________________
અથ દ્વિતીય માહિકમ
' મહાવિદેહ ક્ષેત્ર નિષધ અને નીલવંત પર્વતના મધ્યમાં મહાવિદેહ નામનું ક્ષેત્ર નિષધ પર્વતથી બમણા (૩૩૬૮૪ .ને ૪ કળા) વિસ્તારવાળું અને મધ્યમાં પૂર્વ પશ્ચિમ એક લાખ જન લાંબું છે. તેના મધ્યમાં એક હજાર યોજન જમીનમાં ઉડે અને ૯૦૦૦
જન ઉંચે, જમીન પર દશ હજાર જન અને ઉપર એક હજાર જન લાંબે પહોળ, (ગોળ), ત્રણ કાંડવાળ, ત્રણ લોકમાં વહેંચાયેલી મૂર્તિવાળો, સર્વ રત્નમય મેરૂ નામે પર્વત છે. પૃથ્વી, ઉપળ, વજ અને શર્કરા (કાંકરા) વાળો તેને પ્રથમ કાંડ એક હજાર યોજન પ્રમાણ છે. બીજું કાંડ અંક, ફટિક, રજત અને રૂયિમય છે અને ત્રીજે ઉપરને કાંડ જાબનદરનમય છે. છેલા બેમાંને પહેલે ૬૩૦૦૦ એજન પ્રમાણ છે ને બીજે ૩૬૦૦૦ એજન પ્રમાણ છે. તે પર્વતને અનુસરતા ભદ્રશાળ, નંદન, સામનસ અને પંડક નામના ચાર વનો છે. જમીન ઉપર ભદ્રશાળ વન છે. તે ચાર વક્ષસ્કાર (ગજદંતાકૃતિ) પર્વતથી ચાર ભાગવાળું થયેલું છે. તે વન પૂર્વ અને પશ્ચિમે ૨૨૦૦૦ એજન પહેલું છે અને ઉત્તર દક્ષિણે અઢીસો યેાજન પહેલું છે. .
મેથી ૫૦ એજન દૂર ચારે દિશાએ ભદ્રશાળ વનમાં ચાર સિદ્ધાયતને છે તે હિમવત પર્વત પરના સિદ્ધાયતન જેવા છે. તથા તેટલી જ છેટી ચાર વિદિશાએ ચાર ચાર પુષ્કરિણીઓ