Book Title: Tattvamrut Chetodutam Jambudwip Samas
Author(s): Jinshasan Aradhak Trust
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 159
________________ [ પ ] કરી હોય ત્યારે તે બીજાના ચિત્તને સારું લગાડવા માટે જે દાન આપે તે લજજાદાન કહેવાય છે. ૪. નટ, મક, મલ્લ, સંબંધી, બંધુ અને મિત્રને યશને માટે જે દાન દેવાય તે ગર્વદાન કહેવાય છે. પ. હિંસા, અસત્ય, ચોરી, પરસ્ત્રીરમણ અને પરિગ્રહમાં આસક્ત થયેલાને જે દાન અપાય તે દાન ( અધર્મદાન) અધર્મને માટે જાણવું. ૬. " તૃણ, મણિ અને મુક્તાફળને વિષે સમદષ્ટિવાળા સુપાત્રને જે દાન અપાય તે ધર્મદન (અથવા સુપાત્રદાન) કહેવાય છે અને તે અક્ષય, અતુલ અને અનંત થાય છે (અર્થાત્ અક્ષય સુખને આપનાર થાય છે). ૭. આ પુરુષે મારે સેંકડેવાર ઉપકાર કર્યો છે અને હજારો વાર.મને દાન આપ્યું છે, તેથી હું પણ તેને કાંઈક આપું, એમ ધારીને તે જે દાન આપે તે પ્રત્યુપકારદાન કહેવાય છે. ૮. પંચાસટીકામાં શ્રી અભયદેવસૂરિએ કહ્યું છે કે— ઉમાસ્વાતિ વાચકે પણ આનું સમર્થન કર્યું છે, તે આ પ્રમાણે-તેણે કહ્યું છે કે “સમ્યગદર્શન સહિત અને છ પ્રકાના આવશ્યકમાં તત્પર જે હોય તે શ્રાવક કહેવાય છે.”ઈતિ. - એ જ પ્રમાણે ધર્મસંગ્રહમાં શ્રી માનવિજય ઉપાધ્યાયે પણ કહ્યું છે. તે ગ્રંથ ઉ. યશવિજય મહારાજે સુધારેલે છે. શ્રીમુનિચંદ્રસૂરિકૃત ધર્મબિંદુની ટીકામાં પણ એ પ્રમાણે કહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184