________________
[૪૨] પર્વતના વ્યાસના અર્ધમાંથી દ્રહને વ્યાસ બાદ કરતાં જે આવે એટલી નદીઓની પર્વતપર ગતિ સમજવી.
ધાતકીખંડમાં ૧૭૦૩ એજન ગિરિના મસ્તક ઉપર પૂર્વગંગાની અને પશ્ચિમે સિધુની ગતિ જાણવી. એટલી જ રક્તા ને રક્તવતીની જાણવી. તેથી બમણી પુષ્કરાર્થના પર્વ.
પર તે નદીઓની ગતિ જાણવી. બધી નદીઓ પૂર્વ પૂર્વ કરતાં બમણી બમણું નદીઓના પરિવારવાળી જાણવી. મુખવન, વખારા પર્વત, અંતરનદી ને મેરૂનો વ્યાસ તથા ભદ્રશાળવનની પહોળાઈ બાદ કરતાં જે રહે તેના સેળમા ભાગે એકેક વિજયની પહોળાઈ જાણવી. તે સિવાય બીજાને વ્યાસ પૂર્વ કહ્યા પ્રમાણે જાણ.
| ઇતિ કરણાધિકાર જબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાળોદધિ, પુષ્કરવાર, વરૂણ, ક્ષીર, વૃત, ઈશુરસ ને નંદીશ્વર, અરૂણ, અરૂણવર, અરૂણુવરાભાસ, કુંડળ, રૂચક, અરૂણ, ત્યારપછી વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પૃથિવી, નિધાન, રત્ન, વર્ષધર, હદ, નદી, વિજય, વક્ષાર, કલ્પ,
૧ આ પ્રમાણે નામ, વર સહિતનામને વરાભાસ સહિત નામ આમ ત્રિપ્રત્યયાવતાર યાવત સૂર્યવરાભાસ સુધી સમજવા. કુંડળ, રૂચક ને અરૂણમાં તે પ્રમાણે ન કરવાનું પણ કેટલેક સ્થળે કહેલ છે. એ પ્રમાણે ગણતાં આઠમા નંદીશ્વર દ્વીપથી બ્રમે અરૂણ ને દશમે કુંડળ તથા ૧૧ મે રૂચક આવે છે. બીજી રીતે કુંડળ ૧૧ મે ને રૂચક ૧૩ મે આવે છે. આવા મતાંતર લઘુક્ષેત્ર માસની વૃત્તિમાં બતાવેલ છે. છેલ્લા દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ એ પાંચ નામના દ્વીપમાં ત્રિપ્રત્યયાવતાર નથી, એમ બધા ગ્રંથમાં કહેલ છે.