________________
ઉપર ચાર જન પહેળી જગતીવાળો તેમ જ અર્ધજન પહેળા અને જગતીના આઠમા ભાગે (એક જન) લંબાઈવાળા બાળકટકવાળી જગતીવાળે તથા જે જગતીની ઉપર કટક પ્રમાણે ફરતી વિચિત્ર રત્નમય સ્તંભ, ફલક, સંઘાટક, શુચિવંશ, વંશક અને વેલ્લકવડે નિર્માણ કરેલી પવરવેદિકા છે એવો આ જંબદ્વીપ છે. તે વેદિકાની ઉપર ગવાક્ષો, હેમકિંકિણ(સુવર્ણની ઘુઘરીઓ)વાળી ઘંટાઓ તથા રજત અને મણિમુક્તાફળમય પદ્વતાલકની રચના છે. તે વાયુના સંપાતના સંઘટ્ટથી શબ્દવાળી છે. નાનાપ્રકારની લતાવાળી છે. તે સંઘાટકની અંદર તેમ જ સ્તંભની અંદર ઉત્પળાદિની રચના છે. તે વેદિકા બંને બાજુ વનખંડવાળી છે. તે વને શુભ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દવાળા મણિમય તૃણ યુક્ત છે. રત્નમય ત્રણ સોપાન, સ્થગન, તેરણ, અષ્ટમંગળ, ધ્વજા, નાની ટેકરીઓ, આંદોલન(હીંચકા)ના ગૃહ, મંડપ, આસન અને વેદિકાવાળા તથા વિચિત્ર દેખાવના જળવાળી વાપિકાએ વડે વિભૂષિત છે.
ભરતક્ષેત્ર તે જંબુદ્વીપના દક્ષિણભાગે પ્રાંતે ભારતનામનું ક્ષેત્ર છે, તે હિમવંત પર્વત પર્યત પર જન ને છ કળાના વિસ્તારવાળું છે. તે ક્ષેત્રને વિજયાલ્ય (વૈતાઢ્ય) પર્વત અને ગંગાસિંધુ નદીઓએ છ ભાગવાળું કરેલું છે. માગધ, વરદામ અને પ્રભાસ નામના તે તે નામવાળા દેવના સ્વામીવાળા ત્રણ તીર્થ દ્વારવાળું છે. તે ક્ષેત્રના દક્ષિણ વિભાગના મધ્યભાગમાં અધ્યા નામે નગરી છે અને ક્ષેત્રના મધ્યભાગમાં પૂર્વ
૧ તે વેદિકા બે ગાઉ ઊંચી ને ૫૦૦ ધનુષ્ય પહોળી છે.