીં.
અમોઘા વાસરે વિવું અમે નિસ ગર્જના અમેઘસંજમા વાણી ! અમેઘ દેવ દર્શન !
એ ઉપરથી તે સંઘને દેરાસર અર્પણ કરવાના વિચારથી દસવીસ માણસને સાથે લઈને સંઘને ને
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૩
તરવાને ગમે તે વખતે સંગવી ઉડીને ઉભા થયા ને માંહોમાંહે મળ્યા અને બેઠા. ત્યારે રત્નશા શ્રાવક હાથ જોડીને બોલ્યો કે મહારાજ કાલે મારે ઘરે સંઘ બધા ને તમે જમવા આવજે તેથી સંઘવી બોલ્યા કે માણસ ઘણું છે સવા લાખ તે કુલની ગણત્રી થાય છે તે માટે એ વાતનો સંતોષ રાખો અને આથી રત્નથા શેઠે ઘણા જ આગ્રહ કર્યો અને હા ભણાવી ઘરે આવે. બીજા દીવસને પ્રભાત થે. રત્નશા શ્રાવકે ઉઠીને પુજા કરી. તથા ઢેલીઓ ઢાળીને ડેલી વચ્ચે થઈને સુતો. આમ દીવસ સવા દેઢ પર ચડયે અને સંઘવીએ પિતાના માણસને મેકલીને ખબર કઢાવી. માણસ જોઈને પાછા ગયે અને સંઘવીને ખબર આપી કે ત્યાં તો કઈ પ્રકારને આદર જતો નથી. ત્યારે સંઘવી કહે રાંધવાને આદર કરે એ કોઈ ઘેલા જેવો દેખાતો હતો. એમ કહીને રાંધવાની તૈયારીઓ કરવા માંડી એટલામાં રત્નશા શ્રાવક ઉો અને દેવ પ્રત્યે બકે સ્વામી હું જાઉં છું સંધને તેડવાને માટે તમે સર્વે સામાન તયાર કરજે. એમ કહીને સંઘવી પાસે ગયો અને સર્વેને બોલાવી લાવ્યું. જે વખતે સંધ આવે તે વખતે ત્યાં આગળ સાત બેમી ઘર બહુ વિધના આસન બેસણથી શણગારેલાં જેમાં તેથી રત્ન શ્રાવકનું મન બહુ જ પ્રસન્ન થયું
Page #64
--------------------------------------------------------------------------
________________
'અને સર્વને જમાડી દીધા. જમણમાં સાતવાનીની સુખડી, સાળદાળ ભેજનાદિથી સર્વને સંખ્યા અને ઉપર પેરામણીમાં પુરૂષને પાંચ પાંચ કપડાં અને સ્ત્રીઓને ત્રણ ત્રણ લુગડાં એ રીતે સંધ સર્વેને પહોંચાડીને પ્રસન્ન કર્યા. ત્યાર પછી સંઘવી.અને તેના બે ભાઈ વિમલ અને નિરમલને તેડીને ઘણી સારી રીતે ભક્તિ તથા જાક્તિથી જમાડ્યા અને સંઘવીને પછી પિરામણી કરી અને પછી રત્નશા શ્રાવકને સંઘવીને દેહરામાં જઇને દેરાસર બે દાબડામાં ૬ - લીને આપવા લાગે ત્યારે સંધવી કહે કે એ શું છે ! ત્યારે શેઠે કહ્યું એ અમારા દેરાસરના દેવ છે તે શ્રી શેત્રુંજય ઉપર મુકો. એ સાંભળીને સંધવીનું મન તો ઘણું જ પસન્ન થયું. એવી રીતે સંઘવી ગાજતે વાજતે ઉતારે આવ્યા. હવે રાત્રીમાં રત્નશા શ્રાવક સુતો છે અને મનમાં વિમાસે છે કે અરે! મેં મુખએ આળસથી કેવું અઘટતું કામ કર્યું. અરે ! સાત પેઢીની અમુલ્ય વસ્તુ હું આજે ગુમાવી બેઠે. એવામાં અરધી રાત્રીને વિશે શ્રી વીમળેશ્વર, નામે જઉં ત્યાં આવ્યો ને બોલ્યો કે રત્નશા શેઠ તા જાગે છે કે? શેઠ કહે હા સ્વામી હું જાણું છું તમે કેણ છે તેથી જક્ષ કહે હું વિમળેશ્વર છું અને તેને કહેવા આવ્યો છું કે તેં સંધને જમાડીને પુન્યની ઉ
Page #65
--------------------------------------------------------------------------
________________
પાસના કરી તેથી હું હવે સાત પેઢી સુધી તારે ઘરેથી કઈ પણ બીજી જગ્યામાં જવાને ઠીક ધારતે નથી માટે સવારે જઈને સંઘવી પાસેથી દેરાસરના દાબડા લઈ આવ. ત્યારે રત્નશા શ્રાવક કહે કે સ્વામી મેં જે મારા હાથથી આપ્યાં તે હવે હું લેવા કેમ જાઉં ત્યારે તે દેવ કહે કે જે તને તે સંઘવી પાછો દેવાને આવે છે તે તું રાખજે. એમ કહી દેવ અદ્રષ્ય થયા અને પાધરા સંઘવીની પાસે ગયા ને કહ્યું કે અરે સંઘવી તું જાગે છે કે ઉંધે છે ત્યારે સંઘવી કહે કે જાણું છું તમે કેણુ છે ત્યારે દેવ કહે હું દેવતા છું અને તેને કહેવા માટે આવ્યો છું કે તું જે બે દાબડા રત્નશાને ત્યાંથી લાવ્યો છું તે સવારે તેને પાછા આપી આવજે અને તે પછી તારે સંઘ ઉપાડજે એમ કહી ત્યાંથી તે અદ્રષ્ય થઈ ગયે. ત્યારે સંઘવી વિચારમાં પડે કે અરે ! રાંક માણસ પાસે તે રત્ન કેમ રહે એમ વિચારમાંને વિચારમાં સવાર થઈ ગઈ અને સંધવીએ રત્ન શેઠને બે દાબડા પાછા આપ્યા તે રત્ન શેઠે દેરાસર માં પધરાવ્યા અને સુખે ત્રણ કાળ પુજા કરી પિતાનું આયુષ્ય એ શુભ કાર્યમાં પુરૂં કર્યું અને આખર દેવતાનું સુખ પામે.
Page #66
--------------------------------------------------------------------------
________________
અહિંસા વિષે નંગ ચંડાળ અને હિંસક
પુરે હીતની કથા છે
શ્રી શુ સુમારપુર નગરમાં સિંહ રથ નામે રાજા રાજ્ય કરતો હતો તેને બુદ્ધિ સાગર નામે પ્રધાન હતો તથા સુબુદ્ધિ નામે કેટવાળ અને ઇંદ્રદત નામે પુરાહીત હતો. રાજા ભલે અને બહુજ સુનીતીમાન હતો. તે શુ સુમાર નગરીમાં મરકી રોગની ઉપાધી બહુ ચાલી ત્યારે રાજાએ પ્રધાનને કહ્યું કે બુદ્ધિસાગર, એ કેઈ ઉપાય છે કે જેથી એ રોગ શાંત્તિ પામે. પ્રધાન કહે કે રાજ! મેં સાધુને પુછયું તેથી તેમણે કહ્યું કે જે એક મહીના લગણ આંબીલ કરે અને અમરપડા વાગે અને ગામ બહાર શ્રી શાંત્તિનાથની પ્રસાદે અઠોતર સ્નાત્ર પુજા દીન પ્રત્યે કરે અને ગામમાં માણસ માત્ર રહે નહીં. એટલી વાત જે કરે તો તે રોગની શાંત્તિ તરત થઈ જાય. તે વખતે રાજા પ્રધાન પ્રત્યે બો૯યાકે વેહેલા થઈને એ પ્રમાણે સર્વ કામ કરે.
એ સાંભળી પ્રધાને જોશીને લાવીને સારે દીવસ જોવરાવીને રાજા સમેત સર્વે પ્રજાજને બાહેર નીકળ્યા. શ્રી શાંત્તિનાથજીના દેરાસર પાસે સર્વેના ઊતારી કર્યા. ત્યાં બીલ ઉપવાસ કરવા લાગ્યા અને સ્નાત્ર પુજા પણ કરવા લાગ્યા. અને ગામની એકી સુબુદ્ધિ
Page #67
--------------------------------------------------------------------------
________________
પ૭
કેટવાળને ભળાવીને અમરપડે વજડા. એમ કરતાં એક માસ પુરે થયો ત્યારે રાજા સહિત નગર લેક મોટા આડંબરથી શહેરમાં આવ્યા અને ડામ ઠામ નમણને છંટકાવ કર્યો અને રાજા રાજતીલકપર બેઠા.
જ્યારે તે ગાદી ઉપર બેઠા ત્યારે રાજાને પિતાને પાળે ઘેટે સાંભર્યો તે ઘેટા સાથે રાજાને બહુજ યાર બંધાજે હતો અને તે ઘેટાને પગે ઝાંઝર, કાને વાળી અને મખમલની ગુલ હતી. તેને ચોરાશી ચાટે ફરવાને માટે રાજાને ખાસ હુકમ હતું અને મરજીમાં આવે તેમાં મુખ નાખતો હતો પણ તેને કેઈ અટકાવી શકતું નહીં. એક માસ સુધી તે રાજા ગામ બહાર હતા તેથી ઘેટો સાંભી નહીં પરંતુ હાલમાં તે તેના ઉપરના અત્યંત પ્યારથી રાજાને તે સાંભરી આવ્યો. ઘેટે જુઓ તે ક્યાં છે, એટલું બેલી રાજા અધીરો કારણ કે તેની સાથે રાજાને પ્યાર હતો અને તેથી વારંવાર તેના ગળે રાજા વળગી પડતો અને ઘડી બે ઘડી સુધી તેની આસનાવાસના કરતા તે આજ જતાં પણ જણને નથી. ત્યારે કોટવાળને બેલા અને કહ્યું કે મારે ઘેટે કયાં છે? ત્યારે કોટવાલ બોલે કે જીરાજ કાલ સવાર સુધી તો હતો ત્યાર પછી મેં દીઠો નથી. ત્યારે રાજાએ કહ્યું કે અરે ! કોટવાળ સાંભળ, તું આજથી આઠ દીવસમાં તેની શોધ કરી લાવે અને કાંતિ તેના ચેરની
Page #68
--------------------------------------------------------------------------
________________
શોધ કરી લાવ નહીં તે પછી તેને નવમે દિવસે હું ભુલી આરે પણ કરીશ. એમ કહી ક્રોધમાને ક્રોધમાં મહેલમાં પધાર્યા. રાજા કેઇના પણ મિત્ર હેય નહીં એ નોતિનુ વચન છે એમ વિચારીને કેટવાળ મનમાં બહુજ ગભરાયે અને તેને મોટી ચીંતા ઉન્ન થઈ આવી. ચીંતા તે મહા ભયંકર છે કે તે એક ચીતા સમાન જ છે. ચીંતા મનને અને શરીરને કઈ પણ પ્રકારના સુખમાં મોટું વિઘકારક એક જંગલી પશુની માફક ફાડીખાનાર ઝેડ છે. ચીંતાની લાહ્ય અગ્નિ કરતાં પણ બહુજ બુરી છે કારણ કે અગ્નિત એકદમ પિતાને પ્રકાશ દે છે તેથી દુઃખ જલદી નાશ કરે છે પણ ચીંતાતે એક એ અગ્નિ છે કે જે છુપીરીતે રીબી રીબીને હાડ માંસને વિનાશ કરે છે. ચીંતાએ કરીને કેટવાલની ભુખ અને તરસ બન્ને ઓચીંતા ઊડી ગયાં એમ કરતાં છ દીવસ તો વીતી પણ ગયા પણ ચેરનો કાંઈ પત્તા મળે નહીં. સાતમે દીવશે જયારે કેટવાલ રાત્રીનાવિશે નગર ચરચા જવા નીકળે ત્યારે મધ્ય રાત્રીના સુમારે ઈદ્રદત્ત પુરોહીત કે જેને પુત્ર હિંસક છે તેના ઘર પછવાડે કેટવાળ જઈ ચડયો અને તે ઘરમાંથી ઉજાસ બહાર રસ્તામાં પડતો હતો તે દેખીને કેટવાળને પગ જરા ખેંચાશે અને તે ઘરમાં બે જણાં વાતચીત કરતાં હતાં તે સાંભળવાને ઉભે. આ વાત
Page #69
--------------------------------------------------------------------------
________________
હીંસક અને તેની સ્ત્રી વચ્ચે થતી હતી. આ બેલી કહે સ્વામીનાથ તમને ખબર છે કે કાલે આ નગરીમાં એક અન્યાય થવાને છે ત્યારે હીંસક બોલે શું અન્યાય થશે? ત્યારે સ્ત્રીએ કહ્યું કે કેટવાળને કાલે રાજા સુળીએ દેશે તે મોટું અકાર્ય થશે. એ કોટવાળ ફરીને મળ બહુજ મુશકેલ છે. આ સાંભળી હીંસક બોલે, હે! સ્ત્રી, એ કેટવાળ ઉગરે નહીં, એ ચોર કોટવાળને ન મળે, કેટવાળ કેમે કરી છુટે નહી. સ્ત્રી આ સઘળું સાંભળી બેલી કે હે સ્વામી એ ચેર કેટવાળને ન કેમ મળે છે ત્યારે હીંસક બે કે એ વાત કંઈ અત્યારે ન કહેવાય પણ સવારે તેને કહેશું. રાત્રે કઈ પણ વાત કહેવી નહી:–
દિવા નિરત વક્તવ્યું | રાત્રે નેવચનેવચ In સંચર તિ મહા ધુર્ત | વદે વિપ્ર રૂચિર્જયા
આ વાત ઉપરથી કેટવાળ જ બહાર ઉભે હતું તેના મનમાં થોડો ઘણે શકતો ઉત્પન્ન થયે પણ હવે શું થાય છે ને સાંભળવાને રસીક થઇને કાન માંડી ઉમે રહ્યો. એ પ્રમાણે લેક સાંભળી સ્ત્રી હઠ લઈ ખાટલીથી નીચે ઉતરીને કહેવા લાગી કે હું તે આ જમીન ઉપર સુતી છું. તમે મારાથી એવી વાતને પડદો રાખે છે તેટલી જુદાઈ જાય છે. ત્યારે હીંસક બે -ઠીક પણ તું અહીં આવ હું તને કહું છું.
Page #70
--------------------------------------------------------------------------
________________
આથી સ્ત્રી બેલી કે કહે ત્યારે આવું. તે હીંસક બે કે એ તો મેં માર્યો છે. સ્ત્રી કહે તમે સ્વામી તે ઘેટાને કેમ માર્યો. ત્યારે હીંસક બે –આજથી આઠમા દીવસ ઉપર હું દરવાજે ઉભો હતો ત્યાં કર્મ સંગે ઘેટે પણ આવી ચડયે તેને દેખી મારી ઇચ્છા તેનું માંસ ખાવાની થઈ તેથી તેને કાને ઝાલીને એક ખાઈમાં લઈ ગયે અને મારી નાખ્યું અને મેં તેને પકવી કરીને ખાધે. સ્ત્રીએ કહ્યું કે તેના હાડકાં ચામડાં ક્યાં નાખ્યાં ત્યારે હીંસકે તે ઠેકાણું પણ કહી સંભળાવ્યું. ત્યારે કહે તે ઘેટાની વાળી વીંટી કયાં ત્યારે હીંસક કહે તે આપણી પેટીમાં છે. તે સાંભળી સ્ત્રીએ કહ્યું કે સ્વામી તમે ઘણું જ અઘટતું કામ કીધું. એક્ત રાજાની આજ્ઞાને ભંગ કીધે અને તેને પ્રાણવલભ ધેટે માર્યો. એ પાપ તમને લાગશે. ત્યારે હીંસક કહે કે અરે! સ્ત્રી તું શું જાણે એવા અનેક પાપ મારા પછાડી વળગ્યાં છે. એટલી વાત થઈ અને સ્ત્રી પુરૂષ બંને સુઈ ગયાં.
હવે કેટવાળ એ પ્રમાણે સઘળી બીના સાંભળીને મનની ચીંતાથી અળગો થયે અને સુખે ઘરે જઈને સુતો. સવાર થઈ અને રાજા રાજસભામાં આવ્યા અને કેટવાળને બોલાવવાને હુકમ કર્યો. ત્યારે માણસે કેટવાળને બેલાવવાને ગયાં અને તેમને જોઈને કે
Page #71
--------------------------------------------------------------------------
________________
વાળની મા કહેવા લાગી કે કોટવાળ હમણાં નિદ્રામાં છે જાગશે એટલે આવશે, એટલે માણસે પાછાં આવ્યાં અને રાજાને ખબર કરી ત્યારે રાજાએ કહ્યું કે સુખવિના નિદ્રા ન હેય માટે ફરી જાઓ અને તેડી આવે. ત્યારે કેટવાળ સ્નાન ભેજન કરીને રાજય દરબારમાં આવ્યું અને રાજાએ તેને પુછયું કે કેમ કોટવાળ, તમે ચેરને પેદા કર્યો. ત્યારે કોટવાળ બો કે હા, મહારાજ ચેર પેદા કીધે છે. જે આપ સીપાઈને હુકમ આપે તો બોલાવી આવે. તે વખત રાજાએ માણસે મોકલવાનો હુકમ આપે એટલે કેટવાળે પરહીતને ઘરે તપાસ કરવાને જાસુસે મોક૯યા. જાસુએ પુરોહીતના ઘરમાંથી પેટી. એનાં તાળાં તેડયાં અને ઘેટાની વાળી વીંટી કાઢી લાવીને રાજાના મુખ આગળ મુકી. કેટવાળે ઘેટાના હાડકાં તથા ચામડાની જગ્યા ઉપર પણ બીજા દસ માણસેને મોકલ્યાં હતાં તેપણ લઈને આવ્યાં અને રાજાને દેખાડ્યાં. હવે રાજાએ કેટવાળને કહ્યું કે એને ચેર કેણ છે ત્યારે કોટવાળે કહ્યું કે પુરેહીતને પુત્ર હીંસક તે આપના ઘેટાને ચાર છે. આ ઉપરથી રાજાએ હુકમ કર્યો કે તેને શુળીએ ચડા. આથી પુરેાહીત કહે મહારાજ, મારે એકજ પુત્ર છે તે માટે તેની બરોબર સેનું લ્યો. રાજાએ એ
Page #72
--------------------------------------------------------------------------
________________
વાતની ના કહી અને કહ્યું કે હું તેને કદીપણ છેડનાર નથી. એ માટે પુરોહીતે સાતગણું દ્રવ્ય આપવા માંડયું પણ રાજા કહે ને એને મુક નથી. વિરે નિત્તાના ન લઈ પમતે તે માટે સંકટ પડે ધર્મ આડો આવે છે પણ ધન આડું આવતું નથી એ નક્કી સમજવું. હવે રાજાએ કેટવાળને કહ્યું કે ખંગ ચંડાળને બોલાવીને હીંસકને તેના હવાલે કરે. કેટવાળે અંગ ચંડાળને તેડવાને માણસ મોક૯યું. આ ખબર અંગ ચંડાળે સાંભળી કે મને રાજાના માણસે તેડવા આવે છે ત્યારે અંગને તે પ્રતિજ્ઞા છે તે એવી રીતે કે –એક વખત ખંગ ચંડાળ વનમાં ચાલે જતો હતો તેવામાં તે વનમાં તેને એક સાધુનો મેળાપ થયો અને તે સાધુને ખંગ પગે લાગ્યું અને બે કે મહારાજ મને ધર્મ સંભળાવે ત્યારે સાધુ મહાપુરૂષે કાઉસગ ધારીને ઉપદેશ દીધે. ઉપદેશને અંતે ખંગ કહે સ્વામી અગડ કરાવો ત્યારે ગુરૂ કહે તું અનાર્ય તને શી અગડ. ત્યારે તે બે જે જાણે તે પણ એક અગડ કરાવિ. તે વખતે ગુરૂ બે કે ચાદશને દહાડે પગેંદ્રિ જીવને ઘાત કરીશમાં. એ અગડ લઈ ઘરે આવ્યું. હવે જે દીવસ રાજાના માણસ આવતાં તેણે જોયાં તે દીવસ ચાદશનો હતો તેથી તે મોટા વિચારમાં મુંઝાવા લાગે. સ્ત્રીને કહેવા લાગ્યો કે હું ઘરમાં છુપી
Page #73
--------------------------------------------------------------------------
________________
જાઉં છું અને તું રાજાના માણસને એમ કહે છે કે તેતે ગામ ગયા છે. એમ કહીને ઘરમાં ગયે. છેડા વખતમાં રાજદૂતે આવી પહોંચ્યા અને તેમને તેની સ્ત્રીએ કહ્યું કે એતો ગામ ગયા છે ઘરે નથી. આથી રાજાના માણસે તેના ભાગ્ય વિષે શોક કરીને બોલ્યા કે અરે ! આજે તો પુરોહિતના પુત્રને સુલીએ ચડાવ વાને છે અને તે અભાગીએ ગામ ગયે છે કારણ કે તે પુરોહીત પાસે બહુ ધન છે તે જે એ હેત તે પામતે પણ તેના કમનસીબ છે એટલે કેમ મળે. ત્યારે લેભથી લલચાઈને તેની સ્ત્રીએ ઇશારત કરીને તેમને કહ્યું કે જાઓ તે ઘરમાં છુપાઈ ગયો છે તેડી જાઓ. આથી રાજદૂતોએ ઘરમાંથી તેને કાઢો અને એ રીતે તેને લઈને ચાલ્યા. પાધરા રાજાની પાસે તેડી ગયા તેથી રાજાએ કહ્યું કે અરે અંગ આ પુરે હીતના છોકરાને શુળીએ દે. ત્યારે અંગ બોકે–આજતિ મારે અગડ છે અને કાલ કેહેશે તે કરીશ તેથી રાજાને ઘણો જ ક્રોધ ચડે તેથી કહ્યું કે અરે! કોટવાળ સાંભળ એ ચંડાળને અને હીંસકને બનેને પાછળ બાંધીને તીગછદ્રહમાં ઉડાડી નાખે. એવું રાજાનું વચન અંગીકાર કરીને બેને અવળે બંધને બાંધીને કેટવાળ લઈ ચાલે તેથી ગામમાં હાહાકાર થઈ રહ્યો અને લેકે કહેવા લાગ્યા કે અરે ! આ નિરઅ
Page #74
--------------------------------------------------------------------------
________________
પરાધી બિચારા અંગને મારવા શું કરવા લઈ જાય છે. પણ અંગ મનમાં વિચાર કરતો હતું કે પ્રાણ જાય તો ભલે પણ વ્રતને દુષણ કેમ લગાડું? એમ વિચારમાં તે ગછદ્રહમાં ગયા તે વખતે કેટવાળ કહેવા લાગ્યું કે હવે તમારે જે જે સમરવાના હોય તેમને સમરી ૮ એમ કહીને ઢળી પાડ્યા તેથી હીંસકને તે પડતાં માંજ મગરે પ્રાણ લઈ લીધે અને ખંગને તો સાસન દેવીએ તરતજ એક સીંહાસન તે જળમાં રચીને તેના ઉપર ખંગને બેસાડે. માથે છત્ર ધયાં આગળ બત્રીસ બદ્ધ નાટિકા. આ જોઈને કોટવાળ મનમાં મોટું વિસ્મય પામ્યું. રાજાને તેડાવ્યા અને રાજાએ સર્વ મહેચ્છવ દીઠે. રાજાએ ખંગને હેઠે ઉતાર્યો અને ઘણા માન સાથે ઘરે લાવ્યા. ધર્મને પ્રભાવે તે આ ભવે અને પરભવે સુખ પામે.
દેહશ. ધરે ધર્મ મનમાં તમે, ઠરે સુખને કામ; પાપ પુજને પરહરે, તે હરે દુઃખ તમામ.
બુદ્ધિ ઊપર શ્રીદત્તની કથા.
વસંતપુર નામે નગરીને વીશે અજીતસેન નામે રાજા રાજય કરતો હતો. તેને સુબુદ્ધિ નામે પ્રધાન અને સાહસબુદ્ધિ નામે કેટવાળ હતો. તે નગરમાં
Page #75
--------------------------------------------------------------------------
________________
ધના નામે શેઠ હતો તેને ચાર પુત્ર હતા. તે ચારમાં શ્રીદત્ત નામે નાના પુત્ર હતો. તે શ્રીદત્તને નીશાળમાં ભણવા માટે મુકો. ભણીને પુરૂષની ૭૨ કળાવાળો છે અને તેમાંથી એકેર કળા તો તેણે જાતેજ અજમાવી જોઈ અને તે સર્વમાં સારી રીતે ફાળે ત્યારે બહેતરમી ચેરીની કળા અજમાવવાને તેને નિશ્ચય . એ મુજબ તે નગરમાં એક સિંહદાસ નામે વેપારી વસતો હતો તે ઘણેજ ભાગ્યવંત હતા અને તેને ધરે ઝવેરીને ધંધે હતો તેને ઘરે શ્રીદન આવ્યું. આ વખતે સિંહદાસે શ્રીદત્તને ઘણું જ માન આપ્યું તેથી સિંહદાસને શ્રી દત્તે પુછ્યું કે તમારે ઘરે કાંઈ ઝેર છે ત્યારે સિંહદાસ બે કે તમારે જોઈએ એટલાં છે; તેથી શ્રી દત્ત કહે દેખાડે ત્યારે. આ ઉપરથી શ્રી દત્ત સાથે શેઠ બીજે માળે ગયા. ત્યાં જઈને ને પેટી ઉઘાડી અને તે ઉઘાડયા પછી શ્રીદત્ત પડેલા પેટીના તાળાની કુચીઓ જોઈ લીધી અને મીણની ગોટી ઉપર એ કુચીની છાપ દબાવી લીધી. આટલું જ કામ હતું તેથી શેઠે ઝવેર બતાવ્યાં પણ લેવાં કરવાં તે ન હતાં તેથી દસ હજારના માલની પાંચ હજાર કીમત આપવાનું બેલીને સાટું બને તેવું કર્યું નહીં તેથી શ્રી દત્ત પાછા ઘરે આવ્યું. પેલા મીણની ગોટી ઉપર કુંચીની છાપ હતી તે ઉપર શ્રીદત્તે નવી કુંચી
Page #76
--------------------------------------------------------------------------
________________
એ ઘડાવીને પાસે રાખી અને એક ચંદન પણ મંગાવીને પાળી. એક દીવસના સમયે શ્રીદત્ત અરધી રાતે ચંદન લઈને ઘરેથી બહાર ચાલે. જે નીકળે તેજ સિંહદાસના ઘર પછવાડે આવ્યો અને ઘના બે ઉંચે ચડે. ગેખમાં આવ્યો અને જુએ છે તે બાપ દીકરે બેઠા છે તેમાં બાપ ઢોલીયા ઉપર બેઠા છે તેની સામે દીકર નામું લખે છે. આમ થોડી વખત સુધી શ્રી દત્ત જોઈને છુપે ઉભે રહ્યો પણ જ્યારે બાપને કાં આવ્યાં અને સુઈ ગયે ત્યારે દીકરાએ વિચાર્યું છે બાપ સુઈ ગયા અને હું શું કરવાનું જાણું ચાલ જીવ જઈને સુઈ રહીએ એમ કહીને સુઈ જવાને બીજા ઓરડામાં ગયે. પછી શ્રી દત્ત તેની જગ્યાએ ચોપડા પડયા હતા ત્યાં જઈને બેઠે એટલામાં સાહસબુદ્ધિ કોટવાળ-રસ્તે થઈને જાતે હત તેણે ઉપર દી જોઈને કહ્યું કે કોણછેરે! અત્યા રે, શેઠ જાગો છે કે, ત્યારે શ્રીદો ખંખારે કર્યો એટલે કેટવાળે જાયું કે ઘરને ધણી હશે. તેથી ચાલે ગયો. પછી શ્રીદત્તે પાધરો પેટીઓ પાસે જઈને કુચીએ બેસાડી તાળાં ઉધાડયાં અને માંહેથી ઝવેરના દાબડા લઈને પાછું તાળું વાશી દીધું અને કુંચી લઈ ખડકીને રસ્તેથી ઘરે આવ્યો અને દાબડા ઘરમાં મૂકીને પિતાના કામે લાગ્યું. એમ છ મહીના વીતી ગયા
Page #77
--------------------------------------------------------------------------
________________
અને સિંહદાસને ત્યાં કેઈ ઝવેરને ગ્રાહક આવે
ત્યારે પેટીમાં જુએ ઝવેરના દાબડા મળે નહીં. સિંહદાસે પિતાના ઘરમાં સહુને પુછયું પણ કોઈએ જવાબ આપે નહીં કે અમે લીધા છે તેથી તે સિવું દાસ રાજા પાસે ગયે. ત્યાં જઈને તે ફરીયાદ કરવા લાગ્યા કે અરે ! મહારાજ, મારાં બે લાખ રૂપિયાના ઝવેર દીધેલાં તાળાં છે છતાં કેઈ લઈ ગયું. આપનાં રાજયમાં આમ ચેરીઓ થાય છે કેમ કહેવાય. આપ શેહેરમાં ચકી પર સાચવે છે તે કેવા પ્રકારને છે કે દીધેલાં તાળાં છતાં મારા ઘરમાંથી બે લાખ રૂપી આની ચોરી થઈ ગઈતે આપના રાજ્યમાં એવા ચર કેમ હોવા જોઈએ. ત્યારે રાજાએ ક્રોધ ચઢાવે અને કોટવાળને બેલા. અરે! કોટવાળ, તે કેટવાવાળ કહે છેરાજ આ સિંહદાસ વેપારીના ઝવેર ઘરમાંથી ગયાં અને ડાં ઘણું નહીં પણ બે લાખ રૂપીઆના ગયાં તે તું શહેરની કેવી રીતે ચેકી કરે છે તે કાંઈ મારાથી સમજી શકાતું નથી. જે એ બે લાખ રૂપીઆનાં ઝવેરને ચેર ૭ દિવસની અંદર પેદા કરજે નહીં તે તને ગરદન મારીશ એમ કહી કેટવાલને રજા દીધી. પછી સિંહદાસને રાજા કહેવા લાગે કે અરે! શેઠ, તમે હાલમાં તે ઘરે જાવ અને સાત દીવસમાં તમારાં ઝવેરજે પેદા થશે તે કરી
Page #78
--------------------------------------------------------------------------
________________
આપીશું નહીંતો અમારા ભંડારમાંથી તે ઝવેરની કીમત તમે લઇ જજે તેથી શેઠ ઘરે આવ્યું.
હવે કેટવાળે વિચાર કર્યો કે જે માલ છ મહીંનાથી ગએલે છે અને જેને માટે પગ કે પગેરૂં કાંઈ માલમ પડવું મુશકીલ છે તે મારાથી કેમ પેદા થશે. એવી મહાઘોર ચીંતામાં પડ.
ચીંતાસે ચતુરાઈ ધરે, ઘટે રૂ૫ એર રંગ, ચીંતા બડી આભાગ્યણી, આગ વિણ બાળે અંગ.
એમ ચીંતામાં ડૂબી કોટવાળ સાતમા દીવસ સુધીમાં અરધ થઈ ગયે. સાતમાં દિવસની સવે અરધી રાત્રીને સમય થ છે તે વખત કોટવાલ ચાલ્યો જાય છે તેવામાં એક હાટે દી બળતો જેછે અને પુછયું કે કોણ છે ! અત્યારે. ત્યારે હાટમાંથી શ્રીદત્તે ખંખારે કર્યો એટલે કેટવાળ હાટમાં ગયે. ત્યાં આસન મળ્યું પાન સોપારી અને આદરમાન પણ મળ્યું. કોટવાળે પુછયું કે કહે શેઠ તમારા બાપનું નામ શું ત્યારે કહે કે બાપનું નામ ધના છે અને મારું નામ શ્રી દત્ત છે. ત્યારે કેટવાળે કહ્યું કે કહે શેઠ આજથી છ મહીનાની વાત ઉપર તમે શ્રી સિંહદાસ શેઠને ત્યાં અરધી રાત્રે દી બળતિ જોઈને મેં પુછું કે કેરણ છેરે ! ત્યારે ખૂંખાર કર્યો અને ત્યાં બેઠા હતા તે ખૂંખારા જેજ આજ
Page #79
--------------------------------------------------------------------------
________________
પણ ખારે સાંભળીને હું આવ્યું છું માટે તેના બે લાખ રૂપીઆના ઝવેર ચોરનાર તો તું જ છે. ત્યારે શ્રીદત્ત બે કે તમે પણ પાદર દેવી જેવું કરવા માંડયું. ત્યારે કેટવાળ કહે તે કેમ. ત્યારે શ્રદત્ત કહે કે કેઈ એક ગામને પાદર દેવીનું સ્થાનક હતું તે દેવીનું નામ પાદર દેવી હેવાથી સહકનેથી બળ ભાગ લેતી હતી અને કહેતી હતી કે તમારાં વિને હરૂં છું તેવામાં કઈ ઠગ માણસ હતો તેણે દેવીને કહ્યું કે કહે દેવી તમારે શીર વિક્ત આવશે ત્યારે શું કરશો ત્યારે દેવીએ કહ્યું કે ગામ માથે ઉડાડી નાખીશું માટે તમે પણ એ દેવી વળે ઘાટ કરો છો ત્યારે કેટવાળ કહે તેતો સવારે વાત છે એમ કહીને કેટવાળ નિશ્ચિત પણે ઘરે જઈને સુતે અને સવાર થઈ એટલે રાજાએ કેટવાળને તેડાવ્યો તેથી કેટવાળ રાજદરબારમાં જયાં રાજા કચેરી ભરી બેઠો હતો ત્યાં આ
બે ત્યારે રાજાએ પુછયું કે કેમ ચાર પેદા કર્યો ત્યારે કેટવાળ બોલે કે મહારાજ, ધનાવા શેઠને પુત્ર શ્રીદત્ત ચાર છે. એ ઉપરથી રાજાએ હુકમ કર્યો કે તરતજ માણસે શ્રી દત્તને તેડી લાવ્યા. રાજાએ તેને કહ્યું કે મારો કોટવાળ ખોટું બોલે નહીં માટે તું ચેર છે. ત્યારે શ્રીદત્ત કહે મહારાજ મુજને જાણે તે દ્વીપ કરાવે ત્યારે રાજાએ પ્રધાને અને કોટવાળ સર્વે એ મળીને વિચાર્યું અને કહ્યું કે આપણા નગરની રખવાળ
Page #80
--------------------------------------------------------------------------
________________
199
કાળીકાદેવી છે તેને પરતે ઘણો છે ચોરને મારે અને શાહુકારને કાઢી મુકે એહના મંદીરમાં આજની રાત્ર રહી પ્રભાતે વહેલા આવજો ત્યારે શ્રી દત્ત કહે સ્વામી એ વાત પ્રમાણ છે. ત્યારે રાજા કહે હમણા ઘરે જાઓ સાંજે વેહેલા આવજે એમ કહી સહુ સ્થાનકે ગયા. સાંજને સમે શ્રી દત્ત દેવીને દેહેરે આવ્યું અને રાજા પણ દેવીને દેહેરે આવે એટલે શ્રી દત્ત સર્વ પિતાના સગાં વહાલાં તથા રાજાને મળે અને દેવીને દેહેરે જઈને બેઠે અને દેહેરાના બારણું પોતાની મેળે દેવાયાં અને રાજા દેવળ પાછળ ચેકી મુકીને ઘરે ગયે. પછી દેવી પાસે જઈને શ્રીદત્ત ફળ ફુલ અને ઘીને દી તેના મુખ આગળ મુકયાં અને બેઠે. જયારે રાત એક પહોર ગઈ ત્યારે દેવી વાઘ ઉપર બેસીને ત્રીસળી આયુધ હાથમાં લઈને વિકરાળ રૂપ લઈને આવી ઉભી રહી અને પાણીના જણ્યા કરવી ચોરી અને થાવું સાચું. એમ કહીને બલકે તારે જેને સમર હોય તેને સમરી લે હું હવે તને મારીશ. તે વખતે શ્રી દત્ત હાથ જોડી દેવીના મુખ આગળ ઉભે રહ્યા અને કહેવા લાગ્યું કે માતા મારાં એવાં ભાગ્ય કયાંથી હોય કે તમારે હાથે મરણ થાય પણ માતાજી સાંભળે મારી વાત એક મારા મનમાં સારો છે તે સાંસે તમે ટાળે પછી મને મારો. ત્યારે દેવી કહે
Page #81
--------------------------------------------------------------------------
________________
કે તાહરા સાંસાની વાત તું મને કહેતા ખરે. તે સમયે શ્રી દત્ત બે માતાજી વાત કહું અને સસે ટળે નહીં તે શા કામનું તેથી દેવીએ કહ્યું કે જે તારે સંદેહ ન ટળે તે મારે કેલ છે કે તેને મારો નહીં સંદેહ ટળે તોજ તને મારે. એવું વચન આપ્યું ત્યારે શ્રીદત્ત મનમાં હર્ષ પામ્યો. શ્રીદત્ત વાત કહેવા માંડી –એક વટ્ટપલી નામે ગામ છે તે ગામમાં એક બાપદીકરે બે કણબી રહેતા હતા તે કર્મ સંગે બાપ અને દીકરે બે જણા રંડાયા અને બનની સ્ત્રી મરી ગઈ. ત્યારે બે જણા ઘરઘરણું કરવાના વિચારથી બીજે ગામ જવાને નીકળ્યા. આગળ રસ્તે બે ચાર દીવસ ચાલ્યા ગયા ત્યારે એક રૂદ્રાપલી નામે ગામ આવ્યું ત્યાં રાત્રી ગાળીને સવારે ચાલી નીકળ્યા. ત્યારે તેમને સુકન થયાં તેથી બાપ કહે કે દીકરા આ સુકન એમ કહે છે કે આપણા આગળ બે સ્ત્રીઓ ચાલી જાય છે તેમની સાથે આપણે સંબંધ થશે. માટે આપણે આગળથી વરીએ ત્યારે પુત્ર કહે નાના પગવાળી મારી અને મેટા પગવાળી તમારી. એમ વિચાર કરી ચાલ્યા જાય છે તેવા માં આગળ જતાં એકઠા થયા. તે વખતે તેઓ સ્ત્રી પ્રત્યે પુછવા લાગ્યા કે તમે કોણ છો અને કયાં રહે છે તે સ્ત્રીઓએ જવાબ આપે કે અમે રૂદ્રપલીમાં રહીએ છીએ કણબી જાતના છીએ અને મા દીકરીના
Page #82
--------------------------------------------------------------------------
________________
૭ર સગપણમાં છીએ. અમારે બેને રંડાપો આવે ત્યારે અમે બે જણીઓ ઘરમાંડવાને નીકળીને જઈએ છીએ. ત્યારે સ્ત્રી કહે તમે કોણ છે ત્યારે તેઓ કહે કે અમે પણ કણબી છીએ અને એજ કામે નીકળ્યા છઈએ. ત્યારે સ્ત્રીઓ કહે આ આપણ માંહામહે ઘર માંડીએ. તેથી એઓએ ઘરમાંડયાં. તે કેવી રીતે કે નાના પગવાળી માને તે દીકરે પર અને મોટા પગવાળી દીકરીને બાપ પર. તેમ કરીને ઘરે આવ્યા અને બંનેને દીકરા આવ્યા માટે હવે તમે કહે માતાજી એ બે બાલક શું સગા થાય. ત્યારે દેવીં મહા વિચારમાં પડી ગઈ, વિચાર કરતાં પહેાર બે પહેર ચાલ્યા ગયા પણ સગપણ કઈ પ્રકારે મળ્યું નહીં. ત્યારે દેવીએ કહ્યું કે અરે પાપી એમ કરીને તું મને છેતરવાને આવ્યો છે તેથી શ્રી દત્ત બે દેવી રાત હજી બે પહેર પડી છે તમે આકળાં થાઓમાં, સ્થીર ચીતથી વિચાર કરીને મને કહે અને હું તે તમારા દરબારમાં હાજર છું અહીંથી ક્યાં જાઉં તેમ હતો. તમે વચન ભંગ કેમ થશે. એમ કહીને હાથ જોડીને શ્રી દત્ત ઉભે રહયે. દેવીએ વિચાર કરી કરીને થાકી ગઈ અને સવાર પણ થઈ ગઈ. ત્યારે બારણું ઊઘડયાં અને શ્રી દત્ત બહાર નીકળ્યો. ચેકીદાર શ્રીદત્તને લઈ દરબારમાં આવ્યા અને રાજાને સલામ કરી અને રાજા
Page #83
--------------------------------------------------------------------------
________________
એ માણસ કલી કેટવાળને તેડાવે અને કેટવાળા રાજા પાસે આવે અને કહેવા લાગ્યું કે શ્રીદત્તને રજા આપે અને મને ધારે તે કરે. ત્યારે રાજાએ કહ્યું, જાએ કોટવાળને સુળીએ ચઢાવો. ત્યારે શ્રીદત્તા રાજાને પગે લાગ્યું અને કહ્યું કે મહારાજ ગુનો માફ કરો તો એક વાત કહું; તેથી રાજા કહે સાત ગુના માફ. તે વખતે શ્રી દત્ત બોલ્યો કે આ સારો. બુદ્ધિવાળે કેટવાળ કેમ મારી નખાવે છે કે જેણે મારે છઠે મહીને ખોંખારે ઓળખ્યા. પછી સર્વ વાત તેણે રાજાને વિરતારથી કહી સંભળાવી. તે સમયે સજા અને બીજા મોટા લોકેએ શ્રીદત્તની બહુજ પ્રસંશા કરી અને કહ્યું કે શાબાશ તારી બુદ્ધિને માટે ત્યારે શ્રીજો દાબડા ઝવેરથી ભરેલા અનામત લાવી. સજા આગળ મૂક્યા તેથી રાજાએ પુછયું કે, તારું આટલે બધો પ્રયાસર શા માટે કરવા પડે ત્યારે શ્રી દત્ત કહ્યું કે બહોતેરમી કળાની પરિક્ષાને માટે. એટલી મહેનત મેં કરી. આ વખતે રાજા તેના ઉપર બહુજ ખુશી થયા અને તેને સર્વથી મટે. પ્રધાન કરીને સ્થાએ અને પછી શ્રીદ કોટવાળને ઘણું જ ભાન આપ્યું અને સિંહવસને તેના ઝવેર. સર્વે અનામત આપ્યાં. શ્રી દત્ત સુખ પામે...
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૫૦
અમરત અને શ્રી મતીની
.
શ્રી વસંતપુર નગરમાં અરીમર્દન નામે રાજી રાજ્ય કરતા હતા તે નગરમાં સુમિત્ર નામે શેઠ વસતે તેને ચાર પુત્ર હતા અને એક પુત્રી હતી. તે પુત્રીનું નામ શ્રીમતી હતું અને તે માતા પીતાને બહુજ વહાલી હતી. તેને વિદ્યાભ્યાસ સારે કરાવ્યું હતું અને તેથી બહુજ સમજુ હતી. તે જયારે જોબન અવસ્થામાં આવી ત્યારે માતા પિતાને તેનો વિચાર થયો. આ વિચાર તે પુત્રી સમજી ગઈ અને જાણયું કે રખેને કહ્યપી મારાં માબાપ મને કેઈ મુખે અભણ વર સાથે પરણાવી દેશે તે મારે જન્મ વૃથા જશે માટે
ચંદનકી ટુકડી ભલી, અવર કાઢકા ભાર;
પડીતકી ઘડી ભલી, મુરખી જમવાર હું મારી બુદ્ધિવડે કઈ સદગુણ વર શોધી કાઢે. એમ વિચાર કરીને એક સમયે મધ્ય રાત્રીનો સમય થવા આ જોઈને દાસીને કહેવા લાગી કે અરે ! બસી તું આ વખત ચટામાં જઈને એક પુરૂષ કે જે પાંચ જગ્યા પર ચાટામાં ફરે. તેને બોલાવી લાવ, દાસીએ પુછયું કે પાંચ જગ્યા કઈ તે મને સમાશ્રીમતી બોલી કે જે પ્રથમ માળીને ત્યાંથી ફુલ લે, પછી કદાઈને ત્યાંથી સુખડી લે, તંબલીના
Page #85
--------------------------------------------------------------------------
________________
હોટેથી પાન લે, સરૈયાની દુકાનેથી અત્તર, અરગજ અને ચુઆ ચંદન લે અને ગાંધીની દુકાનેથી સેપારી તથા લવંગ લે. એવાં પાંચ ઠેકાણે જે પુરૂષ કરે તેને
લાવી લાવ. એ સાંભલી દાસી ચાટે ગઈ ત્યારે ત્યાં એક પુરૂષ ઘણો જ સુંદર એ પાંચ ઠેકાણે ફરતા જાય તેથી સમસ્યા કરીને ચાલી એટલે તે પુરૂષ પણ તેની પાછલ ચાલે. આગળ જતાં ધરનાં પછવાડે તે પુરૂષવે કહ્યું કે સ્વામી તમે અહીં ઊભા રહે; હું ઉપર જઈ માંચી મુકું તેમાં બેસી આપ ઉપર આવજે. દાસીએ ઉપર જઈ માંચી મુકી તેથી તેમાં બેસી ઉપર ચઢો. ઉપરથી દાસી કહે કે સ્વામી ત્રીજે મજલે આપ પધારે તેથી તે ત્રીજે મજલે ગયે. ત્યાં શ્રીમતીએ એક તાલી બજાવી અને દાસી પાસે ઉનું પાણી મંગાવ્યું અને તેથી નહાય તથા દાસીએ લુગડાં આપ્યાં તે પણ પહેર્યાં. એ પછી શ્રીમતીએ બીજે માળે દીધે ત્યારે કહે કે વધારે ઓરડામાં તેથી તે અંદર ઓરડામાં ગયે. હવે ત્રીજો ટાળો દીધું અને કહ્યું કે ફીટ રાંડ! આ મુરખને શું તેડી લાવી છું જા તેને કાઢી મુક. એમ કહી હેઠ
તાર્યો પણ હેઠે ઉતરતાં દાદર પછવાડે છુપાઈ રહે. વલી દાસીને કહ્યું કે એજ બીજે ચતુર પુરૂતેડી આવ. ત્યારે દાસી વળી ફરીથી નીકલી અને
Page #86
--------------------------------------------------------------------------
________________
નીજ રીતે બીજા પુરૂષ તેડી આવી. ઘર પાછળ ઉભા રાખ્યા અને માંચી સુકી ઉપર લીધે. પાણી આપી નવડાવી દેવડાવી વસ્ત્ર પહેરાળ્યાં અને અંદ૨ ઓરડામાં લીધે. ત્યારે ત્રણ તાળીઓ થઈ અને શ્રીમતી બેલી સે ઢેલીએ એટલે તે પુરૂષે માથાની પાઘડીમાંથી લીંબુ કાઢી લીઆ ઉપર નાખીને બેઠો અને કુંવરી પણ હેલીએ ચડીને બેઠી. તે વખતે શ્રીમતીના હાથમાં છુટાં ફુલને દડે હતું તે તેણે ઉંચે ઉડાવે ત્યારે ફુલ જુદાં થઇ ગમાં ત્યારે તેણે હિંઠે થઈ એક ફુલ હાથમાં લઈને તેની પાંખડી એક તેડી નાંખી તે વખતે શ્રીમતીએ માબાપનાં નામ પુછત્યાં ત્યારે તેણે કહ્યું આ નગરમાં ધન વસે છે તેમની ધનવતી ભાર્યા તેમને પુત્ર હું છું અને મારૂં નામ અમરદત્ત છે. એ સાંભલી શ્રીમતીએ એક પિતાની ઓઢણી તથા પાનસોપારી લઈ અમરદત્તના ખેલામાં મુક્યાં ત્યારે અમરદત્ત માથે ચડાવી રજા માગી ઉઠી નીકળે. તે વખતે પ્રથમને પુરૂષ આ સઘળું ચરિત્ર જે છુપાઈને જેતે હતો તે હવે રહીને આગળથી ચાલ્યા ગયે. અમદત્ત પણ ઘરે ગયે. પ્રથઆ પુરૂષ રાજીને પુત્ર હતો અને તેનું શ્રીમતીએ અપમાન કર્યું તેથી તે ઘણેજ ખેદ પામે અને સવાર થતાંજ રીસાઈ જવાનો ઢોંગ કરીને તે ઘોડાની ઘોડાર
Page #87
--------------------------------------------------------------------------
________________
માં જઈને તુટલ મેટલ ખાટલી લઈને સુતે. એ ખબર રાજાને થઇ તેથી રાજા તેની પાસે આવીને પુછવા લાગ્યો કે કુંવર શા માટે તું રીસાણો છે? તેથી રાજ કુમારે રાત્રીની સર્વ હકીકત કહી ત્યારે રાજાએ કહ્યું કે તેમાં શું છે તમે દરબારમાં આવે એટલે કચેરીને વખત હોવાથી અમરદત્તને તેડાવીને તેને નિર્ણય કરી શું. રાજ તથા કુંવર કચેરીમાં આવ્યા અને રાજદૂતેને મોકલીને અમરદત્તને બેલા. રાજાએ તેને આદર સત્કાર કર્યો અને બેસાડીને પુછ્યું કે રાત્રીને ખેલ થયે તેને અર્થ તમે સમજો તમને બીજા બધા ગુના માફ છે. અમરદત્ત કહે સ્વામી, હું તો કશી વાત જાણતો નથી. રાજાએ બે ચાર વાર ફરી ફરીને પુછયું પણ હું તો નથી જાણતો એટલું બોલીને ઉભો રહ્યા. તે વખત રાજાને રીસ ચડી અને કેટવાળને બોલાવીને કહ્યું કે આ માણસને ગધેડે બેસાડીને ગામ બહાર લઈ જાવ પણ શ્રીમતીના મહેલની પાસે થઈને લઈ જજે અને ગામ બહાર જઈને સુલી દે કોટવાળ તેમ કરી લઈને નીકળે. આગળ ઢોલ વાગે છે માણસ પણ હજારે મળ્યાં છે એ જોઈ દાસીએ શ્રીમતીને કહ્યું તેથી શ્રીમતીએ દાસીને એક થાળમાં દુધને વાટકે મુકીને એક સેના મહોર દઇને કહ્યું કે આ લઈ જા તું રસ્તામાં ઉભી રહીને સોના મહેર અમરદત્તને દેખાડીને દુધમાં
Page #88
--------------------------------------------------------------------------
________________
ધઈ ઉપર વડે ફેંકી દે છે. આ ઉપરથી દાસીએ તેમજ કર્યું તે વખતે અમરત્ત નીચા થઈ એક ચમટી ધુળ દેખાડી અને દાસી ઘરે ગઈ. પછી આ રીતની હકીકત રાજાને તરત કેઈએ જઈને કહી તેથી રાજાએ અમરદત્તને પાછે બેલા ને પુછયું કે આ બાબત જે સેનામહેર દેખાડી દુધમાં ધોઈને ઉપર વાડે નાખીતેનું કારણ છે તે કહો. ત્યારે અમરદત્તે કહ્યું કે ના મહારાજ વળી એ શું થયું એ તે મને ખબર નથી. ત્યારે રાજાએ તેને ફરીથી લઈ જવાનું કહ્યું અને આ ખબર શ્રીમતીને મળ્યા તેથી દાસીને મેકલી. આ વખત અડદને લેટ મુઠીમાં ભરીને અમરદત્તને દેખાડીને ફેંકી નાખજે. તે વખત દાસીએ તેમજ કર્યું. આ જોઈને અમરદત્તે ત્રણ ચપટી વગાડી. આથી રાજપુરૂષએ જઈ રાજાને ખબર કર્યાથી રાજાએ અમરત્તને પા છે દરબારમાં બોલાવ્યો અને કહ્યું કે કહો શેઠ એ લેટ કેમ ફેંકો અને તે ચમટીઓ કેમ વગાડી. તેથી અમરદત્તે કહ્યું કે સ્વામી લેટ ફેકતાં મેં જોયું નથી ને ચપટીઓ તે બગાસું આવવાથી મેં વગાડી છે. આથી રાજાએ લઈ જવાને હુકમ કર્યો અને એથી વખત લઈ નીકળ્યા ત્યારે શ્રીમતીએ વિચાર્યું કે એ વાત કહેવાનું નથી અને એ મારે મારે પણ ભરવું. આ વિચાર કરીને બાપની પાસે આવીને
Page #89
--------------------------------------------------------------------------
________________
૭
ને સર્વ વાત કહી અને કહ્યું કે તમે રાજા પાસે જઈને એને મુકો. ધન માગે તે પણ આપજો અને એ વાતને અર્થ જાણવા માગતો હોય તે મને ત્યાં તેડાવજે. હું ત્યાં આવીને સંભળાવીશ. એવાં વચન શેઠે સાંભળીને તે શેઠ નજરાણની ભેટે લઈને રાજાની પાસે ગ૨. ભેટ સુકી પગે લાગે અને હાથ જોડીને કહેવા લાગ્યો કે કહે સ્વામી આ અમરદત્તને આવડી કદ
ના કેમ કરે છે. ત્યારે રાજાએ કહ્યું કે શેઠ અમારો પુત્ર કહે છે કે એ વાતને અર્ય પામું તે અન્ન ખાવું તે માટે આટલું કરવું પડે છે. આ સાંભળીને શેઠ કહે અમરદત્તને પાછા વાળો અને પાલખી મેલી મારી પુત્રીને બેલા એહ સર્વ વાત કહેશે. તેથી રાજાએ તરતજ પાલખી મેકલી શ્રીમતીને તેડાવી શ્રીમતી ત્યાં આવીને બાપને ખોળે બેઠી. ત્યારે રાજા કહે પુત્રી રાત્રીને સર્વ હેવાલ કહે. ત્યારે તે બોલી કે જીરાજ સાંભળે, મેં જાણ્યું કે મારે પીતા રખેને કેય મુરખ વર આપે માટે કેઈ ડાહ્યા ચતુર જઈને વરૂં. એમ વિચારી દાસીને એકલી એક પુરૂષ તેડાવ્યું. તે આવ્યું ત્યારે દાદરે ધમધમ કરતો ચહ અને મે જાયું કે તે માટે મુરખ છે. વળી મેં એક તાળી દીધી. વળી બીજીવાર નાહીને દાસીને હાથોહાથ લુગડાં લીધાં તે વખતે બીજી તાળી દઈને મેં જાણ્યું જે મહા
Page #90
--------------------------------------------------------------------------
________________
મુર્ખ છે. પછી
ત્રીજી તાળી દઈને મેં ત્રીજીવાર પણ તેની પરિક્ષા કરી લીધી તે એમ કે હું બારણા વચ્ચે ઊભીને મે કહ્યું કે માંહે પધારો ત્યારે મને ડાબે પાસે મુકીને પેઠે તે વખત મેં દાસીને કહ્યુ કે તે મુરખને કાઢી મુક. આથી તેને દાસીએ કાઢી સુકા અને બીજા પુરૂષને તેડી આવી તે વખતે તે પુરૂષ દાદરે ચડતા પણ ન જણાયા માટે મેં જાણ્યુ કે બુદ્ધિવાળા છે. વળી નાહીને લુગડાં નીચાં મુકાવ્યાં અને છાંટીને પછી પહેર્યાં તેનું કારણ એમ કે દાસીની અત છે અપવિત્ર અને નહાવું તે પવિત્રપણા માટે તેથી છાંટી લીધાં. ત્યારે તેને મેં મહા બુદ્ધિવાન જાછ્યા. ત્યારે મેં કહ્યું કે માંહે પધારો ત્યારે મને જમણા અંગે મુકીને માંહે પેઠા, જે સ્ત્રી હાય તેને ડાબે અંગે મુકવી બાકી માબેન વગેરે બીજી સ્ત્રીઓને જમણે અંગે મુકવી. વળી ઢાલીએ લીંબુ નાખીને બેઠા તે એમ કે સ્રીને ઢોલીએ પુરૂષ ઓશીકા આગળ બેસે અને મા બેનને ખાટલા હાય તા . પગની તરફ બેસે એમ વિચારીને જે તરફથી લીંબુ ન્યું તે કારે થઇને બેઠા. તે વારે હું પણ ઢાલીએ બેઠી અને ફુલના દડા લઇ ઊડાન્યા અને જણાવ્યું કે આ પ્રમાણે જેમ ફુલ કણ કણ માફક જુદાં થયાં જણાય છે તેમજ આ આપણી વાત સવારે ગામમાં પ્રસરી જશે. ત્યારે તેણે
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૧
એક ફુલના કટકા બે કર્યો અને જણાવ્યું કે મારા કટકા બે કરશે ત્યાં સુધી તે કઈ નહીં જ જાણવા પામે એ તારે ખાત્રી રાખવી. ત્યારે મેં પાનસેપારી અને ઉઢણી આપ્યાં અને તેથી જણાવ્યું કે તું મારે પતી અને હું તારી સ્ત્રી એમ કહીને રજા દીધી. વળી સોનામહેર દુધે ધોઈને બતાવી તેથી એમ જણાવ્યું કે તું અને હું ચેખો અને નિર્મળ મનના છીએ તેથી વાત કહીશ તો હરકત નથી ત્યારે તેણે કહ્યું કે મને મારશે તે એક ચમટી ધુળ ભીંજાશે તો તેને થી શું થયું. ત્યારે વળી તેણે કહેરાવ્યું કે અરે જેમ અડદને લેટ અંદર ઊજલે પણ અડદ ઉપર કાળા હોય છે તેમ આપણે અંદરતો ચોખાં છીએ તેથી વાત કહી દેજે ત્યારે તેણે કહ્યું કે હવે જીવ જતાં આટલીવાર છે ત્યારે શું કરવાને કહ્યું. ત્યારે મેં જાણ્યું કે એ વાત કહેવાને કદીપણ નથી; તેથી મેં મારા પીતાને તમારી પાસે મોકલ્યા; એવાં વચન શ્રીમતીના સાંભળનિ રાજા ઘણેજ પ્રસન્ન થયે, શ્રીમતીને માન સન્માન આપ્યું. આ ઉપરથી તે રાજાએ બંનેને પરણાવ્યાં અને બને સુખ ભોગવીને સદગતી ગામી થયાં. જે રીતે શ્રીમતીએ ભરતાર પરખી લીધે તેમ જૈન ધર્મ પરખી લેશે તે મનુષ્ય સદા સુખ-સ્થા સુખ ભોગવશે.
Page #92
--------------------------------------------------------------------------
________________
સન વિશે ભીમસેનની કથા.
અવંતી નામે નગરીમાં શ્રી ભીમસેન નામે રાજા રાજ્ય કરતા હતે. એક સમયે ભીમસેનને દુને તેની ઉપર ચડાઈ કરીને લકર સમેત ચડી આવે, માંહોમાંહે સંગ્રામ થયું, અને અશુભ કર્મના વેગથી ભીમસેન હાર્યો, ત્યારે ભીમસેને મનમાં વિચાર્યું કે, જે જીવતા હઈશું તો ફરીથી રાજ્ય લઈશું. દુઃખદેવતાએ મુકયું તે માનવીનું શું ગજું છે એમ જાણીને મધ્ય રાત્રોને વખતે સુમિત્રા રાણીની સાથે સુમિત્ર કુંવર અને સ્વચ્છમિત્રા પુત્રી એ પ્રમાણે ચારે જીવ કાંઈ ખરચી લઈને કેટની બારી ઊઘાડીને રાજય મુકીને ચાલી નીકળ્યા. વેરીઓએ પ્રભાતે આવીને રાજ્ય સંભાળી લીધું અને ભીમસેન રસ્તે ચાલે જાય છે ત્યારે મનમાં વિચાર આવ્યે.
બ્રિણ ખંડો પિણ વટ, પિણ ખંડ ષિણ લહ, સરવે સરિષા ચંદન, દેવ ન દીધા દિલ, સરખા સ ન સંપજો, દીને પહેલા કે પુઠ, રામ યુધિષ્ટિર નૃપતિ, નલવાનર લંકા લુટ, વાનર લંકા લુટ વહે, હરીચંદ પાણી, ભીમ તણું ભાઈએ, બલ કીચ તાણ, જપે કવી દેપાલ, જુઓ પરમાર્થ પુરૂષા, દીન પહેલાને પુઠ બેં, ન સંપજે સરીખા.
Page #93
--------------------------------------------------------------------------
________________
એમ વિચાર કરતે રસ્તે ચાલ્યા જાય છે. આગળ ચાલતાં કેટલાક દિવસે એક વસંતપુર નગર આવ્યું તે નગરમાં થઈને ચાલતાં મધ્ય ચોટે આવ્યા તેવામાં તે નગરમાં એક જીણદાસ નામે વહેવારીઓ વસતા હતો તેણે તેમને દડા ને વિચાર્યું કે કઈ મોટા માણસ છે પણ દુઃખના માર્યા ચાલ્યા આવે છે. એમ જાણી શેઠ ઊઠીને ઉભા થયા અને હાથ લાંબો કરીને મલ્યા; ઘરે તેડી ગયા અને ઘણી આગતા કરીને પાંચ સાત દીવસ રાખ્યા તેથી ભીમસેને કહ્યું કે, અમને કઈ જગ્યા આપે તે તેમાં રહેવાનું કરીએ. આથી શેઠે એક ઘર આપ્યું તેમાં જઈને રહ્યા. આમ ગાંઠનું ગરથ વટાવીને સુખમાં રહેવા લાગ્યા. બે ત્રણ વરસ વિત્યાં એટલે પાસેનું ધન ખૂટી રહેવા આવ્યું. ત્યારે સ્ત્રીને કહેવા લાગ્યું કે પરદેશ કમાવા જાઉં એમ સ્ત્રી પાસેથી રજા માગી. શેઠને ઘરની વરધી અને સંપણી કરીને એક વરસની મુદતે પરદેશ ચાલે. કર્મ સંગે ભીમસેન જયાં જયાં ગયો ત્યાં કે જગ્યાએ કરીને જેગ બન્યું નહીં એમ ભમતાં વરસ એક વહી ગયું અને લુગડાં લત્તાં હથીઆર સર્વે વેચી ખાઈ દરિદ્રી થઈ પાછા એક વરસે ઘરે આવ્યું. તે વખતે મનમાં વિચાર્યું કે જો રાત પડે તે પાછો રે જાઉં આ વખતે દીવસ બે ચાર ઘડી બાકી રહે.
Page #94
--------------------------------------------------------------------------
________________
હસ્તે તેથી તે ગાળીને રાત પહેાર એક ગઈ ત્યારે ઘર . ના બારણે આવી ઉભે અને આ વખતે શોઆળે છેવાથી ઘરમાંથી દીકરો બે કે અરે! મામને ટાઢ વાય છે માટે વસ્ત્ર આપ ત્યારે તેની મા બેલી કેકરા તારે બાપ વરસને વાયદે બહાર દેશાવર કમાવાને ગયા છે તે હવે આવશે કેમકે વરસ પુરૂં થવા આવ્યું છે. જયારે આવશે. ત્યારે તારે માટે તું કહીશ એવાં નવલ વસ્ત્ર બનાવરાવીશું અને મને પણ ફાટી ગયાં છે તે લઈશું. આ પ્રમાણે બેલીને દીકરાને છાને રાખે... એ સાંભળી ભીમસેન વિચાર કરવા લાગ્યો કે સ્ત્રીના મનમાં તે મનોર્થ ઘણા પ્રકારના છે અને મારી પાસે તો ફુટી કોડી પણ હાલમાં નથી. માટે જે હું ઘરમાં જઈશ તો એ સ્ત્રી હૈયું લઈને નકી મરી જશે તેથી હવે તો પરદેશ ભલેને આપણે ભલા એમ વિચારીને ઘરના બારણું ઉપરથી જ તે પાછો વળે. તેવામાં પરદેશ ફરતે સિદ્ધપુર નગરમાં આવી ચડયે ત્યાં ગામને પા– દર એક વડ હતો ત્યાં આવીને બેઠે. આ વખતે એક કાપડી પણ ત્યાં આવીને બેઠે. તેણે ભીમસેનને દીલગીર દેખીને પુછ્યું કે દિલગીર કેમ છે ત્યારે ભીમસેને પિતાની નિરધનતાને સબબે જણા તેથી-- તે કાપડી કે ચાલ તું મારી સાથે તારે જોઈએ તેટલું ધન લઈજા... હવે ભીમસેન કાપડી સાથે
Page #95
--------------------------------------------------------------------------
________________
ચાલ્યો અને બેજનું પાધરા રેહીણચળ પર્વત ઉપર ગયા. ત્યાંના રાજાને જઈને પગે લાગ્યા અને તેણે ઉતારો આવે ત્યાં તેઓ ઉતર્યા. હવે એ ઠેકાણે એક ગજ પ4િ એક દીવસમાં ખોદવાથી પાંચ સાત રત્ન નીકળતાં તે એકઠાં કરતા જાય પણ સહુસહુના એકઠાં કરે એમ કરતાં છ માસ થયા ત્યારે કાપડીઓ બે કે કેમ ભીમસેન તારી તણું હવે પુરી થઈ. તે કહે હા, તે વખતે ચે ભાગ રાજાને આપીને બીજા રત્નની ગાંઠડી કરીને બેઉ જણે ગળામાં ઘાલીને ચાલી નીકળ્યા. રસ્તામાં કાપડીઓ કહેવા લાગ્યો કે મારૂં ધન તું જાણે છે અને તારું ધન હું જાણું છું માટે અરથ છે તે અનરથનું મુળ છે માટે એક માર્ગે તું જા અને બીજે માર્ગે હું જાઉં. એમ કહી ભીમસેન એકલે જે માર્ગેથી આવ્યો હતો તે જ માર્ગે ચાલે, અને ચાલતાં ચાલતાં કેટલાક દીવસે સિદ્ધપુરને પાદર વડ નીચે બેઠા હતા ત્યાં આવી પહોંચે. આરામ લેવાને માટે ગાંઠડી ગળામાંથી કાઢી મુખ આગળ મુકીને બેઠે એટલામાં એક વાંદરે આવ્યો તે ગાંઠડી લઈને દેડી ગયે, તેની પાછળ ભીમસેન ઘણએ દેડ પણ વાંદરો કાંઈ હાથે આવે નહીં તેથી પાછો વડતળે આવીને રડતો બેઠે. તેવામાં એક કાપડી આવીને પાસે બેઠે તેણે ભીમસેનને પૂછયું કે ભાઈ શા માટે તું રડે
Page #96
--------------------------------------------------------------------------
________________
છે તેથી ભીમસેને કહ્યું કે મેં ઘણું ધન ખોયું. ત્યારે કાપડી કહે તું ચાલ મારી સાથે હું તને રસકુપીકાએ તેડી જા. ભીમસેન બે કે ચાલે. એક પછી એક ગામ મુકતા થોડે દીવસે રસંકપીકાએ જઈ પહે
ચ્યા અને ત્યાં માંચીએ બેસીને ભીમસેને માંહે ઉતરીને તુંબડાં બે રસથી ભર્યા અને બહાર નીકળે. સહુ સહુના તુંબડાં લઈ ચાલ્યા. પાછા વળી તેજ વડે આવ્યા તે વખતે કાપડી ભીમસેનને કહે કે તું આ સિદ્ધપુર નગરમાં જઈને સુંદર ભોજન લઈ આવે આપણે એકઠા બેસી જમીને પછી ઘરે જઇએ. એક લેખંડને ખીલે ઉભું કરીને તે રસ ચોપડી સુવર્ણમય બનાવ્યું તે લઈને ભીમસેન ગામમાં ગયે અને ખીલે વટાવીને કોઈના હાટમાંથી સુભોજન તૈયાર કરાવી ટોપલે ભરાવી વડે લઈ આ૦ ને જુએ છે તો કાપડી નહીંને તુંબડું પણ નહીં. ઘણાએ સાદ કર્યા પણ કઈ જોવામાં આવ્યું નહીં ત્યારે ભીમસેન મહા દુખ ધરીને ભેજન મુકીને મરવા માટે વડે ચડ અને સુંથણીનું નાડું કાઢીને એક છેડો વડની ડાળે બાં, બીજે છેડો પિતાને ગળે બાંધે એટલામાં બે સાધુ મહીના એકને ઉપવાસી હતા તેમને આ વતા દીઠા. તેમને દેખીને ઘણેજ રાજી થઈ ગયે અને તરતજ વિચાર કર્યો કે મેં પેલે ભવે કાંઈ દાન નથી
Page #97
--------------------------------------------------------------------------
________________
८७
આ તા આ ભવે શું પામું. પણ આ ભવે જો કરૂ તેા પામુ માટે હેઠે ઉતર્યો અને સાધુની સન્મુખ જઈને પગે લાગી કહેવા લાગ્યો કે સ્વામી અહાર પાણશુદ્ધ છે તેથી તેને શુદ્ધ ભાવ જોઇને સાધુ ત્યાં આવ્યા અને ખપ જોગ અહાર પાણી વારીને પાછા વળ્યા ત્યારે ભીમસેન ફ્રાને વડે ચડયા અને વડે ચઢીને આગળની માફક દારડું પાછું ગળામાં નાખ્યું અને શરીર હેઠે લથડાવવા જાય છે તેવામાં વડમાંથી શબ્દ થયા કે માં, આથી આગળ પાછળ જઇને પાછું શરીર મુકવા જાય છે એટલે તેવાજ શબ્દ થયા અને જેવાથી કાર્ય નદી ત્યારે ત્રીજીવાર શરીર મુકવા જાય છે એટલામાં માં, માં, આ સાંભળી ભીમસેન બેચે માં, માં, શું કહે છે જે હેાય તે આગળ આવીને ઉભા રહેા. તેથી ચકીત ડળાભરણુ દેવતા આગળ આવી ઉભા રહ્યા. અરે! ભીમસેન માગમાગ માગે તે આપુ . તે સાધુને અહાર આપ્યા તેથી હું તારા ઉપર કુશમાન થયા છું. ત્યારે ભીમસેન બાયા કે માગ્યું આપેાતા આ સિદ્ધુપુર નગરનું રાજય, ગાંઠડી અને તુ ંબડી એ માગું છું. દેવતાએ કહ્યું કે જા, હવે આજથી રાજયતેા સાતમે દીવસ મળશે; અને સાથે ગાંઠડી, તુંબડી, પણ પ્રાપ્ત થશે. આ વચન બોલ્યા પછી દેવ, ત્યાંથી અલાપ થઇ ગયેા. ભીમસેન હેઠા ઉતર્યા તેવામાં તે
.
Page #98
--------------------------------------------------------------------------
________________
વાંદરે જે ગાંઠડી લઈ ગયે હતા તે પાછા આવીને ત્યાં નાખીને ચાલતો થયે તેથી ગાંઠડી તો તેને મળી આ દેવને કેવા પ્રકારનો પચે કહીએ. વાહ! આ ધર્મત્વનું ન્યુન કામ પણ માત્ર કેટલું પ્રબળ દેખાડે છે! સાધુ પુરૂષને ખવરાવવાનું આ તે કેવું મહા કહેવાય!આ બનાવ બન્યા પછી તરતજ પેલે કાપડી રસ્તે જતાં આંધલ થઈ ગયે અને તેના મનમાં મેટી શંકા ઉત્પન્ન થઇ આવી કે અરે! આ હરામની તુંબડી હું લઈ આવ્યા; તેજ બહુ અધર્મનું કામ થયું, તેથી જ હું આંધળો થયે. માટે ભીમસેન પાસે આવીને કહેવા લાગ્યું કે, આ બે તુમડાં તમે રાખો પણ મને દેખતે કરો. આ સાંભળી ભીમસેને પિતાનું તુમડું રાખીને તેનું પાછું આપીને રજા આપી. એટલામાં ભીમસેનને છ દીવસ તે વડ નીચે ચાલ્યા ગયા અને સાતમે દીવસે બનાવ એવું બને કે તે સિદ્ધપુર નગરનો રાજા અરિમર્દન અપુત્ર મરી જવાથી રાજાની ગાદી ઉપર મુકરર કરવાનો રીવાજ મુજબ પાંચ દીવાનો થાળ ગોઠવીને આરતી રૂપ કરીને હાથીની શુંઢમાં યુકિતસર આપ્યા તેથી તે હાથી ગામ બહાર તે વડ નીચે ભીમસેનના માથા ઉપર તે થાળ ધરી ઉભું રહ્યું. આમ બે વખત બનાવ બન્યા તેથી ગાજતે વાગતે હાથીની પીઠ ઉપર સુવર્ણની અંબાડીમાં બીરાજને શહેરમાં ગયો
Page #99
--------------------------------------------------------------------------
________________
અને રાજ ગાદી ઉપર બેઠે. નગર લેકમાં ભીમસે. નની આણ ફરી અને સર્વ તેને અમલ જાણે તેના કહેવા મુજબ કરવા લાગ્યા. તરતજ પિતાના પ્રધાનને મોકલી વસંતપુરમાંથી પોતાની સ્ત્રી તથા પુત્રને ત્યાં બોલાવી લીધાં તેમજ જીણુદાસ કે જેણે તેને આશ્રય આપી દુઃખમાંથી છોડવવાને મહેનત લીધી હતી તેને પણ ત્યાં બોલવીને સન્માનથી રાખે. વળી લશ્કરની સારી જમાવટ કરીને પોતાની બાપની રાજયધાની પણ જીતી લીધી અને સુખે દીવસ નિગમન કરી આખું આયુષ્ય શ્રાવક ધર્મની આમન્યા પાળીને દેવગતીને અધીકારી છે તથા સ્વર્ગનું સુખ પા . ઇતીદાન વિષે ભીમસેનની કથા સંપુર્ણઃ |
ભક્તિ તીર્થ કરનાર દેવપાળની કથા.
વસંતપુર નગરમાં હરિક્ષેણ નામે રાજા રાજય કરતો હતો. તે નગરીમાં એક સુભદ્ર નામે વાણીએ વસતો હતો તેને દેવપાળ નામે પુત્ર હતા. તે દેવપાળના માતા પીતા મરણ પામ્યા તેથી દેવપાળનાની ઉમરને હેવાથી તે નગરમાં જીણુદાસ કરીને શેઠ રહેતે હતો તેમને ઘરે જઈને રહ્યો. દેવપાળ તે જીણુદાસના ઘરનાં ઢોર ચારવા જતો હતો, એવી રીતે ઘણું દહાડા સુધી તે એ કામ કરતા હતા. ની ઢોર ચરાવતા,
Page #100
--------------------------------------------------------------------------
________________
Lo
ઢારને બાંધતા છોડતા, ચારાપુળા નાખતા, એક સમયે અષાડ માસ હતા તેવામાં દેવપાળ ધણુ લઇને વનમાં જવા નીકળ્યા હતા અને મધ્યાન થવા આન્યા એટલામાં તે વનમાં એક તળાવ હતું તે તળાવ ઉપર ઢારને ચરાવીને તળાવમાં પાણી પાવા લઈ ગયા. ત્યાં ઢાર પાણી પીને એક ઠેકાણે ઉભાં છે તથા પોતે પણ એક કારે બેઠા છે. તેવામાં એક કેરડાના ઝાડ પાસે એક મસ્તક દીઠું તેથી મનમાં વિચાર્યું કે એ શુ હશે ! એમ અચરજ પામીને પાસે ગયા. હાથે કરીને રજ દુર કરીને જોયું તેા શ્રી પાર્શ્વનાથજીની પ્રતીમા અખંડપણે જોઈ અને ધણેાજ આનંદ પામ્યા અને પરચાર કરીનેત્યાં તે મુર્તને પધરાવી તથા એવા મનને નિશ્ચય કીધો કે એ મુર્તિની મારે રાજ પુજા કરવી તે પછી અન્નાજ પાણી લેવું. ઢાર લઇ ધેર આગ્ન્યા અને વળી બીજે દીવસે જીનદાસની સ્ત્રીએ પ્રભાતને વખતે કહ્યું કે હે દેવપાળ તું શીરાવીને ઢાર ચારવા જાજે, આ ઉપરથી દેવપાળે કહ્યુ કે હું શીરાવીશ નહીં. મારા પેટમાં દુ:ખે છે તે માટે ચેપલાં બાંધી આપે; તેથી બાઇએ થેપલાં બાંધી આ પ્યાં. તે લઇ દ્વાર હાંકીને તેજ તળાવે આન્યા. ત્યાં આવીને દેવની પુજા કરી ફળકુલ ચડાવીને ધ્યાન કર્યું એ પ્રમાણે દીન પ્રત્યે કરે, એમ કરતાં કરતાં માસ
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૧
બે માસ થયા. તેવામાં ભાદરવાની મેધની ઝડી થઈ આવી અને તેવામાં દેવપાળ ધરથી રાજની પેઠે થેપલાં લઇને ઢાર હાંકી ચાયા અને રસ્તે જતાં એક નદી આવતી ત્યાં પહોંચ્યા. જુએછે તેા નદી બે કાંઠે વહે છે પણ ઉત્તરાય એવુ કાંઇ બન્યુ નહીં.
જલ દલ કાલે જલા પુી, દુસ્તરા ૠષી કરમણા ॥ શેષ કાલે ભવેત સુકા, સરીતા દુ:ખ દાયની ૫ તે સમે સાંઝ સુધી ભુખ્યા તરÀા બેશી રહેા. સાંકે થેપલાં કાઈ ભીખારીને આપીને ઘેર આવી સુઇ રહ્યા. શેઠાણી સુંદરીએ કહ્યું કે દેવપાળ વાળુ કરવાને ઉઠે ત્યારે કહ્યું કે મારૂં તા માથુ દુખેછે અને મને ભુખ પણ લાગી નથી, એવી રીતે ત્રણ દીવસ સુધી જવાબ દેતા રહ્યા. દેત્રપાળને અમચાવીહારા યયા. હવે,ચેાથે હાહાડે થેપલાં લઇ ઢાર હાંકીને અહાર નીકળ્યા. જેવા નદીને કાંઠે આન્યા અને જુએ છે તેા નદીએ કાંઈક મારગ દીધા હોય એમ લાગ્યુ તેથી ઢાર બીજા ગેાવાળીઆએને ભળાવીને પાત નદી તરીને બીજે કાંઠે આન્યા ત્યાંથી ચાયા જાય છે તે આગળ મારગમાં સીંહ નવ હથે બેઠા દીઠે. તે ઢેખી મનમાં વિચારયુ કે, હું ભગવત દર્શન કર” વાને જાઉં છું' તેમાં આ વીધન વચ્ચે આવ્યું તે તેથી બીક ન રાખતાં આગળ ચાચા અને નિર્ભયતાથી
Page #102
--------------------------------------------------------------------------
________________
૯૨ પ્રભુ પાર્શ્વનાથજી પાસે આવ્યા અને અનંત ભાવે કરી પુજા આદરી તેથી ભગવાન શમાન થયા અને સિંહનું રૂપ પલટીને અધિષ્ઠાતા દેવતા ભગવાનના શરીરમાં સંક્રમીને કહેવા લાગ્યા કે, દેવપાળ ભાગ, તું માગે તે આપું. દેવપાળ ભકિત મનમાં લાવીને નિર્મળ - નથી બે હાથ જોડીને કહેવા લાગ્યો કે, સ્વામી તમારું દર્શન થયું તેથી હું સર્વત્ર પાપે હવે મારે ભાગવાપણું શું રહ્યું. તે વખતે ભગવાને કહ્યું આજથી દીન સાતમાં તું રાજ્ય પામીશ ત્યારે દેવપાળ કહે સ્વામી આપનું વચન પ્રમાણ એમ કહી દેવતા અને લેપ થઈ ગયા. હવે દેવપાળ પણ દેવને પગે લાગી નદી પાછો ઉતરીને ઢોરમાં આવ્યું અને અઠમનું પારણું કર્યું અને સાંઝ પડતાં ઢોર હાંકીને ઘરે આ
. હવે જે દહાડે દેવપાળને દેવતાનું વરદાન - ળ્યું હતું તેજ દીવસે તે નગરનો રાજા હરીક્ષેણ નામે હતો તે મૃત્યુ પામ્યા તે અપુત્ર હોવાથી પ્રધાન મંડળે રાજા રીત પ્રમાણે પંચ દીવ્ય પ્રગટાવીને ગામમાં ફેરવ્યા તે પાંચ દિવસ સુધી ફેરવતાં પણ કેઇના માથે હળ્યા નહીં તેથી છટ્ટે દીવસ તે ગામ બહાર નીકલ્યા તેની પાછળ રાજ લેક પણ નીકળ્યા. ફરતાં ફરતાં જ્યાં દેવપાળ તળાવની પાળ ઉપર એક ઝાડ હતું તેની નીચે સુતો હતો ત્યાં આ
Page #103
--------------------------------------------------------------------------
________________
વ્યા અને પ્રથમ હાથણીએ કળશ ઢાળે અને પછી હાથીએ ઢા અને ચમર નાખ્યા કીધું. ઘોડે તે જગ્યાએ હીહીકાર મચાવી રહ્યું અને છત્ર પણ તેનાજ શીરપર ધારણ થઈ ગયું અને પંચ શબ્દ વાજીત્ર નાદ ખુલી ગયા. પ્રધાન મંડળ પ્રણામ કરવાને તૈયાર થયું એટલે મુખથી છેડો દુર કરતાં સકલ જન મંડળ તેને ઓળખીને આશ્ચર્ય પામ્યા. “આ તે દેવપાળ છે તેને રાજ્ય શાનું હોય એ તો પંચદીવ્યની ભુલ થઈ ગઈ. ચાલે, આપણે પાછા જઈ એ” એમ કહીને પાછા રાજ્યમાં ગયા અને ફરીને પંચદીવ્ય શંગાર સજાવ્યા. તે પણ ત્યાં જઈ અટક્યા અને ત્રીજીવાર પણ ત્યાં જ જઈને દેવપાળને નમ્યાં. આથી દેવપાળને રાજયનો માલીક સમજીને રાજગાદી ઉપર બેસાડી રાજા બનાવે. જેને દેવ આપે તેને મનુષ્યથી શું કરી શકાય. હવે દેવપાળને રાજય શૃંગાર પહેરાવ્યા અને આખા ગામમાં મોટા ઠાઠથી સ્વારી ફેરવી અને મહોત્સવ પ્રવર્ત. મહા દાન દેતા રાજાધીરાજ દેવપાળ રાજ તીલકનું તેજ પામે તેની આણદાણ ફરી. રાજ પુત્રી સાથે તેનું લગ્ન થયું. તેણે શ્રી પાર્શ્વનાથજીનો મહા પ્રસાદ કરાવ્યું અને ત્યાં શ્રી પાનાથજીની મુર્તિ પધરાવી. ઘણા સ્નાત્ર મહોત્સવ ક્ય. દેવપાળે પવિત્રતાથી શ્રા
Page #104
--------------------------------------------------------------------------
________________
૯૪
વકવૃત પાળીને દેવકનું સુખ પ્રાપ્ત કરવું. તેની પેઠે જે ભગવાનની પુજા કરે અને મનને કબજામાં રાખીને વ્રતની પુરી ભાવના ધરે તેજ આ ભવે અને પરભવે સુખી થાય.
દાનવિષે મુળ દેવની કથા.
શ્રી કોસંબી નગરી નામે વિશાળ નગરમાં મહાવીર સેન નામે રાજા રાજ્ય કરતા હતા તેને વીરમતી નામે રાણી હતી અને તેઓને મુળદેવ નામે એક કુમાર હતો. વિદ્યા ભણી ગણીને તે જ્યારે તૈયાર થયે ત્યારે ભરપુર જોબન પામ્ય અને મહા દાનેશ્વરી થયે. બહુદાન આપવાની ટેવથી રાજય ભંડારમાં ખાડો પડવા લાગ્યો. આ વાત પ્રધાને રાજાને જણાવી તેથી રાજાને રીસ ચડી અને પુત્રને બોલાવીને દેશવટો દીધે. તે કબુલ કરીને માતા પાસે આજ્ઞા માગવાને ગયો તે વખતે માતાના પિયારની લાગણી ઉશ્કેરાઈ ગઈ અને આંખમાં પાણી આવ્યું પણ તેથી કાંઈ વળે તમ નહતું એ જ્ઞાનથી તપાયું અને પછી ચાર રત્ન આપીને મુળ દેવને તેની માતાએ કેટલીક શુભ શીખામણ આપીને રજા આપી. માર્ગે ચાલતાં ચાલતાં કેટલેક દીવસે પધપુર નગરમાં તે આવી પહોંચ્યો ત્યાં લુહારની કેડ ઉપર ધણના ધડાકા મા
Page #105
--------------------------------------------------------------------------
________________
રવાને કામે લાગ્યું. સવા પહોર સુધી એ કામ કર્યું ત્યારે તે લુહારે તેને મહેનતનું વળતર સવાપાલી અને ડદ આપ્યા. તે લઈ તે કુંભારને ઘરે આવ્યું અને એક હાંડલી લીધી તે લઈને તળાવની પાળે ગયે ત્યાં જઈને અડદના બાકળા રાંધ્યા તે તૈયાર થયા તેવામાં એક સાધુ એક માસનો ઉપવાસી આવી ચડયે તે દેખી મુળદેવ સન્મુખ જઈ પગે લાગ્યો અને કહેવા લાગ્યું કે સ્વામી અન્ન પાણી . શુદ્ધ છે. આ થી સાધુ ત્યાં આવ્યા અને ઘણું ભાવથી મુળદેવે તે બાકળાં વહેરાવ્યા. એ સાધુના સાધન રૂપ દેવ મુળદેવને ગુમાન થયા અને કહેવા લાગ્યા કે હું તને વરદાન આપું છું. એમ વરદાન આપી દેવતા પિતાને સ્થાનકે ગયા. હવે મુળદેવ સાંકને વખતે તે ત. ળાવની પાળે એક શ્રી શાંતીનાથજીનું દેવળ હતું ત્યાં જઈને સુઈ ગયે ત્યાં નિંદ્રામાં એક સ્ત્રનું આવ્યું તેમાં તેણે સેળે કળાએ પુર્ણ એવું ચંદ્રામૃત પીધુ. ત્યાં પાસે જ એક સાધુને ચેલે સુતો હતો તેણે પણ એજ સ્વપ્ન દીઠું. એટલામાં સવાર થઈ ગઈ ત્યારે ચેલે પિતાના ગુરૂ પાસે જઈને રવન્નનો વિચાર પુછવા લાગે ત્યારે તે ગુરૂ કહેવા લાગ્યા કે તું રાબને છાશ આહાર પામેગા. સ્વપ્નનું ફળ સાંભળવીને ચેલે પાધરે ગામમાં ગયે તેવામાં કોઈ બાઈ પાણી ભરવા જતી
Page #106
--------------------------------------------------------------------------
________________
૯૬
હતી તેણે આ ચેલાને જોઇને વારાવાનું મન થયું તેથી તે ચેલાને ઘેર તેડી ગઇ ને રાખછાશ આપી. હવે મુલદેવ પણ તેજ વખતે ગામમાંથી ફળ કુલ લઇને પાધરા વિશ્વભર નામના એક પડીતરાજને ત્યાં ગયા અને તેના સન્મુખ ફળ કુલ વગેરે મુકી પગે લાગ્યા અને સ્વપ્નાના વિચાર પ્રગટ કરીને તેનું ફળ પુછવા લાગ્યું. ત્યારે પડીત કહે જો મારી પુત્રીને હાથે વરમાળતુ લે તાજ હુ તને સ્વપ્નાના વિચાર કહ્યું. ત્યારે મુળદેવે તેમને કહ્યું કે મહારાજ મારી નાત જાત તમે જાણ તા નથી તે પુત્રી કેમ પરણવાને માટે કહે છે. ત્યારે પંડીતે કહ્યું કે મેં તમારૂં મુખ જોઇનેજ સર્વ પરિક્ષા કરી લીધી એટલે હવે તે વિષે કાંઇ પણ મારે વિચાર કરવાનું રહ્યું નથી. માત્ર કહું છું કે તું મારી પુત્રી વરમાળ આપે તે ગ્રહણ કર એ માગુ છું. ત્યારે મુલદેવ અણુ બો૯યા રહ્યા. તેથી પંડીતે પુત્રીને બેલાવીને વરમાલ પેહરાવવાને આજ્ઞા આપી એટલે પુત્રીએ વરમાલ મુદેવરાજને આરોપણ કરી દીધી. પછી સ્વપ્નનું ફળ પંડીતે નીરાંતે જણાવ્યુ કે આજથી છઠે દીવસે તું આ નગરીના રાજા થઇશ આ વચન પ્રમાણ કહીને ત્યાંથી તે રાજ કુમાર ઉઠયા અને જયાં તે તલાવની પાળે જે દૈવલમાં રાત્રીએ સુતા હતા ત્યાં આવ્યા ત્યાં રહેતાં છ દીવસે નગરીના રાજા
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૭
અપુત્ર મરણ પામવાથી રાજ તીલકને અધીકારી ઠરાવવાને માટે પ્રધાન મંડલ અને શેઠશાહુકાર વગેરે મુહાજન મંડળે પંચદીય શણગાર્યા. તે પંચદી ૧ કરતાં કરતાં તળાવની પાસે આવ્યા અને ત્યાં મુલદેવના ઉપરજ કલશ ઢાળ્યા. પંચ શબ્દ વાછત્ર વાગવા લવ્યાં ત્યારે મહાજન મંડલ આવાને પ્રણામ કરવા લાવ્યા અને કહેવા લાગ્યા કે ઉઠે મહારાજ આપજ અમારા રાજા થઈ ચુક્યા છે. એ સાંભલી રાજનીતિ પ્રમાણે મુલદેવે પોતે ચાલવાની પિતાની શકિત જે હતી તે પ્રમાણે વિવેક બતાવ્યું અને રાજયગાદીએ આવીને બેઠે આણદાણ મુલદેવ રાજાધીરાજ મહારાજની આખા દેશમાં ફરી ગઈ અને એક જ લગને એક રાજકુમારી તથા બીજી પંડીત કન્યાની સાથે મેકી ધામ ધુમ કરીને પરણ્યા પછી સુખ શાંતિમાં ધમેં ચરચામાં દાન દેવામાં અને દયાના તથા પરમાર્થના ઉપયોગમાં પિતાને જન્મારો સફલ કરતો હતો. હવે પેલા ચેલાએ જે તેની સાથે જ સ્વપ્ન જોયું હતું તેણે વિચાર્યું જે મુદેવ તો રાજ પામ્ય માટે હું પણ તેને વું જ સ્વ'ને ફરીથી જો દેખું તો રાજય પામું માટે તેણે ઘણા ઘણા પ્રયાસ કર્યા પણ તેથી કાંઈ વળ્યું નહીં
અને રખડી રખડીને આંખે જન્મારો આશા અને તૃષ્ણામાં ટળવળતાં તલવલતાં જ ગુમાવી દીધું. પણ તે
Page #108
--------------------------------------------------------------------------
________________
સ્વપ્ન ફરીથી કદી ન દીઠું તેમજ ગયો અવતાર મ. નુષ્યને પણ સ્વપ્નની પિઠે પાછો કદી આવતું નથી માટે જે દુર્લભ દેહ પામીને સાચાં સાધન મેળવવાને ચુકે છે તે કેવી અજ્ઞાનતા કરે છે તે વિચારવું એ - રેક વાંચનારનું કામ છે. ઇતિઃ | | |
દાનવિષે સઘન શેહની કથા.
શ્રી પાટલીપુત્ર નગરમાં વિશ્વકસેન નામે રાજા રાજય કરતો હતો તે નગરમાં સુઘન શેઠ નામે એક શ્રાવક વસતે હતો અને તે ઘણે જ ધનવંત હતો. સંસાર સુખમાં તેના દીવસ નિકલતા હતા. એક સમયે શ્રી ધર્મષસુરી નામે મહા પુરૂષ તે નગરીમાં પધા, તેથી લેક તેમને વંદવાને ગયા અને તેમાં સુધન શેઠ પણ ગયા. તેવામાં ગુરૂ ઉપદેશ દેતાં એમ બો૯યા કે “ગજાંત લક્ષ્મિ અને ધ્વજાત પુન્ય.” તે વાક્યની ટીકા કરતાં અર્થ ઉઘાડે બતાવ્યું કે, અંગુષ્ટ પ્રમાણ દેહેરું કરાવી માથે ઘજા ચડાવે એટલે પુન્યને અંબા થઈ જાય. એવા ગુરૂમુખથી વચન સાંભળીને સુઘન શેઠ ઘેર આવ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ ઘન છે તે અસ્થિર છે.
“અસ્થિરં કવિતા લોકે અસ્થિરે ધન દેવને અસ્થિરા પુત્ર દારા ધર્મ કીર્તિ દયા સ્થિર".
Page #109
--------------------------------------------------------------------------
________________
એમ મનમાં વિચારીને ઘણા સારા દીવસે કેહેરાનું મુહુર્ત કર્યું અને ઘનું જ મેટું સુંદર દેહેરૂં કરાવ્યું. ચાવતાં ચણાવતાં ત્રણ ભાગનું દેવું ચણાવ્યું અને ચોથા ભાગનું બાકી રહ્યું તેવામાં કોઈક પાપ ગૃહના જેગથી શેઠ નિધન થઈ ગયા અને તેમનું બધું ધન દાળવાટે થઈ ગયું. તેવામાં ઘરમાં એવું થયું કે ––
અત્રનાસ્તિ ઊદકનાસ્તિ નાસ્તિ માતા જુગધરી છે સાકંતર લવણ નાસ્તિ નાસ્તિ યદ ભુજતે છે
ખરો અવસ્થા જબુન થઈ ત્યારે સુઘન શેઠની સ્ત્રી સુઘન શેઠ પ્રત્યે કહેવા લાગી કે સ્વામી તમે મારે પીયર જાઓ અને ત્યાંથી ઘન લઈ આ કે જેથી આપણાં છોકરાં સુખી થાય. ત્યારે શેઠ બોલ્યા કે, સ્ત્રી સંસારમાં સર્વે સ્વાર્થનાં સગાં છે. દેલી વેલાએ સગાં કને જવું તે પણ કાંઈ ઠીક કહેવાય નહીં. તે વખતે સ્ત્રી હઠ કરી રહી. એકવાર મારા ભાઈ કને જાઓ એમ જયારે સ્ત્રી ફરી ફરીને કહેવા લાગી ત્યારે સુધન શેઠ બોલ્યા કે ઠીક તેમ કરીશું. ભાતાને માટે સાથે પાલી એનો કરીને તે ખડીઆમાં બાંગ્લે. શેઠ રાતઘડી બે રહી એટલે પંથે થયા. આગલ ચાલતાં ચાલતાં શેઠે મનમાં વિચાર કર્યો કે ભાતું તે એક દીવસનું છે અને પંથે તો હજી ત્રણ દિવસને
Page #110
--------------------------------------------------------------------------
________________
મા છે
આકી છે ત્યારે અઠમ પચખાણ કર્યો. અને થે દી
સે સસરાના ગામ નજીક આવે એટલામાં તેને વિ. ચાર આવ્યે કે આડમનું પારણું કરીને જાઉં કારણ કે સગાં વહાલાંમાં જઈને કરેલા વૃતનું ફલ બીજે આપવું એ ઠીક નથી. આમ વિચાર કરીને તે એક તલાવ ઉપર આવે અને પાણી ગલીને સાથે ૫લાવે તથા તેને એક પીંડા કે એટલામાં એક માસે ઉપવાસી સાધુ આવતો દેખીને સન્મુખ જઈને તેડી લાવે તે સાથે સાધુને હેરા એટલે સાધુ વિહારીને ગયા. બાકી રહ્યા તેનું પોતે પારણું કીધું પછી તે સાસરે આવ્યું અને સહુ સગાં આવીને મને
ળ્યાં. આગતા સ્વાગતા કરી અને ત્યાં બે ત્રણ દીવસ થયા ત્યારે દીકરા મલીને માને કહેવા લાગ્યા કે માતું કહે ત્યાં સુધન શેઠને આપીએ ત્યારે તેમની માતાએ કહ્યું કે હું તમને વિચારીને સવારે જવાબ દઈ શ. આ સાંભળીને દીકરા પિતાને સ્થાનકે ગયા. ત્યારે ડેસીએ ગોત્રજ આગળ જઈને ધુપ દીપ કરીને કહ્યું કે “માતાજી તમે કહો તે જમાઇને આપીએ.” એમ કહીને આગળ સુતી તે વખતે અરધી રાતને સમે ગાત્રજ આવીને કહે કે “તમારા જમાઈએ મારગમાં પુન્ય ઉપાર્જન કર્યું છે તેમાંથી તમને ત્રીજો ભાગ કે ચે ભાગ જે આપે તો તમે જે એ માગે
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૧
તે આપજો,” એમ કહીને દેવી અલેપ થઈ ગઈ. બી. જ દીવસે મધ્યાન સમયે જ્યારે બધા એકઠા થઈને બેઠા છે તે વખતે સુધન શેઠ પ્રત્યે કહેવા લાગ્યાં કે તમે માર્ગે આવતાં પુન્ય કીધું છે તેમાંથી અમને જાણે તેટલું આપે અને તમારે પુરે તેટલું ધન માગી લ્યો. તે વખતે સુઘન શેઠ કહે કે વિચાર કરીને જવાબ દઈશ. એ વાત થયા પછી સહુ સહુને ઠેકાણે ગયાં. અને સાંઝ પડી ગઈ. સહુ સહુને ઠેકાણે જઈને સુતાં. આવખતે સુઘન શેઠ મનમાં વિચાર કરવા લાગ્યું કે મેં કેટલુંક ધર્મ પુન્ય કર્યું છે તે વેચીને ધન ગાંઠે બાંધવું તેના કરતાં એ ધન વગર જ ચલાવીશ. એમ વિચાર કરીને પાછલી રાતે પિતાના લુગડાં પહેરી ખડીઓ અને તુંબડું લઈ ચાલી નીકળે. મારગે જતાં અઠમ પચીશ ચાલે અને ત્રીજે દીવસે પિતાને ગામ આવ્યું. અને દીવસ બાકી બહુ હેવાથી નદીને કિનારે તે બેઠે. નદીમાંથી નીલી પીલી કાંકરીએ વીણવાને માંડી. તે દસ બાર શેર એકઠી કરી લીધી, લઈને લુગડે બાંધી દેવામાં નાખીને રાત ચાર ઘડી ગઈ ત્યારે ઘેર આવ્યું. સ્ત્રી દેખી ઉઠી ઉભી થઈ અને માથેથી ભાર લઈ લીધે તે કોઠામાં મુકર્યો. તે વખતે શેઠ કહે કે ખાટલે ઢાળીદે એટલે શ્રીએ ખાટલે ઢાળી દીધું અને શેઠ સુઈ ગયા તેથી
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૨
તરતજ નીંદ્રાવશ થઇ ગયા. તે વખતે સ્રી મનમાં વિચાર કરવા લાગી કે આઢલું ધન મારા ભાઈ વગર મીઝુ કાણુ આપે. એમ વિચારીને એક રત્ન માંહેથી વાણેાતરને આપ્યું અને કહ્યું કે જા, એને ધરાણે સુકીને રૂપીઆ સે લઇ આવ તે મગાવીં ને પછી પડસુધી વગેરે સર્વે સામાન મંગાવ્યા અને રાંધવા પેઢી. મનમાં વિચાર્યું કે ધણીને બે અઠમનુ પારણું છે તેબે થી વેઢેલી તૈયારી કરૂ` તેવામાં શેઠ જાગી ઉઠયા અને જુએ છે તે ઘરમાં સ્ત્રી માટી ધામધુમ કરી રહીછે. ત્યારે શેઠ કહે કે ભુંડી આ કરજ પછી કાણ ભરશે. ત્યારે સ્રી કહે કે, આટલું બધુ ધન ખાતા પણ જોકરજ થશે તા વળી બીજો ફેરા મારા ભાઈને ધરજ જો ત્યારે શેઠ કહે કે તે ધન અહીં લાવ્ય. ત્યારે ગાંઠંડી આણીને પાસે મુકી અને શેઠે જોઈતા એકલાં ૨ન ઝળ ઝળી રહ્યાંછે. ત્યારે શેઠ બેલ્યા કે:–૪ શ્રી આ સર્વે દાનને મહીમાછે. આ કાંઈ તારા ભાઇને ગુણુ નથી પણ જે ખરી બીના હતી તે સ્ત્રીને કહી સંભાળાવી, આગળનુ દેહેરૂ જે અધુરૂ હતું તે પુરૂ કરાવ્યું ધર્મ આરાધી સ્વર્ગના સુખને અનુભવ કરવાતે વિચા.
Page #113
--------------------------------------------------------------------------
________________
શીયલ વિષે સીતાની સ્થા.
અધ્યા નગરીમાં રાજા રામચંદ્ર રાજ્ય કરતા હતા તેમને ઘરે સીતા નામે સ્ત્રી હતી તે મહા શીલવંતી હતી. સુખે રાજયના જોગ વિલાસ કરતા હતા, એક સમયે રામચંદ્રજી રાતન વખતે નગર ચરચા જોવાને નીકળ્યા હતા તેવામાં ફરતા ફરતા ઘાંચી વાડમાં આવી ચડ્યા. ત્યાં એક ઘાંચીના ઘર પછવાડેથી જતા હતા એટલામાં તે ઘાંચીની સ્ત્રી રમવા માટે ગઇ હતી તે મોડી આવી તેથી ઘાંચી છે કે તું આ વડી મોડી રાત સુધી ક્યાં રહી હતી ? તે સાંભળી સ્ત્રી બોલી સખીઓ સાથે રમતી હતી ત્યારે તે ઘાંચી બો કે આજનો ગુને તો માફ કરૂં છું. આજ પછી જો રાતે ઘર છોડીને બહાર નીકળીશ તે ઘરમાં નહીં થાલું. આ ઉપરથી ઘાંચણ બેલી કે તમે જુઓને, સોતા બે મહીના તે રાવણને ત્યાં રહી આવી પછી પણ રામે રાખી કે નહીં. એ બેલ સાંભળીને ઘાંચી બોલે કે, રામે રાખી પણ હું તો ન રાખું. એટલી વાતચીત કરીને બને સુઈ ગયાં, આ સઘળી બીના રામચંદ્રજી એ બરાબર ધ્યાન લગાડીને સાંભળી હતી તેથી મનમાં ઘણેજ ખેદ ઉસન્ન થયો. પ્રભાતને સમયે સીતાજીએ પુછયું કે કહો વામીનાથ આ૫ આજ ચીંતાતુર છે
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૪
મા, ત્યારે રામચંદ્રજી બેાયા કે હૈ સ્રી, એ વાત કહેવા જેવી નથી. આથી સીતાજીએ કહ્યુ કે, સ્વામી કહયા વિના મનના આંબળા કેમ ભાંગશે, એ ઉપરથી રામચંદ્રજીએ રાતની સર્વે વાત કહી સ ંભળાવી, આટલી વાત સાંભળી સીતાજીના મનમાં આવ્યું કે અરર ! મને પણ એટલુ’ કલંક ચડયું છે. હું સ્વામી મારૂ” એ કલ’ક આપ ઊતરાવા. ત્યારે રામચંદ્રજીએ ધીજની સામગ્રી કરાવી, ત્રણસે ગજની ખાઇ ખાદાવી તેમાં અગર ચંદનના લાકડાં ભરાવ્યાં અને ચારે તરફથી ધમણથી ધમાવીને લાલ ચાળથયા પછી તેમાં મધ અ ને ધી હામાવ્યાં અને અગ્નિ ચારે તરફથી જયારે પરી પુર્ણ પ્રગટ થઈ ત્યારે સીતાજી નાહીને નવલ વ ૫હેરી પરીવાર સહીત અગ્નિ પાસે આવીને હાથ જોડી અગ્નિ પ્રત્યેકહેકે યતઃ કાન્ય ||
મનસી વચ સીકાયે ! જાગરે સ્વપ્ત માર્ગ
યદી મમ પતી ભાવે ! રાધવા દન્ય પુસાં !
માંક પાવ કેદ ગા
તહુ દહુસી । શરીર ત્રગતી સગતી ભાવે તુહી સાક્ષી ત્રીલેાયે એટલુ કહી નવકાર મુત્ર સમરીને અગ્નિમાં ઝંપલાવ્યું ત્યારે અગ્નિ મટી પાણીના ઝરા ખની ગયા તેથી પાણીમાં ઝીલી બહાર નીકળ્યાં અને મગળીકના વાજીંત્ર વાગ્યાં પછી વાછત્ર વાજતે ધેર આવ્યા. ઇતિ.
Page #115
--------------------------------------------------------------------------
________________
૨૫
શીયલ વિષે શ્રી શીલ સુંદરીની કથા.
શ્રી અવંતી નગરીમાં સુદર્શન નામે રાજ રાજય કરતો હતો તેને મન કેશર નામે પ્રધાન હતો તે પ્રધાનના ઘરમાં શીલ સુંદરી નામે સ્ત્રી હતી તે મહા શીલવંતી હતી. એક સમય ઉપર પ્રધાન પિતાને ઘેર દેરાસર હોવાથી ત્યાં બેઠા બેઠા પુજા કરે છે. તેને સમયે રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યો તે વાલંદ પ્રધાનને પુજા કરતાં જઈને પાછા વળે. પાછા જઈને રાજા પ્રત્યે બેલ્યો કે મહારાજ પ્રધાનજીત પુજા કરે છે. પણ એક કમળનું ફુલ પ્રધાનના દેરાસરમાં ઘણું જ અનુપમ મેં જોયું. રાજા એ વાત મનમાં સમજી રહ્યો. તેવામાં પ્રધાન પણ આવે એટલે રાજાએ કહ્યું કે અરે ! પ્રધાનજી ઉત્તર દિશા તરફથી બુમ આવી છે માટે કટક તૈયાર કરો. તે વખતે પ્રધાને પરિયાણાં અને ભેર દેવરાવીને કટક એકઠું કર્યું. રાજા ચડી નીકળ્યો ત્યારે પ્રધાન પણ ઘરે આવીને સ્ત્રી કને રજા માગી દેરાસર સાથે લઈ રાજા ભેગે ગયે. આગળ જતાં દુ
મન સાથે લડાઈ થઈ અને તેમાં પોતાનો નાદ ય કર્યો અને ઘેર આવવા લાગ્યા. માર્ગમાં આવતાં આ વતાં એક સ્થાનકે ઉતારો કીધું ત્યાં પ્રધાન પુજા કરતો હતો તે જ સમયે વળી તેજ વાળંદ તેડવા આ
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૬
તેણે આગળની માફક આજ પણ કમળ દીઠું. અને ને તરત જ રાજા આગળ આવીને એ વાત કીધી એટલે રાજાને પણ એ વાત પાછી સાંભરી આવી એટલામાં પ્રધાન પણ પુજા કરીને રાજા પાસે આવે અને પછી રાજાએ કહ્યું કે અરે ! પ્રધાનજી, તમે એકલાજ જ્યારે અને ત્યારે કમલ ફુલને વાવર પણ અમારા સુધી તે લાવતા નથી એ શું કેહવાય? ત્યારે પ્રધાન કહે મહારાજ તમને કોણે કહ્યું, ત્યારે રાજાએ કહ્યું કે વાળ દે આજ તમારા દેરાસરમાં કમળ દીઠ તેથી મને કહ્યું. આ સાંભળીને પ્રધાન બે કે, મને હરાજ એ કમળતો મારી સ્ત્રી તેના પીયરથી લાવી છે અને તે હું મારા દેરાસરમાં રાખું છું. જ્યારે એ કમળ કરમાય ત્યારે જાણજો જે શીયળ ચુકી. એમ કહીને એ કમળ મારી પાસે રાખેલું છે. આ વાત રાજાએ માની નહીં. રાજાએ એ વાત ખરી ખાત્રી કરવાનો વિચાર કરીને પ્રધાનને ઉતારે જવાને નિશ્ચય જણાવ્યું એટલે તેમાં પ્રધાન પણ ખુશીથી પધારે એમ બે એટલે રાજા પ્રધાનને ઉતારે આવ્યા અને દહેરાસર ઉઘડાવીને કમલ જોયું તેના ઉપર મહેર છાપ કરી અને પાછા પિતાને સ્થાનકે ગયા. હવે ફરીથી સવારમાં રાજા પ્રધાનને ઉતારે આવ્યા અને કમળની ઉપર કરેલી મહેર છાપ જોઇતો કઈ દીઠી
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૭
નહીં અને કમળ પાછું હતું એવું જ નવ પલ્લવ દીઠું. પ્રધાને તેની પુજા કીધી ત્યારે પછી પણ રાજાએ મહેર છાપ દીધી એમ ત્રણ દીવસ સુધી લાગઠ જોયું પણ કમળ નવપકવ દીઠું તે દેખીને રાજા તેના માનમાં મેટું વિસ્મય પામ્ય અને ઉતારે આવીને એક રજપુત મહા રૂપવાન વિભસેન નામને હતો તેને તેડાવ્યું અને કહ્યું કે અરે! વિક્રમસેન તું આપણા ગામ જઈને મન કેશર પ્રધાનની સ્ત્રી સાથે જે વિલાસ કરીને આવ તો હું તને ખુશી કરું. આથી તે રજપુત મનમાં ઘણો જ આનંદ પામ્યો. ચાલ્યાને. સામાન તૈયાર કરીને પ્રધાન પાસે રજા માગી ત્યારે પ્રધાને પણ કાગળ લખી આપે અને તેમાં લખ્યું કે વિક્રમસેન જે મુખથી કહેતે સાચું કરી માનજો એવિ કાગળ લઈને ત્યાંથી અવિ છિન્ન પ્રમાણે અવંતી નગરીમાં આવે. પાઘરોજ પ્રધાનની ખડકીએ આવીને ઉતારે કર્યો. અને કાગળ જે તે લાવ્યા હતા તે ચાકરની મારફત પ્રધાનની સ્ત્રીને પહેંચડાવ્યો. તે વખતે તે કાગળ વાંચીને પ્રધાનની સ્ત્રીએ રજપુતની આગતા સ્વાગતા કરાવવા માંડી અને દાસી સાથે ભેજનની યુકિત કરાવી. હવે રજપુતે ઉત્તમ ઉત્તમ પ્રકારની વસ્તુઓ અને વસ્ત્રા તથા અલંકાર અને રસ ઉત્પન્ન કરે તેવી સુગંધમય કામ પ્રગટ કરે તેવી અ
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૮
નૈક ચીજો દાસી સાથે શીલ સુંદરીને મોકલાવી. વળી હાસ્યાસ્પદ એટલે મશ્કરી ઠઠ્ઠાના વચને પણુ કહે વરાવ્યાં. તેથી શીલ સુંદરી તેના મનને જે કાંઇ ભાવ હતા તે જાણી ગઇ અને સાંઝને સમે તેડાવ્યેા. ઉત્તન એરડામાં ઢોલીએ ઢળાવ્યે। ત્યાં સુવાને માકા ત્યાં પેાતાની એક દાસીને પોતાના સર્વ શગાર સ જાવીને માકલી તે દેખીને વિક્રમસેન રાજી થયા અને હસતાં રમતાં પ્રભાત થઇ ગયા. તે રજપુત રજા માગી અને ખડકીએ આવ્યા અને દાસી તરતજ શીલ સુંદરી પાસે ગઇ અને સર્વ હકીકત કહી સંભળાવી તેથી શીલ સુંદરીએ કાગળ લખીને પા પ્રત્યુત્તર દીછે. તે વિક્રમસેન પાછા રાજા પાસે આવ્યા અને રા જાને સર્વ હકીકત કહી એટલે રાજા રળિયાત થયા. હવે સવાર થઈ એટલે રાજા ઉતાવળા કમળ જોવાને માટે પ્રધાનને ઉતારે.આબે અને તે રજપુત કે જે કાગળનેા જવાબ લાવ્યેા હતા તે પણ સાથે ગયા. ઉપરથી કાગળ વાંચી પ્રધાન મનમાં શાંતા પામ્યા અને કાગળ રાજને હાથમાં આપ્યા. તે તેણે વાંચ્યા. તે કાગળમાં એવુ લખ્યુ હતુ કે
આ
ધર ભાજન નભયે । ગયા પાહુણા નભુખ્યા ચેપડતન કનભયા । ખાણ મુખ ભયાન લુખા I બ્રાતન લગી સિકાર । તાક સિંહન શીર મુમૈ ! મૃગનલગો ધાવ । આણુ પારધીન ચુકયા
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૯
કહે કમંચનીચ નારીસેં નીશ ગવી અવગુણ છે અરીષ્ટ ગુણો ઈસુપર વિવિધ નવલ શું ફુલે કમલ પાષાણપર ( ૧ છે
એવો કાગળ વાંચી મનમાં વિસ્મય પામ્યા. રાજા ઘણી જ પ્રસંશા કરીને પિતાને સ્થાનકે ગયા. કેટલેક દીવસે રાજા અને પ્રધાન પિતાની નગરીમાં આવ્યા. મંગળ વાછ વાગ્યાં અને મહોત્સવ થઈ રહે. સર્વ નગરના લેક અને તાબાના માણસેને મળ્યા અને તેઓ રાજા તથા પ્રધાનને જીત કરીને આવેલા જાણી આનંદ અને ઉત્સાહથી તેમના ભણી ઈશ્વકૃપાનું કંપની ઈચ્છા માગતા હતા. એક સમયે રાજાએ પાલખી મોકલી શીલ સુંદરીને તેડાવી અને ઘણું જ ઉત્સવ મને નમાં આણીને આદર સતકાર કર્યું. સાસર વાસે કેરીને તેને ઘરે પહોંચાડી. એવી રીતે શીયળને મહીમાં જગત શીળ સુંદરી વિસ્તાર પામે. ઈતિઃ
તપ વિષે દ્રઢણ કુમારની કથા
પુરી અફલી અઢીય ઘમી, હા બુહાસમણું બધ્ધા ; ઢણ હા વિશુધ્ધા, વિશુધ્ધા જાહા સફલીઆ જાયા ;
સરછ દેશમાં દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણવાસુદેવ રાજય કરતા હતા તેમને ત્યાં ઢંઢણું નામે રાણીને ઢઢણ નામે કુંવર થયે. તે ઢંઢણકુમાર ભણ્યા ગયા તથા પરણાવ્યા અને એમ એક પછી એક છે. સંસાર સુખ ભંગ વિલાસ કરવા લાગ્યા. એવામાં એક સમયે
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ભગવાન શ્રી તેમનાથ અઢાર હજાર સાધુની સાથે આન્યા. આ વખતે પ્રભાત થયા હતા. આ વખતે વાસુદેવ વગેરે ખીજાએ પણ વંદાને આવ્યા. સાચે બેસીને ઉપદેશ ધર્મ ઉપદેશ સાંભળ્યેા.
ત્યાં
સમ્યકસુખકારક, વરતર સામાયક પાષધ; દાનશીલ મુદાર કર્મ્સહણું, સુહૃતપેા ભાવન' ; પંચાનુવૃત પાલક' કુસદા, ક્રોધ'ચમા ન્યતજતભાઆલે ; ભમયચ દોષ જનન, મેાક્ષસ્યવાંછાજદી;
એવા ભગવાનના ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પામ્યા. સર્વે પરીવારની રજા લઇને શ્રીનેમનાથજીની પાસે દીક્ષા લીધી. પંચ મહા ભૃત અંગીરકાર કરી બહાર દેશાવર ખાતે વીચા. પણ એ ઢઢણુ કુમારને પુર્વભવે અંતરાય કર્મ ઉપાસના થએલો હાવાથી કેઇ પણ ઠેકાણેથી શુદ્ધ અહાર સુઝતા ન મળતા. એમ કરતાં કરતાં છ માસી તપ થયા. હવે એક વખતે ભગવાન શ્રી તેમનાથજી ફરીને ત્યાં દ્વારકામાં પધાર્યા અને તેજ વખતે શ્રી ઢઢણુ કુમાર ભગવાનની આશા મા ગીને દ્વારકા નગરીમાં વહેારવાને પધાર્યા છે. તેમને કેડે કૃષ્ણવાસુદેવ ભગવાન પણ વવા આવ્યા. ત્યારે પુછ્યુ કે કહા સ્વામી આજ આ અઢાર હજાર સાધુઆમાં ઊગ્ર તપસ્વી કાછે ત્યારે ભગવાન શ્રી નેમનાથ પેાતાના શ્રી મુખથી કહેવા લાગ્યા કે ઢઢણુ તપસ્વી સ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૧
વમાં મહાતપસ્વિ છે. એવાં વચન સાંભળીને કૃષ્ણ વાસુદેવ ઘણેજ હર્ષ પામ્યા. ત્યારે વળી પુછ્યું કે તે ઢંઢણ સાધુ ક્યાં છે. ત્યારે ભગવાન કહેકે દ્વારિકા નગરીને વિષે તે વહેરવા ગયા છે. એ સાંભળી કૃષ્ણ વાસુદેવ ભગવાનને વંદી ઘરે આવ્યા તેજ સમે માગમાં આવતા ચૌવટાવચ્ચેઢઢણને મળ્યા અને આકારે તથા અણસારે ઓખળ્યા. ત્યારે કૃષ્ણ હાથીથી હેઠા ઉતરી ત્રણ પ્રદક્ષીણ કરી સાધુને પગે લાગી તે ઘરે પહોંચ્યા. તે સમે એક સુભદ્ર નામે શેઠ પિતાના મેડા ઉપર ગેખમાં બેઠા હતે તેણે તે સર્વ હકીકત બની તે નજરે જોઈ, તે મનમાં વિચારવાને લાગ્યું કે રાજાએ પિતે હાથીથી હેઠા ઊતરીને સાધુને પગે લાગીને તેનું સન્માન કર્યું તેથી સિદ્ધ થાય છે કે તે કોઈ મોટે મહા પુરૂષ છે. આ વિચાર કરીને તે શેઠ ગોખથી હેઠો ઉતર્યો અને ઢંઢણ કુંવરને પગે લાગીને કહેવા લાગ્યા કે સ્વામી હેરવા પધારો. એમ કહી ઘરે તેડી લાવી સિંહ કેસરીઆ મોદક શુધ વેહેરીને સમોસરણમાં આવ્યા અને ભગવાનની પાસે આવીને મેચરી આવે ત્યારે ભગવાન ઢઢણું પ્રત્યે કહેવા લાગ્યા કે –
કાસ્ય લબદ્ધી નહે દંઢણસ્ય, એ અહાર કરે એ તમને ઘટીત નથી. એ અહાર કૃષ્ણની લબ્ધીને પણ તમારી • લબ્ધીને નહીં. તે વખતે ભગવાને પુર્વની સર્વ હકીકત
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૨
કહી સંભળાવી અને જણાવ્યું કે તમને કૃષ્ણ વાંધા અને સુભદ્ર શેઠે વિહરાવ્યા. તે સાંભળીને ઢંઢણ કુમાર મનમાં વિચાર કરવા લાગ્યા કે ધન્ય છે વિતરાગનું જ્ઞાન. ક્યાં મને હરાવ્યું અને ક્યાં મને બેઠે જેછે. આથી મનમાં પવિત્ર ભાવ ઉન્ન થયે અને પુછયું કે કહે સ્વામી આ મોદકને શું કરું, ત્યારે ભગવાન બેલ્યા કે એ કુંભશાળામાં જઈને મુકે. એ વચન પ્રમાણે કુંભશાળે પહોંચ્યા અને ત્યાં લાડવા સુરતે કેવળ જ્ઞાન પામ્યા. ત્યાં સઘળા દેવતા આયા કેવળીને મહેન્સ કર્યો અને ત્યાંથી સમોસરણે આવીને ભગવાનને નમસ્કાર કરીને કેવળીની સભામાં બેઠાદીઠા. તેને કેવળીની સભામાં જોઈને ભગવાનને પુછયું તેથી ભગવાન કહેવા લાગ્યા કે ઢંઢણ તો કેવળી થયા. આગલની સર્વ હકીકત કહી ત્યારે કૃષ્ણ કહ્યું કે કહે સ્વામી એવડાં અંતરાય કર્મશાં બાંધ્યાં હતાં ત્યારે ભગવાન કહે કૃષ્ણ સાભળઃ–એક વટપલી નામે ગામ છે તે ગામમાં એક સુર નામે કણબી રહેતો હતો તે પાંચસે સાંતીડાને જમીનદાર હતા. ત્યાં એવી રીત ચાલતી હતી કે એક દિવસ ઉનાળામાં જઈને જમીન ખેડી આવતા અને વરસાદના દીવસમાં જઈને વા. વીઆવતા. એક સમયે વરષા રૂતુમાં તે પાંચસે સાંતીડાં પટેલને ખેતરે વાવવા આવ્યા તે વખતે મધ્યા
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૩ ન સમયે અન્ન પાણી અને ચાર પુળા ગાડાં ભરી ખેતરને છેડે લાવીને છેડ્યાં અને સાંતીડાં પણ છોડવાને માંડયા ત્યારે શુરપટેલ બેલ્યા એક ચાસ ફેરવી આ પછી છોડો ત્યારે તેઓએ પટેલનું વચન પ્રમાણું રાખીને સાંતીડાં પાછાં વાળ્યાં. તે વખતે સહુના જીવને કલ્પના ઉપજી તેથી સુર પટેલે અંતરાય કર્મને બંધ બાંધો. પછી સાધુ સંજોગથી ચારિત્ર લીધે સંજમ પાળી દેવ કે પહોંચે. ત્યાંથી સીચવી, તભારે કુળે આવી ઉપજયા. એ ઢંઢણ સાધુનો પુર્વ ભવ સાંભળીને સહુ કોઈ મનમાં વિમય પામ્યા તે માટે અતી ઉગ્ર તપશ્યાએ કરી અંતરાય કર્મનીવાર્યું. ઈતિ.
તષ વિશે અર્જુન માલીની કથા.
મગધ દેરામાં રાજ કડી નગરીમાં શ્રી શ્રેણીક રાજા રાજય કરતો હતો અભય કુમાર તેનો મંત્રીશ્વર હતો. તે નગરમાં એક અર્જુન માલી રહે અને તેને જીવનંદા નામે સ્ત્રી હતી. તે માલી અનીશ વાડીમાં રહેતો હતો રેજ મધ્યાન સમયે શીવજંદા ભજન લઈ વાડીમાં જતી. તે વાડીની પાસે તંદુક નામે જક્ષ નું દેહેરૂં હતું. તેની પુજા કર્યા વિના અર્જુન માલી મુખમાં અન્ન પાણી લેતે નહીં. એમ કરતાં કરતાં કેટલોક કાળ વીતી ગયે. એક દીવસે તે શીવજંદા
Page #124
--------------------------------------------------------------------------
________________
જિન આપીને પાછી વળી અને તંદુક જણના દેરા પાસે થઈને ઘરે જતી હતી એટલામાં તે દેહેરામાં છે માણસ મહા દુર્વ્યસની હતા તે બેઠા બેઠા દારૂ પીતા હતા. તેમણે શીવનંદને પકડીને દેહેરામાં લીધી અને ખરાબ નીતીએ ચાલવા લાગ્યા તેથી શીવનંદ બેલી કે અરે! પાપીઓ તમે મને મુકી કારણ કે મારે ધણી હમણું આ દેહેરામાં પુજા કરવાને આવશે માટે મને મારે રસ્તે જવાશે નહીં તો તમે માય જશે. આથી એ ચંડાળ પુરૂષોને વધારે તાન આવ્યું અને બોલ્યા કે અમને રાજા પણ કાંઈ કરી શકતો નથી તે એ માળી બીચારે શું કરવાનો હતો. એટલામાં અ
ન માલી ત્યાં પુજાને સર્વ સામાન લઈને આવી ચ ડ, તેણે આ દેખાવ જોઈને કહ્યું કે ફીટકાર છે ચાંડાળે તમારાં જીવતરમાં, તમે આ શું કર્મ કરે છે. આ સાંભળીને પેલાં દુષ્ટ પુરૂષોએ મળીને ભાળીને બાંછે અને દેહેરામાં નાંખે. સર્વે એ મળીને તેની નજર આગળ શીવજંતાની સાથે વિલાસ કર્યો. આ વખતે અર્જુન માલી મનમાં વિચાર કરવા લાગ્યો કે ફીટ તંદુકજલા તારી સેવામાં કે આજ સાત પેઢીથી તને પુજીએ છીએ પણ તારામાં દેવપણું કાંઈ દેખાતું નથી. નહી તે તું કેમ કામ ન આવે. આટલા બોલ બેલતમાં તરત જ તંદુકજલ તેના શરીરમાં પ્રવેશ થઈને
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૫
તેહ થયા એટલે સઘલા બંધ છુટી ગયા. તેણે મેઘરી લઈને સર્વ દુષ્ટ દુર્યસનીઓને તથા પિતાની પતીત થઈ ગએલી સ્ત્રીને મારી નાખ્યાં અને વિક્રાળ થઈને ફ૨વા લાગ્યો અને એ દીવસથી સવાપહેર દિવસ ચડે ત્યાં સુધીમાં જે કાઈએ રસ્તેથી નીકળે તેને મારી નાંખે અને બાકી આખે દહાડે તેજક્ષને દેહેરે પડી રહી પિતાના દીવસ ગુજારતો હતો તેના ભયથી તે રસ્તો બંધ થઈ ગયે. એમ કરતાં છ મહીના વહી ગયા એટલામાં ભગવાન શ્રી મહાવીર દેવ કેવળ જ્ઞાની ગામેગામ વિહાર કરતા શ્રી રાજરહી નગરીમાં સમેસર્યા. પણ અર્જુન માલીની બીકથી નગરના લેક કઈ તેમને દર્શને આવી શકયું નહીં. આ વખતે સુદર્શન શેઠે સાંભળ્યું કે શ્રી મહાવીર સવામી સમાસ છે તેથી તે સામે જઈને તેમને વાંદવાના નીમીતે ઘરેથી નીકળ્યો પણ દરવાજે આવેતે તે તરફને દરવાજો તો છ મહીનાથી બંધ કરેલ હતું તે દરવાન કેમે કર્યો ઉઘાડે નહી અને કહે કે રાજાને હુકમ લાવો તે દરવાજો ઉઘાડું. આથી સુદર્શન શેઠ દરબારમાં જઈને ચીઠી લઈ આવ્યા અને સીપાઈને આપી એટલે દરવાજા ઉઘાડી દીધે અને શેઠ બહાર નીકળ્યા. તેવામાં અર્જુન માલી સામે આવે તે જોઇ સાગરીક અણસણ કરીને
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ચાલવા માંડયું એટલામાં અર્જુન માલીએ વજ ઉંગામ્યું. ઉગમતાં તે ઘરતી ઉપર પડી ગયે અને અચેત થઈ કે તેથી તંદુકને વાસે તેના શરીરમાંથી નીકળી ગયો અને અર્જુન માલી ઉઠીને ઉભે થે. શેઠને પગે લાગ્યું ને પુછયું કે તમે ક્યાં જાઓ છો ત્યારે શેઠ કહે કે હું શ્રી મહા વીર સ્વામી ભગવાનને વંદવાને જાઉ છું આથી અર્જુન કહે કે હું પણ આવીશ. શેઠ અને અર્જુન બે જણ સમોસણે આવ્યા તથા ધમીપદેશ સાંભળે. આથી અર્જુન માલીને બોધ લાછે અને ધર્મ ભાવ પ્રગટતાં જ તેણે દીક્ષા લીધી. દીક્ષા લઇને તે બોલે કે સ્વામી મેં ઘણાજ કઠેર કર્મો કર્યો છે તે હું કેમ છુટું. આ સાંભળીને શ્રી ભાગવાન બોલ્યાઃ–આ નગરની બહાર ચારે કોર ફરતા કાઉસગ કરે. પછી તેવી રીતે તેણે કર્યું. તેમ કરવામાં બહાર આવતાં જતાં લે કે તેને ઉપદ્રવ કરતા હતા તથા ક્રોધ ચડે તેવાં વચન કહેતા હતા તે સર્વે તે સાધુવ્રતીથી સહન કરતો હતો એમ સાધુપણે તપશાકરતા-કેવલ જ્ઞાની થઈ મોક્ષે ગયે. એવી રીતે જે વરત ધારણ કરશે તથા એક મને તપશા કરશે તે જૈન ધર્મનાં પ્રભાવે મેક્ષ સુખ પામશે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૭
સિદ્ધાંતની ધારણા ઉપર રેહણી ચારની કથા.
શ્રી મગધ દેશને વિષે રાજગૃહી નામે નગરી હતી શ્રેણી નામે રાજા ત્યાં રાજ્ય કરતા હતા અને તેને અભય કુમાર નામે મત્રક્ષર હતા. એક વખત રાજા શ્રેણીકના આગળ નગર લેાકની ફરિયાદ આવી તેથી શ્રેણીકે પુછ્યુ કે શી ફરીયાદ છે તે મને જણાવે ત્યારે મહાજન લેાક બોલ્યા કે મહારાજ ચાર ધર ફાડી લઇ જાય છે માટે આપ ચારને ઝાલા નહીં. તા અમને રજા આપે એટલે અમે તમારૂ ગામ છોડીને ક્રોઇ બીજે ગામે જઇએ. આથી રાજાએ પ્રજાને સન્માન દઈને સમજાવી પાછી વાળી અને તરતજ રાજાએ બીડુ ફેરવ્યુ આખી કચેરીમાંથી તે ખીડું કેઇએ હાથ ધરવાને હીમત ધરી નહીં ત્યારે છેવટ અભયકુમાર મંત્રીશ્વરે તે બીડું લીધું અને તે ચારની ભાવ લેવાને સાત દીવસની અવધી લીધી. એ પછી સર્વ કચેરી માંડળ પેાતાને સ્થાન કે ગયું હવે સાતમા દીવસે અક્ષય કુમાર ગામ બહાર ભગવાન શ્રી મહાવીરને દેહેરે દર્શન કરવાને જતા હ તા તેવામાં વિભારગીર પર્વતથી ચાલ્યા. ચાઢ્યા રાહણીએ ચાર આવતા હતા તે ખત્રીસ લક્ષણવાળા
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૮
હતો તેણે સામે અભય કુમારને આવતે દીઠે. તે કેખી પાધર દેહેરામાં પેઠે. મોટા સાદે કરીને ભગવાન આગળ સ્તુતી કરવા લાગ્યું. આથી અભય કુમાર પણ મનમાં વિચાર કરવા લાગ્યું કે એ શ્રાવકતા લાગતો નથી પણ મને આવતે જોઈને શ્રાવકપણું કરે છે એમ જાણુને અભય કુમાર ભગવંત આગળ જઈને ચિત્ય વંદન કરીને પછી પિતાને હાથ લંબા એટલે તે રેહણીઓ બોલ્યો કે સ્વામી દેહેરાની બહાર આપણે મેળાપ કરીશું પછી બહાર નીકળ્યા અને મહેમાહે મળ્યા અને ત્યારે અભય કુમારે પુછ્યું કે આજ ક્યાંથી આવ્યા. ત્યારે રોહિણીઆએ જવાબ આપવા માંડે અને બે કે પટણું શહેરથી અહીં ધંધારોજગારને અર્થે આવ્યા છીએ, આથી અભય કુમાર કહે આજ આપણે ઘેર જમવા ચાલે તેથી રેહણીઓ બે કે વારૂ તે ચાલે એ પ્રમાણે બે જ ણાએ ત્યાંથી ચાલવા માંડયું. માળે જતાં રહણીઆએ વિચાર્યું કે મારાં તે બે કામ થશે એક તો જમવાનું અને એક તો જોવાનું, એમ વિચાર કરતાં ઘરે આવ્યા. ત્યાં જઈને નાહ્યા તથા દેવ પુજા કરી અને પછી જમવાની જગ્યાએ ગયા. ત્યાં બનેને માટે સરખા બાજોડ મુક્યા હતા અને સર્વ ચીજો બનેને સરખીજ પીરસી હતી તે જોજન કરવા પછી ભારત આવ્યા તે
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પણ બેઉને સરખાજ પીરસ્યા. પછી પ્રધાનને એક વાટકે ભરીને દહીને આપ્યા અને રહણીઆને એક વાટકામાં ચંદાસ નામની મદીરા જે જોવામાં દહીં સરખી હોય છે તે ભરીને મુકી. આથી ખાતાં ખાતાં તેને મદરાની છાક ચડી તેથી હાથ અને મોટું એઠાં હતાં તે ચખાં કરીને ત્યાંથી એક ઓરડો સણગારી મુજે હતું તેમાં ઢોલી ઢાળેલ તૈયાર હોવાથી તે ઉપર સુતે. વળી સોળ સ્ત્રીઓ અને તેની સેળ સાહેલીઓ શણગારીને તે ઓરડામાં તૈયાર રાખેલીઓ હતી અને તેઓ બધી ચાર ચારના અનુક્રમે ચાર ખુણામાં ઉભી રાખેલી હતી. જયારે કેટલાક વખત પછી મદીરાની છાક ઉતરી તે વખત રહણીઓ ઉઠ અને બેઠો થયે આ વખત પુરેપુરા બાર વાગ્યા હતા. આ વખત એકી સાથે સેલે જણીઓ બેલી ઉઠી કે, જ્યજય નંદા જય જય ભદ્રાસ્વામી તમે શું શું પુન્ય કર્યા છે કે અહીં આવી અવતથા એવી રીતે એકવાર બે વાર કહ્યું ત્યારે રોહીણીઓ મનમાં વિચારે છે.
કોઈ એક વખતે પુર્વે રેહણીઓ ચોરી કરવા નીકર્યો હતો ત્યાં માર્ગમાં જતાં ભગવાનનું સમોસરણ દીઠું અને કાનમાં આંગળી ઘાલી હતી તેનું કારણ એ કે અસલ એની સાથે વાર્યો હતો કે દીકરા ભગવાન શ્રી મહાવીરના કવન જોતારા કાનમાં પડશે તે
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૦
તારી વિદ્યા, અદ્રીશ્ર કરણી, બીજીતળે ઘંદ ઘાટણી, ત્રીજી અવસ્થખેણી, ચેતા પાતાળની અંદરનું ધન દેખાય, તે સર્વ ટી થશે એ ભય લગાડ હોવાથી કાનમાં આંગળી ઘાલીને ચાલ્યો જતો હતો તેવામાં પગમાં કાંટો ભાગ્યે તેથી કાનમાંથી આંગળી કાઢીને કાટ કાઢો તે વેળા ભગવાને એક ગાથા ઉચરી:
અશુભસ્ય નયણામણ કજ સાહણ ! પુફદામ અમાણ ચતુર ગુલેણ મુમં !
ન છબતી સુરા જિણ બંતી છે ૧ છે એ ગાથા સાંભળી અને અર્થ વિચાર્યું કે –દેવતાને આંખ મટકો નહીં અને મનમાં ધારે તે કામ જલદીથી થઈ જાય. ફુલની ભાળ કરમાએ નહી અને દેવતા ધરતીથી ચાર આંગળ ઉંચા રહે પણ પગ ધરતી એ બે નહીં. એવાં વચન ભગવાનને છે તો તેમાંનું એક લક્ષણ અહીં જોવામાં તે આવતું જ નથી તેથી એમ લાગે છે કે અક્ષય કુમારને આ સર્વ પ્રપંચ છે. એમ મનમાં વિચારીને અભય કુમારને બુમ મારી તે વખતે અભય કુમાર પણ તે જગોએથી - ડે જ દુર બેઠો હતો તે આવી ઉભા રહ્યા તે વખતે રહણીઓ ઉઠીને ઉભો થયો અને મહેમાંહે મળીને પાછા ઢોલીઆ ઉપર જઈને બેઠા તે જ વખતે રોહણીઓ અક્ષય કુમારને કહેવા લાગ્યું કે ધન્ય છે ત
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૧
મારી બુદ્ધિને અને એ સંભાળીને પ્રધાન પણ કહેવા લાગ્યું કે ધન્ય છે રોહણી આ તારી બુદ્ધિને પણ ધન્ય! મેં આટલા ઉપાય કર્યો પણ તું છતારા નહીં. ત્યારે છેવટે રેહણીઓ બે કે ય છે ભગવાનની વાણીને કે જેના પ્રભાવ વડે હું તર્યો. એ પછી ૨હણીએ પિતાને અંતઃકરણને ખરે વિચાર અભય કુમારને જણાવીને કહ્યું કે હવે હું ભગવાન પાસે ચારિત્ર લઈશ માટે મારી માતા જે વીભાર ગીરમાં છે. તેની જે તમે સેવા કરે તે હું દીક્ષા લઉં. આ સાંભળી અભય કુમારે તે સર્વની કબુલાત આપી. અને ભય કુમારે રાજા શ્રેણીકને આ બધો વિચાર જણ. એવા સમયમાં ભગવાન શ્રી મહા વીર દેવ આવી સમે સર્યા. તે વખતે રાજા તથા અભય કુમાને છેહણીઆને દીક્ષા મહોત્સવ કરવા મડયે. ભગવાન પાસે આવી તેમને વાંદીને રહણીએ દીક્ષા લીધી. રાજા શ્રેણીક તથા અભય કુમાર બને વૈભાર ગીરીમાં આવ્યા અને ત્યાં આવીને રહણીઆએ લીધેલું ધન જેનું જેનું હતું તેમને ઓળખી ઓળખીને પાછું આપ્યું અને બાકી રહ્યું તે ભંડારમાં નાખ્યું. રેહણીઆની વૃદ્ધ માતાને તેના પુત્ર વિષે સારા સમાચાર આપ્યા અને તેને લઈ જઈને પિતાના દરબારમાં રાખી આથી સમજાશે કે રેણુઓ સમજ પાળી
૧૧
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૨
એક અવતારી છે. માત્ર એકજ ગાથા સાંભળી હતી તે તેના પ્રભાવે જાતે તરી પાર ઉતરી ગયે. તે માટે ઉપરની વાતથી વાંચનારે એટલું જ સમજવું કે તેણે ગાથા ધારી હતી તો તેને આધારે તે પાર પામે તે માટે જે ભાવ સહીત સુત્ર સાંભલે અને ધારે તે સુખે સંસાર તરે એ નિશ્ચય સમજવું.
મૃગલાની કથા.
શ્રી વસંતપુર નગરને વિષે અરીમન નામે રાજા તે હનગરમાં રાજય કરતો હતો. તે નગરમાં એક સુરસેન નામે રજપુત હતો તેને રતી સુંદરી નામે સ્ત્રી હતી. એ બને સ્ત્રી પુરૂષોમાં અરસ પરસ બહુજ વહાલા હતું. પ્રીતિના પાશમાં પડીને તે બે જણ સુખ ભેગવતાં હતાં. કેટલાક દીવસ વહી ગયા ત્યારે સુરસેન સ્ત્રીને કહેવા લાગ્યો કે હવે હું તે બહાર દેશાવર નેકરીએ જઈશ આ સાંભળી સ્ત્રી બોલી તે સ્વામીનાથ આપના વિના હું કેમ રહી શકીશ મારા દીવસે કેમ જશે. મારા એ દીવસે ખરેખરા વિયેગરૂપી દુઃખનાજ થઈ પડશે માટે તેમાં મારે આધાર રૂપ એકમટા તુંબાની વીણા લાવી આપે કે જેથી હું કોઈ પણ રીતે મારું દુઃખ તેના સાથે રહીને ભેગવીલઉં. આ વખતે સુરસેને એક મેટા તુંબડાની રંગીત વિષ્ણુ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૩
લાવી આપી અને સતીસુંદરીને એક વરસની મુદતે આવવાને માટે કહી તેને રાજી કરીને ચાલી નીકળ્યે. નીકળતાં નીકળતાં ધરની પડેાસમાં રહેનારને ભલામણુ કરીને કહ્યું કે હવે ધરની સર્વ તરેહની ભલામણુ આપુનેજ કરૂ છું અને આપ લક્ષ પુર્વક ધરની સંભાળલેશે એમ મારા તમારા ઉપર ભરેાંસાછે. ઘરમાં નાનડી માણસછે તેા રાત વરત કાઇ અાણ્યા માણસને જતાં આવતાં પણ આપતપાસ રાખજો. હવે હું તેા જાઉજી. આગલ જતાં તે કાઇ નગરીમાં નાકરીએ રહી. ગયા. થરમાં તેની સ્રી તેના જવા પછી બહુજ દુ:ખ ભાગવતી હતી તેના દીવસ તા કાઈ રીતીથી જતા હતા પણ રાત્રી જવીએ તેને ધણીજ મુશીબત ભરેલુ થઇ પડતુ. રાત્રે તે ધરની ખડકી બંધ કરીને ઊપરને મજલે ઢાલીએ ચડાવી ગાખનાં બારણાં ઉધાડાં મુકીને બેઠી વીણા વગાડતી. તે કયાં સુધો કે જ્યાં સુધી ખરેખરી નીંદ્રા ન આવે ત્યાં સુધી. એક દીવસને સમે તે નગરની બહાર એક મૃગલાનુ ટાળુ ફરતુ આવ્યું હતું તેમાં એક કાળીયાર જાતના નૃગલા હતા તેને ભાગતી રાત્રીની વીણાના મધુર સ્વરને અવાજ પડયા તે સ્વરના અવાજ પડયા તે સ્વરથી મેાહીત થઇને તે કાનના પરવશ પણાથી દીન દીન નજીક આવતા જતે માલમ પડતા હતા, એમ કરતાં છ માસ થયા ત્યારે
Page #134
--------------------------------------------------------------------------
________________
છે તે મગ કેટે ચડીને બેઠે. વળી બીજા ચાર માસ, થયા ત્યારે ઘરને બારણે આવીને બેસે. તે વખતે જતાં આવતાં તેના શીંગડાં યાંત્યાં અથડાય અને ખખડાટ થાય. તે એક પાડોશણ ડેસી પડી પડી સાંભછે તેથી તે જાણે કે કોઈ પુરૂષ આવે જાય છે. એમ કરતાં એક વરસ પુરૂં થયું. ત્યારે સુરસેન કમાઈને પાછો ઘરભણી આવ્યું. આવતાં જયારે પિતાનું ગામ બે ચાર ગાઉ રહ્યું ત્યારે એક નાના ગામડામાં સગાને ત્યાં તેણે ઉતારો કર્યો. ઘેડ તથા ચાકર ત્યાંજ મુક્યાં અને રાત્રીને સમે પિતાના ગામમાં પહોંચ્યા. ત્યાં જઈને સ્ત્રીના ચરિત્ર જેવાનો તેનો ઈરાદો હતો તેથી તે પાડોશણ ડેસીને ત્યાં આવ્યું અને ઘરના.ખબર :
યા ત્યારે તે ડેસી કહે કે, વીરા બેસ હું તને જેવા ખબર છે તેવા હમણાં જ જણાવું આથી તેના મનમાં વધારે બ્રાંત પડી. રાત્રીના સમયે તે પિતાના બારણા સામે બાણ ખેંચીને એકીટસે બેઠો. થડા વખત પછી શ્રી હાથમાં વીણા લઈને બેઠી અને તેથી મગપણ બારણે આવીને બેઠો. બેસતાં બારણું ખખડયું એટલે તેણે જાણ્યું કે હમણાં તે માંહી પેઠે હવે નીકળશે તે વખતે મારીશ. એમ વિચારીને બેઠા છે તેવામાં પાલી રાત્રી થવા આવી એટલે સ્ત્રી સુવાને ઉઠી અને મૃગપણ ઉઠશે. જતાં જતાં તેનાથી પાછું બારણું ખ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૫
પડ્યું તે વખતે તેણે બાણ ફેક્યું તે મૃગને લાગ્યું અને ને એ પડશે તે ધબકે થયે અને મરતાં મરતાં બે કે –
વાયવાયમમખચકર ! નાશીરધરણીઢળત છે
વેધ્યાહી વટીયા અણવેધ્યામાલ ચરત છે તે વખતે પેલી સ્ત્રીએ પાછે પ્રત્યુતર કહે -
વધ્યાસેવાસા અણધ્યા મરજાવ .
ભરજે નર બાપડા જે વેધ્યા વાલે ઘાવ છે એ વચન સાંભળીને તેઓ બારણે આવ્યા અને જુએછે તે મગ પચે છે આ જોઈને મનમાં મહાત્રાસ ઉપજ અને ડોસીને કહ્યું કે ફીટ ભુંડી પાપણી તેં કેકટ જીવ મરા એમ કહીને મગને ઘસડી નાખ્યા પતે પાછો જયાંથી આવ્યું હતું ત્યાં ગયો અને સવાર થતાંમાં ઘરે આવ્યો. સ્ત્રીને મળ્યો અને સર્વ સુખની પરિપુર્ણતા કરી. પણ કાનના વિષય થકી મૃગ મણું પામ્ય માટે કઈ પણ વિષયની વાસનામાં પડવું એ વહાલા વાંચનાર તમે વિચારો કે કેટલું હાની ભરેલું છે એ વિષે કહેલું છે “અતી સર્વત્ર વર્જત” માટે કઈ પણ બાબત ઉપર બહુ મેહ કરીને જીવને તે તરફ લમાડવે નહી પણ ધર્મની બાબતમાં વિકાર રહોત થઈ તે પ્રવૃત થવું.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨
વીષય વાસનામાં સાયલા હાથીની કથા.
અંગદેશમાં કુસુમપુરી નામે નગરી હતી તેમાં જયનાદ નામે રાજા રાજ્ય કરતા હતા અને સુખ વિલાસમાં નીમગ્ન હતા તેવા સમયપર એક પારધીએ આવીને વધામણી દીધી કે મહારાજ આપણા કુંદન વનમાં એક હાથી ધણી હાથણીઆની સાથે આવેલે છે એવાં વચન સાંભળીને રાજાએ હુકમ કર્યો કે કાઇ પણ ઉપાય કરીને તે હાથીને ઝાલા. તે વખત કેટલાક ડાહ્યા પુરૂષો હતા તે એ કામ માથે લઇને નીકળ્યા. તેએએ વનમાં આવીને એક માટી ખાડખાદી અને એ ખાડ ઉપર વાંસની છત કરીને તેના ઊપર માટી પાથરીને બરાબર જમીન જેવુંજ કર્યું તેની વચ્ચે એક કાગળની બનાવટી હાથણી કરી તે કાગળની હાચણી ઉપર કાળી મેશ ચાપડીને બરાબર હાથણીના રંગ કર્યો અને પછી બુદ્ધિ ચલાવીને તે હાથણી ઉપર ખરી હાથણીનું મુતર રાજ છાંટવા માંડયુ તેની ગંધને લીધે પેલા હાથીને મનમાં આવ્યું કે આટલી મારા હ્રાથણીએ છે પણ તેને પણ જઇને હું મારી કરી લઊઁ, એવા વિચારથી હાથી તે ખાડ આગળ આવીને પેલી હાથણી જે કાગળની બનાવેલી હતી તેની પાસે જવાને લાગ્યા એટલે ખાડમાં પડી ગયા. તેને ત્રણ દીવસ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૭
સુધી ખાવા પીવાને બીલકુલ આપ્યું નહીં અને તેથી તે હાથી ઘણેજ ગભરાટમાં પડયો પછી અંકોરાના મારથી તે ચતુર પુરૂએ તે હાથીને વશ કરી લીધે. એ પ્રમાણે હાથી જેવા મોટા પ્રણને પણ પુરૂષ ઈદ્રીના લીધે મહા દુખ વેઠવું પડયું.
માટે દરેક સ્ત્રી પુરૂષોએ સંસારમાં રહીને મેહને વશ ન થતાં નીતીથી ચાલવું અને પોતાની ઈદ્રિઓને બેહેંકાવી મુકવી નહીં કારણ કે જે માયાના કંદમાં પડીને નીતિને બગાડ કરશે તો સંકટમાં આવી પડશે તે જેમ ઉપરની વાતમાં હાથીને દુઃખ પડયું તેમજ તમને પણ સંકટમાં આવી પડવું પડશે.
નાસીકા દ્વિ ઊપર ભમરાની કથા.
એક મોટા વનમાં માન સરોવર જેવું સુંદર તબાવ હતું તેમાં અનેક વીધીનાં ફુલ હતાં તેમાં એક હજાર પાંખડીનું સુર્યવંશી કમળ હતું તે કમળને મધ્ય ભાગે એક ભમરો આવીને બેઠે. તે વાસનાને બહુજ લેભી હતો તેથી છેક સુર્ય આથમી જવા સુધી અને કમળને બીડાઈ જવાના વખત સુધી પણ ઉઠી શો નહીં. એટલે તે અંદરજ બેસી રહે અને કેમળ બીડાઇ ગયું. તે વખત ભમરો મનમાં વિચારે છે કે-જે હું આ કમળ કેરીને અત્યારે નીકળી જ
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ઇશ તે પછી કાલે પાછે સુગંધી શાની લઈશ. એમ નાસીકાના અતી હિમાં પડીને વિચારે છે તેવામાં અરધી રાત્રીને હું માર થવા આવે એટલે તે વનમાં ફરતો ફરતો એક હાથી તે તળાવ ઉપર પાણી પીવાને આ તેણે તે કમળને સુઢવતી તેડી નાંખ્યું અને મુખમાં મુક્યું એટલે તે કમળમાં ભમર મરી ગયે. આ વાત ઉપરથી વાંચનારે એટલો જ સાર લેવાને છે કે જે તમે મોહમાયામાં લપટાઇને તેમાં સુખ માની બેઠા હેત ભલે તમને તેમાં સુખ લાગતું હોય પણ જયારે ભમરાની પેઠે તમે તે મેહમાયા રૂપી કમળમાં સપડાઈ ગયા હશે ત્યારે તે તમારાથી કઈ સાધુ પુ. રૂષના ઉપદેશ વડે છુટી જવાને બનશે નહીં પણ તે ભમરાની પેઠે જ આખર મોટા પાપના પુંજરૂપ થઈને મહા દુઃખને ભોગવશે. માટે પ્રથમથીજ ભમરાના દાખલાને મનમાં વિચારીને સાવધ પણે ચાલશે તો સંકટમાંથી મુક્ત થશે.
મનુષ્ય દેહની દુલંકતા વિશે કથા.
આ સુંદર ભરતખંડ કે જે એક અતી સુશોભીત બાગના રૂપનેજ લાયક છે તેમાં પુર્વે વસંતપુર નામે એક નગર હતું તેની શોભા એવી હતી કે જેમ એક બાગની શોભા વસંત રૂતુમાં જેવી ખીલી ઉઠે છે કે
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૯
વીજ રીતે આ ભરતખંડ રૂપી બાગમાં એ વસંતપુર વસંતરૂતુની માફક શોભાવડું દેખાતું હતું. તેમાં અને રીમર્દન નામે રાજા રાજય કરતા હતા તે જેમ કેઈ બાગને હોશીયાર માળી તે બાગની કેટલીક ખરાબ થયેલી વનસ્પતીને કાપી નાખે તેમજ એ અરીમર્દન રાજા પણ તે વસંતપુરીમાં નીતિથી ઊલટા ચાલનારાઓને જડમુળમાંથી ઉખેડીને બધી વસ્તીને સુનીતિમાન તરીકે શોભાવતો હતો. તે નગરીમાં ધરણ નામે એક કઠીયારે રહેતો હતો તે લાકડાં લેવાને જંગલ માં રોજ જતો હતો. એક સમયે તે કઠીઆર નંગલમાંથી લાકડા કાપીને આવતો હતો અને મધ્યાન - વાથી સૂર્યના તાપથી તથા માથાના ભારથી તથા શુંખના મારથી કંટાળીને આરામ લેવાને માટે એક આંબાવાડીઆમાં આવ્યું. ત્યાં એક નદી આવી તેમાં ઝાડની છાયા સારી જોઈને બેઠે. નદીના કિનારે તે બેઠો હતો અને તેની પાસે બીજું કઈ વાત ચીત કરનાર ન હોવાથી તે એકલે બેઠો હતો બેઠે નદીના પીળા મઠીને કાંકરા હાથવતી આમતેમ એક પછી એક ફેરવતે હતો. તેવામાં તેના હાથમાં એક ચીંતામણું રત્ન આવી ચડ્યું. તે રત્ન હાથમાં લીધા પછી તેના હવાઈ વિચારે ચાલતા હતા 'તેમાં એ એક પવન આવ્યું કે જો આ જગ્યા ઉપર
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સાત મજલાને એક મહેલ હેય તે બહુ સારું. તે જ પ્રમાણે પિલા ચીંતામણી રત્નના પ્રભાવવડે તે ઠેકાણે મહેલ તૈયાર થયું. તે વખતે વળી વિચાર છે કે સ્ત્રી વિનાને આ મહેલ શા કામને કહ્યું છે કે –
નરપતીવણજિમનયર મુગ્ધવિણ મંદિર નભાવે છે ગુણયલવીણછમગઠ શીયળવિણ શેભાન આવે છે ન શોભત રૂપવિણ નાશીકા પ્રેમળવિઝણે પુફજીમ છે સંતોષ વિનાસુખ ભીમ કહે છવ દયાવિણ ધમતીમાં
એ પ્રમાણે સ્ત્રી પણ પાસે બેઠેલી દીઠી અને વળી મનમાં વિચાર કર્યો કે જે સેગડાં પાસાં બાજોઠ હેય તે સારૂં તે તે પણ તૈયાર થયાં. વળી મનમાં વિચાર આવે કે આ ઘરની આસપાસ ફરતે સુંદર ચેક તેને ફરતે રાજ ગઢ અને તેના ફરતું અડતાળીસ ગાઉન ગામ હોય તે ઠીક. એ પ્રમાણે તે પણ તૈયાર થયું. પછી તરંગ ઉઠયો કે શહેરમાં વસ્તી વગર શું સારું લાગે – વસુધા ભરણું પુરૂષા / પુરૂષા ભરણું પ્રધાન તર લક્ષ્મિ છે લક્ષ્યા ભરણું દાન ! દાના ભરણું સુપાત્ર છે
એ વખત સ્ત્રી અને પુરૂષ પણ તૈયાર થઇ ગયા. તેમજ હાથી ઘોડા ચતુરંગી સેના તૈયાર થયેલી પણ દીઠી.. આ બધું જોઈને કઠીયારાનું મન પણ ઘણું જ પ્રસન્ન થઈ ગયું. એવામાં એક ઝાડ ઉપર કાગડે
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૧
બેઠા બેઠા કુવરે બેાલતા હતા તે એકઠીઆરે ઉડાડવા માંડયા. પણ એમ ઉડયા નહીં ત્યારે જે ચીંતામણુ રત્ન હાથમાં હતુ તે એ જાણતા નહાતા તેથી તેને એક પથરાની માફકજ તે કાગડા ઉપર ફેંકી દીધુ અને તે ફે કતાંજ કાગડા ચાંચમાં ધાલીને ઉડી ગયા એટલે કડીઆરા જે જગ્યા એ પ્રથમ એકલા બેઠે હતા તેવાજ થઇ રહ્યા અને પાસે લાકડાના ભારા ૫ડયા હતા તેજ રહ્યા. આથી ગભરાઇને તે કાગડાને પકડવાને દેડયા પણ તેમાંનું કાંઇ વળ્યુ નહીં તેથી આખર પાછે થાકીને બેઠા.
એ પ્રમાણે આ સ ́સારમાં ધણાક લૉકા રત્ન ચીંતામણીરૂપ મનુષ્યા દેહું પ્રાપ્ત થયા છતાં કઠીયારાની માફક જુદા જુદા રસ્તે ગુમાવી દઇને પેાતાની અવગત કરે છે. તેઓએ બહુજ વિચારથી જાણવું જોઇએ કે આ મનુષ્યા દેહ રત્ન ચીંતામણીરૂપજ છે તે આમથી ગુમાવી દેવી ન જોઇએ.
સુભદ્ર શેઠની કથા.
અંગ દેશમાં ચંપા નગરી નામે એક નગર હતુ અને તેમાં વીરસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં એક સુભદ્ર નામે શેઠ ન્મના દળિદ્રી હતા. એણે પેાતાની
•
વસતા હતા. તે જ ગરીબાઇ ભટા
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩ર હવાને ઘણું કસબ કરી જયા પણ કેઈ તે ભાગ્યજય થયું નહીં. છેવટે પરદેશ કમાણી કરવાને નિ. થય કરીને નીકળે. પરદેશમાં પણ યે ત્યાં ભટકતાં કેટલેક કાળવીતી ગયે પણ ધનની પ્રાપ્તિ કઈ પણ જગ્યાએથી થઈ નહીં. આખરે ભમતાં ભમતાં સમુદ્રના કિનારા ઉપર આવ્યું અને સમુદ્રને ઉછબતે દેખીને મનમાં ઘણેજ આનંદ પામે. આ મારી આશા પુરશે. એમ વિચાર કરીને સમુદ્ર ઉપર લંધન કરવાને બેઠો. સાત લંધન થાઈ ત્યારે સમુકને અધિશ્રામક આવી ઉભો રહ્યા અને બોલ્યો કે બેલ ભાઈ તું કેમ અહીં આવીને લંધન કરી ઉપવાસે મરે છે. આ સાંભળીને તે સુભદ્ર શેઠ બોલ્યા કે મને હારાજ હું નીર્ધન છું માટે ધન લેવાને આવ્યો છું. તેના જવાબમાં સમુદ્ર જણાયું કે તારા નસીબમાં બીલકુલ ધન પ્રાપ્તિ નથી. ત્યારે સુભદ્ર બેલ્યા છે એકવાર મને આપોતો ખરા પછી જે થશે તે ખરૂં, એ ઉપરથી રત્ન ચીતામણી કાઢી આપે. તે લઈને પાઘડીને છેડે બાંધે અને રજા લઈને સમુદ્ર પાસેથી ચાલી નીકળે. આગળ જતાં કોઈ ગામ આવ્યું ત્યાં જઈને વહાણમાં બેઠા. તે વહાણ સમુદ્રમાં ચાલ્યું જતું હતું તે વખત આ માસની પુનમ હેવાથી તેણે વિચાર કર્યો કે આજે જે મારા પાસે રત્ન છે તે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૩
રનનું તેજ વધારે છે કે આ ચંદ્રનું તેજ વધારે છે. એમ વિચાર કરીને પાઘડીમાંથી રત્ન છેડીને પોતાની હથેળીમાં રાખ્યું અને જોયું તે ચંદ્રનું અને રત્નનું તેજ બરાબર મળી ગયું. આમ બેઠા હતા
અને એકદમ પવનનો મેજે આ તેથી વહાણ પાસાવટ થઈ ગયું એટલે રત્ન હાથમાંથી ખસ્યું. સમુદ્રમાં તેના હાથમાંનું રત્ન ગરક થઈ ગયું. અરે! બીચારા કમનસીબ પ્રાણી, તું મનમાં જે જે હવાઈ વિચારો બાધતો હતો તે સર્વ હવે પાય માલ થઈ ગયું !!! હાય હાય રે ! ગરીબ માણસ દુઃખીઓ છું ! ભાઈ રે ! વહાણ જરા ઉભું રાખો ? આમ મેટી બુમ પાડી ઉઠય પણ તેનું કણ સાભળે. છેવટે વહાણ જ્યારે કેટલેક દૂર નીકળી ગયું ત્યારે પછી ઘણા આક્રંદ સાથ કરૂણાજનક તેના મહા સંકેટથી અકબાઈને વહાણના ધણુએ તેને સમજાવે કે મુર્ખ, તું શા માટે રડે છે તે તારી મુર્ખાઈથી જ દુઃખી અવસ્થા
હેરી લીધી છે તેમાં અમે શું કરીએ. માટે જેમ તેણે રત્ન ચીંતામણી ગુમાવ્યું તેમ આ મનુષ્યાવતાર ગુમાવે નહીં.
મસેન પારધીની કથા.
શ્રી રૂદ્રપટલી નામે એક ગામ હતું તેમાં એક મૃગસેન નામે પારધી રહેતો હતો તે હમેશાં જંગલમાં
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શીકાર કરવાને જાતે. એક વખતે મૃગસેન પારી એક મોટા વનમાં થઈને જતો હતો તેવામાં એક મૃગ લીલું ઘાસ ચરતે હતો તેણે મેં ઉચું કરીને પારઘીને જે અને ભય અને શેકમાં ગરક થઈ ગયે.
આ વખત આખા વનમાં આગ લાગી હતી અને જે રસ્તેથી છુટવાનું બારું હતું તે રસ્તે સામે પારધી આવતે છે. હવે તેણે પોતાના બચાવની આશા મુકી દીધી અને ઈશ્વરની તરફ પિતાના મનને લગાયું અને જે તે મચાવે તો જ બચાય એમ તેના ભક્તિ ભાવમાં મન લગાડયું. ઈશ્વરદયાળુ છે, તેને ન્યાય પવિત્ર છે, તે નિરઅપરાધી અને પિતાના ઉપર આધાર રાખનારને મદદ કરે છે. આ વખતે પણ ઈશ્વરેચ્છાથી તેને બચાવવાની તજવીજ થઇ.
ચેડા વખતમાં આકાશ ચઢી આવ્યું અને વરસાદની ઝડી થઈ આવી. આખા વનમાં જે પ્રચંડ અગ્નિ પ્રગટ થયે હતો તે તદન શાન થઈ ગયે અને હરણને માટે હવે રસ્તા થઈ ગયા. પારધીની સાથે કુતરે એક શીઆળની પાછળ દોડી ગયે તથા પારધી એ તાકેલું બાણ તેના હાથમાં પણ તુટવાથી નકામું થઈ ગયું. આ વખતે એકદમ દશે દિશામાં જવાને રસ્તે તે મૃગને થયે તેથી ભાગી ગયે. ભૂગસેન પારધીનીરાશ થઈને ઘેર ગયે. આ વાતને સાર એટ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૫
લેજ છે કે માણસે દુઃખને વખતે ઉપાયે લેવા પણ જે કઈ પણ ઉપાયમાં ફાવીએ નહી તે પછી માત્ર ઇશ્વર ઈચ્છાને તાબે થઈ તેની પ્રાર્થના કરવી કારણ કે
જ્યારે તે બચાવનાર અને નાશ કરનાર સમર્થ છે ત્યારે આપણે માટે પણ જે ધારશે તે કરશે એ વાતમાં શે
મામા મારથ મનમાં રહ્યા,
એક વખતે વિંધ્યાચળ પરવતમાં ફરતાં એક હાથીએ વિચાર કર્યો કે હવે તો કદંબ વનમાં જાઉં તે ત્યાં કઈ સારે ખોરાક મેળવું અને સુખમાં વિસ ગુજારૂં એમ વિચાર કરીને રસ્તે ચાલે જાય છે તેને જેઇને એક શીયાળ પણ મનમાં વિચાર કરવા લાગ્યું કે આ હાથી મોટું જનાવર છે તેને મારવાને કાંઈ ઘાટ ઘડું તો મારા કુટુંબને ઘણું દીવસ સુધી મહેનત કર્યા વગર સુખથી ખોરાક મળે એમ મનમાં ગોઠવણ કરીને તેની પાછળ ચાલવા લાગ્યા. એટલામાં એક પારધી ત્યાંથી જતો હતો તેની નજરે આ હાથી પડશે તેથી તેને મારવા માટે બાણ તાકીને ઉભે. તે
જ્યાં છો હતો ત્યાં નીચે પગમાં જ એક સાપ પોતાના દરમાં એ વિચાર કરતે બેઠો હતો કે જે કાઈ ખોરાક મળે તે ઝડપથી ગળી જાઉં, જ્યારે પેલા હાથી
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૦
ઉપર પારધીનું બાણ છુટયું તે વખત પેલા સાપે પારધીને દરમાંથી નીકળીને ડંખ માર્યો અને પારધી પડયે તેની નીચે સાપ પણ ચગદાઈ મુઓ અને પારધી પણું મુઓ તથા બાણ વાગવાથી પેલે હાથીપણ પડ અને શીયાળ તેની નીચેજ દબાઈ મુએ. એ રીતે ચારે જીવ જુદા જુદા વિચાર કરતાં મરી ગયા માટે મનના મને મનમાં જ રહી ગયા અને ધારેલું ધુળમાં મળ્યું. માટે માણસેએ પણ એ ઉપરથી સાર લેવાનો છે કે જે ભગવાનનું ધારેલું હોય તેજ થાય છે અને આપણે કઇ વિચાર કશા કામમાં આવતો નથી.
સ્ત્રી પુરૂષના અતી સુખ વીશે કથા.
* શ્રી સેનપુરનામે નગરને વિશે ઉતમ શેઠ નામે છેપારી હતા અને તેની સ્ત્રી સગુણ સુંદરી નામે હતી. એક દીવસના વખતે એ ઉતમ શેઠ ઘરમાં જમવા બેઠે હતો. પાસે બાજોઠ પડેલે હતો તેના ઉપર સેનાને થાળ મુકયો હતો. તે થાળમાં બત્રીસ પ્રકારના ભજન તૈયાર કરીને મુકેલાં હતાં. આ વખતે તે શેઠ જમવા લાગ્યા તેવામાં એક સાધુ આવ્યા. તે સાધુને આવતા જોઈને શેઠ જમતા બંધ રહ્યા. શેઠ સ્ત્રીએ સાધુને કહ્યું કે મહારાજ અમારે ત્યાં તે રસોઈ વાસી છે તે તમને કેમ અપાય? આ સાંભળીને શેઠ સ્ત્રી ઉપર બહુ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૭.
જ ગુસ્સે થયા પણ સાધુએ કહ્યું કે એ બાઈએ જે કહ્યું છે તે સાચું છે માટે તમે તેમને જરાએ ક્રોધ કર શે નહીં. એમના કહેવાને બધે અરથ મારા ધ્યાનમાં આવી ગયે છે એ કહીને હસતા હસતા તે સાધુ ચાલ્યા ગયા. શેઠને તો સ્ત્રી ઉપર ઘણાજ ગુસ્સો ભરાયે અને કહ્યું કે સાધુને તે ઉની રાઈ હતી છતાં વાસી કહીને ઠાલા કાર્યો માટે તું મેટી પાપણ છે. આ સાંભળી સ્ત્રીએ કહ્યું કે આ ભજન સંસારીના ઉપભોગ માટે કર્યા છે. તેમાં અનેક પ્રકારની વસ્તુઓ શરીરને વીષે બળ આપનારી હોવાથી તે સાધુ પુરૂષને કામની નથી. આ જવાબ સાંભળી શેઠનું મન સમાધાન પામ્યું પણ શેઠે વિચાર્યું કે સાધુ શું સમજયા છે તે મારે તેમની પાસેથી જાણવું જોઈએ. માટે તે સાધુ પાસે ગયો અને સાધુને પુછતાં તેણે જવાબ આપ્યો કે હું તો વાસી છે એમ કહેવાનો અર્થ તમને સમજાવું છું તે એ કે પેલા ભવ અત્રે પાણીની બાબત કે બીજી સુખ દુઃખની બાબત હોય છે તે કરણમાં લખ્યું હોય છે તે આભ પામવાનું છે. આગલા વખતમાં તમે સારા પુ કરીને ભેજવાદિ પ્રાપ્તિના ફળ કરી મુકેલા છે તે આભ વાપરે છે તે મારા નસીબમાં ન હોવાથી તેણે કહ્યું કે આ ભજન વાસી છે એટલે કે પેલાં ભવની કરેલી કમાણી છે એ વાસી જ કહેવાય. '
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૮
એ વાત ઉપરથી દરેક ભાઈઓએ સાર લે જોઈએ કે જે જે સુખ દુખ પડે છે તે પેલા ભવની કરણી છે માટે તેમાં કોઈ ભાગીદાર નથી તેમજ કોઈ સગાં કે સંબંધી તેને ભોગવવાને સમર્થ નથી.
રાજ નીતિ ઉપર રાજા ભોજની કથા.
માળવા દેશમાં ઉજેણી નામે નગરીમાં ભેજ નામે રાજા રાજ કરતો હતો તે એક વખત પ્રધાનને કહેવા લાગ્યો કે પ્રધાનજી આપણ નગરમાં લેકે કેવા ધર્મવાળાં છે તે આપણે જેવું જોઈએ. આવા વિચારથી પ્રધાનને આનંદ થશે અને તે છે કે મને હારાજ જે આપની મરજી હોય તો ભલે ચાલે આ જેજ આપણે બને અતીતને વેષ લઈને શેહરમાં જઈએ. આ વાત થતી હતી તે વખતે સવાર હતી તેથી પ્રધાન તથા રાજા બે જણાએ અતીતને ભેખ ધારીને ગામમાં ઘેર ઘેર ભીક્ષાનદેહી કરીને ચાલવા માંડયું. રાજા તથા પ્રધાને એજ વિચાર કર્યો હતો આજે તે આખે દીવસ આપણે આ કામમાંજ ગાછે તેથી તેઓ છેક મધ્યાન સમય સુધી ફરતા હતા. એવામાં એક સુધન શેઠ નામે વેવારીને ઘરે જઈ મ. હયા ત્યાં તે શેઠ જમવા બેઠા હતા અને આ અતીત રૂપે જઈ ચડયા. ભીક્ષાનદેહી કરીને ઉભા રહ્યા
Page #149
--------------------------------------------------------------------------
________________
ત્યારે શેઠે ઘરમાં પોતાની સ્ત્રી હતી તેને કહ્યું કે હે મી, આપણે આંગણે અતીત ઉભા છે તેમને કાંઈ રીક્ષા આપે. એ સાંભળીને સ્ત્રીએ બે આંબાના ફળ લાવીને આપવા માંડયાં પણ શેઠે કહ્યું કે તેનો રસ કાઢીને આપજો તેથી સ્ત્રીએ રસ એક કટારામાં કાઢવા માંડે. તેણે પ્રથમ તે બે આંબા પાણીથી ધોયા અને કપડાંથી લુછીને સુંદર કર્યા તે જોઈને રાજાનું મન તે આંબા પિતાને ઘેર લઈ જવાનું થયું તેથી તે આંબામાંથી લગીર પણ રસ નીકળ્યો નહી આ વખતે તે સ્ત્રી મોટા અચંબામાં પડી ગઈ અને વિચારવા લાગી કે આંબે દેખીતે ભરપુર રસથી છે અને એક બીંદુ પણ તેમાંથી વાટકામાં પડતું કેમ નથી. પછી ભેજ રાજાએ તે સ્ત્રીને કહ્યું કે બાઈ એ આ કેરે મુકે અને બીજો હોય તો તેમાંથી રસ કાઢો ત્યારે તે સ્ત્રી બોલી કે ઠીક પણ આબે છે તો રસદાર અને આમ રસ ન નીકળે તેનું કારણ શું હશે. પછી તે સ્ત્રીને ભોજ રાજાએ કહ્યું કે હવે રસ કાઢે જોઈએ ત્યારે રસ નીકળે તે અતીતાએ લીધે અને ચાલી નીકળ્યા રસતે ચાલતાં કેઈ ભીખારીને તે ભીક્ષા આપી દીધી અને ઘેર ગયા. પછી પ્રધાન તથા રાજા વાઘોઠા વાત કરવા લાગ્યા કે આંબામાંથી રસ પ્રથમ નકનીકળ્યો તેનું કારણ શોધવું જોઈએ ત્યારે પંડીત
Page #150
--------------------------------------------------------------------------
________________
સભામાં જાહેર કર્યું કે એક જગ્યા એ આબે સારો રસદાર જે પણ મહેથી રસ ન નીકળે તેનું કારણ તમે બતા. કેટલાક શાસ્ત્રના વાદ ચાલતાં પછી કાલીદાસ પંડીતે કહ્યું કે જેમ રાજા પ્રજાના દીલ ચિરાય છે ત્યારે તે રાજનીતિમાં ફેર સમાજ તેમજ તે આંબાની બાબત કોઇનું દીલ ચોરાયું હશે તેથી તેમ રસ નીકળે નહી. રાજ નીતિમાં કહ્યું છે કે રાજાએ કદી પણ શેર બુદ્ધિ કરવી નહી અને પ્રજા પાસેથી ઘટે તેવી રીતે જ કર વગેરે લે આ ઉપરથી ભેજે મનમાં વિચાર્યું કે મારી બુદ્ધિ બગડી હતી માટે જ તે આંબામાંથી રસ નીકળે નહીં. આ ઉપરથી સાર લે કે કોઈની પણ મરજી વગર ચીજ વસ્તુ આપણે લેવાને તકાવવું નહીં કારણ કે તેવી ચીજ આપણું થતી નથી પણ આ આપણે ચોરીના ગુનામાં આવીએ છીએ અને એ ચીજને ભેગવી શકતા નથી. બે આંખ વીચાણી ત્યારે આપણે કોઈ
નથી એ વિષે કથા.
પ્રેમળ પુર નામે નગરમાં શ્રીસુદન નામે રાજા રાજ કરતો હતો તેને એક વીરમતી નામે રાણી હતી. એક સમય ઉપર તે ગામમાં ભરડ નામે એક બ્રા.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૧ ધણ વસતો હતો તે જન્મ દરિદ્રી હેવાથી ઘણાક કસબ કરી ચુક પણ દળિક મટયું નહી ત્યારે છેવટ તેનું મન ચોરી કરવા તરફ દેડયું. ઘેરથી રાતને વખતે તે બ્રાહ્મણ રાજાના મહેલમાં આવે અને રાણી વાસમાં ગમે ત્યાં વીરમતી રાણી નાવાને માટે ગઈ હતી અને નોકર ચાકર તે મહેલમાં કેઈ નહેતું તેથી તે ભરકુંડ નામે બ્રાહ્મણ રાણીના ખાટલા નીચે જઇને બેસી રહ્યો એટલામાં પાણી આવી તેણે રાજાને આવવાનો વખત થવાથી સોળે શણગાર સજીયા તથા સેહેજ ઉપર ઠાવકી રીતે અંગ સમારીને બેઠી. પછી થોડા વખતમાં રાજા કચેરીના કામમાંથી પરવારીને આવ્યું. રાજાને આવતા જોઈને રાણીએ ઉભા થઈને નમન કર્યું. પછી બને સેજ ઉપર બેઠા. એટલામાં રાજા કહેવા લાગ્યું કે હે રાણી, હાલમાં મારી દશા બહુજ ચડતી છે હું જયાં જયાં લશ્કર મોકલું છું ત્યાં મારા લશ્કરના સરદાર જીત કરીને જ આવે છે વિદ્યાની બાબતમાં પણ હું કાંઈ ઉતરતો નથી. કોઈ વાર મારા પંડીતે પણ મારી બુદ્ધિને માટે અચરજ પામ્યા વગર રહેતા નથી. ખજાનામાં મારી દોલત પણ હમણાં તો ભરપુર છે. ટુકમાં હું સર્વ વાતે સુખી છું અને મારી પ્રજામાં કઈ દિળિદ્રી તો વસતેજ નથી.
એવાં અહંકારનાં બેલ સાંભળી રાણીએ કહ્યું કે સ્વામી આપની સાથે હું પણ પુરણ ભાગ્યશાળી છું.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૨
એટલામાં ખાટલા નીચે બેઠેલા ભરકુંડ રોષથી ન રહેવાયું તેથી એકદમ બેલી ઉઠયા કે –રાજાએ અહંકારની વાતમાં ભારે આજે તમારે ત્યાં આવવું ૫ડયું છે અને હું કેટલાક વખત તમારી સભામાં પણ ઘન માગવાને માટે આવેલો હતો છતાં વગવસીલાનું રાજ હોવાથી મારી દાદ તમે દિલે ધરી નથી અને દરિદ્રીપણાને પામે છું. છેવટમાં આજે ચોરી કરવાને બાને આવી રીતે તમારા મહેલમાં આવવું પડયું છે. ત્યારે રાજાએ વીચાર્યું કે આ શબ્દ કયાંથી આવે છે. એ સાંભળી પંડીત બહાર નીકળી સનમુખ ઉભે અને બોલ્યા કે આ તમારા હથીયાર લઈને પછી હું ચેરી કરવાને માટે વિચાર રાખતો અને તમે ઊંધ્યાં હેત તે હું તે કામમાં ફાવી જાત પણ મારે તે કામ કરવું એ ઠીક લાગ્યું નહી તેથી આ પ્રસંગે તમને બેલતાં એમ ધાર્યું કે જે થનાર હશે તે થશે પણ બેલવું તે ખરૂં. માટે હવે મને આપ ફરમા તેમ કરૂં.
પછી રાજાએ પોતાના મહેલમાં ઉત્તમ પ્રકારના શાસના કને સંગ્રહ કરાવીને તત્કાએ ડાન્ય હતા તેમાંથી એક તખ્તા ઉપર રાજાની નજર ગઈ અને જાણયું કે હાલમાં આ બ્રાહ્મણ આવેલ છે તે જે ન વ્યા હતા તે તે રાતમાં મારા મહેલમાં શું કરત તે
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૩ કહી શકાતું નથી કારણ કે જે ચોરી કરવાના વિચારથી આવેલ હતું તે ચોરી કરી જાત અને તેવામાં હું જાગત તે ઠીક થાત પણ ન જાગત તે સુખે તેનું કામ કરીને ચાલે જાત અને આ રાતને સમે સરદાર કે સીપાઈ લોક કે જેને માટે હું અહંકાર કરૂં છું તે કેઈ તેને અટકાવવાને સમર્થ થાત નહીં કારણ કે જે તે સમર્થ ન હેત તો આ અહીં આવી જ શકત નહી માટે આ બ્રાહ્મણે મને અહંકારમાંથી જાગ્રત કર્યો છે તેથી તેના ઉપર મારે દયા કરવી જોઈએ એમ વિચાર કરીને તેને કેટલુંક ધન આપીને વિદાય કર્યો.
ઉપરની વાત ઉપરથી એટલે સાર લેવાને છે કે આ અસાર સંસારમાં સર્વ કઈ આપણી આંખ આગળ હેશિયારી બતાવે છે પણ જયારે આપણે હાજર ન હોય ત્યારે જેમ મનની ગતી દડી જાય તેમ કરવાને દરેક માણસ સ્વતંત્ર થાય છે. પડીતના ગુણ વિશે સારદાનદ પડીતની કથા.
માળવા દેશમાં ઉજેણી નગરીમાં રાજા ભેજ રાજ કરતા હતા તેને ભાનુમતી નામે સ્ત્રી હતી. રાજા રાણી બમાં બહુ પ્રતિભાવ હતે. ભેજ રાજા દાનશીબ ધર્મ ની તથા રાજનીતિથી ચાલનારે હતે. પંડીતને માન આપતો અને જ્ઞાનવાન પુરૂષની સારી સેવા
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ચાકરી કરતો. એક સમયે રાજા સભામાં બેઠે હતા તેમાં પાંચસેં પંડીતે પણ બેઠા હતા. તે પંડીતની અંદર સારદાનંદ નામે મોટે વિદ્વાન બ્રાહ્મણ પણ બેઠે હતે તેની બુદ્ધિ એવી તો ચપળ હતી કે તેને કોઈ પણ બુદ્ધિનું કામ સોંપવામાં આવતું તે પાર પડતું હતું. આવી અથાક ચાતુરીથી રાજા તેના ઉપર ઘણોજ મોહી પડયા હતા અને રાજાનું તે પંડીત ઉપર બહુજ માન હતું. જેજે નવા બુટા ઉભા થતા તે એ પંડીતની ચાતુરીના નમુના હતા. જ્યારે સારદાનંદનું માન વધ્યું ત્યારે બીજા પંડીતને એ વાતની બહુ આ દેખાઈ ઉત્પન્ન થઈ અને તેઓ સર્વ સારદાનંદને કઈ પણ બાબતમાં અપમાન મળે તથા તેનું રાજા જે અતી હેત દાખવે છે તેમાં અંતર પડાવીને રાજાના ક્રોધનું કાંઈ પણ તેના ઊપર કારણ બને તેમ કરવાને તેઓ . સર્વ તત્પર થઈ રહ્યા હતા. થોડા કાળમાં તે બાબત
પાર પાડવી એવો વિચાર કરતા હતા. આજની ભોજ રાજ સભા સારદાનંદની બહાદુરી અને તેના માનની મગરૂર હતી પણ તેમાં મળેલી પંડીતરાજ સભા આ દેખાઈથી સારદાનંદની શત્રુતા દાખવતી હતી. હવે શેડો વખત આડી અવળી ગપસપ ચાલી તેમથીજ એક ન બુદ્દે ઉભે થયે તે એ હતો કે રાજા - જની મરજી ચીત્ર વિદ્યામાં પરિક્ષા કરવાની થઈ.
Page #155
--------------------------------------------------------------------------
________________
બધા પંડતે એ વિદ્યામાં હોશિયાર હોય તેમ નહો
જ. જે વિદ્વાને તે વિદ્યાના શોખીલા હતા તેઓને રાજાએ આજની સભા અને તેની સાથે પોતાની રાણી પિતાનાજ સન્મુખ ઉભેલી છે એવું ચીતરવાને ફરમાવ્યું. તેમાં એ સારદાનંદ–સરસ્વતી પુત્ર પણ હતા.
થોડા વખતમાં એ કામ કેણ ઝડપથી કરે છે અને કેની કળા ચડેછે એ જોવાને સર્વે સભાજને મોટી આતુરતા ધરાવતા બેઠા હતા અને સારદાનંદે પોતાનું કામ આટપી લીધું. ચીત્ર કાઢતા રાણીની છબી ઉ, પર ઉતાવળે કલમ ચલાવીને ઉપાડતાં ગુપ્ત ભાગ પર એક શાઈનું બીંદુ પડી ગયું હતું તે એકવાર તો કાઢી નાંખ્યું હતું છતાં બીજીવાર પડવાથી તે બાબત કાંઈ દરકાર કર્યા વગર જ ચીત્ર તૈયાર કીધેલું હતું. સર્વની છબીઓ તૈયાર થઈ ગઈ અને રાજાએ પસંદ કરવાને પિતાની પાસે જેવા મંગાવી. તે સર્વમાંથી અતી સુંદર છબી તે સારદાનંદની બનાવેલી રાજાને ગમી અને તેને માટે અતી ઉંચ્ચે મત જણાવી સારદાનંદની કેટલીક પ્રસંશા કરી. આ પ્રસંશા સભામાં બેઠેલા રાજ લેકેને યોગ્ય લાગી, પણ પંડીતરાજની સભા તેમાં ખેડ ખાંપણ કાઢવાને ઉશ્કેરાઈ ગઈ. જોતાં જોતાં તેઓએ ગુપ્ત ભાગ પર પડેલાં બીંદુને મસ દાખલા ગણીને જ રાજને તે વિશે સંજ્ઞામાં સમજા
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪
વ્યો કે આ શું સારદાનંદ માટે તમે જે મત પ્રગટ કીધું તે યોગ્ય કહેવાય તેથી ભેજ પણ મોટા વિચારમાં પડી છેવટ ક્રોધને આધીન થઈ બે કે અરે, પ્રધાનજી આ સારદાનંદને ગરદન મારે. એ સાંભળીને પ્રધાન ચતુર હૈવાથી તથા સારદાનંદની હેશિયારાઈપર ફીદા હોવાથી તેણે છુપીરીતે પોતાના ઘરમાં રાખે તે એવી રીતે કે કેઇએ જાણ્યું નહીં.
હવે છએક મહીના એ વાતને વીતી ગયા એટલામાં એક દીવસના સમે રાજકુમાર શ્રી અજીતસેન કેટલાક માણસને સાથે લઈને શીકાર ખેલવા માટે ગયો હતો. જતાં જતાં તેઓ સર્વ એક મોટી અરગ્યને રસ્તે ચડી ગયા. રાજ કુમાર એક મૂળ પછવાડે પડવાથી માણસેથી વિખુટો પડી ગયે. એકલે ઘણો જ દર નીકલી ગમે તેવામાં રાત પડી ત્યારે એકવડના ઝાડતળે જઈને સુતે. મોડી રાતના જ્યારે બહુજ ભયંકર જાનવરની વરતીમાં તે પોતે આવી પડે છે એવું જણાયું ત્યારે તે ઝાડ ઉપર ચઢી ગયો અને નીછે ઘોડાને બાંધેલે રાખ્યો. ઝાડ ઉપર એક વાંદરો હતે તેણે મિત્રતાના ભાવથી અજીતસેનને પિતાના ખોળામાં નીર્ભયપણે સુવાને કહ્યું અને તેજ મુજબ તે સુત. થડા વખત પછી એક સિંહે આવીને ડાને મારી નાંખે તથા એ અજીતસેનાના પ્રાણ લેવાને
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૭
માટે મેટી ભરતીમાં ચડ. આખા ઝાડને હચબચાવી નાંખ્યું તથા વાંદરાને વિનંતી કીધી કે તું એ મારા ભક્ષને નીચે નાંખ કે જેથી હું મારી ધારણા પુર્ણ કરી ચા જઉ પણ વાંદરો પુર્ણ મિત્રના ધર્મથી વિાકેફગાર હોવાથી તેણે જણાવ્યું કે તે મારી સાથે મત્રતાને દ ધરાવે છે અને નિર્ભયપણે ઊંઘવાને મેં તેને વચન આપેલું છે. માટે તે વચન ભંગ કરી તેના મારા ઉપરના વિશ્વાસને ઘાત મારાથી કદી પણ થાય નહી. આ સાંભળી આખર સિંહ નીરાશ થઈ ચાલે ગયે. જયારે મેડી રાતને અજીતસેન ઊંઘ પુરી ઉઠશે ત્યારે તે જ રીતે વાંદરાને ઉંધવાનું કહી તેનું માથું પિતાના ખોળામાં લઈને બેઠે. વાંદરો ઉં, છે અને થોડીવારે ભયંકર ચીસ કરતો પેલે સિંહ પાછો આવે તેણે આખા વડની ડાંખળીઓ હચહચાવી મુકી તથા અજીતસેનને કહ્યું કે તું હવે મારા હાથમાંથી બચવાની આશા બીલકુલ રાખીશ નહીં. હું અહીંથી તારા ઘડાને પ્રાણ લઈને તે મારા ખેરાકને પચાવી પણ ગયે છું અને તેથી મને એર વધારે જેમ આવ્યું છે. જે તારે બચવું હોય તો એક ઉપાય છે તે એ કે તું એ વાંદરાને મારે સ્વાધીન કર. એ સાંભળી અછતસેન કે જે મિત્રતાની ખરી ફરજ જાણતા નહોતે તેણે વાંદરાને તરતજ પિતાના ખોળામાંથી
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૮
ળવેથી હડસેલી દીધે. જે વાંદરો પડે તેજ જગત થઈ ગયે, અને આથી સિંહ ખડખડાટ હસી પકયો. વાંદરાએ જાગ્રતીમાં આવીને પડતાં એક ડાળીના આશ્રયવડે પિતાને જીવ બચાવી લીધું અને વાંકરા પ્રત્યે સિંહે આગળ કરેલી માગણીના અનાદરને હસી કહાડયું. હવે અજીતસેન પાપના મહાતાપથી પીડીત થવા લાગ્યો અને વાંદરાની કરેલી વિશ્વાસઘાતથી તેનું વજન અતીશય સ્પામ થઈ ગયું. વાંદરે તેને એ પાપમાટે શ્રાપ દીધે. એ વાંદરાના શ્રાપથી અને જીતસેન ગાંડો બની ગયે અને સવાર થતાં નીચે ૫ડીને તે ઝાડની આસપાસ ગોળ ચકકર ફરવા અને બોલવા લાગ્યું કે “વિશ્વમેરા” આ શબ્દ તે વારંવાર ઉચ્ચારતા હતા અને ફેરા ફરતો હતે.
આખો દિવસ અને આખી રાત ચાલી ગઈ પણ કુંવર હજી આવ્યું નહીં સાથેના માણસે પણ કુંવરની શોધ ખોળમાં થાકીને પાછાં આવ્યાં. આથી રાજા રાણી અને સઘળા પ્રધાનમાં મોટી વિચાર - રેલી ગમગીની એકદમ પથરાઈ ગઈ. કેટલાક મા
ને જુદે જુદે ઠેકાણે જવાને માટે તૈયારી કરાવી ને મેકલ્યાં. રાજા તથા પ્રધાન અને સાથે થોડાંક છેશિયારસરદારે અરણ્યને રસ્તે સ્વાર થઈ એ મંડળ પણ ચાલ્યું. રસ્તામાં ચાલતાં બપોર પછી એક મા
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪
સે ભાળ આણ્યાં મુજબ તે વડ કે જે નીચે અછતસેન ફરતે હતો ત્યાં આવી પહોંચ્યા અને જોયું તે એક તરફ ઘેડ મેરેલે તેનું લેહી અને હાડકાંને જ પડે છે. કુંવર બેભાન અવસ્થામાં ફરતો હતો તેને સુખશાત પુછી, પણ તે તો કાંઈ જવાબ દેવાને બદલે “વિશ્વમેરા” એક એજ શબ્દ બોલ્યા કરતો જણા. આથી રાજાએ જાણ્યું કે કોઇ પણ પાપને પ્રભાવે આમ થયું લાગે છે માટે તેને પાલખીમાં બેસારી ઘરે લઈ જઈએ, એ વિચાર કરી પાલખીમા બેસારીને ઘરે લાવ્યા. કેટલાએક વૈદ્ય અને હકીમાત જાણનારા લેકને લાવ્યા પણ તેથી કુંવર કાંઇ જ સાજો થયે નહીં. રાજાએ પ્રધાનની સાથે મસલત કરીને કહ્યું કે જો આ વેલાએ સારદાનંદ પંડીત હોય તે કુંવરને સાજો કરે. તે વખતે પ્રધાન બે કે મહારાજ સારદાનંદની પુત્રી છે તે કુંવરને સાજો કરે તે તેની પાસે કુંવરને લઈ જઈએ. તેમાં ને સારાનંદમાં કાંઈજ ફેર નથી કારણ કે તે પણુવિદ્વાન સારી છે. આ સાંભળી રાજા ખુશી થશે. પ્રધાન ઘરે આવે, પ્રધાને દરબારમાં બનેલી સર્વ વાત સારાનને કહી અને સારાનંદ પણ એ સાંભળીને ઘણેજ આનંદ પામ્યા. બીજે દિવસે રાજા પ્રધાન તથા થોડાક પ્રતિષ્ઠિત લોકેની મંડળી સાથે કુંવરને એ સારદાનંદને
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫૦ = ઘરે લાવ્યા પછી સારહાન એક પડદો બાંધા પોતે પડદામાં એકલે બેઠે અને રાજા વગેરે સર્વ બહાર બેઠા. તે વખતે સારદાનદકુંવરને બેલાવવા લાગ્યો એટલે કુંવર “વિશ્વમેરા” એમ બો . પછી સારદાનંદ મિત્રદ્રોહીને માટે દોષ નિવારણ થાય તેવો શાસ્ત્રોકત કલેક બોલે તો પણ કુંવર “વિશ્વમેરા” એમજ બો . પછી બીજે એક બ્લેક સારદાનંદ કહ્યા અને કુંવરને બોલાવે ત્યારે કુંવર બે કે – “મેરા મેરા" એટલું બોલે પછી પંડીતે વળી એક મક કહ્યા તે સાંભળીને કુંવર સાજો થયે. આથી રાજા બહુ હર્ષ પામે અને બીજા બધા ચકીત થયા. પછી રાજાએ કહ્યું કે હે પંડીત કુમારી! આવી રીતે જનાવરની વાણી તેં કેમ પારખી તે મને કહે. તે વખતે પડદામાંથી સારદાનંદ બોલેટ-દેવના પ્રસાદ વડે કરીને મારી જહાએ સરસ્વતિ વસેલી, તે હે રાજા! તું જાણતો નથી, માટે તે ભાનુમતીના ચીત્રમાં મારી કસુર વગરનું તીલક કે જે મસો હતો તે જોઈને મને ગરદન મરાવવાનું કહ્યું પણ મેં તે જે યથાસ્થિત હતું તે સરસ્વતિ પ્રસાદથી જ કર્યું હતું બાકી બીજી ઈ વાત વિષે હું જાણતો નહતો. જે રીતે એ તીલક આળેખ્યું તે જ રીતે આજ આ તમારા કુંવરને સાજે કર્યો માટે એ વાતથી તમારે મારા ઉપર કોઈ પણ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫.
'
વતા અંદેશા લાવવાનું નથી. પછી રાજાએ કહ્યું કે કાણુએ સારદાન છે કે ? તે કહે કે હશે. આથી. પડદ્ય જુદા કર્યો અને રાજા તથા સારદાન ખતુ માંદામાંરું મળ્યા. આવી રીતે ખતે આન પામ્યા અને રાજાએ તે વખતે પ્રધાનને માટી સાબાશી આપી. સારદાનને પણ માઢું માન આપ્યું, અને રાજા પાછા પાતાને મહેલે ગયેા.
ઉપરની વાતથી વાંચનારાએ એટલાજ સાર લેવાકે વિદ્વાન પુરૂષાના ગુણનું જ ગ્રહણ કરવું પણ દેશષને જોઇને તજી દેવા કારણ કે વિદ્વાન જે કાંઇ દેખ કરે છે તે કાંઇક યુક્તિથી પ્રસગાપાત્ર ધટીત જાણીતેજ કરે છે પણ તેના દોષ મુખાઇ ભરેલા હાતા નથી એ નકકી સમજવું અને જો તેમ મુર્ખાઇ ભરેલા દેખ તે વિદ્વાન કરે તા એમજ સમજવું કે તે વિદ્વાન નથી પણ તેની વિદ્વતા અધુરીજ છે. તજ્ઞાથીભલા, અને ભુંડાથી ભુડા તે વષે કથા.
શ્રી માલવા દેશ મધ્યે ઉજ્જૈણી, નગરીમાં રાજ ભા જ રાજય કરતા હતા. તે ન્યાયી અને પવિત્ર તથા નિદ્રાનના પાળક તથા ધણેાજ દાનેશ્વરી હતા. તેની સભામાં પાંચસે માટા પડીતા બેસતા હતા તેમાં એક વિરાચન નામે પણ પંડીત હતા. વિરેચન ઉપર રા
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫ર
જાની બહુ જ પ્રીતિ હતી. વિરોચનને એકજ પુત્ર હતો તે ઘણાજ વહાલે હતો તેથી તેને કઈ વાતથી પંડીત દુભવતો નહીં અને જયારે શાળામાં વિરેચન વિદ્યાથીઓને શીખવો ત્યારે પિતાને પુત્ર મશર્મ નામે હતો તેને પિતે પળામાં બેસાડીને ભણાવતા તે પણ તે પુત્રની રૂચી પ્રમાણે જ ભણાવતે. જ્યારે પંડીતને મરવાનો વખત આવે ત્યારે પુત્રની ઉમર પંદર વધની થઈ હતી. બાપના મહંથી સોમશર્મા મતી મું– થઈ ગઈ અને શેકથી બધું ભણેલું તે ભુલી ગયે. પુસ્તકના પાના હાથમાં લે પણ અક્ષર ઊકલે નહીં. પંડીતની દીયા કરોને પુત્ર ઘરેજ બેઠે રહેતો પણ રાજ દરબારે જઈ પિતાના બાપની જો સંભાળવાને તે સમર્થ થયે નહીં. રાજા ભોજે સભામાં બીજા પંડિતેને પુછયું કે વીરેચનને કઈ છે કે નથી ત્યારે પંડીતે તે દ્વેષીલા હતા તે બોલ્યા કે તેને એક પુત્ર છે પણ મુખે છે એ તેના બાપની જ સાચવે તે લાયક નથી. ત્યારે બીજા ઉમેદવાર પંડીતમાંથી એકને વિરેચનની ગાદી આપી અને વિરેચનની સઘલી છે. વાઈ પણ એ નવા પંડીને આપી દીધી. - કેટલાક દીવસે એ વાતની ખબર વિરોચનની પીને પડી તેથી તે મહા શેક કરતી ઘરમાં ચીંતાતુર થઈને રડવા લાગી. માને રડતી જોઈને સમસમો
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૭ કે કેમ માતાજી, તમે કેમ રડો છો. ત્યારે તે બોલી કે દીકરા હું તને જ રડું છુ કારણ કે તું ઉમર લાયક છોકરો છતાં તારા બાપની જગ્યાએ બીજ પં. ડીતને બેસાડી અને સઘળી આવક તારા બાપની તે એ પંડીતને આપી દીધી તેથી મને ફીકર થાય છે કે હવે તારું શું થશે. ત્યારે સોમશર્મા તેની માને કેહેવા લાગ્યા માતાજી શું કરું મને ભણતર ઉકલતું નથી અને મારી મતી અતી મુંઝાઈ ગઈ છે. આ સાંભળી તેની માએ કહ્યું કે દીકરા કાંઈ શીખીશ તો તારા લાભની વાત છે. અમે તે થોડા દીવસ છઈએ માટે જે તારી મરજી હોય તે તું શીખને હું તને શીખવું. આથી સોમશર્મા બોલ્યા કે માતાજી નેમ શીખ. પછી તેની માએ સોમશર્માને એક દિવસ બે દીવસ એમ કરી કરીને સાત દીવસમાં એક બ્લેક શીખવ્યો તે બ્લેક લઇને સેમશ રાજાની કચેરીમાં ગયે. બાણું લાખ માલવાને ઘણી મોટી કચેરી ભરીને બેઠે હતો તેમાં જતાં પગ ઉપ નહી તેથી દૂરજ ઉભા રહીને સમર્મ નું એક ચરણ બેલીને તરત પાછો વળ્યો. બીજે દિવસે બીજું ચરણ બોલ્યા તે વખતે રાજાની તરફ જરા આગળ વધીને બે
ત્યે એ રીતે સાતમે દિવસ રાજાની પાસે જઈને આખો લોક બો. તે લેકમાં ભોજની મહત્તા ને
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૪ કીર્તિ ત્યાં રાજ્યની રાજનીતી વગેરેનું વર્ણન હતું તે સાંભળી ભેજ પ્રસન્ન થયે. શ્લોકમાં પદ પુર્તિ એવા ભાવાર્ય ઉપર હતી કે ભલાથી ભલું અને ભૂંડાથી બંડું અને ન માને તે કરી જુએ એ અર્ય. તે અર્થ ને વિચારી રાજાએ પિતાની સભામાં તે બ્લેક લખા અને જાણ્યું કે કોઈ વખતે ઉપયોગી થઈ પડશે. પછી પંડીતને પુછ્યું કે આ કોણ છે ત્યારે પંડીતાએ કહ્યું કે એ વિરચયને પુત્ર છે. એ સાંભળીને રાજાએ એના બાપની જો એને આપવાનું ફરમા
વ્યું. આથી સોમશર્મો ઘણેજ પ્રસન્ન થયે અને રાજાના માનને પામીને ઘેર આવ્યા. ધરે તેની માતાએ પુત્રને હર્ષ જોઈને કહ્યું કે દીકરા હવે હું ખુશી થઈછું. એ રીતે પછી સમશર્મ રાજસભામાં માન પામતો ગયે તેથી તેની બુદ્ધિ ખુલ્લી થતી ગઇ. એ કચેરીમાં એક હજામ મોખરે બેસતો હતો તેને વરસમાં એક વખત સર્વ કચેરીના લોકો તરફથી એક બે મહારની મત્તા મળતી હતી તેથી સેમશ પાસે પણ તે હજામ ઉઘરાણી કરવા લાગે, તેના જવાબમાં મશર્મ હા આપીશ એમ કહેતું હતું. હજામે જાણ્યું કે મને કાંઈ આપતું નથી તેથી લાગ આવે તે હું તેને પણ પુરેપુરો પજવું. એક વખત એવો બનાવ વિજે કે રાજાની હજામત કરવાને તે એ હવે
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫
તેવામાં પંડીતની વાત કાઢીને હજમે સેમશર્માની વાત છેડી અને કહ્યું કે મહારાજ સોમશર્મા મને કહેતો હતો કે રાજા તે વેશ્યાગમની છે તે વખતે કેટલાક માણસે પણ હતુંઆ ઉપરથી રાજના દીલમાં ક્રોધ ચડયે . બીજે દિવસે સભા ભરાઈ ત્યારે સોમશર્મા એક નવી કાવ્ય બનાવી ને અને જે દરબારમાં જાય છે તેજ હજામ તેના સામું જોઇ રહ્યા ત્યારે સેમશર્મા બે કે આજ આ કાવ્ય - નાવી જાઉં છું તેની પેદાશ તને આપીશ એમ બેલીને સભામાં જઈ પિતાની જગ્યા એ બેઠે. છેડા વખતે રાજા આવ્યા ત્યારે તેણે પોતાની નવીન કાવ્યા રાજાને બતાવી તેથી રાજા પ્રસન્ન થયા અને આગલ દીવસને મહા ક્રોધ ચડ હતો તે કાંઈક સમી ગયે તે પણ તેને એ બદલ શીક્ષા તે કરવી એમ વિચારીને ગરદન મારવાનો વિચાર હતું તે ફેર અને એક ચીઠ્ઠીમાં ભંડારીને લખ્યું કે આ ચીઠ્ઠી લાવનાર મા
સનાં નાક અને કાન કાપી લેજો. તે ચીઠ્ઠી સેમશર્માને આપી તે લઈને સોમશર્મા ઘરે જતો હતો પણ પેલે હજામ વાટ જોઈને બેઠે હતો તેને તે બીડેલી ચીઠ્ઠી આપી. આથી હજામ મનમાં બહુ ખુશી થયો અને તેણે જાણ્યું કે રાજાએ તેને આજ ખુશી થઈને ચીઠ્ઠી આપી છે તેથી મા હળદર જશે. પછી ધરે
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૪
જઈને સ્ત્રીને કહ્યું કે આજે તું સારૂં સારૂં ખાવાનું કર અને હું ભંડારે જઈને આ ચીઠ્ઠીનું ધન લઈ આવું છું. તે ભંડારે આ એટલે ભંડારીએ ચીઠ્ઠી વાંચી એકાંત કરીને નાક કાન કાપી લીધાં. હજામ આડું લુગડું રાખી ઘરે આવે. સ્ત્રીએ તેના ધણીને આવતે જે, ન લેહીથી ખરડાએ જાણીને પુછયું કે આ શું થયું ત્યરે જણાવ્યું કે કાંઈ નહીં તું કોઈને કહીશમાં. જા આપણા ખેંગાર ભાઈને બોલાવી લાવ કે તે કાંઈ પાટા બાંધી આપે. પછી બીજા હજામે પાટો બાંધો અને ઘરમાં આધા ખુણે તે માવજી હજામ સુતા. બીજે દીવસે નીયમસર કચેરી ભરાઈ ત્યારે પંડીત સેમશર્મા પણ આવ્યું. તેને જોઈને રાજાએ પૂછયું કે કેમ તમે પેલી ચીઠી ભંડાર વટાવી હતી કે નહીં. ત્યારે તેણે કહ્યું કે મહારાજ તે તે અહીં જ કચેરીને હજામ મારી પાસે ઘણું દીવસથી માગણી કરતો હતો તેને જ નવાજેશમાં આપી છે. આથી રાજાએ માણસે મોકલીને હજામને બોલાવ્યું. રાજાના માણસને હજામની સ્ત્રીએ જણાવ્યું કે તે તો ગામ ગયા છે આવશે ત્યારે મોકલીશ. માણસો એ સમાચાર રાજાને આપ્યા ત્યારે રાજાએ કહ્યું
જાએ તે તે તેના ઘરના ખુણે ખાટલે પડે છે માટે તેડી આવે. માણસોએ ખાટલે ઉપડાવીને હજામને
Page #167
--------------------------------------------------------------------------
________________
બોલાવી આણ. પછી રાજાએ તે વાળંદને કહ્યું કે કમ આ શું થયું ? ત્યારે તે વાળંદ બોલ્યો કે જીવે રાજ જેવું મેં તમારા આગળ ખોટું કહ્યું તેવું જ ફળ મને મળ્યું. પછી રાજાએ સભાને જણાવ્યું કે જુઓ ભાઈઓ, સમશને બ્લેક, તેજ પ્રમાણે રૂડાનું રૂડું અને ભુંડાનું ભુંડું થાય છે એમ જણાવીને પછી સેમઅને મોટું માન આપીને ઘરે મોકલ્યો.
ચાર વેદીઆની સ્થા.
- એક ગામને વિષે ચાર વેદીયા બ્રાહ્મણ રહેતા હતા તેઓ કાંઈ ભણેલા નહતા પણ ખેતી કરીને પિતાનું પેટ ભરતા હતા. એક વખત તેઓ પિતાના ખેતરમાં હળ ખેડતા હતા અને મધ્યાન થવાથી થાકીને એકઠા થઈ બેઠા. પછી બીજી ત્રીજી આડી અવળી વાતો કરી, તેમાં એમ સાર હતો કે આપણે દુખી છીએ માટે દુખ નીવારણનું ઓસડ ધન છે તે ધન મળેતે આપણું એકે દુઃખ રહે નહીં. પછી એક બેલ્યો કે આપણે આપણા રાજા ભેજ પાસે કાઈક જોડી લઈ જઈએ તે બીજા પરદેશી બારણે તેના આશરે આવે છે અને પિશા લઈ જઈને સુખી થાય છે માટે આપણે તે તેની જ પ્રજા છીએ, તે તેમાં આપણે એકે દુખ રહે નહીં એવો ઉપાથ હાથમાં
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૮
છતાં કેમ ભુલીએ છીએ, પછી બધાનો વિચાર મા એટલે ન લેક જોડવાનું આદર્યું. અંદર અંદરથી એક કહે તું પેહલે બેલને બીજે કહે તું બેલ. પછી એક ઉતાવળીઓ હતો તેણે એટલામાં એક ઉંદર જે તે પિતાનું દર ખોદતે હતો તેથી બે કે “ખરખરખર ખેદત હે” એ સાંભળી ઉંદર જેવા લાગે ત્યારે બીજે બે કે “ ટગટગટગ જેવત હૈ ” પછી મા
સના ખળભળાટથી ઉંદર નાઠો ત્યારે બીજો માણસ બે કે દડબડદડબડ નાસત છે” પછી ઉંદર દરમાં ચા તેથી ચોથાને કાંઈ બલવાનું મળ્યું નહીં તેથી તેણે તે જેમ મનમાં આવ્યું તેમજ બેલી નાંખ્યું કે “યે જાદવા” એ પ્રમાણે ચારે જણ બેલવાનો મનસુબે કરીને રાજ ભેજની પાસે ઉજેણમાં ગયા. ત્યાં જઈને પિતે ઠરાવ કરેલ હતું તે પ્રમાણે બેલ્યા. ત્યારે ભેજ રાજા પ્રસન્ન થશે અને તે ચારના બેલ એક કાગળમાં ઉતારી લીધા અને ચારે જણે પાંચ હજારનું ઇનામ લઈને ચાલતા થયા. ભજન ભંડારી આવા ઘણા બ્રાહ્મણોને પૈસા આપીને વિચારવા લાગ્યા કે આપણું રાજા તો ખજાને ઉડાવી દેવાને મનશુબે લઈ બેઠા છે અને કોઈનું પણ તેમાં ચાલતું નથી. આપણો પગાર તો આ ખજાના ઉપર છે તે જે ખુટી રહેશે ત્યારે પરવારી બેસશું, માટે કાંઇ પણ યુકિત્ત ક
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૨૯
"(
રીને નીરાંત કરી લઈએ તેા ઠીક થાય, એમ વિચાર કરીને રાતને સમે તે હાથમાં ખાતરી લઇને ખાનાને ઠેકાણે જઇને દીવાલમાં ખાતરી મારયુ એવામાં રાજા મહેલમાં બેઠા બેઠા પેલા ચારવેદીઆના આપેલે લૈાક પાઠે કરતા હતેા તે એવી રીતે કે ખરખરખર ખર ખાદત હૈ” આ સાંભળીને ભંડારી ચમકા, અને આસપાસ જેવા લાગ્યા એટલે વળી રાજાએ બીજી “ટગટગટગટઞ જેવતહે ” આથી ભડારીએ જાણ્યુ કે આ મારી ધારણા રાજા જુએ છે તેથી ભાગ્યા એટલે રાજાએ ત્રીજી ચરણુ કહ્યું- “ દડબડબડ નાસત હૈ” તેથી તેા વળી ભંડારીએ નકકી જાણ્યું કે આજતે માર્યા ગયા. પછી રાજાએ તરતજ કહ્યું કેઃ- “ચે જાદવા” એટલે એ ભંડારીનું નામ જાદવે હતું તેથી એ સમજયા કે રાજાએ મને ઓળખ્યા પણ ખરા. આથી એકદમ ગભરાયે! અને મનમાં વિચાર્યું કે હવે રાજા કાલે સવારે મારા બુરા હાલ કરશે કારણકે આ પાપની વાત તેણે સારી પેઠે જાણી છે. પછી જલદી ધરે જઇને પેાતાના બૈરી છેાકરાંને બીજે ગામ મેકવ્યાં અને પાત ઘરની મીલકતને સારા ખદાસ્ત થયા એટલે કર્યો અને એક મિત્રના ધરમાં છુપા રહેંચે. સવારે રાજા ભાજ કચેરીમાં આન્યા ત્યાં સર્વ કામદારો પણ હાજર થયા પણ ભંડારીની જગ્યા ખાલી પડી રહી તેથી ભંડારી
Page #170
--------------------------------------------------------------------------
________________
ને માટે રાજાએ તજવીજ કરીને કહ્યું કે આજ ભંડારી કયાં રોકાયા છે તેની તપાસ કરે. પછી સરદાર લેકેએ ભંડારીને ઘરે માણસે મોકલ્યાં, પણ ભંડારીનું ઘર તો બંધ હતું, તેથી રાજાએ તે ખબર સાંભળીને મને નમાં વિચાર કર્યો કે બીચારા ભંડારીને માથે એવી સુઆફત આવી પડી હશે કે ઘર છોડીને પણ ચાલે ગયે, વળી મનમાં વિચાર્યું કે મેં બ્રાહ્મણોને બહુ દાન આપવા માંડયું છે, તેના માટે તેણે મને સૂચના પણ કરી હતી, એણે એક બે વખત મારી ચીઠીઓ પણ પાછી વાળી હતી માટે તે કદાપી રીસાઈ ગયે હશે. તેથી તેને બોલાવી લાવે એને હું સમજણ પાડું, પછી કચેરી બરખાસ્ત થઈ એટલે જે સરદારને ત્યાં ભંડારી સંતાયો હતો તેણે ભંડારીને જઈને કહ્યું કે આજે તમારા માટે રાજાએ આ વિચાર જણાવ્યું ત્યારે ભંડારી બે કે તમે કાંઈ બોલ્યા, તે કહે કે ના, મારાથી તમને પુછ્યા વિના કેમ બેલી શકાય, ત્યારે ભંડારીએ કહ્યું કે કેમ મિત્ર એ બાબતમાં તમારે શું વિચાર છે ત્યારે તે સરદા ૨ બે કે હું આજે કચેરીમાં જઈશ અને જ્યારે રાજા પાછા તમારી બાબત કાઢશે ત્યારે કહીશ કે મહારાજ ગુને માફ કરો તે ભંડારીની ભાળ મેળવી આપું. જે રાજાજીની મરજી તમારા લાભમાં હશે તે ઘટીત કરીશ. પછી કચેરીના વખતે જ્યારે રાજાએ ભંડારી વિષે
Page #171
--------------------------------------------------------------------------
________________
પુછયું ત્યારે તે સરદાર બોલે કે જે આપ ભંડારી, ને ગુને માફ કરો તો હું તેની ભાળ કાઢી આપું. આથી રાજાએ સાત ગુના સુધી માફ કરવાનું કહ્યું, એટલે તે સરદાર ભંડારીને લઇને કચેરીમાં ગયે, ત્યાં રાજાને નમન કરીને ભંડારીએ પિતાની હકીકત જણાવી પણ રાજા તે એ બાબત વિષે કાંઈ જાણતા ન હોવાથી બો૯ ક ખચીત એ વિષે હું કાંઈ પણ જાણતો નથી, પણ રાતના સમયે વેદીયા લેકને લેક પાઠે કરતો હતો, આથી આખી સભા ચકીત થઈ. પછી રાજાએ ખજાનચીને જણાવ્યું કે હું જે પૈસા ખર્ચે છું તેના લાભમાં આ વાત બની છે, માટે હું કાંઈ મુર્ખ નથી કે એવી રીતના ફેગટમાં પિશા નાખીને તમને હેરાન કરૂં, પણ આથી તે ઉલટું તમે પાપ કરતાં અટક્યા, અને ખાતરીઉં ઊઘાડું રહેત તેથી બીજા માણસે પણ પ્રવેશ કરતા તેને સઘળે જોખમ તમારે ચિર તરીકે ખમવો પડત. માટે તમને હાલ જે પાપ કરતાં અટકાવ્યા તે એ પાંચ હજાર રૂપીઆ કરતાં વધારે લાભ કારક વાત થઈ, માટે વિદ્યાના લાભમાં અમુય જવાહીર એકે લેખામાં નથી, એમ સમજીને વિદ્યાને વધારે કર
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સુર ગત વષે હંસ અને સિંહની કથા.
50m
કોઇ એક અતી મુંદર વનવાસમાં મહાન સાવ રને તીર હુસના સમુદાય બેઠા હતા તેવામાં એક 'સ અને હંસલીને વિવેક દોષ પ્રેમ ધેલાઇથી થયા તેથી તેઓને જ્ઞાતી બહાર કાઢયાં ત્યારે રીસ ચડાવીને તે એ જણ ત્યાંથી ઊડી નીકળ્યાં. આગળ જતાં એક તળાવ આવ્યુ તેને કાંઠે બેઠાં, ત્યાં તાવની લેહેરથી તેમના પગ સ્થીર રહયા નહી અને તેથી હુસે વિચાર કર્યા મૈં જ્ઞાતિ વીરોધ કયા છે. તેથી આ તળાવને તે ગમતુ નહીં હોવાથી મને ધીક્કારે છે તે મારું અહીંથી ઉડી જવું જોઈએ એમ વિચારી તેઓ ઉડી ગયાં. ઊડતાં ઊડતાં એક મહાઅરણ્યમાં, મેટા સાવરને તીરે આવી પહોંચ્યાં કે જયાં અઢાર ભાર વનસ્પતિ ખીલી રહી હતી અને અનેક પ્રકારના રંગ બે રંગી કમળ-હુલ હતાં ત્યાં એક આંબાના ઝાડ ઉપર બેઠાં, હું સ અને હું સલી આ રળિયામણું વન ઈને મનમાં ધણાજ હર્ષ પામ્યાં, ત્યાં તે પેાતાના માળેા બાંધીને રહેવા લાગ્યાં. તે વનમાં એક મેટા પર્વત હતા તે પર્વતની એક મોટો ગુફામાં એક મોટા કેશરી સિહુ રહેતા હતા તે કેશરી સિંહ ત્રીજા પાહારે તે સરાવર ઉપર પાણી પીવાને આવ્યા તે વખતે પાણી પીને પાછા વળ્યા
Page #173
--------------------------------------------------------------------------
________________
ત્યારે હું બોલ્યો કે ભાઈ જાહાર છે. તે સાંભળી સિંહ. ત્યાં જ આવી બેઠો અને ઊંચે જોયું તો હંસ બેઠેલે જણા, તેથી માંહે માંહે વાત કરતાં હેત બંધાયું અને પછી તે એક એક વીના રહી શકે નહીં એમ થયું. એક દીવસે હંસ અને સિંહ બે જણ બેઠા હતા, તેથી વાને કહાઢીને હંસે કહ્યું કે ભાઈ તમે રોજ ઉડી જીવ મારોછે તે ઠીક કરતા નથી. તે વખત સિંહે કહ્યું કે ભાઈ એ વસ્તુને મારે અહાર થશે એટલે તે વગર ચાલતું નથી. સિંહને સે લાંધણુ પડે તે પણ ઘાસ ખાય નહીં.
સિંહા મેટી આખડી, પરમાર્યો ન ખાય;
ત્રીજી ફાળ ન આપડે, તો ગયાકેડ ન જાય છે સિંહ બે કેઃ હે મિત્ર, રાંભહ ! તારા કહેવાથી હું એક દીવસ શિકારે જઇશ, અને બીજે દીવસ સદભકિતમાં ગુજારીશ. તે વખતે હંસ કહે કે સત્ય રીતે કહી. એક દિવસ સિંહ ચારો ચરવાને જતો અને બીજે દીવસ હંસ આગળ બેસી રહે. એમ કરતાં કેટલેક વખત વીતી ગયે. એક વખતે પૃથ્વીભુષણ નામે નગરમાં એક સેમલ નામનો બ્રાહ્મણ જન્મ દળિદ્રી હતા તેથી પોતાની સ્ત્રીએ કંટાળો આપવાથી પરદેશ જવાને નીકળ્યો હતો અને રસ્તે જતાં પાણીની તૃષા લાગવાથી તે તળાવપર આવ્યું, અને તે
Page #174
--------------------------------------------------------------------------
________________
પેલા હંસની નજરે સવારના પહેરમાં પથે, તેથી હંસ વિચારવા લાગ્યું કે આજ સિંહને શિકાર જવાને વારે છે, માટે આ બ્રાહ્મણને મારી નાંખશે તેને કાંઈ ઉપાય શોધી આણ જોઈએ, અને એ બ્રાહગુને ઉગાર જોઈએ, એમ વિચાર કરીને હંસ કેસિંહ ભાઈ વઘામણી છે. ત્યારે સિંહ બ ભાઈ શી વધામણ છે? ત્યારે હંસ કહે કે ગુરૂ આવ્યા સિંહ કહે કે આપણે વળી ગુરૂ શેને ? ત્યારે હું બેલ્યા કે કઈ વડક્ષત્રી તે વળી નગુરો હોય કે ? ગુરૂતો સહુને માથે છે. પછી સિંહ બોલ્યો કે ગુરૂ અને જજમાનને નાતે કેમ જણાય ? ત્યારે હંસ બે કે તમે પગે લાગશે ત્યારે એમ કહેશે કે જજમાન મહારાજને આશિર્વદ, એમ કહે તે જાણજો કે તે તમારે ગુરૂ છે. એવાં હંસનાં બોલ સાંભળીને સિંહ ગુરૂ સામે પગે લાગવા ગયે તેથી બ્રાહ્મણ છે કે મહારાજ, મહારાજ, જજમાન મહારાજ આશિર્વાદ. એ સાંભળીને, સિહે હંસનું વચન સાચું માન્યું. આ માટે ગુરૂ ખરે, એમ વિચારી છેડે ઝાલી હંસ પાસે તેડી લાગે એટલે હંસ કહે કે જે ઉતમ વસ્તુ હેય તે ગુરૂને આપે. એ વચન પ્રમાણે તે શુ રૂને તેની ગુફામાં તેડી ગમે ત્યાં અનેક પ્રકારનાં આભરણ અને અલંકાર તથા મોતી પડયાં
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૫ હતા તે સર્વે ગુરૂને દેખાડયાં, તેથી બ્રાહ્મણે પિતાથી ઉપડાય એટલે મેટ ગાંઠડે બાંધી માથે લઈને જવા માંડયું અને ક્ષમ કુશલતાથી ઘરે આવ્યું ત્યારે તેની સ્ત્રીએ તેને પુછયુ કે સ્વામી આટલું બધું ધન કયાંથી લાવ્યા ત્યારે તે બ્રાહ્મણે સિંહ અને હંસની સર્વ હકીકત કહી સંભળાવી. સ્વામી, તમે એકવાર ફરીથી જાવ, એમ વારંવાર તેની સ્ત્રી કહેવા લાગી.એમ દીનદીન પ્રતે કહેતાં ત્રણ વરસ વહી ગયાં. પછી તે એક વખત સ્ત્રી ઘરમાં કલેશ કરવા મંડી તેથી કંટાલીને જવાની હા પાડી. સ્ત્રીએ ભાતું તયાર કરી આપ્યું અને તે બ્રાહ્મણ હરીક્ષેણ સિંહ પાસે જવાને નીકળે, ચાલતાં ચાલતાં તે વનમાં બે ત્રણ દહાડે આવી પહોંચ્યો. હવે ત્યાં સિંહનીશી હકીકત છે, તે જુએ છે તો પેલા હંસને તે મનાવીને તેની જાતના માણસે લઈ ગયાં હતાં. તેને ઠેકાણે તે કાગડેને કાગડી આવીને બેઠાં હતાં. તેઓ સિંહની સાથે મિત્રાઈ રાખતાં હતાં. સિંહ પણ સમજતો હતો કે મારે હંસની જગ્યામાં આ એક વસ્તી છે, એમ જાણીને તે ત્યાંજ બેસતો ઉઠતો હતો. એક દિવસ કાગડે કહે સિંહ ભાઈ તમે એક દિવસ ચારા માટે જાવા છે અને એક દીવસ નથી જાતા તેનું કારણ શું ? તે વખત સિંહ કહે કે મેં એક દિવસ મારા હંસ ભાઈને આવે છે, તે જે પ્રાણ જાયતે પણ વચન ભંગ
Page #176
--------------------------------------------------------------------------
________________
કરું નહીં. એ સાંભળીને કાગડે અણબો રા. હવે તે કાગડે એક દીવસ સવારમાં જ પેલો બ્રાહ્મણ આવતે દીઠે, તેથી સિંહને કહેવા લાગે કે સિંહ ભાઈ વધામણી છે વધામણી. આજ તમારે પારણું છે તે માટે બેઠાં બેઠાં ભક્ષણ આવ્યું. એ સાંભળીને સિંહ આળસ મરડી ઉભો થયે, પાઘરે સામે ચાલ્યું અને બ્રાહ્મણને ઓળખ્યાથી પગે લાગ્યું. બ્રાહ્મણે તેને આ શિર્વાદ દીધે ત્યારે સિંહ તેને છેડો ઝાલીને તેની ગુફામાં લઈ ચાલે, તેથી કાગડે છે કે સિંહ ભાઈ શું પેટ ભરા થશે. પુણે જઈને ખાશો ? ત્યારે સિંહ બે કે આતો મારા ગુરૂ છે. મારા હંસ ભાઈએ ગુરૂ કરી આપ્યા છે. ત્યારે કાગડો કહે કે આપણને જનાવરને વળી ગુરૂશા ? ત્યારે સિંહ કહે કે પ્રાણ જાયતો શું થયું પણ ગુરૂ પી કેમ થઈએ. એમ કહીને ગુરૂને ગુફા કને લઈ ગયે અને આગળની પેઠે ધન આપીને પાછો વાળે. તેને વળાવવાને સિંહ દુર સુધી ગ અને બ્રાહ્મણને છેલા નમસકાર કરીને કહ્યું કે –
હંસાતે પર દીપે ગયા, હંસ સ્થાનેજ વાયા; કુપ્રધાને રાજતે ગયું, હવે આવીશ નહીં પંડીતા.
એમ કહીને સિંહ પાછો વળે અને બ્રાહ્મણ ધન લઈને પાછે આ માટે જેને જેવી સંગત તેને તેવાં કામ કરવાની સતી થાય.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૧
કુસંગત વષે] સ અને કાગડાની કલા,
મહાનસરાવરમાં એક હુંસ અને હુંસલી રહેતાં
હતાં, અને તે મહાનસરાવરની પાળ ઉપર એક વડનું મોટું ગાવર ઝાડ હતું તેના ઉપદ્ય માળા બાંધી ૨હેતાં હતાં. એક સમે એક કાગડા ઉડતા ઉડતા આવીને તે વડ પર બેઠા, તેને જોઈને હસે સારા આવકાર દીધા અને મનમાં વિચાર કર્યો કેઃ—
જે જેને ઘેર પાણી, તે તેને શૅર દેન; સંપત હાય તેા કીજીએ, તેહની સારી સેવ.
એમ વિચાર કરીને ઝાઝા મેવા મીઠાઈ તેની પાસે મુકયા તે કાગડા ખાઇને સતાષ પામ્યા. પછી માં સાંઢું હુંસને અને કાગડાને મિત્રતા બંધાણી. એક દીવસ કાગડા કહેવા લાગ્યા કે મિત્ર હું તારે ધેર રાજ આવુ છું પણ એક વખત તમે મારે ધરે નહીં આવે તે આજ પછી હું તમારે માળે નહીં આવું. ત્યારે હુંસે વિચાર કર્યો કે મિત્રતા છે તે કાચા તાંતણેા છે તેને તુટતાં કશીવાર લાગતી નથી, એમ જાણીને કહ્યું કે ભલે આવીશ. પછી એક દીવસ કાગડા હું સને તેડીને પેાતાને માળે લાન્યા. તે માળા લીંમડાના ઝાડ ઉપર હતા ત્યાં હુ'સ અને કાગડા બે જણાં આવીને, બેઠા, તેવામાં કનકપુર નગરને રાજા કનક સેન નામે હતા તે
Page #178
--------------------------------------------------------------------------
________________
醬油
શીકારે નીકળ્યા હતા અને ફરતા ફરતા તે લીખડા હૈ આવીને બેઠા. તે ઝાડની શીતળ છાયાને લીધે રાજા આરામ પામ્યા. રાજા ત્યાં ઘેાડાના સામાન ઉતારીને આડે પડખે થયા તેવામાં તેને એક બગાસું આવવાથી માં પાહાળું કર્યું. એટલે કાગડા ચરક્રયા તે પેલા રાજાના મેઢામાં પડયું તેથી રાજાને ક્રોધ ચડયા અને ખાણુ ચડાવ્યું એટલે કાગડા તા . ઉડીને બીજી ડાલે બેઠા અને બાણુ છુટ્યું તે પેલા હુંસને લાગ્યું તેથી તરફડતા તરફડતા રાજાના માં આગલ પડયા, પડતા પડતાં એક શ્લોક બાયડ:~
નહી કાગે મહારાય ! 'સાય વિમળે જળે !! નીચ સંગ પ્રસ ંગેણુ । મૃત્યુ રેવ ન સંશય I કવિત.
હું સ અરૂ કાગ રહે તરૂ ઉપર, દેવુ... પરસ્પર ચીંત મીલાયા, તેહ સમે કેાઉ ભૂપતી ખેલત, છાંડની હારજ ત્યાં તિહાં આયો; કાગ કુજાતને વિષ્ટ કરી, નૃપતાં એક બાણુ પઢાયા, કાગ ગયેા રહ્યા હંસ સુવ’શકે, નીચકી સંગતસે મૃત્યુ પાયા તે વખત રાજાએ સાંભળીને ધણેાજ શાક કી અને તરતજ હુંસ મરણ પામ્યા.
રાયકાર અને ક્ષમા ગુણ વિશે કથા.
૧૦.૦
અંગદેશમાં કુસુમપુર નગરમાં ભાનુ રાજા રા જ્ય કરતા હતા તેને સુબુદ્ધિ નામે પ્રધાન હતા. એક
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૮
વખત તે નગરમાં પરદેશથી ડાઈ સેવાગર કેટલાક ઘડા લઈને આવ્યો. તે ધોડા જાતવાન જાણીને રાજો તથા પ્રધાને પારખું કરવાનો વિચાર કર્યો અને એક ઘોડા ઉપર રાજા તથા એક ઘેડી ઉપર પ્રધાન એ પ્રમાણે બંને બેડાપર બેઠા, જેવા ઘોડાની નાગ દબાવી ઘેડ ચલાવ્યા તેવાજ પંખીની માફક ઘોડા ઉપડયા. રાજા તથા પ્રધાન જેમ જેમ ઘેડાની વાળ તાણે તેમતેમ ઘેડા ખુબ દોડતા જાય, તેમ કરતાં દસ બાર ગાઉનીકળી ગયા. ત્યારે રાજા કહે પ્રધાન હતા હાથમાંથી લોહીની સેડે છૂટ માટે ઘેડાની વાળ મુકી દઈએ એમ કહીને વામ મુકી દીધી તે વખત ઘોડા ઉભા રહ્યા, તે વખત રાજાએ પ્રધાનને કહ્યું કે આ ઘેડ તા અવળી વાગવા છે એમ વાત કરતા હતા તેવામાં એક વડની શીતળ છાયા જોઈને તેની નીચે આરામ લેવાને બેઠા. તે વખતે રાજા પ્રધાનને કહેવા લાગ્યા કે મને બહુજ તરસ લાગી છે તેથી મારા પ્રાણ જાય છે તે સાંભળીને પ્રધાને રસ્તામાંથી બે ત્રણ આંબળાં લીધાં હતાં તેમાંથી એક આંબળું મેમાં રાખવાને આપ્યું અને પિતે ઝાડ ઉપર ચડીને પાણીની શોધ લીધી પણ આસપાસ નજીકમાં પાણી હોય એમ જણાયું નહીં. પ્રધાન ઝાડ ઉપરથી હેડે ઉતર્યો અને જોડે છેડી પુર્વ દીશામાં પાણીની શોધ કરવાને ગયે. ઘણે દૂર સુધી તેણે એ દીશામાં ચાલ્યા કર્યું
૧૫.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧eo
પણ પાણી હાથ લાગ્યું નહીં તેથી વધારે આગલ ચાલવાને તેણે માંડી વાળ્યું અને પાછા આવ્યું અને રાજાને બીજું આંબળું આપ્યું. પછી પશ્ચિમ તરફ ગમે ત્યાં પણ પાણી હાથ લાગ્યું નહીં તેથી નીરાશ થયેલા રાજા પાસે પરિશ્રમથી ઘેરાયેલા ચહેરે આવજે, એ જોઇને રાજાએ જાણ્યું કે મારે માટે પ્રધાન બહુજ મહેનત લે છે, પણ આજે તેને પાણી હજી મળતું નથી. પછી ત્રીજી આંબળું આપીને પ્રધાન દક્ષિણ દિશામાં ગયે ત્યાં ચાર પાંચ ગાઉપર પાણી મળ્યું તે એવી રીતે કે એક વણઝાર ચાલ્યો આવતો હતો તેની પાસે થોડુંક પાણી હતું તેમાંથી બહુજ કાલાવાલા કરીને થોડું પાણી લઈ આવે, અને રાજા જે બશુદ્ધ અવરથામાં પડ્યો હતો તેને પોતાના ખોળામાં સુવાડીને છેડે થોડે પાણી પાવા માંડયું, એટલામાં કેટલાંક માણસે રાજાને શોધતાં શોધતાં તે જગ્યાએ આવી ચડયાં. આ વખત રાજાને સારી પેઠે શુદ્ધિ આવી હતી અને પ્રધાનને ઉપર કાર વર્ણવવાને મનમાં મોટી ધામધુમ ચાલી રહી. હતી. પેલે માણસને કાફલે પિતાની સાથે પાણીઅને સુખડી વગેરે ખોરાક પણ લઈ આવેલ તેથી રાજાઓ અને પ્રધાને તેમાંથી ખાઈ પી પાછા તાજા થઈ. ને છેડા ઉપર સ્વાર થઈ રાજધાનીમાં આવ્યા અને જોઈએ તેટલા સારા ઘડા ખરીદી સાગરને ૨જા આપી.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૧ એ બનાવ બન્યા પછી રાજા અને પ્રધાન વચ્ચે જે પ્રીતી હતી તેમાં ઘણેજ વધારો થયે. રાજા પિતાની સર્વ દેલત છે તે સર્વનેની જ છે એમ ખરા અંતઃકરણથી માનો અને પ્રધાનને પણ તે જ પ્રમાણે કરવાના વિચારે વારંવાર થતા, અને કઈ કઈ વખત તે પ્રધાન અને રાજા ઉમળકાથી મળતા અને હર્ષથી ફુલાઈ જઈ પ્રેમનાં આંસુએ ગેરવતા. રાજાએ મિત્રતાને સંબંધ એટલે તે વધારી દીધું હતું કે તેને પ્રધાનથી જુદા થવું એ બહુજ શકનું કારણ થઈ પડતું.
એક વખત પ્રધાને રાજાને પિતાને ઘરે જમવાને તેડયા અને પોતે રાણી પાસે જઈ તેને પણ આગ્રહ પુર્વક જમવાને માટે આવવા કહ્યું એટલે તેણે તૈયારી કરી લુગડાં પહેરવા માંડયાં. આ વખતે પ્રધાને રાજાના બે વરસના કુંવરને કપડાં લત્તાંથી શણગાર્યો અને પિતેજ તેડી લીધે અને રાણીને કહ્યું કે કુંવર ભલે મારી પાસે રહ્યા. પછી પ્રધાનને ત્યાં રાજા રાણી વગેરે આવ્યાં અને ઘણે વખત સુધી પ્રધાને રાજારાણને ૫રિણાગતનો સારો લાભ લીધે, રાણીએ રજા માંગીને જવા માંડયું ત્યારે દાસીને કહ્યું કે તું કુંવરને તેડી લાવ દાસી પ્રધાન પાસે આવીને કુંવર માંગે ત્યારે પ્રધાને કહ્યું કે તું રાણીને કહે કે કુંવર હાલમાં ઊંઘમાં છે માટે જાગશે ત્યારે પહેચાડીશું. તે પ્રમાણે દાસીએ રાણીને
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૨
કહ્યું, એટલે રાણી કાંઇ બાલ્યા વગર માથું ડાલાવી ચાલતી થઇ. પછી રાજા પણ ઘેર ગયા અને એ વખતે ધણીજ મેડી રાત થઈ ગઈ તેથી રાણીએ વળી ક્રીથી એક દાસીને માકલીને કુંવરને લાવવાનું કહ્યુ. આ વખત પ્રધાને ગામના પાદરથી તરતનું મરી ગએલ્ એક બાળક લાવીને તેને નવડાવી ધાવડાવી કુંવરના - ગડાં પહેરાવીને ફુલ વગેરેથી શણગારી જે પારણામાં વર ઊધતા હતા તે પારણામાં તે મરીગયેલા છેકરાને સુવાડયા. તે દાસી જેવી આવી તેવીજ પ્રધાનને કહેવા લાગી કે કુ વરને રાણી તેડાવેછે, ત્યારે પ્રધાને પેલા પારણા આગળ આવીને કહયું કે જોયા આ તારી રાણીના કુંવર ! શું તેને રાખીને અમારે ચાટવા હતા કે? આવી રીતે વારંવાર અવિશ્વાસ લાવેછે. લઈ જા આ કુંવર રહ્યો એમ કહી પારણા ઉપરથી લુગડું દુર કર્યું અને કહયુ કે યા આ કુંવર મુઆ. પછી દાસીએ જોયુ તા મરેલુ મડદું દીઠું તેથી હાય હાયની બુમા અમેા મારતી રાણી પાસે ગઇ અને કહ્યું કે પ્રધાને કુવરને મારી નાંખ્યા અને મડદુ મે જોયુ તેને ધરમાંજ દાટવાની તયારી કરેછે. આ વાત રાણીએ.રાજાને કહી પણ રાજાએ તે વાત મરકરી કરીને હસી કહાડી. ત્યારે રાણી બાલી શું આમ કરવુ આ વખતે આપને ચેાગ્ય છે? ત્યારે રાજા બોલ્યા કે મરી ગયા હશે તા આપણે
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૩
શું કરીશું, કાંઈ પાછા આવી જવાને હતો કે ? એટલે તું મને શોક કરવાનું કહે છે. આથી રાણી શક કરતી પિતાના મહેલમાં બેશી રૂદન કરવા લાગી, તેથી આખા ગામમાં એ વાત ફેલાઈ ગઈ અને બીજે દીવસે ગામના લેકે શેકથી હડતાલ પાડી બેઠા. રાજાએ સવારમાં પ્રધાન આવ્યા ત્યારે પુછયું કે કેમ કંવરનું શું થયું? ત્યારે પ્રધાને કહ્યું કે મેં દાસી આવી ત્યારે ઉઠાડતાં મરેલા દીઠા. આથી રાજાએ એ વાત પડતી મુકી બીજી વાતો કરવા માંડી પણ કંવર સંબંધી પ્રધાનને શોક વધારે દીઠે તેથી રાજાએ કહ્યું કે તું મારે પ્રાણ સમાને મિત્ર છે અને તારો માર વિશ્વાસ છે માટે નિર્ભયપણથી રહે છે. રાત્રે રાણીને પણ શેક કરતી જોઈને રાજાએ કહ્યું કે પ્રધાન અને જીવતદાન આપનારો છે માટે તેણે મારે પુત્ર માર્યો તો શું, હું એનું વેર લેવાને શીક્ષા કરૂં એમ તો કદી બનવાનું જ નથી. પછી રાણીએ પણ રાજાની એવી વાત સાંભળીને વિચાર્યું કે રાજાને તે તેના ઉપર પ્રીતી છે તેથી તેને કાંઈ પણ કરનાર નથી માટે શેક કરે તેમાં સાર નથી. પછી કેટલીકવાર રાણીને છોકરાનું સમરણ થઈ આવ્યું હાછે ત્યારે તે છાની છાની રડતી દેખાતી પણ પ્રધાનને માટે જરએ તેનાથી રાજા પાસે કહેવાની હીંભત ચાલતી નહીં.
Page #184
--------------------------------------------------------------------------
________________
1
.
કેટલે દીવસે રાજાએ કુંવરનેશક છેડીને એક સામાં ભરી, અને ભર સભામાં નગર લેકને શોક મુકાવવાને પિતે જાતે ઊઠીને પાનનું બીડું હાથમાં લીધું અને બધાને કહ્યું કે ભાઈઓ હવે મારા પુત્રને શેક આથી છોડી દે, અને આજથી પિતાના શુભ કાર્ય કરવાને અને આનંદ ભોગવવાને હું છુટ આપું છું તે પ્રમાણે કરે. આથી સહુ પ્રજાએ રાજાની કચેરીમાંથી પાન લીધાં અને શેકને પોષાક તે દીવસથી તળવી.
કુંવરની વાતને છ મહીના વીતી ગયા પણ પ્રધાનને અને રાજાને જે પ્રીતી હતી તેમાં કાંઈજ ફેરફાર થયે નહીં. ત્યારે પ્રધાને વિચાર્યું કે હવે હું મોટી ધામ ધુમ કરું અને મારા ઘરમાં મારી દીકરી જે મેટી થઈ છે તેનાં લગ્ન કરૂં એમ ધારીને દીકરીના લગ્ન કર્યો પણ તેથી કાંઈ રાજા ઉદાસ ન થયું અને પ્રધાન શરપાવ પાઘડી અને મોટી રકમ એ શુભ કામમાં ભેટ મેકલી. આથી પ્રધાન ખુશી થયો.
વળી બીજા છ મસીના થયા ત્યારે કુંવરની મરણ તીથીને દીવસ આવી પહોંચ્યા. તે દિવસ ગામમાં હડતાળ પડી અને રાજા તથા રાણી અને સર્વ પુર વાથીઓએ એક પાળે. આ વખત રાજા કચેરી ભરીને થોડાંક માણસ સાથે શેકમાં બેઠા હતા તેવામાં પ્રધાને મેટી ધામધુમ કરીને વાજી, વાહને તથા હાથી
Page #185
--------------------------------------------------------------------------
________________
-
૧
વગેરે પિતાને ઘરે લઈ જઈને તે સારાં લુગડાં પહેયી તયા રાજ કુંવર જે પિતાને ધરે છુપા રાખ્યા હતા તેને શણગાર્યો ને હાથીની અંબાડીમાં પોતાની સાથેજ બેસાડ અને હજાર માણસને ઉંચે પોષાક આપીને મટી ધામધુમથી ગાજતે વાજતે દરબાર ભણું ચાલે. આ વાતની ખબર રાજા પાસે કઈ માણસે કહી કે પ્રધાને તે આજે આવી મોટી ધામધુમથી આપની પાસે આવે છે. આ સાંભળી રાજાએ વિચાર્યું કે તે આમ કરે છે તેથી ભલેને વધારે ધામધુમ કરે તેમાં મને કાંઈજ હરકત નથી, તેને તેમ કરવું ઠીક લાગ્યું છે તે તેમ કરવા છે. એટલામાં કુવરને આગળીએ વળગાડી પ્રધાન કચેરીમાં આવ્યું અને પ્રધાને રાજાને કહ્યું કે આ આપના કુંવરજી આવ્યા તેમને તમે સંભાળી . આથી રાજા અને સર્વ કચેરીના માણસે મોટા અચરજમાં પડ્યા અને પ્રધાનની સ્તુતી કરીને આનદ જણા. કુંવર રાજાને પગે લાગ્યો અને રાણી પાસે જઈને ન
ભ્યો આથી સર્વ ખુશી થયા અને રાજાએ પ્રધાનને મેટું માન આપ્યું અને ભરેસાદાર મિત્ર ગયે. એ ઉપરથી સાર એટલેજ કે ઉપકાર કરનારને આભાર માનવાને અને ક્ષમા કરવાને સર્વ માણસે શીખવું જોઈએ.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૬ કળી કાળમાં લાબડી માણસને પહેરે
' છે તે વિશે કથા. માનસરોવરમાં હંસ અને હંસલી રહેતાં હતાં ત્યાં એક વખત એક કાગડે અને એક કાગડી ઉડતાં Cડતાં આવ્યાં. તે વખતે હંસે વિચાર્યું કે એ પણ પંખી અમે પણ પંખી, એ કાળે ને અમે ઉજળાં એ તો ઠીક નાત છે અને તેઓની પરોણું દાખલ ચાકરી કરું. એમ વિચારીને ઘણા પ્રકારનાં ફલ ફુલ તેના મુખ આગળ મુક્યાં. તે દહાડાથી માહે માંહે પ્રીતિ થઈ. પછી કાગડે હમેશાં ખાવાને લેભે ત્યાં આવતો હતો એમ કરતાં છ માસ થયા તે વખતે કોગડા એક દીવસ ઘણે આદર કરી બોલવા લાગ્યો કે તમે આજે તો મારે માળે આવે, કારણ કે હું તમારિો પરણે ઘણું દીવસથી થાઉં છું, માટે તમે આજ પધારે, હંસ અને હંસલીને તેડીને કામડે પિતાને માળે આવ્યું. કાગડે તેમની પરોણ ચાકરીમાં કોઈ ગરોળીની પુછડી અને એવી જ બીજી ગંદી અને ને ખરાબ ચીને હંસ અને હંસલીની પાસે લાવી મુકી, જેથી હંસ મનમાં ઘણજ પરતા. અને હંસલી પણ ઘણી જ ગભરાઈ ગઈ. એમ કરતાં રાત પડી ગઈ ને રાતે ચારે જણ એકઠાં રહ્યા. સવાર
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭
થતાંજ હંસ રજા માગી ચાલી નીકળે, તે વખતે કાગડો પાછળથી જઇને હંસલીની પાંખે વળગે, ત્યારે હંસ કહે કાં ભાઈ પાંખે વળગે છે? તેથી કાગડે કહેવા લાગ્યું કે એ હંસલી તે મારી છે અને તારી સ્ત્રી તે કાગડી છે માટે કાગડીને તેડી જા. હંસ બોલ્યો કે હું ઉજળો અને મારી સ્ત્રી પણ ઉજળી અને તું કાળો અને તારી સ્ત્રી પણ કાળી, તે વખતે કાગડે બે શું કાળાને ગોરી સ્ત્રી ન હોય ? એમ કરતાં જે તારા મનમાં ન આવે તો ચાલ આપણે ન્યાય કરાવીએ, એમ કહીને ચાલ્યા અને પાધરા નટગામને ચોરે આવ્યા, ત્યાં આવીને ચારે જણ બેઠાં. તે વખત કાગડે પટેલને કહેવા લાગ્યો કે તમે જે મારૂં ઉપરીપણું નહીં કરે તે તમારાં કરાંની અને ઢોરની હું આ ફેલી ખાઇશ. પટેલ પણ વિચારમાં પડે અને કહ્યું કે માણસ ધારે તે કરે છે. કેટલાક લેક તે જ એ એકઠા મળીને બેઠા હતા તેમાં કાગડે કહેવા લાગ્યું કે ભાઈએ અમારો ન્યાય કરશે કે –“શું કાલા માણસને ગેરી સ્ત્રી નહોય?” તે સાંભળી સહુ બીકના માર્યા બો૯યા કે –ગારા માણસને કાળી સ્ત્રી અને કાળા માણસને ગેરી સ્ત્રી હોય. સર્વ માણસેએ મળીને એ ન્યાય કર્યો તેથી હંસ અને હંસલીએ રડવા માંડ્યું, અને કાગડે પણ રડ વા માંડયું. તે વખતે સહુ કહેવા લાગ્યા કે હંસ અને
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૮
હંસલી રડે છે તે તો ન્યાયે કરીને રડે છે, પણ કાગડા તું શું કરવા રડે છે? ત્યારે કાગડો બોલે કે હું તમને રડું છું કેમકે તમે મળીને અમને અન્યાય આપ્યો તે વખતે સહુ કહેવા લાગ્યા કે આજ તે લબાડ માણસને પહેર છે. એ વચન સાંભળી કાગડો હંસને પગે લાગ્યો આ હંસલી હંસને સ્વાધીન કરી પછી હંસલી પાછી આવી અને કહે ભાઈ આજ પછી અમારી જાતને વિશ્વાસ કદી પણ કરીશ નહીં. એમ કહી તેઓ માનસરોવરે પહોંચ્યાં અને સુખે રહ્યાં.
કર્મ ઉપર વછપાસની કથા. એક વખત કૈલાસમાં સર્વ દેવતા મળી બેઠા હતા. તે વખત ધર્મ, કર્મ, સત અને લમિએ ચારને માર્યો માંહે સંવાદ થયો તેથી ધર્મ કહે હું મેટો અને કર્મ કહે હું મેટે, લક્ષ્મિ કહે હું મોટી અને સત કહે હું મટે છું. એમ ચારે જણવાદ કરવા લાગ્યાં અને કંટ વધી પડે તે બાબતનો ન્યાય કરાવવાની ગોઠવણ કરીને તેઓ બધા
જી પાસે ગયાં. બ્રહાજીએ તેમને ન્યાય ચુકાવવાને પિતાથી નહીં બને એમ જણાવ્યું અને ઈંદ્ર પાસે જવાને કહ્યું. ઈ પણ અશકિત જણાવી અને કહયું કે જે તમારે ન્યાય મેળવવો હોય તો મૃત્યુ લોકમાં મળશે, એમ કહી ઈ કે તેમને રજા આપી. પછી ચારે જણ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૯
મૃત્યુ લેકમાં આવ્યા. તેઓ પાધરા શ્રી શરનગરમાં સુખેણ નામે રાજા રાજ્ય કરતા હતા નગરમાં આવ્યાં, ત્યાં આખું ગામ ફર્યો પણ કઈ ઉતારા જેવી જગ્યા મળી નહીં કારણ કે તે ગામમાં કોઈ દળિદ્રી રહેતું નહીં કે જેને ઘેર તેઓ (દેવ) ઉતારો કરે. એમ ફરતાં ફરતાં પુર્વ દીશાના દરવાજા તરફ એક થવીરા નામે ડેાસી રહેતી હતી તેને વછપાળ નામે એક દીકરો હતા તે હમેશાં ગામના વાછરૂ ચારતા હતા. ડોસી પારકું કામ કરીને ઘરનો ખરચ ચલાવતી હતી. તે ડોસીને ઘરે ચારે દેવતા સાધુનું રૂપ લઇને તે ડોસીને ત્યાં આવ્યા આ સાધુરૂપે ચારે દેવતા ડોસીને આંગણે આવ્યા ત્યારે તે બોલી કે મહારાજ જાળવજે મારાં વાછરડાં ભડકાવશે. તેથી દેવતા બેય કાંઈ ફીકર નહીં. એમ કહીને ડોસીની ઓશરીમાં જઈ બેઠા. થોડી વાર પછી ડોસીને કહેવા લાગ્યા કે કાંઈ વાસણ કુસણ ઘરમાંથી લાવો તે રસોઈ પાણીની તજવીજ કરીએ, એ સાંભળી ડોસી બોલી કે મારા વીરાઓ મારે ઘરે તે મેં કાંઈ રાંધ્યું નથી. ત્રણે ટાણા ગામમાંથી રાબ પાટલા ભાગી આપું છું તે માદકર ખાઈ પી સુઈ રહીએ છીએ અને આવરદાના દહાડા પુરા કરીએ છીએ અમારા જેવાં ગરીબ માણસને ત્યાં તમારા જેવા મેટા પુરૂષના પગલાં થયાં તેથી હું મારે દહાડે આ
Page #190
--------------------------------------------------------------------------
________________
જથી ચડતે સમજું છું. પણ વાસણ કુસણની તજવીજ હું નથી કરી શકતી એ મારા નસીબની વાત છે. તે ડોસીની આ વાત સાંભળીને દેવતાઓ સમજયા કે આ ગરીબ ડેસીનું કેઈએ નથી, અને આશામાં જે વફાર કરતી માલમ પડે છે તે એક છોકરાનાજ સારૂ છે અને તેથી તેના ઉપર અતી દયા ભરેલી નજરથી જોઈને કહ્યું કે સિધું પાણી લેવાને-માટે આ એક રત્ન લ્યો તેને વટાવીને જલદી બને તેમ સીધું લઈ આવે. પછી ડોસી વાણીઆને ઘેરથી સીધું લાવી તેમાં ઘી ખાંડ વગેરે કાંઈ સેઇના કામમાં બાકી રહે તેવું રાખ્યું ન હતું. પછી મન ભાવતી રસોઈ તૈયા૨ કરીને જમવા બેઠા અને ડોસીને પણ જમવાને બેસાડી. એક વાસણમાં સર્વે ભજન સામગ્રી ભરીને તેને ના દીકરા કાજે પણ આપ્યું અને જ્યારે તેને દીકરે સાંઝ પડતાં આવ્યું ત્યારે તેણે પણ ખાધું અને ધ
જ રાજી થયો ત્યારે તેની માને કહેવા લાગ્યો કે મા તું એ પણુઓને પાંચ સાત દિવસ સુધી રાખજે એમ રોજ રે જ કહેતો હતો. રોજ રત્ન આપી વાણીઓને ત્યાંથી સીધું લેતાં હતાં. સાતમે દિવસે રન આપીને સીધું લે છે તેવામાં કેટવાલે તે દીઠું, મટવળે રાજાને વાત કરી અને રાજાએ વાણીઆને બેલાવ્યો અને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મને સાત દી
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૧ વસનાં સાત રતન આપીને સીધું લઈ જાય છે, પછી હું કેમ જાણું કે તે તેને માટે લઈ જાય છે. રાજાએ વણી કને રજા આપી અને ડોસીને બોલાવીને પુછયું કે આ રત્ન તારી પાસે ક્યાંથી તે સાંભળી ડોસી બેલી કે મારે દીકરે નિત્ય વાછરૂ ચારવા જાય છે તેને જેગલમાંથી એવા કાંકરા નિ હાથ લાગે છે. તે લઈને નિત્યે ઘરે આવે છે. રાજા કહેવા લાગ્યું કે તમે જાછે છે કે તમારા ઘરમાં કેટલાં રત્ન છે? ત્યારે ડોસી બેલી કે એક ઘડો ભર્યો છે તેથી રાજા કહેવા લાગ્યા કે તે રતનને બે ઘડે અમને બતાવે, તે વખતે ડેસી કહે કે ભલે તો લઈ આવું છું. એમ કહીને પાધરી તે સન્યાસીઓ પાસે આવી. અને રાજાની સાથે જે વાત થઈ હતી તે સર્વ વાત તેઓને કહી સંભળાવી તેથી સાધુ પુરૂષોએ ડોસી પાસે એક ઘડે મંગાવ્યો તે ઘડામાં કાંકરા ભરાવ્યા અને ઉપર લુંગડું બંધાવ્યું અને તે ધડે પોતાની (રૂષી) પાસે મુકાવ્યું. અને પોતાના હાથ સર્વે જણાએ ફેરવ્યા એટલે માંહે રત્ન થઈ રહ્યા તે લઈને તે ડોસી દરબારમાં આવી, અને રાજા કને તે ઘડે મુકી બેલી કે આ મારે ઘડો તે જે હોય તો જઈયે, એટલે હું ચાલતી થાઉ. રાજાએ ઘડો જે ને તેનું મન એ ઉચાં રત્ન તરફ ઘણું જ ચોંટી ગયું. પછી રાજાએ ડેસીને કહ્યું કે જે તારે માગવું હોય તે માગ, અને આ
Page #192
--------------------------------------------------------------------------
________________
ઘડે અમને આપ પછી ડેસીએ માગ્યું કે તમારી કુ. વરીને મારા દીકરાને વેરે પરણાવી તે હું તે આખા ઘડે આપી દઉ. આ વચન સાંભળીને બધી કચેરી મોટા વિસ્મયમાં પડી ગઈ. એ સાંભળીને ડોસીને રાજાએ કહ્યું કે મારી દીકરી તો પરણાવું કે પરણાવું તે ખરે પણ તું મારી એક સરતકબુલ કર તે એ) તું તારા દીકરાની જાનમાં ધમ, કામ, લક્ષ્મિ, અને સત એ દેવને તેડી લાવે. એટલું થાય તો આપણે સરત સાચી છે. નહીં તે નહીં. એમ કહી રત્નથી ભરેલે ઘડો રાજાએ ઘરમાં મુ અને ડેસીને રજા દીધી. પછી ડોસીએ ઘરે આવીને સાધુને સર્વ હકીકત કહી. તે વાત સાંભળી તે દેવતાઓએ તે જગ્યાએ એક મોટે મેહેલ ઉભે કે, આઠરથ દેવતાઈ દેવાંગના સહીત કીધા, બીજા પણ દેવ માયાથી ઘણી પ્રકારની ગોઠવણમાં ઉતમ અદભુત કામો કીધાં. સાંઝ પડવા આવી ત્યારે વછપાળ વાછરડાં ચારીને ઘરે આવ્યું, એટલે નવરાવીને દેવની મહેરબાનીથી વરરાજાને શણગાર પહેરાવી ઘેડે ચડા અને આગળ પંચશબ્દ વાછત્ર વગાડતા, નૃ. ત્યગીત ધવલ મંગળ ગજાવતા તોરણ પાસે આવ્યા તે વખત રાજા અને પ્રધાન તેઓને આટલા મોટા દબદબાથી આવેલાં જોઈને સાનંદાશ્ચર્ય પામ્યા. સર્વ દેવને ઠાડ. એટલે શભા એટલે તે પ્રકારે આવી રહ્યો હતો
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૩
કે તે જોઈને તરતજ, રાજાએ કન્યાને તૈયાર કરાવીને પાણી ગૃહણ કરાવ્યું. સર્વ ગૃહસ્થ લોકોનાં ટોલાં ઘર તરફ આવ્યાં, અને થોડા વખતમાં એવા ખબર સાંભળ્યા કે લેકે ગામમાં એમ વાત કહે છે કે કાલે તે વછપાલ વાછરૂને ચરાવવાને લઈગયે હતો અને આજે તે રાજાને જમાઈ થઈ બેઠે છે, તે તેના કર્મ આગલ બીજું કેઈનું અધીક નથી. વાહ! કર્મ મેટું છે એમ સહુ કહે છે,” પણ ધર્મ મોટો છે અને સત મોટું છે તેને તો કોઈએ પુછતું જ નથી ! એ વાત સર્વ દેવ લેકેએ જયારે સાંભળી ત્યારે કર્મને આ મૃત્યુ લોકમાં મુખ્ય, મોટુ ઠરાવી તે વછપાળની રીધ્ધી સિદ્ધિ અવિચળ રાખી સર્વ દેવતા સ્થાનકે ગયા.
નસીબ બે ડગલાં આગળ આગળ.
સીંધ દેશમાં એક કર્મ નામે ગામ હતું તેમાં એક નાયતે એ નામને મુર્ખ રહેતો હતો તેને સિંધલના એક દીકરો હતો અને એક દીકરી હતી. તે દીકરીને રોમ નામે નગરમાં પરણાવી હતી હવે સિંધલ મેટ થયે તે વખતે તેના માબાપ મરી ગયાં, અને હવે તે એક રહ્યા. બીજે કસબ તો કાંઈ સુજે નહીં પણ લાકડાનો એક ભારે હમેશાં લાવી તે વેચીને અનાજ લાવતે તેમાં બે જેટલા થતા એટલામાં તે પોતાનું ગુજરાન ચલાવતા
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પણ તેથી બીજું કાંઈ વધારે આવે તેટલું કમાતે નહીં. એમ કરતાં કરતાં અરધે જન્મારે ગુમાવી નાંખે. તેણે એક વખતે મનમાં વિચાર કરો કે આ દેશમાં તે મારે કાંઈ દીવશ વધે નહીં અને વાલશે પણ નહીં માટે પરદેશમાં મારી બેન છે ત્યાં જાઉ. એમ વિચારીને કાંધે કુહાડે લેઈને ચા મારગે જતાં ગામ નજદીક આવે ત્યારે એક ભારે કરે અને તે ગામમાં જઈને વેચી ખાવાનું કરી અરધું જમે અને અરધું સાથે લે. એમ કરતાં કેટલેક દીવસે રોમ નગરમાં આવ્યું અને ગામમાં પુછતો પાધરે બેહેનને ઘરે આવ્યો. બેન ઉઠી ભાઈને મળી અને ઘણી જ આગતા સ્વાગતા કરી બેહેનને વિચાર થેયે કે ભાઈની શી પરોણાગત રૂં.
સેવ, સુંવાળી, ઘેબર, પેંડા, પતાસાં, સાળ, અને દાળ વગેરેને અહીં પાર નથી. એ તો નીત્યનું જમણ છે, માટે બાજરાના રોટલાની પરોણાગત કરું એમ વિચારીને પોતાની સખીઓને ઘરેથી છેડો ડો બાજરો મગાવી તે ઝીણે દળીને તેના બે રોટલા કર્યા. તે તયાર થયા તે વખતે ભાઈને જમવા ઊઠાડ અને પેલા બે રોટલા પીરસયા ત્યારે ભાઈ છે કે જ્યાં જાઉં ત્યાં નસીબમાં રોટલેને રોટલેજ છે !!!
ભાવ ઊગર કથા, સીંધુ દેશમાં શીરખધર નામે એક ગામ છે તે માએમાં એક કપીલ નામે જડ રહે તેને અંદી એ નામે
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૫
ચી હતી. તે દી હૈઈ પર પુરૂષ સાથે આશક હતી. તે આશકને મળવાનો કાંઈ જેગ મળતો ન હતો. એક વખત તેણે પપુરૂષ સાથે સંકેત કીધે કે સાંઝને સમે તળાવની પાળ ઉપર એક દેહેવું છે ત્યાં તું જ છે અને હું પણ ત્યાં પછવાડેથી આવીશ. એ પ્રમાણે તે પરપુરૂષ તે આગળથી જ દેહેરે જઇને બેઠો હતો તેવામાં પેલી સ્ત્રી ઘરથી બહાર નીકળીને તળાવની પાળ ઉપર થઈને આવતી હતી, તે કામાંધ બનેલી સ્ત્રી તે સમયે ઉજજડ વેરાન દેખાતી હતી. જયાં તે ચાલી આવતી હતી ત્યાં જ એ પાળ ઉપર જ એક મુલાં નીમાજ પઢતા હતા અને તે મુલ્લાની નમાજ પઢવાની પછેડી પાથરેલી હતી તેના ઉપર થઈને તે સ્ત્રી ચાલી ગઈ તે વખતે પેલા મુલાયા કે હું! હં ! એ હું કાર શબ્દ સાંભળીને પાછું વાલી જોયું તો મુલાં ની માજ કરતો દીઠે, મનમાં વિચારવા લાગી કે અરે ! હું ખુની થઈ. તેની પછેડી ઊપર ચાલી તેથી મને પણ દેાષ પડયે એમ વિચાર કરી રહયા પછી બેલી કે – મારું મન મારા યારની સાથે હતું તે મેં તને ન દીઠે અને તારૂં મન તારા પરમેશ્વર સાથે નહીં હતું તેથી તે મને દીઠી. વલી ફારસી ભાષામાં પણ એક જ એ કહ્યું છે કે –હજાર વરસ સુધી ની માજ પઢે તે પણ તેને નમાજ ન કહી એ એક ઘડીને
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પરમેશ્વરને ઇશક ન હોય તે તે સર્વ વૃથા છે. એવાં વચન સાંભળીને તે મુદલાં ઉઠી પગે લાગે અને કહેવા લાગ્યું કે તું મારી ગુરણી થઈ. એમ કહીને મુકલાં ઘરે ગયે અને તે સ્ત્રી પણ ઘરે ગઈ.
સુદરી નામે મહાઆરીની કથા. માળવા દેશમાં એક ઊજેણી નામે નગરીમાં રાજ ભજ રાજ કરતો હતો. ન્યાય અને નીતિથી રાજા પિતાની પ્રજાને સદા પાળતા હતા. એક વખત સવારને પહેર હતો અને રાજા બહાર ફરવા જવાને નીકળે, અને દરબારમાંથી જરા આગળ જાય છે એટલામાં એક મોટો ચોક આપે ત્યાં આવ્યું. એ ચકમાં લેકેની મોટી જમાવટ થઇ હતી તેથી પોતે ઉભો રહ્યા હતા. એવામાં એક મહીઆરીઓને ટાળે ચાલે આવતો હતો, તેમને માથે દહી, દુધ, ધી વગેરેના માટલાં ભર્યાં હતાં, તેવામાં એક મસ્તીખોર છેડે હાથમાંથી છુટીને ભાગેલો તે એ મહીઆરીઓના ટોળામાં જઈ ચડે તે વખતે મહાઆરીએ દુર ખસવાને એકઠી મળવા જતાં માથે માટલાં એક બીજા સાથે અથડાવાથી ફુટી ગયાં. આથી બધી મહીઆરીએ રડવા લાગી કોઈ કહે મારી સાસુ ખી જશે કોઈ કહે મારે ધણી ખી જશે અને કેઈ કહે ભારે
Page #197
--------------------------------------------------------------------------
________________
પિતાને આટલું બધું નુકશાન થયું. એમ દુખ સંબારીને સહુ રડતી હતી. તેમાં એક સુંદરી નામે મહઆરી હતી તે ઉભી ઉભી હસતી હતી એવું
રૂપ દેખી રાજા વિસ્મય પામ્યું. એક જણ ઊભી હસે છે અને બીજી સઘળી ઉભી રડે છે તેનું કારણ શું એમ વિચારીને રાજા મહીઆરી પાસે આવ્યા અને કહેવા લાગ્યું કે સઘળી રડે છે અને તું એક હસે છે તેનું કારણ શું? તે વખતે તે મહાઆરી રાજાને કહેવા લાગી કે મહારાજ એ છાશને રડું કે મારા કરમને રડું. તે વખતે રાજાએ કહ્યું એવડાં તારાં કર્મ શું છે? તે બોલી કે સાંભળો એક સુર્યપુર નામે નગર હતું ત્યાં એક રૂદ્રદત નામે વિપ્ર વસતા હતે તેને સુંદરી નામે સ્ત્રી હતી, તેઓ તે નગરમાં સુખ ચેનમાં રહીને પોતાના દહાડા કાઢતા હતા, કેટલાક દીવસ ગયા બાદ તેઓ નિર્ધન થયાં તેથી સ્ત્રી પુરૂષ બંને વિચાર કરીને પરદેશ જવાને ચાલી નીકળ્યાં. તેઓ ચાલતાં ચાલતાં એક દધીપુર નામે નગર હતું ત્યાં આવી પહોંચ્યાં ગામ ઘણું જ સુંદર હતું અને ત્યાં દધીવાહન નામ રાજા રાજ્ય કરતો હતો. તે ગામને પાદર આવ્યાં ત્યાં એક મહાદેવનું દેવળ હતું તેમાં આવીને બેઠાં. તે વખત રૂદ્રદત પિતાની સ્ત્રીને કહે કે તું અહીં બેઠી રહેજે બાલકને રમાડજે. હું ગામમાં જઈ ખાવાનું
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૮
લઈ આવું. એમ કહીને તે ગામમાં ગયો. તેવામાં એ નગરનો રાજા બહાર, વાડીએ ફરવા ગએ હતો તે પાછા વળે અને રસ્તામાં દેહેરા આગળ આવ્યા ત્યારે તે સીવ ઉર આગળ આ ત્યારે તે સ્ત્રીને જોઇને રાજાએ પુછયું કે તમે કોણ છે? અને કયાં જશે? તે વખતે એ સ્ત્રીએ કહ્યું કે અમે બ્રાહ્મણ છીએ અને મારો ધણી ગામમાં ગયો છે તે ઘર ભાડે લઈને હમણાં આવશે. એ વચન સાંભળી રાજાએ ધરે જઈ એક દાસી મોકલી, તે દાસી આવીને પેલી સ્ત્રીને કહે કે અરે! બાઈ ઈઠ તારા ધણીએ ઘર ભાડે રાખ્યું છે તે તને દેખાડવાને બોલાવે છે. તે વખતે તે સ્ત્રી બાળકને તેડી લેવા લાગી ત્યારે દાસીએ કહ્યું તે બાળકને જ રહેવા દે, ઘર આ દીશાએથી ઢંકડું છે હમણાં જઈ આવશું એમ કહીને તેડી ચાલી. તરતજ નજદીકની ઉપપવનની બારી એ થઈને રાજમહેલમાં લઈ ચાલી ત્યાં તેણે પો રાજા જે દેહેર જ હતો તેને દીઠે. દેખીને અણબલી રહી. રાજાના હુકમથી નવરાવીને સોળે શણગાર સજીને મેહુલે મેકલી. હવે, રાત પડી તે વખતે રાજા તેના મહેલમાં આવ્યો તે વખતે તેઓ બે જણે ખાઈ પીને ભેગાં સુતાં અને રાજાને ઊંધ આવી અને સ્ત્રીને ધણને દીકરે સાંભરી આવ્યાથી ઉઠીને તે રાજાની તરવાર પડી હતી તે વડે રાજાને મારી નાખ્યું અને કેટઠેકીને એકદમ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ભાગી તે દેહેરે આવી અને જોયું તો ધણીને તે સર્વે
ખે છે તેથી મુએલે પડે છે અને દીકરાને પણ કોઈ લઈ ગયું એ પ્રમાણે જોઈને તે ત્યાંથી ભાગી. આ ગળ જતાં ચારની ધાડમાં પડી. તે વખતે ચોરોએ તેની ઘણે પ્રકારે કદના કરીને ઘરાણું ગાંઠું કાઢી લીધું. આગળ જતાં કાતિ નગરીમાં ગણકાને ઘરે વેચી ત્યાં કર્મ સંગે ગણુંક થઈ. ઘણું નટવીટ - પુરૂષ સાથે રમે અને કાળ ગળે. એમ કરતાં કરતાં વીસ બાવીસ વરસ થઈ ગયાં. એક દીવસે એ બનાવ બન્યું કે એક પરદેશી સેદાગર ઘેડા વેચવાને આવ્યું. તે સોદાગરે ગામના લેકેને પુછયું કે આ ગામમાં કોઈ રૂપવંત વેશ્યા છે. ત્યારે ખબર મળ્યા છે કે સુંદરી નામે વેશ્યા છે તે મહારૂપવંત છે એવાં વચન સાંભળીને ત્યાં સાંકને વખતે આબે, અને તે વેશ્યાની સાથે હસે રમે અને બેઠો છે, તે વખતે એક એકના મુખ સામું જોતાં તે વેશ્યાને સ્તનમાંથી દુધની શેડ વછુટી તેથી તે વેશ્યા બોલી કે તું કે છું તે સાંભળીને તેણે પોતાની વાત કહી દધીપુર નગરને વિષે દધીવાહન રાજા છે તે ગામની બહાર એક મહાદેવનું દેહેરું છે. તેના એક પુજારે છે તેને દીકરો છું. તે વાત કરતાં હતાં કે એક બ્રાહ્મ| શ્રી ભરતાર આવ્યાં હતાં તેની ધણીઆણું
Page #200
--------------------------------------------------------------------------
________________
રાજાએ ત્યણી લીધી અને બ્રાહ્મણને સાપ કરડ અને તને અમે ઉછેર્યો એવાં વચન સાંભળીને તે મહા દુખમાં પડી. હાં હાં એ મારે પુત્ર આજ ધણીને ઠેકાણે થે તે હવે જીવવું ધીકાર ભરેલું છે એમ વિચારીને તે વેશ્યા પિતાની દેહને ત્યાગ કરવાને ચાલી
કોએ તેને ઘણી વારી પણ તે રહી નહી. તે વેશ્યા તે ગામ બહાર નદી હતી તેને કાંઠે ચીતાં ખડકીને તેમાં પેઠી અને ચારે બાજુએ અગ્નિ સળગાવી દીધી તેના તાપથી આકુળ વ્યાકુળ થઈ અને ચેમાંથી ઉઠી અને ભાગી. તે વખતે ગામના લેકે કેડે થયા આગળ જતાં નદીને એક મટે ઘરે આવ્યું તમાં ઝપાપાત કર્યો. તે વખત ગામના લેકે પાછા વળ્યા. નદીને બીજે કાંઠે ગવાળી આ ગાયે ચારતા હતા તેમણે બાઈને ઘરામાં પડતાં દીઠી.જેતાનેવાર તેઓએ બહાર કાઢી અને પિતાને ઘરે લઈ ગયા તેઓએ ઓ સડે કરીને સાજી કરી. તે પછી રોવીંદ નામે ભરવાડની સાથે ઘરમંડાણ કીધું તેજ મહાઆરી હું પિતછું. એવાં વચન સાંભળીને રાજા ખુશી થશે અને બધી મહીઆરીઓને થયેલું નુકશાન આ પવાને તજવીજ કરી ત્યાંથી ચાલ્યો ગયે અને મહીઆરઓ પણ સઘળી હસતા રમતી ઘરે આવી પિતાના દીવસ સુખમાં ગુજાર્યો.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૧
ભાગ્યમાં લખ્યું હોય તે જ પ્રાપ્ત થાય તે
વીશે કથા. પદમપુર નગરને વીશે પદમરથ રાજા હતો અને તેને કામલતા નામે સ્ત્રી હતી તેને કમળસેન નામે પુત્ર હતો. તે જન્મ કુષ્ટી હતા. તેને માટે ઘણા ઘણા ઉપાય કીધા પણ કઈ રીતે કઈ રીતે ફેર પડે નહીં તે રાજપુત્ર એવી રીતે મોટે થતો ચાલે તેવામાં એક વખત રાજા સભામાં બેઠા બેઠા વાત કહેતા હતા કે–એ કોઈ જેસીદેવ પૃથ્વી ઉપર છે કે આ કુંવરના રોગને અનુગ્રહ પુછીએ. તે વખતે પ્રધાન બો૯યો કે જીરાજ, શંખપુર નગરમાં એક ગ્ય પંડીત રહે છે તે સઘળી વસ્તુને જાણ પુરૂષ છે. જો આપની મરજી હોય તે કુંવરને તેડીને આપણે તેની પાસે જઈએ. એ સાંભળીને રાજા કહે કે ઠીક છે તેમ કરીએ. સારા દીવસે કુંવરને તેડીને રાજા રાણી નીકળ્યાં અને શંખપુરમાં આવી પહોંચ્યા. તે પંડીતે રાજા રાણીને સારો આદરસત્કાર દીધે અને ઘેર લાવ્યા. એ પંડિતને ત્યાં રાજા બેઠા હતા એટલામાં બહારથી એ પંડીતની પુત્રી પાણી ભરીને આવી તે જોઇને રાજાએ પૂછયું કે પંડીતજી આ વિધવા કોણ છે? ત્યારે પંહત કહે એ મારી પુત્રી છે તે સાંભળી રાજાએ મનમાં વિચાર કર્યો કે જેને ઘેર આવડી પુત્રી રંડાપ
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પામી છે તેનું જાણુપણું પણ સમજયા, તે વખત પંડીતે રાજાનું મન કાંઈક ઝાખું થયેલું જેઈને પુત્રી પાસે સાત પાન મંગાવ્યાં તે લઈને રાજાના મોં આગળ મુક્યાં. એક સુય પણ રાજાના હાથમાં આપીને કહ્યું કે, જીવરાજ, હું કહું ત્યારે સુય પાનમાં ચાંપજે. તે વેળા આવી ત્યારે રાજાએ સુય પાનમાં ચાંપી ત્યારે ત્રણ પાન સોનાના થયાં અને બીજાં પાન તે પાન જ રહ્યાં. ત્યારે પંડીત કહેવા લાગ્યો કે જીરાજ, આ પુત્રીને વર તોરણ આવ્યું તે વખતે દેહ સારૂ કાંઈ રોકાણ થયું એટલામાં લગન વહી ગયાં. પછી જવાના મુખી જગમાં પર તેથી આમ થવા પામ્યું એવી વાત સાંભળી રાજાનું મન પ્રસન્ન થયું. પછી રાજાએ પોતાના કુંવરની બાબત પુછી ત્યારે તે પંડીત કહ્યું કે હું તમને અત્યારે એક ચીઠ્ઠી લખી આપું છું તેમાં જે કાંઈ લખેલું હોય તે તમે જયારે આજથી છ મહીના અને છ દહાડા જાય ત્યારે વાંચજો. ત્યાર પહેલું ઉખેડે તો તમને ચાર હત્યાનું પાપ છે અને કુંવરને પણ કરાર થશે છ માસ માટે હાલતે તમે ઘેર જ જાઓ. આવું સાંભળીને પાછા ઘેર આવે.' એક દીવસને વખતે રાજાને પુત્ર પીડાથી બહુજ અકળા અને આપઘાત કરવાની ઇચ્છા થઈ પણ રાજએ ચેકીએ એવી તે મુકી રાખી હતી કે વાંકું પણ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧
જવાને પામી શકે નહીં. એક વખત રાજાને કુંવર પાલખીમાં બેસીને ગામ બહાર તળાવ પાળેથી વડની છાયા તળે આવીને બેઠે. તેવામાં એચિતે વરસાદ વરએ અને તેથી કરીને પાસે જ એક થેરીઆની વાડમાં એક માણસની માથાની તુંબડી પડી હતી તેમાં પાણી ભરાયું તે પણ એક મેટે મણીધર સર્પ આવ્યું તેણે પીધું અને બાકી રહ્યું તેમાં પિતાનું ઝેર નાંખી ચાલી નીકળ્યો આ બધું રાજાને કુંવર જે કુછ રોગી હતો તેણે જોયું તેથી વિચાર કર્યો કે મારે મરવાને રસ્તો હાથ માં આવ્યું છે તે ભુલો નહીં જોઈએ એમ વિચારને માણસને કહેવા લાગે કે આ વાડની આસપાસ પદે કરો મારે દીશાએ જવું છે. પછી પડા માં પેસી પેલી તુંબડીનું સઘળું પાણી પી ગયો અને પાલખીમાં આવીને સતો. એક બે ઘડી થઈ એટલામાં તે રેચ લાગે કે જેથી પેટને બ બીમાડ નીકળી ગયે અને કાયા સર્વ રોગ રહીત બની ગઈ અને સાજો થઈને ઘેર આવ્યું તે વખતે પાલખી દૂર કરીને ઘોડા ઉપર બેસીને સ્વારી કુદાવી કુદાવતે ઘેર આવે. કુંવરને રોગ રહીત દેખીને રાજા મનમાં હર્ષ પામે અને પ જોશીની આપેલી ચીઠ્ઠી કાઢીને વાસી તો તેમાં પ એમજ લખેલુ હતું કે અકાળે મેઆવશે અને તુંબડીમાં પાણી ભરાશે તેમાં સર્ષ ૨
Page #204
--------------------------------------------------------------------------
________________
ter
નાખશે તે પાણી કુંવર પીશે અને સત્રે રેશમ નાશ પામશે આ વાંચીને રાજા વિચારમાં પડયે ને કહેવા લાગ્યા કે જૈતુ જેવું નીમીત તે પ્રમાણે આવીને મળે છે. પછી તે પંડીતને તેડાવીને માટું માન આપ્યું અને રાજા કુવર સહીત સુખી થયે..
જ્ઞાનુ પ્રધાન અને સ્ત્રી સરસ્વતીની કથા. 'ગ દેશમાં કુસુમપુર નગરમાં જીતશત્રુ નામે રાજા રાજય કરતા હતા. તેને ભાનુ નામે પ્રધાન હતા અને તે પ્રધાનને સરસ્વતી નામે સ્ત્રી હતી તે મહા શીલવતી હતી. એ પુરૂષ અને સ્ત્રી બન્નેમાં બહુજ પ્રીતી હતી. એક એકના વગર ધડી પણ ચાલે નહીં. એવી રીતે સુખ ભોગવતાં કેટલાક કાળ વહી ગયા. એવામાં એક વખતે પ્રધાન દરબારમાં બેઠેછે તેવામાં પરદેશથી દુશ્મનવીષે બુમ આવી ત્યારે રાજા કહે પ્રધાન તમે કટક હળ લઈને ચડે તે સમેરાનું વચન પ્રમાણ કરી પ્રધાન ઘેર આવ્યા અને સ્રીને કહેવા લાગ્યા કે, તુ સાંભળી લે ને યાદ રાખ. મારે તે આજથી પરદેશ કટક લઈને જવું પડેછે અને રાજાએ હુકમ કર્યો છે એ ટલે ચાલે તેમ નથી. માટે જ્યાં સુધી હું કુરાલ ઇથ ત્યાં સુઝી આ આપણે અગણે આસે પાૠત્રનું અ હેતે કરમાણે નડી અને નવ પલ્લવ રહેશે. એમ
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૫
સમજ. એટલું કહીને પ્રધાન ઘરેથી ચાલતો થયે. ત્યાં જઈ દુમનને છતી કરીને તેના દેશમાં વ્યવસ્થા કરવાને રહ્યા હતા તેવામાં પાછળથી એક એવો બનાવ બન્યું કે, રાજા કચેરીમાં બેઠા હતા તેવામાં કોઈએ એવી વાત કહો કે, છરાજ, પ્રધાનને અને તેની સીને એવી પ્રીતિ છે કે એક એકને મુઆ સાંભળે તો બીજાના પણ પ્રાણ જાય ત્યારે રાજા કહે ભલે તે જોઈએ. તે વખત એક જંગલી લેડી સાથે ખરડી જામે તરવાર એ સને એક ચાકર સાથે પ્રધાનના સ્રને મોકલી દીધું. પ્રધાનની સ્ત્રી ઘેર બેઠો બેડો સવારમાં દાતણું કરતી હતી તેવામાં ચાકરે જામે તરવાર મુખ આગળ મુકીને કહ્યું કે પ્રધાન તો રામશરણ થયા. તે વખતેજ સ્ત્રી તે મરણ પામી. ત્યારે રાજા બે વાત સાંભળોને મનમાં કહે લાગે કે ભ છે હાંસ માંથી તે વીમાસી પેદા થઇ હવે કરશું શું ? એ વિચાર કરીને પ્રધાનને ઘેર આવે. સતીને અગ્નિ સંસ્કાર કરા
છે અને આખા ગામમાં સાદ પડાથે કે કોઈ પ્રધાનને તેની બાયડી મુઆનું લખશે તે તેના ઘરબાર લુંટી લેવામાં આવશે. શેઠે દીવસે પ્રધાન ફતેહ કરીને આવે ત્યારે રાજા એ ઘણું આડંબર વડે શેહે. ૨માં પ્રવેશ કરાશે અને દરબારમાં આવીને મુજ કરી ઉમે રચે એટલે રાજા તેને પણે મ
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૬
કારે નીવાજ પછી રાજાએ તેને હાથ પકડીને વચન માગ્યું તે વખત પ્રધાને કેલ આવે તે કોલ લઈને રાજા પ્રધાનને કહેવા લાગ્યું કે પ્રધાનજી તમારી સ્ત્રી તે મરી ગઈ. તે સાંભળી પ્રધાન બે કે શું ? રાજાને ધાને કોલ દીધા હતા તેથી તેના પ્રા ણ તે ન ગયા પણ ઘેલે થઈ છે અને ઘેલો ઘેલો ગામમાં ફરવા લાગે અને સરસ્તી, સરસ્તી એમ કરતો કરતો ગામમાં ફરવા લાયે. તેની પાછળ રાની ચેકી કુરતી રહેતી. એમ કરતાં કરતાં વરસ ૬ વહી ગયાં ત્યારે પ્રધાન રાજને કહેવા લાગ્યો કે જીરાજ, હવે મને હુકમ કરો તે હું ગંગા કાંઠે હાડકાં લઈ જઉં. તે સાંભળી રાજાએ કહ્યું કે ભલે જાઓ. એવી રીતે રાજાનું વચન લઇને પ્રધાન ગંગા નદીને કિનારે સરસ્વતિના ફુલ લઇને ગંગાને કીનારે આવ્યું. ત્યાં સરસ્વતિ, સરસ્વતિ, કહીને હાડકાંને અરબ દેવા લાગ્યો. તે વચન સરસ્વતાએ સાંભળીને મને નમાં વિચારતી વિચારતી ચાલી જતી હા .વામાં મુછી આવી. સીપચાર કરતાં કરતાં તે સચેતન પીહું પામી અને જાતી સ્મરણ પામી અને પુર્વ ભક્તિર દીઠે અને ઘણેજ હર્ષ પામી. ત્યાંથી નાહીને પાછી વળતી વખત તાપસના ઉતારા પાસે આવી અને જોયું તે ત્યાં સમુળગે તાપસ દીઠે નહીં તેથી બીજેને પુછ્યું કે
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૦ . તપસી તાપસ કહાં ગયો, પાતળિયો પતંગ; જિણ દીઠે મન ઉલસે, જલવિણ ભાંજે અંગ. તે વખતે બીજે તાપસ બો:કણ મગણ ભવણનગર, વાસરગમણે પાય;. આગે તે હું કહું, જે રાજકુંવરી ધર જા. એવાં વચન સાંભળીને કુંવરી ઘરે આવી અને ધ્યાન સમે દાસીને મેકલી અને તાપસને તેડવી લી. તપસતે ત્યાં આવીને ઉભા તે તદન ચિત્ર લેખ જેવાર જણાત હતો તે જોઈને કુંવરી બેલી કે -
લે મેં જોગી પંચકણ, કયાં માથાં કઇબાર, જેજે શેરી તું ભમ્યો કાં નાર. એ સાંભળીને તે બો૯યો કે – દેશ દેશાંતર હું ભમ્યો, નગર ભ લખચાર;
શેરી શેરી હું ભમે, પણ એ ન દીઠી નાર
એ વાત ચીત થાય છે એટલામાં એક બીજ એટલાં તે અંદર અંદર જોવા લાગ્યાં કે કુંવરીના હાથમાં સેનાનું કાળું હતું તેમાં દહીં ને ચોખા ભરીને તે આપવાને ઉભી હતી તેમાંથી કાગડા આ વીને ખાવા લાગ્યા પણ ખબર પડી શકી નહીં અને જાણે કોઈ પથ્થરનાં બે પુતલાં બનાવેલાં હોય એમ થઈ ગયાં હતાં. તે જોઇને રાજ જે ગોખે બેઠે હતો તે ઉતરીને ત્યાં આ પણ કાંઈ કઈ વછુટયાં નહીં. જ્યારે કુંવરીને હાથ લગાડાને હલાવી અને પછયું
Page #208
--------------------------------------------------------------------------
________________
૧eટ
કે પુત્રી આવડું સ્નેહનું શું કારણ છે. ત્યારે કુંવરી બોલી કે એ મારે પવન ભરતાર છે. એ ભાનુનામે મંત્રીશ્વર છે. અને હું તેની સ્ત્રી સરસ્વતી નામે હતી. એવાં વચન સાંભલી તતક્ષણ જોશીને તેડી લગન લી૧. ભાનુ મંત્રીશ્વર અને સરસ્વતિને પાણી ગ્રહણ કરડ્યું. ઘણેક દાયજે દી છે અને સુખમાં બે જણાં રહેવા લાગ્યાં એટલામાં અસલના રાજાએ સાંભળ્યું કે ભાનુમંત્રી શ્વર સાજો થયે છે તેથી લરકર લઈને બાનુને તેડવા માટે આવે અને મોટા આડંબરેથી તેને પિતાને ગામ તેડી ને ત્યાં આખે જન્મારો સુખ આનંદ અને મંગલ પ્રકાશમાં રહ્યાં.
મતીસાર પ્રધાનની કથા. વસંતપુર નગરને વિશે જીતશત્રુ નામે રાજા રાજય કરતો હતો તેના પ્રધાન મતી સાર નામે હતો. રાજાને તથા પ્રધાનને મહેમાહે પ્રીતિ બહુજ હતી. તેઓ બને મળી એક બીજાની મદદથી ન્યાયવડે લેકેની નીતિ વધારતા હતા. કેઈવાર રાજા પુછે કે પ્રપાનજી કહે કેમ છે ત્યારે પ્રધાન જવાબ દેતે કે મહારાજની સુનજરથી સવે રૂડું છે. જયારે પ્રધાનને રાજા પુછે ત્યારે એમજ જવાબ આપે. એવી રીતે કેટલાક વરશ ચાલ્યા ગયા એક સમયે
Page #209
--------------------------------------------------------------------------
________________
રા મનમાં વિચારવા લાગ્યું કે, જે ઉતે હવે મારી નજરે શું થાય છે એમ વિચારીને પ્રધાન ઉપરજ કુનજર કરી અને તેના ઘરે મેહેર છાપ ડીધી અને સ્ત્રી અને પુરૂષને બંનેને ભુડા હાલે હાથે ઝાલીને બહાર કાઢી મુક્યાં. પછી પ્રધાને એક ગુપડું બડે લઈને તેમાં રહેવાનું કીધું, તેને બીજે રોજગાર તો કઈ જ નહિ તેથી એક કંઈ જે અસલની એલ ખાણ વાળ હતો તેના ઘઉં લાવે તે રોજ પ્રધાન અને તેની શ્રી બંને મેલીને પાંચ છ માપ દળે તેનું દલામણ જે પાંચ દસ દોકડા મળે તેમાં કાલ ગુજરો કરતાં હતાં, એમ કરતાં કેટલાક દીવસ વહી ગયા. એક રાત્રીના વખતે રાજા નગર ચરચા કરવા નીકળ્યો હતો તે ફરૂ તાં ફરતાં પ્રધાનના ઝુંપડાં પાસે આવ્યા. ઝુંપડાં માંહવે બલતે હતો તે દેખીને રાજાએ તે ઝુંપડામાં - ધી નજર નાખી ત્યારે પ્રધાન અને પ્રધાનની સ્ત્રી બે હને દલતાં જોયાં. તેથી રાજાના મનમાં વિચાર આ. જો કે અહોમારી કુનજરથી પ્રધાનની આ દશા થઈ છે માટે હું પ્રધાનના ઉપર સુનજર કરૂં એમ વિચાર કરીને રાજા ઘેર જઈને સુતો. પ્રભાતને થશે ત્યારે રાજા નાહી છત્ર ચમર ધરાવી રાજ સભામાં આવીને બિઠા છત્રીસ રાજકુલી ભરાણા છે ત્યારે રાજા કહે કે મમ તીસાર પ્રધાનને તેડી આવે. એ સાંભલીને ડામ
Page #210
--------------------------------------------------------------------------
________________
કામ માણસ દય અને કોઈ પ્રધાનને ઘડે આ . પવા લાગ્યું અને કોઈ કહેવા લાગ્યા કે આ લુગદ્ધ પહેરીને રાજસભા દીપા પણ પ્રધાને કોઇની વાત, માની નહી અને એ જ અંગ ઉપરનાં સારાં કપડાં થીજ રાજા પાસે આવ્યો અને મુજ કરી ઉભો રહે. ત્યારે રાજાએ પ્રધાનને જોઈને પિતાને જમણે હાથ બંટીના ફેરની પેઠે ફેરવ્યો અને તે જોઈને પ્રધાને પિતાના પાંચ આંગલા દેખાયાં પછી સલામ કરી
ઘરે પાછા આવે. આ દેખાવ જોઈને સભાના મા ભણસોને મોટું અચરજ લાગ્યું તેઓએ વિચાર્યું કે આમ પ્રધાન અને રાજા બને જણ વચ્ચે શું વાતની સંજ્ઞા થઈ તે કાંઈ સમજાયું નહીં. સારાં સારાં માણસે પ્રધાનને ઘરે એ વાતને ભેદ જાણવાને માટે ગર માં અને પ્રધાનને પુછયું કે તમે રાજાને શું ઉતરવાળ્યો અને તમને રાજાએ શું પુછયું ? ત્યારે પ્રધાને કહ્યું કે, રાજાએ એમ કહ્યું કે હવે હું આ બેઠેલાં બધાં મા
સેને ગરદન મારીશ ત્યારે મેં કહ્યું કે એમ નહીં કેરતા પણ પાંચ સારાં માણસોનેજ ગરદન મારો કારણ કે બઘાને તેમ કરવું તે ઠીક નહીં, તેથી હવે મને બોલાવશે અને કહેશે કે કયાં કયાં પાંચ માણસને ત્યારે કહીશ. આથી ધણા સારા માણસેએ તેને કોએ દશને કોઈએ વીસને પચીશ અને કોઇએ તે પર
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૧
ચાસ હજાર એન રૂપીઆ લાવી ાવીને આપ્યા અને કહ્યુ કે અમારૂં નામ દેશેા નહી. તે પછી ખીજે-દીવસે રાજાએ પ્રધાનને આકાા ત્યારે પણ તેમજ ચાર આંગળાં પ્રધાને બતાવ્યાં એમ ઉતરતાં ઉતરતાં પ્રધાને છેવટ એક નહીં એમ કર્યું ત્યારે પછી સાતમે દહાડે રાજાએ પ્રધાનને પાલખી આપીને ઘરે આકલ્યા અને શીરપાવ આપીને તેની પ્રધાન પત્રી આપી. પછી પ્રાનને એકાંતમાં રાજાએ પુછ્યુ કે મારી સારી નજર આજ સાત દીવસથી થઇછે તેથી તને શું શું લાભ થયા તે મને ખતા ત્યારે પ્રધાન રાજ્યને પેાતાના ધરૈંડી જઈને સધુ ધાં બતાવ્યું અને કહ્યું કે આ આપની સારી નજરથી આવ્યું છે તેથી રાજાએ તે ધન પેદા કરવાનું કારણ પુછ્યું તે પ્રધાને કહી સ ભલાગ્યું તેથી રાજા તેની ઢાંશિયારી ખુશી થયેા અને તેની સર્વ પ્રકારની આગલની રીક્રુિ સીદ્ધિ અને પર સાધ્યુ. પછી પ્રધાને કહ્યુ કે આ મારી પાસે એકઠું થયેલુ' ધન ભંડા૨ે નાખો ત્યારે રાજાએ કહ્યું કે તુ. રાખ. એ ધનભંડારે નહીં નાખીએ ત્યારે પછી
પ્રધાને સર્વેને વહેંચી ીધું અને રાજા દરબારમાં ગચા. એ દીવસ પછી રાજા તથા પ્રધાને સુખ મેનથી રહીને પોતાના કાલ ગુજરવા લાગ્યા,
.
Page #212
--------------------------------------------------------------------------
________________
સાધારણ કમ ઉપર ઘેબરિયા ચાલકની કથા :
વસંતપૂર નગરમાં જીતશત્રુ નામે રાજા રાજ કરતો હતે તે નગરમાં એક ઘેબરિયો એવા નામને શ્રાવક રહેતો હતો તેને સુનંદા નામે સ્ત્રી હતી તે દુઃખથી. પિતાનું ઘરસુત્ર ચલાવતાં હતાં. એક દીવસને સમે તે ઘેબરિયા શ્રાવકને ઘેબર ખાવાનું મન થયું અને સ્ત્રીને કહેવા લાગ્યું કે હું સ્ત્રી અને તે ઘેબર ખાવાની ઇચ્છા થઈ છે. તે સાંભળીને સ્ત્રી કહેવા લાગી કે સા. માન સર્વે તમે લાવી આપે તે ઘેબર હું કરી આપું. તેથી શેઠ મનમાં વિચારવા લાગે કે જે કોઈ જગ્ય
થી રોજગારમાં લાભ આવે તો હાંસ પુરી કરૂં. એમ વિચારીને એક વખત સેમવારને દીવસે પ્રભાતને પ. હેર નાકે હાટ હતું તેના ઉપર જઈને બેઠે. તેવામાં પાંચ સાત ભરવાડ તે હાટે આવ્યા અને તેમની પાસેથી લાભમાં અધીકું ઓછું કરીને બે ચાર મહોર લાલ કાઢ. તે વખતે મનમાં વિચાર્યું કે આજ ઘેબરની આશા પુરી કરૂં. એમ વિચારીને ખાંડ થી પડસુધી વગેરે સામાન લઈને ઘરે આવે અને સ્ત્રીને કહ્યું કે ઘેબર તૈયાર થાય ત્યારે છે.કરાને તેડવા મેકલજે. એમ કહીને પાછ દુકાને આવ્યો. પાછળથી સ્રાએ રાધવાને આદર કરો. થોડીવારમાં ઘેબર કર્યા તથા શા. બજાબ સર્વે તૈયાર કીધું અને છોકરાને કહ્યું કે તારા
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૫
બાપને તેડી લાવ. તેવામાં તેને એક જમાઈ ગામમાં એટલે આજે હવે તેણે મનમાં વિચાર્યું કે સાસુને પણ મળતો જાઉં અને જમતે પણ જાઉં એમ વિચારીને મધ્યાન વખતે તે પોતાના સસરાને ઘરે આવીને કહેવા લાગ્યું કે જુહાર, જુહાર. તે વખતે સુનંદા મનમાં વિચારવા લાગી કે જમણ તૈયાર થયું છે મા2 જમાઈને જમાડું એમ વિચાર કરીને જમાઈને કહે જમતા જાઓ ત્યારે જમાઈ ખુશી થઈ હાથ પગ ધઈ, સાળો બનેવી બે જણા જવા બેઠા. તે વખતે ઘેબર પીરસ્યાં તે ખાઈ રહ્યા ત્યારે વળી એક માગીલી તે વખત ઘેબરાં તે ત્રણ થઈ રહ્યાં. બાકી શાળ દાળ હતાં તે સર્વે જમી લઈ ચળ કરી ઉઠી નીકળ્યા. પછી પેલી સુનંદાએ બાજરાના રોટલા કર્યા અને ભાછનું શાક પણ તૈયાર કર્યુંને છોકરાને કહે કે તારા બાપને જઈને મેકલ. તે વખત છોકરે જઈને પિતાના બપિને જઈને મોકલ્યા. શેઠ ઘરે આવીને પણ હાથ જોઈને જમવા બેઠે તે વખતે રોટલા પરણ્યા. ત્યારે શેઠ કહેવા લાગ્યું કે આજ ઘેબર કેમ ન કીધા? પછી સ્ત્રીએ જવાબ દીધે કે સ્વામી કીધા તે હતા પણ જમાઈ આર્યો હતો તે સર્વે જમી ગયે. તે સાંભળીને શેઠ કહે ભલુ થયું, એમ કહી જમીને કળશીએ ભરી બહા૨, મનમાં ખેદ ધરીને બેલ હતો કે ખો
Page #214
--------------------------------------------------------------------------
________________
ઇ કાઈ ગયે અને ન મ જમાઈનું દે છે પણ હશે. એમ વિચારમાં પડ ચ ો જાય છે તેવામાં ગાઉ એક બે મયે ત્યાં એક ઝાડ નીચે એક સાધુને બેઠેલે જ ત્યાં જઈને સાધુને નમે. તે સાધુએ કાઉસગ પરીપાઠે ઉપદેશ કર્યો તેથી તે ઘેબરીયા શ્રાવકે તે જ વખતે ચારિત્ર લીધું અને સંજમ પાળી સ્વર્ગ છે.
ખળ પુરૂની કળે.
સુસમાપુરમાં એક સુભદ્ર નામે શેઠ રહેતું હતું, અને ઘરને વહેવાર ચલાવતે પણ તે ઘણે ખાળી હતા. તેની એક બહેન શીરખ ગામમાં પરણાવી હતી તેને એક પાલણશી નામે પુત્ર હતો. સુભદ્ર તે ગામમાં માસે બે માસ રે જગારના કામે આવતો હતો અને તેની બહેનને ઘરે ખાતા પીતા હતા. એક વખત તે પતાની બહેનની ત્યાં ગયે હતું અને પોતાના ભાણજને કહેવા લાગ્યું કે શું મુંડા તુતિ કે ઈ વખત આ વતે નથી એમ કરતાં કેટલાક દીવસ વહી ગયા. એક દીવસે તે પાલણસી સુસમાપુરમાં કામકાજે આ હતા તેવામાં ચટા વચ્ચે તે પિતાના મામાને મળે. તે વખત મામા કહે કે ભાણેજ તું અહી બેશ મારે કામ છે તે કરતે આવું એમ કહીને મામે તે પાધરે ઘરે મ. તે મામાને ઘરે આંબાને રસ કાર
Page #215
--------------------------------------------------------------------------
________________
ર છે
હતો અને પડસુદીની પોળીઓકીધી છે. શાળ કાળ અને શાક પાક સર્વ તૈયાર થયાં હતાં તેથી સુભદ્ર જછે જમવા મળ્યું તેવામાં ભાણેજ આવે. તેને આ વતો જોઈને બોલ્યો કે ભાણેજ મેં જાણ્યું કે જે રોદલા તયાર થાય તો હું તેડી આવું પણ તારી મામી એવી તે કુહાડ છે કે સવારથી જ ઘરમાં વઢવાડ ઘાલીને બેઠી છે ! પણ ભલ ભેસ તો ખરે, તેથી ભાણેજ બેઠો. તે વખતે ઘરમાં મામી આંબાનો રસ અને રોટલા સર્વે એક મોટા ડાલા સુંડલા હેઠળ ઘાલી ચપે ઢાંકીને બોલી કે બન્યો તમારો સંસાર અને બ તમારે અવતાર, જો કે માણસ ઘરે આવે કે તેની આગળ ભુજ બેલે. એમ કહેતા કહેતી ચુલામાં પાણી રેડીને ઘરની સાંકળ લઈને ચાલી ગઈ, તે પાડોશીને ઘરે જઇને બેઠી, મા બે કે ભાણેજ જોયાં આ ધરનાં સળ કેવાં છે ! એક ઘડી પછા દીકરાને કહ્યું કે તારી માને તેડી આવે ત્યારે તે પણ તેની માં આગળ જઈને બેસી રહ્યા. વળી દીકરીને મોકલી તે પણ તેમજ જઈને બેસી રહી. ઘડી બે ઘડી થઈ પણ કોઈએ ના આવ્યું ત્યારે મા કહે બાણેજ તુ બેઠે રહેજે હું જઇને તેડી આવું એમ કરીને તે પણ
ત્યાં જઈને બેઠો. આથી ભાણેજે વિચાર કર્યો કે મામે તે ખળ પુરૂષ નીવડયો તે હું હવે શા માટે ઇ
મા આગળ ન માને તેડી આવક થતી પછી
Page #216
--------------------------------------------------------------------------
________________
२.९ હું એમ ધારીને ઘરની સાંકળ ઉઘાડીને માંહે પેઠે તે વખતે માંહે જોયું તે કોઇને દીઠું નહીં પણ સંડલા ઉપર માંખીઓ બણબણતી હતી તેથી તેણે મનમાં ધાર્યું કે આ સુંડલે બેઉ તો ખરો, એ ઉંચે છેરીને જે તે શાક પાક સર્વ તૈયાર દીઠું તે સર્વ ખાઈ પીને પાછો સુંડલાની હેઠલ પિતે બેઠે. ઘડી બે ઘડી ગયા પછી ઘરધણી પિતે અને તેની સ્ત્રી વગેરે આવ્યાં અને જોયું તો ભાણેજ ગયો દીસે છે ત્યારે સી બોલી કે સ્વામી મેં કેવી અક્કલ દોડાવી તે પ્રમાણે તેના છોકરાઓ અને છોકરીએ પણ તેવી જ રીતે પોતાનાં વખાણ કર્યા. તેવામાં પલામાંથી ભાણેજ બોલ્યા કે તમે તે સર્વે મળી સારૂં કામ કીધું પણ જુઓને મેં એકલેજ કેવું કામ કીધું! એમ કહી જુહાર, જુહાર કરીને ચાલી નીક. ૫છળથી તેના મામાએ બહુજ પસ્તાવો કર્યો.
ભકત ભાવ વધે સુસેનની કથા. કુમ નામે ગામમાં એક સુર નામે કણબી રહેતા હતે તેને મિત્રા નામે શ્રી હતી તે કણબી નિભે છેતીવાડી કરતો હતો. તે કણબીના ખેતરના શેઢે એક ખીજડાનું ઝાડ હતું. ઝાડમાં એકદેવનું સ્થાનક હતું. સુર કણબી ખેતરને શેઢે આવતો ત્યારે ખીજડાને પ
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૭
19
ગે લાગીને કહેતા કે—“થાન માન ગુરૂઞાન ” એવે ભાવ રાજ મનમાં ધરતા હતા. એમ કરતાં કરતાં કેટલેાક્ર કાળ વહી ગયા તેવામાં એક વખત તે ખીજડાનેા અધીશ્રાયક દેવ મનમાં વિચાર કરવા લાગ્યા ૐ એ કણબી તા ભલેા છે પણ એને ધરમાં સુખ કેવું છે તે જોઉ. એમ વિચાર કરીનેદેવતાએ મનુષ્યનું રૂપ લેવા નકી કર્યું, તેથી તેના ભાણેજનુ રૂપ ધરીને પાધરા ધૐ । અને મામીને કહેવા લાગ્યા કે મામી જુહાર. મામી પણ ધર બહાર નીકળીને કહે કે જીહાર ભાણેજ, દુખણાં લીધા પછી ભાણેજ કહે મામી મામા ક્યાં છે? ત્યારે તે બેાલી કે ખેતરે ગયા છે. ભાણેજ હે મામી શીરામણ ા તે હું પણ શીરાવીને ખેતર જઉં, ત્યારે મામી બેલી કે શીરાવેા. ઘેંસ છાચ પીરશી ત્યારે ભાણેજ કહે મામી આ શીંકે ચુરમુ ચડાવી મુક્યું છે તે કાને કાજે છે! તે સાંભળી મામી કહે કે, તમે અને તમારા મામા બે જણ ભેગા જમશે તે માટે રાખ્યું છે, ત્યારે ભાણેજ હે કે હમણા ઘા હું ખેતરે લેતા જઇશ એમ કહી તે ચુરમુ લઇ પાધરા ખેતરે આન્યા ત્યારે કણબીએ પુછ્યુ કે તુ કાણુ છુ! ત્યારે તેણે કહ્યું કે હું તમારા ભાણેજ છું, અને મારૂં નામ ખેતીએ છે. હુ' ગંગાજી કરીને વળ્યા ત્યારે મે'જાછ્યું કે મામાને મળતા જાઉં તે માટે હવે આવે
',
•
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ભજન કરે. હું તો જમી આવ્યો છું અને તમારે કાજે લેતે આવ્યો છું. પછી મા ભાણેજ ને જણ સાથે બેસીને જમ્યા. પછી પાછળથી તે સ્ત્રીએ ફરીથી ચુરમું કર્યું અને તેના ચાર પુરૂષને તેડી સાથે ભોજન કીધાં તે પુરૂષ ધરમાં જ હતો તે સમે તે મા ભાણેજ સંધ્યા સમે ગાડું ભરીને કડબ લેતા આવ્યા. આ થી તે સ્ત્રીએ પેલા ચાર પુરૂષને કેડમાં ગઠમાં સંતાડ. તેની ઉપર જારની એગઠ ઉતાવળમાં નાખીને કમાડ ઉઘાડયાં. જઈને ભાણેજ કહે કે મામ મેળ બેસે બધાને હું નીરણ કરીશ. એમ કહીને મોટો ભારે ઉપાડીને તે પાર પુરૂષની કેડ ઉપર ના
ખે તેથી તે કેડેથી કરડાઈ ગયે અને વળી તેના વાંસા ઉપર લીલી કડબ ઝાટકવા મંડે એવી રીતે ભૂંડા હાલે રાખીને ભાણેજ ધરમાં આવ્યો. ઘરમાં મામે ભાણેજ સાથે જમવા બેઠા ત્યારે પેલી કણબીની રસીએ કાડમાં જઇને હળવે હળવે કરીને તે પુરૂષને બહાર કાઢી મુકો. એમ કરતાં કરતાં ભાણેજને એક મહીને થયે ત્યારે તે તેના મામાને કહેવા લાગ્યું કે તમે કહે તે હું ગામ જમાડીને ઘરે જાઉં તે વખત મા બે કે ભલે, તમારી પહોંચ હોય તે કરે. પછી તેણે સર્વ ભૂતનાં પકવાન તૈયાર કરીવ્યાં અને તેની મામી ગામમાં નેતરાં દેવાને માટે ની
Page #219
--------------------------------------------------------------------------
________________
२.. કી તે સરવેને તેડી આવી. પેલા જાર પુરૂષને પણ તેડી આવી. બધાને જમવાને બેસાડયાં. તે બધા એને પિતે પીરસત હતા. તે પીરસતો પીરસતે પેલા જાર પુરૂષ પાસે આવ્યું અને હળવેથી કહ્યું કે “ગમા
માં તમે હતા કે, ત્યારે તેણે ના પાડી. પછી દેવ પુરૂષ કહે કે તમને સુખડી ખાવાની બાધા છે તો ભલે કરમગ જમજે. એમ કહીને બીજા બધાને પીરહ્યું. બીજા બધા બેઠા બેઠા જમે અને તે જાર પુરૂષને તે ટગર ટગર જવાનું થયું. બીજા સર્વ સારી પેઠે જમ્યા અને તે જાર પુરૂષને તે એમજ કાઢયે. પછી રાત્રે ગામની સ્ત્રીઓ જમવાની આવી તેની
થે સ્ત્રીને વેશ લઈને આવ્યું, તે વખતે પણ તે સર્વને પીરસતો પીરસતે તેની પાસે આવ્યો પેલા જાર પુરૂષને આગળ જેમ કહ્યું હતું તેમજ કહ્યું “ગમાણમાં તમે હતાકે ત્યારે તે છે કે ના. આથી તે પીરસનાર બોલ્યો કે ત્યારે પુરૂષની પંગતમાં સુખડીની બાધાવાળા એક જણ હતો અને આ એક તમે સીઓની પંગતમાં પણ સુખડીની બાધાવાળાં છે. એમ કહીને બીજી બધીને પીરસ્યું અને બધી જમી ઉઠી. તે વખતે પેલી મામી જતી હતી કે મારો ભાર પુરૂષ તે એમજ જાય છે માટે તેને કાંઈ આપ્યું છે તે ઠીક. એમ સમજીને પાંચ સાતસ લાડુ છાના લઈને આપ્યા
Page #220
--------------------------------------------------------------------------
________________
૧.
તે તેણે ખેાળામાં ઘાલ્યા તે વેળા ભાણેજે જાણ્યું કે મામી એ લાડવા તેા આપ્યા. પછી ભાણેજ બારણે આવી Iમે રહ્યા . અને એયા કે, અરે ! બાઈઓ, તમે મને વધાવી વધાવીને ચાલી જામે એમ કરતાં કરતાં તે જાર પુરૂષ સ્ત્રીને વેશે આવીને વધાવેછે એટલામાં લાડવા નીકળી પડયા. તે વખતે ધણા માર માર્યા અને કાઢી મુકયા. ખીજા માણસા પણ સર્વે ઠેકાણે ગયાં. પછી પ્રભાતને પાહાર મામા ને ભાણેજ બે જણ ખેતરે માન્યા. કણબી ખીજડા આગળ આવીને પગે લાગ્યા ત્યારે ભાણેજ કહે મામા જુહાર અમે તા હવે અહીયાંજ રહેશું. હું આ ખીજડાને અધીષ્ટાતા દેવ છુ. તું નીત્યે આવીને “થાન માન ગુરૂ ગ્યાન” એવી ભક્તિ સાચવેછે તેથી હું તારા ઉપર ત્રુશમાન છુ'. માટે સાંભળ, આ ઠેકાણે ધન છે કાઢીને નવી સ્રી પરણી જી નીને કાઢી મુકજે. વળી કષ્ટ પડે અને સભારજે. એમ કહીને દેવતા અલોપ થયેા. તે સુર કુમી ધન કાઢી નવી સ્રી પરણીને સુખી થયે..
અવગુણ ઉપર ગુણ કરનાર મિત્રદ્યુત અને તની કથા.
અવંતીનગરીમાં મહાસેન નામે રાજા રાજ્ય કરતા હતા તે નગરના નગર શેઠ સુમિત્રદ્રત્ત નામે હતેા
'
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૧
અને તેને મિત્રદત્ત નામે સ્ત્રી હતી તેની કુખે મિત્રદત્ત નામે કુંવર થયે તે જયારે મેટ થશે ત્યારે સારા ઘરે પરણાવીને સુખી કર્યો. એ રીતે કેટલાક દીવસ ચાલ્યા ગયા અને માબાપ મરણ પામ્યા. તે મિત્રદત્ત પાછળથી ઘણું ધન ખરચ્યું. પછી કુસંગ કરીને નટવીટ પુરૂષોની સાથે સર્વ ધન ખરચી નાખ્યું અને દીન પ્રતિ દીન નિર્ધન થતો ગયો. રોજગાર કાંઈ સુજયો નહીં. ધન વિના રોજગાર કાંઇ થાય નહીં. તે માટે કાઈક પરદેશમાં જઈ ચોરી કરી આવું એમ વિચારીને સ્ત્રી કને રજા માગી અને એક દવાને ગણેશીઓ લઈને પરદેશ ભણી ચાલી નીકળે. ચાલતા ચાલતો કાંતી નગરીમાં આવ્યું તે વખત પહેલી જ રાત્રીમાં એક દત નામે વેહેવારી હતો તેને ઘરે જ આવીને ખાતર દીધું તે વખતે મેઘના અંધકારથી આકાશ છેવાઈ ગયું હતું. ઝરમર ઝરમર મે વરસતે હતો તે સમે ખાતર પાડીને ઘરમાં પેઠો. જોયું તો સાવ સામૈયાના ઢગલા પડેલા છે. એક હીંડોળા ખાટ સાવ સેનાની સાંકળે ટાંગેલી હતી તે દીઠી. તે ઉપર મખમલની તળાઈ બીછાવી હતી તે દેખીને તેણે વિચાર કર્યો કે હમહું ઘડીક હીંડોળાખાટે સુઈને ટાઢ ઉડાડું પછી ધન લઇને ચાલી નીકળીશ. એમ વિચાર કરીને સુતે. સુતાંત નીંદ્રા આવી ગઈ, તેવે વખત દત્ત શેઠની સ્ત્રી સૂવા
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ના ઓરડામાં સેજ સમારવાને આવી અને દી મુકીને જેવી સેજ ઝાડક્વાને આવી અને ઓછાડ - પાડ ત્યાં પુરૂષ સુતેલે દીઠે. તે જોઈને તરત પાછી વળી ઓરડાની સાંકળ દેઈને એક વાતરને કહે કે શેઠને તેડી આવ. તેથી વણેતર શેઠને જઈને કહે કે રોઠ વખારે તાળાં દઈને ઘરે ચાલે તમને શેઠાણી બેલાવે છે. શેઠ ઘરે આવ્યા ત્યારે શેઠાણી શેઠને એરડામાં તેડી ગઈને સર દેખાડશે. તે ચેરને જોઈને શેઠે કહ્યું કે એ ચેર ન હોય પણ કોઈ વખાને માછે માનવી છે માટે હાલ એને કઈ જગાડશે નહીં એમ કહી શેઠ બહાર નીકળ્યા અને સલાટને બેલાવીને ખાતરીઉં પુરાવી નાખ્યું. પછી શેઠે તે ચારને ઉઠાડવા માંડયે પણ ઉડે નહીં. ત્યારે શેઠે તેને હાથ લગાડીને તપા એટલે ટાઢ ચડી ગયેલે માલમ પડે. શેઠે તે ચેરની ટાઢ દુર કરવાને માટે પૈણા ઘણું ગરમ ઉપચાર કર્યો ત્યારે કેટલાક વખત તે સચેત થાય તેથી એકદમ ઉભા થઈને નીચું જોઈ રહ્યો. શેઠ તેને પુછ્યું કે તું કેણ છું ? અને કયાં રહે છે.. ત્યારે તે મિત્રદત્ત બે કે હું સુમિત્રા શેઠનો પુત્ર છુ અને અવંતી નગરીમાં રહું છું. નિર્ધનતા ને દુઃખે પરદેશ નીકળે છું પણ કોઈ જગ્યાએથી કઈ પિસો મળ્યો નહીં ત્યારે છેવટે અહીં આવ્યો પણ
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૫૦ ટાઢ ચડી જવાથી સુતા હતા તેવામાં તમે આવ્યા પછી દત્ત શેઠે પ્રભાત થતાં હજામને બોલાવીને તેના નખ અને વાળ લેવરાવીને સારે પોષાક પહેરાવીને જણાવ્યું કે આ સઘળું તમારા પ્રતાપે થયેલું છે કેરણ કે હું તમારા બાપનેજ ગુમાસ્તા છું એમ કે હીને લુગડાં ઘરેણું અને ખાવાપીવા વગેરે બાબતમાં સંતોષવા માંડયે અને એમ કરતાં કરતાં છ મહીના વીતી ગયા ત્યારે એક દહાડે દત પ્રત્યે તે મિત્રદત્ત જો કે ભલા હવે હું તે તમારે ત્યાં બહુજ સુખી થયે અને ઘરે જવાનો વિચાર રાખું છું તો રજા આછે તે જાઉં. પછી શેઠે રથ અને ગાડાં તથા નેકર ચાકર વગેરેની સાથે દસવીસ લાખ રૂપીઆ પણ આપ્યા અને વિદાય કર્યો. એ રીતે મિત્રદત્ત ઘરે આવીને સ્ત્રીને મળે અને સુખ શાતામાં પોતાના દીવ
ગુજારવા લાગે. કેટલાક દીવસ વીતી ગયા પછી કાતી નગરીમાં દત્ત શેઠ નીર્થનતાને પામ્યા તેથી અવંની નગરીમાં દત્ત શેઠ તથા શેઠાણી મિત્રદત્તને મળવાને ધનની મદદ સારૂ આવ્યાં. ત્યાં પાણીને આરે આવીને બેઠાં હતાં તેટલામાં મિત્રદત્તની પાણી - નારી ત્યાંથી નીકળી એની ઓળખાણ કાઢીને કહ્યું કે બાઈ તું જરા મિત્રદત્તને છાની ખબર આપજે કે
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૧૪
દત્ત શેઠના બે માણસે આવેલાં છે તે તમને દેરાસરના ઓટલા ઉપર બેઠાં બેઠાં યાદ કરે છે માટે એવા ખબર આપવાને હું આવી છું એમ કહેજો. પછી પાણી નાળીએ જઈને મિત્રદત્તને કહ્યું તેથી મિત્રદત્ત કેટલાંક માણસને સાથે લઈને નીકળે અને દત્ત શેઠને આવીને મળે. બંને આદર સહીત મળ્યા અને ઘરે આવ્યા પછી ઉના પાણીથી નવરાવી ધવરાવીને નવાષિાક પહેરાવી ભોજન કરાવ્યાં. એ રીતે સુખ શાતામાં રહેતાં રહેતાં છ મહીના વીતી ગયા તેથી દત્ત શેઠે રજા માગી પણ મિત્રદત્ત કહેવા લાગ્યા કે તમે મારા ઉપર જે ઉપકાર કર્યો છે તેને બદલે મારાથી વાળી શકાય તેમ નથી. હું તો ચેરની હાલતમાંજ તમારા ઘરમાં પકડાઈ ગયો હતો તો પણ તમે તે વખતે ઓસાડ વેસડ કરીને મારી ટાઢ ઉડાડીને મને સુખ શાતામાં પિષીને રાખ્યો અને વિદાય થા, અને તે તમારા પ્રતાપથી જ આજ આટલી સાહેબી પાછી થઈ છે તો તો તમારે ત્યાં એવી રીતે આ
વ્યો હતો અને તમે તો બે જણ આવ્યાં છે માટે છ મહીના બીજા રહે પછી વિદાય થજે એમ કહીને છે મહીના બીજા પણ રાખ્યાં. પછી એક વરસ પૂરું થયું ત્યારે ત્રીસ ચાળીસ લાખ રૂપીઆ દઈને ઘણે આડંબરે ઘરે પહોંચતું કર્યા પછી દત શેઠ પિતાને ઘરે
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૫
આવ્યા અને ધણા સુખી થયા. તે વખત દત્ત શેઠે મનમાં વિચાર ક્રા કે મે એક જીવને ઉપકાર કા તા મને તે કેવા સુખ હાયઃ થઇ પડયા. તેા તેમજ સર્વ જીવ ઉપર ઉપકાર કરીએ તે સુખનુ કાંઇજ લેખું ન થાય એમ વિચારી દાન સુપાત્ર જેઇને ઘણાં દેવા માંડયા અને સાધુઓના ઉપદેશે કરીને તે ખાર ભૃત પાળી સ્વર્ગે ગયા.
બીજાના સરમ પ્રકાશ કરવા નહીં તે વેષે કથા.
કુસુમપુર નગરમાં કુસુમસેન રાજ રાજય કરતા હતા તે નગરમાં રૂપભદાસ નામે વેહેવારી રહેતા હતા તેને સુધન એવા નામના એક દીકરા હતા તેને સુવર્ણપુરમાં પરણાવ્યેા હતેા. દહાડે દીવસે તે સુધન મોટા થયા તે વખત માતા પિતા મરણ પામ્યા અને બહુજ નિર્ધનતા પામ્યા. તેથી સ્રીને પણ તેનાં માખાપ આવીને તેડી ગયાં અને હાથે રશટલા કરીને ખાતાં ખાતાં છ મહીના થવા આવ્યા તે વેળા સ્રીને તેડવાને માટે સુવર્ણપુરમાં આવ્યા. પાધરા સસરાને શરે આવે અને ધણી આગતા સ્વાગતા ીધી, જ
Page #226
--------------------------------------------------------------------------
________________
ર૧૬
માઈને બે ચાર દિવસ રાખીને પછી દીકરીને જમાઈને શીખ દીધી. સ્ત્રી ભરતાર બે જણું માર્ગે ચાલ્યાં જાય છે ત્યારે સ્ત્રી મનમાં વિચાર કરીને મનમાં બલી કે ક્યાં એ કર્મ હી મને તેડવા આવે છે? તેના ઘરમાં તો એક ટંકનું ખાધાનું નથી. માવીને બેઠી સખે રોટલી ખાતી હતી તે પણ ટાળીને લઈ જાય છે આ સેહગથી તો રંડાપ ભલે એમ વિચાર કરતી રસ્તામાં ચાલી જાય છે, તેવામાં આગળ જતાં એક ક બાયો ત્યારે સ્ત્રી કહેવા લાગી કે સ્વામી મને પાથી પાવ ત્યારે કળશીઆઓરડી બાંધી કુવામાં ચીં તે વખત પાછળથી સ્ત્રીએ તેને ઠે તેથી તે કવામાં જઈને પડશે. ત્યાંથી પછી સ્ત્રી ભાગી તે માવાને આવી ત્યારે માબાએ પુછયું કે દીકરી આમ પાછો કેમ આવી, ત્યારે તેણે જવાબ આપે કે મારગે જતાં ચાર મળ્યા તે તમારા જમાઈને ઝાલી ગયા અને હું બા
ગી તે અહીં આવી પછી સ્ત્રી સુખ શાતામાં પિયરમાં રહેવા લાગી. પણ સધનને કુવામાં પડયાને જયારે બેચાર ઘડી થઇ ત્યારે દેઈ વટે મારગુઓ એ રસ્તેથી જતા હતા તે પાણીને કુ ધારીને ત્યાં આવ્યાં અને કુવામાં ઘડે સીએ તેથી તે ઘડાન
Page #227
--------------------------------------------------------------------------
________________
ર૧૭
દેરડું સુધન પકડી રહ્યો. પછી વટે મારગુએ પૂછ્યું કે તું કોણ છે ત્યારે તેણે કુવામાંથી જવાબ દીધે. કે હું તે વખાન માર્યો માનવી છું અને આ રસ્તેથી જતાં પડી ગયે છું એ સાંભળીને બધાએ ળીને બહાર કાઢ. પછી સુધન મનમાં વિચારવા લાગે કે –
સંપત હોય તે ઘર ભલું, નહીં તે ભલો પરદેશ; ગેડી પુછે ગેડીયા, કણ ભરે દેશ
એમ વિચારીને ઘરે પણ ન ગયે અને પાઘરો બેણાતટ નગરમાં આવીને વહાણે ચડયે અને પછી ખુશી આનંદમાં પર દ્વીપમાં જઈ પહોંચ્યો. ત્ય બાર વરસ સુધી રોજગાર કરી અત્યંત ધન કમાઈ પિતાના વહાણમાં તે ધન ભરી પાછે કુશળતાથી બેણાતટ પર આવીને ઉતર્યો તે વખત માલ મીલકત સર્વે કુસુમપુર ભણી મોકલાવી અને પોતે સ્ત્રીને તેડવા સાસરે ગમે તેવામાં પોતાની સ્ત્રી ગેખે બેઠ હતી તેથી તેને દેખી અને તેણે પણ પોતાના ભરતારને દીઠે. બેની નજર એક થઈ ત્યારે સ્ત્રીએ પેતાની એક આંગળી ઉંચી કરી તેથી સુધને બે - ગળી ઉંચી કરી. તેનો અર્થ એવો કે સ્ત્રીએ ભરતારને પુછ્યું તે એમ કે આપણી એક વાત કોઈ જાણે છે કે કેમ? ત્યારે કહ્યું કે તું અને હું બે જાણીએ
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૮
છીએ. એમ બે જણને વાત ચીત થયા પછી સુધન ચઠ સાસરે આવે ત્યાં સહુ આવીને મળ્યાં. તે વખત જમાઈને સારી આગતા સ્વાગતા કરીને સારા સાસરવાસે આપીને દીકરીને વળાવી. ધણી ધણી આથી ઘરે આવ્યાં. માલ મીલકત સી ઘરમાં ઉ. તારી પિત સ્ત્રી અને પુરૂષ સંસારના સુખ વિલાસમાં પડયાં. એક પુત્ર થયે તે દહાડે દીવસે મેટો ચંને ગયા. પછી પરણાવ્યા તેની વહુ ઘરમાં આવીને કા મકાજ કરે તે સાને ગમે નહી તેથી સાસુ વહુને બેની વચ્ચે બનાવ નહીં. એક વખત સુધન શેઠ જમવા બેઠા છે તે સમે ટોળીઓ વાયરો આવે તે વખત સ્ત્રીઓ ઉડીને આડા છેડા ચીરનો ધર્યો તે જોઇને તે સુધન શેડને આગલે દીવસ યાદ આવ્ય અને એક દિવસ તે હતો જે દીવસે મને કુવામાં ના
છે અને આજને પણ દીવસ છે કે ઉઠીને ચીર ધરે છે. માટે સર્વ સંસાર સ્વારથી ઓ છે. એમ વિચાર કરતાં શેડને જરાક હસવું આવ્યું તે વહુએ દીઠું તેથી તેણે વિચાર્યું કે એ વાતમાં કાંઈ ભેદ ઉડે છે. રાતને વખત દીકરાની વહુ પિતાના ધણીને કહે કે તમારો બાપ જમતાં હત્યા તેનું કારણ પુછીને મને કહે ત્યારે તે કહે કે ઠીક પુછી લઈશ. પછી એક દિવસને અંતરે પુત્ર પીતાને કહે કે ત્રીજા દીવસ ઉપર
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૯
પીતાજી તમે જમતાં હશ્ય! તેનું શું કારણ તે કહે . તે વખતે શેઠે કહ્યુ કે આમે મન ઉડી વાત કહીને દીકરાને સમજાવ્યા. ફરી રાતે પેાતાની વહુ આગળ સર્વે હકીકત જણાવી ત્યારે તે બોલી કે મુળવાત એ ન ઢાય. માટે મુળવાત તમે પુછીને મને કા. પછી એક દીવસને આંતરે દીકરે અતી લીધી ત્યારે બાપે કહ્યુ કે એ વાતમાં કાંઇ સ્વાદનથી તે માટે ન પુછ. ત્યારે દીકરી કહેકે કહેને કહાજર ત્યારે શેડ - ૯યા કે એકવાર તારી માએ મને કુવામાં નાખ્યા હતા માટે
સવું આવ્યું. સાંભળ એ વાતનુ બીજા કોઇને પણ કહીશતા મેટે અનર્થ થશે માટે રખેને એ વાતના મમેં કોઇ આગળ પ્રકાશતા નહીં. એમ કહીને રા દીધી. પછી રાતને વખતે તે દીકરી પોતાની સ્ત્રી સાથે સુવાને ગયે ત્યાં તે સ્ત્રીની પાસે મેહનીને મંત્ર તે તેથી પેલી વાતને ભેદ ભાંગતાં કહ્યુ કે અંતે મારી માએ મારા બાપને કુવામાં નાખ્યા હતા માટે તે સાંભરી આવવાથી હસવું આવ્યું. પછી ચેડાક દીવસ ગયા કેડે એક વખત સાસુ વહુને કાંઇ લડાઇ ટ થયા તેથી વહુએ મેહેણું માર્યું કે તમે તે મારા સસરાજીને કુવામાં નાખ્યા હતા તેજ કે બીજા. આથી સાસુને બહુજ માઠું લાગ્યું અને વિચાર્યું કે હવે જીવીને શું કરવું છે માટે મરવું એમ ધારીને ઘર આગળ
Page #230
--------------------------------------------------------------------------
________________
વો હતિ તે કુવામાં પડી. થોડી વારે વારે સાસુને વહુએ ઘરમાં જોઈ નહીં ત્યારે કુવામાં જઈને જોયું તો સાસુ કુવામાં પડેલી દીઠી તેથી પિતે પણ કુવામાં પડી. પછી થોડી વારે દીકરો ઘરે આવ્યો અને જોયું તો ઘરમાં કોઈને દી હું નહી પછી કુવા આગલા જઈને અંદર જઇને વિચાર્યું કે અરે! મારા બાપે કહ્યું હતું કે તું આ વાત કોઈને કહીશ માં પણ મેં કહી તેથી આ અનર્થ નીપજો પણ હવે આ અપરાધવાળા મુખે મારાથી બાપને મળવામાં માટી શરમ
માટે હું પણ કુવામાં પડું. એમ વિચારીને તે પણ કુવામાં પડીને મરણ પામ્યા પછી સુધન શેઠ જાણ્યું કે દીકરો દુકાનેથી ગમે તેને ઘણીવાર થઈ પણ હજી આવ્યો નહીં માટે એ કેમ રોકાયે હશે એમ વિચારીને તે પણ ઘરે આવ્યો અને આખા ઘરમાં ફરીને જોયું તો કોઈને પણ દીઠું નહી તેથી કુવા પાસે જઈને જુએ છે તે સર્વ માંહે પડેલાં દીઠાં તેથી સર્વને કઢાવીને અગ્નિ સંસ્કાર કર્યો અને પછી શેડ ઘણું ધન વાપરી ખરચીને ચારીત્ર લઈ બેઠ અને સુધર્મથી સંજમ પાળીને સ્વર્ગે પહોંચ્યા.
બુદ્ધિ ઉપર વેશ્યાની કથા. માળવા દેશમાં ઉજેણી નગરીમાં અજીત સેન
Page #231
--------------------------------------------------------------------------
________________
રરર
નામે રાજા રાજય કરતો હતો તે નગરમાં જીણુદાસ નામે એક વાણીઓ રહેતા હતા. તે ઘણો જ ધનવાન હતો. તેને જીનપાલક નામે એક પુત્ર હતા. તે ઘણેજ કા અને બત્રીસ લક્ષણે હતો. તેને ચતુરાઇની કળ શીખવા માટે વેશ્યાને ઘરે મુકયો હતો ત્યાં બે ચાર વરસ વહી ગયાં અને એટલા વખતમાં ત્યાં સર્વે કળા શીખે પછી ધરે આ. ઘરે આવ્યા પછી બાપે પરણાવ. ઘરને સર્વ કારભાર દીકરાને એક દહાડે પાંચ સાત મિત્ર સાથે જ પીને વાડીએ જતા હતા તેવામાં પિલી વેશ્યા પણ સામી ચાલી આવતી હતી ત્યારે વેશ્યાના મનમાં એ વિચાર ઉપજ ક જીન પાળકે ફરીથી મારા ઘરની દીશ જોઈ નથી માટે એને કાંઇક કુંદમાં નાખું. એમ વિચારીને પાસે આવીને વેશ્યા બોલી કે, અરે ! જી. નપાલક હજી તું બહેન ભગવે છે સ્ત્રીને ભગવ ત્યારે એવડો અહંકાર કરજે. એમ કહી ચાલી નીકળી તે વખત જીનપાલક મનમાં વિચાર કરવા લાગ્યો કે જયાં સુધી હું બાપની ઉપજી લક્ષ્મિ ભાગવું છું ત્યા સુધી સ્ત્રી તે કહેવાય નહીં. એ મનમાં વિચાર આવતાં તે એકદમ પાછા વળે અને ઘરે આવીને પીતાને કહેવા લાગ્યા કે પીતાજી મારે તો .એકવાર પરદેશ જરૂર જવું માટે રજા આપે ત્યારે બાપ બે
Page #232
--------------------------------------------------------------------------
________________
२२२
ટો કે તે તું થશવટને રોજગારે જા. ત્યારે કુંવર કહે કે ભલે તો હું તમ કરૂ છું. પછી ત્યાંથી બા વ ચંદનના લાકડાં સેબલ ડાં ભરીને શુભ દીવસે સાપરા પાટમાં ભળી ચા, આલાતની ગામમાં
ખબર પડતાં ગામના વિપારીઓ સાપારા પાટ કાગળ લખીને ત્યાંના વેપારીઓને જણાવ્યું કે અત્રથી જીનપાલક કુવર બસે ગાડાં ભરીને બાવન ચંદન લઈ આવે છે એવા આગલથી જ ખબર આપ્યા હતા. તે કાગળો જ્યારે પારા પાટણની બજારમાં વેચાયા ત્યારે તે ગામમાં ચાર ધુતારા વસતા હતા તેણે આ વાત ધ્યાન રાખીને સાંભળી. તેમણે વિચાર્યું કે હવે બાવના ચંદનની હેડ આવે છે. તેઓએ ચારે જણ. આ એક સંપ કરીને સલાહ કીધી અને સામે ચાદયાને ચાર પાંચ ગાઉ જઈને ગાડાં આવતાં દેખીને તેઓ ચારે દીશાએ ચાર સગડીઓ સલગાવીને બેઠા. તેમાં એક કટકે બાવના ચંદનના લાકડાને મુક અને તાપવાને બેઠા. તે વખતે બાવન ચંદનની સબંધી અને પરિમલ પ્રસરવાથી આખું જંગલ આસપાસમાં બેહેકી રહ્યું. એ સુવાસ જીનપાલને આવી તથી પિતાના બધાં ગાડાં તપાસ્યાં અને સર્વે અકબંધ જોયાં પછી પુર્વ દીશામાં નજર પડી તે તરફ થોડે દુર અંગીઠી દીઠી ત્યાં જઈને પુછયું કે તમે કોણ છે
Page #233
--------------------------------------------------------------------------
________________
ર૩ અને કયાં રહે છે અને બાવન ચંદન કેમ બાળે છે, તે સાંભળીને તે છે કે ભાઈ અમે તે વટે માર
છીએ. સોપારે નગરે રહીએ છીએ અને ભાવના ચંદન તે અમારે કણને પાડે છે માટે તે નાવર - છે બઠા તાપીએ છીએ. એવી રીતે ચારે બાજાની અંગીઠી તરફ જઇને જોઈ આવ્યું. તે ચારેનાં એક વચન સાંભળીને મનમાં બહુજ ચીંતા કરવા લાગે એમ કરતાં કરતાં સવારને પ્રહર છે. ત્યારે તે ચારે ધુતારા એકઠા મલીને આવ્યા અને કહેવા લાગ્યા કે કેમ શેડ કરશે સાટું. ત્યારે શેડ બોયા કેમ કરશે. ત્યારે તે ધુતે કહેવા લાગ્યો કે ચંદનથી બમથાકણ ત્યારે જીનપાળે ત્યાં લખત કર્યું કે ચંદનથી બમણુકણ લલી જે કણ માગે તે દેવે એમ લપત કર્યું અને સોપારે આવ્યા. ત્યારે શાહુકાર સર્વ મળવા આવ્યા. ત્યારે પાડ મુક્યા ત્યારે એક દિક ડાના આઠ દોકડા થતા જાણ્યા. પછી શાહુકાર સર્વ પાછા વળ્યા ત્યારે પછી હીરા નામની વેશ્યા આવી. તેણે મુજરો કર્યો પણ શેડને ઉદાસ દીઠા. તેમ શેઠને ચીંતાતુર દેખીને તે વેશ્યા કહેવા લાગી કે શેઠજી તમને શી ચીંતા છે? આ સાંભળીને શેઠે પિતાની સાઢાની સર્વ હકીકત કહી સંભળાવી. ત્યારે વેસ્યા બેલી કે તમે લગારે ફીકર કરશે નહિં. મારી માત
Page #234
--------------------------------------------------------------------------
________________
મલા છે તે મોટી બુદ્ધિવાન છે તે તમને રસ્તો કરી આપશે. તમે રાતે ત્યાં આવજે એમ કહીને વસ્યા ધરે ગઈ. પછી કુંવર પણ સંધ્યાકાળને વખતે ઉત્તમ પ્રકારની બેટ લઈને વસ્યાને ઘરે ગયે. ત્યાં જઈને વે.
યા કમલા આગલ બધી વાત કહી સંભળાવી ના તે કમલા બોલી કે કુંવાર સાંભલ કણ એવા મેતાના જાણે છે માટે સવારે એ ધુર્ત લાકે આવે છે. તમે કહે જે કે મેતી લા અને બાવના ચંદન લઈ જાઓ તે વખત ધૂર્ત તમને રાજા પાસે લઈ જશે હું પણ ત્યાં રાજાને ચમર ટાળું છું ત્યા પણ તમારો બેલ ઉપર - વાને માટે સારી પડ મહેનત લઈશ અને તમારું કામ કરાવી આપીશ. એ પ્રમાણે વચન સાંભળીને મનમાં બહુજ આનંદ પામી ચાર પેહેર રાત આનંદ રંગ
માં ગુજારી પ્રભાતન પર ઉતારે આવે ત્યારે ધુત પણ આવ્યા અને બોલ્યા કે કણ લાવે ચંદન તે કહે કે લાવો મતી ધુત બોલવા લાગ્યા કે મોતી કેવ કાણ પરઠયા છે કર્યું. પછી શેડ કહે કે બાવના ચંદન બદલે કઈ જગ્યાએ કણ દીધા સાંભળ્યા છે. એમ
લતાં અંદર લડી મરતા હતા પણ કેટલેક ઠેકાણેથી સુચના મલી કે હવે કેસ રાજાની હજારમાં કાંઈ ફેંસલા માટે લઈ જાઓ તો તમારી લડાઈ મટી જાય પછી રાજા પાસે ગયા. ત્યારે રાજાએ પૂછ્યું કે તમારે
Page #235
--------------------------------------------------------------------------
________________
રર૫
શી તકરાર છે. ત્યારે જીનપાલ છે કે અમારે અ* આ બીજા ઉભેલા માણસને એ વાડ છે કે ચં. નથી બમણા કણ દેવા કણ એવું મોતીનું નામ છે ત્યારે તેઓ કહે છે કે જાર બાજરો ત્યારે તેના ન્યાયમાં આપ ધણી કહે તેમ કરીએ. ત્યાં ત્યા ઉબી હતી તે વગેરે કહેવા લાગ્યા કે પ્રમાણ વાત છે. ભાવના ચંદનને બદલે મોતી જ હોય પણ કાંઇ ધાન સાટે હેાય નહીં. તે વખત તે સાર ધુતને બંધૂખાને નાખ્યા. રાજાએ જીનપાલને ઘણું જ માન દઈને રજા આપી. પછી જીનપાલકે એક મોટી વખાર લઈને સઘળે માલ ઉતાર્યો અને મન ગમતે ભાવે છે. બધા માલના નાણાં કરીને સર્વ પાસેથી રજા માગી અને ને ચાલતો થયે અને કેટલેક દીવસે પિતાને ઘરે આ - તથા માતા પીતા કુટુંબ સર્વને .
બુદ્ધિ ઉપર સાગર દતની કથા. અવંત નગરીમાં બુદ્ધિ સાગર નામે વહેવાર વસતે હું તેને સાગરદત્ત નામે એક પુત્ર હતું. તેને બેણાતટમાં પર હતો. તેની સ્ત્રીનું નામ શ્રીમતી શ્રીમતીને આણું વાળીને ઘરે તેડી લાવ્યા અને સુખે ઘરે બેઠાં આનંદ કરે છે. એક દીવસને ગે રાતની bલાએ સ્ત્રી ભરતાર બે જણા ઓરડામાં બેઠાં હતાં
Page #236
--------------------------------------------------------------------------
________________
२२९
તેવામાં સાગર દત્તના માથામાં ખરજ આવી ત્યારે સ્ત્રીને કહેવા લાગ્યું કે મારું માથું જુઓ. પછી સ્ત્રો દીવાનો જોતે બેસીને માથું જેવા લાગી. માથું જે તાં જોતાં સ્ત્રીનું માથું ધુણ્યું ત્યારે સાગર પુછ કે, સ્ત્રી તે માથું કેમ ધુણાવે . આ સાંભળી સ્ત્રી બેલી કે સ્વામી કાંઈ નહીં. ત્યારે સાગરદત કહે તે તે કહે! જોઈએ માટે કહેતાજ હા નહીં તો મને ઠીક પડશે નહીં. પછી શ્રીમતી બોલી કે સ્વામી તમારા માથામાં કાગ પણ છે તેથી તમે તમારો રોલ પિસે ભેગવવાના નથી પણ બીજાને પદા કરલે પિસે ખાશો. તે સાંભળીને સાગરદત્ત કહેવા લાગ્યા કેકીરએ વાતનું પણ મારે પારખું લેવું. એમ વિચાર કરીને બીજે દીવસે સાગરદત્ત બાપને કહેવા લાગ્યા કે મને વહાણે ચડાવે. ઘણી હઠ પકડવાથી બાપે પાંચ વહા બુ માલથી ભરી આપ્યાં અને સારો દીવસ જોઇને વહાણને હંકાર્યો તે વાયરાના યોગે કુડકડા પક૯પે આવી પહોંચ્યાં તેથી ત્યાંજ નાંગર્યો. તે કુડકડા દ્રીપકપમાં એક કરણ ઘંટા નામે વસ્યા રહેતી હતી તે મહા ધુત હતી. તે શેઠને મુજરો કરવાને આવી તે મુજરો કરીને સાગરને ઘરે તેડી ગઈ ચાર પહોત
રાખીને પ્રભાતે જમવાનું નેતરું દઈ ગઈ. પાંચે વહાણનાં સર્વ માણસે સાથે જમવા આવ્યા. તેવામાં
Page #237
--------------------------------------------------------------------------
________________
१२७
વસ્યાએ પાતાની એક દાસી મેકલી તે દાસી વામાં જઈને એક સાનાનુ કચાળુ સતાડી પાછી આવી ત્યારે બધાંને જમાડીને શીખ દીધી. શેઠ સાથે સઘળા સાથે વહાણ ઉપર આવ્યા. પાછળથી વેસ્યાએફજેતી કરીને પાંચે વહાણ ઉપર પાટી મેલીને આવી. સાગરદત્તને કહેવા લાગીકે તમારા માસ અમારૂ એક સુવર્ણનુ કાળું ધારી આવ્યા છે તે સાંભળી શેડ બેવ્યા કે એ વાત ખોટી છે. અમારા વહાણમાંથી નીકળે તા . અમારા વાણુ કુલ નહીં તે તારૂ ધર ફુલ. એ પ્રમાણે લખત કરીને વહ્રાણુમાં તપાસ કરવા માંડયા. વહાણ જોતાં તા વાટકા નીકળી આવ્યો તે વખતે વહાણને માલ બધુ સ્વાધીનમાં લીધું અને તુ ઉપરનાં માણસો બધાં વીખરાઇ ગયાં. કેટલાક દીવસ વીત્યા ત્યારે આ વહાણુ એ દ્વીપકલ્પથી ઉપડયુ તેમાં શેઠે એક કાગ ળ લખી પાતાના બાપ ઉપર અવતી નગરીમાં મેકા. તે વખતે પાતે ગામમાં કાઈ એક ધાંચીને ત્યાં રહ્યા હતા. હવે અવતી નગરીમાં સાગરદત્તને કાગળ આવ્યા તે તેના બાપે વાંચ્યા. તેમાં એવી રીતે લખ્યું હતુ કે સવા ગજને બેસણે બેસીએ છીએ માથે છત્ર ધરાવીએ છીએ, થાપ ઉથાપ ક્રરીએ છીએ એવા સમાચાર વાંચીને બાપતે ખુશી થઇ ગયેયુ. તે
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૮
કાગળ મગાવી શ્રીમતીએ વાંચ્યો ત્યારે મનમાં વિચાર કર્યો કે ઘણીએ માલ પણ ખો અને વંચીને ઘરે ઘાણી ફેરવે છે. એમ મનમાં વિચાર કરી શ્રી મતીએ પિતાના બાપને સંદેશા કહે વરા કે મને વિળાસર તેડવા આવજે. તેવા સમાચાર સાંભળીને બીમતાને તેડવા આવ્યા અને તેડી ગયા. હવે શ્રીમતી બાપને ઘરે આવીને બાપને કહેવા લાગી કે મને એક વહાણ માલથી ભરી આપ હું પર દશ જઇક આ સાંભળીને બાપે તેને એક વહાણ માલથી ભીને *રાય કરી આપ્યું એટલે કુંવરી શ્રીમતી પુરુષને વેશ લઈ લીધો અને એક જુવાન સાહસ વેપારીને રૂપમાં તે વહાણમાં આવીને બેઠી. તે વખતે તને બાપ બધાં માણસને કહેવા લાગ્યા કે જેમ શીવ કુમાર જેમ કહે તેમ કરજો. એમ ભલામણ કરીને શેડ રે ગયા. વહાણે તે જગ્યા એથી કુડકડા દ્વીપે હંકાવ્ય તે કેટલેક દીવસે પહેચ્યા. વહાણ ત્યાંજ નાંગર્યા તે વખતે પેલી વેશ્યા મુજરો કરવાને આવી અને કહેવા લાગી કે ઘરે પધારે ત્યારે શીવ કુવર કહે પરસ્ત્રોત અમારે નીમ છે તેથી આવીશું નહી. ત્યારે સર્વે પર ત્યારે ગુણકા કહેવા લાગી કે ત્યારે સર્વ પરીવાર સહીત મારે ત્યાં. આજ જમવા પધારજો એટલે શેઠ એલ્યાકે ભલે આવી છું. એમ કહી એ વેશ્યાને ત્યાંથી કાઢી
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૯
તે પાઘરી ઘેર આવી. પછી શીવકુમાર ગામમાં ખબર લેવાને માટે નીકળે, તે વખત પહેલાં વેશ્યાએ લીધેલાં પાંચ વહાણનાં માણસે તેને મળ્યાં તેમણે સઘળી આગળ બનેલી હકીકત કહી સંભળાવી તે સર્વ વાત ધ્યાનમાં એમ જ રાખીને વહાણમાં આ ૦. સવારના પહેર થયે તે વખત વેશ્યા જમવાને માટે તેડવા આવી તે વખતે શીવકુંવર પિતાના ચતુર માણસે માંથી ચાર માણસને ચાર દીશામાં છાની રીતે રાખીને તેમને જણાવ્યું કે કોઈ આપણા વહાણમાં કાંઈ ચીજ છાની રીતે મુકવાને આવે તેતેને મુકવા દેજો. તે જેવી મુકીને વળે કે તરતજ ૫છી તે ચીજ મારી પાસે લઈ આવજે. એમ બંદબસ્ત કરીને પિતે માણસે સહીત જમવા માટે ગયે. પછી પાછળથી વેશ્યાની દાસી આગળની પિંડે કશું મુકીને પાછી વળી તેથી તે કાળું લઈને એક માણસ તે શીવ કુમારની પાસે આવ્યો. તે માણસે પણ સઘળી બનેલી હકીકત કહી સંભળાવી. પછી શીવ કુમારે કહ્યું કે તેના પાણીના ગોળામાં એ કોળું મુકે એ પ્રમાણે માણસેએ કર્યું. પછી સર્વે જમીને વહાણે આવ્યા ત્યારે આગળની પેઠે વેશ્યા પણ વહાછે આવીને ફરિયાદ કરવા લાગી કે મહાજન શેઠઆપનાં માણસો મારે ઘરેથી મારૂં સેનાનું કહ્યું
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૩.
ચારી લાવ્યા છે. અમ જણાવીને કહ્યું કે વહાણા તપાસીશું ત્યારે વાણા જોવા માંડયાં પણ કચાળુ નીકળ્યુ ન પછી બધાં મળીને વેશ્યાને ધરે આજ્યાં. અને ધરમાં તપાસ કરતાં કરતાં એક ને માણુ માએ ધકાધકી કરી મુકી તેથી પેલા ગાળા ઉપર પ યા મટલે ગળા ફુટયો તેમાંથી પેલો વાડકો નીક ન્યા. એ જોઇને બધાં માણસો કહે કે રાંડ એ વેશ્યાજ બહુ કારસ્થાની છે પ્રેમ કરીને પછી વેશ્યાને આચકા મારીને ઘરમાંથી બહાર કાઢુાડી મુકી, ધ રમાં આવીને તે શીવ કુમાર પેાતાના સર્વ માણસની સાથે ઉતર્યા. પછી તેણે ત્યાં રહીને થોડા દીવસમાં પોતાના ધણીના પાંચ વહાણુ અને આડ વહાણ છી જો એમ કરી તેર વહાણ સમા કરાવ્યાં અને તેમાં પાછા તે દ્વીપના માલ ભરાવીને સર્વ તૈયાર કીધા. તે વખતે ગામમાં સાદ પડાવ્યે કે જો કેાઇને અવતી નગરીમાં આવવું હોય તો સુખેથી ચડવાને આવો તેમાં નુર પણ લેવામાં નહી આવશે અને ભાતુ પણ શેઠ આપશે, તે સાંભળીને સાગરદત્ત મનમાં વિચાર કરવા લાગ્યા કે હું પણ ચડી જાઉં એમ ધારીતે વહાણુ પાસે આવ્યા. તે વખતે શીવ કુમારે આળખ્યા . અને જાણ્યું કે મારા બધાં કામ હવે પાર, પડયાં. હવે અહીં ખોટી થવાનું ... ઢાંઈ કામ નથી
Page #241
--------------------------------------------------------------------------
________________
એમ ધારીને વહાણ સર્વે હંકાયાં. આગળ જતાં જતાં સાગરદત્તને ઉના પાણીથી નવરાવ્યું અને હજામત કરાવરાવીને નખ વગેરે લેવરાવ્યા પછી ન પોષાગપેહરાવરા તથા દશે આંગળીએ વેઢ વીંટી પહેરાવી ત્યારે સાગરદત્ત બે કે તમે મારા ઉપર આભાર ભારે કરે છે. ત્યારે શીવકુંવર કહે કે તમારા બાપને અને અમારે ઘણી જ લેવડ દેવડ છે માટે તમે લગારે તમારા મનમાં ઓછું આણશે નહીં. એવી રીતે વાત ચીત કરીને કાંઠા નજીક આવ્યા ત્યારે માલમ કહેવા લાગ્યો કે શેઠ કાલ પ્રભાતે અવંતી નગરીને અને બેતટને રસ્તો બદલાશે ત્યારે શ્રીમતી કહે કે શેઠ, આ સાત વહાણ તમે લઈ જાવ અને પછી અમારી અને તમારી લેવડ દેવડ ઘણી છે તે આગળ સમજી શું. એમ કહીને સાત વહાણ - ઈને રજા દીધી. શ્રીમતી સાત વહાણ સહીત ખુશી આનંદમાં ઘરે આવી. માબાપને મળી તેથી તેઓ સહું બહુ આનંદ પામ્યા પછી સાગરદત્ત પણ મનમાં હર્ષ ધરતો ઘરે આવ્યો અને માબાપ સગાં વહાલાંને મળે પછી માને પુછવા લાગ્યું કે સ્ત્રી ક્યા છે ત્યારે કહ્યું કે એ તે પહેરથી તેડવા આવ્યા હતા તે તેડી ગયા છે. ત્યારે તે વેળાએ વેલે બેસીને સાસરે ગયે સર્વ સગાને ત્યાં મળે. પછી સસરાને કહે કે વેહે
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૩૨
લા વહેલા ળિો કારણ કે મારે બાપે મને છેડા દીવસની રજા આપી છે માટે ઝટ જવું છે. પછી તેજ વેળાએ શ્રીમતીના માબાપ સાસરવાસ કરીને વિળાવી અને બને ઘરે આવ્યા. પછી રાત્રે શ્રી ભરથાર એકડાં મળીને બેઠાં હતાં ત્યારે સાગરદસ્ત સ્ત્રી પ્રત્યે કહેવા લાગ્યો કે કેમ તું કહેતી હતી કે તમારૂ, કમાએલું તમે નહીં ખાવ છે ત્યારે આ સાત વહાલું કેવાં લાગ્યો એ સાંભળીને શ્રીમતી કહેવા લાગી કે સ્વામીનાથ, તમે તે મોટા કર્મના ઘણી છે. તમારી શી વાત. એવું સાંભળીને શેઠ ફુલાઈ ગયા તે વખત શ્રીમતી કહે કે આ તમારા ઘાંચીના ઘરના વાધા, આ તમારે સવા ગજના બેસણાને કાગળ કે તે તમે જુઓ. તમારે માટે કાળા સમુદ્ર ઓળંગીને તો હું આવી અને તમને જ્યારે સાત વહાણ આપ્યાં ત્યારે તે તમે ઘેર આવવા પામ્યા છે તે પણ અહંકાર મુકતા નથી. ત્યારે શેડ ઉઠીને પગે લાગે. શાબાશ છે તેને અને શાબાશ છે તારી અને કલન એ પ્રમાણે કહી તેની સારી પેઠે પ્રીતિમાં નીમન થઈ સ્ત્રી ભરથાર ઘણું સુખ ભોગવી સંસારમાં રહેવા લાગ્યાં. એ રીતે બુદ્ધિની વાત મોટી છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૩
ઘણા કાળ ગયા અને થોડા કાળ માટે થાક
લેવો એ વિશે કથા.
મિથલા નગરીને વિષે જયચંદ્ર અને વિજયચંદ્ર બે ભાઈ રાજ્ય કરતા હતા. નાનો ભાઈ વિજચંદ્ર તેને વિજ્યશ્રી નામે ભાર્યા હતા. તે ઘણીજ રૂપવું. તી તથા મટી શીળવંતી હતી. તેને એક દીવસને વખતે મોટો ભાઈ જયચંદ્ર જોઈ ગયો અને મનમાં વિચાર્યું કે જે વિજ્યશ્રીની સાથે મારે મેળાપ થાય તેજ જીવતર લેખે લાગે નહીં તે ધીકાર ભરેલું જ છે. એકદમ એવું મનમાં લાવીને સારાં લુગડાં અને ધરેણુ તથા મેવા મીઠાઇ સર્વ શાસોની સાથે મોકલી દીધા તે સર્વ વિજયથી રાખતી હતી. એક દીવસને વખતે દાસીની સંગાથે કહેણ કહેવરાવ્યું કે જે ઘણુંજ વિરૂધ વચન હતું તે સાંભળીને દાસીને વિ જયશ્રી કહેવા લાગી કે એ અસતીના કામ છે હું તો સાધવી છું મારે મન જયચંદ્ર બાપ સમાન છે એવાં વચન સાંભળી દાસી પાછી રાજા પાસે આવીને કહેવા લાગી કે એમાં તમારો કશો સ્વારથ સરશે નહીં ત્યારે રાજાએ મનમાં વિચાર્યું જયાં લગણ મારો ભાઇ જીવે છે ત્યાં લગણ તે સ્ત્રી અને માને નહીં એમ વિચારી સ્ત્રીની લાલચે ભાઈને શસ્ત્ર વડે મરા તેના
Page #244
--------------------------------------------------------------------------
________________
२३४ મરણની વિજ્યશ્રીએ સાંભળી ત્યારે વિચારવા લાગી કે જેણે મારી ખાતર ભાઈને મરા તે મારૂં શીચળ ખંડન અવષ્ય કરે એમ વિચાર કરીને રાતને અમે મેહેલથી ઝંપલાઇ પડી. ત્યાંથી એકલી મધ્યરાતની વેળા ભાગી. ભાગતાં ભાગતાં પદમપુર નગરમાં આવી. ત્યાં શ્રીગેવાળીકા નામે એક સાધવી દીધી તેની પાસે ધર્મપદેશ સાંભળીને દીક્ષા લીધી. ચારિત્રય પાળતાં પાળતાં તેને ગર્ભ હતો તેમ થશે ત્યારે ગુરણીએ પુછ્યું કે હે શુભાગે આ શું ? ત્યારે વિજયશ્રીએ પિતાની સઘળી વાત જણાવી. વલી તેણે જણાવ્યુ કે આટલા દીવસ મેં તમને બીકથીએ વાત ન જણાવી તેનું કારણ એ હતું કે જો હું મારી વાત કહીશ તે મને દીક્ષા નહીં આપે એમ સમજીને આ વાત છાની રાખી. એ સઘળી વાત સાંભળીને તે નગરમાં સુત્રત નામે શ્રાવક હતો તેને તેડાવીને સાધવીએ ભલાવી તે સુવૃતને ત્યાં નવમાસ પુરા થતાં પુત્ર પ્રસવ થયો તેનું નામ ફુલક કુમાર પાડ્યું. પછી એક માસ પછી ગુરણી પાસે આવ્યાં પછી સાધવીએ બહાર વિહાર કી ત્યારે ગામે ગામ વિચરતાં બારે વસે ફરી પદમપુર નગરમાં આવ્યાં. ત્યારે સુલક કુમારને શેઠના ઘર થકી સાધવી તેડી આવીને શ્રી સુવૃતાચાર્યજી પાસે ઉપદેશ કરાવીને દીક્ષા લેવરાવી. ગુરૂ પાસે ભથતાં ચારીત્રય પાલતાં બાર વરસ બીજ વહી ગયાં ત્યારે ચોવીસ વરસને થે. તે શ્રીસુવ્રતાચાર્યને કહેકે સ્વામી મારાથી ચારિત્રય પલાતુ નથી ત્યારે ગુરૂ કહે એક
Page #245
--------------------------------------------------------------------------
________________
બાર વરસ અમારા કહ્યાથી રહે અને પછી તમને રજા આપીશું. એમ કહી રાખ્યો અને બાર વરસ વહી ગયાં ત્યારે વલી કહેવા લાગ્યું કે સ્વામી હું જ. ઈશ ત્યાર ગુરૂ છેલ્યા કે ભલે તમારી માતાની આજ્ઞા લઈને જાઓ. તે વખતે માતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, માતાજી બાર વરસ ચારિત્રય પાળ્યું, બાર વરસ હું ગુરૂના કહેવાથી રહ્યો હવે જે તમે રજા આપો તો ઘરે જાઉં. ત્યારે માતા બેલીકે ગુરૂણીજીની રજા લઈને જાઓ. ત્યારે ગુરૂણી કહે છે
એક બાર વરશ અમારા વતી રહે. વળી બાર વરસ રહે. એમ અડતાલીસ વરસ વહી ગયાં, ત્યારે માતા કહે તું એકબાર વરસ મારાવતી કહેણ કબુલી રહે વળી પણ બાર વરસ રહ્યા. એમ સાઠ વરસ થયાં તે પણ જીવડામ ન આવે ત્યારે એક રતનકમળ અને એક નામાંકીત મુદ્રિકા એબે ચીજો સુવૃત સેઠને ઘરે મુ કર્યા હતાં ત્યાંથી અપાવ્યાં ને કહ્યું કે તું લઇને મીયુલા નગરીમાં તારે કાકે જયચંદ્ર રાજય કરે છે ત્યાં જઈ તું અર્ધ રાજ્ય માગી લેજે. એમ કહીને માએ દીકરાને રજા દીધી. સર્વની રજા માગીને ભુલક કુમાર ઘરે આવ્યો. તે દીવસે દરબારમાં મીથુલા નગરીમાં નાટક થતું હતું તે જોવા માટે ગામના ઘણા લે છે મળ્યા હતા. સુલક કુમાર પણ દરબારમાં આવીને એક કોરે જોવાને ઉભો હતો નાટકવાળાઓએ મોડી રાત સુધી ઉમંગથી નાટક બજાવ્યું પણ રાજા તરફથી કે બીજા કેઈ તરફથી કાંઈ દાન માં નહિં. ત્યારે તેઓને ઉમંગ ભાંગી ગયો. પછી નાટકને માટે
Page #246
--------------------------------------------------------------------------
________________
જ હતો તેણે વિચાર્યું કે હું હવે થોડી રાત સારૂ આ બધાને પણ પાછા પડે છે પણ એમ નથી સમઝતા કે આખી રાતના કરેલા કામ ઉપર આટલી વારમાં પાણી ફરશે. માટે –
સુપાઈ સુઠગ ઇયં સુઠનચીયં સામસુંદરી !
ગત બહુ તર ક લે ! અલપતિ શ્રી સર્વરી છે ગણી રાત ગઈ અને થોડી શી રાતમાં શું થાકો છે અને પાછા પગ ભરો છે. એવી ગાથા ફલક કુમારે સાંભળીને સવા લાખને રન કમળ અને આમુખ નામાંકીત મુદ્રિકાનું દાન દીધું. ત્યારે પછી રાજાના પુત્રે એક અમુકય હાર આપે. પછી એક પદ હસ્તીને કુંતાર હતો તેણે સવા લાખને અંકુશ નાંખ્યા. તે પછી એક વેહવારીની સ્ત્રીએ નવસર મતીના હાર નાખ્યા પછી તો ઘણું એ દાન તે નાટકીઆઓને મળ્યું. આ વાતથી રાજાને ઘણીજ રીસ ચડી. તેણે કહ્યું કે એ વો કોણ છે કે જેણે મારી પહેલાં દાન દીધું ત્યારે સુલકને પૂછયું કે ભાઈ તું કેણ છું અને તે શું સમજીને મારી કચેરીમાં દાન દીધું તે તું જણાવ. ત્યારે સૂલક કહેવા લાગ્યું કે હું તમારો ભત્રીજો છું એમ કહીને આગળ બનેલી સર્વ વાત કહી સંભળાવીને જણાવ્યું કે સાઠ વરસ સુધી સંજમ પાડ્યું તે પણ મન ઠેકાણે ના આવ્યું અને આજ આ તા
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩.
ટકીઆની ગાથા સાંભલીને મન ઠેકાણે આવ્યું માટે આનંદ માનીને દાન દઈ દીધું. વળી રાજાએ પિતાના દીકરાને પુછ્યું કે તે શુધારીને દાન દીધું ત્યારે તે બેકે, મેં જાણ્યું કે રાજા રાજ્યને લેભો છે અને રાજ્ય મુકતો નથી માટે મારી નાખું તે રાજ્ય આવે એમ વિચારમાં હતો તેવામાં એ ગાથા સાંભળીને જાણ્યું કે હવે રાજા તો થોડા કાળ છે અને મારીને શું કામ પાપમાં પડું એમ જાણીને દાન દીધું. ત્યારે ધનવતીને પુછયું કે તમે દાન કેમ દીધું. ત્યારે તેણે જણાવ્યું કે મારો ઘણી વહાણ ભરીને પરદેશ ગયો છે તેણે બાર વરસે આવવાનું કહ્યું હતું તે મુજબ બાર વરસ ગયા અને હવે હું મારી મતી ફેરવવાના વિચારમાં હતી તેટલામાં આ ગાથા સાંભળીને મને વિચાર આવે કે હવે જેટલા દહાડા મારા પતીને થયા તેટલા બીજા નહીં થાય અને થોડા માટે શુ કામ હું મારું પતીવૃતા પણું ગુમાવી દઉ. આ વિચારથી મન કામ આવતાં ખુશી થઈને નવસરને હાર આપ્યો. પછી કુતારને પુછયું કે કેમ અંકુશનું દાન દીધું ત્યારે કુંતાર કહે કે મહારાજ મારે પટરાણી સાથે રાગ હતો તે આજ કાલ કરતે આટલા દીવસ મેં કાઢી નાંખ્યા પણ આ ગાથા સાંભળીને વિચાર આવે કે હવે ઘણા દીવસ કાઢયા અને થોડી
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૮
મુદત માટે પર સ્ત્રી પાત્રમાં શુક!મ જીવ ભગાડું એમ જાણીને મે તેા દાન દીધું છે. ત્યારે રાજાએ વિચાર્યુ કે આ બધા સમજયા પણ હું ક્રાંઈ ન સમા તે ધીકારછે મને એમ વિચારી મેઢુ દાન આપી દઈને નાટકીઆને રત્ન આપી. ક્ષુલ૪ કુમારને ડેક્રઢુવા લાગ્યા કે તુ રાજય લે. ત્યારે તે આયા કે મારે તા પાછે વેરાગ્ય લેઇ ચારિત્રય ધારણ કરવું છે. તે વખતે રાજા પેાતાના દીકરાને રાજય આપી પાતે હ્યુલક કુમાર સાથે રાજા રાણી કુંતાર જઈને સુત્રતાચાર્ય પાસે આવીને દીક્ષા લીધી. માતાને મળ્યા. ચારિત્રય યાળી એકા અવતારી થયા.
અનિત્ય ભાવ ઉપર એક દ્રષ્ટાંતિક કથા.
Key
કુસુમપુર નગરમાં શાંતનુ નામે રાજા તા. તેને કરે શાંતનુ તાપ એને નામે સ્ત્રી હતી. સ્ત્રીને પુરે માસે એક જોડલુ અવતર્યુ. તેમાં દીકરાનું નામ પુક્ ચુલ એવું રાખ્યું અને દીકરીનું નામ પુકચુલા એવું પાડયું. તે બે મેટા થયાં ત્યારે માખાપે એકાંતમાં બેશીને વિચાર કર્યો કે જે જોડી પરમેશ્વર સાથે મેકલી તેા તેમને આપણે જુદાં પાડવાં એ ઠીક નહીં એમ વિચારીને તે બેન ભાઈને માંઢા માં પરણાવ્યાં કેટલાક કાળ વહી ગયા ત્યારે પુકચુલને રાજય આપી રાજા અને રાણી એ દેવ લાક પહાંચ્યા. તે વખત
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૯ રાણીને જીવ દેવત્વપણે મનમાં વિચારે છે, એ બેન ભાઈ અમે પરણાવ્યાં તે સારું ન કર્યું. માટે તેઓને હવે સમજાવું. એમ વિચારીને તે માતાનો જીવ દેવત્વપણે ફિચુલા પાસે રાત્રીને સામે આવીને રવપ્નમાં નકના દુખ દેખાડવા લાગ્યું. તેથી ફચુલા મનમાં બીહીવા લાગી અને પુરુલ આગળ સર્વ હકીકત સ્વપ્નની કહી ત્યારે પંડીતોને બોલાવીને સ્વપ્નને વિચાર પુછશે. ત્યારે પંડીતે કહેવા લાગ્યા કે સ્વપ્ન વિચારમાં તો એક નિર્ધન પણાનું દુખ, અને સંતાન નહી તે દુખ; અને ઘરે કે ભાર્યા તે દુખ, એટલાં સર્વ નરકનાં દુખની ભીતી પેદા કરનારાં છે. એ વાત પડતાની રાજાને મનમાં કાંઈ બેડી નહીં તેથી તેમને રાજાએ રજા આપી. પછી એક દીવસને સમે સ્વપ્નામાં સ્વર્ગનું સુખ દેખાડયું તે પણ પંડીતની સભામાં પુછ્યું ત્યારે પંડીત લેકે કહે કે આ સં. સારમાં સારાં ખાવા પીવાં પહેરવા ઓઢવાં એ સર્વ સ્વર્ગના સુખ કહેવાય. એ વાત પણ પુફચુલાના - નમાં બેઠી નહીં. એમજ નિત્ય સ્વપ્નામાં સ્વર્ગ નર્ક દેખ્યા કરે એમ કરતાં કરતાં છ માસ વીતી ગયા તે વખત પુફલા ગોખમાં બેઠી હતી તેવામાં સુપ્રીશ્રી આચાર્ય અતીથીવર સામા હળવે ગોચરીએ જાતા હતે તે જેયા. તે દેખીને પુફચલાએ તેમને કાલી મે
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૪
કલીને બોલાવ્યા. સાધુ દરબારમાં આવી ઉભા રહા
ત્યારે પુકચુલા અને ફયુલ પગે લાગ્યા. અને પુછયુ કે સ્વામી સ્વર્ગ નર્કના સુખ દુઃખનાં કારણ શું હશે. તે વખતે ગુરૂ ત્રણ શાનને જાણનારા હોવાથી તેમણે જ્ઞાન વડે સવ ભાવ દર્શાવ્યાં. તેઓ બોલ્યા કે તમારા માબાપે તમને ભાઈ બેનને અંદર અંદર માં પરણાવ્યાં તેમને હવે ઠીક લાગતું નથી માટે તે માંથી છુટવાને માટે તમને જુદા પાડવાને તમારે માતાએ ત નરક દેખાડવા માંડયું છે અને તે દે. ખાડીને તમને ઠેઠથી ભલામન કરે છે કે જે અતી પાપ કરશે વિષય શિવશે, અને પછી ગમન કરશે તે નરકમાં પડશે. જે ધર્મ કરશે, શી તપ - જેમ પાલશે તે વર્ગમાં જાશે. એવી વાણી સાંભળીને મનમાંથી સર્વ પ્રકારનો સંશય ભાંગે. પછી ગુફચલા બેલી કે સ્વામી આપણે માવીત્રને ધરે અધટીત કામ કર્યું. ભાઈ બેનને સંબંધે વિષય સેવના કરવી પડી માટે હું તો ચારિત્ર્ય લઈશ પણ તમે ભલે બીજી સ્ત્રી પરણીને રાજ સુખ ભોગવે. ત્યારે પુફચુલબો કે, તમે જે ગામમાં રહે તે હું તને મને રજા દઉં. તે વચન પુફચલાએ કબુલ કર્યું. એ પછી પૂફચલાએ અતી અડંબરે કરીને ચરિત્ર આહું સુપ્રતિષ્ઠીત આચાર્ય પાસે સુધર્મ સંજમ પાળીને
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૧
આચાર્યની સેવા કરતી હતી. અત્યારે પાણી પુચલા લાવી આપતી હતી. એમ કરતાં કેટલાક દીવસ પછી એક વખત શુભ ધ્યાનથી કરીને કેવલ જ્ઞાન ઉપજયું તે પકચલાએ ગુરૂની સેવામાં ભંગ પડે માટે જાહેર ન કર્યું. એક દીવસે વર્ષ રૂતુમાં પુકલા સાધવી, અહાર પાણી ફેરી લાવીને ગુરૂને કહે સ્વામી ઉઠે આહાર પાણી કરે. ત્યારે બહુજ રીસ ચડાવીને ગુરૂ કહે અરે ? ભૂંડી તું કેમ નરકમાં મને પાડે છે. એક સાધવીના હાથનો અહાર અને પાણી આ
લે મને ન ખપે તે હું કરૂં છું બીજું આ વર્ષ રૂતુના સચીત પ્રદેશમાં ખુદતી અહાર પાણી લઈ આવી તે મુજને કેમ કરાવીશ. ત્યારે તે સાધવી બેલી કે, સ્વામી હું અચીત પ્રદેશમાં થઈ અને સચીત પ્રદેશમાં થઈને આવી. તે સાંભળીને ગુરુ કહે શું કેવલી થઇ કે, તું અચીત તે દેશ ગઈ અને આવી. તેથી તે બોલી કે સ્વામી તમારા પ્રતાપથી. પછી આ ચાર્ય પૂછયું કે કહે મને કેવળ છે કે નથી તે વખત પુકચુલા બેલી કે તમને ગંગા નદી ઉતરતે કેવળ પ્રાપ્ત થશે. તે સાંભળીને અરણોકાચાર્ય ત્યાંથી ગંગાને કાઠે આવીને નદીમાં નહાવાને પેઠા. અર્ધ નદીએ જયારે આવ્યા ત્યારે એક મિથ્યાતી દેવતાએ આવી ત્રીશળે કરીને પરે ત્યારે મુનીએ મનમાં વિચાર કર્યો
Page #252
--------------------------------------------------------------------------
________________
કે અહે આ મારા રૂધીરે કરીને ઘણે અપકાયના જીવ મારશે એવી અનીત્ય ભાવના ઓમાં ચડયે ત્યારેજ ત્રિશકે પરોવા કેવળ જ્ઞાન પામીને સ્વર ગયા. તે વખ થી ગગાનો મહીમા થયેલ અને ગંગાના પાણીથી ઉતમ પદ પામીને રાગે જવાયું.
અતિ લોભ વિષે કનકાવતીની કથા. કનક કાંતો નામે નગરીમાં કનકસેન નામે રાજા રાજ કરતા હતા. તેની રાણીનું નામ કનકમિણી કરીને હતું. એક કુંવરી હતી તેનું નામ કનકાવતી હતું. તે કુંવરી દીન પ્રતી દિન માટ થતી ગઈ એટલામાં એવા બનાવ બન્યાકે એક કઠીયારો ભારો નામે તે ગામમાં રહેતો હતે. તેને ઘંટા નામે સ્ત્રી હતી અને તે સ્ત્રી હમેશાં એવી તે કુટીલ હતી કે વઢવાત તે રસ્તેથી ચાલતાં લેતી.
કુભા વર્ણન. પર ચડે દીન ત્યારે રોજ ઉડી ઉભી થાય— હાય હાય કરતી તે હુલડ જગાવે છે; મુંડા મુખ વેણ ભાખે રાખે નહી લાજે કંઈ બગાડીને સર્વ કાજ કલેશ કરાવે છે; પતીને ન યિાર કરે યાર કરે અવરને-- ભાર રૂપ ભૂમીને તે પડોશી લડાવે છે;
Page #253
--------------------------------------------------------------------------
________________
ર૪૩
જે જે રે ભાઈ ભલાઈ રખે તમે રાખશે તો– કુભાર્ય યુટીલ તે તો કાળજું કઢાવે છે.
એક ઘડી પણ કોઈને સુખ પડવા દેતી નથી અને તેના ધણીના તે પૂરે પૂરાજ ભેગ મળે છે. તે મ. જબ બીચારા કાઠેયારાને પણ થઈ પડયું હતું તેથી તે બીચારો બહુ મનમાં કચવાતા હતા. એક સમયપર કઠિયારો લાકડાં લેવાને જંગલમાં ચાર જના હતો તેવામાં તાપ બહુજ તવે. ત્યારે એક ઝાડની છાયા તળે જ છે. તે જ વખત પાતાળમાં એક પદમનાગ હતે, તેનો પૂત્ર તક્ષક નામે હતો તે પિતાન, બાપને કહેવા લાગ્યો કે, તમે કહે તો હું મૃત્યુ લેકમાં જઈને ત્યાનો તમાસે જોઇ આવું. તે વખતે તેને બાપે કહ્યું કે દીકરા સુખે જાઓ પણ ત્યાં કોઈ આપણા કુળની ખાદની કરે તો ઉભો રહીસ નહીં. તે વચન દીકરાએ કબુલ કર્યું અને ચાલી નીકળશે. તે પાધર પિલે કઠીયારે બઠા હતો ત્યાં જ આવી ચડો. તે કઠીયારો જુએ છે તો ત્યાં તડકામાં ફળફળતો તે ના ચા જાય છે. તે દેખીને પિતાની પાસે પાશ્રીને ઘડો હતો તેમાંથી પાણી ઢોળી નાંખ્યું અને ઘડ સર્ષના મુખ આગળ મુક્યો તે વખત તે સર્ષ પોતાનું શરીર સમાવીને તે ઘડામાં બેસી ગયે. કઠિયારે ઘડાને ઝાડના પાંદડાને ડુ ભાવે છે -
Page #254
--------------------------------------------------------------------------
________________
પર લુગડું બાંધ્યું. પછી કઠિયારે મનમાં વિચાર્યું કે એ સપને ઘરે લઈ જઈશ એટલે રાંડ ઘડામાં હાથ ગાલશે કે તરત જ મરી જશે. એ મનસ કરીને તે કઠિયારે ઘડે માથે લઈ ઘરે , ધરે ઘડા શકે મુકીને કઠિયારે પિતાના કરાને કહ્યું કે તારી મા કયા ગઈ છે ત્યારે તે કે પાણી ભરવા ગઈ છે ત્યારે તે કઠિયારે છોકરાને કહ્યું કે જે તારી મા આવે તો કહે છે કે આ લીંક ઉપરના ઘડાને છેડે કરે નહીં. એમ કહીને પોતે જઈ ઘરની પછવાડે કોડ જેવું એક ઘર હતું ત્યાં જઈને સતા. ડી વારે પેલી સ્ત્રી આવી ત્યારે છોકરાને પુછયુ કે આ લાકડાના બંદીયા અને કેડાડે કેનો છે ત્યારે તે છોકરાએ કહ્યું કે મારા બાપે તે મુક્યા છે અને કહ્યું છે કે આ શીંક ઉપર મુકેલે ઘડા છેડે નહી એમ કહે છે એટલું કહીને પછી કેડમાં જઈને સુઈ ગયો છે. એ સાંભળીને એકદમ ઘરમા ગઇ અને ઘડે ૯તારીને છેડો અને તેમાં હાથ નાંખીને બહાર કાઢો તો તેમાં એક સુંદર મેતીને હાર માલમ પડ. છે તેમાં આંગલા બરાબર એક એક મેતી હતું તેથી તે હાર તેણીને અતી કીંમતી લાગ્યો અને હતું પણ તેમજ. તે સ્ત્રી મનમાં ઘણજ હર્ષ પામી અને મનમાં વિચાર કરવા લાગી કે મારા ઘણી જે ભલે
Page #255
--------------------------------------------------------------------------
________________
કોઈ માણસ નહીં હોય અને મારા સરખી કોઈ બંડી નહીં હોય. મારે માથે જાત છે તો હું હવે પછી માસ ધણીની આજ્ઞા કરી લેપૂ નહીં. એ દ્રા વિચાર કરીને તે હારમાંથી એક મતી કાડયું અને બજારમાં જઈને દસ હજાર રૂપીઆમાં ઘરેણે મુકયું. તે રૂપીઆ ઘરે લાવીને મૂક્યા તેમાંથી એક છે રૂપીઆને સે લાવી સેઈ તૈયાર કીધી. પછી છેકરાને કહેવા લાગી કે તારા બાપને સાદ કર. ત્યારે કઠિઆરે ઘરે આવે અને સ્ત્રીઓ નું પાણી તૈયાર કર્યું હતું તેથી નાહ્યા અને પછી નવીન વા ચીએ લાવી મુકયા તે પહેર્યા પછી ઉત્તમ રીતે તેને વાર કીધેલી રસેઈ જો. ત્યારે કઠિયારા મનમાં વિચારવા લાગે કે આ સ્ત્રીને આટલી બધી પ્રેમ ભકિત કેમ ઉપજ હશે. પણ તેનો ખુલાસે થયે નહી. પછી બે ચાર દહાડા પછી સલાટને તેડાવીને તે સ્ત્રી એ કહ્યું કે એક મહીનામાં મને ધર તયાર કરી આ પિતો રૂપીઆ દસ હજાર આપું. પછી સલાટે એ મળીને એક મહીનામાં ઘર તયાર કરી આપ્યું એટલે તે ઘરમાં જઈને એ કઠીઆરા નું કુટુંબ વછ્યું. સલાટને આપવાને તથા નવા ઘરમાં સમાન લાવવાને માટે બીજા પણ ત્રણમતી ધરાણે મુક્યાં ધરેણાં ગાંડાં તથા બીજા સર સમાન ઘર સગાર જોઇએ તેવા ઉ..
Page #256
--------------------------------------------------------------------------
________________
પમી કામમાં પૈસા વાપરીને સુખમાં રહેવા લાગ્યા. એક દિવસે તે સ્ત્રી મનમાં વિચાર કરવા લાગી છે મારે ધણી જે ચાર ચોવટીઆ માં પુછાય તે ઘણું સારૂ એમ ધારીને ચવટીઆઓ પાસે જઈને કહ્યું કે જે તમે મારા ધણીને ચોવટીઆ તરીકે તમારી સાથે બેસાડો તો હું તમને પાઘડી ઘખલ સે સે રૂપીઆ આપું. ત્યારે ચે.વટીઆએ એ વાત કબુલ કરીને તે કઠિયારાને વટીઆ તરીકે બેસાડવા લાગ્યા. એક વખત એમ બન્યું કે, કોઈ એક માણસને ન્યાય બરાબર તેનું મન માને તે થે નહીં તેથી તે રાજા પાસે ફરિયાદ કરવાને ગયે અને કઠિયારાને માટે ચાડી ખાધી. ત્યારે રાજા કહે વટીઓને બોલાવે તે પ્રમાણે ચોવટીઆ ત્યાં આવ્યા પછી રાજાએ ચેવટીઆએને પુછ્યું કે આ કઠિયારને વટ કોણે સેંપી છે. સાચું બોલે એ સાંભળીને ચોવટીઆઓએ કહ્યું કે મહારાજ; અમને એની સ્ત્રીએ પાઘડીના રો સે રૂપીઆ આપીને તેને દાખલ કરાવે છે. તે વખત કઠિયારને પુછયું કે તારી પાસે આટલું બધું ધન કયાંથી ? ત્યારે તેણે જવાબ દીધું કે હું તો કાંઈ પણ જાણતો નથી પણ મારી સ્ત્રી જાણે છે. આને થી સ્ત્રીને બોલાવીને પુછયું કે તારી પાસે આટલું ધનથી ? ત્યારે તે સ્ત્રી બેલી કે જીવરાજ મારે
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૭
ધણી જંગલમાંથી એક મોતીને હાર લઈ આપે છે તેમાં ચાર પાંચ દાણા વાવ છે બાકી સર્વ અનામત છે. ત્યારે રાજા કહે તે હાર લઈ આવે. પછી તે કઠિયારી હાર લઈ આવી. તે હારને રાજા જોઈને વિસ્મય પામ્યું. રાજાએ પેલી કઠિઆરીને કહ્યું કે તારે જેટનું ધન જોઈતું હોય તેટલું લે અને આ હાર અમને આપ. એમ કહીને ખજાને લઈ જઈને ઘણેજ પિસા આવે અને કઠિયારાની ચાવટ પણ ચાલુ જ રાખી. એ પ્રમાણે થવાથી કઠિયારો તે પિતાની .
ગી સુખમાં ગાળવા લાગે. ' હવે પેલે હાર રાજાએ રાણીને આવે અને સ્ત્રીએ પિતાની દીકરી કનકાવતીને આવે. તે કુંવરી રાતને સમે એકાંતમાં શેજે બેઠી છે તે વારે ગળામાંને હાર ટળીને પુરૂષ છે તેનું દિવ્ય રૂપ હતું તે જેઇને કુંવરી મનમાં ઘણેજ હર્ષ પામી. તે પુરૂષની સાથે આખી રાત વિલાસ સુખ ભોગવે અને સવાર થાકે પાછો હાર થઈ જાય. એમ કરતાં કરતાં માસ છ થયા ત્યારે કુંવરીના અય ફર્યા. તેને જોઈને તેની મા બેલી કે દીકરી આ શું ? ત્યારે દીકરી એલી કે મા આ હાર જાર થાય છે. એ વાત સાંભળીને રાણીએ રાજ પાસે કહી અને પછી રાજા અને રાણી છાના રહીને જેવા લાગ્યા તે હાર ફીટીનેજાર
Page #258
--------------------------------------------------------------------------
________________
२४८
થશે તે જોઈ રાજા રાણી વિસ્મય પામ્યા. પછી સવાર થઈ ત્યારે રાજાએ રાણીને કહ્યું કે તું કુંવરની કહેજે કે તે પુરૂષની જાત પુછીલે. તે પ્રમાણે રા
એ કુંવરીને પાસે જઈને કહ્યું કે હવે આજ રાતે તું તે પુરૂષને પૂછો કે તમારી વાત શી છે. એ સાંભળી કુંવરીએ જવાબ દીધું કે ભલે હું પુછી લઈશ. રાતને સમે કુંવરીએ પુછયું કે સ્વામી તમારી જાત કઈ છે ત્યારે તે પુરૂષ છે કે તારે જાતનું શું કામ છે. તારે જે બીજું કાંઈ કામ હોય તો તે કહે એ ટલે કરું પણ જાતની ખેદણી ન કરીશ. ત્યારે તે કેવરી કહે કે સ્વામી તે તે તેમ કહેને કહે. ખરેખર અંત લેવાની કુંવરીએ કોશીશ કરી ત્યારે હાર ફીટી સર્ષ થઈ ચાલી નીકળ્યો. આથી કુંવરીએ ઘણેજ પશ્ચાતાપ કર્યો પણ પાછો કદી પણ જાર આવે નહીં. માટે અતી હઠ કરી અત લેતા-પસ્તા થાયે છે.
Page #259
--------------------------------------------------------------------------
_