SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ પ્રભુ પાર્શ્વનાથજી પાસે આવ્યા અને અનંત ભાવે કરી પુજા આદરી તેથી ભગવાન શમાન થયા અને સિંહનું રૂપ પલટીને અધિષ્ઠાતા દેવતા ભગવાનના શરીરમાં સંક્રમીને કહેવા લાગ્યા કે, દેવપાળ ભાગ, તું માગે તે આપું. દેવપાળ ભકિત મનમાં લાવીને નિર્મળ - નથી બે હાથ જોડીને કહેવા લાગ્યો કે, સ્વામી તમારું દર્શન થયું તેથી હું સર્વત્ર પાપે હવે મારે ભાગવાપણું શું રહ્યું. તે વખતે ભગવાને કહ્યું આજથી દીન સાતમાં તું રાજ્ય પામીશ ત્યારે દેવપાળ કહે સ્વામી આપનું વચન પ્રમાણ એમ કહી દેવતા અને લેપ થઈ ગયા. હવે દેવપાળ પણ દેવને પગે લાગી નદી પાછો ઉતરીને ઢોરમાં આવ્યું અને અઠમનું પારણું કર્યું અને સાંઝ પડતાં ઢોર હાંકીને ઘરે આ . હવે જે દહાડે દેવપાળને દેવતાનું વરદાન - ળ્યું હતું તેજ દીવસે તે નગરનો રાજા હરીક્ષેણ નામે હતો તે મૃત્યુ પામ્યા તે અપુત્ર હોવાથી પ્રધાન મંડળે રાજા રીત પ્રમાણે પંચ દીવ્ય પ્રગટાવીને ગામમાં ફેરવ્યા તે પાંચ દિવસ સુધી ફેરવતાં પણ કેઇના માથે હળ્યા નહીં તેથી છટ્ટે દીવસ તે ગામ બહાર નીકલ્યા તેની પાછળ રાજ લેક પણ નીકળ્યા. ફરતાં ફરતાં જ્યાં દેવપાળ તળાવની પાળ ઉપર એક ઝાડ હતું તેની નીચે સુતો હતો ત્યાં આ
SR No.011541
Book TitleJain Katha Sangraha 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1890
Total Pages259
LanguageGujarati
Classification
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy