________________
[૪૬] જે અતિશય ઉચે છે, પૃથ્વીને ધારણ કરનાર છે, અદ્ભુત પરાક્રમવાળા સૂર્ય) ને જેના ઉપર ઉદય થયે છે, [ સર્વ પર્વતેમાં ] અચિત્ય કાન્તિ અને પવિત્ર એવી પર્વતની સ્થિતિને ધારણ કરનાર છે, (અર્થાત્ સર્વ પર્વતેમાં જે શ્રેષ્ઠ અને પવિત્ર છે.) જેનું તેજ અને મહિમા ઘણો મોટો છે, જેની તલાટી જગતમાં વંદનીય છે એ પ્રશંસનીય ઉદયાચલ પર્વત શોભે છે.
છત્ર
કામદેવને જેમણે દબાવી દીધો છે, અજ્ઞાનના નાશમાં જેઓ હેતુભૂત છે, જેઓને ઉત્તરોત્તર ઉદય વતે છે, (જગતનો) નિસ્તાર કરવાની જેઓની ઈચ્છા છે એવા શ્રી અભયદેવસૂરિ માહારાજ સૂર્ય સરખા શોભે છે.
. (પિતાના ઉદયથી પારદારિક પુરૂષની) કામચેષ્ટાઓને જેણે દબાવેલ છે, ઉદય થયે છતે અંધકારના નાશનું જે કારણ છે, તારા (ઉપલક્ષણથી નક્ષત્રાદિ) ની કાન્તિ જેણે નષ્ટ કરી છે એવા સૂર્ય શોભે છે. તોrશા –
આ જગતમાં દક્ષિણદિશામાં રહ્યા છતાં જેણે મોટા એવી લવણસમુદ્રનો પાર પામીને ઉત્તર દિશામાં ઉદય-પ્રકાશ કર્યો છે અને વિશ્વને જેણે પ્રગટ કર્યું છે એવો સૂર્ય શોભે છે.)
(ભરતના) દક્ષિણ ભાગમાં રહ્યા છતાં ઉત્તર દિશામાં જેમનો ઉદય વધુ પ્રમાણમાં છે અને શાસ્ત્રોના વાદરૂપી મહાન