________________
[૨૮] બત્રીશ વિજયે જાણવી, તે વિજયે વક્ષસ્કાર ગિરિ અને અંતર નદીઓથી જુદી પડતી એટલે એતરામાં રહેલા ગિરિ અને નદીઓવાળી છે. આઠ આઠ વિજયના સાત સાત આંતરામાં ચાર ચાર વક્ષસ્કાર ગિરિએ ને ત્રણ ત્રણ અંતર નદીઓ છે.
મહાવિદેહક્ષેત્રમાં પૂર્વ પશ્ચિમાઈ ને તેમાં દક્ષિણાઈને ઉત્તરાર્ધમાં વક્ષસ્કારપર્વત વિજય પ્રમાણ લાંબા અને નિષધ નીલવંત પાસે ચારસો જન અને સીતા-સીદાપાસે પાંચસે જન ઉંચા છે. પહોળાઈમાં પાંચસો જન ઉપરનીચે સરખા છે. વક્ષસ્કારની આકૃતિવાળા છે. સર્વ રત્નમય છે. તે દરેક વક્ષસ્કાર ઉપર પ્રથમ સિદ્ધાયતન નામને પછી વક્ષસ્કારના નામને અને પછી બંને બાજુની બે વિજયના નામના–એમ ચાર ચાર ફૂટ છે. તેમાં નદીને લગતા સિદ્ધાયતન ફૂટ છે. તે વક્ષસ્કાર કુલ સોળ છે. તેના નામ આ પ્રમાણે છે-ચિત્ર, પદ્મ (બ્રહ્મ), નલિન ને એકશૈલ; ત્રિકટ, વૈશ્રવણ, સુદર્શન ને અંજન, અંક, પદ્મવંત, આશીવિષ ને સુખાવહ; તથા ચંદ્ર, સૂર્ય, નાગ અને દેવ. તે દરેક વિજયમાં એક એક મુખ્ય રાજધાની બાર જન લાંબી અને નવ જન પહોળી છે. તેના નામે આ પ્રમાણે છે: ક્ષેમા,
મપુરા, રિટા, રિપુરા, ખડ્યા, મંજૂષા, ઓષધિ ને પુંડ રીકિણી; સુસીમા, કુંડળ, અપરાજિતા, પ્રભાકરા, અંકવતી, પદ્માવતી, શુભા અને રત્નસંચયા અશ્વપુરી, મહાપુરી, સિદ્ધપુરી, વિજયપુરી, રાજ્યા, વિરાજ્યા, અશોકા ને વીતશેકા વિજય., વિજયંતા, જયંતા ને અપરાજિતા, ચક્રપુરા, ખગ્ગપુરા, અધ્યા ને અધ્યા.
અંતર નદીઓ જે વિજોના આંતરામાં છે તેના નીકળ૧ ક્ષેત્ર માસમાં નામમાં ફેરફાર છે.