________________
[૧૬] નારીકાન્તા નદી પિતાના પ્રપાતકુંડમાં પડી રમ્યફ ક્ષેત્રના મધ્યમાં થઈને પશ્ચિમસમુદ્રને મળે છે. તેનું પ્રવાહ પ્રમાણે, નદીપરિવાર વિગેરે હરિસલિલા નદી પ્રમાણે જાણવું.
ઈતિ નીલગિરિ સમાસઃ
રમ્યક ક્ષેત્ર નીલવંત પર્વતની ઉત્તરે હરિવર્ષની જેવું રમ્યક નામે યુગળિક ક્ષેત્ર છે. તેના મધ્યમાં માલ્યવાન નામે વૃત્તવિજયાર્ધ પર્વત છે. તેના પર પદ્મ નામના દેવને નિવાસ છે. બીજી બધી હકીકત હરિવર્ષ ક્ષેત્ર પ્રમાણે જાણવી.
ઇતિ રમ્યમ્
સમી પર્વત રમ્ય ક્ષેત્રની ઉત્તરે રજતમય સમી નામે પર્વત છે. તેના મધ્યમાં મહાપુંડરીક નામે દ્રહ છે. તેમાં બુદ્ધિદેવીને નિવાસ છે. તે પર્વતની ઉપર ૧ સિદ્વાયતન, ૨ રુફમી, ૩ રયક, ૪ નરકાંત, ૫ બુદ્ધિ, ૬ રે, ૭ હેરણ્યવત અને મણિકાંચન નામે આઠ ફૂટ છે. આ પર્વતનું પહેળાઈ, ઊંચાઈ વિગેરેનું પ્રમાણ મહાહિમાવાન પર્વત પ્રમાણે જાણવું. તે પર્વત પરના હૃહમાંથી દક્ષિણદ્વારેથી નીકળીને નરકાંતા નદી રમ્યક ક્ષેત્રના પૂર્વ બાજુના મધ્યભાગમાં થઈને પૂર્વસમુદ્રને મળે